________________
પ્રસ્તુત પુસ્તકની આધારભૂત મૂળ પંકિતઓ
સમ્યફ-ચારિત્ર નું અન્યથારૂપ
બાહ્યક્રિયા ઉપર તો તેની દષ્ટિ છે પણ પરિણામ સુધરવા-બગડવાનો વિચાર નથી; જો પરિણામોનો પણ વિચાર થાય તો જેવા પોતાના પરિણામ થતા દેખે તેના જ ઉપર દષ્ટિ રહે છે;
પરંતુ તે પરિણામોની પરંપરા વિચારતા અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી,
અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે.
તેનું વિશેષ વ્યાખ્યાન આગળ કરીશું ત્યાં તેનું સ્વરૂપ બરાબર ભાસશે.
- આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી
મોક્ષમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ - ૨૪૮