________________
અધ્યાય-:. ચારિત્ર માટેકરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાંકિ, ૫. અને અ. ૭૧ અન્યથા સ્વરૂપ” ના વિવેચનને આધારે કરવામાં આવી રહ્યું છે.
પરિણામો અને અભિપ્રાયની વિપરીતતા.
અહીં પરિણામોની વિપરીતતાનો આશય ક્રિયામાં થનારા શુભાચરણથી વિપરીત અજ્ઞાન અને કષાયરૂપ પરિણામોનો છે. આવી પરિસ્થિતિનું ચિત્રણ કરતાં પંડિતજી મોક્ષમાર્ગ પ્રકાશકના પૃષ્ઠ ૨૪૮ પર લખે છે :
“કોઈ જીવ તો કુળક્રમથી વા દેખાદેખીથી કે ક્રોધ-માન-માયાલોભાદિકથી આચરણ કરે છે તેમને તો ધર્મબુદ્ધિ જ નથી તો સમ્યફચારિત્ર તો કયાંથી હોય ? એ જીવોમાં કોઇ તો ભોળા છે તથા કોઈ કષાયી છે. હવે જયાં અજ્ઞાનભાવ અને કષાય હોય ત્યાં સમ્યફચારિત્ર હોતું જ નથી”
ઉપરોકત ગદ્યાંશમાં ‘કુળક્રમથી અથવા દેખાદેખી’ શબ્દ વડે અભિપ્રાય તરફ તથા “આચરણ કરે છે એવું કહી ધર્મ ક્રિયા તરફ સંકેત કરવામાં આવ્યો છે. આવા જીવો ધર્માચરણ તો કરે છે અર્થાત્ ચારિત્ર કહી શકાય તેવી ક્રિયા તો કરે છે પરંતુ તેમને અજ્ઞાન અને કષાય વિદ્યમાન છે. અજ્ઞાન અર્થાત્ વિપરીત અભિપ્રાય અને કષાય અર્થાત્ વિપરીત પરિણામ હોવાથી ક્રિયા હોવા છતાં પણ તેમને ચારિત્ર હોતું નથી.
આવા લોકો માત્ર ક્રિયાના આગ્રહી હોવાથી જેમ-તેમ ક્રિયાની પ્રતિજ્ઞા પૂરી કરવા માગે છે અને તેમના પરિણામ દુ:ખી થઇ જાય છે. જેમ કોઈ જીવ ઉપવાસની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞાનો નિર્વાહ કરતા તેને કેવા પરિણામ થાય છે - તેનું ચિત્રણ કરતા પંડિતજી લખે છે :
‘કોઈ જીવ પહેલાં તો મોટી પ્રતિજ્ઞા ધારણ કરી બેસે છે પણ અંતરંગમાં વિષય-કષાયવાસના મટી નથી તેથી જેમ તેમ કરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ઇચ્છે છે; ત્યાં તે પ્રતિજ્ઞાથી પરિણામ દુઃખી થાય છે. જેમ કોઇ ઘણાં ઉપવાસ આદરી બેઠા પછી પીડાથી દુ:ખી થતો રોગીની માફક કાળ ગુમાવે છે પણ ધર્મસાધન કરતો નથી; તો પ્રથમથી જ