SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન જે ક્રિયાઓ લોકનિંદ્ય હોય છે, જેને અપરાધ માનવામાં આવે છે અને જેને કરવાથી અપયશ અને દંડને પાત્ર થવું પડે છે - એવી સાત વ્યસનાદિ ક્રિયાઓ કરવાવાળા તેમને છુપાવીને જ કરે છે, તથા એ ક્રિયાઓ કોઇ બીજાને ખબર ન પડે, તે માટે પ્રયત્નશીલ પણ રહે છે, અર્થાત્ આવી ક્રિયાઓને ઢાંકવાવાળો પડદો બંધ જ રાખવામાં આવે છે. ૨૨ સમાજનું એક દુર્ભાગ્ય છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિના દુષ્પ્રભાવથી સર્વથા ત્યાગવાયોગ્ય ક્રિયાઓ પણ આજે સાર્વજનિકરૂપે ખુલ્લી રીતે કરવામાં આવી રહી છે. સ્વછંદતાના નામે થનારી અમર્યાદિત ક્રિયાઓ તથા ટી.વી. પર બતાવવામાં આવતા વિજ્ઞાપનો અને ફિલ્મો તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. છતાં તે સામાજિક સ્તરે સ્વીકાર્ય નથી બની શકતી. સમાજમાં તેમની નિંદા જ થાય છે. કેટલીક ક્રિયાઓ એવી પણ હોય છે કે જેના કરવાથી લોકમાં યશ મળે છે, પુરસ્કાર તેમજ અભિનંદન પત્રો વગેરે પણ મળે છે. દયા, દાન, શીલ, ભક્તિ, પૂજા, વ્રત, ઉપવાસાદિ ધાર્મિક ક્રિયાઓ તથા સાર્વજનિક હિતની અનેક ક્રિયાઓ એવી હોય છે. એ કાર્યોને કરનારાઓ તેમને ઢાંકનારો પડદો ખુલ્લો રાખે છે, તેમનો વધુમાં વધુ પ્રચાર કરે છે. પોતે પ્રચાર કરવામાં સંકોચ અનુભવે તો બીજાઓને કહીને કરાવે છે. આ પ્રમાણે ઉપરોકત બધી ક્રિયોઓને જો પાપક્રિયા અને પુણ્યક્રિયાઓમાં વહેંચવામાં આવે, તો એમજ કહેવાશે કે આપણે ક્રિયાવાળો આ પડદો અર્ધો ખુલ્લો રાખવા માગીયે છીયે અને અર્ધો બંધ રાખવા માગીએ છીએ. (૨) પરિણામરૂપી પડદો : જેવી રીતે નાટકમાં પહેલો.પડદો ખોલીને કોઇ દૃશ્ય બતાવવામાં આવી રહ્યું હોય અને તેની પાછળ બીજા દૃશ્યની તૈયારી ચાલી રહી હોય તો તે તૈયારી જનતાને નથી દેખાતી, પરંતુ કાર્યકર્તા તો તેને દેખે જ છે. એવી રીતે ક્રિયાના પડદાની પાછળ જીવનમાં પરિણામરૂપી પડદો હોય છે. જો કે
SR No.009192
Book TitleKriya Parinam ane Abhipray
Original Sutra AuthorN/A
AuthorAbhaykumar Jain, Deepak M Jain
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy