________________
પs
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
આ વાત પણ ઊંડાણથી વિચારવા જેવી છે કે દેવ-પૂજા, સ્વાધ્યાય, સંયમ વગેરે વ્યવહાર ધર્મનું પ્રયોજન તો આત્મહિત પોષક છે જયારે કે સંસ્થાઓની ધાર્મિક પ્રવૃત્તિઓના સંચાલન માટે કાર્ય કરવું વ્યવહાર ધર્મનું અંગ નથી. તે તો ધર્મ પિપાસુજીવો માટે કરવામાં આવેલી સેવા છે. વ્યવહાર ધર્મ તો પ્રત્યેક સાધકના જીવનમાં અનિવાર્યરૂપે સહજ થાય છે, જયારે કે સંસ્થાઓમાં સેવા આપવી અનિવાર્ય વ્યવહારધર્મ નથી. એ વાત અલગ છે કે આત્માર્થી જીવ એ કાર્યોથી પણ માન-લોભાદિનું પોષણ ન કરતા અધ્યાત્મ રસનું જ પોષણ કરે.
ચોથા પ્રકારના જીવો કોઈને બતાવવા નહીં પણ મુક્તિ પ્રાપ્ત કરવા ધર્માચરણ કરે છે, પરંતુ શુભભાવ અને બાહ્ય-ક્રિયામાં ધર્મ માને છે. આ માન્યતા પણ વ્યવહારાભાસ છે. માટે તેઓને ઇમાનદાર મિથ્યાદષ્ટિ' કહી શકાય. ધર્મ ધારક શબ્દ ધાર્મિક ક્રિયા અને શુભ પરિણામનો વાચક છે તથા ‘ધર્મબુદ્ધિ’ શબ્દ તે ક્રિયા અને શુભભાવમાં ધર્મ માનવારૂપ મિથ્યા અભિપ્રાયનો વાચક છે. બાહ્યક્રિયા અને શુભભાવમાં ધર્મ માનવો જ પેકિંગ ને “માલ” માનવા સમાન વિપરીત અભિપ્રાય છે, જેને વ્યવહારાભાસ કહેવામાં આવ્યો છે.
ઉપરના વ્યવહારાભાસી પ્રકરણના સંદર્ભમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં થવાવાળી વિપરીતતાનું વર્ણન કર્યા પછી સમ્યફચારિત્ર માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં થવાવાળી વિપરીતતાનું વર્ણન કરતા પંડિતજીએ ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
પ્રકરણની શરૂઆત કરતા સૌ પ્રથમ ક્રિયા અને પરિણામનું વર્ણન નીચે જણાવેલ વાકયાંશ વડે કર્યું છે.
‘બાહ્ય ક્રિયા પર તો તેમની દૃષ્ટિ છે અને પરિણામ સુધરવાબગડવાનો વિચાર નથી.”
ઉપરના વાકયાંશમાં સ્પષ્ટ કર્યું છે કે સમ્યફચારિત્રની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ વ્યવહારાભાસી જીવ બાહ્ય ક્રિયા પર દ્રષ્ટિ રાખે છે અર્થાત્