________________
અહયાય
સમ્યફચારિત્રમાંટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં
ક્રિયા, પરિણામ અને અભિપ્રાય
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ તથા જીવનમાં તેમના પડનારા પ્રભાવોની પૂરતા પ્રમાણમાં મીમાંસા કર્યા બાદ હવે એ મૂળ પ્રકરણ પર વિસ્તારથી ચર્ચા કરવાનો સમય આવી ગયો છે, જેમાં આચાર્યકલ્પ પંડિતપ્રવર ટોડરમલજીએ ત્રણે બિન્દુઓનો ભિન્ન-ભિન્ન અને સ્પષ્ટ ઉલ્લેખ કરતા અભિપ્રાયની ભૂલનું વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે.
મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથના સાતમા અધિકારમાં ચાર પ્રકારના જૈનાભાસી મિથ્યાષ્ટિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્યવહારાભાસી મિથ્યાષ્ટિઓનું પ્રકરણ પ્રારંભ કરતા પૃષ્ઠ ૨૨૨ પર પંડિતજી લખે છે -
“હવે વ્યવહારાભાસ પક્ષના ધારક જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કરીએ છીએ. - જિનાગમમાં જયાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, તેને માની જે બાહ્યસાધનાદિકનું જ શ્રદ્ધાનાદિક કરે છે, તેને ધર્મનાં સર્વ અંગ અન્યથારૂપ થઇ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે તે વિસ્તારથી કહે છે.”
ઉપરોકત ગદ્યાંશમાં કહેલ ‘બાહ્ય સાધનાદિકનું જ શ્રદ્ધાનાદિક’ વાકયાંશ, અભિપ્રાયની વિપરીતતા બતાવે છે. ધર્મના સર્વ અંગ અન્યથારૂપ થઇ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે... - એમ કહી પંડિતજીએ