________________
૫૨.
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
૪. અભિપ્રાયનું આપણા જીવનમાં શું સ્થાન છે? તે બીજાઓને
કેવી રીતે પ્રભાવિત કરે છે ? ૫. ક્રિયા, પરિણામ અને અભિપ્રાયથી પ્રાપ્ત થનારા ફળોનું
તુલનાત્મક વિવેચન કરો. ૬. વિપરીત અભિપ્રાયનું ફળ અનંત દુ:ખ કઇ રીતે છે? ૭. શું ક્રિયાનું ફળ શૂન્ય છે? અને જો શૂન્ય હોય તો પાપક્રિયા
છોડવાનો ઉપદેશ શા માટે આપવામાં આવે છે? ૮. સિદ્ધ કરો કે મિથ્યાત્વ છુપાયેલો ગદ્દાર છે? ૯. જીવના ચતુર્ગતિ ભ્રમણમાં પરિણામ અને અભિપ્રાયની ભૂમિકા
સુનિશ્ચિત કરો.
ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા પણ ભોજન-સમયે રસ્તા ઉપર આવી કોઇ મુનિરાજના આગમનની પ્રતિક્ષા કરતા. ને મુનિરાજ પધારતાં પરમ ભકિતથી આહારદાન દેતા. અહા ! જાણે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું હોય, એથી પણ વિશેષ આનંદધર્માત્માને મોક્ષમાર્ગ-સાધક મુનિરાજને પોતાના આંગણે દેખીને થાય છે. પોતાને રાગ રહિત ચેતન્યસ્વભાવની દૃષ્ટિ છે ને સર્વસંગત્યાગની ભાવના છે ત્યાં સાધક ગૃહસ્થને આવા શુભભાવ આવે છે, તે શુભરાગની જેટલી મર્યાદા છે તેટલી તે જાણે છે. અંતરનો મોક્ષમાર્ગ તો રાગથી પાર ચૈતન્યસ્વભાવના આશ્રયે પરિણમે છે. શ્રાવકનાં વ્રતમાં એકલા શુભરાગની વાત નથી. જે શુભરાગ છે તેને તો જૈનશાસનમાં પુણયા કહ્યું છે ને તે વખતે શ્રાવકને સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા વર્તે છે તેટલો ધર્મ છે; તે પરમાર્થવત છે ને તે મોક્ષનું સાધન છેએમજાણવું.
- પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી.