________________
અધ્યાય-૬:સ, ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાંકિ, ૫. અને અ.
૧૭
દુ:ખ તથા અનુકૂળ સંયોગોમાં સુખ અને પુણ્યભાવમાં ધર્મ માને છે. આ માન્યતા જ અભિપ્રાયની વિપરીતતા છે.
જો સમ્યગ્દષ્ટિને આ પ્રશ્ન પુછવામાં આવે તો તેમનો ઉત્તર હશે - અરહંત ભગવાન પૂર્ણ વીતરાગી અને સર્વજ્ઞ છે, તેમના ગુણગાનના માધ્યમથી તેમનો સમાગમ કર્યા વિના મારાથી રહેવાતું નથી, કારણ કે તેમના સમાગમથી મને પોતાના સ્વરૂપની રૂચિ પુષ્ટ થાય છે. માટે મને તેમનાં દર્શન-પૂજનનો ભાવ સહજ જ આવે છે; આવ્યા વગર રહેતો નથી.
જ્ઞાનીના ઉત્તરમાં પણ તેમના સ્વરૂપની રૂચિ તથા શુભભાવનું સહજ જ્ઞાતૃત્વ (અકર્તુત્વ) ઝળકે છે, એ જ સમ્યફ અભિપ્રાય છે.
આ પ્રમાણે જો આપણે સમસ્ત શુભાશુભ પરિણામોની પરંપરાનો વિચાર કરીએ તો તેમના તળિયે રહેલ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વો સંબંધે આપણી માન્યતા સ્પષ્ટ થઇ જશે અને તે જ આપણો યથાર્થ કે અયથાર્થ અભિપ્રાય હશે.
પ્રશ્ન:- આપણો અભિપ્રાય યથાર્થ છે કે અયથાર્થ ? તેનો નિર્ણય કેવી રીતે થઇ શકશે ?
ઉત્તર:- જિનાગમમાં વર્ણવાયેલી વસ્તુ-સ્વરૂપની કસોટી પર કસી જોતાં આપણને જાણ થઇ જશે કે આપણો અભિપ્રાય યથાર્થ છે કે મિથ્યા છે. જો આપણો અભિપ્રાય જિનાગમ પ્રણીત વસ્તુ-સ્વરૂપાનુસાર હોય તો તે યથાર્થ હશે અને જો વસ્તુ-સ્વરૂપથી વિપરીત હોય તો તે મિથ્યા હશે.
પોતાને શરીર અને રાગાદિથી ભિન્ન, તેમનો અકર્તા, તથા સહજ જ્ઞાતા માનવાવાળો અભિપ્રાય સમ્યફ છે, યથાર્થ છે તથા તેથી વિપરીત પોતાને શરીરાદિમય માનવાવાળો અભિપ્રાય અયથાર્થ અર્થાત મિથ્યા છે.
અભિપ્રાયની વાસના:- જો કે અભિપ્રાયના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરતા તેને વિષે ઘણું બધું કહેવામાં આવી ગયું છે; અભિપ્રાયને જાણવા ઓળખવાની પ્રક્રિયા પણ બતાવાઇ ગઇ છે; તો પણ પંડિતજીએ