________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
વિના મોક્ષમાર્ગનો પ્રારંભ થતો નથી.
પ્રશ્ન :- જો આપનો ઉદ્દેશ માત્ર ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું વિશ્લેષણ કરવાનો છે, કોઇની નિંદા-પ્રશંસા કરવાનો નથી, તો પછી શરૂઆતથી જ શુભાચરણ અને શુભભાવો હોવા છતાં પણ મોક્ષમાર્ગ ન હોવાની વાત કેમ કરવામાં આવી છે?
ઉત્તર :- ઉપર કહેલ તથ્ય સ્પષ્ટ કર્યા વિના અમે ‘અભિપ્રાય’ની શોધ કરવા પ્રયત્નશીલ જ થઇ શકતા નથી. જો શુભક્રિયા અને શુભભાવ માત્ર થી જ મોક્ષમાર્ગ થઈ જતો હોય તો અભિપ્રાયની ચર્ચા કરવાની જરૂર જ ન પડતી; પણ એમ બનતું નથી, માટે આ વિષય પર ગંભીર મનન-ચિંતના જરૂરી છે.
પ્રશ્ન -
આ જીવ શું ઇચ્છે છે અને કોનાથી ડરે છે? આ જીવે સુખી થવા માટે કયા પ્રયત્નો અનંતવાર કર્યા અને તેઓનું શું ફળ મળ્યું? આ અનુશીલનનો ઉદ્દેશ શું છે?
૩.
મને બહારનું કાંઇક જોઈએ એમ માનનાર ભિખારી છે. “મને મારો એક આત્મા જ જોઇએ, બીજું કાંઇ ન જોઇએ” એ માનનાર બાદશાહ છે. આત્મા અચિત્ય શકિતઓનો ધણી છે. જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદસ્વરૂપ જાગતી જયોત અનુભવમાં આવી શકે છે.
- પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી