________________
અધ્યાય - ૩: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું જીવનમાં સ્થાના
૨૫
જેવા લાગે, પરંતુ અહીં તો ક્રિયા કોઇ જુદી અને પરિણામ કોઇ જુદા જેવી સ્થિતિ સ્પષ્ટ કરવાની છે.
આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીના જીવનની એક ઘટના સુવિખ્યાતા છે, તેમને છ માસ સુધી એ વાતની ખબર જ નહોતી પડી કે ભોજનમાં મીઠું નથી; કારણકે ભોજનની ક્રિયા વખતે પણ તેમના પરિણામ “સમ્યજ્ઞાના ચંદ્રિકા સંબંધી વિચારોમાં મગ્ન રહેતા હતા.
વાસ્તવમાં ક્રિયા તો શરીરાશ્રિત છે અત્પુદ્ગલ દ્રવ્યનું પરિણમના છે અને પરિણામ જીવની પર્યાય છે. માટે બન્ને ભિન્ન દ્રવ્યોની પર્યાયો હોવાથી તે બન્નેમાં અત્યંત અભાવ છે. માટે ક્રિયા અને પરિણામ એક જેવા હોય કે ન હોય, તેઓ પરસ્પર નિરપેક્ષ અને સ્વતંત્ર હોય છે. જયારે તેઓ એક જેવા હોય ત્યારે તેમનામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો વ્યવહાર કરી તેમને એકબીજાનું કારણ-કાર્ય કહેવામાં આવે છે.
પ્રશ્ન:-પરિણામ અને ક્રિયામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ પરિણામ કઇક જુદા અને ક્રિયા કઇક જુદી એવું કેમ બને છે?
ઉત્તર:- નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વસ્તુનું પારમાર્થિક સ્વરૂપનથી. જે દ્રવ્ય પોતે કાર્યરૂપ પરિણમિત થાય છે તેને ઉપાદાન કહે છે અને જે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોય, તે બાહ્ય-પદાર્થને નિમિત્ત કહે છે. તથા ઉપાદાનમાં થનારા કાર્યને ઉપાદેય કે નૈમિત્તિક કહે છે. પારમાર્થિક દ્રષ્ટિએ જોવા જઇએ તો પરિણામ અને ક્રિયામાં પરસ્પર કાર્ય-કારણ સંબંધ નથી. બન્ને પોતપોતાની સ્વતંત્ર યોગ્યતાથી પરિણમિત થાય છે, માટે ક્રિયા કોઇ હોય અને પરિણામ કોઇ જુદા જ પ્રકારના હોય - આવી સ્થિતિ સહજ સંભવ છે અને તેમાં બન્નેની સ્વતંત્ર યોગ્યતા જ કારણ છે.
બીજી વાત એ પણ છે કે બાહ્ય-ક્રિયા સ્થૂળ હોય છે, માટે તેમાં બહુ જલદી-જલદી પરિવર્તન નથી દેખાતું, ત્યારે પરિણામ તો ક્રિયાની અપેક્ષાએ વધુ સૂક્ષ્મ છે અને તેઓમાં પરિવર્તન પણ ઘણી જ ઝડપથી થાય છે. માટે ક્રિયા તેની તે જ થતી રહે અને પરિણામ તેને છોડી અન્ય વિષયમાં લાગી