________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
અને ચારિત્રમાં વિપરીતતા આવે છે. અભિપ્રાયનો અર્થ મિથ્યાત્વ જ હોય એમ નથી. તે શબ્દ શ્રદ્ધાગુણની સામાન્ય પરિણતિનો પણ વાચક છે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એ બન્ને અભિપ્રાયના જ વિશેષ રૂપ છે. ‘મિથ્યાદર્શન’ અર્થાત્ મિથ્યા અભિપ્રાય તથા ‘સમ્યગ્દર્શન’ અર્થાત્ સમ્યક્ અભિપ્રાય સમજવો જોઇએ.
१०
‘મિથ્યા’ અને ‘સમ્યક્' અભિપ્રાયવાળા જીવોને ક્રમશ: મિથ્યાદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. અહીં ‘દૃષ્ટિ’ શબ્દનો પણ ‘અભિપ્રાય’ ને માટે પ્રયોગ થાય છે. મિથ્યાદષ્ટિ અર્થાત્ વિપરીત છે ‘દૃષ્ટિ’ જેની, તેમજ સમ્યગ્દષ્ટિ અર્થાત્ યથાર્થ છે દૃષ્ટિ જેની, એમાં જ્ઞાનની વિપરીતતા કે યથાર્થતા પણ સામેલ છે.
આધ્યાત્મિક સત્પુરૂષ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી તો પોતાના પ્રવચનમાં સમ્યગ્દર્શન માટે મહદંશે ‘દૃષ્ટિ’ શબ્દનો જ પ્રયોગ કરે છે. તેમનો આ પ્રયોગ એટલો બધો પ્રચલિત થયો છે કે મુમુક્ષુ સમાજ પણ પરસ્પર ચર્ચા, પ્રવચન, ગોષ્ટી વગેરેમાં સમ્યગ્દર્શન માટે ‘દૃષ્ટિ’ શબ્દનો પ્રયોગ કરવા લાગ્યો છે. ‘દૃષ્ટિનો વિષય' પ્રકરણ આજે મુમુક્ષુ સમાજનો સર્વાધિક ચર્ચિત અને પ્રિય વિષય છે. ડૉ. હુકમચંદજી ભારિલ્લ એ ‘દૃષ્ટિ કા વિષય’ પુસ્તક લખી સમ્યગ્દર્શનનો વિષય જ સ્પષ્ટ કર્યો છે. આ કથન ‘દૃષ્ટિ પ્રધાન’ છે તથા આ કથન ‘જ્ઞાન પ્રધાન’ છે -એવી ચર્ચા પણ મુમુક્ષુઓમાં બહુ ચાલે છે.
‘દૃષ્ટિ’ અને ‘અભિપ્રાય' શબ્દનો પ્રયોગ અપેક્ષાના અર્થમાં પણ કરવામાં આવે છે. ‘દ્રવ્ય દૃષ્ટિ થી વસ્તુ નિત્ય છે અને પર્યાય દૃષ્ટિથી વસ્તુ અનિત્ય છે.’ આ કથનમાં દ્રવ્યદૃષ્ટિ અર્થાત્ ‘દ્રવ્યની અપેક્ષાએ’ તથા પર્યાય દૃષ્ટિ અર્થાત્ ‘પર્યાયની અપેક્ષાએ’ સમજવું જોઇએ.
આ કથન અમુક નયની દૃષ્ટિ અથવા અપેક્ષાથી છે, તથા આ કથન પ્રમાણદૃષ્ટિ અર્થાત્ પ્રમાણની અપેક્ષાથી છે - એવા પ્રયોગ પ્રવચનોમાં, ચર્ચાઓમાં તથા જિનાગમમાં પણ ઘણા જોવા મળે છે. નયચક્રકાર આચાર્ય