________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
મિથ્યાત્વ અને અજ્ઞાન દશામાં પણ આ જીવ મંદ કષાયોના કેટલા ઉત્કૃષ્ટબિન્દુ સુધી પહોંચી જાય છે – એ વાતનો ઉલ્લેખ કરી આચાર્યકલ્પ પડિતપ્રવર ટોડરમલજી લખે છે :
દ્રવ્યલિંગી મુનિ અંતિમ રૈવેયક સુધી જાય છે તથા પંચ પરાવર્તનોમાં એકત્રીસ સાગર સુધીની દેવાયુની પ્રાપ્તિ અનંતવાર થવીલખી છે; હવે એવા ઉચ્ચપદ તો ત્યારે જ પામે કે જયારે અંતરંગ પરિણામપૂર્વક મહાવ્રત પાળે, મહામંદ કષાયી હોય, આ લોક-પરલોકના ભોગાદિની ઇચ્છારહિત હોય; તથા કેવળ ધર્મબુદ્ધિથી મોક્ષાભિલાષી બની સાધન સાધે. એટલા માટે દ્રવ્યલિંગીને ધૂળ અન્યથાપણું તો છે નહિ, પણ સૂક્ષ્મ અન્યથાપણું છે તે સમ્યગ્દષ્ટિને ભાસે છે.”
સમ્યજ્ઞાનના મહિમાના પ્રકરણમાં માત્ર બાહ્યાચરણ અને શુભ પરિણામોની નિરર્થકતા દર્શાવતા કવિવર પંડિત દોલતરામજી છઢાળાની ચોથી ઢાળના પાંચમા છંદમાં લખે છે :
કોટિ જન્મ તપ તપૈ', જ્ઞાન બિન કર્મ ઝરે છે; જ્ઞાની કે છિન માંહિ, ત્રિગુપ્તિ તેં સહજ ટરે તે મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાયૌ; પૈ નિજ આતમ જ્ઞાન બિના, સુખ લેશ ન પાયો. |
આ જ આશયના માર્મિક વિચાર શ્રીમાજચંદ્રજીએ નીચે જણાવેલ પંક્તિઓમાં વ્યક્ત કર્યા છે :યમ-નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પા લગાય દિયો III મન પીન નિરોધ સ્વબોધ કિયો, હઠયોગ પ્રયોગ સુ તાર ભયો, જપ ભેદ જપ તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહિ સબપે ૨ાા સબ શાસ્ત્રી કે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે | વહ સાધન બાર અનંત કિયો, તદપિ કg હાથ હજુ ન પ ||૩|| “મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી : પાનુ - ૨૫૪