SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના વિના મોક્ષમાર્ગનો પ્રારંભ થતો નથી. પ્રશ્ન :- જો આપનો ઉદ્દેશ માત્ર ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું વિશ્લેષણ કરવાનો છે, કોઇની નિંદા-પ્રશંસા કરવાનો નથી, તો પછી શરૂઆતથી જ શુભાચરણ અને શુભભાવો હોવા છતાં પણ મોક્ષમાર્ગ ન હોવાની વાત કેમ કરવામાં આવી છે? ઉત્તર :- ઉપર કહેલ તથ્ય સ્પષ્ટ કર્યા વિના અમે ‘અભિપ્રાય’ની શોધ કરવા પ્રયત્નશીલ જ થઇ શકતા નથી. જો શુભક્રિયા અને શુભભાવ માત્ર થી જ મોક્ષમાર્ગ થઈ જતો હોય તો અભિપ્રાયની ચર્ચા કરવાની જરૂર જ ન પડતી; પણ એમ બનતું નથી, માટે આ વિષય પર ગંભીર મનન-ચિંતના જરૂરી છે. પ્રશ્ન - આ જીવ શું ઇચ્છે છે અને કોનાથી ડરે છે? આ જીવે સુખી થવા માટે કયા પ્રયત્નો અનંતવાર કર્યા અને તેઓનું શું ફળ મળ્યું? આ અનુશીલનનો ઉદ્દેશ શું છે? ૩. મને બહારનું કાંઇક જોઈએ એમ માનનાર ભિખારી છે. “મને મારો એક આત્મા જ જોઇએ, બીજું કાંઇ ન જોઇએ” એ માનનાર બાદશાહ છે. આત્મા અચિત્ય શકિતઓનો ધણી છે. જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદસ્વરૂપ જાગતી જયોત અનુભવમાં આવી શકે છે. - પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી
SR No.009192
Book TitleKriya Parinam ane Abhipray
Original Sutra AuthorN/A
AuthorAbhaykumar Jain, Deepak M Jain
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy