________________
અનુપ્રેક્ષા છે.
છે.
ઔદયિક ભાવ તે પ્રતિકૂળ ઉપસર્ગોની દશા
ક્ષાયોપમિક ભાવ તે અનુકૂળ ઉપસર્ગોવાળી અવસ્થા છે. અને,
ક્ષાયિક ભાવ તે ઉપસર્ગ રહિત અવસ્થા છે. કર્મની ઉદયાવસ્થા જીવને પ્રતિકૂળ છે, ક્ષયોપશમ અવસ્થા અનુકૂળ છે.
પ્રતિકૂળ અવસ્થામાં ખેદ, ઉદ્વેગ અને અનુકૂળ અવસ્થામાં હર્ષ-ઉલ્લાસ અનુભવાય છે. તેથી અનુક્રમે તે પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગોની અવસ્થા કહેવાય છે.
ક્ષાયિક ભાવ પૂર્ણ અવસ્થા હોવાથી તેમાં હર્ષોદ્વેગ અનુભવાતાં નથી. તે અવસ્થા કાયમ રહેતી હોવાથી તેનું અભિમાન થતું નથી. અલિપ્તપણે તે દશા પ્રાપ્ત ગુણોનો બીજા યોગ્ય આત્માઓમાં સંક્રમ કરાવીને અનેકનું કલ્યાણ કરનાર થાય છે. નિર્વિઘ્નપણે સહજ રીતે અનેકાનેક આત્માઓનું કલ્યાણ કરનારી આ દશા હોવાથી તે જ એક ઉપાદેય છે.
‘નો’ પદ વડે ઔદયિક ભાવોનો ત્યાગ. ‘રિö’ પદ વડે ક્ષાયોપશમિક, અને ક્ષાયિક ભાવોનો આદર અને,
‘તાળ' પદ વડે પ્રાપ્ત થયેલ ક્ષાયિક ભાવ દ્વારા અનેકનું કલ્યાણ અને ત્રાણ થતું હોવાથી ઉપસર્ગ રહિત અવસ્થા પ્રાપ્ત કરવાનો તે પરમ ઉપાય છે.
નમો અરિહંતાણંમાં ચાર ભાવના
મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ મૈત્રીની અભિવ્યક્તિ મુખ્યત્વે મન દ્વારા
થાય છે.
પ્રમોદની અભિવ્યક્તિ મુખ્યત્વે વચન દ્વારા
Jain Education International 2010_03
૨૨
થાય છે.
માધ્યસ્થ અને કારૂણ્યની અભિવ્યક્તિ મુખ્યત્વે કાયા દ્વારા થાય છે.
ચારે ભાવનાઓ મનમાં ભાવિત થતી હોવા છતાં તેની અભિવ્યક્તિ વિવિધ રીતિએ થાય છે. મૈત્રી ભાવથી શુદ્ધ થયેલ મન દ્વારા દ્રવ્યની ઓળખાણ થાય છે.
પ્રમોદ ભાવથી શુદ્ધ થયેલ વચન દ્વારા ગુણોની ઓળખાણ થાય છે.
કરૂણા અને માધ્યસ્થ વડે શુદ્ધ થયેલ કાયા દ્વારા પર્યાયની ઓળખાણ થાય છે.
દ્રવ્યની ઓળખાણ થવાથી દર્શન ગુણ પ્રગટે છે, ગુણની ઓળખાણ સકલ ગુણોના નાયક જ્ઞાનગુણને ઉત્તેજિત કરે છે અને પર્યાયની સમજ એ ચારિત્ર ગુણને વિશુદ્ધ કરે છે.
દ્રવ્યની ઓળખાણ મિત્રતાને વિકસાવે છે. ગુણની ઓળખાણ પ્રમોદ ભાવને વિકસાવે છે. પર્યાયની ઓળખાણ કારૂણ્ય અને માધ્યસ્થને વિકસાવે છે.
નમો પદનું ભાવન નમ્રતાને વિકસાવે છે. પોતે કરેલા અપકાર અને બીજાએ કરેલા ઉપકારના જ્ઞાન અને સ્મરણથી નમ્રતા અને કૃતજ્ઞતા સ્થિર થાય છે. તેમાંથી મૈત્રી અને કરૂણા વિકસે છે.
નમો પદમાં જેમ નમ્રતા છે, તેમ કૃતજ્ઞતા પણ છે. પોતાના અપરાધના સ્મરણથી નમ્રતા ગુણ અને બીજા દ્વારા થયેલા ઉપકારના ગુણના સ્મરણથી કૃતજ્ઞતા ગુણ વિકસે છે.
‘નો’ પદના ભાવનથી નમ્રતા કૃતજ્ઞતા અને મિત્રતા પ્રગટે છે.
‘દિ’પદના ભાવનથી પ્રમોદ ભાવ પ્રગટે
છઠે.
‘તામાં’ પદના ભાવનથી કરૂણા અને માધ્યસ્થ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org