________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટેકરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ., ૫. અને અ.
આ રીતે મિથ્યાદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિના અભિપ્રાયનો ફરક બરાબર સ્પષ્ટ થઇ જાય છે. અજ્ઞાનીના અભિપ્રાયમાં મૂળમાં ભૂલ એ જ છે કે તેના પરિણામ સંસારથી ઉદાસીનરૂપ હોય તો પણ અભિપ્રાયમાં દ્વેષ હોવાથી તેની ઉદાસીનતા પણ દ્વેષરૂપે થઇ જાય છે.
८१
દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ મુનિના અભિપ્રાયની ભૂલનું વિસ્તૃત સ્પષ્ટીકરણ મોક્ષમાર્ગ પ્રકાશક પાના ૨૫૧ થી ૨૫૯ સુધી કરવામાં આવ્યું છે, જેનો સાર અહીં આપીએ છીએ :
(૧) પહેલાં પોતાને શરીરાશ્રિત પાપ-કાર્યોનો કર્તા માનતો હતો જેમ કે- ‘હું જીવોને મારું છું, ‘હું પરિગ્રહધારી છું’, - એવું માનતો હતો અને હવે પોતાને શરીરાશ્રિત પુણ્ય કાર્યોનો કર્તા માનવા લાગ્યો છે અર્થાત્ ‘હું જીવોની રક્ષા કરું છું’, ‘હું નગ્ન છું’, - એવું માને છે. વાસ્તવમાં પોતાને શરીરાશ્રિત પાપ-પુણ્ય ક્રિયાઓનો કર્તા માનવો તે મિથ્યાત્વ છે.
(૨) મુનિધર્મની ક્રિયાઓમાં પ્રવૃત્તિના ભાવો રાગરૂપ છે અને તે આ શુભરાગને મોક્ષમાર્ગ માને છે; જયારે કે મોક્ષમાર્ગ તો વીતરાગ ભાવરૂપ છે. રાગભાવને મોક્ષમાર્ગ માનવો મિથ્યાત્વ છે. શુભરાગ ચારિત્રનું સ્વરૂપ નથી, પણ ચારિત્રનો દોષ છે, તથા તેને ધર્મ માનવો શ્રદ્ધાનો દોષ છે.
(૩) નિગ્રન્થ દશા અંગીકાર કર્યા બાદ, ઉગ્ર તપ કરવા છતાં અને બાવીસ પરિષહ સહન કરવા છતાં શાસ્ત્રોમાં તેને મિથ્યાદષ્ટિ અને અસંયમી કહેવામાં આવ્યા છે; કારણ તેને તત્ત્વોનું સાચું શ્રદ્ધાન નથી થયું. મોક્ષમાર્ગ પ્રકાશક પાના ૨૩૪ થી ૨૪૪ સુધી સમ્યગ્દર્શનનું અન્યથારૂપ પ્રકરણમાં સાત તત્ત્વ સંબંધી ભૂલોનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, તેવી જ વિપરીતતા તેના શ્રદ્ધાન-જ્ઞાનમાં જોવા મળે છે. એ જ વિપરીત અભિપ્રાયપૂર્વક તે ધર્મસાધન કરે છે, તે સાધનોના અભિપ્રાયની પરંપરાનો વિચાર કરવાથી કષાયોનો અભિપ્રાય આવે છે.
ધર્મ-સાધનોની પરંપરામાં કષાયનો અભિપ્રાય :- અજ્ઞાનીને ધર્મ-સાધનોની પરંપરામાં કષાયોનો અભિપ્રાય કેવી રીતે આવે છે તેનું