________________
૩૬
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
પ્રશ્નાર્થ ચિન્હ લગાડવાની શી જરૂર છે ? જો તેના કારણોની અને અયથાર્થતાની મીમાંસા કરવી હોય તો “શા માટે?’ લગાડી તેનો નિર્ણય કરવામાં આવે.
પ્રશ્ન :- શું આપણી વાણી કે ક્રિયાના માધ્યમથી અભિપ્રાય પણ વ્યક્ત થાય છે?
ઉત્તર :- હા! કોઇવાર એવું પણ થઇ શકે છે. એકવાર રામલીલામાં હનુમાનનો અભિનય કરવાવાળા પાત્રને અશોક વાટિકામાં આકાશ માર્ગે પ્રવેશ કરી સીતાજીને રામચંદ્રની મુદ્રિકા આપવાનો અભિનય કરવાનો હતો. તે માટે દોરડાવડે કૂદવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અભિનય કરતી વખતે તેના કૂદવાના થોડાક સમય પહેલાં દોરડું તૂટી ગયું અને તે પડી ગયો. સીતાજીનું પાત્ર સમજી નહી શક્યું કે દોરડું તૂટી ગયું છે, માટે તેણે પોતાનો સંવાદ બોલવાનું શરૂ કર્યું “હે ભાઈ! આપ કોણ છો ? ....પરંતુ તે વ્યકિત ગુસ્સામાં બોલ્યો “ભાઇ-બાઇકંઇ નહી પહેલાં બતાવો કે દોરડું કોણે કાપ્યું?”
અહીં આપણે વિચાર કરીએ કે તે વ્યક્તિ એમ શા માટે બોલ્યો? તે પોતાને હનુમાન નહી, પણ રમેશ-સુરેશ વગેરે વ્યક્તિના રૂપમાં માને છે. માટે તેની વાણીમાંતેને ઉત્પન્ન થયેલ ક્રોધની સાથે તેની માન્યતા પણ ઝળકી રહી છે. આમ અનેક પ્રસંગોમાં આપણો અભિપ્રાય પણ વાણી કે ક્રિયાના માધ્યમથી વ્યક્ત થાય છે.
પ્રશ્ન - ૧. ક્રિયા અને પરિણામની સ્કૂલતા અને સૂક્ષ્મતા સ્પષ્ટ કરો. ૨. સિદ્ધ કરો કે અભિપ્રાય, પરિણામોથી પણ વધારે સૂક્ષ્મ છે. ૩. આપણે પોતાના અભિપ્રાયને કયા પ્રકારે સમજી શકિયે ?
ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો.