________________
અધ્યાય - ૨ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
૧૧
માઇલ્ડ ધવલ લખે છે :
જે ણયદિક્ટ્રિવિણા તાણ ણ વધૂ સહાય ઉવલદ્ધિ
આ ગાથામાં નય અર્થાત્ વિવક્ષા કે અપેક્ષાને માટે નયદૃષ્ટિ શબ્દનો પ્રયોગ કરાયો છે.
આ પ્રમાણે પ્રમેયકમલમાર્તડમાં નય ની વ્યાખ્યા સમજાવતાં ‘જ્ઞાતાનો અભિપ્રાય” કહેવામાં આવ્યું છે. તેમનું મૂળ કથન નીચે મુજબ છે:
અનિરાકૃત પ્રતિપક્ષો વવંશગ્રાહી જ્ઞાતુરભિપ્રાયો નય.'
આ વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે નય “અભિપ્રાય’ શબ્દનો પર્યાયવાચી પણ છે. નય શ્રુતજ્ઞાનાત્મક છે. માટે “અભિપ્રાય’ શબ્દ પણ નયાત્મક શ્રુતજ્ઞાન માટે વપરાય છે. આ વિવેચન પરથી એ નિષ્કર્ષ નિકળે છે કે જયારે નયો અથવા અપેક્ષાના સંદર્ભમાં “અભિપ્રાય’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો અભિપ્રાય ને શ્રુતજ્ઞાનની નયાત્મકપર્યાય સમજવી જોઈએ અને જયારે ક્રિયા અને પરિણામ સાથે અભિપ્રાય’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો તેને શ્રદ્ધા ગુણની પર્યાય સમજવી જોઈએ. તેમાં મિથ્યાજ્ઞાન પણ સામેલ છે.
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો ક્રમ
મુક્તિમાર્ગ પ્રગટ કરવા માટે સૌ પ્રથમ વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરી અભિપ્રાયની ભૂલ સુધારી યથાર્થ અભિપ્રાય પ્રગટ કરવામાં આવે છે. સમ્યફ અભિપ્રાય થયા બાદ પરિણામોમાં વીતરાગભાવની વૃદ્ધિ થવા લાગે છે અને શેષ રહેલા શુભ રાગને નિમિત્તે યથાયોગ્ય ધાર્મિક ક્રિયાઓ પણ થાય છે. માટે યથાર્થતાની અપેક્ષા અભિપ્રાય, પરિણામ અને ક્રિયા - એવો ક્રમ હોવો. જોઈએ. પરંતુ સ્થૂળતાથી સૂક્ષ્મતાના ક્રમની અપેક્ષાએ ક્રિયા, પરિણામ અને અભિપ્રાય એવો ક્રમ રાખવામાં આવ્યો છે.