________________
૨૦
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
તત્ત્વ-નિર્ણય કરવો અતિ સુગમ થઇ જશે.
પ્રશ્ન - ૧. ક્રિયા, પરિણામ અને અભિપ્રાય શબ્દોનો પ્રાસંગિક આશય
સ્પષ્ટ કરો. ૨. નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ અને ઉભયાભાસમાં થનાર
ભૂલોને માલ અને પેકિંગના ઉદાહરણ પર ઘટિત કરો. ૩. જ્ઞાનીની માન્યતાને “માલ” અને “પેકિંગ'ની ભાષામાં
સમજાવો. ૪. માલ અને પેકિંગના ઉદાહરણને આત્મા અને મોક્ષમાર્ગ પર
ઘટિત કરો.
અહો ! આ તો વીતરાગ શાસન છે. રાગથી ધર્મ થાય ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એ બધો વીતરાગમાર્ગ નથી. ભગવાન આત્મા વીતરાગસ્વરૂપ છે, ને તેના આશ્રયે જે વીતરાગ દશા થાય એ જ ધર્મ છે. શુભરાગ હો કે અશુભ-બન્ને પરના આશ્રયે થાય છે, સ્વયં અપવિત્ર છે અને દુ:ખરૂપ છે; માટે તે ધર્મ નથી. રાગથી ભિન્ન પડતાં તો અંદર આત્મામાં જવાય છે, તો પછી એનાથી લાભ થાય એ કેમ બને? બાપુ! માર્ગ આકરો છે. વ્યવહારથી નિશ્ચય કદીય ના થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કદીય કાર્ય ન થાય. આવું જ વસ્તુસ્વરૂપ છે.
- પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી