________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ., ૫. અને અ.
પરિણામોનું ચિત્રણ પંડિતજીએ મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૪૯-૨૫૧ પર કર્યું છે; જેનો સાર નીચે મુજબ છે :
-
93
(૧) અંતરંગમાં વિરક્તિ ન હોવાથી તે પ્રતિજ્ઞાની પહેલાં અને પછી તે વિષયને અતિ-આસકતી પૂર્વક સેવન કરે છે, જેમ ઉપવાસની પહેલા અને પછી અતિ-લોભી થઇને ગરિષ્ઠ ભોજનાદિ કરે છે. જેમ કોઇ સ્થાન પર રોકવામાં આવેલા જળને ફરીથી છોડવામાં આવે ત્યારે તે અત્યંત તેજ ધારાથી વહેવા લાગે છે -એવી દશા તેઓના પરિણામોની થઇ જાય છે.
(૨) તેઓ કોઇ વેળા તો મોટો ધર્મ આચરે છે અને કોઇ વેળા અધિક સ્વચ્છંદી થઇ પ્રવર્તે છે. જેમ કોઇ ધર્મપર્વમાં તો ઘણા ઉપવાસાદિક કરે છે ત્યારે કોઇ ધર્મપર્વમાં વારંવાર ભોજનાદિ કરે છે; ભાદરવા માસના દશલક્ષણ પર્વમાં ભક્તિ, પૂજન વગેરે ઘણા કરે છે પરંતુ મહા તથા ચૈત્રના દશલક્ષણ તેમજ અષ્ટાકિા વગેરે પર્વોમાં અનર્ગલ (અંકુશ વિનાની) પ્રવૃત્તિ કરે છે.
(૩) તેઓ કોઇ ક્રિયા અતિ ઊંચી અંગીકાર કરે છે અને કોઇ ક્રિયા અતિ નીચી કરે છે. જેમ કે - ધનાદિકનો ત્યાગ કરે છે, પરંતુ સ્વાદિષ્ટ ભોજન કરે છે; તથા આકર્ષક વસ્ત્રાદિ પહેરે છે અથવા સ્ત્રીસેવનાદિનો ત્યાગ કરીને પણ ખોટા વ્યાપારાદિક લોક-નિધ કાર્ય કરે છે.
આવા લોકોને અવિવેકી ઘોષિત કરતાં પંડિતજી કહે છે કે તેમને સમ્યચારિત્રનો આભાસ પણ હોતો નથી.
ક્રિયા અને પરિણામોનું સમતુલન રાગાદિ દૂર થવાથી જ થઇ શકે છે. પંડિતજીએ આવી સમતુલિત સ્થિતિનું ચિત્રણ મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૫૦ પર કર્યું છે. જેનો ઉલ્લેખ આ પહેલાં પણ કરી ચૂક્યા છીએ :
‘સાચા ધર્મની તો આ આમ્નાય છે કે - જેટલા પોતાના રાગાદિક દૂર થયા હો તે અનુસાર જે પદમાં જે ધર્મક્રિયા સંભવે તે બધી અંગીકાર