________________
જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટે મને આજીવિકાની ચિંતાથી પણ મુક્ત કરીને અધ્યાત્મ રસપાન કરવાનો માર્ગ મોકળો કરી દીધો.
સન ૧૯૭૧ થી દશલક્ષણ પર્વ તેમજ અન્ય અવસરો પર પ્રવચનાર્થે બહાર જવાનો પ્રારંભ થયો. પૂજય ગુરુદેવશ્રીના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે સાતમા અધિકારથી ઉત્તમ અને સરળ માધ્યમ બીજું શું હોઈ શકે? આગમનો અભ્યાસ કરવા ઉપરાંત પણ અભિપ્રાયની ભૂલોનું તલસ્પર્શી પરંતુ સરળ, સ્પષ્ટ અને બધાથી જુદુ વિવેચન જેવું આમાં કરવામાં આવ્યું છે, તેવું બીજે દુર્લભ છે.
ન જાણે કયારે મારું ધ્યાન “સમ્યફ ચારિત્રનું અન્યથાસ્વરૂપ’ પ્રકરણના પ્રથમ ફકરામાં બતાવેલ ક્રિયા, પરિણામ અને અભિપ્રાય શબ્દો પર ગયું અને છેલ્લાં ૧૫-૨૦ વર્ષોથી એ શબ્દો સાતમા અધિકાર પર પ્રવચનના કેન્દ્રબિન્દુ બની ગયા. ત્યારથી આજ સુધી સેંકડો વાર એ વિષય પર સમાજમાં ચર્ચા કરવાનો અવસર મળ્યો અને તેમાં અનેક નવા-નવા બિન્દુઓ સામેલ થતા ગયા.
અનેક વિદ્યાર્થીઓ અને સાધર્મી બધુઓનો વારંવાર પ્રબળ આગ્રહથવા. લાગ્યો કે આ ચિન્તન ને પુસ્તકરૂપ આપવામાં આવે. તે પહેલાં પૂજય ગુરદેવના પ્રવચનોનો ગુજરાતીમાંથી હિન્દી અનુવાદ કરવાનો તથા ભકિત ગીત લખવાનો અવસર તો મળ્યો હતો પરંતુ કોઇ વિષય પર પુસ્તક લખવાનું સાહસ કરી શકયો. ન હતો.
મારા મિત્ર અખિલ બંસલ ક્યારેક-ક્યારેક કહેતા, ‘અભયજી, આપ પણ કોઈ પુસ્તક લખી નાખો” ત્યારે મને તત્કાલ વિચાર આવતો કે પૂજ્ય ગુરુદેવશ્રી એ અથાહ જિનાગમનો પૂરો મર્મ ખોલી એટલો માલ પીરસ્યો છે કે આખું જીવન ખાઇએ તો પણ કદી ઓછો ન થાય. તેમના અનન્ય શિષ્ય ડૉ. ભારિફ્લજીએ પણ અધ્યાત્મના લગભગ પ્રત્યેક ભાગ પર બધી વિધાઓમાં હજારો પાના લખ્યા છે જે લાખો લોકો સુધી પહોંચ્યા છે. હવે મારા માટે કોઇ અલિખિત વિષય જ બચ્યો નથી અને ન મારામાં તેમના જેવી પ્રતિભા છે. માટે ગુરુદેવના પ્રવચનો તેમજ છોટે દાદાની લેખણીને પ્રવચનો અને કક્ષાઓના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવાના બહાને પોતે તેનું રસપાન કરવું શ્રેયસ્કર છે. એવી અનુભૂતિ થયા બાદ પણ આ પુસ્તક લખાયું એજ તેની ઉપાદાનની યોગ્યતા નું પ્રબળ પ્રમાણ
સન ૨૦૦૨માં લેખનકાર્ય પ્રારંભ થયું અને મે ૨૦૦૨ માં દેવલાલી આયોજિત પ્રશિક્ષણ શિબિરના પ્રસંગે અનેક વિદ્વાનો તેમજ અન્ય સાધર્મીજનોને