Page #1
--------------------------------------------------------------------------
________________
પરિણામ અને અભિપ્રાય
પંડિત અભયકુમાર જૈન
Page #2
--------------------------------------------------------------------------
________________
૬ ૐ નમ: સિદ્ધભ્ય: ૬
કિયા, પરિણામ અને અભિપ્રાયઃ
એક અનુશીલન
લેખક: પંડિત અભયકુમાર જૈના (એમ. કૉમ., જૈનદર્શનાચાર્ય)
અનુવાદક: શ્રી દિપકભાઈ એમ. જૈન
(બી. એસસી. ઓનર્સ)
પ્રકાશક : પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ એ - ૪, બાપુનગર, જયપુર - ૩૦૨૦૧૫
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સંસ્કરણ (23 જેન્યુઆરી 2004)
દ્વિતીય સંસ્કરણ (1 જુલાઇ 2004)
યોગ
મૂલ્ય :
-
-
10.00
-
૨
-
મંગલાચરણ
અધ્યાય ૧
ભૂમિકા
અધ્યાય
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
3
:
૪
:
અધ્યાય
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું જીવનમાં સ્થાન
અધ્યાય
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા
૩ હજાર
ઙ
8 હજાર
11 હજાર
ઃઃ અનુક્રર્માણકા ઃ
અધ્યાય - ૫
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
અધ્યાય
સમ્યચારિત્ર માટે કરવામાં આવેલા વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિયા, પરિણામ અને અભિપ્રાય
૦૧
03
०७
૨૧
૩૧
૩૭
-- ૫૩
શ્રી જિનવાણીનો વિનય અને બહુમાનપૂર્વક સ્વાઘ્યાય કરશો. તેની કોઇ પણ પ્રકારે અશાતના કરશો નહીં. તેમાં ડાઘ પાડશો નહીં, ફાડશો નહીં, બગાડશો નહીં તેમજ સૂવાના પલંગ પર કે જમીન પર, અગર જ્યાં-ત્યાં અયોગ્ય સ્થાને રાખશો નહીં.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
બાહ્ય ક્રિયા અને શુભાશુભ પરિણામોંના તળીયે વહેવાવાળી અભિપ્રાયની ધારાનું રહસ્યોદ્ઘાટન કરવાવાળી પ્રસ્તુત પુસ્તકનું હિન્દીમાં ત્થા ગુજરાતીમાં પ્રકાશન કરતાં અમો અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરીએ છીએ.
આ પુસ્તકના લેખક પંડિત અભયકુમારજી શાસ્ત્રી કે જેમને ૧૬ વર્ષની ઉંમરથી પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનું તથા ૧૮ વર્ષની ઉંમરથી ડૉ. હુકમચંદજી ભારિલ્લ, જયપુરનું સાન્નિધ્ય પ્રાપ્ત છે.
તથા તેમણે આ પહેલાં પૂજય ગુરુદેવશ્રીના ગુજરાતી પ્રવચનોનો હિન્દી અનુવાદ, અનેક ભક્તિ ગીતોની રચના તથા આત્માનુશાસન, લઘુતત્ત્વસ્ફોટ, નિયમસાર કલશ, ક્રમબદ્ધપર્યાય: નિર્દેશિકા તથા સમવસરણ સ્તુતિનો પદ્યાનુવાદ કર્યો છે. પરંતુ કોઇ વિષય પર સ્વતંત્ર પુસ્તક લખવાનો તેમનો આ પ્રથમ પ્રયાસ છે. જેમાં તેમણે પોતાના ૩૨ વર્ષોનું અધ્યયન-અધ્યાપનથી પ્રાપ્ત ચિંતન અને લેખન પ્રતિભાનો ઉપયોગ કર્યો છે.
આ પુસ્તકની વિષય-વસ્તુનો આધાર મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથનો સાતમો અધિકાર હોવા છતાં પણ તેમના મૌલિક ચિંતનની સ્પષ્ટ ઝલક જોવા મળે છે. આ વર્ષે દસલક્ષણ પર્વ મુંબઇ(દાદર) પ્રવાસના અવસર પર શ્રી કુંદકુંદ કહાન દિગંબર જૈન તત્ત્વ પ્રચાર સમિતિના અનુરોધ પર ઉપસ્થિત સાધર્મીસમાજ દ્વારા આ પુસ્તકને હિન્દી તથા ગુજરાતીમાં પ્રકાશિત કરીને જન-જન સુધી પહોંચાડવાની ભાવનાથી એક લાખ રૂપિયાથી પણ વધારે રકમનો સહયોગ આપ્યો છે. જેની વિગત પાછળ આપવામાં આવી છે. અમે તે બધાજ દાતાઓના હાર્દિક આભારી છીએ. આ પુસ્તક હિન્દી પુસ્તકની સાથે સાથે છપાય તેને ખ્યાલમાં રાખીને તેનો ઝડપથી ગુજરાતી અનુવાદ કરનાર શ્રી દિપકભાઇ એમ. જૈનના આભારી છીએ. શ્રી ઉલ્લાસભાઇ ઝોબાલીયાએ પ્રૂફ રીડિંગની સાથે તેને ઓછા સમયમાં પ્રકાશન કરવામાં સહાય કરી છે તેમનો આભાર માનીએ છીએ. લેજર ટાઇપ સેટિંગ કરનાર શ્રી રાજેન્દ્ર ગાંધી તથા પ્રકાશન વ્યવસ્થાની જવાબદારી નિભાવવા બદલ શ્રી અખિલ બંસલ પણ ધન્યવાદને પાત્ર છે.
અમને આશા છે કે આ પુસ્તક વાંચકો માટે અભિપ્રાયની ભૂલ સમજીને તેમાં છુપાએલા ગદ્દાર મિથ્યાત્વને સમૂળ નષ્ટ કરવામાં ઉપયોગી સિદ્ધ થશે.
- બ્ર. યશપાલ જૈન
પ્રકાશન મંત્રી,પંક્તિ ટોરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર-302015
Page #5
--------------------------------------------------------------------------
________________
અહોભાગ્ય
મેં જ્ઞાયક હૂ- યહ અનુભૂતિ શી જિનકા નિર્મલ અભિપ્રાય | શિવપુર પથ કે પથિક મુનીશ્વર ભિન્ન જાનતે મન-વચ-કાય | તીન કષાય ચોકડી વિરહિત આનંદ જિનકા સંવેદન | નિગ્રન્થોં કે ચરણ-કમલ મેં કરતા હૂં શત-શત વંદન |
કઈ વિચાર્યું પણ ન હતું કે જિનાગમનો કોઈ અંશ આટલો ગમી જશે. અને તેના ઉપર આટલું વિસ્તૃત ચિંતન થઇ જશે કે તે સ્વતંત્ર પુસ્તકરૂપે આપના કર કમલોમાં વિદ્યમાન થશે.
જો કોઇ પૂછે કે આ પુસ્તકમાં નવું શું છે? તો ચોક્કસપણે મારી પાસે તેનો જવાબ નથી. તો પછી આ પુસ્તક લખવાની શી જરૂર પડી ? આ પ્રશ્નનો પણ સંતોષકારક જવાબ કદાચ હું ન આપી શકું.
વાસ્તવમાં આધ્યાત્મિક સંપુરૂષ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીની અમૃતવાણીના માધ્યમથી આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી વિરચિત અમરકૃતિ મોક્ષમાર્ગ પ્રકાશકનો પરિચય મારા જીવનની અપૂર્વ નિધિ છે. ડૉ. હુકમચંદજી ભારિલ્લના શ્રીમુખેથી એનું ગહન વિવેચન સાંભળી એનો અપૂર્વ મહિમા એથી પણ વધારે ઊંડાણથી ભાસવા લાગ્યો. શ્રી ટોડરમલ દિગંબર જૈન સિદ્ધાંતા મહાવિદ્યાલય જયપુરમાં ઘણાં વર્ષો સુધી તેનું અધ્યાપન કરતા-કરતા તેની રગ રગ થી પરિચિત થઇ મારૂં જીવન સાર્થક અને સફળ બની ગયું.
તેનો સાતમો અધિકાર તો માનો કે જિનાગમનું પ્રવેશદ્વાર છે. પૂજય ગુરુદેવશ્રી પણ મુકત કંઠે એના મહિમાના વખાણ કરતા હતા. તેમની ઉપસ્થિતિમાં સોનગઢમાં આયોજિત મોટે ભાગે પ્રત્યેક શિબિરમાં તેને ઉત્તમ વર્ગમાં શીખવવામાં આવતું હતું, જે તેના મહત્વનું પ્રબળ પ્રમાણ છે. એવો કોઇ સ્વાધ્યાય પ્રેમી મુમુક્ષ નહી હોય જેણે એનો સ્વાધ્યાય ન કર્યો હોય. જો કે તેને વર્તમાન આધ્યાત્મિક ક્રાંતિનો મૂળ આધાર કહેવામાં આવે તો અતિશયોકિત નહીં હોય. વર્તમાન આધ્યાત્મિક ક્રાંતિની આ અપૂર્વ લહેરે મને પણ પોતાનામાં ડુબાડી લીધો. કોઈ મહાપુણ્યોદયથી બાહ્ય સંયોગ પણ એવા મળ્યા કે જિનાગમનું પઠન-પાઠન, અધ્યયન-અધ્યાપન જ મારી જીવન ચર્યા બની ગઇ. શ્રી કુન્દ કુન્દ કહાન દિગંબર
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટે મને આજીવિકાની ચિંતાથી પણ મુક્ત કરીને અધ્યાત્મ રસપાન કરવાનો માર્ગ મોકળો કરી દીધો.
સન ૧૯૭૧ થી દશલક્ષણ પર્વ તેમજ અન્ય અવસરો પર પ્રવચનાર્થે બહાર જવાનો પ્રારંભ થયો. પૂજય ગુરુદેવશ્રીના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે સાતમા અધિકારથી ઉત્તમ અને સરળ માધ્યમ બીજું શું હોઈ શકે? આગમનો અભ્યાસ કરવા ઉપરાંત પણ અભિપ્રાયની ભૂલોનું તલસ્પર્શી પરંતુ સરળ, સ્પષ્ટ અને બધાથી જુદુ વિવેચન જેવું આમાં કરવામાં આવ્યું છે, તેવું બીજે દુર્લભ છે.
ન જાણે કયારે મારું ધ્યાન “સમ્યફ ચારિત્રનું અન્યથાસ્વરૂપ’ પ્રકરણના પ્રથમ ફકરામાં બતાવેલ ક્રિયા, પરિણામ અને અભિપ્રાય શબ્દો પર ગયું અને છેલ્લાં ૧૫-૨૦ વર્ષોથી એ શબ્દો સાતમા અધિકાર પર પ્રવચનના કેન્દ્રબિન્દુ બની ગયા. ત્યારથી આજ સુધી સેંકડો વાર એ વિષય પર સમાજમાં ચર્ચા કરવાનો અવસર મળ્યો અને તેમાં અનેક નવા-નવા બિન્દુઓ સામેલ થતા ગયા.
અનેક વિદ્યાર્થીઓ અને સાધર્મી બધુઓનો વારંવાર પ્રબળ આગ્રહથવા. લાગ્યો કે આ ચિન્તન ને પુસ્તકરૂપ આપવામાં આવે. તે પહેલાં પૂજય ગુરદેવના પ્રવચનોનો ગુજરાતીમાંથી હિન્દી અનુવાદ કરવાનો તથા ભકિત ગીત લખવાનો અવસર તો મળ્યો હતો પરંતુ કોઇ વિષય પર પુસ્તક લખવાનું સાહસ કરી શકયો. ન હતો.
મારા મિત્ર અખિલ બંસલ ક્યારેક-ક્યારેક કહેતા, ‘અભયજી, આપ પણ કોઈ પુસ્તક લખી નાખો” ત્યારે મને તત્કાલ વિચાર આવતો કે પૂજ્ય ગુરુદેવશ્રી એ અથાહ જિનાગમનો પૂરો મર્મ ખોલી એટલો માલ પીરસ્યો છે કે આખું જીવન ખાઇએ તો પણ કદી ઓછો ન થાય. તેમના અનન્ય શિષ્ય ડૉ. ભારિફ્લજીએ પણ અધ્યાત્મના લગભગ પ્રત્યેક ભાગ પર બધી વિધાઓમાં હજારો પાના લખ્યા છે જે લાખો લોકો સુધી પહોંચ્યા છે. હવે મારા માટે કોઇ અલિખિત વિષય જ બચ્યો નથી અને ન મારામાં તેમના જેવી પ્રતિભા છે. માટે ગુરુદેવના પ્રવચનો તેમજ છોટે દાદાની લેખણીને પ્રવચનો અને કક્ષાઓના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવાના બહાને પોતે તેનું રસપાન કરવું શ્રેયસ્કર છે. એવી અનુભૂતિ થયા બાદ પણ આ પુસ્તક લખાયું એજ તેની ઉપાદાનની યોગ્યતા નું પ્રબળ પ્રમાણ
સન ૨૦૦૨માં લેખનકાર્ય પ્રારંભ થયું અને મે ૨૦૦૨ માં દેવલાલી આયોજિત પ્રશિક્ષણ શિબિરના પ્રસંગે અનેક વિદ્વાનો તેમજ અન્ય સાધર્મીજનોને
Page #7
--------------------------------------------------------------------------
________________
આને ટાઇપ કરાવી તેની પ્રતિઓ આપી, આવશ્યક સૂચન આપવાની વિનંતી કરવામાં આવી. બાલબ્રહ્મચારી સુમતપ્રકાશજી, પંડિત રતનચંદજી ભારિલ્લ જયપુર, પંડિત દિનેશભાઇ શહા મુંબઇ, ડૉ. ઉજજવલા શહા મુંબઇ, પં. મન્નુલાલજી સાગર, પંડિત રાકેશકુમારજી શાસ્ત્રી નાગપુર, શ્રીમાન પવનજી અલીગઢ તેમજ શ્રીમતી રાજકુમારી જૈન જયપુર એ પોતાના બહુમૂલ્ય સૂચનોથી અનુગ્રહીત કર્યા. સર્વાધિક મહત્વપૂર્ણ સૂચન શ્રી રજનીભાઇ ગોસલિયા વૉશિંગ્ટન પાસેથી મળ્યું. આ બધા મહાનુભાવોના સૂચનો પર વિચાર કરી બધાને આત્મસાત કરી પુસ્તકને અંતિમરૂપ આપવામાં આવ્યું અને ફરીથી ટાઇપ કરવામાં આવ્યું. આ બધા વિદ્વાનોનો નો હું હાર્દિક આભારી છું.
જૈન અધ્યાત્મ એકેંડમી ઑફ નોર્થ અમેરિકા (JANA)ના સંયોજક શ્રી અતુલભાઇ ખારાએ આ પુસ્તક અમેરિકાના સાધર્મી ભાઇઓમાં વિતરણ કરવાની ભાવના વ્યકત કરતા અમને ડિસેમ્બર ૨૦૦૩ સુધી ગુજરાતી અને હિન્દીમાં પ્રકાશિત કરવાની પ્રેરણા આપી, જેના ફળ સ્વરૂપ અન્ય બધા કાર્યોને ગૌણ કરી આ જ કાર્યને સંપન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેથી આ પુસ્તક આપના કર કમળોમાં પ્રસ્તુત છે.
વાસ્તવમાં આમાં (પુસ્તકમાં) જે કાંઇ પણ છે તે | પરમપૂજય પંડિતપ્રવર આચાર્યકલ્પ ટોડરમલજી તેમજ પરમ પૂજય ગુરુદેવશ્રી નું છે. મારૂં કાંઇ જ નથી. માટે તે બન્ને મહાપુરૂષોના ચરણોમાં વિનમ્ર પ્રણામ સમર્પિત કરી તેમનો ઉપકાર સ્મરણ કરૂં છું.
આ પ્રકારનો આ મારો પ્રથમ પ્રયાસ છે. માટે આમાં ઘણી ખામીઓ હોવી સ્વાભાવિક છે. વિદ્વાનો તેમજ સૂજ્ઞ પાઠકોને વિનમ્ર અનુરોધ છે કે તેઓ તેની તરફ ધ્યાનાકર્ષિત કરવાની અવશ્ય કૃપા કરે જેથી તેમને (ખામીઓને) દૂર કરવાનો પ્રયત્ન કરી શકું. આ કૃતિના માધ્યમથી જો આપણે બધા અભિપ્રાયને તળિયે છુપાયેલી ભૂલોને ઓળખી તેમને ધરમૂળથી નષ્ટ કરી મોક્ષમહલની પહેલી સીડી પર પગલું માંડવાનો પુરૂષાર્થ પ્રગટ કરીએ...એજ હાર્દિક કામના છે.
- અભયકુમાર જૈન
૨૩ જાન્યુઆરી ૨૦૦૪
શ્રી નેમિનાથ દિગમ્બર જિનબિમ્બ પંચકલ્યાણક પ્રતિષ્ઠા દિવસ, છિંદવાડા.
Page #8
--------------------------------------------------------------------------
________________
ક્રિયા, પરિણામ અને અભિપ્રાય એક અનુશીલન
મંગલાચરણ
(દોહા)
પંચપ્રભુ કો નમન કર, ક્રિયા ઔર પરિણામ । અંતરંગ અભિપ્રાય કા વર્ણન કર નિષ્કામ ।। બાહ્ય ક્રિયા નિર્દોષ હો, નિર્મલ હો નિજ ભાવ । નિજ કી સદા પ્રતીતિ કર, ભવ કા કરૂં અભાવ ।।
(વીરછંદ)
કરૂં નમન શ્રી વીર જિનેશ્વર કુંદાદિક આચાર્ય મહાન । મર્મોદ્ઘાટક જિનવાણી કે ટોડરમલ અદ્ભુત ગુણખાન II મોક્ષમાર્ગ કે મહાપ્રકાશક અદ્વિતીય સપ્તમ અધ્યાય । ગુરૂ કહાન અદ્ભુત વ્યાખ્યાતા ક્રિયા ઔર પરિણતિ અભિપ્રાય ।।
મૈં હૂં એક અભેદ ત્રિકાલી જ્ઞાયક - યહ નિર્મલ અભિપ્રાય । પ્રગટ કરૂં, અરૂ નિજ પરિણતિ મેં સમતા રસ કા બહે પ્રવાહ ॥ બાહ્યાન્તર નિગ્રંથ દશા આચરણ કરૂં આગમ અનુસાર । રત્નત્રય કી નૌકા ચઢકર શીઘ્ર લહૂં ભવ-સાગર પાર II
મૈં નર, નારી, સુખી, દુ:ખી, અરૂ પર કા મૈં કર્તા ભોકતા । યહ મિથ્યા અભિપ્રાય વમન કર ભેદજ્ઞાન કો ભજું સદા II રાગ-દ્વેષ અરૂ પુણ્ય-પાપકી જવાલા શાંત કરૂં જિનરાજ । વીતરાગ વિજ્ઞાન પૂર મેં હે પ્રભુ! ડૂબ રહા મૈં આજ ।।
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત પુસ્તકની આધારભૂત મૂળ પંકિતઓ
સમ્યફ-ચારિત્ર નું અન્યથારૂપ
બાહ્યક્રિયા ઉપર તો તેની દષ્ટિ છે પણ પરિણામ સુધરવા-બગડવાનો વિચાર નથી; જો પરિણામોનો પણ વિચાર થાય તો જેવા પોતાના પરિણામ થતા દેખે તેના જ ઉપર દષ્ટિ રહે છે;
પરંતુ તે પરિણામોની પરંપરા વિચારતા અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી,
અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે.
તેનું વિશેષ વ્યાખ્યાન આગળ કરીશું ત્યાં તેનું સ્વરૂપ બરાબર ભાસશે.
- આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી
મોક્ષમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ - ૨૪૮
Page #10
--------------------------------------------------------------------------
________________
Jain Adhyatma Academy of North America (JAANA)
Dedicated to
Preserve, Propagate & Perpetuate Jain Adhyatma Dear Sadharmi Brother/Sister:
Jai Jinendra!
Jain Adhyatma Academy of North America (JAANA) is extremely delighted to present the set of three books "Satya Ki Shodh" by Dr. Hukamchand Bharill, "Kriya, Parinam Aur Abhipraya" by Pandit Abhaykumar Shashtri, & "Jain Praveshak" in your hands as a part of our ongoing Gyan Prabhavana to preserve, propagate and perpetuate Jain Adhyatma in North America.
Dr. Hukumchandji Bharill, does not need any introduction to the readers on Jainism. He has written 49 books of which a total of 3.6 million copies have been published in 8 different languages. He is one of the most revered speakers on Jainism in and outside India. Under his direction, Pandit Todarmal Smarak Trust, Jaipur, has produced over 200 pandits fully devoted to propagate Jainism.
Pandit Abhaykumar Shashtri has written his book in a very simplistic style. His use of easily understood day to day examples allow even a layperson to read with great interest and understand the basic principles of Jain Adhyatma.
Finally, JAANA is very proud to present the Jain Praveshak in English for our next generation, so that they also can understand the basic principles of Jain Adhyatma.
We are immensely indebted to the JAINA Executive Committee for allowing us to send a total of about 10,000 copies of this book to every Jain member family in North America and thereby tremendously encouraging us in our main activity of Gyan Prabhavana. If you need an additional copy of this book either in Hindi or in Gujarati, please feel free to contact us. We are very thankful for the donors (listed inside the book), and it is because of them that this project was made possible.
For information about the JAANA shibir, Gyan Prabhavana project, or for getting additional books as mentioned above, please contact Atul Khara at 972-424-4902 or 972-867-6535 or email:jainadhyatma@hotmail.com.
We are in constant need of funds to carry-out our Gyan Prabhavana project. If you would like to donate any amount, then please mail your tax-deductible donation to JAANA and mail at the address below.
JAINAM JAYANTI SHASANAM!
601 W. Parker Rd, Suite 106 Plano, TX 75023 Tel: 972-424-4902/972-867-6535 Email: jainadhyatma@hotmail.com; Home Page: www.jainadhyatma.org
Page #11
--------------------------------------------------------------------------
________________
Jain Adhyatma Academy of North America
appreciates the following donors for Gyan Prabhavana of the following four hooks
Satya Ki Shodh' by Dr. H.C. Bharill, Kriya, Parinam Aur Abhipray. by Pandit Abhaykumar Shashtri & Jan Praveshak' being mailed to every Jain family in North America and Alma-Siddhi hy shrimad Rajchandra distributed to all YJA 6th Biennual Convention attendees. Alay & Sonal Mehta and Devang & Poonam Mehta
$3001 Grish/Lina Mullani
$2001 Bhinaibhai Shah: Mahendra & Ranjan: Mukand &
S3000 Shila: Ramesh & Necla and family Atul & charu Khara
$1001 Bipin & Bharati Bhayani
$1000 in memory of Pujya Ben Shantaben Khara Mahavir & Padma Shah
$1000 Satish & Geeta Shah
$1000 Akshay & Bina Vakharia
S1000 Anant & Kamal Jain
S501 Mayur & Smita Maniar
$501 Mahesh & Pushpa Vaidya & Family
S501 Pradeep & Renu Vaidya & Family in loving memory
$501 of their mother Late Sint. Rajkumari Vaidya Pravin & Daxa Shah
$400 Anonymous
$301 Himanshu & Usha Shah in the memory
$301 of Late Smt. Jashvantiben Gamanlal Shah Parimal Kothari
$300 Kamlesh/Avani Shah
$251 Vijay & Rashmi Jain
$251 Niranjan Shah
$251 Sushil & Sandhya Jain
$250 Chandresh & Maya Mehta
$250 Darshana & Hemant Sanghvi
$201 Manoj & Urvashi Sanghvi
$201 Bhavana/Janak Shah
$200 Deepak Jain
$200 Nimish & Niti Sanghrajka
$200 Talak & Ranjana Shah
$200 Vijay & Minaxi Shah
$200 Anonymous
$131 Chandra & Koyal Jain
$101 Kunal Khara
$101 Rishabh Khara
$101 Jagdish & Nalini Shah
$101 Kushal Baid
S101 Indira & Ratilal Dodhia
$100 Laxmi & Pradhuman Zaveri
$100 Parasmal & Pushpa Agrawal
$31 Sandhya & Mahendra Shah
S.50
ទី
Page #12
--------------------------------------------------------------------------
________________
ક્રિયા, પરિણામ અને અભિપ્રાય એક અનુશીલન
અધ્યાય
૧
ભૂમિકા
આ એક સર્વસામાન્ય તથ્ય છે કે પ્રત્યેક પ્રાણી દુ:ખ થી છૂટી સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. તીર્થંકર ભગવન્તોની દિવ્ય-ધ્વનિનું મૂળ પ્રયોજન પણ પ્રાણીઓને દુ:ખથી મુક્તિનો માર્ગ બતાવવાનું છે. પંડિતપ્રવર દૌલતરામજીએ એ જ તથ્યનો ઉલ્લેખ કરતા છ:ઢાળાની રચના કરી છે. પ્રથમ ઢાળની શરૂઆતમાંજ તેઓ લખે છે :
܀
જે ત્રિભુવન મેં જીવ અનન્ત, સુખ ચાહે દુખતે ભયવન્ત। તાતેં દુ:ખહારી સુખકાર, કહે સીખ ગુરૂ કરૂણાધાર ।।
આ જીવ અનાદિકાળથી પંચ પરાવર્તન કરતો થકો અનન્ત દુ:ખો સહન કરી રહ્યો છે. ભવ પરાવર્તન કરતા કરતા તે અનન્ત ભવ ધારણ કરી ચુક્યો છે. જો કે તે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરી નવમી ત્રૈવેયકમાં જન્મ ધારણ કરી ચુક્યો છે, તો પણ તેને મુક્તિનો માર્ગ પ્રાપ્ત થયો નથી. બે હજાર સાગરથી કંઇક વધારેની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરી તે અનંતવાર ત્રસ થયો, જેમાં ૭૪૦ સાગર નરકમાં અને ૧૨૬૦ સાગર સ્વર્ગમાં વીતાવવાનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં આવ્યો છે. *માટે એટલું તો સિદ્ધ થાય છે કે અનંતવાર સ્વર્ગમાં જન્મ લેવા માટે આ જીવને તે પ્રમાણે શુભભાવ અને બાહ્ય ધર્માચરણ પણ અવશ્ય કર્યા હશે, નહી તો તેને નવમી ત્રૈવેયક માં ભવ કેવી રીતે મળે?
ધવલા પુસ્તક ૯ પૃષ્ઠ ૨૯૮, ત્રસ રાશિ કી અન્તર પ્રરૂપણ, ઉદ્ધરણ ક્રમાંક ૧૨૪-૧૨૫
Page #13
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
મિથ્યાત્વ અને અજ્ઞાન દશામાં પણ આ જીવ મંદ કષાયોના કેટલા ઉત્કૃષ્ટબિન્દુ સુધી પહોંચી જાય છે – એ વાતનો ઉલ્લેખ કરી આચાર્યકલ્પ પડિતપ્રવર ટોડરમલજી લખે છે :
દ્રવ્યલિંગી મુનિ અંતિમ રૈવેયક સુધી જાય છે તથા પંચ પરાવર્તનોમાં એકત્રીસ સાગર સુધીની દેવાયુની પ્રાપ્તિ અનંતવાર થવીલખી છે; હવે એવા ઉચ્ચપદ તો ત્યારે જ પામે કે જયારે અંતરંગ પરિણામપૂર્વક મહાવ્રત પાળે, મહામંદ કષાયી હોય, આ લોક-પરલોકના ભોગાદિની ઇચ્છારહિત હોય; તથા કેવળ ધર્મબુદ્ધિથી મોક્ષાભિલાષી બની સાધન સાધે. એટલા માટે દ્રવ્યલિંગીને ધૂળ અન્યથાપણું તો છે નહિ, પણ સૂક્ષ્મ અન્યથાપણું છે તે સમ્યગ્દષ્ટિને ભાસે છે.”
સમ્યજ્ઞાનના મહિમાના પ્રકરણમાં માત્ર બાહ્યાચરણ અને શુભ પરિણામોની નિરર્થકતા દર્શાવતા કવિવર પંડિત દોલતરામજી છઢાળાની ચોથી ઢાળના પાંચમા છંદમાં લખે છે :
કોટિ જન્મ તપ તપૈ', જ્ઞાન બિન કર્મ ઝરે છે; જ્ઞાની કે છિન માંહિ, ત્રિગુપ્તિ તેં સહજ ટરે તે મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાયૌ; પૈ નિજ આતમ જ્ઞાન બિના, સુખ લેશ ન પાયો. |
આ જ આશયના માર્મિક વિચાર શ્રીમાજચંદ્રજીએ નીચે જણાવેલ પંક્તિઓમાં વ્યક્ત કર્યા છે :યમ-નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પા લગાય દિયો III મન પીન નિરોધ સ્વબોધ કિયો, હઠયોગ પ્રયોગ સુ તાર ભયો, જપ ભેદ જપ તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહિ સબપે ૨ાા સબ શાસ્ત્રી કે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે | વહ સાધન બાર અનંત કિયો, તદપિ કg હાથ હજુ ન પ ||૩|| “મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી : પાનુ - ૨૫૪
Page #14
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૧ : ભૂમિકા
અબ કયોં ન વિચારતી હૈ મન મેં, કછુ ઔર રહા ઉન સાધન સેં બિન સદ્ગુરૂ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કિ બાત કહે ૪
ઉપરોકત વિવેચનથી નીચે જણાવેલ હકીકત ફલિત થાય છે. (૧) આ જીવે અનંતવાર મહાવ્રતાદિકરૂપ શુભક્રિયાઓ કરી છે. (૨) શુભક્રિયા કરતા તેના પરિણામ શુભભાવરૂપ થયા છે. તથા તેને
૧૧ અંગ ૯ પૂર્વનું ક્ષયોપશમજ્ઞાન પણ થયું છે. (૩) શુભાચરણ અને શુભ પરિણામ થયા બાદ પણ તેને આજ સુધી
મોક્ષમાર્ગની પ્રાપ્તી થઇ નથી.
માટે સહજ જ પ્રશ્ન ઉદ્ભવે છે કે શુભાચરણ અને શુભભાવ હોવા છતાં તેને આજ સુધી મોક્ષમાર્ગ કેમ મળ્યો નથી? આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રસ્તુત અનુશીલનનો એક માત્ર ઉદ્દેશ છે. ઉપરોક્ત પંક્તિઓમાં પણ શ્રીમદ્જીએ વિચાર કરવાની પ્રેરણા આપતાં કહ્યું છે કે:- “અબ કયોં ન વિચારતા હૈં મન મેં, કછુ ઔર રહા ઉન સાઇન લેં'
અહીં અમે માત્ર આ તથ્ય તરફ આપનું ધ્યાન આકર્ષિત કરવા ઇચ્છિએ છીએ કે ઉપર જણાવેલ વિષયો અનુસાર શુભક્રિયા અને શુભ પરિણામ હોવા છતાં મોક્ષમાર્ગ મળ્યો નથી તો હવે ક્યો ત્રીજો ઉપાય બાકી રહી ગયો કે જેના અભાવથી મોક્ષમાર્ગ મળી ન શક્યો? માટે સુજ્ઞ પાઠકોને વિનમ્ર અનુરોધ છે કે આ પ્રકરણને દ્રવ્યલિંગીની નિન્દા-પ્રશંસા કે શુભભાવોના વિરોધ કે સમર્થન ના સંદર્ભમાં નજોતા માત્ર ક્રિયા, પરિણામ અને અભિપ્રાય ના અનુશીલનના સંદર્ભમાંજ ગ્રહણ કરો; તો જ આપ આ વિષયને હૃદયંગમ બનાવી જિનાગમના માર્મિકતેમજ સર્વાધિક પ્રયોજનભૂત રહસ્યથી પરિચિત થઇ શકશો.
અહીં અમારો ઉદ્દેશ શુભાચરણ કે શુભભાવ હેય છે કે નહીં – એવા. તથ્યની મીમાંસા કરવાનો નથી કે ન તો કોઇ વ્યકિતની મીમાંસા કરવાનો છે, અમે તો માત્ર તે તથ્યની ચર્ચા કરવા ઇચ્છિયે છીએ, કે જેમાં સમજયા
Page #15
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
વિના મોક્ષમાર્ગનો પ્રારંભ થતો નથી.
પ્રશ્ન :- જો આપનો ઉદ્દેશ માત્ર ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું વિશ્લેષણ કરવાનો છે, કોઇની નિંદા-પ્રશંસા કરવાનો નથી, તો પછી શરૂઆતથી જ શુભાચરણ અને શુભભાવો હોવા છતાં પણ મોક્ષમાર્ગ ન હોવાની વાત કેમ કરવામાં આવી છે?
ઉત્તર :- ઉપર કહેલ તથ્ય સ્પષ્ટ કર્યા વિના અમે ‘અભિપ્રાય’ની શોધ કરવા પ્રયત્નશીલ જ થઇ શકતા નથી. જો શુભક્રિયા અને શુભભાવ માત્ર થી જ મોક્ષમાર્ગ થઈ જતો હોય તો અભિપ્રાયની ચર્ચા કરવાની જરૂર જ ન પડતી; પણ એમ બનતું નથી, માટે આ વિષય પર ગંભીર મનન-ચિંતના જરૂરી છે.
પ્રશ્ન -
આ જીવ શું ઇચ્છે છે અને કોનાથી ડરે છે? આ જીવે સુખી થવા માટે કયા પ્રયત્નો અનંતવાર કર્યા અને તેઓનું શું ફળ મળ્યું? આ અનુશીલનનો ઉદ્દેશ શું છે?
૩.
મને બહારનું કાંઇક જોઈએ એમ માનનાર ભિખારી છે. “મને મારો એક આત્મા જ જોઇએ, બીજું કાંઇ ન જોઇએ” એ માનનાર બાદશાહ છે. આત્મા અચિત્ય શકિતઓનો ધણી છે. જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદસ્વરૂપ જાગતી જયોત અનુભવમાં આવી શકે છે.
- પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી
Page #16
--------------------------------------------------------------------------
________________
અદયા,
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
જો કે મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથાથી સાતમા અધિકારમાં કરવામાં આવેલા મિથ્યાદર્શન -જ્ઞાન-ચારિત્રના નિરૂપણમાં અભિપ્રાયની વિપરિતતાનું જ વર્ણન છે. છતાં સાતમા અધિકારમાં “સમ્યફચારિત્રનું અન્યથા સ્વરૂપ” નું વર્ણન પ્રારંભ કરતાં પંડિતજીએ ‘ક્રિયા’, ‘પરિણામ” અને “અભિપ્રાય’ શબ્દોનો સ્પષ્ટપ્રયોગ કરીને અભિપ્રાય પર વિશેષ વજન આપ્યું છે. તેમના નીચે જણાવેલ વિચારો જ આપણને ઉપર જણાવેલ ત્રણે શબ્દોનું ગહન ચિંતન કરવા માટે પ્રેરિત કરે છે :
હવે તેને સમ્યફચારિત્ર અર્થે કેવી પ્રવૃત્તિ છે તે કહીએ છીએ -
બાહ્યક્રિયા ઉપર તો તેની દષ્ટિ છે પણ પરિણામ સુધરવાબગડવાનો વિચાર નથી; જો પરિણામોનો પણ વિચાર થાય તો જેવા પોતાના પરિણામ થતા દેખે તેના જ ઉપર દષ્ટિ રહે છે; પરંતુ તે પરિણામોની પરંપરા વિચારતા અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી, અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે. તેનું વિશેષ વ્યાખ્યાન આગળ કરીશું ત્યાં તેનું સ્વરૂપ બરાબર ભાસશે.1
ઉપરોકત પંક્તિઓમાં જણાવેલ ત્રણે શબ્દોના અહીં કોઈ વિશિષ્ટ અર્થ છે જે પ્રચલિત અર્થ થી ભિન્ન છે. એ ત્રણે બિન્દુઓ પર વિસ્તારથી
1 મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી : પાનુ - ૨૪૮
Page #17
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
ચર્ચા કરતા પહેલાં તેઓના પ્રાસંગિક અર્થ સમજવા અત્યંત આવશ્યક છે.
(૧) ક્રિયા :- સૈદ્ધાંતિક દૃષ્ટિથી જોઇએ તો પ્રત્યેક દ્રવ્યમાં એક પર્યાયનો વ્યય થઇ બીજી પર્યાય ઉત્પન્ન થાય અર્થાત્ પર્યાયોના બદલવાને ‘ક્રિયા’ કહેવામાં આવે છે. કવિવર પંડિત બનારસીદાસજીના શબ્દોમાં :કર્તા પરિણામી દરબ, કર્મરૂપ પરિણામ । કિરિયા પરજય કી ફિરનિ, વસ્તુ એક ત્રય નામ II
८
‘ક્રિયા’ શબ્દનો ઉપરોકત અર્થ હોવા છતાં અહીં એ અર્થ સુયોગ્ય નથી. પંડિત ટોડરમલજીએ ‘બાહ્ય ક્રિયા’ શબ્દનો પ્રયોગ કર્યો છે, જેને આપણે સંક્ષેપમાં ‘ક્રિયા’ શબ્દથી સંબોધિત કરીશું. અહીં ક્રિયા શબ્દનો આશય લૌકિક અથવા ધાર્મિક શારીરિક ક્રિયાઓથી છે. ખાવું-પીવું, ઉઠવુંબેસવું, ચાલવું, ઉભા રહેવું, નહાવું અથવા બોલવું તથા તેથી વિપરીત કાર્ય અર્થાત્ ઉપવાસ કરવો, મૌન રહેવું, ભક્તિ, પૂજા, દયા, દાન, વ્રત, શીલ, સંયમ વગેરે બધા કાર્યો ‘ક્રિયા’ શબ્દથી વાચ્ય છે અને પુદ્ગલની પર્યાયો છે.
(૨) પરિણામ :- અહીં ‘પરિણામ’ નો અર્થ આત્મામાં ઉત્પન્ન થવાવાળા રાગ-દ્વેષ, પુણ્ય-પાપ વગેરે ચારિત્ર ગુણના વિકારી ભાવો અથવા નિર્મલ વીતરાગી ભાવોથી છે. મહદંશે આ પરિણામો જ બાહ્ય ક્રિયાના નિમિત્ત હોય છે. જો કે લોક માં ‘પરિણામ’ શબ્દ ‘ફળ’અર્થાત રિઝલ્ટ ના અર્થમાં પણ વપરાય છે.2 ત્યારે અહિં તો તે શબ્દથી જીવના ભાવો જ લેવો જોઇએ. શાસ્ત્રોમાં ષટ્લેશ્યાના રૂપમાં પરિણામોનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે.
જિનવાણીમાં પણ ‘પરિણામ’ શબ્દનો પ્રયોગ મહદંશે ઉપરોક્ત અર્થમાં જ કરવામાં આવ્યો છે. પ્રાચીન જૈન કવિઓ દ્વારા નીચેની પંક્તિઓમાં કરેલા પ્રયોગોથી તે વાત વધારે સ્પષ્ટ થાય છે.
‘જીવનિ કે પરિણામનિ કી અતિ વિચિત્રતા દેખો જ્ઞાની’
1
નાટક સમયસાર : કર્તા કર્મ દ્વાર છન્દ - ૭
2 ‘પરિણામ નિકલતા હૈ લેકિન માનો પાવક મેં ઘી ડાલા’- યુગલજીકૃત દેવ-શાસ્ત્ર-ગુરૂ પૂજન
Page #18
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૨ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
અથવા - “નિજ પરિણામનિ કી સંભાલ મેં તાતેંગાફિલ મત હો પ્રાની'
કયાંક કયાંક પરિણામ” ને માટે પરિણતિ શબ્દનો પ્રયોગ પણ મળી આવે છે. જેમ કે:- ‘પરિણતિ સબ ઇવનિ કી તીન ભાંતિ વરણી
- રાગ-દ્વેષ, સુખ-દુ:ખ, પુય-પાપ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસકવેદ વગેરે ચારિત્ર ગુણની પર્યાયો તો જીવના પરિણામ છે જ, અતિન્દ્રિયજ્ઞાન, આનંદ, વીતરાગતા વગેરે નિર્મલ પર્યાયો તથા જ્ઞાનનો ક્ષયોપશમ પણ પરિણામ’ શબ્દના વાચ્ય સમજવા જોઇએ.
અહીં “મોહ’ શબ્દનો પ્રયોગ જાણી જોઇને કર્યો નથી, કારણ દર્શનમોહની વ્યાખ્યા વિસ્તારથી ‘અભિપ્રાય” ના પ્રકરણમાં અલગથી કરવામાં આવશે, ચારિત્રમોહની ચર્ચા તેના ભેદરૂપે આ જ પ્રકરણમાં આવી ગઇ છે.
(૩) અભિપ્રાય :- “અભિપ્રાય” શબ્દ નો આશય માન્યતા કે શ્રદ્ધાનથી છે. ક્રિયા અને પરિણામ પછી ‘અભિપ્રાય” શબ્દ મૂકવામાં આવ્યો છે. એથી એટલું તો સ્પષ્ટ છે કે “અભિપ્રાય” બાહ્ય ક્રિયાઓથી ભિન્ન તો છે જ, પરિણામોથી પણ ભિન્ન કોઇ અલગ વૃત્તિ છે. પંડિત ટોડરમલજીએ તેને માટે અભિપ્રાય શબ્દની જોડે પ્રતીતિ’ અને ‘અભિનિવેશ’ શબ્દનો પ્રયોગ પણ કર્યો છે. કયાંક કયાંક “વિશ્વાસ’ અને ‘દષ્ટિકોણ” શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવે છે.
લોકમાં કોઇ કાર્ય કરવાના ઉદ્દેશ કે તેના પ્રયોજનને પણ અભિપ્રાય કહે છે. કોઇ વિષયમાં આવવાવાળા મંતવ્યને પણ અભિપ્રાય કહેવામાં આવે છે. આ મંતવ્ય પણ માન્યતાનું એક રૂપ છે.
અગૃહિત મિથ્યાત્વ તથા ગૃહિત મિથ્યાત્વ “અભિપ્રાય” અર્થાત્ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાયો છે. અભિપ્રાયની વિપરીતતાને કારણે જ જ્ઞાન
Page #19
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
અને ચારિત્રમાં વિપરીતતા આવે છે. અભિપ્રાયનો અર્થ મિથ્યાત્વ જ હોય એમ નથી. તે શબ્દ શ્રદ્ધાગુણની સામાન્ય પરિણતિનો પણ વાચક છે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એ બન્ને અભિપ્રાયના જ વિશેષ રૂપ છે. ‘મિથ્યાદર્શન’ અર્થાત્ મિથ્યા અભિપ્રાય તથા ‘સમ્યગ્દર્શન’ અર્થાત્ સમ્યક્ અભિપ્રાય સમજવો જોઇએ.
१०
‘મિથ્યા’ અને ‘સમ્યક્' અભિપ્રાયવાળા જીવોને ક્રમશ: મિથ્યાદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. અહીં ‘દૃષ્ટિ’ શબ્દનો પણ ‘અભિપ્રાય’ ને માટે પ્રયોગ થાય છે. મિથ્યાદષ્ટિ અર્થાત્ વિપરીત છે ‘દૃષ્ટિ’ જેની, તેમજ સમ્યગ્દષ્ટિ અર્થાત્ યથાર્થ છે દૃષ્ટિ જેની, એમાં જ્ઞાનની વિપરીતતા કે યથાર્થતા પણ સામેલ છે.
આધ્યાત્મિક સત્પુરૂષ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી તો પોતાના પ્રવચનમાં સમ્યગ્દર્શન માટે મહદંશે ‘દૃષ્ટિ’ શબ્દનો જ પ્રયોગ કરે છે. તેમનો આ પ્રયોગ એટલો બધો પ્રચલિત થયો છે કે મુમુક્ષુ સમાજ પણ પરસ્પર ચર્ચા, પ્રવચન, ગોષ્ટી વગેરેમાં સમ્યગ્દર્શન માટે ‘દૃષ્ટિ’ શબ્દનો પ્રયોગ કરવા લાગ્યો છે. ‘દૃષ્ટિનો વિષય' પ્રકરણ આજે મુમુક્ષુ સમાજનો સર્વાધિક ચર્ચિત અને પ્રિય વિષય છે. ડૉ. હુકમચંદજી ભારિલ્લ એ ‘દૃષ્ટિ કા વિષય’ પુસ્તક લખી સમ્યગ્દર્શનનો વિષય જ સ્પષ્ટ કર્યો છે. આ કથન ‘દૃષ્ટિ પ્રધાન’ છે તથા આ કથન ‘જ્ઞાન પ્રધાન’ છે -એવી ચર્ચા પણ મુમુક્ષુઓમાં બહુ ચાલે છે.
‘દૃષ્ટિ’ અને ‘અભિપ્રાય' શબ્દનો પ્રયોગ અપેક્ષાના અર્થમાં પણ કરવામાં આવે છે. ‘દ્રવ્ય દૃષ્ટિ થી વસ્તુ નિત્ય છે અને પર્યાય દૃષ્ટિથી વસ્તુ અનિત્ય છે.’ આ કથનમાં દ્રવ્યદૃષ્ટિ અર્થાત્ ‘દ્રવ્યની અપેક્ષાએ’ તથા પર્યાય દૃષ્ટિ અર્થાત્ ‘પર્યાયની અપેક્ષાએ’ સમજવું જોઇએ.
આ કથન અમુક નયની દૃષ્ટિ અથવા અપેક્ષાથી છે, તથા આ કથન પ્રમાણદૃષ્ટિ અર્થાત્ પ્રમાણની અપેક્ષાથી છે - એવા પ્રયોગ પ્રવચનોમાં, ચર્ચાઓમાં તથા જિનાગમમાં પણ ઘણા જોવા મળે છે. નયચક્રકાર આચાર્ય
Page #20
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૨ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
૧૧
માઇલ્ડ ધવલ લખે છે :
જે ણયદિક્ટ્રિવિણા તાણ ણ વધૂ સહાય ઉવલદ્ધિ
આ ગાથામાં નય અર્થાત્ વિવક્ષા કે અપેક્ષાને માટે નયદૃષ્ટિ શબ્દનો પ્રયોગ કરાયો છે.
આ પ્રમાણે પ્રમેયકમલમાર્તડમાં નય ની વ્યાખ્યા સમજાવતાં ‘જ્ઞાતાનો અભિપ્રાય” કહેવામાં આવ્યું છે. તેમનું મૂળ કથન નીચે મુજબ છે:
અનિરાકૃત પ્રતિપક્ષો વવંશગ્રાહી જ્ઞાતુરભિપ્રાયો નય.'
આ વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે નય “અભિપ્રાય’ શબ્દનો પર્યાયવાચી પણ છે. નય શ્રુતજ્ઞાનાત્મક છે. માટે “અભિપ્રાય’ શબ્દ પણ નયાત્મક શ્રુતજ્ઞાન માટે વપરાય છે. આ વિવેચન પરથી એ નિષ્કર્ષ નિકળે છે કે જયારે નયો અથવા અપેક્ષાના સંદર્ભમાં “અભિપ્રાય’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો અભિપ્રાય ને શ્રુતજ્ઞાનની નયાત્મકપર્યાય સમજવી જોઈએ અને જયારે ક્રિયા અને પરિણામ સાથે અભિપ્રાય’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો તેને શ્રદ્ધા ગુણની પર્યાય સમજવી જોઈએ. તેમાં મિથ્યાજ્ઞાન પણ સામેલ છે.
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો ક્રમ
મુક્તિમાર્ગ પ્રગટ કરવા માટે સૌ પ્રથમ વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરી અભિપ્રાયની ભૂલ સુધારી યથાર્થ અભિપ્રાય પ્રગટ કરવામાં આવે છે. સમ્યફ અભિપ્રાય થયા બાદ પરિણામોમાં વીતરાગભાવની વૃદ્ધિ થવા લાગે છે અને શેષ રહેલા શુભ રાગને નિમિત્તે યથાયોગ્ય ધાર્મિક ક્રિયાઓ પણ થાય છે. માટે યથાર્થતાની અપેક્ષા અભિપ્રાય, પરિણામ અને ક્રિયા - એવો ક્રમ હોવો. જોઈએ. પરંતુ સ્થૂળતાથી સૂક્ષ્મતાના ક્રમની અપેક્ષાએ ક્રિયા, પરિણામ અને અભિપ્રાય એવો ક્રમ રાખવામાં આવ્યો છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
પ્રશ્ન:- ‘અભિપ્રાય’ શબ્દના અપેક્ષા, દૃષ્ટિકોણ, માન્યતા, ઉદ્દેશ, વિશ્વાસ વગેરે અનેક અર્થ થવા છતાં આપ તેને ‘માન્યતા’ ના અર્થમાં જ કેમ ગ્રહણ કરો છો ?
૧૨
ઉત્તર :- ઉપર જણાવેલ અનેક અર્થો લખી અમે તેમનો સ્વીકાર તો કરીએ જ છીએ, પરંતુ આ વિવેચનનો ઉદ્દેશ જ વિપરીત શ્રદ્ધાન અર્થાત્ માન્યતાનું સ્પષ્ટીકરણ કરવાનો છે. આ વિવેચનનો મૂળ આધાર મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં પણ માન્યતાના અર્થમાં અભિપ્રાય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. માટે અહીં માન્યતાના અર્થમાં ગ્રહણ કરવો જ યોગ્ય છે.
પ્રશ્ન :- ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં યોગનું શું સ્થાન છે ?
ઉત્તર :- મન-વચન-કાયા ને નિમિત્તે થનારા આત્મ પ્રદેશોના કંપનને યોગ કહે છે. યોગ પણ ઉત્પાદ-વ્યયરૂપ હોવાથી ક્રિયા જ છે. પરંતુ અહિં જે સંદર્ભમાં તેમની ચર્ચા કરવામાં આવી રહી છે તે દૃષ્ટિથી જોવામાં આવે તો યોગ જીવના યોગગુણનું પરિણમન હોવાથી ‘પરિણામ’ કહેવાશે. મનને નિમિત્તે થનાર જીવના ભાવો પણ પરિણામ છે, તથા વચન અને કાયની ક્રિયા ‘ક્રિયા’ કહેવાશે. ‘અભિપ્રાય' મન-વચન-કાયની ક્રિયાથી ભિન્ન છે. કારણ અહીં શ્રદ્ધાગુણના પરિણમનને અભિપ્રાય કહેવામાં આવ્યો
છે.
અભિપ્રાયની વિપરીતતા
જેવું કે પહેલાં સ્પષ્ટ કરી ચૂકયા છીએ કે આ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ અનંતવાર થઇ છે અને જ્ઞાની ગુરૂ અથવા સર્વજ્ઞ ભગવાનની સાક્ષાત દિવ્યધ્વનિનો લાભ પણ અનંતવાર પ્રાપ્ત થયો છે. ગુરૂના ઉપદેશથી પ્રેરિત થઇ આ જીવે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મુક્તિનું કારણ જાણી તેની પ્રાપ્તિના પ્રયત્નો પણ અનેક વાર કર્યા છે. પણ તેણે (જીવે) સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રનું વાસ્તવિક (નિશ્ચય) સ્વરૂપ જાણ્યા વગર તેમના બાહ્ય (વ્યવહાર) સ્વરૂપને જ પરમાર્થ માની, તેની જ પ્રાપ્તિનો પુરૂષાર્થ કર્યો છે. રત્નત્રયના અંતરંગ સ્વરૂપને ન જાણવાથી જ તેના પુરૂષાર્થની દિશા વિપરીત
Page #22
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૨ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
૧૩
રહી, માટે તેણે ધારેલો પુરૂષાર્થ કરવા છતાં પણ એને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઇ નથી.
પ્રશ્ન:- પાછલા અધ્યાયમાં આપે શ્રીમદ્ રાજચંદ્રજી ની પંક્તિ બિના સદ્ગુરૂ કોય ન ભેદ લહે' નો ઉલ્લેખ કર્યો હતો, જયારે કે અહિં કહો છો કે આ જીવને જ્ઞાની ગુરૂ કે સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિ અનંતવાર પ્રાપ્ત થઈ, છતાં તેને સાચો મોક્ષમાર્ગ પ્રગટ થયો નથી. શું આ બન્ને કથનોમાં વિરોધાભાસ નથી?
ઉત્તર :- એ વાત પરમ સત્ય છે કે જ્ઞાની ગુરૂ કે સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિ પ્રાપ્ત કર્યા વિના સમ્યગ્દર્શન થતું નથી, પરંતુ એવો પણ કોઈ નિયમ નથી કે તેઓની દિવ્યધ્વનિ મળ્યા બાદ સમ્યગ્દર્શન થઈ જ જશે. જો એવો નિયમ હોત તો સમવસરણમાં બધાજ જીવો સમ્યગ્દષ્ટિ થઇ જાય. માટે તે બન્ને કથનોમાં કોઇ વિરોધ નથી.
- જિનાગમનું પઠન-પાઠન કરવા છતાં આ જીવ અનેક પ્રકારની વિપરીત માન્યતાઓને કારણે અજ્ઞાની રહી જાય છે – આ તથ્ય ને સ્પષ્ટ કરવા મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથના સાતમાં અધિકારમાં પંડિત ટોડરમલજીએ જેનાભાસી મિથ્યાષ્ટિઓનું વર્ણન કરતા નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી, ઉભયાભાસી અને સમ્યક્ત્વ સમ્મુખ મિથ્યાદષ્ટિઓની વિસ્તૃત ચર્ચા કરી છે.
ઉપરોક્ત ચારે પ્રકારના મિથ્યાત્વ, અભિપ્રાયમાં જોવા મળે છે, ક્રિયા અને પરિણામમાં નહીં. ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું વિશેષ વર્ણના વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિના પ્રકરણમાં આવ્યું છે. માટે આ વિષયને ઊંડાણપૂર્વક સમજવા, ઉપરોકત ચારે પ્રકારના મિથ્યાત્વની સંક્ષેપમાં માહિતી આવશ્યક છે.
અહીં એક વાત વિશેષ ધ્યાન આપવાયોગ્ય છે કે ઉપરોકત ચારે પ્રકારમાં તો પ્રથમ ત્રણ પ્રકારના મિથ્યાષ્ટિઓની તો તત્ત્વ-નિર્ણયમાં જ ભૂલ છે. સમ્યક્ત્વ સમ્મુખ મિથ્યાદૃષ્ટિ જીવ તત્વ-નિર્ણયની પ્રક્રિયામાં
Page #23
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
છે. માટે તેના અભિપ્રાયમાં અગૃહિત મિથ્યાત્વરૂપ પરિણમન થવા છતાં પણ તેના તત્ત્વ-નિર્ણયમાં સ્થૂળ ભૂલ નથી હોતી. માટે પંડિતજીએ તેમનું
સ્વરૂપ બતાવતા તત્ત્વ-નિર્ણયની પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. જો તેમના તત્ત્વનિર્ણયમાં કોઈ સ્થૂળ વિપરીતતા આવી જાય તો તે નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી કે ઉભયાભાસી બની જશે અને જો તે યથાર્થ તત્ત્વ-નિર્ણય કરી લે તો અલ્પકાળમાં જ સમ્યગ્દષ્ટિ બની જશે.
ઉપર જણાવેલ ત્રણે મિથ્યાદષ્ટિઓનું સંક્ષિપ્ત સ્વરૂપ
નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી અને ઉભયાભાસીનું સ્વરૂપ સંક્ષેપમાં માલ અને પેકિંગના ઉદાહરણથી સમજી શકાય છે.
બજારમાં જે પણ વસ્તુ મળે છે તે કોઇને કોઇ અન્ય વસ્તુના આવરણમાં લપેટેલી હોય છે. લૌકિક ભાષામાં મૂળ વસ્તુને “માલ” તથા તેની ઉપરના આવરણને ‘પેકિંગ’ કહે છે. વસ્તુ વિષે પેકિંગ પર જરૂરી માહિતી પણ લખેલી હોય છે, માટે તે મૂળ વસ્તુનો પરિચય પણ આપે છે તથા તેને સુરક્ષિત પણ રાખે છે.
માલ જેટલો વધુ કિમતી હોય તેનું પેકિંગ પણ તેનાજ પ્રમાણમાં વધુ કિંમતી હોય છે. ખાંડ ની ગુણી માત્ર ૧૦-૧૫ રૂપિયાની હોય છે, ત્યારે હીરાનો હાર જેડબ્બામાં રાખવામાં આવે છે તે ડબ્બો જ૧૦૦-૨૦૦ રૂપિયાનો હોય છે. મનુષ્યો વડે જે કૃત્રિમ ઉત્પાદન કરવામાં આવે છે તેમાં માલ અલગ ઠેકાણે બને છે તથા પેકિંગ અલગથી બને છે અને પછી તે પેકિંગમાં માલ પેક કરવામાં આવે છે. સાબુ કયાંક અલગ ઠેકાણે બને જયારે તેના ઉપર લપેટેલો કાગળ અલગ ઠેકાણે બને છે. તે કાગળ પર માલનું નામ અને વજન વગેરે લખાય છે, પછી તેને ફેકટરીમાં લઇ જઇ તેમાં સાબુ પેક કરવામાં આવે છે. પછી તે કાગળમાં લપેટેલા સાબુને જ માલ કહેવામાં આવે છે અને આવા ઘણા સાબુઓને લાકડા કે કાગળ આદિની પેટીમાં ફરીથી પેક કરવામાં આવે
છે.
નિસર્ગમાં પેદા થતા ઉત્પાદનો પેકિંગ સહિત જ ઉત્પન્ન થાય છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૨ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
૧૫
ઘઉં ચોખા વગેરે અનાજ, કેરી સંતરા વગેરે ફળ, છાલ સહિત જ ઉત્પન્ન થાય છે. જેવી રીતે મોટેભાગે બધો માલ કોઇને કોઇ પેકિંગ સહિત જ હોય છે, તેવી રીતે આત્મા પણ અનાદિકાળથી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મના પેકિંગ સહિત છે. ઉપયોગ લક્ષણ વાળો ચૈતન્ય સ્વરૂપ આત્મા માલ છે તથા આ શરીર, આઠ કર્મ, તેજસ શરીર અને મોહ-રાગ દ્વેષાદિ ભાવ તેનું પેકિંગ છે.
આધ્યાત્મિક સંપુરૂષ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી, ભગવાન આત્માનું સ્વરૂપ સમજાવવા નારિયેળનું ઉદાહરણ આપે છે. જેવી રીતે નારિયેળના રૂછડાં, કોચલું(કાચલી) તથા કોપરાના ગોળા ઉપરની લાલ છાલ એ બધું નારિયેળનું પેકિંગ છે, માલ નથી. લાલ છાલની અંદર જે સફેદ અને મીઠો ગોળો છે તે જ માલ છે, તે જ અસલી નારિયેળ છે. તેમજ આ
દારિક શરીર, આઠ કર્મ અને મોહ-રાગ દ્વેષાદિ વિકારી ભાવ આત્મા નથી. તે તો આત્માની પેકિંગ છે. જ્ઞાન દર્શનમયી ચૈતન્યસ્વભાવી ત્રિકાળી જ્ઞાયક ભાવ જ માલ છે તે જ ખરો આત્મા છે.
માલ તથા પેકિંગ સાથે સાથે રહે છે, માટે પેકિંગને પણ માલ કહેવામાં આવે છે; પરંતુ પેકિંગ સાથે માલ હોય તો તે પેકિંગ પણ માલ કહેવાશે. જો માલ ન હોય અને માત્ર પેકિંગ હોય તો તેને કચરો કહેવામાં આવે છે. કાગળના ડબ્બામાં મિઠાઇ હોય તો બ્બાને મિઠાઇનો ડબ્બો કહેવામાં આવે છે. મિઠાઈ કાઢી લીધા બાદડબ્બાને કચરો સમજી ફેંકવામાં આવે છે.
જેવી રીતે નારિયેળ, મિઠાઇ, સાબુ વગેરે સ્થૂળ પદાર્થ તથા સંસારી જીવ પેકિંગ સહિત હોય છે; તેવી રીતે સાધક દશામાં ઉત્પન્ન થવા વાળાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ પેકિંગ સહિત હોય છે. અસલી રત્નત્રય અર્થાત્ માલ ને શાસ્ત્રોમાં નિશ્ચય રત્નત્રય કહેવામાં આવે છે અને તેમની સાથે ઉત્પન્ન થતા શુભભાવ અને બાહ્ય ક્રિયારૂપ પેકિંગને નિશ્ચય રત્નત્રયનો ઉપચાર કરીને શાસ્ત્રોમાં વ્યવહાર-રત્નત્રય કહેવામાં આવે છે.
આ પ્રમાણે વ્યવહાર રત્નત્રય ધર્મનું પેકિંગ છે તથા નિશ્ચય-રત્નત્રય
Page #25
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
માલ છે. રત્નત્રયના ત્રણે અંગોનું પેકિંગ અને માલનું સ્વરૂપ નીચે મુજબ સમજી શકાય છે :
૧૬
સમ્યગ્દર્શન :- સાચા દેવ-શાસ્ત્ર-ગુરૂની શ્રદ્ધા અને જીવ આદિ સાત તત્ત્વોની વિકલ્પાત્મક શ્રદ્ધા પેકિંગ છે તથા પરદ્રવ્યોથી ભિન્ન આત્માની રૂચિ માલ છે.
સમ્યજ્ઞાન :- જિનાગમનું પઠન-પાઠન વગેરે પેકિંગ છે અને પોતાના આત્માને જાણવો માલ છે.
સમ્યક્ચારિત્ર :- અણુવ્રત મહાવ્રતાદિ બાહ્ય-ક્રિયાઓ અને તદનુરૂપ શુભભાવ પેકિંગ છે અને આત્મસ્વરૂપમાં લીનતા માલ છે.
જેવી રીતે માલ સહિત પેકિંગ ને પણ માલ કહે છે, તેવી રીતે નિશ્ચય રત્નત્રય સહિત વ્યવહાર રત્નત્રયરૂપ શુભભાવ તેમજ ક્રિયા (પેકિંગ) ને પણ રત્નત્રય કહેવાનો વ્યવહાર છે. આ પ્રમાણે બધે સમજવું જોઇએ.
પ્રશ્ન :- શું ભગવાન આત્માને માલ અને શુદ્ધ પર્યાયોને પેકિંગ કહી
શકાય ?
ઉત્તર :- ઉદાહરણને સંદર્ભ સહિત તથા એકદેશ ગ્રહણ કરવું જોઇએ. અહિં મોક્ષમાર્ગનું પ્રકરણ છે અને વીતરાગ ભાવ જ વાસ્તવિક મોક્ષમાર્ગ છે, માટે તેને ‘માલ’ અર્થાત મૂળ વસ્તુ સમજવી જોઇએ. જયારે ભગવાન આત્માનું વર્ણન કરવાનું હોય ત્યારે તેને માલ તથા પર્યાયોને પેકિંગ કહેવામાં આવે છે.
આમ મુક્તિનો માર્ગ પેકિંગ સહિત પ્રારંભ થાય છે. તેની પૂર્ણતા થઇ જતાં પેકિંગ છૂટી જાય છે અને માલ અર્થાત્ મુક્તિનો માર્ગ, માર્ગનું ફળ અર્થાત્ મુક્તિમાં પરિવર્તિત થઇ જાય છે.
સિદ્ધજીવ, પુદ્ગલ પરમાણું તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ દ્રવ્ય પેકિંગ વિનાના હોય છે. શુદ્ધ પુદ્ગલ પરમાણુને માલ તથા કોઇ પુદ્ગલ સ્કંધોને પેકિંગ-સામગ્રી કહી શકાય છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૨ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
આ પેકિંગ તથા માલ સંબંધી વ્યવસ્થા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સમાયેલ છે. આપણાં મનોભાવો અને તેઓને વ્યક્ત કરનારા બાહ્યાચરણમાં પણ આ જ વ્યવસ્થા લાગુ પડે છે. લોકમાં દરેક વ્યકિત આ વ્યવસ્થાને જાણે છે અને માટે જ પેકિંગને પેકિંગ તથા માલને માલ સમજી યથાયોગ્ય આચરણ કરે છે.
માલ અને પેકિંગ સંબંધી ભૂલ:- લોકવ્યવહારમાં અત્યંત ચતુર હોવા છતાં પણ અજ્ઞાની જીવ આત્માનું સ્વરૂપ તથા રત્નત્રય ધર્મના સ્વરૂપ વિષે આ વ્યવસ્થાને સમજતા નથી, માટે તે મુખ્ય ત્રણ પ્રકારની ભૂલો કરે છે. આ જ ભૂલોની વિસ્તારથી ચર્ચા પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથના સાતમાં અધિકારમાં નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ અને ઉભયાભાસના રૂપે કરી છે. એ ભૂલોને પેકિંગ તથા માલની ભાષામાં નીચે મુજબ સમજી શકાય છે.
૧) નિશ્ચયાભાસ :- પેકિંગની આવશ્યકતા બિલકુલ ન સમજી તેને વ્યર્થ જાણી તેનો સર્વથા નિષેધ કરવો તે નિશ્ચયાભાસ છે, અર્થાત્ આત્માને સર્વથા રાગાદિ રહિત માનવો અને વ્રત શીલ સંયમાદિને સર્વથા હેય માની તેનો નિષેધ કરવો તે નિશ્ચયાભાસ છે.
(૨) વ્યવહારાભાસ :- માલનું સ્વરૂપ સમજયા વિના, તેને પેકિંગથી ભિન્ન ન માની, પેકિંગ ને જ માલ સમજવો તે વ્યવહારાભાસ છે, અર્થાત્ આત્માને મનુષ્ય, દેવ, આદિરૂપે માનવો અને વ્રત શીલ સંયમ વગેરેને જ મોક્ષમાર્ગ માનવો તે વ્યવહારાભાસ છે.
(૩) ઉભયાભાસ :- પેકિંગ અને માલ બન્નેમાં અંતર ન સમજી બન્નેને એક સમાન માનવું છે ઉભયાભાસ છે, અર્થાત્ આત્માના દ્રવ્ય અને પર્યાય બન્ને રૂપોને ઉપાદેય માનવા અને વીતરાગભાવ તથા વ્રત શીલ સંયમ વગેરે શુભભાવ, બન્નેને મોક્ષમાર્ગ માનવો તે ઉભયાભાસ છે.
(૪) માલ અને પેકિંગના સંદર્ભમાં જ્ઞાનીની માન્યતા:- જ્ઞાની માલ ને માલ’ અને પેકિંગને “પેકિંગ’ સમજે છે. તેઓ પેકિંગનો સર્વથા
Page #27
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
નિષેધ કરી નિશ્ચયાભાસી નથી બનતા, અને ન તો તેને માલ માનીને વ્યવહારાભાસી બને છે. એ બન્નેને એક સમાન માની ઉભયાભાસી પણ નથી બનતા. તેઓ પેકિંગના માધ્યમથી માલની ખરી ઓળખાણ કરીને પેકિંગને ગૌણ કરીને માલનો ઉપભોગ કરે છે.
૧૮
(૫) માલ અને પેકિંગના સંબંધમાં વ્યવહારનયના કથન :વ્યવહારનયથી પેકિંગને જ માલ કહેવામાં આવે છે અથવા આ બન્નેને એક કહેવામાં આવે છે. જેમ ‘ઘી નો ઘડો’ અથવા મિઠાઇનો ડબ્બો’ વગેરે. જ્ઞાની નિશ્ચયના જાણકાર છે એટલા માટે તેમના દ્વારા કહેવામાં આવેલાં ઉપરનાં કથન વ્યવહારનયના કહેવામાં આવશે. પરંતુ અજ્ઞાની પેકિંગ ને જ માલ સમજે છે એટલા માટે તેમના દ્વારા કહેવામાં આવેલાં ઉપરનાં કથન વ્યવહારાભાસ છે વ્યવહારનય નથી. સાચા નય જ્ઞાનીને જ હોય છે. અજ્ઞાનીને નયાભાસ હોય છે.
આ ત્રણેનું વિસ્તારથી સ્વરૂપ સમજવા સાતમા અધિકારનો ઉંડાણપૂર્વક અભ્યાસ અવશ્ય કરવો જોઈએ.
આ જીવ બાહ્યક્રિયા અને શુભભાવરૂપ પેકિંગને જ ધર્મ સમજે છે. તેને વીતરાગભાવરૂપ માલની ઓળખાણ જ નથી. આ ભૂલનો ઉલ્લેખ કરતા ‘ધર્મબુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી' પ્રકરણના પ્રારંભમાં પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં પૃષ્ઠ ૨૩૦(ગુજરાતી) પર લખે છે:
‘વળી કેટલાક ધર્મબુદ્ધિથી ધર્મ સાધે છે પરંતુ નિશ્ચયધર્મને જાણતા નથી, તેથી તેઓ અભૂતાર્થરૂપ ધર્મને સાધે છે, ત્યાં વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ જાણી તેનું સાધન કરે છે.’
ઉપરોકત ક્થનથી સ્પષ્ટ છે કે આ જીવ રત્નત્રયધર્મ માટે પ્રયત્ન કરે છે, પણ તેનો પ્રયત્ન પેકિંગ માટે હોય છે માલ માટે નહીં. તે પેકિંગમાં મુગ્ધ છે પણ માલથી અપરિચિત છે. માટે તેના અભિપ્રાયમાં વ્યવહારાભાસ નામક મિથ્યાત્વરૂપી મહાપાપ હોય છે. તેને ન તો અસલી માલ મળે છે કે ન તો સાચું પેકિંગ. ઉકત વ્યવહારાભાસી મિથ્યાદ્રષ્ટિઓની માન્યતાની
Page #28
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૨: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
૧૯
વિસ્તારથી ચર્ચા કરતા સાતમા અધિકારમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે તેમના વડે કરેલા પ્રયત્નોમાં થવા વાળી ભૂલોનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. ડૉ. હુકમચન્દજી ભારિલ્લ દ્વારા સંપાદિત મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં તે ભૂલોને પ્રસ્તુત કરતા નીચે જણાવેલ શીર્ષકો બનાવવામાં આવ્યા છે :
અ - સમ્યગ્દર્શનનું અન્યથા સ્વરૂપ - પેજ ૨૩૦ થી ૨૪૪ સુધી બ - સમ્યજ્ઞાનનું અન્યથા સ્વરૂપ - પેજ ૨૪ થી ૨૪૭ સુધી ક - સમ્યફચારિત્રનું અન્યથા સ્વરૂપ - પેજ ૨૪૮ થી ૨૫૯ સુધી
(ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક) ઉપર જણાવેલ શીર્ષકો ની ભાષાથી એવો ભ્રમ પણ થઇ શકે છે કે અહીં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વિપરીતતાઓનું વર્ણન કર્યું છે. પણ જો શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર સમ્યફ હોય તો તેમાં અન્યથાપણું કેવું? અને જો તેમાં અન્યથાપણું છે તો તે સમ્યફ કેવી રીતે? પરંતુ આવો ભ્રમ તે લોકોને જ થઇ શકે જે ભાષાની પ્રકૃતિ અર્થાત્ કથન શૈલીથી અપરિચિત હોય. જે લોકો ભાષાની પ્રકૃતિથી પરિચિત છે, તેઓ સહજ જ જાણી શકે છે કે આ તો ભાષાનું સંક્ષિપ્તરૂપ છે. તેનો પૂરો અર્થ એવો જ થશે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને માટે કરેલા પ્રયત્નોનું અન્યથા સ્વરૂપ. લોકમાં પણ ભાષાનું સંક્ષિપ્તરૂપ કંઇક જુદુ હોય તથા તેનો પૂરો ભાવ કંઇક જુદો હોય છે. કાકાજી માટે બનાવેલ ચા ને ‘કાકાજીની ચા” કહેવાવાળા તથા માથાનો દુખાવો મટાડનાર દવાને ‘માથાના દુખાવાની દવા” કહેવાવાળા ઘરે ઘરે મળી જશે. આવી સંક્ષિપ્ત ભાષા બોલવા અને સાંભળવાવાળા લોકો તેનો પૂરો ભાવ પણ સમજે છે, માટે આવા સંક્ષિપ્ત કથનોથી કોઇને કાંઇ આપત્તિ કે ભ્રમ હોતો નથી. આવી રીતે જો આપણે જિનવાણીના કથનનો પ્રસંગ અને પ્રયોજનને અનુકૂળ પૂરો ભાવ સમજી લઇએ તો કોઇ આપત્તિ કે ભમ નહીં રહે તથા યથાર્થ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
તત્ત્વ-નિર્ણય કરવો અતિ સુગમ થઇ જશે.
પ્રશ્ન - ૧. ક્રિયા, પરિણામ અને અભિપ્રાય શબ્દોનો પ્રાસંગિક આશય
સ્પષ્ટ કરો. ૨. નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ અને ઉભયાભાસમાં થનાર
ભૂલોને માલ અને પેકિંગના ઉદાહરણ પર ઘટિત કરો. ૩. જ્ઞાનીની માન્યતાને “માલ” અને “પેકિંગ'ની ભાષામાં
સમજાવો. ૪. માલ અને પેકિંગના ઉદાહરણને આત્મા અને મોક્ષમાર્ગ પર
ઘટિત કરો.
અહો ! આ તો વીતરાગ શાસન છે. રાગથી ધર્મ થાય ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એ બધો વીતરાગમાર્ગ નથી. ભગવાન આત્મા વીતરાગસ્વરૂપ છે, ને તેના આશ્રયે જે વીતરાગ દશા થાય એ જ ધર્મ છે. શુભરાગ હો કે અશુભ-બન્ને પરના આશ્રયે થાય છે, સ્વયં અપવિત્ર છે અને દુ:ખરૂપ છે; માટે તે ધર્મ નથી. રાગથી ભિન્ન પડતાં તો અંદર આત્મામાં જવાય છે, તો પછી એનાથી લાભ થાય એ કેમ બને? બાપુ! માર્ગ આકરો છે. વ્યવહારથી નિશ્ચય કદીય ના થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કદીય કાર્ય ન થાય. આવું જ વસ્તુસ્વરૂપ છે.
- પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી
Page #30
--------------------------------------------------------------------------
________________
અધ્યાય
૩
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું જીવનમાં સ્થાન
આપણા જીવનમાં આ ત્રણે વસ્તુઓનું મહત્વપૂર્ણ સ્થાન છે. વાસ્તવમાં એ ત્રણેમાં જ સમગ્ર જીવન વ્યાપ્ત છે. તેમના સિવાય જીવનમાં બીજુ છે પણ શું ? જેમ એક રંગમંચ અર્થાત્ નાટકના સ્ટેજપર અનેક પડદાઓ હોય છે, બહાર કોઇ બીજુ દૃશ્ય દેખાડવામાં આવે છે તથા પડદાની અંદર કોઇ બીજા દૃશ્યની તૈયારી ચાલતી હોય છે; તેમજ આપણું જીવન પણ નાટકના સ્ટેજ જેવું છે, જેમાં આ ક્રિયા, પરિણામ અને અભિપ્રાયરૂપી ત્રણ દૃશ્યો આવતાં-જતાં રહે છે. અહિં એ દૃશ્યોને ઢાંકવાવાળા પડદાઓને પણ એજ નામથી સંબોધિત કરવું ઉચિત છે. અર્થાત્ ક્રિયારૂપી પડદા પર ક્રિયાનું દૃશ્ય ચાલતું હોય છે તથા પરિણામ અને અભિપ્રાયના પડદા પર પરિણામ અને અભિપ્રાયના દૃશ્યો રહે છે. અહીં આ ત્રણે પડદાઓનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવી રહ્યું છે.
(૧) ક્રિયારૂપી પડદો :
આપણા જીવનનો ક્રિયાવાળો પડદો થોડોક ખુલ્લો રહે છે અને થોડોક બંધ રહે છે. જે ક્રિયાઓથી લોકમાં નિંદા ન થાય, એવી ખાવાપિવાની, ધંધા-વ્યાપારાદિની ક્રિયાઓ બધા લોકો ખુલ્લા મનથી કરે છે. આ તો બધાના જીવનમાં થનારી સામાન્ય ક્રિયાઓ છે. જો કે વિષયભોગ વગેરે કેટલીક ક્રિયાઓ વ્યક્તિગતરૂપે બધા વડે કરાય છે, પરંતુ લજજાસ્પદ હોવાથી એ ક્રિયાઓ એકાન્તમાં કરવામાં આવે છે; સાર્વજનિકરૂપે નહીં.
Page #31
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
જે ક્રિયાઓ લોકનિંદ્ય હોય છે, જેને અપરાધ માનવામાં આવે છે અને જેને કરવાથી અપયશ અને દંડને પાત્ર થવું પડે છે - એવી સાત વ્યસનાદિ ક્રિયાઓ કરવાવાળા તેમને છુપાવીને જ કરે છે, તથા એ ક્રિયાઓ કોઇ બીજાને ખબર ન પડે, તે માટે પ્રયત્નશીલ પણ રહે છે, અર્થાત્ આવી ક્રિયાઓને ઢાંકવાવાળો પડદો બંધ જ રાખવામાં આવે છે.
૨૨
સમાજનું એક દુર્ભાગ્ય છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિના દુષ્પ્રભાવથી સર્વથા ત્યાગવાયોગ્ય ક્રિયાઓ પણ આજે સાર્વજનિકરૂપે ખુલ્લી રીતે કરવામાં આવી રહી છે. સ્વછંદતાના નામે થનારી અમર્યાદિત ક્રિયાઓ તથા ટી.વી. પર બતાવવામાં આવતા વિજ્ઞાપનો અને ફિલ્મો તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. છતાં તે સામાજિક સ્તરે સ્વીકાર્ય નથી બની શકતી. સમાજમાં તેમની નિંદા જ થાય છે.
કેટલીક ક્રિયાઓ એવી પણ હોય છે કે જેના કરવાથી લોકમાં યશ મળે છે, પુરસ્કાર તેમજ અભિનંદન પત્રો વગેરે પણ મળે છે. દયા, દાન, શીલ, ભક્તિ, પૂજા, વ્રત, ઉપવાસાદિ ધાર્મિક ક્રિયાઓ તથા સાર્વજનિક હિતની અનેક ક્રિયાઓ એવી હોય છે. એ કાર્યોને કરનારાઓ તેમને ઢાંકનારો પડદો ખુલ્લો રાખે છે, તેમનો વધુમાં વધુ પ્રચાર કરે છે. પોતે પ્રચાર કરવામાં સંકોચ અનુભવે તો બીજાઓને કહીને કરાવે છે.
આ પ્રમાણે ઉપરોકત બધી ક્રિયોઓને જો પાપક્રિયા અને પુણ્યક્રિયાઓમાં વહેંચવામાં આવે, તો એમજ કહેવાશે કે આપણે ક્રિયાવાળો આ પડદો અર્ધો ખુલ્લો રાખવા માગીયે છીયે અને અર્ધો બંધ રાખવા માગીએ છીએ.
(૨) પરિણામરૂપી પડદો :
જેવી રીતે નાટકમાં પહેલો.પડદો ખોલીને કોઇ દૃશ્ય બતાવવામાં આવી રહ્યું હોય અને તેની પાછળ બીજા દૃશ્યની તૈયારી ચાલી રહી હોય તો તે તૈયારી જનતાને નથી દેખાતી, પરંતુ કાર્યકર્તા તો તેને દેખે જ છે. એવી રીતે ક્રિયાના પડદાની પાછળ જીવનમાં પરિણામરૂપી પડદો હોય છે. જો કે
Page #32
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૩: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું જીવનમાં સ્થાન
પહેલા ક્રિયાનો પડદો હોવાથી તે ક્રિયા બધાને દેખાય છે, તથાપિ પરિણામોનો પડદો પાછળ હોવાથી બીજાઓને દેખાતો નથી. તે પોતાને તો અવશ્ય દેખાય છે, કારણ તે પોતાના અંતરંગમાં હોય છે અને આપણે તેનું વેદન કરીએ છીએ, તેને ભોગવીએ છીએ. ક્રિયા અને પરિણામમાં પરસ્પર સંબંધ :
પરિણામો અને ક્રિયાઓમાં સામાન્યત: નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. તેથી જેવા આપણાં પરિણામ (ભાવ) હોય છે, સામાન્ય રીતે તેવી જ બાહ્ય ક્રિયા પણ હોય છે. ખાવું-પીવું, ઉઠવું-બેસવું, બોલવું, ધંધોવ્યાપાર વગેરે લૌકિક ક્રિયાઓ તથા ભક્તિ, પૂજા, દાન વગેરે ધાર્મિક ક્રિયાઓ કરતી વખતે સામાન્ય રીતે આપણા પરિણામ પણ તેવા જ હોય છે.
ઉપરોક્ત નિમિત્ત-નૈમિત્તિક સંબંધને કારણે ક્રિયા જોઇપરિણામોનો અંદાજ સહજ જ આવી જાય છે. માટે ક્રિયાના માધ્યમથી પરિણામ જાણી શકાય છે. ભોજન કે પૂજા કરતી વ્યકિતને જોઇએમ કહેવાશે કે આ સમયે આ
વ્યક્તિના ભાવ ભોજન કરવાના કે પૂજા કરવાના છે. ક્રિયા અને પરિણામની સ્વતંત્રતા :
ઉપર જણાવ્યા મુજબ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવા છતાં ઘણાં પરિણામ તથા ઘણી બધી ક્રિયાઓ એવી પણ હોય જેમનો આપસમાં કોઇ સંબંધ ન હોય. જીવનમાં એવા પણ ઘણા પ્રસંગો બને છે કે જેવા ભાવ હોય તેવી ક્રિયા નથી હોઈ શકતી અને જેવી ક્રિયા હોય તેવા ભાવો હોતા નથી.
પ્રશ્ન:- ક્રિયા કોઇ જુદી હોય અને પરિણામ કોઇ જુદા - એવું ક્યારે બને છે?
ઉત્તર:- જેમ કે કારનો કુશળ ડ્રાઇવર કાર ચલાવતા ચલાવતા કેસેટ પણ સાંભળતો હોય અને આપણી સાથે વાતો પણ કરતો હોય, તેના હાથપગ કાર ચલાવવાની ક્રિયા કરતા રહે છે અને આ ક્રિયા કરતા તેના પરિણામ કે ઉપયોગ (ધ્યાન) કેસેટ સાંભળવામાં કે આપણી સાથે વાતો કરવામાં
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
લાગતો હોય. પણ જયારે કાર ચલાવતા શીખતો હતો ત્યારે તે પૂરું ધ્યાન (જ્ઞાનની એકાગ્રતા) તે તરફ જ રાખતો હતો કે “હવે ક્લચ દબાવવાનો છે, હવે ગિયર બદલવાનો છે? - વગેરે, પણ પૂરૂં શીખી લીધા પછી આ ક્રિયાઓ સહજ થતી રહે છે અને તેના પરિણામ કેસેટ સાંભળવામાં કે આપણી સાથે વાતો કરવામાં રહે છે.
તે પ્રમાણે જ કોઇ કુશળ ટાઈપીસ્ટ પણ વાતો કરતો રહે છે, લખેલું વાંચતો રહે છે તથા તેની આંગળીઓ બરાબર ટાઇપ પણ કરતી રહે છે.
ઉપરોકત ડ્રાઇવર અને ટાઇપિસ્ટની જેમ આપણા જીવનમાં પણ એવા ઘણા પ્રસંગો બનતા હોય છે. ભોજન કરતા ટી. વી. જોવાની ક્રિયા ચાલતી રહે છે. અને તે જ સમયે આપણે કોઈ સાથે વાતો કરતા રહીયે કે કંઇક વિચાર કરતા હોઇએ.
- ખાવા-પીવા વગેરે લૌકિક ક્રિયાઓની તો વાત શી કરવી ? આપણી ધાર્મિક ક્રિયાઓમાં તો સામાન્ય રીતે એવું જ બનતું હોય છે. પૂજન પ્રારંભ કરતી વખતે થોડીક ક્ષણ સુધી તો પૂજન ના છંદો ભાવપૂર્વક વંચાય છે, પણ તરતજ આપણું મન (પરિણામ) ધંધો-વેપારાદિ લૌકિક વિષયોમાં જતું રહે છે. આપણે દિવસભરના કાર્યક્રમની યોજના તે જ સમયે બનાવી લઈયે છીએ કે આજે અમુકને ડ્રાફ્ટ મોકલવો છે, તેને માલ મોકલવો છે, પેલી મીટીંગમાં જવાનું છે .....વગેરે. આપણે કેવળ યોજના જ નથી બનાવતા, પરંતુ તે વિષયમાં એટલા તન્મય બની જઈએ છીએ કે વિકલ્પોમાં જ બધા કાર્યો પૂર્ણ કરી લઈએ છીએ, અને મુખેથી પૂજનના છંદો બોલતા રહીયે છીએ અને હાથથી પૂજન-સામગ્રી ચઢતી જાય છે. જયારે પૂજા પુર્ણ થઇ જાય છે ત્યારે જાણે આપણે ભાનમાં આવીએ છીએ કે “અરે પૂજાતો પૂરી થઈ ગઈ'.
અંગ્રેજીમાં એક કહેવત છે – ‘Present body absent mind’ અર્થાત્ “શરીર ઉપસ્થિત અને મન અનુપસ્થિત” આ કહેવત પણ ક્રિયા અને પરિણામની ભિન્ન દિશાઓવાળી સ્થિતિ સિદ્ધ કરે છે. તેઓમાં અત્યંત અભાવ હોવાથી તેઓનું સ્વરૂપ તો પરસ્પર ભિન્ન જ રહે છે, ભલે ને તે એક
Page #34
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૩: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું જીવનમાં સ્થાના
૨૫
જેવા લાગે, પરંતુ અહીં તો ક્રિયા કોઇ જુદી અને પરિણામ કોઇ જુદા જેવી સ્થિતિ સ્પષ્ટ કરવાની છે.
આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીના જીવનની એક ઘટના સુવિખ્યાતા છે, તેમને છ માસ સુધી એ વાતની ખબર જ નહોતી પડી કે ભોજનમાં મીઠું નથી; કારણકે ભોજનની ક્રિયા વખતે પણ તેમના પરિણામ “સમ્યજ્ઞાના ચંદ્રિકા સંબંધી વિચારોમાં મગ્ન રહેતા હતા.
વાસ્તવમાં ક્રિયા તો શરીરાશ્રિત છે અત્પુદ્ગલ દ્રવ્યનું પરિણમના છે અને પરિણામ જીવની પર્યાય છે. માટે બન્ને ભિન્ન દ્રવ્યોની પર્યાયો હોવાથી તે બન્નેમાં અત્યંત અભાવ છે. માટે ક્રિયા અને પરિણામ એક જેવા હોય કે ન હોય, તેઓ પરસ્પર નિરપેક્ષ અને સ્વતંત્ર હોય છે. જયારે તેઓ એક જેવા હોય ત્યારે તેમનામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો વ્યવહાર કરી તેમને એકબીજાનું કારણ-કાર્ય કહેવામાં આવે છે.
પ્રશ્ન:-પરિણામ અને ક્રિયામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ પરિણામ કઇક જુદા અને ક્રિયા કઇક જુદી એવું કેમ બને છે?
ઉત્તર:- નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વસ્તુનું પારમાર્થિક સ્વરૂપનથી. જે દ્રવ્ય પોતે કાર્યરૂપ પરિણમિત થાય છે તેને ઉપાદાન કહે છે અને જે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોય, તે બાહ્ય-પદાર્થને નિમિત્ત કહે છે. તથા ઉપાદાનમાં થનારા કાર્યને ઉપાદેય કે નૈમિત્તિક કહે છે. પારમાર્થિક દ્રષ્ટિએ જોવા જઇએ તો પરિણામ અને ક્રિયામાં પરસ્પર કાર્ય-કારણ સંબંધ નથી. બન્ને પોતપોતાની સ્વતંત્ર યોગ્યતાથી પરિણમિત થાય છે, માટે ક્રિયા કોઇ હોય અને પરિણામ કોઇ જુદા જ પ્રકારના હોય - આવી સ્થિતિ સહજ સંભવ છે અને તેમાં બન્નેની સ્વતંત્ર યોગ્યતા જ કારણ છે.
બીજી વાત એ પણ છે કે બાહ્ય-ક્રિયા સ્થૂળ હોય છે, માટે તેમાં બહુ જલદી-જલદી પરિવર્તન નથી દેખાતું, ત્યારે પરિણામ તો ક્રિયાની અપેક્ષાએ વધુ સૂક્ષ્મ છે અને તેઓમાં પરિવર્તન પણ ઘણી જ ઝડપથી થાય છે. માટે ક્રિયા તેની તે જ થતી રહે અને પરિણામ તેને છોડી અન્ય વિષયમાં લાગી
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
જાય એવું સહજ સંભવ છે. ભોજન કે પૂજનની ક્રિયા જેટલા સમય સુધી ચાલે છે તેટલા સમયમાં હજારો લાખો પ્રકારના પરિણામ થઇ શકે છે.
| ક્રિયાની જેમ જ આપણે પોતાના પ્રશંસનીય શુભ પરિણામોનો તો પ્રચાર કરવા ઇચ્છીયે છીએ અને લોકનિંદ્ય પરિણામોને છુપાવીને રાખવા માગીએ છીએ, ત્યાં સુધી કે આપણે તે અનુસાર ક્રિયા કરવાથી પણ બચવા માગીએ છીએ અને તે જ આપણા હિતમાં છે. ઉપદેશમાં પણ શુભ પરિણામની પ્રેરણા આપવામાં આવે છે, અશુભ ક્રિયા કે અશુભ પરિણામોને છોડવાની પ્રેરણા આપવામાં આવે છે. જોકે ઉત્તમ આર્જવધર્મના પ્રકરણમાં પરિણામોની સરલતા રાખવાની પ્રેરણા આપતા કહ્યું છે કે “મન મેં હોય તો વચન ઉચરિયે, વચન હોય તો તનસોંકરિયે'; પરંતુ આવી સ્થિતિ તો વીતરાગી મુનિરાજોની હોય છે, વિષય-કષાયમાં રચ્યા-પચ્યા ગૃહસ્થોને માટે તો એ જ યોગ્ય છે કે મનમેં હોય સો મનમે ધરિયે, વચન હોય તનસો નહિ કરિયે.
આ પ્રમાણે સ્પષ્ટ થાય છે કે પરિણામ, જીવના ભાવ છે, જે ક્રિયાથી નિરપેક્ષ રહી પોતાની તત્સમયની યોગ્યતાનુસાર પોતાના સ્વકાળમાં પોતે ઉત્પન્ન થાય છે. (૩) અભિપ્રાયરૂપી પડદો:
ક્રિયા અને પરિણામના સ્વરૂપની વિસ્તારથી ચર્ચા કર્યા પછી અભિપ્રાયની ચર્ચા જરૂરી છે. એ તો પહેલાં કહેવામાં આવ્યું છે કે અહીં અભિપ્રાયનો આશય શ્રદ્ધા ગુણની પર્યાય સાથે છે જેને પ્રતીતિ કે અભિનિવેશ પણ કહે છે. અહીં તો ક્રિયા અને પરિણામના સંદર્ભમાં અભિપ્રાયનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરવું આવશ્યક છે.
પ્રશ્ન:- મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ૯૦ ઉપર જાણેલા પદાર્થની શ્રદ્ધાને જ્ઞાનનું કાર્ય કહ્યું છે, તો શું શ્રદ્ધા, જ્ઞાન ગુણની પર્યાય છે ?
ઉત્તર :- શ્રદ્ધા અને જ્ઞાનમાં મિથ્યાપણું અને સમ્યકપણું એક સાથે હોવાની અપેક્ષાએ અનેક સ્થાને એ બન્નેના અભેદનું કથન પણ કરવામાં આવે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૩: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું જીવનમાં સ્થાન
૨૭
સમયસારમાં આત્માને જ્ઞાનમાત્ર પણ કહેવામાં આવ્યો છે. આ અપેક્ષાથી પણ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર - બધા જ્ઞાન અર્થાત્ આત્માના જ પરિણામ કહેવામાં આવે છે.
ચતુર્થ ગુણસ્થાનમાં શ્રદ્ધા-જ્ઞાનની નિર્મલતા, બારમા ગુણસ્થાનમાં ચારિત્રની પૂર્ણતા તથા તેરમાં ગુણસ્થાનમાં જ્ઞાન-દર્શન-સુખ-વીર્યની પૂર્ણતા કહેવામાં આવી છે. તેથી શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર આદિગુણોમાં કથચિંત્ ભિન્નતા સહજ સિદ્ધ થાય છે.
અભિપ્રાય, પ્રતીતિ, માન્યતા, શ્રદ્ધાન, રૂચિ આદિ શબ્દો પર્યાયવાચી છે. આપણા જીવનમાં અભિપ્રાયની શી ભૂમિકા છે તેનું પરિણમન ક્યા રૂપમાં થાય છે? વગેરે અનેક બિંદુગંભીરતાપૂર્વક વિચારણીય છે, કારણકે ક્રિયા અને પરિણામ તો સરલતાથી સમજમાં આવી જાય છે, પરંતુ “અભિપ્રાય” શબ્દનો ભાવ સ્પષ્ટથતો નથી. નીચે જણાવેલ ઉદાહરણ પરથી અભિપ્રાય શબ્દનું સ્વરૂપ સરળતાથી સમજી શકાય છે.
કોઇનાટકમાં લગભગ ૧૨ વર્ષનો એક છોકરો, છોકરીનો અભિનયા કરે છે. એ અભિનયની સફળતા માટે તે છોકરી જેવી વેશભૂષા તો પહેરે જ છે. “હું જઇ રહ્યો છું” એવું ન બોલી “હું જઇ રહી છું’ - એમ બોલે છે. આ કિશોરાવસ્થામાં અવાજ તો માદા અર્થાત છોકરીઓ જેવો જ છે. અભિનયની સફળતા માટે તે એટલો તન્મય થઇ જઈ છોકરીઓ જેવા હાવ-ભાવ કરે છે કે પ્રેક્ષક તેને છોકરી જ સમજી લે છે. જો દુર્ભાગ્યથી તે સમયે ગતિ-બંધનો કાળ હોય તો તે પરિણામોથી તેને સ્ત્રી-પર્યાય પ્રાપ્ત થવા યોગ્ય કર્મ પણ બંધાઇ શકે છે.
અહીં એમ કહી શકાય કે તેના ભાવ સ્ત્રીપાત્રનો અભિનય કરવાના છે, સ્ત્રી જેવા બનવાના નથી; પરંતુ ભાવપૂર્ણ પ્રસ્તુતિ કરવા માટે તેવા અભિનયમાં તન્મયતા પણ થઇ જાય છે - એ અપેક્ષાએ અહીં તેના સ્ત્રી જેવા પરિણામ કહેવામાં આવ્યા છે.
અહીં એક વાત વિચારણીય છે કે ક્રિયા અને પરિણામોના સ્તર પર
Page #37
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
તે બાળક સ્ત્રીત્વનો અનુભવ કરતો કરતો પોતાને સ્ત્રી માને છે કે પુરૂષ ? તે પોતાને પુરૂષ જ માને છે નહીં તો તેને રમેશ-સુરેશ વગેરે નામે સંબોધતા તે જવાબ કેમ આપે છે ?
૨૮
હવે એ વિચારવા જેવું છે કે ‘હું પુરૂષ જ હું સ્ત્રી નથી’ આ માન્યતા કે અનુભૂતિ ક્યાં ચાલી રહી છે ? તેની ક્રિયાઓ તો સ્ત્રી જેવી છે, ભાવ પણ સ્ત્રી જેવા છે. માટે સમાધાન એ જ છે કે તેની પુરૂષ હોવાની અનુભૂતિ કે માન્યતા, અભિપ્રાય અર્થાત્ શ્રદ્ધાના પરિણમનમાં જ ચાલી રહી છે. એ જ તે અભિપ્રાય છે, જેની દિશા ક્રિયા અને પરિણામથી ભિન્ન છે.
જો કે અભિપ્રાય પણ શ્રદ્ધા ગુણની પર્યાય હોવાથી તેને પરિણામ પણ કહેવાય છે, પરંતુ અહીં જ્ઞાન અને ચારિત્ર ગુણની પરિણતિથી ભિન્નતા બતાવવા તે પરિણામને ‘અભિપ્રાય' શબ્દથી સંબોધિત કરાયો છે.
પ્રશ્ન :- તે બાળક અભિપ્રાયમાં પોતાને પુરૂષ માનવાની સાથે-સાથે જ્ઞાનમાં પોતાને પુરૂષ જાણે છે; ત્યારે અહીં માત્ર શ્રદ્ધાની વાત કેમ કરાય છે?
ઉત્તર :- એ વાત ઠીક છે કે જાણવું અને માનવું એક સાથે થાય છે, પરંતુ જાણવામાં અન્ય વિષયો પણ જ્ઞેય બને છે; જયારે કે શ્રદ્ધાનમાં કોઇ એક વિષયમાં જ અહમ્પણુ હોય છે. અહીં પ્રકરણ પણ અભિપ્રાયનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનું છે, માટે શ્રદ્ધાની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે.
પ્રશ્ન :- જો શ્રદ્ધાનો વિષય એક જ છે તો ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્’ માં સાતેય તત્ત્વોની પ્રતીતિ કેવી રીતે કહેવામાં આવે છે ?
ઉત્તર :- આ કથન જ્ઞાનની મુખ્યતાથી કરવામાં આવે છે. દૃષ્ટિપ્રધાન કથનમાં શ્રદ્ધાનો વિષય એક અખંડ-અભેદ-સામાન્ય-નિત્ય-ત્રિકાળીજ્ઞાયકભાવ જ છે. જ્ઞાનની પ્રધાનતાથી શ્રદ્ધાના વિષયમાં ભેદ કરી તેને અનંત ગુણોનો પિંડ, ઉપયોગ લક્ષણરૂપ વગેરે પણ કહેવામાં આવે છે. અહીં વધારે વિસ્તારની આવશ્યકતા નથી, સંક્ષેપમાં એટલું જ કહેવું પુરતું છે.
...
Page #38
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૩: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું જીવનમાં સ્થાન
ઉપરોક્ત બાળક જેવી આપણા બધાની પણ એ જ સ્થિતિ છે. આપણા બધાનો ડૉકટર, પંડિત, શેઠ, કવિ, લેખક, પુરૂષ, સ્ત્રી વગેરે અવસ્થાઓમાં કોઇને કોઇ રૂપમાં અહમ્ નિરંતર રહે છે. અન્ય કાર્યોમાં નિરંતર તન્મય રહેવા છતાં આપણો અહમ કાયમ રહે છે, તે મટતો નથી. પૂજા કરતી વખતે કેપ્રવચન સાંભળતી વખતે ક્રિયા અને પરિણામોમાં પૂજન અને અવાજ ભાવો વિદ્યમાન રહેતા હોવા છતાં શેઠજી પોતાને શેઠ તથા ડૉક્ટર પોતાને ડૉક્ટર માને છે. પુરૂષ કે સ્ત્રીઓ પણ પોતાને પુરૂષ કે સ્ત્રીઓ સમજીને જ પોતાના માટે નિશ્ચિત કરેલા જુદાં જુદાં સ્થાને બેસી પ્રવચન સાંભળે છે. શ્રોતાઓની તો વાત જ શી કરવી? ભેદવિજ્ઞાન અને સમ્યગ્દર્શનનું સ્વરૂપ તથા તેની વિધિનું ભાવવિભોર થઇ વર્ણન કરનારા અધિકાંશ પ્રવક્તા પણ તે સમયે શું પોતાને પુરૂષ, ખંડેલવાલ, અગ્રવાલ, વગેરે રૂપે નથી માનતા? આ બધી અભિપ્રાયની જ કમાલ છે. અભિપ્રાય પોતાની અનુભૂતિમાં એટલો મજબૂત રહે છે કે તેના પર બાહ્ય ક્રિયા અને પરિણામોનો કોઇ પ્રભાવ પડતો નથી. તે તેમનાથી અપ્રભાવિત રહીને જ પોતાની ધારામાં વહેતો રહે છે. અભિપ્રાયની આ વિશેષતાનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ પણ યથાસ્થાને કરવામાં આવશે.
પ્રશ્ન:-પરિણામ અને અભિપ્રાયમાં શું અંતર છે?
ઉત્તર:- આ પ્રસંગમાં પરિણામ શબ્દનો અર્થ, રાગ-દ્વેષ, પુયપાપાદિચારિત્રમોહના ઉદયથી થનારા વિકાર તથા ક્ષયોપશમ જ્ઞાન અભીષ્ટ છે. અભિપ્રાય શબ્દનો આશય શ્રદ્ધા જ્ઞાનની વિપરીતતા કેયથાર્થતા અર્થાત્ રૂચિ, પ્રતીતિ, અધ્યવસાય વગેરે ભાવોથી છે. તેમાં દર્શનમોહનો ઉદય નિમિત્ત છે.
પ્રશ્ન :- ક્ષયોપશમ જ્ઞાનને પરિણામોમાં શા માટે સામેલ કરવામાં આવ્યું છે?
ઉત્તર :- શાસ્ત્રાનુસાર યથાર્થ ધારણા હોવા છતાં અભિપ્રાયમાં વિપરીતતા બની રહે છે, માટે તે અભિપ્રાયથી ભિન્ન હોવાથી તેને પરિણામોમાં
Page #39
--------------------------------------------------------------------------
________________
30
સામેલ કરવામાં આવ્યું છે.
આ વિપરીતતામાં દર્શનમોહનીય કર્મ પ્રકૃતિનો ઉદય નિમિત્ત બને છે. જ્ઞાનની હીનાધિકતામાં જ્ઞાનાવરણીની પ્રકૃતિનો ક્ષયોપશમ નિમિત્ત હોય છે.
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
પ્રશ્ન:- કોઇ સરળ ઉદાહરણ આપી પરિણામ અને અભિપ્રાયનું અંતર સ્પષ્ટ કરો ?
ઉત્તર :- એક માતા પોતાના તોફાની બાળકને, ભૂલ કરવા બદલ સુધારવાના ઉદ્દેશથી તેનાપર ક્રોધ કરે છે અને તેને મારે છે. અહીં ક્રિયા અને પરિણામોમાં ક્રોધ આવ્યો છતાં અભિપ્રાયમાં પોતાપણું અને હિતબુદ્ધિ છે. તે જ માતા જ્યારે પડોસણના નાના બાળકને ખોળામાં બેસાડી વહાલથી રમાડે છે ત્યારે પરિણામ અને ક્રિયામાં પ્રેમ હોવા છતાં અભિપ્રાયમાં તેના પ્રત્યે પોતાપણું કે મમત્વ નથી. આ ઉપરથી પરિણામ અને અભિપ્રાયમાં સ્પષ્ટ અંતર સમજી શકાય છે.
પ્રશ્ન
-
cap
૧. આપણા જીવનમાં ક્રિયા રૂપી પડદા પર ઘટિત થનારી ઘટનાઓ તથા પ્રભાવોનું વિશ્લેષણ કરો.
૨. ક્રિયા અને પરિણામોની સ્વતંત્રતા સિદ્ધ કરી તેમાં નિમિત્તનૈમિત્તિક સંબંધની વ્યાખ્યા જણાવો.
૩. ‘અભિપ્રાય’ થી આપ શું સમજો છો ? ક્રિયા અને પરિણામોના સંદર્ભમાં અભિપ્રાયની વ્યાખ્યા ઉદાહરણ સહિત પ્રસ્તુત કરો.
Page #40
--------------------------------------------------------------------------
________________
અધ્યાય
કિયા, પરિણામ અને અભિપ્રાયમાં ઉત્તરોત્તરસૂમતા
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની પરિભાષા તેમજ સ્વરૂપની ચર્ચા બાદ એક વાત વિશેષ જણાય છે કે, બીજું પહેલાની અપેક્ષાએ વધારે સૂક્ષ્મા
અહીં સ્થૂલતા કે સૂક્ષ્મતાનો આશય તેમના આકાર-પ્રકારથી નથી, પરંતુ તેમના પ્રમેયત્વ સાથે છે અર્થાત્ જે જેટલી શીવ્રતા અને સરળતાથી જણાય, તે સ્થૂળ છે અને જેને જાણવામાં વિશેષ પ્રયત્ન કરવો પડે, તે સૂક્ષ્મ છે.
ક્રિયાની સ્થૂળતા:- ઉપરની પરિભાષાના સંદર્ભમાં જોવા જઈએ તો ક્રિયા સર્વાધિક સ્કૂળ છે. પોતાની ક્રિયાઓને તો આપણે પોતે જાણીએ જ છીએ, બીજાઓ પણ જાણી લે છે. જગતમાં કોઇ વ્યકિતની પ્રશંસા કે નિંદા તેની બાહ્ય-ક્રિયાઓના માધ્યમથી થાય છે. આ જ કારણ છે કે સાધારણ વ્યક્તિ ધર્મ કરવા સૌ પ્રથમ તે બાહ્ય-ક્રિયાઓને જ અંગીકાર કરે છે, જેથી લોકમાં પ્રશંસા મળે છે અથવા જેને ધર્મ કહેવામાં આવે છે.
ક્રિયાની ગંધ અર્થાત તેનો પ્રભાવ બહુ ઝડપથી ફેલાય છે. આજના સૂચના-ક્રાન્તિના યુગમાં તો પ્રત્યેક ઘટનાની સૂચના થોડીક મિનિટોમાંજ આખી દુનિયામાં ફેલાઇ જાય છે. જો વડાપ્રધાનને શરદી પણ થઇ જાય, તો આખી દુનિયાને ખબર પડી જાય છે. દુનિયાના કોઇપણ ખૂણે થતી હિંસા, લૂંટફાટ, ચોરી, બળાત્કાર વગેરે ઘટનાઓથી વર્તમાનપત્રો ભરેલા હોય છે
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
તથા ટી.વી. પર ૨૪ કલાક આપવામાં આવતા સમાચારોમાં એ જ ઘટનાઓ ગુંજતી રહે છે.
પૂજન વિધાન કરાવતી વખતે જો વિધાનાચાર્ય દીપની જગ્યાએ ધૂપનો છંદ બોલી દે, તો જનતા તરત ટોકે છે. પ્રવચનમાં જો એક શબ્દનો પણ ખોટો પ્રયોગ થઇ જાય તો તત્કાળ તેની પ્રતિક્રિયા સામે આવી જાય છે.
કેવળ ખરાબ કામોનો જ નહીં પણ સારા કામોનો પ્રભાવ પણ જનસામાન્ય પર પડે છે. પાંચે પાપોના ત્યાગી મુનિરાજોના જીવનથી આપણને પણ તપ, ત્યાગ અને સંયમની પ્રેરણા મળે છે. જગત તેમના ચરણોમાં નત-મસ્તક રહે છે. જો કોઈ રીક્ષાવાળો કોઇની ભૂલાએલી પર્સ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેકેતેના માલિક સુધી પહોંચાડી દેતો વર્તમાન પત્રોમાં પ્રામાણિકતા હજુ બાકી છે શીર્ષક હેઠળ તેની પ્રશંસા છપાય છે. તેમજ જો સાંપ્રદાયિક હુલ્લડમાં એક સંપ્રદાયની વ્યક્તિ બીજા સંપ્રદાયની વ્યક્તિની રક્ષા કરે તો તેની માનવતાના ગીતો પણ સૂચના માધ્યમોમાં ગવાયા
છે.
આ પ્રમાણે બાહ્ય ક્રિયા અત્યંત સ્થૂળ હોવાથી ક્રિયાના સ્તર પર થનારી ભૂલ પણ બધાને દેખાય છે. જો એમ કહીએ કે જગત માત્ર ક્રિયાઓને જ દેખે છે, તો કોઇ અતિશયોક્તિ નથી. અહીં ક્રિયાની ચર્ચા કરતી વખતે શરીરાદિ પર-પદાર્થોની ક્રિયાઓને જીવની કહી છે; પણ આ કથન અસભૂત-વ્યવહાર નયની અપેક્ષાએ સમજવું જોઇએ. વાસ્તવમાં આત્મા આ ક્રિયાઓનો કર્તા નથી. આત્માના રાગાદિભાવોના નિમિત્તે તે ક્રિયાઓ થાય છે. તેથી આત્માને વ્યવહારનયથી તેમનો કર્તા કહ્યો છે.
પરિણામોની સૂક્ષ્મતા-સ્થૂળતા :- ક્રિયાની અપેક્ષાએ પરિણામ ઘણા સૂક્ષ્મ હોય છે. તે બીજાઓની પકડમાં તો સીધા આવતા નથી, પરંતુ ક્રિયાના માધ્યમથી જ જણાય છે. ક્રિયા વ્યક્ત હોય છે અને પરિણામ આવ્યક્ત હોય છે. માટે પરિણામોની જાણ જગતને ત્યારે જ થાય, જયારે તે ક્રિયાના માધ્યમથી વ્યક્ત થાય અર્થાત્ તેમના નિમિત્તે ક્રિયા પણ તેવી જ હોય જેવા પરિણામ થયા છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૪: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા
33
જો કે આપણા પરિણામોને જગત સીધી રીતે જાણતું નથી, તો પણ આપણે પોતે તો તેમને જાણીએ જ છીએ તેમને માત્ર આપણે જાણતાજ નથી પણ તેમાંથી ઉત્પન્ન થતા સુખ-દુ:ખ પણ આપણે ભોગવીએ છીએ.
ધારો કે, પ્રવચનને સમયે માઈક વગેરેની વ્યવસ્થામાં ભંગ થવાથી જો પ્રવચનકારને ક્રોધ આવી જાય, પણ તે એમ વિચારી તેનો ક્રોધ વ્યકત ના કરે કે જો હું ક્રોધ વ્યકત કરીશ તો મારી પ્રતિષ્ઠાને ધક્કો લાગશે; તો કોણ જાણશે કે તેને ક્રોધ આવ્યો છે ? બધા એમજ સમજશે કે પંડિતજી ઘણાં શાંત સ્વભાવના છે. જો કે તેમના પરિણામોમાં ક્રોધ છે અને તેઓ આકુળતાનું વેદન કરી રહ્યા છે છતાં તેમને શાંત પરિણામી સમજવામાં આવે છે, કારણ તેમણે ક્રિયાના માધ્યમથી ક્રોધ વ્યક્ત કર્યો નથી.
આ પ્રમાણે જ કોઇ દુકાનનો સેલ્સમેન અથવા વિમાનની પરિચારિકા સસ્મીત વદને આપનું સ્વાગત કરતા તે દુ:ખી પણ હોઇ શકે છે. શકય છે કે પોતાની માતાની બિમારીને કારણે તેણે રજા માગી હોય, પણ તેના ઉપરીએ તેને રજા ન આપી હોય; માટે તે માતાની ચિંતાથી દુ:ખી હોય, પણ હસતે મોઢે આપનું સ્વાગત કરવાની તેની ફરજ છે; માટે તેને હસવું તો પડશે જ, કારણ તેને હસતે મોઢે સ્વાગત કરવાનો પગાર મળે છે. જો કે આપ તેના દુ:ખને જાણી શકતા નથી, પરંતુ તે તો જાણી રહી છે અને ભોગવી પણ રહી છે. તે પ્રમાણે જ તમારી સાથે હસી હસીને વાતો કરતા પોતાનો માલ બતાવનાર સેલ્સમેન તમે માલ ન ખરીદો તો અંદર ને અંદર ખીજાતો હોય, પણ પોતાની ખીજ વ્યક્ત કરી શકતો નથી; માટે આપતો તેને શાંત સ્વભાવી જ સમજશો.
જે પરિણામોને આપણે બીજાઓ સામે પ્રગટ થવા દેવા નથી માગતા, આપણે તેને ક્રિયામાં વ્યકત ન થવા દેવાનો પ્રયાસ કરીએ છીએ. એ વાત તો જુદી છે કે આપણે તેમાં સફળ થઈ શકશું કે નહીં? તે તો આપણી અભિનય કુશલતા કે અકુશલતા પર નિર્ભર છે, જો માયા કષાયની તીવ્રતા હોય તો પોતાના પરિણામોને છુપાવવામાં સફળ થઇશું.
આ પ્રમાણે ક્રિયાનું જ્ઞાન બધાને હોવા છતાં પરિણામોને અન્યા
Page #43
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
લોકો જાણી શકતાં નથી. જયારે તે ક્રિયાના માધ્યમથી વ્યક્ત થાય છે, ત્યારે જ અન્ય લોકો ક્રિયાના માધ્યમથી તેમનું અનુમાન જ્ઞાન કરી શકે છે. અભિપ્રાયની સૂક્ષ્મતા :ક્રિયા અને પરિણામોથી પરિચિત આ જગત અભિપ્રાયથી સાવ અપરિચિત જ છે. કારણ અભિપ્રાયની ધારા પરિણામોના તળિયે વહેતી હોય છે. જગતના પ્રાણીઓમાં મિથ્યા માન્યતાઓનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે, તો પણ તેમની તરફ કોઇનું ધ્યાન જતું નથી. અને કદાચ તે ખ્યાલમાં આવી જાય તો તેઓ અભિપ્રાય અને પરિણામમાં ભેદ સમજી શકતા નથી.
૩૪
જેમ કાર પૈડાં વડે સડક પર દોડે છે, પણ સ્ટીયરિંગથી તેની દિશા નક્કી કરાય છે; તેવી રીતે પરિણામ અભિપ્રાયથી ભિન્ન હોવા છતાં પરિણામોની દિશા અભિપ્રાય વડે નક્કી કરાય છે. જયાં સુધી અભિપ્રાયમાં દેહાદિમાં અહમ્બુદ્ધિ રહે છે, ત્યાં સુધી પરિણામોની ધારા પર પદાર્થો તરફ વહે છે, તથા જ્યારે અભિપ્રાયમાં પોતાના ચૈતન્ય સ્વભાવમાં અહમ્બુદ્ધિ થાય છે, ત્યારે પરિણામોનો પ્રવાહ પણ સ્વ સન્મુખ થઇ જાય છે.
અભિપ્રાયમાં પરિવર્તન એક ગુપ્ત ક્રાંતિ છે. જેમ બીજ માંથી અંકુર ફૂટે છે પણ તે જમીનની નીચે જ રહે છે, માટે કોઇને દેખાતું નથી. જ્યારે તે છોડ બની ઉપર આવે છે ત્યારે જ તે દેખાય છે; તે પ્રમાણે અભિપ્રાય બદલાતા તત્કાલ પરિણામો અને ક્રિયામાં મોટું પરિવર્તન દેખાતું નથી; પરિણામોમાં વિશેષ પરિવર્તન કાળાંતરે થાય છે. ત્યારે જ તે ક્રિયાના માધ્યમથી જગતને દેખાઇ શકે છે.
આ પ્રમાણે અભિપ્રાય, પરિણામોથી પણ વધારે સૂક્ષ્મ છે, જે જિનાગમના આલોકમાં વિશેષ પ્રયત્નપૂર્વક નિરિક્ષણ કરવાથી જ આપણા ખ્યાલમાં આવી શકે છે.
પ્રશ્ન :- અભિપ્રાયને સમજવા માટે આપણે કેવા પ્રકારનો પ્રયત્ન કરવો જોઇએ ?
ઉત્તર :- દૈનિક જીવનમાં આપણા જે પણ પરિણામો થાય છે, આપણે તેમાં પ્રશ્નાર્થચિહ્ન મૂકીએ છીએ કે તે શા માટે થાય છે ? જેવા કે
Page #44
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૪ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા
આપણે પૂજા શા માટે કરીએ છીએ ? આમ પરિણામો સામે ‘કેમ - શા માટે ?’ મૂકી તેનું કારણ શોધવામાં આવે અને પછી જે જવાબ આવે તેમાં પણ ‘શા માટે ?’ મૂકવામાં આવે. આવી રીતે બે ચાર વાર પ્રશ્નાર્થચિન્હો મૂકી વિચાર કરવાથી જે છેલ્લો જવાબ આવશે તે આપણા અભિપ્રાયને બતાવશે. દાખલા તરિકે નીચે જણાવેલ પ્રશ્નોત્તર જુઓ :
પ્રશ્ન :- આપણે વ્યાપાર શા માટે કરીએ છીએ ?
ઉત્તર :- ધન કમાવવા માટે.
પ્રશ્ન :- ધન શા માટે કમાવીએ છીએ ?
ઉત્તર :- ભોગ-સામગ્રી ભેગી કરવા.
પ્રશ્ન :- ભોગ-સામગ્રી શા માટે ભેગી કરીએ છીએ ? ઉત્તર :- સુખી થવા માટે.
આ બધા પરથી સિદ્ધ થાય છે કે આપણે ભોગોમાં સુખ માનીએ છીએ. આ માન્યતા જ આપણો અભિપ્રાય છે. આ અભિપ્રાય સાચો છે કે ખોટો ? તેની મીમાંસા એક અલગ વિષય છે, જેની ચર્ચા શાસ્ત્રોમાં અનેક સ્થળે કરવામાં આવી છે.
૩૫
પ્રશ્ન :- આમ ‘શા માટે’ ક્યાં સુધી લગાડશો ? આ તો અંતહીન પ્રક્રિયા બની જશે ?
ઉત્તર :- ‘શા માટે’ લગાડતા-લગાડતા જ્યારે પ્રયોજનભૂત સાત તત્ત્વો વિષે આપણી માન્યતા સ્પષ્ટ થઇ જાય, તો સમજી લ્યો કે આપણે અભિપ્રાય જાણી લીધો. ત્યાર બાદ ‘શા માટે ?’ લગાડવાની જરૂર નથી.
આ પ્રક્રિયાનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ ઉપર યથાસ્થાને વધુ કરવામાં આવશે. અહીંયા તો માત્ર અભિપ્રાયની સૂક્ષ્મતા દર્શાવવા સંક્ષિપ્ત ચર્ચા કરવામાં આવી છે.
પ્રશ્ન :- અભિપ્રાય સ્પષ્ટ થયા બાદ ‘શા માટે?' પ્રશ્નાર્થચિહ્ન લગાડી શકાય કે નહીં ?
ઉત્તર :- જયારે અભિપ્રાય સમજવાનું જ પ્રયોજન હોય તો વધારે
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
પ્રશ્નાર્થ ચિન્હ લગાડવાની શી જરૂર છે ? જો તેના કારણોની અને અયથાર્થતાની મીમાંસા કરવી હોય તો “શા માટે?’ લગાડી તેનો નિર્ણય કરવામાં આવે.
પ્રશ્ન :- શું આપણી વાણી કે ક્રિયાના માધ્યમથી અભિપ્રાય પણ વ્યક્ત થાય છે?
ઉત્તર :- હા! કોઇવાર એવું પણ થઇ શકે છે. એકવાર રામલીલામાં હનુમાનનો અભિનય કરવાવાળા પાત્રને અશોક વાટિકામાં આકાશ માર્ગે પ્રવેશ કરી સીતાજીને રામચંદ્રની મુદ્રિકા આપવાનો અભિનય કરવાનો હતો. તે માટે દોરડાવડે કૂદવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અભિનય કરતી વખતે તેના કૂદવાના થોડાક સમય પહેલાં દોરડું તૂટી ગયું અને તે પડી ગયો. સીતાજીનું પાત્ર સમજી નહી શક્યું કે દોરડું તૂટી ગયું છે, માટે તેણે પોતાનો સંવાદ બોલવાનું શરૂ કર્યું “હે ભાઈ! આપ કોણ છો ? ....પરંતુ તે વ્યકિત ગુસ્સામાં બોલ્યો “ભાઇ-બાઇકંઇ નહી પહેલાં બતાવો કે દોરડું કોણે કાપ્યું?”
અહીં આપણે વિચાર કરીએ કે તે વ્યક્તિ એમ શા માટે બોલ્યો? તે પોતાને હનુમાન નહી, પણ રમેશ-સુરેશ વગેરે વ્યક્તિના રૂપમાં માને છે. માટે તેની વાણીમાંતેને ઉત્પન્ન થયેલ ક્રોધની સાથે તેની માન્યતા પણ ઝળકી રહી છે. આમ અનેક પ્રસંગોમાં આપણો અભિપ્રાય પણ વાણી કે ક્રિયાના માધ્યમથી વ્યક્ત થાય છે.
પ્રશ્ન - ૧. ક્રિયા અને પરિણામની સ્કૂલતા અને સૂક્ષ્મતા સ્પષ્ટ કરો. ૨. સિદ્ધ કરો કે અભિપ્રાય, પરિણામોથી પણ વધારે સૂક્ષ્મ છે. ૩. આપણે પોતાના અભિપ્રાયને કયા પ્રકારે સમજી શકિયે ?
ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો.
Page #46
--------------------------------------------------------------------------
________________
અહેવાય
(પ)
ક્રિયા, પરિણામઅો અભિપ્રાયલોજીવન પર પ્રભાવ
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની પરિભાષા, સ્વરૂપ આદિને સંબંધે આવશ્યક ચર્ચા કરવા ઉપરાંત એ જાણવું આવશ્યક છે કે આપણા જીવનમાં તેનો શો પ્રભાવ પડે છે?
જો લૌકિક જીવનના સંદર્ભમાં વિચાર કરવામાં આવે તો એટલું તો સ્પષ્ટ જ છે કે આપણી ક્રિયાઓ જ જગતને પ્રભાવિત કરે છે તથા આપણે બીજાઓની ક્રિયાઓથી પ્રભાવિત થઇએ છીએ. પરિણામ પણ જયાં સુધી ક્રિયામાં ન ઊતરે અર્થાત્ ક્રિયાવંત ન થાય, ત્યાં સુધી તેમનો લોક જીવન પર કોઈ પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને ચોરી કરવાનો કે કોઇની હત્યા કરવાનો ભાવ આવે, પરંતુ તે ચોરી કે હત્યા ન કરે તો તેનાથી બીજાને કોઇ ફરક પડશે નહીં. માટે લોકિક કાયદો પણ માત્ર પરિણામોના આધાર પર કોઈને અપરાધી નથી માનતો. તે તો ત્યારે જ અપરાધી માને, જયારે ક્રિયામાં અપરાધ થઇ જાય. આ વિષય પરડૉ. હુકમચંદજી ભાટિલ્લે પોતાની કૃતિ “અહિંસા : એક વિવેચન' માં વધુ પ્રકાશ પાડ્યો છે.
પરિણામોની જેમ અભિપ્રાય પણ લોકજીવન પર સીધો પ્રભાવ નથી. પાડતો. તે પણ પરિણામોના માધ્યમથી વાણીમાં કે ક્રિયામાં વ્યક્ત થાય, ત્યારે જ પ્રભાવિત કરે છે. જો કોઇ વ્યક્તિ તમારા મકાનને પોતાનું મકાન માને, પરંતુ કોઇને કંઇ કહે નહીં અને તમારા મકાનમાં જાય પણ નહીં, તો તેથી તમને શો ફરક પડશે? કંઇ જ નહીં.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
સ્ત્રી, પુત્ર, મકાન શરીરાદિને આપણે અનાદિથી પોતાના માની રહ્યા છીએ, તો શું તેથી તે ખરેખર આપણાં થઇ ગયાં? ના. પ્રત્યેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ પરિણામોમાં સ્વાધીન અને સહજ પરિણમન કરી રહ્યું છે. આપણો વિપરીત અભિપ્રાય પણ આ વિશ્વ વ્યવસ્થા અનુસાર સ્વાધીનતાથી પોતાનું પરિણમન કરી કહ્યો છે, પરંતુ તેથી વિશ્વની વ્યવસ્થાપર કોઇપ્રભાવ પડતો
નથી.
આ પ્રકારે સ્પષ્ટ થાય છે કે લૌકિક વ્યવસ્થા પર બાહ્ય ક્રિયાનો સીધો પ્રભાવ પડે છે. પરિણામ અને અભિપ્રાય જયારે ક્રિયાના માધ્યમથી વ્યક્ત થાય છે, ત્યારે દુનિયાના જીવો તેમનાથી પ્રભાવિત થઇ પ્રસન્ન કે અપ્રસન્ન થાય છે.
બીજાઓની શ્રેષ્ઠતાનું મૂલ્યાંકન ક્રિયા વડે જ કરવું જોઇએ, સમાજમાં એવું જ બને છે અને એજ સંભવ છે; પણ પોતાનું મૂલ્યાંકન માત્ર ક્રિયાથી નહી પરંતુ પરિણામો અને અભિપ્રાયથી કરવું જોઇએ.
જો કોઇ વ્યક્તિ માન-પ્રતિષ્ઠા માટે કે કોઇપદની પ્રાપ્તિ માટે અથવા ટેક્સ બચાવવા કોઈ સંસ્થાને દાન આપે છે, તો તેના આવા પરિણામોનું ફળ તો તે વ્યક્તિને જ મળશે. સંસ્થાને તો દાન જ મળ્યું અને તેથી તેની પ્રવૃત્તિઓનો પ્રચાર-પ્રસાર જ થશે. તેણે ક્યા ઉદ્દેશની પ્રાપ્તિ માટે દાન આપ્યું છે - તેનો સંસ્થા પરકોઈ પ્રભાવ નહીં પડે. સંસ્થા તો તેના દાન પ્રત્યે કૃતજ્ઞતા જ વ્યક્ત કરશે.
જો કે પરિણામ અને અભિપ્રાય લૌકિક વ્યવસ્થાને સીધા પ્રભાવિત નથી કરતાં; તો પણ સુખ-દુ:ખ, બંધ-મોક્ષ વગેરે તો તેના પર જ નિર્ભર રહે છે. પહેલા અધ્યાયમાં તો સ્પષ્ટ કરવામાં આવ્યું જ છે કે આપણે દુ:ખોથી મુક્ત થવા માટે ક્રિયા, પરિણામ તથા અભિપ્રાયનું સ્વરૂપ સમજવું છે. માટે બંધમાર્ગ તથા મોક્ષમાર્ગ પર તેમનો શો પ્રભાવ પડે છે - એ હકીકતની મીમાંસા કરવી આવશ્યક છે.
(૧) ક્રિયાનો પ્રભાવ:-પારમાર્થિકદૃષ્ટિથી જોવા જઇએ તો બાહ્ય
Page #48
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
૩૯
ક્રિયાથી બંધ-મોક્ષ, સુખ-દુ:ખ વગરે કદી હોતા જ નથી, અર્થાત્ જીવ માટે બાહ્ય ક્રિયાનું ફળ શૂન્ય છે, અકિંચિત્કર છે. બાહ્ય-ક્રિયાપ્રધાન જગતને આ વાત અસત્ય, અટપટી અને એકાન્ત વગેરે ન જાણે કેવી લાગશે? પરંતુ આગમ, યુક્તિ અને અનુભવની કસોટી પર ચકાસવામાં આવે તો જણાશે કે વસ્તુસ્વરૂપ એવું જ છે.
એક શિકારી જંગલમાં દોડતા હરણ પર ગોળી છોડે છે, પણ લક્ષ્ય ચૂકી જવાથી તે હરણ બચી જાય છે. હવે તમે જ કહો કે શિકારીને હિંસાનું પાપ લાગશે કે નહીં? કોઈ સમજુ વ્યક્તિ કહેશે કે તેને હિંસાનું પાપ અવશ્ય લાગવું જોઇએ. ત્યારે હું પૂછું છું કે શા માટે લાગવું જોઇએ ? હરણ તો મર્યું નથી. ત્યારે તે એમ જ કહેશે કે હરણનું મરવું કે બચવું તેના આયુકર્મના ક્ષય કે ઉદયને આધિન છે, પરંતુ તે શિકારીએ મારવાનો ભાવ તો કર્યો જ હતો. માટે બંધ તો પરિણામથી થયો, ક્રિયાથી નહીં.
પ્રશ્ન :- તેણે મારવાનો પ્રયત્ન તો કર્યો છે ને ?પછી તેને હિંસાનો બંધ થવાના કારણોમાં પ્રયત્નને પણ કેમ ન ગણાય?
ઉત્તર :- પ્રયત્નરૂપી ક્રિયા પર પરિણામોનો આરોપ કરી અભૂત વ્યવહારનયથી પ્રયત્નને પણ બંધનું કારણ કહી શકાય છે. આગમમાં પણ કહેવામાં આવે છે; પરંતુ અહીં તો એવો વિચાર કરવો કે વાસ્તવિક સ્થિતિ શું છે? જો ક્રિયા માત્રથી બંધ થતો હોય તો એક સરખી ક્રિયા કરનારા જીવોને એક સરખી કર્મ-પ્રકૃતિ અને એક સરખો સ્થિતિઅનુભાગ બંધ થવો જોઈએ. પણ એવું બનતું નથી.
શાસ્ત્રોમાં કથાનક આવે છે કે વનમાં આત્મધ્યાનમાં લીન એક દિગંબર મુનિરાજનું ભક્ષણ કરવા એક સિંહ તેમના પર ત્રાટકે છે. તે જ ક્ષણે એક જંગલી ભૂંડતેને જુએ છે અને તે મુનિરાજને બચાવવા સિંહ પર આક્રમણ કરે છે. આપસમાં લડતાં તે બન્નેના પ્રાણોનો અંત થઇ જાય છે અને સિંહ નરકમાં જાય છે પણ ભૂંડ સ્વર્ગમાં જાય છે.
આ કથાનકથી સ્પષ્ટ થાય છે કે બન્નેની એક સરખી ક્રિયા હોવા
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
છતાં એકને પાપનો બંધ થયો અને બીજાને પુણ્યનો બંધ થયો.
પ્રશ્ન:- સિંહ મુનિને મારી રહ્યો હતો અને ભૂંડ તેને બચાવી રહ્યો હતો, માટે એમ કેવી રીતે કહેવાય કે બન્નેની ક્રિયા એક સરખી હતી ?
ઉત્તર :- અરે ભાઇમારવા કે બચાવવાના ભાવો તો તેઓના પરિણામોમાં હતા, માટે તેઓ એકબીજાને મારવાની ક્રિયા જ તો કરી રહ્યા હતા! ખરું જોતાં જગત તો પોતાના ભાવોનો આરોપકરીને જ ક્રિયાનો પરિચય આપે છે. માટે સિંહના પરિણામોનો આરોપ તેની ક્રિયા પર કરી એમ જ કહેવાશે કે તે મુનિરાજને મારી રહ્યો હતો; માટે તેની ક્રિયા પાપ ક્રિયા કહેવાશે, અને ભૂંડના પરિણામોનો આરોપ તેની ક્રિયા પર કરી એમ કહેવાશે કે તે તેમને બચાવી રહ્યો હતો. માટે તેની ક્રિયા શુભ-ક્રિયા કહેવાશે; કારણ કે ભાવો વિનાની ક્રિયા સારી કે નરસી કાંઈપણ હોતી નથી. આગમમાં પણ ક્રિયા પર ભાવોનો આરોપ કરી મન-વચન-કાયની શુભ-ક્રિયાને શુભ-યોગ તથા અશુભ-ક્રિયાને અશુભ-યોગ પણ કહેવામાં આવ્યો છે.
પ્રશ્ન :- ઉપર જણાવેલ ક્રિયા અને પરિણામ સાથે તે બન્નેનાં અભિપ્રાયમાં શું હતું?
ઉત્તર:- સિંહ તો અજ્ઞાની જ હતો, કારણ જો તે જ્ઞાની હોત તો તેને મુનિરાજ પર ઉપસર્ગ કરવાનો ભાવ જ ન આવત, તેના અભિપ્રાયમાં એજ અજ્ઞાન મિથ્યાત્વ હતું કે “હું સિંહ છું આ વ્યક્તિ મારૂં ભોજન છે, હું મારા પરાક્રમથી આને મારીને ખાઇશ તો સુખી થઈશ. આવી રીતે તેના અભિપ્રાયમાં સાતે તત્ત્વો સંબંધી ભૂલ હતી.
સિંહને પૂર્વભવના વેર ને કારણે પણ મુનિરાજ પર ઉપસર્ગ કરવાનો ભાવ આવી શકે એમ છે. આવી સ્થિતિમાં તે તેમને (મુનિરાજને) પોતાનો શત્રુ માનીને પણ વિપરીત અભિપ્રાયનું પોષણ કરી રહ્યો છે.
ભૂંડજ્ઞાની પણ હોઇ શકે અને અજ્ઞાની પણ; કારણ મુનિરાજ પરનો ઉપસર્ગ દૂર કરવાનો ભાવ જ્ઞાની અને ભદ્ર પરિણામી અજ્ઞાની બન્નેને હોઇ શકે છે. જો તેને જ્ઞાની માનવામાં આવે તો તેના અભિપ્રાયમાં એ જ વૃત્તિ
Page #50
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
૪૧
હશે કે “શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છું, મુનિરાજ પરનો ઉપસર્ગ દૂર કરવો મારી ક્રિયા નથી તથા આવો શુભભાવ પણ મારું સ્વરૂપ નથી' - આ પ્રકારના અભિપ્રાય સાથે તેના પરિણામ એવા પ્રકારના થયા કે - “ધન્ય છે આ મુનિરાજ, જે પોતાના સ્વરૂપની સાધના કરી રહ્યાં છે અને ધિક્કાર છે આ સિંહને, જે આવા મહાન ધર્માત્મા પર ઉપસર્ગ કરી રહ્યો છે, ભલે મારા પ્રાણ પણ કેમ ન ચાલ્યો જાય, પરંતુ હું મુનિરાજ પર ઉપસર્ગ નહીં થવા દઉં'.
આમ ભૂંડનો અભિપ્રાય તેના પરિણામો અને ક્રિયાથી ભિન્ન હતો. આ સમ્યફ અભિપ્રાયને કારણે તેને સિંહ સાથે લડતી વખતે પણ આંશિક શુદ્ધતા અને સંવર-નિર્જરા વર્તી રહ્યાં હતાં અને શુભ પરિણામથી દેવાયુનો બંધ થઈ રહ્યો હતો. શુભ બંધમાં તેનાં પરિણામ નિમિત્ત માત્ર હતાં, પણ ક્રિયા તો જડ શરીરમાં થઈ રહી હતી, માટે તે શુભ બંધમાં તેનું કોઇ યોગદાન ન હતું.
જો પેલા ભૂંડને અજ્ઞાની માની લઇએ તો ઉપર જણાવેલ શુભભાવ સાથે તે અભિપ્રાયમાં પોતાને ભૂંડ માની મુનિરાજનો ઉપસર્ગ દૂર કરવાની ક્રિયાનો કર્તા માનતો હતો. આવા વિપરીત અભિપ્રાયને કારણે તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોનો બંધ થઇ રહ્યો હતો, પરંતુ શુભ પરિણામોમાં મરણ થવાથી તે સ્વર્ગમાં ગયો.
આ પ્રમાણે એક વાત અત્યંત સ્પષ્ટ થઇ જાય છે કે ક્રિયા ન તો પાપ-બંધનું કારણ છે, ન પુણ્ય-બંધનું કે ન મુક્તિનું કારણ. ક્રિયા તો ‘પેકિંગ છે અને પરિણામ “માલ” છે. જેવો માલ હશે, તેવું જપેકિંગ કહેવાશે.
ક્રિયા તો પરિણામોની જ અભિવ્યક્તિ છે અર્થાત્ આપણે મનને નિમિત્તે થવાવાળા રાગાદિ ભાવોને વચન અને કાયના માધ્યમથી વ્યકત કરીએ છીએ. વચન અને કાયની ક્રિયાઓ પણ ઇચ્છાઓની પૂર્તિ માટે જ કરવામાં આવે છે.
- મનના વિકલ્પાનુસાર થનાર ક્રિયાઓ આપણા સંયોગ-વિયોગ,
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
યશ-અપયશ વગેરેમાં નિમિત્ત બને છે.
બંધ અને મોક્ષ ની જેમ સુખ-દુ:ખનું વેદન પણ પરિણામો | અનુસાર થાય છે, ક્રિયા અનુસાર નહીં. એનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ આવેલ પ્રકરણમાં કરવામાં આવ્યું છે.
(૨) પરિણામોનો પ્રભાવ :- જો કે પરિણામોનાં ફળનો સંકેત ક્રિયા ના ફળ સાથે કરવામાં આવ્યો છે, છતાં અહીં પરિણામોનાં ફળનું વિશેષ સ્પષ્ટીકરણ કરવાનું યોગ્ય લાગે છે.
ક્રિયાનું ફળ શૂન્ય છે તો પરિણામોનું ફળ શત-પ્રતિશત અર્થાત પૂરે પૂરૂં મળે છે. અહીં પરિણામોનો આશય મુખ્યત: શુભાશુભ ભાવો તથા વીતરાગ ભાવોથી છે, કેમ કે આ ભાવો જ બંધ-મોક્ષ કે દુ:ખ-સુખના કારણ હોય છે. શત-પ્રતિશતનો આશય એમ છે કે જેવા મંદ કે તીવ્ર શુભાશુભ ભાવ થશે તેવા જ મંદ કે તીવ્ર લૌકિક સુખ-દુ:ખ હશે અને તેવી જ કર્મ પ્રકૃતિઓ તેટલાં જ સ્થિતિ-અનુભાગ સહિત બંધાશે. જેટલાં અંશે વીતરાગ પરિણતિ હશે, તેટલું જ અતિન્દ્રિય સુખ મળશે અને એટલા જ અંશે સંવર-નિર્જરા થશે. આ પ્રકારે પરિણામોનું ફળ પૂરૂં મળે છે અને માત્ર ક્રિયાનું ફળ કાંઇ જ નથી. પ્રત્યેક જીવને પોતાના પરિણામોનું ફળ ભોગવવું પડે છે આશયના પ્રમાણોની કોઇ કમી નથી.
-
આ
પરિણામો અનુસાર બંધ-મોક્ષ તો થાય જ છે. લૌકિક સુખ-દુ:ખ પણ પરિણામાનુસાર થાય છે, ક્રિયાનુસાર નહીં. જો ચાર જણ એક સાથે ભોજન કરતા હોય કે ટી. વી. જોતા હોય, તો બધાને એક જેવો આનંદ નહી આવે; પણ જેનો જેવો રાગ હશે, તેવું (ઇન્દ્રિય) સુખનું વેદન તેને થશે.
અનુકૂળ સંયોગો વચ્ચે રહીને પણ જીવ સંકલેશરૂપ પરિણામોમાં દુ:ખનું અને પ્રતિકૂળ સંયોગો વચ્ચે રહીને પણ જીવ મંદકષાયરૂપ ભાવોથી સુખનું વેદન કરે છે.
કોઇ મજૂર કાળી મજૂરી કરી સૂકો રોટલો ખાઇ આનંદનો અનુભવ કરે છે, તથા પથ્થરની શિલા પર પણ ચેનથી ઊંઘે છે. ત્યારે એક શેઠ
Page #52
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૫ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
આલીશાન વાતાનુકૂલ ઘરમાં રહીને પણ ફેક્ટરીની હડતાળની ચિંતાને કારણે વિવિધ પ્રકારની મીઠી વાનગીઓ આરોગવા છતાં ન તો તેમનો આનંદ માણી શકે છે કે ન તો ડનલોપના ગાદલા પર આળોટતા ચેનથી ઊંઘી શકે છે.
૪૩
પરિણામોના અનુકૂળ ક્રિયા હોય કે ન હોય, પરંતુ તીવ્ર કષાયમાં તીવ્ર દુઃખ અને મંદ કષાયમાં મંદ દુ:ખ થાય છે. તીવ્ર દુ:ખ કરતા મંદ દુ:ખ થવાને કારણે આપણે પોતાને સુખી અનુભવીએ છીએ. રાગ-દ્વેષ જ આપણા સુખી-દુ:ખી થવામાં મૂળ કારણ છે. આ પ્રમાણે આપણે પરિણામોથી સુખીદુ:ખી થઇએ છીએ અને તે અનુસાર લૌકિક પ્રવૃત્તિ પણ કરીએ છીએ.
આમ સુખ-દુ:ખનો સંબંધ પણ ઔદયિક પરિણામોથી છે, બાહ્ય સંજોગો અને ક્રિયાઓથી નથી.
પ્રશ્ન :- બાહ્ય ક્રિયાઓનું ફળ શૂન્ય અને પરિણામોનું ફળ શતપ્રતિશત કેમ છે ?
ઉત્તર :- વાસ્તવમાં ક્રિયાનો કર્તા આત્મા છે જ નહી, કારણ બાહ્ય ક્રિયામાં આત્માની અને આત્મામાં બાહ્ય-ક્રિયાઓની નાસ્તિ છે, અર્થાત્ તેઓમાં પરસ્પર અત્યંત અભાવ છે. જયારે ક્રિયાની અપેક્ષાએ આત્માનું અસ્તિત્વ જ નથી, તો તે ક્રિયા નો કર્તા શી રીતે હોઇ શકે છે ? અને જયારે તે ક્રિયાનો કર્તા નથી, તો તેને ક્રિયાનું ફળ ન જ મળે - આ વાત ન્યાય સંગત જ
છે.
પરિણામોનો કર્તા આત્મા જ છે માટે તે જ તેનાં ફળ અર્થાત્ સુખદુ:ખ ભોગવે છે આ વિષયને વિસ્તારથી સમજવા માટે ગ્રંથાધિરાજ સમયસારજીનો કર્તા-કર્મ અધિકાર અને તેની ટીકાનું ઊંડું અધ્યયન-મનન કરવું જોઇએ.
-
પ્રશ્ન :- આત્મા શરીરાદિની ક્રિયાનો કર્તા નથી આ વાત તો નિશ્ચયનયની છે; પણ વ્યવહારનયથી તો તેને કર્તા કહે છે, તો તેને ક્રિયાનું ફળ કેમ મળતું નથી ?
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૪
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
ઉત્તર :- કહેવાનું જ નામ વ્યવહાર છે, અર્થાત્ વસ્તુ-સ્વરૂપ તો નિશ્ચયનયનો વિષય છે. જે નયથી આત્માને શરીરાદિની ક્રિયાનો કર્તા કહેવામાં આવે તે જ નયથી તેને ફળનો ભોકતા પણ કહીશું; પરંતુ અહીં વસ્તુના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે, કથન પદ્ધતિનું નહીં. શરીરાદિની ક્રિયામાં જીવના પરિણામ નિમિત્ત હોય છે તેનું જ્ઞાન કરાવવા વ્યવહાર નયથી જીવને શરીરાદિની ક્રિયાનો કર્તા-ભોક્તા કહેવામાં આવે છે.
(૩) અભિપ્રાયનો પ્રભાવ :- અભિપ્રાયો આપણા જીવનમાં અર્થાત્ બંધ-મોક્ષ, સુખ-દુ:ખ પર શું પ્રભાવ પડે છે – આ વાત અત્યંત ગંભીરતાથી વિચારવા જેવી છે; કારણ અભિપ્રાય, પરિણામોની અપેક્ષાએ અત્યંત સૂક્ષ્મ છે, તથા અત્યંત વ્યાપક તેમજ દૂરગામી છે; અર્થાત અભિપ્રાયનું ફળ પરિણામોથી અનંતગણું છે.
પ્રશ્ન:- અભિપ્રાયનું ફળ પરિણામોની અપેક્ષા એ અનંતગણું કેમ છે?
ઉત્તર :- અભિપ્રાયનું ફળ અનંતગણું એટલા માટે છે કે જો અભિપ્રાયમાં વિપરીતતા હોય તો પરિણામોમાં અનંતાનુબંધી કષાય રહે છે અને અભિપ્રાયની વિપરીતતા મટ્યા બાદ અનંતાનુબંધી કષાય પણ મટી જાય છે.
અભિપ્રાયની વૃત્તિનું વ્યાપક સ્વરૂપ જોવા જઈએ તો તે પરિણામો કરતાં અનંતગણી વધારે હોય છે. પરિણામ સીમિત પદાર્થો પ્રત્યે જસમર્પિત હોય છે, જયારે અભિપ્રાય અનંત પદાર્થોને પોતાનો વિષય બનાવે છે. જો આપણને ભૂખ લાગે તો આપણી ઇચ્છા એક સીમિત પ્રમાણમાં જ ભોજન કરવાની હોય છે અને તેટલાથી જ તૃપ્ત થઈ જાય છે, પરંતુ જો આપણાં અભિપ્રાયમાં એવી માન્યતા હોય કે ભોજનથી સુખ મળે છે, તો પછી હવે સીમિત પ્રમાણનો પ્રશ્ન જ રહેતો નથી; કારણ આપણા અભિપ્રાયમાં અનંત પરપદાર્થો પ્રત્યે સુખબુદ્ધિ છે. તેમજ જો આપણને કોઇ વ્યકિત પર ક્રોધ આવે તો આપણો ક્રોધ તે જ વ્યકિત પુરતો મર્યાદિત રહે છે, પરંતુ જો આપણે
Page #54
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
૪૫
પરપદાર્થો વડે આપણું બૂરું થાય એમ માનીએ તો આપણી માન્યતા (અભિપ્રાય)માં અનંત પદાર્થો માટે દ્વેષ આવે; એ જ કારણ છે કે જ્યાં સુધી. વિપરિત અભિપ્રાય છે, ત્યાં સુધી જીવ અનંત દુ:ખી રહે છે.
જો કે અભિપ્રાય પ્રત્યક્ષરૂપે આપણી ક્રિયાઓને પ્રભાવિત કરતો નથી, પરંતુ તે પરિણામની દિશાને અવશ્ય પ્રભાવિત કરે છે. માટે તે પરોક્ષરૂપે ક્રિયાઓને પ્રભાવિત કરે છે. આપણી સોચ કે માન્યતાનુસાર જ આપણા રાગ-દ્વેષ પરિણામ તથા સુખ-દુ:ખ હોય છે. એક જપરિસ્થિતિમાં કોઈ પોતાને સુખી અનુભવે અને કોઈ દુ:ખી અનુભવે છે.
જો આપણો અભિપ્રાય વસ્તુ સ્વરૂપ અનુસાર છે તો આપણે દરેક પરિસ્થિતિમાં સમાધાન કરી લઇશું. વિપરીત અભિપ્રાય થતાં આપણે થોડીક પ્રતિકૂળતામાં પણ તીવ્ર આકુળતા કરીશું અને તીવ્ર દુ:ખી થઇશું.
આ પ્રકારે અભિપ્રાયનું ફળ પરિણામોથી અનંત ગણું થવું ન્યાય, સંગત છે - એ વાત સરળતાથી સિદ્ધ થઈ જાય છે.
પ્રશ્ન:- જો વિપરીત અભિપ્રાયનું ફળ અનંત દુ:ખ હોય તો વિપરીત અભિપ્રાય મટ્યા બાદ અર્થાત્ સમ્યક્ત્વ થયા બાદ અનંત સુખ કેમ નથી મળતું?
ઉત્તર:- જો કે પરિણામોમાં રાગ-દ્વેષ અને અલ્પજ્ઞતા રહેવાને કારણે અનંત સુખ નથી મળતું; છતાં મિથ્યાત્વજન્ય અનંત દુ:ખનો તો નાશ થઈ જ જાય છે અર્થાત દુ:ખમાં અનંતતા નષ્ટ થઇ જ જાય છે અને અલ્પતા રહી જાય છે.
પ્રશ્ન:- જો ક્રિયાનું ફળ શૂન્ય કહેવામાં આવશે તો લોકો પાપ-ક્રિયાથી જ શા માટે ડરે છે ? શું તેમાં સ્વચ્છંદતાનો પ્રસંગ નહીં આવે ? તથા જિનવાણીમાં પણ પાપ-ક્રિયા છોડવાનો ઉપદેશ કેમ આપવામાં આવે છે?
ઉત્તર:- ક્રિયાની ભાષામાં પણ પરિણામની જ વાત કહેવામાં આવે છે. કારણ કે કથન તો વ્યવવહારની મુખ્યતાથી જ થાય છે અને વ્યવહાર વડે
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
પરમાર્થને જ બતાવવામાં આવે છે. જો એમ કહેવામાં આવે કે રાત્રિભોજન ના કરો તો તેનો આશય એવો જ થશે કે રાત્રિભોજનનો ભાવ પણ ન કરો. તેમજ દર્શન, પૂજન, વ્રતાદિ કરવાનો ઉપદેશ આપવામાં આવે છે તો તેનો આશય એવો થાય કે આવા ભાવ કરો. માટે જે લોકો કથન પદ્ધતિને સમજે છે, તે સ્વછંદી નહીં બને. જિનવાણીમાં પરિણામોનો ઉપચાર ક્રિયા પર કરી પાપક્રિયા છોડવાનો ઉપદેશ આપવામાં આવે છે. માટે ક્રિયાનું ફળ શૂન્ય કહેવા માત્રથી સ્વછંદતાનો પ્રસંગ નહીં આવે, પણ પરિણામનું ફળ મળે છે એવું જાણી પાત્ર જીવ પરિણામ સુધારવાનો ઉપાય કરશે, જેથી કષાય મંદ થશે, અને અનુચિત ક્રિયાનો નિષેધ એની મેળે થઇ જશે.
પ્રશ્ન :- જે કથન પદ્ધતિ નહી સમજે, તે તો સ્વછંદી બની જશે; તેથી ક્રિયાની મુખ્યતાથી કથન જ કરવું ન જોઈએ ?
ઉત્તર:- જેણે આત્મહિતની સાચી ભાવના હોય છે તે જિનવાણીની કથન પદ્ધતિ સમજીને જ તેનો અર્થ કરે છે. જયારે આપણે લૌકિક જીવનમાં પણ કથન નો ભાવ ગ્રહણ કરવાની ચતુરાઇ રાખીયે છીએ; તો આત્મહિત માટે તે ચતુરાઇનો પ્રયોગ કેમ નથી કરી શકતા? જો નથી કરતા તો સમજવું જોઇએ કે આપણને આત્મહિતની સાચી ભાવના નથી, આપણે છલ કરી રહ્યાં છીએ. પોતાની જાતને છેતરીએ છીએ. જેને છેતરાવું છે તેને ગમે તેવી ભાષા કહો તે ઊંધો જ અર્થ કાઢશે. જો એમ કહીએ કે “પાપ ભાવ છોડો' તો પણ તે પાપક્રિયા કરશે જ અને તે કહેશે કે “અમે ભાવ નથી કરતા ક્રિયા કરવાનો નિષેધ તો છે જ નહીં” માટે વ્યવહારની ભાષામાં જ પરમાર્થી સમજાવાય છે, અર્થાત્ ક્રિયાના માધ્યમથી જ પરિણામોની ચર્ચા કરવામાં આવે છે.
જીવ પોતાના અભિપ્રાય અને પરિણામોનું ફળ ભોગવે છે, માટે અભિપ્રાય અને પરિણામ સમ્યફ થાય, એવો પ્રયત્ન કરવો જોઇએ - એ જ પરમાર્થ છે.
તીર્થંકર ભગવંતોની દિવ્ય-દેશના, નિર્ચન્થ સંતો દ્વારા રચિત
Page #56
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
૪૭
વાડમય(જિનવાણી) તેમજ તેની જ પરંપરામાં થયેલા સેંકડો જ્ઞાની વિદ્વાનોએ મિથ્યાત્વને જ સંસારનું મૂળ કારણ પ્રતિપાદિત કરતા સ્પષ્ટ ઘોષણા કરી છે કે અભિપ્રાયની વિપરીતતાનો નાશ થયા વગર અર્થાત્ સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વગર, ધર્મનો અર્થાત્ મુકિતના માર્ગનો પ્રારંભ જ થતો નથી. પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથાથી સાતમા અધિકાર સુધી મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રનું નિરૂપણ કરી અભિપ્રાયની ભૂલનું વિસ્તારથી વિવેચન કર્યું છે. આ ચારેય અધિકારમાં તેમણે મિથ્યાત્વ વિરૂદ્ધસશકત ક્રાંતિનું બિગુલ વગાડ્યું છે. જેની ઝલક આ ચારે અધિકારોના મંગલાચરણમાં જ મળી જાય છે. અહીં ક્રમશ: તે મંગલાચરણ આપ્યું છે તેમાં મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રને માટે મિથ્યાભાવ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
ઇસ ભવ કે સબ દુઃખનિ કે, કારણ મિથ્યાભાવી તિનકી સત્તા નાશ કર, પ્રગટે મોક્ષ અપાવ | અધ્યાય-૪ બહુવિધિ મિથ્યામતનિ કરિ, મલિન ભયો નિજ ભાવા તાકો હોત અભાવ હૈ, સહજરૂપ દરસાવ || અધ્યાય-૫ મિયા દેવાદિ ક ભજે, હો હૈ મિટયાભાવ | તજ તિનકો સાંચે ભજો, યહ હિત-હેત-ઉપાવ | અધ્યાય-૬ ઇસ ભવતરૂ કા મૂલ ઈક, જાનહુ મિથ્યાભાવ ! તાકો કરિ નિર્મુલ અબ, કરિએ મોક્ષ ઉપાવ | અધ્યાય-૭
સાતમા અધિકારના મંગલાચરણમાં મિથ્યાત્વ ને સંસારવૃક્ષના મૂળિયાં બતાવવામાં આવ્યા છે. વૃક્ષના પાંદડાં ફળ-ફૂલ, ડાળીઓ વગેરે બધા અંગો દેખાય છે; પરંતુ તેના મૂળિયાં દેખાતાં નથી; કારણ તે જમીનની અંદર રહે છે. મૂળિયાં દેખાતા નથી છતાં સંપૂર્ણ વૃક્ષનો આધાર તો તે જ છે. મૂળિયાં દ્વારા જ વૃક્ષ પોતાનો ખોરાક લઇ જીવતું રહે છે. આમ જ બાહ્ય અનુકૂળ પ્રતિકૂળ સંયોગ સંસારરૂપી વૃક્ષના પાંદડા તથા ફળ-ફૂલ જેવા છે, શુભાશુભભાવ તેની ડાળિઓ છે અને મિથ્યાત્વ તેના મૂળિયાં છે. બાહ્ય સંયોગ તો દુનિયાને દેખાય છે, ક્રિયાના માધ્યમથી શુભાશુભ પરિણામ પણ
Page #57
--------------------------------------------------------------------------
________________
४८
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
સમજમાં આવે છે, પરંતુ મિથ્યાત્વ દેખાતું નથી. દુનિયા તેનાથી સાવ અપરિચિત છે. આ તો જૈનદર્શનની સર્વાધિક વિશેષતા છે કે તે મિથ્યાત્વને સંસારનું મૂળ કારણ તથા સમ્યકત્વને મોક્ષ તેમજ મોક્ષમાર્ગનું કારણ કહે
છે.
હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ – એ પાંચ પાપોથી તથા તેના અનિષ્ટફળથી દુનિયાના અધિકાંશ લોકો પરિચિત છે અને તેમને ખરાબ જાણી છોડવા પણ ઈચ્છે છે. અન્ય ધર્મોમાં તેમને ખરાબ તો કહ્યાં છે, પરંતુ જૈનદર્શન સિવાય અન્ય કોઈ દર્શનમાં મિથ્યાત્વ વિષે આવું ગહન ચિંતના જોવા મળતું નથી.
હિંસાદિ પાંચપાપડાકુ સમાન છે. જેમ કોઇડાકુને જોઇનાનું બાળક પણ ડરે છે અને જાન બચાવવાનો પ્રયત્ન કરે છે, કારણ તે તેની વેશભૂષા તથા અવાજથી ઓળખી લે છે કે આ ડાકુ છે અને મારે તેનાથી બચવું જોઈએ. તેમજ સામાન્ય માણસ પણ હિંસાદિ પાંચપાપોથી ડરે છે. તેને ખરાબ જાણી છોડવાના પ્રયત્ન પણ કરે છે પણ મિથ્યાત્વ તો ડાકુ નથી બલકે ઠગ છે. ડાકુ ખુલ્લે ખુલ્લી ચેતવણી આપી લૂંટે છે, ત્યારે ઠગ મીઠું-મીઠું બોલી આપણો હિતચિંતક બની લૂંટે છે, પાછળથી વાર કરે છે. સારા સારા બુદ્ધિમાના લોકો પણ ઠગોની જાળમાં ફસાઈને લૂંટાઈ જાય છે, કારણ તે છુપો દુશ્મન છે.
હું મારા વિદ્યાર્થી જીવનમાં નિશાળમાં ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરીને દિવસે એક દેશભક્તિનું ગીત સાંભળતો; જેની પંક્તિઓ સ્મૃતિપટલ પર હંમેશાં અંકિત રહે છે - જે નીચે મુજબ છે.
બિગુલ બન રહા આઝાદી કા ગગન ગુંજતા નારોં સે, મિલા રહી હૈ આજ દેશકી મિટ્ટી નજર સિતારોં સે, એક બાત કહની હૈ લેકિન આજ દેશ કે પ્યારોં સે, જનતા સે નેતાઓ સે ફૌજો કી ખડી કતારોં સે | સહલકે રહેના અપને ઘરમે છિપે હુએ ગદ્દારો સે |
Page #58
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
૪૯
કવિએ સ્વતંત્રતા દિવસના ગૌરવશાળી પ્રસંગમાં દેશની માટીમાં પણ તારાઓ સાથે નજર મેળવવા યોગ્ય સ્વાભિમાનની વાત કરી ‘લેકિન” લગાડી ઘરમાં છુપાએલા ગદ્દારોથી સંભાળીને રહેવાની ચેતવણી પણ આપી છે.
આઝાદી પછીના ભારતીય ઇતિહાસમાં પણ કવિની આ ચેતવણી સત્યની કસોટી પર ખરી ઉતરે છે. આઝાદી બાદ સન ૧૯૬૨માં આપણે જેને મિત્ર સમજતાં હતાં તેણે જ આપણા પર હુમલો કરી પોતાની ગદ્દારીનો પરિચય આપ્યો હતો. શત્રુને મિત્ર સમજવાની મિથ્યા માન્યતા ને કારણે જ આપણે પરાજિત થવું પડ્યું, પરંતુ ત્યારબાદ સન ૧૯૬૫ અને ૧૯૭૧ માં આપણા બીજા પાડોશીએ આક્રમણ કર્યું, પણ તે ખરાબ રીતે પરાજિત થયો, માત્ર પરાજિત ન થયો બલકે તેના બે ટુકડા થઈ ગયા.
આમ આપણો દેશ બહારના શત્રુઓથી તો અપરાજિત છે. છતાં દેશની અંદર છુપાયેલાં દેશદ્રોહી તેને ખોખલો કરી રહ્યાં છે. ૩૧ ઓકટોબર ૧૯૮૪ આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીને તેમના જરક્ષકોએ તેમનાજ ઘરમાં મશીનગનથી ૧૯ ગોળીઓથી વીંધી નાખ્યાં. તેમના પુત્ર વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ માનવ બોંબ બનેલી આ જ દેશની નાગરિક એક સ્ત્રીએ તેમના ચરણોનો સ્પર્શ કરવાનો અભિનય કરતા મારી નાખ્યા હતા. રાષ્ટ્રપિતા ગાંધીજીને પણ ગોડસેએ નમસ્કાર કરી સંતાડી રાખેલ પિસ્તોલથી મારી નાખ્યા હતા. દેશમાં જ છુપાયેલા દેશદ્રોહીના કુકૃત્યોના આથી વધુ દાખલા બીજા શું હોઈ શકે? હત્યા કરનારા દેશદ્રોહી તો છે જ. દેશના રક્ષક બની ભ્રષ્ટાચારથી દેશનું ભક્ષણ કરનારા દેશદ્રોહી પણ ઓછા નથી. વિદેશોમાં સંતાડી રાખેલ પૈસા જો દેશમાં લાવવામાં આવે તો તે ચૂકવીને આપણે વિદેશી દેવામાંથી પૂર્ણત: મુકત થઇ શકીએ છીએ. આવા દેશદ્રોહી રાષ્ટ્રના દરેક વર્ગમાં હાજર છે. નેતા હોય કે અધિકારી, સેના હોય કે પોલીસ સંપૂર્ણ તંત્રમાં છુપાયેલા ગદ્દારો દેશદ્રોહીઓ મોજૂદ છે.
કદાચ એ જ કારણે કવિએ જનતા, નેતાઓ અને ફોજને સંબોધિત કરી લખ્યું છે કે - “સખ્તલ કે રહના અપને ઘરમેં છિપે હુએ ગદ્દારોસે'.
Page #59
--------------------------------------------------------------------------
________________
પ૦
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
ગત વીસમી શતાબ્દીમાં સોનગઢના સંત આધ્યાત્મિક સંપુરૂષ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ ૪૫ વર્ષો સુધી મિથ્યાત્વવિરૂદ્ધ અભૂતપૂર્વ ક્રાન્તિનો શંખનાદ કરી દિગમ્બર જૈન ધર્મના પ્રચાર-પ્રસારના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય રચ્યો છે. તેમની મંગલ વાણીનું રસાસ્વાદન કરવાથી મને જાણ થઇ કે છુપાયેલ ગદ્દારો માત્ર રાષ્ટ્ર અને સમાજમાં જ નથી બલ્ક આપણાં અસ્તિત્વ અર્થાત્ આત્મામાં પણ છે. અસંખ્યાત પ્રકારના મિથ્યાત્વભાવ જ આપણી અંદર છુપાયેલા ગદ્દારો છે, જેમનાથી આ જગત અજાણ છે.
આધ્યાત્મિક સંદર્ભમાં છુપાયેલા શત્રુઓનું સ્વરૂપ સમજવાથી લૌકિક સંદર્ભમાં કહેલ ઉપરોક્ત પંકિતઓનો મર્મ વધુ ઊંડાણથી ભાસિત થવા લાગે છે. આજે લાખો આત્માર્થી ભાઈ-બહેનો યથાર્થ તત્ત્વ-નિર્ણય કરી એ મિથ્યાત્વરૂપી ગુપ્ત શત્રુઓને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સંઘર્ષ કરી રહ્યાં છે. એમ લાગે છે કે આ આધ્યાત્મિક ક્રાન્તિ પંચમકાળના અંત સુધી જીવતી રહેશે.
પ્રશ્ન:- બંધ અને મોક્ષ તો પરિણામોથી થાય છે, છતાં અભિપ્રાયનો મોક્ષમાર્ગ પર શો પ્રભાવ પડે છે? મિથ્યાદષ્ટિ જીવ નરક-નિગોદ અને સ્વર્ગાદિ ચારે ગતિઓમાં ભ્રમણ કરે છે, તો સંસાર ભ્રમણમાં અભિપ્રાયની શું ભૂમિકા છે?
ઉત્તર :- એ સત્ય છે કે મિથ્યાદષ્ટિને ચાર ગતિઓમાં ભ્રમણ કરવા યોગ્ય પરિણામ થાય છે. આનો અર્થ એવો થયો કે અભિપ્રાયની વિપરીતતા હોવા છતાં પરિણામ નવમી ગ્રેવેયક જવા યોગ્ય પણ થઇ જાય છે; પરંતુ જયાં સુધી વિપરીત અભિપ્રાય રહેશે, ત્યાં સુધી ચારેય ગતિઓનું બંધન છે દવા યોગ્ય સંવર-નિર્જરાના વીતરાગી પરિણામ થઇ શકતાં નથી.
વિપરીત અભિપ્રાયની ધરી પર જ શુભાશુભ પરિણામોનું ચક્ર ચાલે
એક ગાય ૧૦ ફૂટ લાંબા દોરડાથી બંધાયેલી છે અને તે દોરડું એક
Page #60
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
પ૧
મજબૂત ખૂટે બંધાયું છે. ૧૦ ફૂટના ઘેરાવામાં તે ગાય સ્વતંત્રતા પૂર્વક હરી ફરી શકે છે. ચાહે તો બેસે, ફરે કે સૂઇ જાય, ખૂટો તેમાં કાંઇ પણ હસ્તક્ષેપ કરશે નહીં. ૧૦ ફૂટના ઘેરાવામાં ફરવામાં દોરડાનો ફાળો છે, ખૂંટાનો નહી; પણ તે ઘેરાવાની બહાર નીકળી શકતી નથી, તેમાં ખૂંટાની જ કમાલ છે. જો ખૂંટો ઉખડી જાય તો તે ગાય ગળામાં દોરડું બંધાયેલ હોવા છતાં ઘેરાવાની બહાર નીકળી જઇ ભાગી જશે.
એ પ્રમાણે આ જીવ શુભાશુભ ભાવરૂપી દોરડાથી બંધાઈ ચારે ગતિઓમાં ઘૂમી રહ્યો છે, પણ દોરડું મિથ્યાત્વરૂપી ખૂંટાથી બંધાયેલું છે, માટે જીવ ચારગતિના ઘેરાવામાંથી બહાર નીકળી શકતો નથી. મિથ્યાત્વનો ખૂંટો ઉખડી જાય ત્યારે તે ઘેરાવામાંથી બહાર આવે છે અર્થાત્ મુક્તિમાર્ગ પ્રારંભ થઇ જાય છે, ભલે હજુ થોડોક વખત પુણ્ય-પાપનું દોરડું બંધાયેલું રહે પરંતુ તેને ઘેરાવાની અંદર બાંધી શકતું નથી અર્થાત્ અનંતાનુબંધી બંધ થતો નથી.
આમ સંસાર ભ્રમણનો અંત ન થવામાં મૂળ કારણ વિપરીત અભિપ્રાય જ છે.
પ્રશ્ન - ૧. આપણા જીવનમાં બાહ્ય ક્રિયાઓનું સ્થાન શું છે ? ક્રિયાનો
પ્રભાવ કેવા પ્રકારે જોવામાં આવે છે? સ્પષ્ટ કરો. ૨. પરિણામોનો પ્રભાવ આપણાં પોતાના જીવનમાં અને
બીજાઓના જીવનમાં કેવા પ્રકારે પડે છે ? ઉદાહરણ સહિતા
સ્પષ્ટ કરો. ૩. એક જ ક્રિયા કરતી વખતે બે જીવોના પરસ્પર વિરૂદ્ધ પરિણામ
કેવા હોઇ શકે છે? ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો.
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૨.
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
૪. અભિપ્રાયનું આપણા જીવનમાં શું સ્થાન છે? તે બીજાઓને
કેવી રીતે પ્રભાવિત કરે છે ? ૫. ક્રિયા, પરિણામ અને અભિપ્રાયથી પ્રાપ્ત થનારા ફળોનું
તુલનાત્મક વિવેચન કરો. ૬. વિપરીત અભિપ્રાયનું ફળ અનંત દુ:ખ કઇ રીતે છે? ૭. શું ક્રિયાનું ફળ શૂન્ય છે? અને જો શૂન્ય હોય તો પાપક્રિયા
છોડવાનો ઉપદેશ શા માટે આપવામાં આવે છે? ૮. સિદ્ધ કરો કે મિથ્યાત્વ છુપાયેલો ગદ્દાર છે? ૯. જીવના ચતુર્ગતિ ભ્રમણમાં પરિણામ અને અભિપ્રાયની ભૂમિકા
સુનિશ્ચિત કરો.
ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા પણ ભોજન-સમયે રસ્તા ઉપર આવી કોઇ મુનિરાજના આગમનની પ્રતિક્ષા કરતા. ને મુનિરાજ પધારતાં પરમ ભકિતથી આહારદાન દેતા. અહા ! જાણે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું હોય, એથી પણ વિશેષ આનંદધર્માત્માને મોક્ષમાર્ગ-સાધક મુનિરાજને પોતાના આંગણે દેખીને થાય છે. પોતાને રાગ રહિત ચેતન્યસ્વભાવની દૃષ્ટિ છે ને સર્વસંગત્યાગની ભાવના છે ત્યાં સાધક ગૃહસ્થને આવા શુભભાવ આવે છે, તે શુભરાગની જેટલી મર્યાદા છે તેટલી તે જાણે છે. અંતરનો મોક્ષમાર્ગ તો રાગથી પાર ચૈતન્યસ્વભાવના આશ્રયે પરિણમે છે. શ્રાવકનાં વ્રતમાં એકલા શુભરાગની વાત નથી. જે શુભરાગ છે તેને તો જૈનશાસનમાં પુણયા કહ્યું છે ને તે વખતે શ્રાવકને સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા વર્તે છે તેટલો ધર્મ છે; તે પરમાર્થવત છે ને તે મોક્ષનું સાધન છેએમજાણવું.
- પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી.
Page #62
--------------------------------------------------------------------------
________________
અહયાય
સમ્યફચારિત્રમાંટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં
ક્રિયા, પરિણામ અને અભિપ્રાય
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ તથા જીવનમાં તેમના પડનારા પ્રભાવોની પૂરતા પ્રમાણમાં મીમાંસા કર્યા બાદ હવે એ મૂળ પ્રકરણ પર વિસ્તારથી ચર્ચા કરવાનો સમય આવી ગયો છે, જેમાં આચાર્યકલ્પ પંડિતપ્રવર ટોડરમલજીએ ત્રણે બિન્દુઓનો ભિન્ન-ભિન્ન અને સ્પષ્ટ ઉલ્લેખ કરતા અભિપ્રાયની ભૂલનું વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે.
મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથના સાતમા અધિકારમાં ચાર પ્રકારના જૈનાભાસી મિથ્યાષ્ટિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્યવહારાભાસી મિથ્યાષ્ટિઓનું પ્રકરણ પ્રારંભ કરતા પૃષ્ઠ ૨૨૨ પર પંડિતજી લખે છે -
“હવે વ્યવહારાભાસ પક્ષના ધારક જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કરીએ છીએ. - જિનાગમમાં જયાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, તેને માની જે બાહ્યસાધનાદિકનું જ શ્રદ્ધાનાદિક કરે છે, તેને ધર્મનાં સર્વ અંગ અન્યથારૂપ થઇ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે તે વિસ્તારથી કહે છે.”
ઉપરોકત ગદ્યાંશમાં કહેલ ‘બાહ્ય સાધનાદિકનું જ શ્રદ્ધાનાદિક’ વાકયાંશ, અભિપ્રાયની વિપરીતતા બતાવે છે. ધર્મના સર્વ અંગ અન્યથારૂપ થઇ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે... - એમ કહી પંડિતજીએ
Page #63
--------------------------------------------------------------------------
________________
પ૪
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
બાહ્ય-ધર્માચરણપર વિપરીત અભિપ્રાયનો આરોપ કરી ક્રિયાઓને જ મિથ્યાભાવ રૂપે પ્રસ્તુત કરી છે.
પ્રશ્ન :- મિથ્યાભાવ શબ્દના અર્થમાં મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સામેલ છે તો આપ મિથ્યાભાવનો અર્થ માત્ર અભિપ્રાય શા માટે કરો છો?
ઉત્તર :- વિપરીત અભિપ્રાય થયા બાદ જ એ ત્રણે મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે, માટે મુખ્યતાની અપેક્ષાએ મિથ્યાભાવ શબ્દનો અર્થ વિપરીત અભિપ્રાય કરવામાં કાંઈ દોષ નથી.
ક્રિયાઓ પર શુભાશુભ પરિણામોનો આરોપ કરી તેમને શુભક્રિયા કે અશુભક્રિયા કહેવાના પ્રયોગોથી તો આખો જિનાગમ ભરેલો છે; પરંતુ ક્રિયાઓ પર વિપરીત અભિપ્રાયનો આરોપ કરી તેમને મિથ્યા કહેવાના પ્રયોગો બહુ ઓછાં છે.
આવી રીતે શુભભાવો પર વિપરીત અભિપ્રાયનો આરોપ કરી તેમને શુભરૂપ મિથ્યા પ્રવૃત્તિ કહેતા તે લખે છે :
અહીં એમ જાણવું કે - વ્યવહારધર્મની પ્રવૃત્તિથી પુયબંધ થાય છે માટે પાપ-પ્રવૃત્તિની અપેક્ષાએ તો તેનો નિષેધ નથી, પણ જે જીવ વ્યવહાર પ્રવૃત્તિ વડે જ સંતુષ્ટ થાય છે અને સાચા મોક્ષમાર્ગમાં ઉદ્યમી થતો નથી, તેને મોક્ષમાર્ગમાં સન્મુખ કરવા માટે તે શુભરૂપ મિથ્યાપ્રવૃત્તિનો પણ નિષેધ નિરૂપણ કરીએ છીએ.”
આ ગઘાંશમાં ‘શુભરૂપ મિથ્યાપ્રવૃત્તિ” શબ્દનો પ્રયોગ શુભભાવા તેમજ શુભક્રિયામાં મિથ્યા અભિપ્રાયનો આરોપ કરીને કરવામાં આવ્યો છે.
પંડિતજીએ વ્યવહારાભાસી મિથ્યાષ્ટિના ચાર પ્રકાર કહ્યાં છે, જે આ પ્રમાણે છે -
(૧) કુળ અપેક્ષા ધર્મધારક વ્યવહારાભાસી -પૃષ્ઠ ૨૨૨ થી ૨૨૪ (૨) પરીક્ષા રહિત આજ્ઞાનુસારી ધર્મધારક વ્યવહારાભાસી
- પૃષ્ઠ ૨૨૪ થી ૨૨૭
Page #64
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ., પ. અને અ.
(૩) સાંસારિક પ્રયોજનાર્થ ધર્મધારક વ્યવહારાભાસી
- પૃષ્ઠ૨૨૭ થી ૨૩૦ (૪) ધર્મબુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી - પૃષ્ઠ ૨૩૦ થી ૨૫૯ એ તો પહેલાં જ કહ્યું છે કે નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ અને ઉભયાભાસ માન્યતા અર્થાત્ અભિપ્રાયની વિપરીતતા છે, ક્રિયા અને પરિણામની નથી. તે ચારે પ્રકારના વ્યવહારાભાસીઓમાં પહેલા અને બીજા ‘ભોળા કે ભદ્ર મિથ્યાદષ્ટિ’ કહેવાય, કારણ તેઓમાં ધર્મ કરવાની ભાવના છે. ત્રીજા પ્રકારના જીવો ધર્મ તો કરવા જ માગતા નથી. પરંતુ આજીવિકા આદિ લૌકિક પ્રયોજનની પૂર્તિ માટે પોતાને ધર્માત્મા બતાવવા ધર્માચરણ કરે છે, માટે તે ‘બેઇમાન મિથ્યાદષ્ટિ' છે.
૫૫
પ્રશ્ન :- જો આજીવિકા માટે ધર્મસાધન કરવું મિથ્યાત્વ હોય તો આજે અનેક સંસ્થાઓમાં જે વિદ્વાન કે અન્ય કર્મચારી વૈતનિક (સવેતન) સેવાઓ આપે છે તે મિથ્યાત્વપોષક કહેવાશે ?
ઉત્તર :- મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં ત્રીજા પ્રકારના વ્યવહારાભાસીઓનું વર્ણન કરતા પંડિત ટોડરમલજીએ મુનિરાજોના સંદર્ભમાં પોતે જ પ્રશ્ન કરી સમાધાન પૃષ્ઠ ૨૨૮ પર કહ્યું છે :
‘તેઓ પોતે કાંઇ આજીવિકાદિનું પ્રયોજન વિચારી ધર્મ સાધતા નથી, પરંતુ તેમને ધર્માત્મા જાણી કેટલાક સ્વયં ભોજન-ઉપકારાદિક કરે છે તો તેમાં કાંઇ દોષ નથી; પણ જે પોતે જ ભોજનાદિકનું પ્રયોજન વિચારી ધર્મ સાધે છે, તે તો પાપી જ છે.’
વાસ્તવમાં આ વ્યવહારાભાસ પણ અભિપ્રાયમાં હોય છે, ક્રિયામાં નહીં. કેટલાક લોકો ‘ખાવા માટે જીવે છે’ અને કેટલાક લોકો ‘જીવવા માટે ખાય છે’, ખાવાની તથા જીવવાની ક્રિયા સમાન હોવા છતાં બન્નેના અભિપ્રાયમાં અંતર છે.
આજીવિકાને માટે ધર્મ સાધન કરવું જુદી વાત છે અને ધર્મ પ્રચારના સંકલ્પપૂર્વક આખું જીવન તેમાં સમર્પિત કરી જીવન-વિતાવવા વેતન વગેરે લેવું જુદી વાત છે. બન્ને પરિસ્થિતિઓમાં અભિપ્રાયમાં અંતર છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
પs
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
આ વાત પણ ઊંડાણથી વિચારવા જેવી છે કે દેવ-પૂજા, સ્વાધ્યાય, સંયમ વગેરે વ્યવહાર ધર્મનું પ્રયોજન તો આત્મહિત પોષક છે જયારે કે સંસ્થાઓની ધાર્મિક પ્રવૃત્તિઓના સંચાલન માટે કાર્ય કરવું વ્યવહાર ધર્મનું અંગ નથી. તે તો ધર્મ પિપાસુજીવો માટે કરવામાં આવેલી સેવા છે. વ્યવહાર ધર્મ તો પ્રત્યેક સાધકના જીવનમાં અનિવાર્યરૂપે સહજ થાય છે, જયારે કે સંસ્થાઓમાં સેવા આપવી અનિવાર્ય વ્યવહારધર્મ નથી. એ વાત અલગ છે કે આત્માર્થી જીવ એ કાર્યોથી પણ માન-લોભાદિનું પોષણ ન કરતા અધ્યાત્મ રસનું જ પોષણ કરે.
ચોથા પ્રકારના જીવો કોઈને બતાવવા નહીં પણ મુક્તિ પ્રાપ્ત કરવા ધર્માચરણ કરે છે, પરંતુ શુભભાવ અને બાહ્ય-ક્રિયામાં ધર્મ માને છે. આ માન્યતા પણ વ્યવહારાભાસ છે. માટે તેઓને ઇમાનદાર મિથ્યાદષ્ટિ' કહી શકાય. ધર્મ ધારક શબ્દ ધાર્મિક ક્રિયા અને શુભ પરિણામનો વાચક છે તથા ‘ધર્મબુદ્ધિ’ શબ્દ તે ક્રિયા અને શુભભાવમાં ધર્મ માનવારૂપ મિથ્યા અભિપ્રાયનો વાચક છે. બાહ્યક્રિયા અને શુભભાવમાં ધર્મ માનવો જ પેકિંગ ને “માલ” માનવા સમાન વિપરીત અભિપ્રાય છે, જેને વ્યવહારાભાસ કહેવામાં આવ્યો છે.
ઉપરના વ્યવહારાભાસી પ્રકરણના સંદર્ભમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં થવાવાળી વિપરીતતાનું વર્ણન કર્યા પછી સમ્યફચારિત્ર માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં થવાવાળી વિપરીતતાનું વર્ણન કરતા પંડિતજીએ ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
પ્રકરણની શરૂઆત કરતા સૌ પ્રથમ ક્રિયા અને પરિણામનું વર્ણન નીચે જણાવેલ વાકયાંશ વડે કર્યું છે.
‘બાહ્ય ક્રિયા પર તો તેમની દૃષ્ટિ છે અને પરિણામ સુધરવાબગડવાનો વિચાર નથી.”
ઉપરના વાકયાંશમાં સ્પષ્ટ કર્યું છે કે સમ્યફચારિત્રની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ વ્યવહારાભાસી જીવ બાહ્ય ક્રિયા પર દ્રષ્ટિ રાખે છે અર્થાત્
Page #66
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ., ૫. અને અ. ૫૭ ચારિત્રવંત શ્રાવક કે સાધુઓ સમાન વ્રત, શીલ, સંયમાદિરૂપ ક્રિયાઓ તેની પણ હોય છે, તે તેને જ ધર્મ માની તેનું નિર્દોષ પાલન કરે છે.
અહીં એ વાત વિશેષ ધ્યાન આપવા યોગ્ય છે કે જેમની ક્રિયા નિર્દોષ અર્થાત્ આગમાનુકૂળ છે, અહીં' તેમના જ પરિણામ અને અભિપ્રાયનું વિશ્લેષણ કરવાનું છે. જેમની ક્રિયાનું જ ઠેકાણું નથી અર્થાત્ જે પાપાચરણથી રંગાયેલા છે - એવા ગૃહસ્થોની તથા જેમનું ધર્માચરણ પણ આગમાનુકૂળ નથી, એવા કથિત ધર્માત્માઓની અહીં વાત નથી.
બાહ્ય ક્રિયાઓનું નિર્દોષ આચરણ કરનારાઓના પરિણામની ચર્ચા કરતાં જ એમ કહ્યું છે કે ‘પરિણામ સુધરવાનો-બગડવાનો વિચાર નથી’. પ્રશ્ન:- પરિણામ સુધરવા કે બગડવાનો શો અર્થ છે ?
ઉત્તર :- આપણું પ્રયોજન દુ:ખ દૂર કરવાનું અને સુખી થવાનું છે, અને મોહ-રાગ-દ્વેષ વગેરે બધા વિકારીભાવો દુઃખરૂપ અને દુ:ખનું કારણ હોવાથી બગડેલાં પરિણામો છે, તથા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વાશ્રિત વીતરાગી પરિણામ સુખરૂપ અને સુખના કારણો હોવાથી સુધરેલા પરિણામ છે. સાધારણ રીતે બગડવા-સુધરવાનો આ જ અર્થ છે. પરંતુ અહીં ક્રિયાના સંદર્ભમાં બગડવા-સુધરવાનો અર્થ કરવો જોઇએ. માટે જેવી ધાર્મિક ક્રિયા થઇ રહી હોય તે સમયે એવા જ ભાવ ન હોવા, તેથી વિપરીત ભાવ હોવા, બગડેલા પરિણામ છે તથા તેવા જ ભાવ હોવા સુધરેલા પરિણામ છે.
પ્રશ્ન :- જો પૂજન કરતી વખતે પ્રવચન સાંભળવાના કે પ્રવચન સાંભળતી વખતે પૂજન કરવાના ભાવ થાય તો તે પરિણામ સુધરેલા ગણાશે કે બગડેલા ?
ઉત્તર :- બન્ને કાર્યમાં અશુભથી બચવાના ઉદ્દેશની પૂર્તિ માટે તેમને બગડતા કહેવામાં સંકોચ થાય છે, પરંતુ ચિત્તની વૃત્તિ ચંચલ થઇ છે - એ અપેક્ષાએ તો બગડેલા જ કહેવાશે, કારણ કે તે પૂજન કરે છે અને ત્યાંથી ચિત્ત ખસીને બીજે ઠેકાણે જાય છે તો તે ભાવોમાં શિથિલતા થઇ. જો કોઇ વિદ્યાર્થી ગણિતના વર્ગમાં અંગ્રેજીની ચોપડી વાંચે તો તે દંડને પાત્ર ઠરશે કે પ્રશંસાને પાત્ર વાસ્તવમાં તે દંડનીય જ હશે. જો તે ગણિતમાં હોશિયાર
Page #67
--------------------------------------------------------------------------
________________
પ૮
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
હોય અને અંગ્રેજીમાં નબળો, તો તેણે ગણિતના અધ્યાપકની રજા (અનુમતિ) લઇ પુસ્તકાલયમાં અંગ્રેજીનું અધ્યયન કરવું જોઇએ; પરંતુ ગણિતના વર્ગમાં બેસી અંગ્રેજી વાંચવાથી ગણિતના વિષયનું તથાગણિતના અધ્યાપકનું અપમાન થશે અને ખોટી પરંપરાને પ્રોત્સાહન મળશે. ગાંધીજીને પણ એકવાર બીમાર પિતાની સેવા કરવા માટે વર્ગમાં ગેરહાજર રહેવાથી દંડ થયો હતો.
પરિણામોના અસંખ્યાત ભેદ હોય છે, માટે ઉપરનું વિવેચન સ્થૂળ દષ્ટિથી કરવામાં આવ્યું છે એવું સમજવું જોઈએ. જો પૂજનમાં કોઇ તત્ત્વની વાત આવે અને મન તેમાં જ રમે તો તે પૂજનની સાર્થકતા થઈ. તે પરિણામ પૂજનના પ્રયોજનના પોષક હોવાથી સુધરેલામાં જ ગણાશે.
પ્રશ્ન:- અભિપ્રાય સુધર્યા વગર પરિણામ સુધરી શકે છે કે નહીં?
ઉત્તર :- અભિપ્રાય સુધર્યા વગર અર્થાત્ સમ્યગ્દર્શન થયા વિના વીતરાગ ભાવ પ્રારંભ જ નથી થતો અર્થાત્ પરિણામ સુધરી શકતા નથી. માટે તો સમ્યગ્દર્શનને મોક્ષમહેલની પ્રથમ સીડી કહેવામાં આવ્યું છે. વ્યવહારિક દૃષ્ટિથી સમ્યક્ત્વ સમ્મુખ મિથ્યાષ્ટિને થનારી તસ્વરૂચિ, આત્મહિતની ભાવના, તત્ત્વ નિર્ણય, સ્વરૂપ સન્મુખતાનો પ્રયત્ન વગેરે શુભભાવોને સુધરેલા પરિણામ કહેવામાં આવે છે. તીવ્ર પાપની અપેક્ષાએ મંદ પાપને પણ સુધરેલા પરિણામ કહે છે, પણ આ બધું ધૂળ /લૌકિક / વ્યવહાર કથન છે.
પ્રશ્ન:- જો ધંધો વ્યાપાર કરતી વખતે તત્ત્વ-ચિંતન કરવા લાગે તો તે પરિણામ બગડેલા કહેવાશે કે સુધરેલા ?
ઉત્તર :- જો વ્યાપારમાં નુકશાનીનું નિમિત્ત હોવાથી તે પરિણામ બગડેલા હોય; તો પણ આત્મહિતની દૃષ્ટિથી તે પરિણામ સુધરેલા જ કહી શકાય. ધંધો-વ્યાપાર, વિષય-કષાય વગેરેના પરિણામોનું બગડવું અર્થાત્ તેમાં મંદતા આવવી, ઉત્સાહ હીન થવું - એમાં જ આત્મહિતના અવસરો
મોક્ષમાર્ગ પ્રકાશકમાં ધર્મબુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસીનું
Page #68
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચાત્રિ માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાંકિ. ૫. અને અ.
૧૯
પ્રકરણ પ્રારંભ કરતાં પહેલાં પંડિત ટોડરમલજીએ વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય પ્રવૃત્તિનું માર્મિક ચિત્રણ કરતાં તેમની ભક્તિ, દાન, વ્રત, પૂજા તથા શાસ્ત્રાભ્યાસ વગેરે ધર્માચરણનું તથા તે સમયે થનારા પરિણામોના સ્વરૂપનું વર્ણન કર્યું છે. પૃષ્ઠ ૨૨૮ પર કરેલું નીચે જણાવેલ વર્ણન વારંવાર વાંચવાયોગ્ય છે.
વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય પ્રવૃત્તિ:“હવે તેમને ધર્મનું સાધન કેવું હોય છે તે અહીં દર્શાવીએ છીએ:
કેટલાક જીવો કુળપ્રવૃત્તિ વડે વા દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે છે, તેમને તો ધર્મદષ્ટિ જ નથી.
જો ભકિત કરે છે તો ચિત્ત તો કયાંય છે, દષ્ટિ ફર્યા કરે છે, તથા મુખેથી પાઠાદિક વા નમસ્કારાદિક કરે છે, પરંતુ તે ઠીક નથી. તેમને “હું કોણ છું, કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, તથા આ પાઠનો શો અર્થ છે?” એ આદિનું કાંઇ ભાન નથી.
કદાચિત કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે, ત્યાં સુદેવગુરૂ-શાસ્ત્રાદિમાં અને કુદેવ-ગુરૂ-શાસ્ત્રાદિની વિશેષ પિછાણ નથી.
વળી તે દાન આપે છે તો પાત્ર-અપાત્રના વિચારરહિત જેમાં પોતાની પ્રશંસા થાય તેમાં દાન આપે છે.
તપ કરે છે તો ભૂખ્યા રહેવાથી જેમ પોતાનું મહંતપણું થાય તે કાર્ય કરે છે; પણ પરિણામોની પિછાણ નથી.
વ્રતાદિક ધારે છે તો બાહ્મક્રિયા ઉપર જ દૃષ્ટિ છે; તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે છે તો કોઇ જૂઠી કરે છે, પણ અંતરંગ રાગાદિભાવ થાય છે તેનો તો વિચાર જ નથી; અથવા બાહ્ય માં પણ રાગાદિક પોષવાનું સાધન કરે છે.
વળી પૂજા-પ્રભાવનાદિ કાર્ય કરે છે તો ત્યાં લોકમાં પોતાની જેમ. મોટાઇથાય વાવિષયકષાયપોષાય તેમ એ કાર્યો કરે છે, તથા ઘણાં હિંસાદિક
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના ઉપજાવે છે.
પણ એ કાર્યો તો પોતાના કે અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કહ્યાં છે, વળી ત્યાં કિંચિત્ હિંસાદિકપણ થાય છે, પરંતુ ત્યાં થોડો અપરાધ થાય અને ઘણો ગુણ થાય તે કાર્ય કરવું કહ્યું છે; હવે પરિણામોની તો ઓળખાણ નથી કે - અહીં અપરાધ કેટલો થાય છે, અને ગુણ કેટલા થાય છે, એ પ્રમાણે નફા-તોટાનું કે વિધિ-અવિધિનું જ્ઞાન નથી.
વળી શાસ્ત્રાભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે, જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, ભણે છે તો પોતે ભણી જાય છે તથા સાંભળે છે તો કહે છે તે સાંભળી લે છે; પણ શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન છે તેને પોતે અંતરંગમાં અવધારતો નથી. ઇત્યાદિક ધર્મકાર્યોના મર્મને પિછાણતો નથી.
કોઇ તો કુળમાં જેમ વડીલો પ્રવર્તે તેમ અમારે પણ કરવું, અથવા બીજાઓ કરે છે તેમ અમારે પણ કરવું, વા આ પ્રમાણે કરવાથી અમારા લોભાદિકની સિદ્ધિ થશે. ઇત્યાદિ વિચારપૂર્વક અભૂતાર્થ ધર્મને સાધે છે.
વળી કેટલાક જીવો એવા હોય છે કે જેમને કંઈક તો કુળાદિરૂપ બુદ્ધિ છે તથા કંઈક ધર્મબુદ્ધિ પણ છે, તેથી તેઓ કંઇક પૂર્વોક્ત પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે, તથા કંઇક આગમમાં કહ્યું છે તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે; એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું હોય છે.'
ઉપરોકત ગાંશથી સ્પષ્ટ થાય છે કે ધર્મનો મર્મ જાણ્યા વિના અર્થાત્ અભિપ્રાયની વિપરીતતા મટ્યા વિના કરવામાં આવેલ ધર્માચરણ કઈક જુદુ અને અંતરંગ પરિણામ કઇક જુદા હોય છે. માટે ધર્મ કરવા માટે સી પ્રથમ વસ્તુસ્વરૂપને યથાર્થ સમજી વિપરીત અભિપ્રાય અર્થાત્ મિથ્યાત્વનો નાશ કરવો જોઈએ.
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા ૪૫ વર્ષો સુધી વસ્તુ-સ્વરૂપ નું ઊંડાણપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. આપણે બધાં તેમના દ્વારા પ્રતિપાદિત તત્ત્વજ્ઞાનના રસીક છીએ તથા યથાશક્તિ તેનો અભ્યાસ પણ કરીએ છીએ. તો પણ આપણે આપણી ક્રિયા અને પરિણામોમાં સમતુલન
Page #70
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ,પ. અને
૬૧
સ્થાપિત કરી શકયા નથી, કારણકે આપણે અભિપ્રાયની વિપરીતતાને ઊંડાણપૂર્વક સમજી શક્યા નથી.
આપણા ભક્તિ, પૂજા, સ્વાધ્યાય વગેરે કાર્યક્રમો જયારે સાર્વજનિક સ્તર પર થાય છે, ત્યારે તો ક્રિયા અને પરિણામોનું અસમતુલન ઘણા જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આપણે એટલો પણ વિવેકરાખતા નથી કે ભગવાન સામે કઈ ભકિત બોલવી જોઈએ અને કઈ ન બોલવી. વાસ્તવમાં જિનપ્રતિમા સામે તેમનો ગુણાનુવાદ જ થવો જોઈએ. પ્રસંગાનુસાર પોતાની લઘુતા અને દોષોનું વર્ણન પણ આવી જાય છે તથા જિનેન્દ્ર ભગવાનથી પોતાના મોહ-રાગ-દ્વેષનો અભાવ થઇ વીતરાગભાવ પ્રગટ થવાની કામના પણ કરવામાં આવે છે; પરંતુ એવું જોવામાં આવે છે કે કોઇ લોકો ભગવાનની સામે ઉભા થઇસ્તવન આદિ રૂપે “અહમિલ્કો ખલુ શુદ્ધો ...' જેવી ગાથાઓ બોલવા લાગી જાય છે. આવી અધ્યાત્મિક ગાથાઓ તો મોઢે કરવા માટે હોય છે, ભગવાનને સંભળાવવા માટે નહીં.
જરા વિચાર કરો કે “જે દિન તુમ વિવેક બિન ખોએ...” અથવા હમતો કબહું ન નિજ ઘર આયે ...” જેવા ઉપદેશાત્મક ભજનો અથવા શુદ્ધાત્મ તત્ત્વના મહિમાનો ઉલ્લેખ કરનારી રચનાઓ શું જિન પ્રતિમા સામે બોલવા યોગ્ય છે? આવી બધી રચનાઓ જુદાં-અલગ બેસી કંઠસ્થ કરવાની તથા શાસ્ત્ર સભાઓમાં પ્રવચનોપરાંત બોલવા જેવી છે.
કદાચ આપણે જિનેન્દ્ર દેવના ગુણાનુવાદ કરતી રચનાઓ ગાઇએ કે બોલીએ ત્યારે પણ આપણે સ્વર, તાલ, વાદ્યયંત્ર, નૃત્ય વગેરેને એટલું બધું મહત્વ આપીયે છીએ કે મૂળભાવનો તે રચનાઓ સાથે કોઇ તાલમેળ જ બેસતો નથી.
ભકિતના એક કાર્યક્રમમાં ઘણા જ ભાવ વિભોર બની તાળીઓ વગાડી વગાડી નીચેના પદો ગવાઇ રહ્યાં હતાં:
હમને તો ઘૂમી ચાર ગતિયાં, ન માની જિનવાણી કી બતિયાં - નરકોમે બહુ દુ:ખ ઉપજાયે, પશુ બનકર બહુ ઠંડે ખાયે ...
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલન
આ ગીત સાથે તીવ્ર-ગતિ થી તબલા, ઢોલક, વગેરે વાદ્યયંત્રો વાગી રહ્યાં હતાં અને એક યુવક તેની લયપર કમર હલાવી હલાવી નાચી રહ્યો હતો.
જરા વિચાર કરો... ઉપરના ગીતના ભાવો સાથે તાળીઓનો અને ઉત્સાહ પૂર્વક ઝૂમી ઝૂમી નાચવામાં કોઈ તાલમેળ છે? આ ગીત ગવાતી વખતે તો ચારેય ગતિના દુ:ખોનું સ્મરણ કરી ખેદ વ્યકત થવો જોઈએ. આને ‘પરિણામ સુધરવાનો-બગડવાનો વિચાર નથી’ એમ ન કહીએ તો શું કહીએ ?
તત્ત્વથી અજાણ ભોળા-ભલા લોકોને નાચ-ગાનમાં જ વધારે આનંદ આવે છે તથા તેમને એવું લાગે છે કે દાનમાં આપેલું ધન વસૂલ થયું છે. આયોજકો પણ વિદ્વાનો પાસેથી એવી જ અપેક્ષા રાખે છે કે પંડિતજી એવો કાર્યક્રમ કરાવે કે લોકોને મજા પડી જાય અને ગંભીરતાથી વિચાર કર્યા વગર પંડિતજીએ પણ એવો કાર્યક્રમ કરાવવો પડે છે કે લોકોને તેમાં મજા આવી જાય અને આયોજકોને વધારેમાં વધારે પૈસા મળે.
મધુર કંઠના ધણી અને સ્વર, તાલના રસિક લોકોના પરિણામ બહુ ઝડપથી મૂળભાવથી વિચલિત થઇ જાય છે. જો પૂજન-પાઠની ધૂન, સ્વર લય વગેરે તેમની ઇચ્છાનુકૂળ ન થાય તો તેમનો મૂડ ખરાબ થઈ જાય છે અને પૂજન-પાઠ સાંભળતી વખતે પણ પરિણામ સંકલેશરૂપ થઇ જાય છે. જો બધું જ તેમની પસંદગી અનુસાર થાય તો તે બધાં તેમાં તન્મય થઇ ભાવ-વિભોર બની પૂજન-પાઠ કરે છે.
પ્રશ્ન:- જો આમ હોય તો લય તાલ, સ્વર, ધુન વગેરે બધું સારામાં સારૂં હોવું જોઇએ, નહીં તો પૂજન-પાઠમાં ભાવો જ નહીં આવે?
ઉત્તર :- અરે ભાઇ ! જરા ગંભીરતાથી તો વિચારો કે ભાવ શેમાં આવે? પૂજનમાં બોલાતા છંદોના અર્થમાં કે મધૂર કંઠ અને સંગીતમાં, અહીં જતો આપણને વિવેકની આવશ્યકતા છે. આપણે તન્મય થઇએ છીએ ગીતસંગીતમાં, કન્દ્રિયોના વિષયમાં અને એમ માની સંતુષ્ટ થઇએ કેપૂજનમાં
Page #72
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં દિ, ૫. અને અ.
૬૩
ઘણો આનંદ આવ્યો. શું આ વિષયાનંદી રૌદ્ર ધ્યાન નથી ? ઘણાંખરાં અવિવેકી લોકો આવા પ્રસંગે એમ પણ કહે છે કે બોલો આજના આનંગ્બો જય” તેઓ એનો પણ વિચાર નથી કરતા કે આ આનંદ થયો છે. તે જય કરવા. લાયક છે કે પરાજય કરવા લાયક?
પ્રશ્ન:- જો આમ હોય તો પૂજનમાં ગીત-સંગીતનો ઉપયોગ જરાય થવો ન જોઇએ?
ઉત્તર:- જયારે આપણે વ્યક્તિગત સ્તરે નિત્ય પૂજન કરીએ છીએ, ત્યારે તો સ્વર તાલ, ગીત સંગીતની આવશ્યકતા જ નથી હોતી. તે સમયે તો આપણો અવાજ પણ એટલો મંદ હોવો જોઇએ કે દર્શન-પૂજન કરનારા અન્ય સાધર્મીઓને ખલેલ ન પડે.
જો પૂજન-વિધાનનો કાર્યક્રમ સામૂહિકરૂપે થઇ રહ્યો હોય, તો તેમનું વાંચન છંદાનુરૂપ તથા સ્વર તાલ સહિત હોવું જોઇએ, કેમ કે જો બેસુર અને બેતાલ અર્થાત્ અવ્યવસ્થિત વાંચન થાય તો શોભશે નહી અને લોકોનું મન પણ લાગશે નહીં તો તેઓ વિકથાઓ કરવા માંડશે. પરંતુ તેને માટે ગાયનવિદ્યામાં ગંધર્વો જેવી કુશલતાની આવશ્યકતાં નથી તથા વાદ્ય-યંત્રોના પ્રયોગની પણ આવશ્યકતા નથી. ગાવા માટે આપણી સામાન્ય બુદ્ધિ અને વગાડવા માટે હાથની તાળિઓ જપૂરતી છે. જો કુદરતે આપણને સારો અવાજ આપ્યો નથી તો આપણે મંદ અવાજમાં બીજાઓ સાથે મળી ગાવું જોઇએ. માઇક પર ગાવાનો લોભ જરાય રાખવો ન જોઇએ.
ઘણાં મોટા કાર્યક્રમોમાં પણ વાદ્ય-યંત્રોનો પ્રયોગ લોટમાં મીઠાના પ્રમાણમાં અર્થાત્ બહુ મંદ અવાજમાં થવો જોઈએ. આજકાલ ઘણે ઠેકાણે એવી પરિસ્થિતી ઉભી થાય છે કે ઉત્સાહી યુવકો મોટા અવાજમાં તબલા, ઢોલક વગાડે છે, જેથી ૪૦-૪૫ વર્ષથી વધારે ઉંમરના લોકોના કાનોમાં તકલીફ થવાથી તેઓ તેનો વિરોધ કરે છે. સ્થિતિ ત્યાં સુધી પહોંચી જાય છે કે યુવાનો તેમની વાત સાંભળતા નથી અને વડીલોને સામુહિક પૂજનમાં આવવાનું ટાળવું પડે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
આજકાલપૂજનનો પ્રત્યેક છંદ અલગ-અલગ ધૂનોમાં ગાવાની ફેશન બની ગઈ છે. તે ધૂન બેસાડવા તે જ ધૂનમાં પ્રચલિત ભક્તિ બોલવામાં આવે છે અને તે ભકિતના બોલ પ્રસંગનુકૂળ પણ હોતા નથી. તે ભકિત પણ સીનેમાના શૃંગાર પોષકગાયનોની ઢાળ પર હોય છે, જેમાં શાલીનતાનો અભાવ હોય છે. પૂજનમાં તપ કલ્યાણકના છંદની ધૂન બેસાડવા જન્મકલ્યાણકની ભક્તિ પણ ચાલે છે. એક પંચકલ્યાણક મહોત્સવમાં પાંડુક શિલાપર જન્માભિષેકના સમયે ઉત્સાહી યુવા મંડળી ગાવા માંડી - “હોલી ખેલે મુનિરાજ અકેલે વનમેં?’ જરા વિચાર તો કરો કે જન્માભિષેકને સમયે આ ગીતનું શું ઔચિત્ય છે. વાસ્તવમાં વારંવાર, ધૂન બદલવાની જરૂર નથી, તે પણ કન્દ્રિય-વિષયના લોભનું પ્રતીક છે.
અહીં ક્રિયા અને પરિણામોની વિસંગતિઓનું વિસ્તારથી વિવેચન એ જ ઉદેશથી કરવામાં આવ્યું છે કે આપણે પૂજા-પાઠના ભાવો પર જ લક્ષ્ય રાખીએ તથા ગીત-સંગીતને અત્યંત ગૌણ રાખી ઉપર કહેલા વિસંગતિઓથી બચીએ.
આવી પરિસ્થિતિઓમાં ક્રિયા અને પરિણામ બન્ને વિકૃત છે, જયારે કે આ પ્રકરણમાં પંડિતજી એવી પરિસ્થિતીઓ બતાવવા માગે છે કે જેમાં ક્રિયા યથાર્થ હોવા છતાં પરિણામ અને અભિપ્રાય વિકૃત બને છે. મોક્ષમાર્ગ પ્રકાશક સાતમા અધિકારના પૃષ્ઠ ૨૪૮ પર ઉપવાસ કરતી વખતે કેવાકેવા પરિણામ થઇ જાય છે - તેનું માર્મિક ચિત્રણ કરવામાં આવ્યું છે :
“કોઈ જીવ પહેલાં તો મોટી પ્રતિજ્ઞા ધારણ કરી બેસે છે પણ અંતરંગમાં વિષયકષાયવાસના મટી નથી તેથી જેમ તેમ કરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ઇચ્છે છે; ત્યાં તે પ્રતિજ્ઞાથી પરિણામ દુ:ખી થાય છે. જેમ કોઈ ઘણા ઉપવાસ આદરી બેઠા પછી પીડાથી દુ:ખી થતા રોગીની માફક કાળ ગુમાવે છે પણ ધર્મસાધન કરતો નથી; તો પ્રથમ જ સાધી શકાય તેટલી જ પ્રતિજ્ઞા કેમ ન લઈએ? દુ:ખી થવામાં તો આર્તધ્યાન થાય અને તેનું ફળ ભલું ક્યાંથી આવશે? અથવા એ પ્રતિજ્ઞાનું દુ:ખ ના સહન થાય ત્યારે તેની અવેજીમાં(બદલામાં) વિષય પોષવા અર્થે તે અન્ય ઉપાય કરે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચાત્રિમાટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ,૫. અને અ.
૬૫
જેમ કે - તરસ લાગે ત્યારે પાણી તો ન પીએ પણ અન્ય અનેક પ્રકારના શીતલ ઉપચાર કરે, વા ઘી તો છોડે પણ અન્ય સ્નિગ્ધ વસ્તુ ઉપાય કરીને પણ ભક્ષણ કરે, એ પ્રમાણે અન્ય પણ જાણવું.'
ક્રિયા અને પરિણામોનો સુમેળ કેવો હોય છે. તેનું દિગ્દર્શન કરાવતા પંડિતજી પાના ૨૫૦ પર લખે છે – સાચા ધર્મની તો આ આમ્નાય છે કે જેટલા પોતાના રાગાદિક દૂર થયા હોય તે અનુસાર જે પદમાં જે ધર્મક્રિયા સંભવે તે બધી અંગીકાર કરે, જો થોડા રાગાદિક મટ્યા હોય તો નીચા જ પદમાં પ્રવર્તે, પરંતુ ઉચ્ચપદ ધારણ કરી નીચી ક્રિયા ન કરે.”
પરિણામોની સુધરવા-બગડવાની ચર્ચા ઉપરાંત પંડિતજી લખે છે .....અને પરિણામોનો પણ વિચાર હોય તો જેવાપોતાના પરિણામ થતા દેખાય તેના પર જ દષ્ટિ રહે છે, પરંતુ તે પરિણામોની પરંપરાનો વિચાર કરવા પર અભિપ્રાયમાં જે વાસના છે, તેનો વિચાર કરતા નથી.”
ઉપર કથન કરેલ ગયાંશમાં ‘પરિણામોની પરંપરા' અને અભિપ્રાયની વાસના” એ બે શબ્દો વિચારણીય છે.
પરિણામોની પરંપરા :- પરિણામોની પરંપરાનો આશય તે મૂળ નિયંત્રણ બિન્દુનો છે જે પરિણામોને પોતે સંચાલિત કરે છે. પરંપરાનું સ્વરૂપ સમજવા આપણે એવો વિચાર કરવો જોઇએ કે આપણાં આ શુભાશુભ પરિણામો શા માટે થઇ રહ્યાં છે? તેનો જે જવાબ આવશે તે પરિણામોની પરંપરા અર્થાત્ અભિપ્રાયની વાસના બતાવનારો હશે. જો કદાચ તે જવાબથી અભિપ્રાયનું સ્વરૂપ સ્પષ્ટ ન થાય, તો ફરી ફરીને પ્રશ્નચિન્હ લગાવો કે આમ શા માટે થઇ રહ્યું છે? આ પ્રક્રિયાને બે ચાર વાર અપનાવવાથી પરિણામોની ઘડિઓ નીચે છુપાયેલો અભિપ્રાય સ્પષ્ટ થતો જશે.
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા બતાવતી વખતે તે પ્રક્રિયાને ધન કમાવાના ઉદાહરણથી સમજાવ્યું છે. અહીં પાછું એક વધુ ઉદાહરણ આપી તેને વધારે સ્પષ્ટ કરવામાં આવે છે :
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૬
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
માનો કે કોઇ વ્યક્તિ દરરોજ જિનેન્દ્ર-પૂજન કરે છે. તે સંબંધે તેને પૂછવામાં આવેલા પ્રશ્નોત્તરોનું સ્વરૂપ કંઇક આવું હશે :
પ્રશ્ન :- આપ પ્રતિદિન પૂજન કેમ કરો છો? ઉત્તર :- મારો દરરોજ પૂજન કરવાનો નિયમ છે માટે કરૂં છું. પ્રશ્ન:- આપે નિયમ શા માટે લીધો?
ઉત્તર :- મારા પિતાશ્રી અંતિમ સમયે કહી ગયાં હતાં કે આ મંદિર / વેદી પૂર્વજોએ બનાવડાવી છે, માટે અહીં રોજ પૂજન કરવું ! માટે અમે આ નિયમ લીધો છે.
પ્રશ્ન:- શું આપ પૂજય અને પૂજાના સ્વરૂપ વિષે કંઇ જાણો છો?
ઉત્તર :- અમને તે જાણવાની ફૂરસદ જ ક્યાં મળી છે, આ બધું જાણવું તો આપ જેવા પંડિતોનું કામ છે. અમે તો અમારા નિયમનું પ્રામાણિકતાથી પાલન કરીએ છીએ.
ઉપરોકત પ્રશ્નોત્તરથી સ્પષ્ટ થાય છે કે તે વ્યકિત્ત માત્ર નિયમપાલનમાં જસંતુષ્ટછે. તત્ત્વ સમજવાથી તેને કોઈ પ્રયોજન નથી. આ સંતોષ અને અનદ્યવસાય ભાવ જ તેનો વિપરીત અભિપ્રાય છે.
ઉપરના પ્રશ્નોત્તરનું બીજું રૂપ આ પ્રમાણે પણ હોઇ શકે છે:પ્રશ્ન :- આપ પ્રતિદિન પૂજન શા માટે કરો છો? ઉત્તર :-પાપથી બચવા તથા પુણ્ય કમાવા માટે કરીએ છીએ.
પ્રશ્ન :- આપ પાપથી કેમ બચવા માગો છો અને પુણ્ય શા માટે કમાવા ઇચ્છો છો ?
ઉત્તર:-પાપના ફળથી નરકાદિ ગતિઓમાં દુ:ખ ભોગવવું પડે છે, માટે અમે તેનાથી બચવા ઇચ્છીએ છીએ; તથા પુયથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે અમે પુણ્ય કમાવા ઇચ્છીએ છીએ.
ઉપરના પ્રશ્નોત્તરથી સ્પષ્ટ થાય છે કે તે જીવ પ્રતિકૂળ સંયોગોમાં
Page #76
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ, ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાંકિ, ૫. અને અ.
૧૭
દુ:ખ તથા અનુકૂળ સંયોગોમાં સુખ અને પુણ્યભાવમાં ધર્મ માને છે. આ માન્યતા જ અભિપ્રાયની વિપરીતતા છે.
જો સમ્યગ્દષ્ટિને આ પ્રશ્ન પુછવામાં આવે તો તેમનો ઉત્તર હશે - અરહંત ભગવાન પૂર્ણ વીતરાગી અને સર્વજ્ઞ છે, તેમના ગુણગાનના માધ્યમથી તેમનો સમાગમ કર્યા વિના મારાથી રહેવાતું નથી, કારણ કે તેમના સમાગમથી મને પોતાના સ્વરૂપની રૂચિ પુષ્ટ થાય છે. માટે મને તેમનાં દર્શન-પૂજનનો ભાવ સહજ જ આવે છે; આવ્યા વગર રહેતો નથી.
જ્ઞાનીના ઉત્તરમાં પણ તેમના સ્વરૂપની રૂચિ તથા શુભભાવનું સહજ જ્ઞાતૃત્વ (અકર્તુત્વ) ઝળકે છે, એ જ સમ્યફ અભિપ્રાય છે.
આ પ્રમાણે જો આપણે સમસ્ત શુભાશુભ પરિણામોની પરંપરાનો વિચાર કરીએ તો તેમના તળિયે રહેલ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વો સંબંધે આપણી માન્યતા સ્પષ્ટ થઇ જશે અને તે જ આપણો યથાર્થ કે અયથાર્થ અભિપ્રાય હશે.
પ્રશ્ન:- આપણો અભિપ્રાય યથાર્થ છે કે અયથાર્થ ? તેનો નિર્ણય કેવી રીતે થઇ શકશે ?
ઉત્તર:- જિનાગમમાં વર્ણવાયેલી વસ્તુ-સ્વરૂપની કસોટી પર કસી જોતાં આપણને જાણ થઇ જશે કે આપણો અભિપ્રાય યથાર્થ છે કે મિથ્યા છે. જો આપણો અભિપ્રાય જિનાગમ પ્રણીત વસ્તુ-સ્વરૂપાનુસાર હોય તો તે યથાર્થ હશે અને જો વસ્તુ-સ્વરૂપથી વિપરીત હોય તો તે મિથ્યા હશે.
પોતાને શરીર અને રાગાદિથી ભિન્ન, તેમનો અકર્તા, તથા સહજ જ્ઞાતા માનવાવાળો અભિપ્રાય સમ્યફ છે, યથાર્થ છે તથા તેથી વિપરીત પોતાને શરીરાદિમય માનવાવાળો અભિપ્રાય અયથાર્થ અર્થાત મિથ્યા છે.
અભિપ્રાયની વાસના:- જો કે અભિપ્રાયના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરતા તેને વિષે ઘણું બધું કહેવામાં આવી ગયું છે; અભિપ્રાયને જાણવા ઓળખવાની પ્રક્રિયા પણ બતાવાઇ ગઇ છે; તો પણ પંડિતજીએ
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૮
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
પરિણામોની પરંપરા’ નો વિચાર કરવા પર “અભિપ્રાયની વાસના' ને ન જાણવાની વાત કરી છે, માટે આ શબ્દના ભાવને વધારે ઊંડાણપૂર્વક સ્પષ્ટ કરવો અપેક્ષિત છે.
અભિપ્રાયની વાસના” નો આશય આપણી વિપરીત માન્યતાનો જ છે. જો કે લોકમાં “વાસના” શબ્દનો પ્રયોગ મનની ઊંડાઇમાં પડેલી ભોગોની અભિલાષા દર્શાવવા માટે કરવામાં આવે છે છતાં અહીં ‘વાસના” શબ્દનો પ્રયોગ સાતે તત્ત્વો સંબંધીની વિપરીત માન્યતાના અર્થમાં કરી પંડિતજીએ તેને ઘણું જ વ્યાપક સ્વરૂપ આપ્યું છે.
. પ્રશ્ન:- એ કેમ સિદ્ધ કરાય કે પંડિત ટોડરમલજીએ “અભિપ્રાયની વાસના” શબ્દનો પ્રયોગ સાતે તત્ત્વો સંબંધીની ભૂલના અર્થમાં કર્યો છે?
ઉત્તર :- મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં પાના ૨૫૧ - ૨૫૯ સુધી દ્રવ્યલિંગી મુનિના અભિપ્રાયનું સ્વરૂપ સ્પષ્ટ કરવા પંડિતજીએ તેમના મિથ્યાત્વનું જ વર્ણન કર્યું છે, માટે આ વાત એની મેળે જ સિદ્ધ થઇ જાય છે. પ્રસંગાનુસાર આગળ પણ તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવશે.
અભિપ્રાયની વાસના' સમજવા માટે નીચે જણાવેલ ઉદાહરણ વધારે ઉપયોગી સિદ્ધ થશે.
એક વ્યક્તિને મધુપ્રમેહ (ડાયાબીટીસ) નો રોગ થયો હતો. ડૉકટર વડે સખત ચેતવણી અપાતા તેણે મીઠાઇ, ગળ્યાં ફળો વગેરે બધું જ ખાવાનું બંધ કરી દીધું.
જો કે તેની મીઠાઇ ખાવાની ક્રિયા તો બંધ થઇ ગઇ તો પણ પહેલાની ટેવ હતી, માટે તેને મીઠાઇ ખાવાની ઇચ્છા તો જરૂર થતી હતી; અર્થાત્ મીઠાઇ ખાવાની ક્રિયા થતી ન હતી, પરંતુ પરિણામ (ઈચ્છા) અવશ્ય થતા હતા.
ઘરવાળાઓનો વારંવાર ઠપકો મળતા તથા મૃત્યુના ભયથી મીઠાઇ ન ખાવાથી થોડા જ દિવસોમાં જાણે તે મીઠાઇનો સ્વાદ જ ભૂલી ગયો. હવે મીઠાઇની યાદ પણ આવતી ન હતી, ખાવાની ઇચ્છા અને ક્રિયાની તો વાતા જ શું કરવી ? અર્થાત્ હવે મીઠાઇ ખાવાની ક્રિયા અને પરિણામ બન્ને બંધ
Page #78
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ.ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ, ૫.અને અ.
૧૯
થઇ ગયાં હતાં.
એકવખત તે કોઇપ્રીતિ-ભોજનમાં ગયો. જયારે તેને મીઠાઇ ખાવાનો આગ્રહ કરવામાં આવ્યો ત્યારે તેણે દ્રઢતાપૂર્વક ના કહેતાં તેને પૂછવામાં આવ્યું કે શું વાત છે, મીઠાઇ પસંદ નથી કે શું? ત્યારે તે બોલ્યા “શું કહ્યું ભાઈ! કયારેક મારા પણ એવા દિવસો હતા જયારે ઓછામાં ઓછી પા કીલો મીઠાઇ વગર જમવાનું ભાવતું ન હતું, પણ હવે જીવ બચાવવાની મજબૂરી છે, માટે મીઠાઇ ખાવાનો વિચાર પણ આવતો નથી.'
જરા વિચાર કરો ! મીઠાઇ ખાવાની જરાય ઈચ્છા ન હોવા છતાં પણ તે વ્યકિતને મીઠાઇપસંદ છે કે નહીં? તો મીઠાઈ ખાવામાં આનંદમાને છે કે નહીં?મીઠાઇ ખાવામાં તેની સુખ બુદ્ધિ જ અભિપ્રાયની વાસના છે. જો કે તે મીઠાઇ ખાતો નથી, મીઠાઇ ખાવાનો રાગ પણ નથી, પરંતુ મીઠાઈ ખાવામાં સુખ છે - એવી માન્યતા મટી નથી, અર્થાત્ અભિપ્રાયમાં વાસના વિદ્યમાન
છે.
આવી પરિસ્થિતિ માત્ર ડાયાબીટીશ વાળાઓની કે બીમાર લોકોની જ હોય છે - એવું નથી. અનેક પ્રસંગોમાં આપણી બધાની આવી જ સ્થિતિ હોય છે. જયારે આપણે ભરપેટ ભોજન કર્યું હોય ત્યારે આપણી ભોજના કરવાની ઇચ્છા જરાય હોતી નથી. જો કોઇ બહુ આગ્રહપૂર્વક જબરદસ્તીથી એકાદ રસગુલ્લું ખવડાવે તો આપણને બહુ કષ્ટ થાય છે, માટે આપણે વિનમ્રતાપૂર્વકના પાડીએ છીએ. આવી સ્થિતિમાં શું આપણને ભોજન પ્રત્યે દ્વેષ થઇ ગયો છે? શું આપણે તે સમયે ભોજન કરવામાં સુખ નથી માનતા? ચોક્કસ માનીએ છીએ. આપણી ભોજન કરવાની ઇચ્છા હોય કે નહીં ? આપણે ભોજન કરીએ કે નહીં? પરંતુ ભોજનમાં સુખ છે – આપણી એ માન્યતા નિરંતર કાયમ રહે છે. આ જ છે અભિપ્રાયની વાસના.
ભોજનની જેમ જ પંચેન્દ્રિયોના સમસ્ત વિષયોમાં સુખબુદ્ધિ તથા વ્રત, શીલ, સંયમ વગેરે ધર્માચરણમાં ધર્મબુદ્ધિ હોવાથી આપણી એવી જ સ્થિતિ છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
(90
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
સમ્યફચારિત્રના સંદર્ભમાં પરિણામ અને અભિપ્રાય
અહીં વિષય-ભોગોની ક્રિયા અને પરિણામના સંદર્ભમાં અભિપ્રાયની ચર્ચા કરવાનું પ્રકરણ નથી. અહીં તો જેને સમ્યફચારિત્ર કહેવામાં આવે છે, એવી ક્રિયા અને તદાનુકૂળ મંદ કષાયરૂપ પરિણામો પાછળ અભિપ્રાયની વાસનાનું વિશ્લેષણ કરવાનું પ્રકરણ છે; કારણકે તેને જ લઇને આ જીવા મહાવ્રતોનું નિર્દોષ આચરણ તેમજ તે અનુસાર મહામંદકષાયરૂપ પરિણામ થયા બાદ પણ મિથ્યાદૃષ્ટિ જ રહે છે, મોક્ષમાર્ગી નથી બની શકતો.
જો આપણને સંસારના દુ:ખોથી છૂટવાની ઊંડી ખેવના હોય, શાશ્વત અતિક્રિય આનંદ પ્રાપ્ત કરવાની અત્યંત લગની હોય તો આપણે અભિપ્રાયની વાસના અર્થાત્ મિથ્યા માન્યતાઓનું સ્વરૂપ સમજી યથાર્થ તત્ત્વશ્રદ્ધાન વડે તેનો સમૂળગો ક્ષય અવશ્ય કરવો જોઇએ. યથાર્થ તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોવાથી જ સમ્યફચારિત્ર થાય છે અને તેની પૂર્ણતા થયા બાદ જ મુક્તિ મળે છે.
પંડિત ટોડરમલજીએ સમ્યફચારિત્ર માટે વ્યવહારાભાસીઓં દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં વિપરીતતાનું વર્ણન કરતા નીચે કહેલ બે પ્રકારની પરિસ્થિતિઓનું ચિત્રણ કર્યું છે :
(અ) જયારે ક્રિયા તો સમ્યફચારિત્ર જેવી છે, પરંતુ પરિણામોમાં વિષયકષાયનો સદ્ભાવ હોય અર્થાત્ શુભભાવ પણ ન હોય, તથા અભિપ્રાયમાં વિપરીતતા હોય.
(બ) જયારે ક્રિયા તો શાસ્ત્રોક્ત હોય અર્થાત્ અણુવ્રત-મહાવ્રતાદિક નું નિર્દોષ પાલન હોય અને પરિણામ પણ તે ક્રિયાને અનુરૂપ મહામંદકષાયરૂપ હોય; પરંતુ અભિપ્રાયમાં પરદ્રવ્યોમાં એકત્વબુદ્ધિ, મમત્વબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ, ભોકતૃત્વબુદ્ધિ તથા વિષયોમાં સુખબુદ્ધિ હોય.
અહીં ઉપર જણાવેલા બન્ને પરિસ્થિતિઓનું વિશ્લેષણ સાતમા અધિકારના વ્યવહારાભાસી પ્રકરણમાં કરવામાં આવેલ “સમ્યફચારિત્રનું
Page #80
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-:. ચારિત્ર માટેકરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાંકિ, ૫. અને અ. ૭૧ અન્યથા સ્વરૂપ” ના વિવેચનને આધારે કરવામાં આવી રહ્યું છે.
પરિણામો અને અભિપ્રાયની વિપરીતતા.
અહીં પરિણામોની વિપરીતતાનો આશય ક્રિયામાં થનારા શુભાચરણથી વિપરીત અજ્ઞાન અને કષાયરૂપ પરિણામોનો છે. આવી પરિસ્થિતિનું ચિત્રણ કરતાં પંડિતજી મોક્ષમાર્ગ પ્રકાશકના પૃષ્ઠ ૨૪૮ પર લખે છે :
“કોઈ જીવ તો કુળક્રમથી વા દેખાદેખીથી કે ક્રોધ-માન-માયાલોભાદિકથી આચરણ કરે છે તેમને તો ધર્મબુદ્ધિ જ નથી તો સમ્યફચારિત્ર તો કયાંથી હોય ? એ જીવોમાં કોઇ તો ભોળા છે તથા કોઈ કષાયી છે. હવે જયાં અજ્ઞાનભાવ અને કષાય હોય ત્યાં સમ્યફચારિત્ર હોતું જ નથી”
ઉપરોકત ગદ્યાંશમાં ‘કુળક્રમથી અથવા દેખાદેખી’ શબ્દ વડે અભિપ્રાય તરફ તથા “આચરણ કરે છે એવું કહી ધર્મ ક્રિયા તરફ સંકેત કરવામાં આવ્યો છે. આવા જીવો ધર્માચરણ તો કરે છે અર્થાત્ ચારિત્ર કહી શકાય તેવી ક્રિયા તો કરે છે પરંતુ તેમને અજ્ઞાન અને કષાય વિદ્યમાન છે. અજ્ઞાન અર્થાત્ વિપરીત અભિપ્રાય અને કષાય અર્થાત્ વિપરીત પરિણામ હોવાથી ક્રિયા હોવા છતાં પણ તેમને ચારિત્ર હોતું નથી.
આવા લોકો માત્ર ક્રિયાના આગ્રહી હોવાથી જેમ-તેમ ક્રિયાની પ્રતિજ્ઞા પૂરી કરવા માગે છે અને તેમના પરિણામ દુ:ખી થઇ જાય છે. જેમ કોઈ જીવ ઉપવાસની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞાનો નિર્વાહ કરતા તેને કેવા પરિણામ થાય છે - તેનું ચિત્રણ કરતા પંડિતજી લખે છે :
‘કોઈ જીવ પહેલાં તો મોટી પ્રતિજ્ઞા ધારણ કરી બેસે છે પણ અંતરંગમાં વિષય-કષાયવાસના મટી નથી તેથી જેમ તેમ કરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ઇચ્છે છે; ત્યાં તે પ્રતિજ્ઞાથી પરિણામ દુઃખી થાય છે. જેમ કોઇ ઘણાં ઉપવાસ આદરી બેઠા પછી પીડાથી દુ:ખી થતો રોગીની માફક કાળ ગુમાવે છે પણ ધર્મસાધન કરતો નથી; તો પ્રથમથી જ
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલન
સાધી શકાય તેટલી જ પ્રતિજ્ઞા કેમ ન લઈએ ? દુ:ખી થવામાં તો આર્તધ્યાન થાય અને તેનું ફળ ભલું કયાંથી આવશે?
આવા લોકો પોતાની પીડા દૂર કરવા વિષય-પોષણના અનેક ઉપાય કરે છે. જેમ તરસ લાગવા પર પાણી ન પીએ, પરંતુ બરફની પટ્ટી રાખશે ભોજનમાં ઘી નહીંખાય તો બીજા ચિકણાં સ્નિગ્ધ પદાર્થોનું સેવન કરશે. તે લોકોની દશા એવી થઈ જાય છે કે એક ધર્મ-ક્રિયાની પૂર્તિ માટે તે બીજી પાપ-ક્રિયાઓ પણ કરે છે. પંડિતજીએ નીચેની પંકિતઓમાં તેનું માર્મિક ચિત્રણ કરતા લખ્યું છે:
અથવા પ્રતિજ્ઞામાં દુ:ખ થાય ત્યારે પરિણામ લગાવવા માટે કોઈ આલંબન વિચારે છે; જેમ કોઇ ઉપવાસ કરી પછી ક્રીડા કરવા લાગે છે, કોઈ પાપી જુગારાદિ કુવ્યસનમાં લાગે છે, તથા કોઈ સૂઈ રહેવા ઇચ્છે છે, એ એમ જાણે છે કે કોઈપણ પ્રકારથી વખત પૂરો કરવો. એ જ પ્રમાણે અન્ય પ્રતિજ્ઞામાં પણ સમજવું.” - “અથવા કોઈપાપી એવા પણ છે કે પહેલાં તો પ્રતિજ્ઞા કરે પણ પછી તેનાથી દુ:ખી થાય ત્યારે તેને છોડી દે, પ્રતિજ્ઞા લેવી-મૂકવી એ તેને ખેલ માત્ર છે. પણ પ્રતિજ્ઞા ભંગ કરવાનું તો મહાપાપ છે, એ કરતાં તો પ્રતિજ્ઞા ન લેવી જ ભલી છે.”
આ પ્રકારે અજ્ઞાની જીવો વડે કોઇ એક ધર્મ-ક્રિયાના પાલન માટે પરિણામોમાં આર્તધ્યાન, વિષય-કષાયની તીવ્રતા તથા અન્ય અનેકપાપક્રિયાઓ પણ કરવામાં આવે છે.
આખરે આમ શા માટે થાય છે?પરિણામોમાં આટલી વિકૃતિઓ શા માટે થઇ જાય છે? એનું કારણ એ છે કે તેઓ સમ્યફચારિત્રનું ખરૂં સ્વરૂપ તો જાણતા નથી અને માત્ર ક્રિયામાં ધર્મ માને છે. તેઓ સમજે છે કે જાણવામાં શું છે? કંઇક કરીશું તો ફળ મળશે. માટે તે તત્ત્વજ્ઞાનનો ઉપાય નથી કરતા અને વ્રતાદિ ક્રિયાનો જ પ્રયત્ન કરે છે. તેમના અભિપ્રાયની આ વિપરીતતાને કારણે જ તેઓના પરિણામોની આવી દશા થાય છે. તેઓના આવા જ
Page #82
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ., ૫. અને અ.
પરિણામોનું ચિત્રણ પંડિતજીએ મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૪૯-૨૫૧ પર કર્યું છે; જેનો સાર નીચે મુજબ છે :
-
93
(૧) અંતરંગમાં વિરક્તિ ન હોવાથી તે પ્રતિજ્ઞાની પહેલાં અને પછી તે વિષયને અતિ-આસકતી પૂર્વક સેવન કરે છે, જેમ ઉપવાસની પહેલા અને પછી અતિ-લોભી થઇને ગરિષ્ઠ ભોજનાદિ કરે છે. જેમ કોઇ સ્થાન પર રોકવામાં આવેલા જળને ફરીથી છોડવામાં આવે ત્યારે તે અત્યંત તેજ ધારાથી વહેવા લાગે છે -એવી દશા તેઓના પરિણામોની થઇ જાય છે.
(૨) તેઓ કોઇ વેળા તો મોટો ધર્મ આચરે છે અને કોઇ વેળા અધિક સ્વચ્છંદી થઇ પ્રવર્તે છે. જેમ કોઇ ધર્મપર્વમાં તો ઘણા ઉપવાસાદિક કરે છે ત્યારે કોઇ ધર્મપર્વમાં વારંવાર ભોજનાદિ કરે છે; ભાદરવા માસના દશલક્ષણ પર્વમાં ભક્તિ, પૂજન વગેરે ઘણા કરે છે પરંતુ મહા તથા ચૈત્રના દશલક્ષણ તેમજ અષ્ટાકિા વગેરે પર્વોમાં અનર્ગલ (અંકુશ વિનાની) પ્રવૃત્તિ કરે છે.
(૩) તેઓ કોઇ ક્રિયા અતિ ઊંચી અંગીકાર કરે છે અને કોઇ ક્રિયા અતિ નીચી કરે છે. જેમ કે - ધનાદિકનો ત્યાગ કરે છે, પરંતુ સ્વાદિષ્ટ ભોજન કરે છે; તથા આકર્ષક વસ્ત્રાદિ પહેરે છે અથવા સ્ત્રીસેવનાદિનો ત્યાગ કરીને પણ ખોટા વ્યાપારાદિક લોક-નિધ કાર્ય કરે છે.
આવા લોકોને અવિવેકી ઘોષિત કરતાં પંડિતજી કહે છે કે તેમને સમ્યચારિત્રનો આભાસ પણ હોતો નથી.
ક્રિયા અને પરિણામોનું સમતુલન રાગાદિ દૂર થવાથી જ થઇ શકે છે. પંડિતજીએ આવી સમતુલિત સ્થિતિનું ચિત્રણ મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૫૦ પર કર્યું છે. જેનો ઉલ્લેખ આ પહેલાં પણ કરી ચૂક્યા છીએ :
‘સાચા ધર્મની તો આ આમ્નાય છે કે - જેટલા પોતાના રાગાદિક દૂર થયા હો તે અનુસાર જે પદમાં જે ધર્મક્રિયા સંભવે તે બધી અંગીકાર
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૪
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલન
કરે, જો થોડા રાગાદિક મટ્યા હોય તો નીચા જ પદમાં પ્રવર્તે, પરંતુ ઉચ્ચપદ ધરાવી નીચી ક્રિયા ન કરે.”
પ્રશ્ન :- ક્રિયા અને પરિણામનું આવું સંતુલન કેવી રીતે થાય છે?
ઉત્તર :- વાસ્તવમાં અભિપ્રાયની વિપરીતતા મટ્યા પછી અર્થાત્ સમ્યગ્દર્શન થયા બાદ ભૂમિકા અનુસાર પરિણામ અને ક્રિયા સહજ થાય છે, મંદ કષાયી મિથ્યાદષ્ટિજીવને પણ કષાયોની મંદતા હોવાથી તદ્દાનુકૂળ બાહ્ય ક્રિયા પણ સહજ જ થાય છે. આ પ્રમાણે યથાર્થ અભિપ્રાયને નિમિત્તે પરિણામોમાં આંશિક શુદ્ધિ તથા મંદકષાયરૂપ પરિણામોને નિમિત્તે ક્રિયા પણ ધર્માચરણરૂપ થઇ જાય છે. જો કે આ ત્રણે સ્વતંત્ર અને પરસ્પર નિરપેક્ષ છે; તો પણ તેમાં એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ સહજ થાય છે.
મંદ કષાયને નિમિત્તે વ્રતાદિરૂપ ક્રિયા થયા બાદ પણ અભિપ્રાયની સૂક્ષ્મ ભૂલનું નિરૂપણ કરવા પંડિતજી મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૫૧ પર લખે છે :
“વળી ઘણાં જીવ અણુવ્રત-મહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે છે તથા આચરણાનુસાર જ પરિણામ છે, કોઇ માયા-લોભાદિકનો અભિપ્રાય નથી; એને ધર્મ જાણી મોક્ષ અર્થે તેનું સાધન કરે છે, કોઈ સ્વર્ગાદિકના ભોગોની ઇચ્છા રાખતો નથી, પરંતુ પ્રથમ તત્ત્વજ્ઞાન ન થયેલું હોવાથી પોતે તો જાણે છે કે “હું મોક્ષનું સાધન કરું છું” પણ મોક્ષનું સાધન જે છે તેને જાણતો પણ નથી, કેવળ સ્વર્ગાદિકનું જ સાધના કરે છે. સાકરને અમૃત જાણી ભક્ષણ કરે છે પણ તેથી અમૃતનો ગુણ તો ન થાય; પોતાની પ્રતીતિ અનુસાર ફળ થતું નથી પણ જેવું સાધન કરે છે તેવું ફળ લાગે છે.”
ઉપર આપેલ ગદ્યાશમાં ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની સ્થિતિ નીચે મુજબ વ્યક્ત કરી છે..
ક્રિયા :- અણુવ્રત-મહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે છે. પરિણામ :- આચરણાનુસાર પરિણામ છે; માયા લોભાદિકનો
Page #84
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં દિ, ૫. અને અ.
૭૫
અભિપ્રાય (ભાવ) નથી. સ્વર્ગાદિકના ભોગોની ઇચ્છા પણ નથી.
અભિપ્રાય :- તેમને ધર્મ જાણી મોક્ષ માટે તેમનું સાધન કરે છે, પોતે તો જાણે છે કે હું મોક્ષનું સાધન કરૂં છું પરંતુ જે મોક્ષનું સાધન છે તેને જાણતાં પણ નથી.
અહીં એક વિશેષ છે કે અહીં વ્યવહારાભાસી મિથ્યાદૃષ્ટિદ્રવ્યલિંગી મુનિની વાત છે. ચતુર્થ અને પંચમ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગીઓની વાત નથી. દ્રવ્યલિંગી અને મિથ્યાદષ્ટિ પર્યાયવાચી નથી. તેમાં ઘણો ફરક છે. દ્રવ્યલિંગ તો જીવની અણુવ્રત-મહાવ્રતાદિરૂપ બાહ્ય-ક્રિયા છે, જે વ્યવહાર ચારિત્ર હોવાથી વ્યવહારથી પૂજય છે અને મિથ્યાત્વ તો જીવની વિપરીતા માન્યતા હોવાથી નિંદ્ય છે, ત્યાજય છે. માટે દ્રવ્યલિંગી અર્થાત્ મિથ્યાદષ્ટિ’ - એ ભ્રાંતી રાખવી ન જોઇએ. અહીં દ્રવ્યલિંગ ધારણ કર્યા પછી પણ જે પ્રથમ ગુણસ્થાનવર્તી છે, તેમના વિપરીત અભિપ્રાયની સમીક્ષા કરવામાં આવી રહી છે. મંદ-કષાય થયા બાદ અણુવ્રત-મહાવ્રતાદિના પરિણામ અને તાનુકૂળ આચરણ પણ થાય છે.
વાસ્તવમાં જોવા જઇએ તો ઉપરની સ્થિતિ બનવાને કારણે જ આ. વિષયને ઊંડાણમાં સમજવાની આવશ્યકતા છે. જો આમ ન હોત અર્થાત્ વિપરીત અભિપ્રાયની સાથે પાપરૂપ પરિણામ અને પાપ-ક્રિયા જ હોત તથા સમ્યફ અભિપ્રાયની સાથે વીતરાગભાવ અને વીતરાગી ક્રિયા (ધ્યાનસ્થ મુદ્રા) જ હોત તો અભિપ્રાયની ભૂલ પણ ક્રિયા અને પરિણામોના માધ્યમથી જ સમજમાં આવી જાત; તેને સમજવું એટલું દુર્લભ ન થાત.
વ્રતાદિરૂપ ક્રિયા અને તદાનુસાર પરિણામોની ઉત્કૃષ્ટ સ્થિતિ થયા. બાદ આ જીવ એકત્રીસ સાગરનું આયુષ્ય બાંધી અંતિમ ગ્રેવેય સુધી ચાલ્યો જાય છે. તે અંતરંગ પરિણામ પૂર્વક મહાવ્રતાદિ પાળે છે, મહામંદ કષાયી થાય છે; તેને આલોક-પરલોક ના ભોગોની ઇચ્છા હોતી નથી, તે માત્રા મોક્ષાભિલાષી હોય છે અને કેવંળ ધર્મબુદ્ધિથી ધર્મ સાધન કરે છે. એવા જીવોને શાસ્ત્રોમાં દ્રવ્યલિંગી મિથ્યાષ્ટિ મુનિ કહ્યાં છે. તેમના અભિપ્રાય
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૬
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલન
તરફ સંકેત કરતા પંડિત ટોડરમલજીએ પાના ૨૫૪ પર લખ્યું છે :
“..... એટલા માટે દ્રવ્યલિંગીને ધૂળ અન્યથાપણું તો છે નહીં, પણ સૂક્ષ્મ અન્યથાપણું છે તે સમ્યગ્દષ્ટિને ભાસે છે.'
પ્રશ્ન :- જયારે દ્રવ્યલિંગીના અભિપ્રાયનું સૂક્ષ્મ અન્યથાપણું સમ્યગ્દષ્ટિને ભાસિત થાય છે તો આપ તેના અભિપ્રાયની ભૂલોનું વિશ્લેષણ શી રીતે કરી શકો છો?
ઉત્તર:- ભાઈઅમે કોઇ વ્યક્તિને વિષે કહીએ કે આ દ્રવ્યલિંગી છે, અને તેના અભિપ્રાયમાં આ ભૂલ છે તો આપનું કહેવું સાવ સાચું છે; પરંતુ અમે તો પંડિત ટોડરમલજીના કથનાનુસાર સામાન્ય દ્રવ્યલિંગીનું વિવેચન કરીએ છીએ. તેઓએ પણ જિનવાણીના આધાર પર લખ્યું છે. જો આપને તેના પર પ્રશ્નચિહ્ન મુકવાનું યોગ્ય લાગે તો તે આપના વિવેક પર નિર્ભર છે.
અભિપ્રાયની ભૂલ નીકળી ગયા બાદ અર્થાત્ સમ્યગ્દર્શન થયા બાદ પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી પણ મંદકષાયને નિમિત્તે અણુવ્રત કે મહાવ્રતરૂપ આચરણ પણ થાય છે. આવા જીવો ચતુર્થ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી શ્રાવક કે મુનિ અથવા પંચમ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિ કહેવાય છે. જેમના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન કષાયો. નષ્ટ થઈ જાય છે, તેમનામાં ભાવલિંગ અને દ્રવ્યલિંગ બન્ને હોય છે.
પ્રશ્ન - ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યગ્દષ્ટિને પોતાના પરિણામોની શુદ્ધિ અને રાગાંશનો ખ્યાલ તો રહે છે, છતાં તે છઠ્ઠા-સાતમા ગુણસ્થાના યોગ્ય પરિણામ ન હોવા છતાં પણ એવી ક્રિયા કઇ રીતે કરી શકે છે?
ઉત્તર:- કદાચ મંદકષાયમાં એવું સંભવી શકે છે. પૂજય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં અનેકવાર ચતુર્થ અને પંચમ ગુણસ્થાનવર્તીદ્રવ્યલિંગીની ચર્ચા આવે છે.
જો કોઇ જીવ અગીયારમા આદિગુણસ્થાનેથી ઉતરી પાંચમા કે ચોથા ગુણસ્થાનમાં આવી જાય તો તે પંચમ કે ચતુર્થ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી
Page #86
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ., ૫. અને અ.
૭૭
જ કહેવાશે. માટે ઉપરના ગુણસ્થાનથી નીચે આવ્યા બાદ આવી સ્થિતિ થવી સહજ સંભવ છે.૧
અહીં આપણે અભિપ્રાયની ભૂલ સમજવી છે, માટે પ્રથમ ગુણસ્થાનવર્તી અર્થાત્ દ્રવ્યલિંગી મિથ્યાષ્ટિ મુનિની ચર્ચા કરવામાં આવશે. વર્તમાન વાતાવરણ કાંઇ એવું વિચિત્ર છે કે દ્રવ્યલિંગીનું નામ લેતા. જ લોકોને એવો ભ્રમ થઇ જાય છે કે મુનિ-નિંદા કરાય છે; જયારે કે અમારો ઉદ્દેશ આગમના આધાર પર અભિપ્રાયની ભૂલનું તાત્ત્વિક વિશ્લેષણ કરવાનો જ છે. મુનિની નિંદા કરવાનો તો પ્રશ્ન જ ઉઠતો નથી; કારણ ચરણાનુયોગમાં બાહ્યક્રિયાની મુખ્યતા હોવાથી ભાવલિંગ રહિત દ્રવ્યલિંગ પણ વંદનીય કહેવામાં આવ્યું છે. તે મોક્ષમાર્ગી છે કે નહીં તે દ્રવ્યાનુયોગનું પ્રકરણ છે, ચરણાનુયોગનું નથી. આપણી મનોવૃત્તિ પણ કંઇક એવી થઇ ગઇ છે કે શાસ્ત્રોમાં જયાં પણ દ્રવ્યલિંગીની ચર્ચા આવે છે, આપણું ધ્યાન બીજાઓ તરફ જ જાય છે. જયારે આપણે છ:ઢાળામાં નીચેની પંકિતઓ વાંચીએ છીએ :
મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપાયો પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો |
ત્યારે આપણને એવું લાગે છે કે આ તો બીજાઓની વાત છે, આપણે તો બહું સમજુ છીએ, માટે આપણે મુનિ ન બન્યા, જયારે કે આપણી આ ધારણા ચોખી આગમ-વિરૂદ્ધ અને આત્મહિતમાં બાધક છે.
જરા વિચાર તો કરો કે ઉપરની પંક્તિઓમાં મુનિ-નિંદા કે મુનિ હોવાનો નિષેધ છે કે આત્મજ્ઞાન ન થવાની આલોચના કરવામાં આવી છે. ખરૂ જોતાં આપણે તે પંકિતઓમાં બીજાઓનો વર્તમાન જોવાને બદલે આપણો ભૂતકાળ જોવો જોઈએ. પાછલા અનંત ભવોમાં અનંતવાર આત્મજ્ઞાન વગર મુનિવ્રત ધારણ કરીને પણ આપણને લેશમાત્ર પણ સુખ ૧ “આગમ દર્શન ઘરિયાબાદ થી ૧૯૯૬ માં પ્રકાશિત ત્થા નીરજ જૈન સતના દ્વારા સમ્પાદિત મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૧૭૯-૧૮૦ પર ત્રિલોકસાર ધવલા વગેરેના આધારે પહેલાથી પાંચમાં ગુણસ્થાનવાળા દ્રવ્યલિંગીનું વર્ણન કરવામાં આવ્યું છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
મળ્યું નથી. આ પંક્તિઓમાં અજ્ઞાનની નિંદા કરવામાં આવી છે અને અજ્ઞાન સહિત મુનિપદ ને વ્યર્થ બતાવાયું છે. જૈન-શાસનમાં તો શાશ્વત વસ્તુવ્યવસ્થા બતાવાઇ છે કે મુનિ થયા વિના મુક્તિની સાધના પૂર્ણ થતી નથી.
७८
જો આપણે સાચા આત્માર્થી છીએ તો આપણે જિનાગમમાં બતાવવામાં આવેલા પ્રત્યેક દોષને આપણા ઉપર ઘટિત કરવો જોઇએ. બીજાઓના દોષ જોવા ન જોઇએ. બીજાઓના દોષ જોવાની દૂષિત વૃત્તિને કારણે જ આપણે અનંતવાર સમવસરણમાં જઇને પણ કોરાને કોરા પાછા આવ્યા છીએ. માટે ‘મેરી ભાવના’ માં કવિએ એજ ભાવના ભાઇ છે.
ન
‘ગુણ ગ્રહણ કા ભાવ રહે નિત, દૃષ્ટિ ન દોષો પર જાવે’
પ્રશ્ન :- જો દ્રવ્યલિંગીની ચર્ચા કરવાથી લોકોને મુનિ-નિંદાનો ભ્રમ થાય છૈ, તો આપ દ્રવ્યલિંગીની ચર્ચા કેમ કરો છો, કોઇ બીજો દાખલો (ઉદાહરણ) આપીને પણ પોતાની વાત કરી શકો છો ?
ઉત્તર :- ભાઇ ! એ વાત તો પહેલાં જ સ્પષ્ટ કરી છે કે દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ મુનિના સંદર્ભમાં જ અભિપ્રાયની ભૂલ સ્પષ્ટ થઇ શકે છે, કારણ તેની ક્રિયા અને પરિણામ મહાવ્રતાદિરૂપ છે, તો પણ તેને મોક્ષમાર્ગ નથી પ્રાપ્ત થતો. માટે અભિપ્રાયની ભૂલનું વિશ્લેષણ આવશ્યક બની જાય છે. જે લોકો વિષય-ભોગની ક્રિયાઓ અને પરિણામોમાં જ ગુંથાએલા છે, તેમની તો સ્થૂળ ભૂલો જ દેખાઇ રહી છે. તેમની ક્રિયા અને પરિણામના પડદા જ મેલા છે. જેમની ક્રિયા અને પરિણામના પડદા પારદર્શી છે તેમનો જ અભિપ્રાયવાળો પડદો દેખાશે. આ જ કારણ છે કે અભિપ્રાયની ભૂલ સમજવા દ્રવ્યલિંગી મુનિની ચર્ચા કરવામાં આવે છે.
ઉપરોક્ત દ્રવ્યલિંગીના અભિપ્રાયની સૂક્ષ્મ વિપરીતતાનો સંકેત કરવા પંડિત ટોડરમલજી પાના ૨૫૪ પર લખે છે :
‘પ્રથમ તો સંસારમાં નરકાદિના દુ:ખ જાણી તથા સ્વર્ગાદિમાં પણ જન્મ-મરણાદિના દુ:ખ જાણી સંસારથી ઉદાસ થઇ તે મોક્ષને ઇચ્છે છે. હવે એ દુ:ખોને તો બધાય દુ:ખ જાણે છે. ઇન્દ્ર-અહમિન્દ્રાદિક
Page #88
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં દિ,૫.અને અ.
૭૯
વિષયાનુરાગથી ઇન્દ્રિયજનિત સુખ ભોગવે છે તેને પણ દુ:ખ જાણી નિરાકુળ સુખ અવસ્થાને ઓળખીને જે મોક્ષને ચાહે છે તે જ સમ્યગ્દષ્ટિ જાણવો.
વળી વિષયસુખાદિના ફળ નરકાદિક છે, શરીર અશુચિમય અને નાશવાન છે, પોષણ કરવા યોગ્ય નથી તથા કુટુંબાદિક સ્વાર્થનાં સગાં છે, ઇત્યાદિ પરદ્રવ્યોનો દોષ વિચારી તેનો તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિકનું ફળ સ્વર્ગ-મોક્ષ છે, તપશ્ચરણાદિ પવિત્ર અવિનાશી ફળના આપનાર છે, એ વડે શરીર શોષવા યોગ્ય છે તથા દેવ-ગુરૂ-શાસ્ત્રાદિ હિતકારી છે. ઇત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેનેજ અંગીકાર કરે છે. ઇત્યાદિ પ્રકારથી કોઇ પરદ્રવ્યોને બૂરાં જાણી અનિષ્ટરૂપે શ્રદ્ધાન કરે છે તથા કોઇ પરદ્રવ્યોને ભલાં જાણી ઈષ્ટરૂપે શ્રદ્ધાન કરે છે; હવે પરદ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યા છે.
વળી એ જ શ્રદ્ધાનથી તેને ઉદાસીનતા પણ દ્વેષબુદ્ધિરૂપ હોય છે કારણ કે કોઇને બૂરાં જાણવાં તેનું નામ જ દ્વેષ છે”
ઉક્ત ગદ્દાંશમાં મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી મુનિ તથા સમ્યગ્દષ્ટિ ઇન્દ્ર અહમિન્દ્રની ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું તુલનાત્મકવિવેચન કરવામાં આવ્યું છે, જેમાં એ બન્નેનાં અભિપ્રાયનો ફરક સ્પષ્ટ દેખાઈ આવે છે. તે બન્નેમાં એક ક્રિયા અને પરિણામોથી મહાવ્રતી હોવા છતાં પણ વિપરીત અભિપ્રાય સહિત છે અને બીજો ક્રિયા અને પરિણામોથી અવતી હોવા છતાં પણ યથાર્થ અભિપ્રાયવાળો છે.
- ઇન્દ્ર અથવા ચક્રવર્તી વગેરે જ્ઞાની જીવોને અવ્રતની ભૂમિકામાં પ્રચુર ભોગોની ક્રિયા અને પરિણામ હોવા છતાં અભિપ્રાયમાં સુખ બુદ્ધિ નથી, માટે તેઓ મોક્ષમાર્ગી છે. આ અભિપ્રાયની મુખ્યતાથી જ જ્ઞાનીના ભોગોને પણ નિર્કરાનું કારણ કહેવામાં આવે છે. ‘ભરતજી ઘરમેં વેરાગી' જેવી કહેવતો પણ પ્રસિદ્ધ છે. કવિવર દૌલતરામજી વિરચિત ભજન ‘ચિમૂરત દગધારિના કી મોહે રીતિ લગત હૈ અટાપટી” - પણ જ્ઞાનીઓના નિર્મળ અભિપ્રાયનું ચિત્રણ કરે છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
મિથ્યાષ્ટિમહાવ્રતી અને સમ્યગ્દષ્ટિ અવિરતીની ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો ફરક નિચે આપેલ કોઠા પરથી સરખી રીતે સમજી શકાય
પ્રકરણ | મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી મુનિ અવ્રત સમ્યગ્દષ્ટિ અહમિન્દ્ર | ક્રિયા |મહાવ્રતાદિરૂપ આચરણ | ઇન્દ્રિય જનિત સુખ ભોગવે છે.
કરે છે. પરિણામ | સંસારથી ઉદાસ છે. વિષયાનુરાગી છે.
અભિપ્રાય
(૧)
નરકાદિના પ્રતિકૂળ-સંયોગો પરદ્રવ્યોને દુ:ખનું કારણ ને દુ:ખનું કારણ જાણે છે. માનતા નથી. વિષય-સુખોને નરકાદિનું વિષયસુખને પણ દુ:ખ જાણી કારણ જાણી છોડે છે. નિરાકુળ સુખ ને ઇચ્છે છે. શરીર તથા કુટુંબ વગેરેને પરદ્રવ્યોને બૂરા નથી જાણતા, બૂરા જાણી તેમનો ત્યાગ પોતાના રાગભાવને બૂરા કરે છે.
જાણે છે. વ્રતાદિને સ્વર્ગ-મોક્ષનું વ્રતાદિ ક્રિયાને મોક્ષનું કારણ કારણ માને છે.
નથી માનતા. રાગભાવ છૂટવાથી તેમના કારણોનો
ત્યાગ સહજ થઇ જાય છે. | દેવ-ગુરૂ-શાસ્ત્રાદિ કોઇ પરદ્રવ્યને ભલું નથી.
પરદ્રવ્યોને ભલા જાણી જાણતા. સ્વ ને સ્વ અને પરને તેમને અંગીકાર કરે છે. પર જાણે છે. પરથી જરા પણ
પ્રયોજન ન જાણી તેના સાક્ષી રહે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટેકરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ., ૫. અને અ.
આ રીતે મિથ્યાદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિના અભિપ્રાયનો ફરક બરાબર સ્પષ્ટ થઇ જાય છે. અજ્ઞાનીના અભિપ્રાયમાં મૂળમાં ભૂલ એ જ છે કે તેના પરિણામ સંસારથી ઉદાસીનરૂપ હોય તો પણ અભિપ્રાયમાં દ્વેષ હોવાથી તેની ઉદાસીનતા પણ દ્વેષરૂપે થઇ જાય છે.
८१
દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ મુનિના અભિપ્રાયની ભૂલનું વિસ્તૃત સ્પષ્ટીકરણ મોક્ષમાર્ગ પ્રકાશક પાના ૨૫૧ થી ૨૫૯ સુધી કરવામાં આવ્યું છે, જેનો સાર અહીં આપીએ છીએ :
(૧) પહેલાં પોતાને શરીરાશ્રિત પાપ-કાર્યોનો કર્તા માનતો હતો જેમ કે- ‘હું જીવોને મારું છું, ‘હું પરિગ્રહધારી છું’, - એવું માનતો હતો અને હવે પોતાને શરીરાશ્રિત પુણ્ય કાર્યોનો કર્તા માનવા લાગ્યો છે અર્થાત્ ‘હું જીવોની રક્ષા કરું છું’, ‘હું નગ્ન છું’, - એવું માને છે. વાસ્તવમાં પોતાને શરીરાશ્રિત પાપ-પુણ્ય ક્રિયાઓનો કર્તા માનવો તે મિથ્યાત્વ છે.
(૨) મુનિધર્મની ક્રિયાઓમાં પ્રવૃત્તિના ભાવો રાગરૂપ છે અને તે આ શુભરાગને મોક્ષમાર્ગ માને છે; જયારે કે મોક્ષમાર્ગ તો વીતરાગ ભાવરૂપ છે. રાગભાવને મોક્ષમાર્ગ માનવો મિથ્યાત્વ છે. શુભરાગ ચારિત્રનું સ્વરૂપ નથી, પણ ચારિત્રનો દોષ છે, તથા તેને ધર્મ માનવો શ્રદ્ધાનો દોષ છે.
(૩) નિગ્રન્થ દશા અંગીકાર કર્યા બાદ, ઉગ્ર તપ કરવા છતાં અને બાવીસ પરિષહ સહન કરવા છતાં શાસ્ત્રોમાં તેને મિથ્યાદષ્ટિ અને અસંયમી કહેવામાં આવ્યા છે; કારણ તેને તત્ત્વોનું સાચું શ્રદ્ધાન નથી થયું. મોક્ષમાર્ગ પ્રકાશક પાના ૨૩૪ થી ૨૪૪ સુધી સમ્યગ્દર્શનનું અન્યથારૂપ પ્રકરણમાં સાત તત્ત્વ સંબંધી ભૂલોનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, તેવી જ વિપરીતતા તેના શ્રદ્ધાન-જ્ઞાનમાં જોવા મળે છે. એ જ વિપરીત અભિપ્રાયપૂર્વક તે ધર્મસાધન કરે છે, તે સાધનોના અભિપ્રાયની પરંપરાનો વિચાર કરવાથી કષાયોનો અભિપ્રાય આવે છે.
ધર્મ-સાધનોની પરંપરામાં કષાયનો અભિપ્રાય :- અજ્ઞાનીને ધર્મ-સાધનોની પરંપરામાં કષાયોનો અભિપ્રાય કેવી રીતે આવે છે તેનું
Page #91
--------------------------------------------------------------------------
________________
८२
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
સ્પષ્ટીકરણ નીચે મુજબ છે :
(અ) શુભરાગમાં ઉપાદેય બુદ્ધિ:- તે અશુભરાગને હેય જાણી છોડે છે અને શુભરાગને ઉપાદેય માની તેની વૃદ્ધિનો ઉપાય કરે છે. શુભરાગ પણ કષાય છે, તેથી તેણે કષાયને ઉપાદેય માની, માટે તેને કષાય કરવાનું જ શ્રદ્ધાન રહ્યું. અશુભ નિમિત્ત પર દ્વેષ કરવાનો તથા શુભ નિમિત્તો પર રાગ કરવાનો અભિપ્રાય રહ્યો; પરદ્રવ્યોમાં સામ્યભાવરૂપ અભિપ્રાય ન રહ્યો. .
(બ) ઉપસર્ગ-પરીષહ સહન કરવામાં ભય અને લોભ - ઉપસર્ગ અને પરીષહ સહન કરવામાં તથા તપ કરવામાં દુ:ખનું વેદન કરે છે; પરંતુ દુ:ખનું વેદન કરવું પણ કષાય છે. તે કષાયના અભિપ્રાયરૂપ વિચારથી દુ:ખ સહન કરે છે. તે વિચાર નીચે મુજબ હોય છે :
‘.. હે જીવ! તેં નરકાદિ ગતિમાં પરાધીનતાથી બહુ દુ:ખો સહન કર્યા, આ પરીષહાદિકના દુ:ખો તો ઘણા થોડા છે. તેમને સ્વાધીન થઇ સહન કરવાથી સ્વર્ગ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. જો આ દુ:ખ નહીં સહન કરે અને વિષય સુખનું સેવન કરીશ તો તને નરકાદિકની પ્રાપ્તિ થશે, ત્યાં ઘણું દુ:ખા થશે.'
ઉપરના વિચારોથી સ્પષ્ટ છે કે તે પરીષહો ને દુ:ખદાયક માને છે. માત્ર નરકાદિકના ભય તથા સ્વર્ગ-સુખના લોભથી તેમને સહન કરે છે. આ ભય અને લોભ પણ કષાયો જ છે.
ઉપર જણાવેલ વિચારોની સાથે સાથે નીચેના વિચારો પણ હોય છે :
...... મેંપૂર્વે જે કર્મો બાંધ્યા હતા, તે ભોગવ્યા વિના નહીં છુટી શકે; માટે મારે તેમનું જ ફળ ભોગવવું પડે છે. જુઓ! કર્મો એ તો આદિનાથ અને પાર્શ્વનાથ જેવા તીર્થંકરોને પણ છોડડ્યા નથી. તેઓને પણ કર્મોના ફળ ભોગવવા જ પડ્યા. માટે મારે પણ સમતાપૂર્વક કર્મોના ફળો ભોગવી લેવા જોઇએ.
Page #92
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ, ૫. અને અ.
૮૩
ઉપરોકત વિચારોના રૂપે તે કર્મફળચેતનારૂપ પ્રવર્તન કરે છે.
પ્રશ્ન :- ઉપરોકત વિચારો કરવામાં કઈ ભૂલ છે? શું જ્ઞાની આવા વિચારો નથી કરતા?
ઉત્તર :- અહીં માત્ર વિચારોની વાત નથી ચાલી રહી, પરંતુ વિચારોની ગડીઓને તળિયે બેસેલા અભિપ્રાયની વાત ચાલી રહી છે. પરિણામોને સ્વરૂપમાં સ્થિર કરવા કદાચ જ્ઞાનીઓને પણ આવા વિચારો આવી શકે છે, પણ તેઓ આ વિચારોની અપેક્ષાને પણ જાણે છે.
- ઉપરોકત વિચારોની પાછળ રહેલા અજ્ઞાની અને જ્ઞાનીના અભિપ્રાયને નીચે આપેલા કોઠા દ્વારા સ્પષ્ટ સમજી શકાય છે :વિચાર અજ્ઞાનીનો અભિપ્રાય | જ્ઞાનીનો અભિપ્રાય વ્રત-શીલ-સંયમ |તે મુક્તિનો માર્ગ છે. જો કે મુક્તિના કારણો નથી, વગેરે ધારણ કરવું
છતાં પાપથી બચવા માટેના જોઇએ.
ભાવો આવ્યા વિના રહેતા નથી. ઉપસર્ગ અને | જો તેમને સહન નહીં | આ બાહ્ય-સંયોગ દુ:ખનું કારણ પરિષહ સહન કરવા | કરીએ તો નરકમાં જવું | નથી. રાગ દુ:ખનું કારણ છે, યોગ્ય છે. પડશે, તથા તેમને સહન | માટે આત્મામાં સ્થિર થઇરાગનો
કરવાથી સ્વર્ગ / મોક્ષની અભાવ કરવો જોઈએ.
પ્રાપ્તિ થશે. પહેલાં બાંધેલા કર્મો હું કર્મોના ફળને | હું પરદ્રવ્યોનો કર્તા-ભોક્તા શાન્તિપૂર્વક | ભોગવવાવાળો છું. | નથી, માત્ર જ્ઞાતા છું. ભોગવવા જોઇએ. વિષય-ભોગાદિ | વિષયોના સેવનમાં
વિષયોના સેવનમાં | | વિષયસેવનમાં સુખ નથી, દુ:ખા ત્યાગ કરવા યોગ્ય આનંદ તો છે, પરંતુ | જ છે. આત્માના અવલંબનથી
તેમના સેવનથી નરકમાં ! સાચું સુખ પ્રગટ થાય છે. માટે જવું પડશે, માટે તેમનો | આત્માની રુચિ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. | વિષયની રુચિ જ નથી.
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન :- ઉપર જણાવેલ કોઠા પરથી જ્ઞાની અને અજ્ઞાનીનો ફરક તો સમજાયો. કૃપા કરી મિથ્યાદષ્ટિથી માંડી સિદ્ધ ભગવાન સુધીની વિભિન્ન ભૂમિકાઓને ક્રિયા પરિણામ અને અભિપ્રાયના સંદર્ભમાં સ્પષ્ટ કરો?
ઉત્તર:- નીચે આપેલા કોઠામાં અનાદિ મિથ્યાષ્ટિથી માંડી સિદ્ધ દશા સુધીની વિભિન્ન અવસ્થાઓને ક્રિયા, પરિણામ અને અભિપ્રાયના સંદર્ભમાં સ્પષ્ટ કરવામાં આવી છે. ભૂમિકા | ક્રિયા
પરિણામ
અભિપ્રાય ૧. અનાદિ મિથ્યાષ્ટિ | પંચેન્દ્રિયોના ભોગ તેમજ મિથ્યાત્વની ભૂમિકામાં વવા
શ તેમજ મિથ્યાત્વની ભૂમિકામાં થવા- | જીવાદિ પ્રયોજનભૂત તત્ત્વો ભકિત, દયા, દાન, વ્રતાદિ બધા યોગ્ય બધા પ્રકારના શુભાશુભ | વિષે વિપરીત શ્રદ્ધાના
પ્રકારની અશુભ તેમજ શુભ ક્રિયાભાવી. | ૨. મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગી પંચ મહાવ્રતરૂપ આચરણ | ક્રિયાને અનુરૂપ મહામંદ | બાહ્ય ક્રિયા અને શુભરાગ મુનિ
કષાયરૂપ પરિણામ રૂપ ક્રિયાઓમાં કર્તુત્વબુદ્ધિ
તેમજ ધર્મબુદ્ધિ ૩. સમ્યફત્ત્વ સમ્મુખ ધંધો-વ્યાપાર, વિષયભોગ આદિ વિષય-કષાયોના પરિણામોની | દર્શનમોહ ની મંદતા ને નિમિત્તે મિથ્યાષ્ટિ ક્વિાઓ સાથે જિનેન્દ્રદર્શન, પૂજન, સાથે સાથે તત્ત્વનિર્ણય, | સ્વરૂપની રૂચિ, મહિમા તેમજ
સ્વાધ્યાય સઘચરણાદિ ક્રિયાઓની ભાવ-ભાસન આદિના | સ્વસમ્મુખતાનો પ્રયત્ન, મુખ્યતા (મનુષ્યગતિની અપેક્ષાએ) | પરિણામ
સ્વસમ્મુખ ઢળતો અભિપ્રાય તથા ઓગળતું મિથ્યાત્વ
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
Page #94
--------------------------------------------------------------------------
________________
૪. અવ્રતી શ્રાવક વિષય ભોગાદિ તથા ભકિતા વિષયાસકિત આદિ અશુભા રંગ રાગ અને ભેદથી ભિન્ન દયા-દાન આદિરૂપ ક્રિયા તેમજ ભકિત-દયા-દાનાદિ જ્ઞાયક સ્વભાવમાં અહં તથા
શુભ પરિણામ તેમજ સાતતત્ત્વોની યથાર્થ પ્રતીતિ અનંતાનુબંધીના અભાવરૂપ
વીતરાગતા ૫. વ્રતી શ્રાવક અણુવ્રતાદિરૂપ ક્રિયા અણુવ્રતાદિરૂપ શુભભાવ અણુવ્રતાદિની ક્રિયા તથા (ભૂમિકાનુસાર અશુભ ક્રિયા) | તેમજ બે કષાય ચોકડીના શુભભાવમાં પણ અકર્તુત્વ
અભાવરૂપ વીતરાગતા
(ભૂમિકાનુસાર અશુભભાવ) ૬. ભાવલિંગી મુનિરાજ | પંચ મહાવ્રતરૂપ આચરણ મહાવ્રતાદિરૂપ શુભભાવ તેમજ | મહાવ્રતાદિરૂપ ક્રિયા તેમજ
ત્રણ કષાયના અભાવરૂપ | શુભભાવમાં પણ અકર્તુત્વ
વીતરાગતા ૭. અહંત ભગવાન આસન, વિહાર, ધર્મોપદેશ | અનંત જ્ઞાન, દર્શન, સુખ અને પરમાવગાઢ સમ્યક્ત્વરૂપ | આદિ ક્રિયા.
વિર્યાદિ પૂર્ણ નિર્મલ પરિણામ દ્રઢ પ્રતીતિ ૮. સિદ્ધ ભગવાના અયોગી દશા હોવાથી ક્રિયા રહિત | ઉપર પ્રમાણે
ઉપર પ્રમાણે
અધ્યાય-:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ, ૫. અને અ.
?
h
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૬
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
(સ) વિષયસેવનમાં ઈષ્ટબુદ્ધિ :- જેવી રીતે દાહજવર વાળો વાયુરોગ થવાના ભયથી ઠંડી વસ્તુઓનું સેવન તો નથી કરતો, પરંતુ તેને ઠંડી વસ્તુઓનું સેવન કરવું ગમે છે. ઠંડી વસ્તુઓ પ્રત્યેની તેની રુચિ જ તેના દાહજવરને સિદ્ધ કરે છે. તેવી રીતે રાગી-જીવનરકાદિના ભયથી વિષયસેવન કરતા નથી, પરંતુ તેને વિષય સેવન કરવું ગમે છે, માટે એ સિદ્ધ થાય છે કે તેના અભિપ્રાયમાં વિષય સેવનનો રાગ વિદ્યમાન છે.
પ્રશ્ન:- તો વિષય-સેવન પ્રત્યે જ્ઞાનીનો અભિપ્રાય કેવો હોય છે?
ઉત્તર :- જે પ્રમાણે અમૃતનો સ્વાદ લેનારા દેવોને બીજું ભોજન કરવાની રુચિ સ્વયમેવ નથી હોતી, તે જ પ્રમાણે નિજ-ચૈતન્યરસનો સ્વાદ લેનારા જ્ઞાનીને વિષયોની રુચિ અંતરમાંથી જ નથી હોતી. અજ્ઞાનીને વિષયો પ્રત્યે એવી અરુચિ નથી હોતી.
(દ) પરિષહાદિમાં અનિષ્ટ બુદ્ધિ :- અજ્ઞાની જીવ વિષયસેવનના કાળમાં સુખ અને તેના ફળ સ્વરૂપમાં ભવિષ્યમાં નરકાદિનું દુ:ખા માને છે તથા પરિષહ વગેરે સહન કરવાના સમયે દુ:ખ અને ભવિષ્યમાં તેના ફળસ્વરૂપે સ્વર્ગાદિકના સુખ માને છે. આમ તેને પરદ્રવ્યમાં સુખ-દુ:ખા માનવાને કારણે તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિથી રાગ-દ્વેષરૂપ અભિપ્રાય બની રહે છે.
તેથી વિપરીત જ્ઞાની જીવ વિષય સેવનના ભાવને જ દુ:ખરૂપ જાણી તેને છોડવા માગે છે, માટે તેને વિષય-સામગ્રીમાં ઈષ્ટબુદ્ધિ નથી; તથા તેઓ પરિષહ વગેરેને માત્ર બાહ્ય-સંયોગ જાણે છે, તેમને દુ:ખદાયક માનતા નથી, માટે તેમાં અનિષ્ટબુદ્ધિ નથી. તેઓ ઉપસર્ગ-પરિષદના કાળમાં પણ પોતાને પરદ્રવ્યથી ભિન્ન આનંદ સ્વભાવી શુદ્ધાત્માના રૂપે અનુભવ કરે છે.
આ પ્રકારે દ્રવ્યલિંગી મુનિની ક્રિયા અને પરિણામના સંદર્ભમાં તેમના અભિપ્રાયની વિપરીતતાને સ્પષ્ટ કરવામાં આવી છે. અભિપ્રાયમાં વિપરીતતા સહિત મહાવ્રતાદિરૂપ આચરણ થવાથી પણ તેને અણુવ્રતી તથા અવિરતસમ્યગ્દષ્ટિથી પણ હીન કહેવામાં આવ્યા છે. કારણ એમનું પાંચમું અને
Page #96
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ.ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ, ૫. અને અ.
૮૭
ચોથું ગુણસ્થાન છે અને આનું પહેલું ગુણસ્થાન છે.
અહીં જો પરિણામોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો દ્રવ્યલિંગી મુનિને કષાયોની પ્રવૃત્તિ થોડી છે, તથા અવિરતી અને દેશવ્રતીને કષાયોની. પ્રવૃત્તિ વધારે છે. આ જ કારણથી દ્રવ્યલિંગી મુનિ નવમી ગ્રેવેયક સુધી જાય છે, જ્યારે કે અવિરતી અને દેશવ્રતી સોળમા સ્વર્ગ સુધી જ જાય છે.
દ્રવ્યલિંગીને મહામંદ-કષાય તથા અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવ્રતીને તેમની અપેક્ષાએ તીવ્ર કષાય હોવાથી પણ તેને આ બન્નેથી હીના બતાવવામાં આવ્યા છે; કારણકે કષાયોની પ્રવૃત્તિ થવાથી પણ સમ્યગ્દષ્ટિના શ્રદ્ધાનમાં કોઇ પણ કષાય કરવાનો અભિપ્રાય નથી; જ્યારે કે દ્રવ્યલિંગીને શુભકષાય કરવાનો અભિપ્રાય જોવામાં આવે છે. અને શ્રદ્ધાનમાં તે તેને ભલો જાણે છે. માટે શ્રદ્ધાનની અપેક્ષાએ તેને (દ્રવ્યલિંગીને) અસંયત સમ્યગ્દષ્ટિથી પણ વધુ કષાય છે.
પ્રશ્ન:- જોદ્રવ્યલિંગીને કષાય કરવાનો અભિપ્રાય હોયતો તે નવમી રૈવેયક સુધી કેવી રીતે જાય છે?
ઉત્તર :- પુય અને પાપનો ભેદ અઘાતિ કર્મોમાં હોય છે, તથા શુભ કે અશુભ યોગ અનુસાર પુણ્ય કે પાપનો બંધ થાય છે. દ્રવ્યલિંગીને શુભરૂપ યોગોની પ્રવૃત્તિ બહુ હોય છે, માટે તે અંતિમ ગ્રેવેયક સુધી પણ જાય છે; પરંતુ તેથી તેને કોઇ લાભ થતો નથી; કારણ કે અઘાતિકર્મ આત્મગુણના ઘાતક હોતા નથી. ગોત્રકર્મના ઉદયથી ઉચ્ચપદ કે નીચપદ પ્રાપ્ત થાય તો શું થયું?
તે તો માત્ર બાહ્ય-સંયોગ છે, સંસાર દશાના સ્વાંગ છે; માટે આત્માને તેમાં કોઇ લાભ કે હાનિ નથી.
પ્રશ્ન:- ઘાતિ કર્મનો આત્મગુણોના ઘાતમાં નિમિત્ત છે, દ્રવ્યલિંગી મુનિને તેમનો બંધ કયા પ્રકારે થાય છે?
ઉત્તર :- ઘાતિયા કર્મોનો બંધ બાહ્ય-પ્રવૃત્તિનુસાર થતો નથી,
Page #97
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
અંતરંગ કષાય શક્તિ અનુસાર થાય છે. માટે દ્રવ્યલિંગીને બધાય ઘાતિ કર્મોનો બંધ ઘણા સ્થિતિ-અનુભાગ સહિત થાય છે; તથા અવિરત સમ્યગ્દષ્ટિને તથા દેશવ્રતીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મોનો બંધ તો નથી, અને અપ્રત્યાખ્યાન આદિનો બંધ અલ્પ સ્થિતિ અનુભાગ સહિત થાય છે. માટે તે મોક્ષમાર્ગી છે, પરંતુ મિથ્યાદૃષ્ટિ દ્રવ્યલિંગી મુનિ મોક્ષમાર્ગી નથી.
८८
ઉપરનું વિવેચન મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં કરવામાં આવેલું છે. આ પ્રકરણમાં પંડિત ટોડરમલજી સ્પષ્ટ કરવા માગે છે કે અભિપ્રાયમાં વિપરીતતા હોવાને કારણે દ્રવ્યલિંગી મુનિ મોક્ષમાર્ગી નથી, માટે તેમને મહાવ્રતાદિરૂપ આચરણ તથા મહામંદકષાય હોવા છતાં પણ તેમને તીવ્ર કષાયવાળા અવ્રત-સમ્યગ્દષ્ટિથી પણ હીન બતાવવામાં આવ્યાં છે. તેમની હીનતાને આગમ-પ્રમાણોથી પુષ્ટ કરી તે પાના ૨૫૯ પર લખે છે :
‘શ્રી સમયસાર શાસ્ત્રમાં દ્રવ્યલિંગી મુનિનું હીનપણું ગાથા, ટીકા અને કળશમાં પ્રગટ કર્યું છે. શ્રી પંચાસ્તિકાયની ટીકામાં પણ જયાં કેવળ વ્યવહારાવલંબીનું કથન કર્યું છે, ત્યાં વ્યવહાર પંચાચાર હોવા છતાં પણ તેનું હીનપણું જ પ્રગટ કર્યું છે. શ્રી પ્રવચનસારમાં દ્રવ્યલિંગીને સંસારતત્ત્વ કહ્યું છે, તથા પરમાત્મપ્રકાશાદિ અન્ય શાસ્ત્રોમાં પણ એ વ્યાખ્યાનને સ્પષ્ટ કર્યું છે. દ્રવ્યલિંગીને જે જપ, તપ, શીલ, સંયમાદિ ક્રિયાઓ હોય છે તેને પણ એ શાસ્ત્રમાં જયાં ત્યાં અકાર્યકારી બતાવી છે ત્યાં જોઇ લેવું; અહીં ગ્રંથ વધી જવાના ભયથી લખતાં નથી.
એ પ્રમાણે કેવળ વ્યવહારાભાસના અવલંબી મિથ્યાદૃષ્ટિઓનું નિરૂપણ કર્યું.’
પંડિતજીના ઉપરોકત વિવેચનથી સ્પષ્ટ છે કે તેમના ચિંતનમાં અભિપ્રાયની ભૂલનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે, અન્યથા દ્રવ્યલિંગી મુનિની
Page #98
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ.ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાંકિ, ૫. અને અ.
૮૯
હીનતાના પ્રતિપાદક આગમ પ્રમાણ ન આપત.
દ્રવ્યલિંગીના અભિપ્રાયમાં વિપરીતતા સંબંધે આ વિવેચનથી એટલું સ્પષ્ટ થાય છે કે અભિપ્રાય અર્થાત્ શ્રદ્ધાની પરિણતિ, ક્રિયા અને શુભભાવોથી નિરપેક્ષ અને સ્વતંત્ર હોય છે. વિષય કષાયરૂપ ક્રિયા અને પરિણામવાળાં સમ્યગ્દષ્ટિનો અભિપ્રાય સાચો હોય છે તથા મહાવ્રતાદિરૂપ ક્રિયા અને પરિણામવાળા મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી મુનિનો અભિપ્રાય વિપરીત હોય છે. વિપરીત અભિપ્રાયવાળા જીવને નિગોદથી માંડી નવમી ગ્રેવેયક સુધી જવા યોગ્ય પરિણામ થઇ શકે છે, તથા યથાર્થ અભિપ્રાયવાળા જીવો પણ દેવગતિમાં અસંખ્યાત વર્ષો સુધી રહી શકે છે.
પ્રશ્ન :- “અભિપ્રાયની ભૂલ’ પ્રકરણ પ્રારંભ કરતાં શરૂઆતમાં જ આપે લખ્યું છે કે અમારો ઉદ્દેશ કોઇની નિંદા-પ્રશંસા કરવાનો નથી, તો પણ આપ અહીં દ્રવ્યલિંગી મુનિની હીનતા શા માટે બતાવી રહ્યાં છો?
ઉત્તર :- અરે ભાઈ! અહીં તો તેઓ પ્રથમ ગુણસ્થાનવર્તી હોવાથી તેઓ મોક્ષમાર્ગી ન હોવાની યથાર્થ સ્થિતિનું જ્ઞાન કરાવ્યું છે. તેમાં નિંદાનો આશય નથી. આપણે પણ અનંત વાર એવી દશા ધારણ કરી છે, માટે આ આપણી પોતાની વાત છે, બીજાની નથી. પંડિતજીએ પોતે આઠમાં અધિકારના ચરણાનુયોગ પ્રકરણમાં દ્રવ્યલિંગીને સમ્યગ્દષ્ટિ દ્વારા વંદનીયા કહ્યા છે. તેમનું મૂળ કથન નીચે મુજબ છે :
“અહીં કોઈ પ્રશ્ન કરે - સમ્યકત્વી તો દ્રવ્યલિંગીને પોતાથી હીનગુણયુક્ત માને છે, તેની ભક્તિ કેમ કરીએ?
સમાધાન :- વ્યવહાર ધર્મનું સાધન દ્રવ્યલિંગીને ઘણું છે અને ભક્તિ કરવી પણ વ્યવહાર જ છે. માટે જેમ-કોઇધનવાન હોય, પરંતુકુળમાં મોટો હોય તેને કુળ અપેક્ષાએ મોટો જાણી તેનો સત્કાર કરે છે; તેમજ પોતે સમ્યકત્વ ગુણ સહિત છે, પરંતુ જે વ્યવહારધર્મમાં મુખ્ય હોય તેને વ્યવહાર ધર્મની અપેક્ષાએ ગુણાધિક માની તેની ભકિત કરે છે – એમ જાણવું.”
Page #99
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
ઉપરના કથન પરથી સ્પષ્ટ થાય છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન વિના સમ્યચારિત્ર નથી થતું, માટે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવા અભિપ્રાયની ભૂલ મટાડવી જરૂરી છે. અને અભિપ્રાયની ભૂલ સ્પષ્ટ કરવા માટે દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ મુનિના સ્વરૂપનું વર્ણન કર્યું છે. માટેઅહીં તેમની નિંદાનો આશય ન લેવો જોઇએ.
પ્રશ્ન :- આપ ભલે નિંદા ન કહો, પરંતુ અમે તો તેને નિંદા જ સમજશું?
૯૦
ઉત્તર :- ભાઇ ! નિંદા જ સમજવી હોય તો આપણી પોતાની નિંદા જ સમજો, બીજાઓની નહી. કારણ કે આપણું ભલું બૂરું તો આપણાં પરિણામોથી જ થાય છે. આપણે પણ પહેલાં અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરીને પણ વિપરીત અભિપ્રાયનો નાશ કર્યો નથી, તેથી આજ સુધી સંસારમાં ભ્રમણ કરી રહ્યાં છીએ. માટે પોતાના વિપરીત અભિપ્રાયની ન કેવળ નિંદા જ કરવી પણ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી તેને વહેલી તકે છોડી દેવી જોઇએ.
બીજી વાત એ પણ છે કે અહીંયા દ્રવ્યલિંગી મુનિ કોઇ વ્યક્તિ વિશેષનો પરિચય નથી આપતા. આ ભૂલ તો અમે-તમે બધાય કરી રહ્યા છીએ. માટે તે સૈદ્ધાન્તિક નિરૂપણ છે. વ્યક્તિગત નથી.
એ વાત તો પહેલાં જ આવી ગઇ છે કે બીજાઓનું મૂલ્યાંકન તેમની બાહ્ય ક્રિયાથી કરવું જોઇએ, પરંતુ આપણું પોતાનું મૂલ્યાંકન પોતાના પરિણામ અને અભિપ્રાયથી કરવું જોઇએ; માત્ર બાહ્ય ક્રિયાથી નહીં. બીજાઓની માત્ર ક્રિયા જ દેખાય છે અને પરિણામ તો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે, તથા અભિપ્રાય તેનાથી વધારે ઊંડી ગુપ્ત ગુફામાં છુપાયેલો રહે છે. માટે બીજાઓનું મૂલ્યાંકન ક્રિયાથી જ સંભવ છે અને એ વાત યોગ્ય પણ છે. લોકમાં પણ એ જ વ્યવસ્થા છે. પોતાના પરિણામ તો આપણે પોતે જાણીએ છીએ જ અને પરિણામોની પરંપરાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી પોતાના અભિપ્રાયને પણ યથા સંભવ જાણી શકીએ છીએ. આપણા સુખ-દુ:ખનો સંબંધ પણ અભિપ્રાય અને પરિણામોથી છે; માટે પોતાના અભિપ્રાયની
Page #100
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ, ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ., ૫. અને અ. ૯૧ ભૂલ તરતજ દૂર કરવી જોઇએ.
પ્રશ્ન :- બીજાઓનું મૂલ્યાંકન તેમની બાહ્ય ક્રિયાથી કરવું જોઇએ - આ કથનનો શો આશય છે ? શું ક્રિયા માત્રથી તેને પાપી કે ધર્માત્મા માની લેવાય ?
ઉત્તર :- બાહ્ય ક્રિયામાં પાપ પુણ્ય કે ધર્મ નથી, માટે ક્રિયા માત્રથી કોઇને પાપી કે ધર્માત્મા માનવાનો પ્રશ્ન જ નથી, પરંતુ માનવું ન માનવું એક જુદી વાત છે અને તેની સાથે પ્રેમ વિનય સન્માન આદિનો વ્યવહાર જુદી વાત છે. તે તો તેની સત્ ક્રિયાઓના આધાર પર જ સંભવ છે. એ જ પ્રકારે લોક નિંદ્ય પાપ ક્રિયાઓ ને આધારે જ કોઇની ઉપેક્ષા કે તેને સદુપદેશ આપવાનો વ્યવહાર થાય છે. શુભ ક્રિયાઓની પ્રશંસા, અનુમોદના, પ્રોત્સાહન વગેરે કરવા તથા અશુભ ક્રિયાઓની નિંદા કરવી - એ જ ક્રિયાના આધાર પર બીજાઓનું મુલ્યાંકન છે.
પ્રશ્ન :- ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં પહેલાં કોણ સુધરે છે ?
ઉત્તર :- આ તો બીજા અધ્યાયમાં જ કહેવામાં આવ્યું છે કે ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો આ ક્રમ તો સ્થૂલતા અને સૂક્ષ્મતાની અપેક્ષાએ રાખવામાં આવ્યો છે. સુધરવાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો અભિપ્રાય સુધર્યા વિના પરિણામ અને ક્રિયા નથી સુધરતા, કારણકે સમ્યગ્દર્શન વગર સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર નથી થતું. માટે પહેલાં અભિપ્રાય સુધરે છે પછી પરિણામ અને ક્રિયા સુધરે છે. માટે સુધરવાની અપેક્ષાએ અભિપ્રાય, પરિણામ અને ક્રિયા - આ ક્રમ સમજવો જોઇએ.
પ્રશ્ન :- અભિપ્રાયની ભૂલ સમજાવતી વખતે તો એવું જ કહેવામાં આવ્યું છે કે દ્રવ્યલિંગી મુનિની ક્રિયા અને પરિણામ તો સુધરી ગયાં છે, પણ અભિપ્રાય નથી સુધર્યો; માટે તેને મોક્ષમાર્ગ નથી મળતો; ત્યારે પહેલાં અભિપ્રાય સુધરે છે - આ નિયમ ક્યાં રહ્યો ?
ઉત્તર :- દ્રવ્યલિંગીની ક્રિયા અને પરિણામોને સુધરેલાં કે બગડેલાં કહેવામાં આવ્યા નથી. માત્ર એટલું જ કહેવાયું છે કે મહાવ્રતાદિરૂપે આચરણ
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
તથા મહામંદકષાય થયા બાદ પણ તેના અભિપ્રાયમાં ભૂલ રહે છે. દ્રવ્યલિંગીની ક્રિયા આગમાનુકૂળ હોય છે તથા તેના પરિણામ પણ ક્રિયાને અનુકૂળ શુભરૂપ થાય છે; તેને વ્યવહાર દૃષ્ટિ એ સુધરેલા પણ કહેવાય છે. વાસ્તવમાં ક્રિયા પર પરિણામોનો ઉપચાર કરી તેને સુધરેલા કે બગડેલા કહેવામાં આવે છે. પરિણામ જો રાગ-દ્વેષરૂપ હોય તો બગડેલા છે તથા કષાયોનો અભાવ હોય તો સુધરેલા કહેવાશે.
પ્રશ્ન:- પરિણામોને સુધરેલા કે બગડેલા ક્યા આધારે કહેવાય છે?
ઉત્તર:-પ્રયોજન કે ઉદ્દેશને આધારે જ પરિણામ સુધરેલા કેબગડેલા કહેવામાં આવશે. જો કોઈને બ્રહ્મચર્ય વ્રત લેવાનાં પરિણામ થતા હોયતો આત્મહિતની અપેક્ષાએ તે પરિણામ સુધરેલા કહેવાશે તથા ગૃહસ્થ જીવનમાં પ્રવેશ અને કુળવૃદ્ધિ કરવા માટે એ જ પરિણામ બગડેલા કહેવાશે.
અહીં તો મુક્તિનું પ્રયોજન છે, માટે જે પરિણામ મુક્તિના કારણ છે, તે બધા સુધરેલા જ છે, તથા જે પરિણામ બંધના કારણો છે, તે બધાં બગડેલા છે. મિથ્યા અભિપ્રાય સાથે થવાવાળા શુભ પરિણામ અને શુભક્રિયા પણ મિથ્યાપણાને પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન:- જો અભિપ્રાય, પરિણામો અને ક્રિયાથી નિરપેક્ષ અને સ્વતંત્ર છે તો અભિપ્રાયનું સ્વરૂપ સમજવા તથા અભિપ્રાયની વિપરીતતા દૂર કરવા માટે શા માટે કહેવામાં આવી રહ્યું છે? આ પુસ્તક લખવાની જરૂરીયાત પણ શું છે ?
ઉત્તર :- જો કે અભિપ્રાય પરિણામોથી નિરપેક્ષ છે, તો પણ પરિણામોની યોગ્યતા એવી છે કે જયાં સુધી વિપરીત અભિપ્રાય રહે ત્યાં સુધી કષાયનો અભાવ અર્થાત્ વીતરાગતાનો અંશ પણ પ્રારંભ થતો નથી. નિરપેક્ષતાની મર્યાદા માત્ર એટલી છે કે વિપરીત અભિપ્રાયના હોવા છતાં પણ તીવ્રતમ થી લઈ મંદતમ કષાય અર્થાત્ કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્ધ અને શુકલ - આ બધી વેશ્યાઓ હોઈ શકે છે; પરંતુ કષાયનો અભાવ થઇ શકતો નથી.
Page #102
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ, ૫. અને અ.
૯૩
પરિણામોની પણ એવી સ્વતંત્ર યોગ્યતા છે કે સમ્યફ અભિપ્રાય અર્થાત્ સમ્યગ્દર્શન થયા પછી અનંતાનુબંધી કષાય તો હોતી નથી, પરંતુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયમાં અવ્રત-સમ્યગ્દષ્ટિને પણ છએ લેશ્યાઓ. હોઇ શકે છે. જયારે માત્ર પ્રત્યાખ્યાન અને સંજવલન કષાયનો ઉદય હોય છે ત્યારે પીત, પદ્મ અને શુકલ આ ત્રણ લેશ્યાઓ જ હોય છે.
વિપરીત અભિપ્રાય સહિત ચારે આયુનો બંધ થઈ શકે છે, પરંતુ સમ્યફ અભિપ્રાય થયા પછી મનુષ્યને દેવાયુનો અને દેવને મનુષ્યાયુનો જ બંધ થાય છે. સમ્યગ્દર્શન થયા બાદ ભલે અસંખ્યાત વર્ષો વીતી જાય, પરંતુ ભવ તો ઘણાં ઓછા રહી જાય છે.
સમ્યગ્દર્શન થવાથી થોડા કાળમાં મુક્તિ અવશ્ય થાય છે, અર્થાત્ સંપૂર્ણ કષાયોનો ક્ષય અવશ્ય થાય છે. અર્ધપુદ્ગલ પરાવર્તનથી કંઇક ઓછાં સમય સુધી તેની સંસારમાં રહેવાની અધિકતમ સ્થિતિ છે. અનાદિ અનંત કાલ પ્રવાહમાં તો આ સમય સમુદ્રમાં એક ટીપા સમાન જ છે.
આ પ્રમાણે અભિપ્રાય અને પરિણામ સ્વતંત્ર હોવા છતાં તેમાં એટલો સંબંધ અવશ્ય છે કે વિપરીત અભિપ્રાયના રહેવાથી સંસાર-ભ્રમણનો અંત નથી થઇ શકતો અને સમ્યફ અભિપ્રાયના રહેવાથી વધારે સમય સુધી સંસારમાં પણ નથી રહી શકતો. આ અપેક્ષાએ પરસ્પર સાપેક્ષ પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન:- અભિપ્રાયનું બગડવું કે સુધરવું શું છે?
ઉત્તર :- મોક્ષમાર્ગના પ્રયોજનભૂત સાત તત્ત્વોની ભૂલ અર્થાત્ મિથ્યા-દર્શન-જ્ઞાન જ બગડેલો અભિપ્રાય છે; જેની ચર્ચા જિનાગમમાં મિથ્યાત્વના રૂપમાં કરવામાં આવી છે. પ્રયોજનભૂત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન જ સુધરેલો અર્થાત્ સમ્યફ અભિપ્રાય છે; જેની ચર્ચા સમ્યકત્વને રૂપે જિનાગમમાં ઉપલબ્ધ છે.
પ્રશ્ન :- આપે મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારને આધારે જ અભિપ્રાયની વ્યાખ્યા કરી છે, તેના સિવાય આ વિષયનું વર્ણન બીજે ક્યાં
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
ઉપલબ્ધ છે ?
ઉત્તર :- ચારે અનુયોગમાં વીતરાગતાનું પોષણ કરતા વસ્તુસ્વરૂપનું વર્ણન છે, અર્થાત્ બધાજ અનુયોગો પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે અભિપ્રાયને સમ્યક્ બનાવવાનું કથન કરે છે. જિનાગમના પ્રત્યેક પ્રકરણની યથાર્થ સમજ સમ્યક્-અભિપ્રાયની પોષક છે. વિશેષરૂપે દ્રવ્યાનુયોગમાં અજ્ઞાનીની માન્યતા અથવા મિથ્યાત્વના રૂપમાં મિથ્યા-અભિપ્રાયનું તથા જ્ઞાનીની માન્યતા અથવા તત્ત્વોના પ્રતિપાદનને રૂપે સમ્યક્-અભિપ્રાયનું જ વર્ણન છે. સમયસારાદિ પંચ પરમાગમમાં સમ્યગ્દર્શન અને તેના વિષયનું જ વિભિન્ન અપેક્ષાઓથી વર્ણન કરવામાં આવ્યું છે. નિયમસારમાં વર્ણિત પૂજિત, પંચમ, પરમપારિણામિકભાવ તથા સમયસારની પ્રતિપાદ્ય વસ્તુ નવતત્ત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ...ઇત્યાદિ બધાં પ્રકરણ સમ્યગ્દર્શન અર્થાત્ અભિપ્રાય માટે જ છે. મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથાથી સાતમા અધિકારમાં મિથ્યા-અભિપ્રાયનું વિસ્તારથી વર્ણન કરી તેના પર સશક્ત પ્રહાર કરવામાં આવ્યો છે. આઠમા તથા નવમા અધિકારમાં અભિપ્રાયને સમ્યક્ બનાવવાના ઉપાય કહેવામાં આવ્યા છે. યોગસાર, પરમાત્મપ્રકાશ, રત્નકાંડ શ્રાવકાચાર, પુરૂષાર્થસિદ્ધિયુપાય વગેરે બધા ગ્રંથો વસ્તુ-સ્વરૂપનું પ્રતિપાદન કરી મિથ્યાત્વનો નાશ કરવાને માટે જ લખવામાં આવ્યા છે. તત્તવાર્થસૂત્રાદિ આગમગ્રંથો પણ વ્યવહારનય દ્વારા વસ્તુનું પારમાર્થિક સ્વરૂપ બતાવે છે. ન્યાય શૈલીમાં લખાયેલા બધા ગ્રંથો પણ એકાન્તમતનું ખંડન કરી સર્વજ્ઞપ્રણિત અનેકાંત શાસનની વિજય પતાકા લહેરાવે છે.
આ યુગમાં આધ્યાત્મિક સત્પુરૂષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ ૪૫ વર્ષો સુધી મિથ્યાત્વ વિરૂદ્ધક્રાંતિનો શંખનાદ કરી અભિપ્રાયમાં પરિવર્તન અર્થાત્ સમ્યગ્દર્શનનો જ સંદેશ આપ્યો છે. તેમના પ્રવચનોને ગંભીરતાપૂર્વક સાંભળી અને વાંચીને આપણે પણ અભિપ્રાયની વિપરીતતા દૂર કરવાનો સાચો પુરૂષાર્થ કરી શકીએ છીએ.
પ્રશ્ન:- અભિપ્રાયની યથાર્થતા માટે આત્માનો નિર્ણય કેવા પ્રકારનો હોવો જોઇએ ?
Page #104
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ, ૫.અને અ.
૯૫
ઉત્તર:- સૌ પ્રથમ પોતાની વર્તમાન જ્ઞાનપર્યાયમાં જીવાદિતત્ત્વોનો યથાર્થ નિર્ણય થવો જોઇએ. જિનાગમમાં વર્ણવેલ દ્રવ્યાર્થિક તેમજ પર્યાયાર્થિક નયો અથવા નિશ્ચય અને વ્યવહાર નયો દ્વારા સામાન્ય વિશેષાત્મક પદાર્થનો યથાર્થ નિર્ણય કર્યા બાદ દષ્ટિ અર્થાત્ શ્રદ્ધા તો વિષયભૂત એક, અખંડ, સામાન્યરૂપ જ્ઞાયકભાવ જ હું છું – એવી દષ્ટિ થવી જોઇએ. આ પ્રકારે શ્રદ્ધા અને જ્ઞાન સ્વરૂપ-સન્મુખ થયાબાદ નિર્વિકલ્પ આત્મધ્યાન પ્રગટ થાય છે, જેના ફળસ્વરૂપે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે અને ક્રમશઃ ચારિત્રમાં વૃદ્ધિ થતાં મોક્ષફળ પ્રગટ થાય છે.
પ્રશ્ન:- શું શાસ્ત્રાભ્યાસ કરવાથી આવી દૃષ્ટિ થઇ શકે છે?
ઉત્તર:- ભાઇ! યથાર્થ દષ્ટિ કેદ્રવ્યદૃષ્ટિ તો વસ્તુ સ્વરૂપને યથાર્થ સમજવાથી થાય છે. શાસ્ત્રાભ્યાસ પણ તત્ત્વનિર્ણયનું બાહ્ય સાધન છે. જો નય વિવક્ષા સમજયા વિના વિપરીત દષ્ટિથી શાસ્ત્રાભ્યાસ કરીએ તો વિપરીત નિર્ણય થવાથી વિપરીત અભિપ્રાય જ પુષ્ટ થાય છે. દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ મુનિને પણ અગિયાર અંગ નવ પૂર્વ સુધીનું જ્ઞાન થઇ જાય છે, પરંતુ તેની દૃષ્ટિ વિપરીત જ રહે છે, માટે પોતાના મૂળ પ્રયોજનાની મુખ્યતાથી યથાર્થ દૃષ્ટિની પ્રધાનતા / મુખ્યતા રાખી શાસ્ત્રાભ્યાસ કરવો જોઇએ.
પ્રશ્ન:- યથાર્થ દૃષ્ટિની મુખ્યતાનો શો આશય છે?
ઉત્તર :- યથાર્થ દૃષ્ટિની મુખ્યતા/પ્રધાનતા અર્થાત્ જ્ઞાયક સ્વભાવનું જ પ્રાધાન્ય, કારણ કે જ્ઞાયક સ્વભાવ જ દષ્ટિનો વિષય છે. માટે શાસ્ત્રોના પ્રત્યેક પ્રકરણનું જ્ઞાન, માત્ર જાણવાનાં પ્રયોજનથી નહીં, પણ સ્વભાવની રુચિના પોષણના પ્રયોજનથી કરવું જોઇએ. હંમેશાં હું જ્ઞાયક છું” એવી જ રુચિ પુષ્ટ થવી જોઈએ. આપણી ચિન્તનધારા જ દષ્ટિ પ્રધાન થવી જોઇએ. અરે....પરના કર્તૃત્વ અને ભાતૃત્વની વાત તો દૂર, પર્યાયોના કર્તુત્વનો રસ પણ ઢીલો પડી નષ્ટ થઇ જવો જોઇએ. હું અજ્ઞાની છું, મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે, રાગનો અભાવ કરવો છે' - એવા વિકલ્પો પણ પર્યાયની મુખ્યતાથી છે, માટે જ્ઞાનમાં
Page #105
--------------------------------------------------------------------------
________________
ES
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલન
તેમને ગૌણ કરી દૃષ્ટિમાં તેમનો નિષેધ વર્તાવો જોઈએ.
પ્રશ્ન :- “મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે” આવા વિકલ્પો તો આત્માર્થી ને જ આવે છે. પંડિત દાનતરાયજીએ પણ લખ્યું છે - “ધિક-ધિક જીવન સમકિત બિના” માટે આવા વિકલ્પોનો નિષેધ કેમ કરી શકાય? શું તેમાં સ્વચ્છંદતા નહીં આવે?
ઉત્તર :- ભાઇ ! આવા વિકલ્પો પરિણામ (પર્યાય)ની અપેક્ષાએ છે, જયારે અહીં અભિપ્રાય અર્થાત્ શ્રદ્ધા કે દૃષ્ટિના વિષયની વાત થઈ રહી છે. માટે તો કહ્યું હતું કે નય-વિવક્ષા સમજીને શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. જે વાત કે વિચાર પરિણામોની અપેક્ષાએ યથાર્થ છે, પ્રશંસનીય છે, તે જ વાત કે વિચાર અભિપ્રાયની અપેક્ષાએ નિષિદ્ધ છે; કારણ કે જો તેમને અભિપ્રાયની અપેક્ષાએ પણ યથાર્થ માનવામાં આવે તો જ્ઞાયક સ્વભાવની મુખ્યતા છૂટી જવાથી મિથ્યાત્વનું જ પોષણ થશે. જ્ઞાયકની મુખ્યતામાં પરિણામોનો નિષેધ હોવાથી સ્વચ્છંદતા નહી, સમ્યગ્દર્શન થાય છે.
પ્રશ્ન :- “મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે, મુનિ બનીને કેવળજ્ઞાન પ્રગટ કરવું છે” ઇત્યાદિ વિકલ્પરૂપ અભિપ્રાયમાં જ્ઞાયકની મુખ્યતા કેવી રીતે છૂટી જશે ? શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ “અપૂર્વ અવસર એવો કયારે આવશે’? લખી મુનિ બનવાની તથા સર્વજ્ઞ થવાની ભાવના વ્યક્ત કરી છે?
ઉત્તર :- જ્ઞાયકભાવ તો પ્રમત-અપ્રમતના ભેદથી રહિત સહજ, જ્ઞાયક જ છે, તેમાં તો બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના ભેદ નથી; તો હું મિથ્યાદષ્ટિ છું, મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે એવા વિકલ્પો જ્ઞાયકની મુખ્યતાવાળી દૃષ્ટિમાં કેવી રીતે આવી શકે છે ? આવા વિકલ્પો તો પરિણામોની મુખ્યતામાં જ સંભવે છે. જો અભિપ્રાયમાં પરિણામોની મુખ્યતા હોય તો જ્ઞાયકની મુખ્યતા છૂટી જશે અને મિથ્યાત્વનું જ પોષણ થશે. જ્ઞાયકની મુખ્યતાવાળી દૃષ્ટિનો સ્વરતો એવો હોય છે કે “પરિણામ પરિણમી ગયા અને હું એમનો એમ જ રહી ગયો?” પૂજય ગુરુદેવશ્રી નું એ વાકય પ્રસિદ્ધ છે ‘દ્રવ્ય દૃષ્ટિ તે જ સમ્યગ્દષ્ટિ' અર્થાત્ દ્રવ્યદૃષ્ટિવંત જીવ જ
Page #106
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-s:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ, ૫. અને અ.
૧૭
સમ્યગ્દષ્ટિ છે.
આપ્રમાણે દષ્ટિપ્રધાન વિચારોના નિમિત્તે જ્ઞાયકસંબંધીના વિચાર વિકલ્પો પણ છૂટી જાય છે અને દૃષ્ટિ સ્વભાવમાં જામી જાય છે. સહજ નિર્વિલ્પ દશા થઇ જાય છે, મિથ્યા-અભિપ્રાય પલટાઇને સમ્યફ થઇ જાય છે, પરિણામોમાં વીતરાગતાનો અંશ પ્રગટ થઇ જાય છે અને ક્રિયા પણ ભૂમિકાનુસાર પરિણામોને અનુકૂળ સહજ થઈ જાય છે.
પ્રશ્ન :- જો દૃષ્ટિમાં પરિણામોની મુખ્યતાથી મિથ્યાત્વ હોય તો જિનાગમમાં અધિકાંશ કથનો પરિણામોની મુખ્યતાથી કેમ કરવામાં આવ્યા છે ?
ઉત્તર:- અરે ભાઇ! પરિણામ પણ વસ્તુનું જ સ્વરૂપ છે. તત્ત્વાર્થ સૂત્રમાં ઔદયિકાદિ પાંચ ભાવોને જીવનું સ્વતત્ત્વ કહેવામાં આવ્યાં છે. માટે પરિણામોને જાણવાનો નિષેધ કેવી રીતે થઇ શકે છે ? જો જાણવાની. અપેક્ષાએ તેમનો નિષેધ કરીશું તો હેય-ઉપાદેયનું જ્ઞાન કેમ થશે? માટે પરિણામોનો સર્વથા નિષેધ કરવો તો મિથ્યા એકાન્ત છે.
શું કરવું છે? તેનો જવાબ પરિણામોને યથાર્થ જાણવાથી મળે છે અને કેવી રીતે કરવું ? તેનો જવાબ દ્રવ્ય-સ્વભાવને જાણી તેના પર દૃષ્ટિ કરવાથી મળે છે. માટે પરિણામોનો નિષેધ, સર્વથા નહીંપણ કથંચિત્ અર્થાત્ દષ્ટિની અપેક્ષાએ કરવામાં આવ્યો છે. અને આ અપેક્ષાએ જ કરવામાં આવવો જોઈએ, કારણ કે જયાં સુધી પરિણામો પર દૃષ્ટિ રહેશે; અર્થાત્ તેઓમાં અહમપણું રહેશે, ત્યાં સુધી ત્રિકાળી સ્વભાવ ઉપર દૃષ્ટિ નહી જાય અને સમ્ય-જ્ઞાન-ચારિત્ર નહીં થાય. દષ્ટિમાં પરિણામોનો નિષેધ કરવો સમ્યફ એકાન્ત છે તથા જ્ઞાનમાં પણ પરિણામોનો નિષેધ થવો તે મિથ્યા એકાન્ત છે. ત્રિકાળી સ્વભાવ તેમજ પરિણામોનું યથાર્થ જ્ઞાન સમ્યફ અનેકાંત છે તથા એ બન્નેને સમાનરૂપથી ઉપાદેય માનવું મિથ્યા અનેકાંત છે.
જિનાગમમાં આત્મહિતના પ્રયોજનથી પુણ્ય-પાપરૂપ ભાવોનું તથા તેમના ફળનું ઘણું વર્ણન છે. એટલું જ નહી પણ પરિણામોનો ઉપચાર ક્રિયા
Page #107
--------------------------------------------------------------------------
________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
પર કરી ક્રિયાની ભાષામાં પણ બહુ ઉપદેશ આપવામાં આવ્યો છે. આખો ચરણાનુયોગ અને પ્રથમાનુયોગ એ જ શૈલીમાં લખાયા છે તથા દ્રવ્યાનુયોગમાં પરિણામોમાં એકત્વ અને કર્તૃત્વબુદ્ધિ છોડાવી દ્રવ્યદૃષ્ટિ કરાવવાના પ્રયોજનથી પર્યાયોથી ભિન્ન ત્રિકાળી જ્ઞાયકભાવનું વર્ણન કરવામાં આવ્યું છે.
૯૮
પ્રશ્ન :- કરણાનુયોગમાં વર્ણવેલી કર્મપ્રકૃતિઓ તથા ભૂગોળાદિના વર્ણનથી આત્મહિતના પ્રયોજનની સિદ્ધિ શી રીતે થાય છે ?
ઉત્તર :- જો આપણને સ્વર્ગ-નરક ત્રણ લોકાદિનું સામાન્ય જ્ઞાન પણ ન હોય તો પુણ્ય-પાપનું યથાર્થ જ્ઞાન પણ નહી થઇ શકે, કારણ કે પુણ્ય-પાપનું ફળ ભોગવવાના સ્થાનો તે જ છે. જો પુણ્ય-પાપનું ફળ સિદ્ધ ન થાય તો જીવનું સંસાર-ભ્રમણ, જન્મ-મરણ વગેરે પણ સિદ્ધ નહી થાય. પછી પર્યાયો પરથી દૃષ્ટિ ખસેડી દ્રવ્યદૃષ્ટિ કરવાની શી આવશ્યકતા રહે ? તેમજ કર્મપ્રકૃતિઓની ભાષામાં જીવના વિકારીભાવો તથા બાહ્ય સંયોગવિયોગની વ્યવસ્થાનું વર્ણન કરવામાં આવે છે. માટે કરણાનુયોગ પણ આત્મહિતના પ્રયોજનમાં સહાયક છે.
આ વિષયો ઊંડાણપૂર્વક અને સૂક્ષ્મતાથી સમજવાથી સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માનો મહિમા આવે છે. માટે દૃષ્ટિને સ્વભાવ સન્મુખ થવા માટે બળ મળે છે.
આ પ્રમાણે વિભિન્ન બિંદુઓથી ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું વિવેચન કરવામાં આવ્યું.
પ્રશ્ન :- આ વિષયને સમજવાથી શો લાભ છે ?
ઉત્તર :- આત્મહિત માટે આ પ્રકરણને સમજવું અત્યંત આવશ્યક છે. તેને સમજવાથી વસ્તુ-સ્વરૂપનો નીચે જણાવ્યાનુસાર નિર્ણય થાય છે. (૧) આત્મા બાહ્ય ક્રિયાઓનો કર્તા-ભોકતા નથી. (૨) માત્ર બાહ્યાચરણથી ધર્મ અર્થાત્ મુક્તિમાર્ગ નથી મળતો. (૩) માત્ર શુભ પરિણામોથી ધર્મ અર્થાત્ મુક્તિમાર્ગ નથી મળતો.
Page #108
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાંકિ, ૫. અને અ.
૯૯
(૪) અભિપ્રાયમાં વિપરીતતા રહેવાથી પરિણામોમાં વીતરાગતાનો
અંશ પણ પ્રગટ નથી થઈ શકતો. (૫) પર્યાયો પરથી દૃષ્ટિ હટાવી દ્રવ્ય-સ્વભાવ પર દષ્ટિ કરવાથી
જ અભિપ્રાય સમ્યફ થાય છે અને મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. " આ પ્રકારે યથાર્થ તત્ત્વનિર્ણય કરવાથી દષ્ટિ-સ્વભાવ-સન્મુખ થવાથી તત્કાળ મુક્તિમાર્ગ પ્રગટ થાય છે.
આપણે બધા આ વિષયને ઊંડાણપૂર્વક સમજી જિનાગમના આલોકમાં વસ્તુ-સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી એક, અભેદ, સામાન્ય, નિત્ય, જ્ઞાયક સ્વભાવની અનુભૂતિથી અભિપ્રાય અને પરિણામોને
સ્વસમ્મુખ કરીને અપુનર્ભવરૂપ શાશ્વત સિદ્ધપદ પ્રાપ્ત કરીએ - એવી ભાવના સાથે આ પ્રકરણ પૂર્ણ કરુ છું.
પ્રશ્ન - ૧. વ્યવહારાભાસી મિથ્યાદૃષ્ટિકોને કહેવાય? તે કેટલા પ્રકારના
હોય છે? તેઓનું સંક્ષિપ્ત સ્વરૂપ જણાવો. ૨. પંડિત ટોડરમલજીએ ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની ચર્ચા
ક્યા પ્રકરણમાં અને કેવા પ્રકારે કરી છે? ૩. ‘બાહ્ય ક્રિયા પર તો તેમની દૃષ્ટિ છે, પરિણામ સુધરવા
બગડવાનો વિચાર નથી' આ કથનની વ્યાખ્યા કરો. ૪. પરિણામોનું સુધરવું કે બગડવું શું છે? સ્પષ્ટ કરો. ૫. વ્યવહારાભાસીના ધર્માચરણમાં થનારી વિકૃતિઓનું
વિશ્લેષણ કરો. ૬. આપણી ભક્તિ પૂજા વગેરેમાં જોવા મળતી વિકૃતિઓની ચર્ચા
કરો.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
૭. ઉપવાસની ક્રિયામાં અજ્ઞાનીના પરિણામોની વિકૃતિનું વર્ણન કરો. તે સંદર્ભમાં ક્રિયા અને પરિણામોનો સુમેળ કેવી રીતે થાય છે ?
૮. ‘પરિણામોની પરંપરા' નો આશય સ્પષ્ટ કરો.
૯. ‘અભિપ્રાયની વાસના' નું સ્વરૂપ ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો. ૧૦. મહાવ્રત ધારણ કર્યા બાદ પણ અજ્ઞાનીના અભિપ્રાયમાં કઇ ભૂલ રહી જાય છે? વિસ્તારથી વિવેચન કરો. ૧૧.મિથ્યાદૃષ્ટિ મુનિ અને સમ્યગ્દષ્ટિ અવ્રતીની ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું તુલનાત્મક વિવેચન કરો.
૧૨.વિષય સેવન અને પરિષહાદિ સહન કરવામાં અજ્ઞાની અને જ્ઞાનીના પરિણામોનું તુલનાત્મક વિવેચન કરો.
૧૩.અભિપ્રાય, પરિણામ અને ક્રિયાને સુધારવાના ક્યા ક્યા ઉપાય છે ? શું શાસ્ત્રાભ્યાસ કરવાથી અભિપ્રાય અને પરિણામ સુધરી શકે?
૧૪. ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની કસોટી પર પોતાનું અને બીજાઓનું મૂલ્યાંકન ક્યા પ્રકારે કરવું જોઇએ ?
૧૫. સમ્યક્ અભિપ્રાય કેવો હોય છે ?
ભાઇ ! એક વાર હરખ તો લાવ કે અહો ! મારો આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે; મારા આત્માની તાકાત હણાઇ ગઇ નથી. ‘અરેરે ! હું હીણો થઇ ગયો, વિકારી થઇ ગયો, હવે મારું શું થશે ?' એમ ડર નહિ, મુંઝાઇશ નહિ, હતાશ થા નહિ. એક વાર સ્વભાવનો ઉત્સાહ લાવ. સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ.
પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી
Page #110
--------------------------------------------------------------------------
________________
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયના વસ્તુનિષ્ઠ પ્રશ્ન
ક્રિયા, પરિણામ અને અભિપ્રાય ના વસ્તુનિષ્ઠ પ્રશ્ન
(નોંધ - જો કે ચાર જવાબોમાંથી એક થી વધારે જવાબ પણ સાચા હોઇ શકે છે, તોપણ અહીંયાં અધ્યાયની વિષય વસ્તુ ના આધારે જવાબ શોધીને ખાલી જગ્યા ભરો.)
પ્રશ્ન ૩:
અધ્યાય
પ્રશ્ન ૧ : જીવ બે હજાર થી કંઇક વધારે સાગરમાંથી ........સ્વર્ગ માં વિતાવે છે.
(૧) ૭૪૦ સાગર (૩) ૬૬ સાગર
પ્રશ્ન ૨ : મિથ્યાત્વી જીવ ને વધારેમાં વધારે
હોય છે. (૧) ૧૧ અંગનું
(૩) ૧૧ અંગ ૯ પૂર્વનું
પ્રશ્ન ૬ : પરિણામ
-
૧
(૧) સુખ (૩) દર્શનમોહ
(૨) ૧૩૨૦ સાગર
(૪) ૧૨૬૦ સાગર
રહે છે. (૧) લોક
(૩) શાસ્ત્ર
પ્રશ્ન ૪ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું વર્ણન
આવે છે. (૧)વ્યવહારાભાસી (૩) ઉભયાભાસી
પ્રશ્ન ૫: પેકિંગ (આવરણ) વગર ના
(૧) સિદ્ધ જીવ
(૩) ધર્માસ્તિકાય
(૨) ૧૧ અંગ ૧૪ પૂર્વનું (૪) ૧૨ અંગનું
અધ્યાય - ૨
.નું અંતરંગ સ્વરૂપ નહીં જાણવાથી પુરૂષાર્થની વિપરીતતા
(૨) રત્નત્રય
(૪) અરહંત
૧૦૧
ક્ષયોપશમજ્ઞાન
(૨) પુદ્ગલ પરમાણુ (૪) ઉપરના બધા
ની પર્યાય છે
(૨)નિશ્ચયાભાસી
(૪) સમ્યકત્વસન્મુખ મિથ્યાદૃષ્ટી
છે.
(૨) ચારિત્ર
(૪) ક્ષયોપશમ જ્ઞાન
પ્રકરણમાં
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
અધ્યાય - ૩ પ્રશ્ન ૭: ક્રિયા-પરિણામ માં ....................સંબંધ છે.
(૧) પરિણામ-પરિણામી (૨) કર્તા-કર્મ
(૩) નિમિત્ત-નૈમિત્તિક (૪) નિષેધ્ય-નિષેધક પ્રશ્ન 2: ચોથા ગુણસ્થાનમાં મુખ્યતઃ................માં નિર્મલતા આવે છે. (૧) શ્રદ્ધા
(૨) જ્ઞાન (૩) શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર (૪) જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય પ્રશ્ન :: અભિપ્રાયની વિપરીતતામાં...................નિમિત્ત છે.
(૧) ચારિત્રમોહ (૨) દર્શનમોહ (૩) ક્રિયા
(૪) પરપદાર્થ
અધ્યાય - ૪ પ્રશ્ન ૧૦ : સૂક્ષ્મતાથી સ્થૂલતાના ક્રમમાં ક્રિયા-પરિણામ-અભિપ્રાયનો ક્રમાં
.......... છે. (૧) ક્રિયા-પરિણામ-અભિપ્રાય (૨) પરિણામ-ક્રિયા-અભિપ્રાય
(૩) ક્રિયા-અભિપ્રાય-પરિણામ (૪) અભિપ્રાય-પરિણામ-ક્રિયા પ્રશ્ન ૧૧:પરિણામની દશા.................નિર્ધારિત હોય છે.
(૧) ગુરૂજી દ્વારા (૨) ક્રિયા દ્વારા (૩) અભિપ્રાય દ્વારા (૪) ફળ દ્વારા
અધ્યાય - ૫ પ્રશ્ન ૧૨ : જીવન પર સીધો પ્રભાવ ............... નો પડે છે. (૧) ક્રિયા
(૨) પરિણામ (૩) અભિપ્રાય (૪) ઉપરના બધા પ્રશ્ન ૧૩: વાસ્તવિક સુખ દુઃખનો સંબંધ ...............છે.
(૧) ક્ષયોપશમ (૨) રાગ-દ્વેષ (૩) અભિપ્રાય
(૪) ક્રિયા પ્રશ્ન ૧૪: જીવ .................નું ફળ ભોગવે છે. (૧) પરિણામો.
(૨) ક્રિયા-પરિણામો (૩) અભિપ્રાય-પરિણામોં (૪) કર્મો
Page #112
--------------------------------------------------------------------------
________________
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયના વસ્તુનષ્ઠ પ્રશ્ન
૧૦૩
અધ્યાય - ૬ પ્રશ્ન ૧૫ : વ્યવહારાભાસીઓમાં .................. બેઇમાન મિથ્યાદષ્ટિ છે.
(૧) કુલ અપેક્ષા ધર્મધારક (૨) પરીક્ષા રહિત આજ્ઞાનુસારી
(૩) ધર્મબુદ્ધિ થી ધર્મધારક (૪) સાંસારિક પ્રયોજનાર્થ ધર્મધારક પ્રશ્ન ૧૬: ...............બગડેલા પરિણામ કહેવાય છે.
(૧) નિમ્નોત કોઇ નહીં (૨) ક્રિયાથી વિપરીતા
(૩) અભિપ્રાયથી વિપરીત (૪) ક્રિયા-અભિપ્રાયથી વિપરીત પ્રશ્ન ૧૭: અભિપ્રાય ની યથાર્થતા અયથાર્થતા...................આધારિત છે.
(૧) વસ્તસ્વરૂપાનુસાર (૨) ક્રિયાનુસાર
(૩) પરિણામોનુસાર (૪) લૌકિક માન્યતાનુસાર પ્રશ્ન ૧૮: પંડિત ટોડરમલજીએ વાસનાનો અર્થ ...............કર્યો છે.
(૧) મનની વિપરીતતા (૨) સાત તત્ત્વનું અયથાર્થ શ્રદ્ધાના
(૩) વિષય ભોગની લાલસા (૪) પરસ્ત્રીના પ્રતિ ખોટો ભાવા પ્રશ્ન ૧૯: ...............થી ક્રિયા-પરિણામમાં સંતુલન થઇ શકે છે.
(૧) ધ્યાન લગાવા (૨) શાસ્ત્ર વાંચવા
(૩) રાગાદિ દૂર થવા (૪) ઉપરના બધા પ્રશ્ન ૨૦ : માત્ર દ્રવ્યલિંગી નું ગુણસ્થાન ................. છે. (૧) પહેલું
(૨) ત્રીજું (૩) ચોથું
(૪) પહેલા થી પાંચમા સુધી પ્રશ્ન ૨૧: કોઇ જીવને ................... ફળ મળે છે.
(૧) પોતાની પ્રતીતિ અનુસાર (૨) શાસ્ત્રાનુસાર
(૩) કૃત-સાધનાનુસાર (૪) જ્ઞાનાનુસાર પ્રશ્ન ૨૨ : ઘાતિ કર્મ નો બંધ ............... થાય છે.
(૧) કષાય શક્તિના અનુસાર (૨) બાહ્ય પ્રવૃતિના અનુસાર
(૩) ક્રિયા અનુસાર ' (૪) ઉપરોક્ત કોઇ નહીં પ્રશ્ન ૨૩: સમ્યકત્વી દ્રવ્યલિંગી ની ભક્તિ ............... ના કારણે કરે છે. (૧) સમ્યકત્વ
(૨) વ્યવહાર ધર્મ (૩) લોક માન્યતા (૪) નમ્રતા પ્રશ્ન ૨૪: સુધરવાની અપેક્ષા એ ક્રિયા-પરિણામ-અભિપ્રાયનો ક્રમ
......... છે. (૧) અભિપ્રાય-પરિણામ-ક્રિયા (૨) અભિપ્રાય-ક્રિયા-પરિણામ (૩) પરિણામ-ક્રિયા-અભિપ્રાય (૪) ક્રિયા-પરિણામ-અભિપ્રાય
Page #113
--------------------------------------------------------------------------
________________
ચિમૂરતિ દગધારી...! ચિમૂરતિ દગધારી કી મોહે રીતિ લગત હૈ અટાપટી ટેકા બાહર નારક-કૃત દુ:ખ ભોગે, અંતર સુખરસ ગટગટી | રમત અનેક સુરનિ સંગ પે તિસ, પરાતિ સેંનિત હટાહટી II જ્ઞાન-વિરાગ શકિતăવિધિફલ, ભોગત પૈ વિધિ ઘટાઘટી! સદન-નિવાસી તદપિ ઉદાસી, તાતેં આસ્રવ છટાઇટી શા જે ભવહેતુ અબુધ કે, તે તસ કરત બંધ કી ઝટાઝટી | નારક-પશુ-તિર્યંચ વિકલત્રય, પ્રકૃતિન કી હૈ કટાકટી in૩મા સંયમ ધર ન સકે ૫, સંયમ ધારણ કી ઉર ચટાચટી ! તાસુ સુયશ-ગુણ કો ‘દોલત’ કે, લગી રહે નિત રટારટી જા.
=
=
એક રાગ-હરની પરનતિ સબ જીવન કી, તીન ભાઁતિ વરની ! એક પુણ્ય, એક પાપ, એક રાગ-હરની ટેકા તામું શુભ-અશુભ અંધ, દોય કરે કર્મબંધ | વીતરાગ પરિણતિ હી, ભવસમુદ્ર-તરની ||૧|| જાવત શુદ્ધોપયોગ, પાવત નાહીં મનોગ | તાવત હી કરન જોગ, કહી પુણ્ય કરની ચા ત્યાગ શુભક્રિયા-કલાપ, કરો મત કદાચ પાપ | શુભ મેં હોય મગન ના, શુદ્ધતા વિસરની 13મા ઊંચ-ઊંચ દશા ધારિ, ચિત-પ્રમાદ કો વિડારિ | ઊંચલી દશા હૈ મતિ, ગિરો અધો-ધરની ૪ો. ‘ભાગચંદ' યા પ્રકાર, જીવ લહે સુખ અપાર | યાતે નિરધાર સ્યાદ્-વાદ કી ઉચરની //૪તા.
Page #114
--------------------------------------------------------------------------
________________
ભૂધર કો નિકસે...
અબ મેરે સમકિત સાવન આયો ટેકા વીતિ કુરીતિ મિથ્યામતિ ગ્રીષ્મ, પાવન સહજ સહાયો ૧. અનુભવ દામિનિ દમકન લાગી, સુરતિ ઘટાઘન છાયો ! બોલે. વિમલ વિવેક પપીહા, સુમતિ સુહાગિન ભાયો શા ગુરુ ધુનિગરજ સુનત સુખ ઉપજે, મોર સુમન વિ-હસાયો ! સાધક-ભાવ અંકૂર ઉઠે બહુ, જિત-તિત હરષ સવાયો 13. ભૂલ-ધૂલ કહિ મૂલ ન સૂઝત, સમરસ જલ ઝર લાયો ! ભૂધર કો નિકસે અબ બાહિર, નિજ નિરચું ઘર પાયો જા.
યહ સીખ સયાની જીવન કે પરિનામનિ કી યહ, અતિ-વિચિત્રતા દેખહુ જ્ઞાની ટેકા. નિત્યનિગોદ માહિ તેં કઢકર, નર-પરજાય પાય સુખદાની ! સમકિત લહિ અંતર્મુહૂર્ત મેં, કેવલ પાય વેરે શિવરાની ના મુનિ એકાદશ ગુણથાનક ચઢિ, ગિરત તહાં સેંચિતભ્રમ ઠાની ભમત અર્ધપુદ્ગલ પરિવર્તન, કિંચિત્ ઉન કાલ પરમાની શા નિજ પરિનામનિ કી સંભાલ મેં, તારેંગાફિલ મત હો પ્રાની | બંધ-મોક્ષ પરિનામનિ હી સોં, કહત સદા શ્રી જિનવર વાની II સકલ ઉપાધિ નિમિત્ત ભાવનિ સોં, ભિન્ન સુનિજપરનતિ કો છાની! તાહિ જાનિ રુચિ ઠાનિ હોહુ થિર, ‘ભાગચંદ’ યહ સીખ સયાની જા
Page #115
--------------------------------------------------------------------------
________________
आवश्यक नोट्स
Page #116
--------------------------------------------------------------------------
_