________________
૬૬
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
માનો કે કોઇ વ્યક્તિ દરરોજ જિનેન્દ્ર-પૂજન કરે છે. તે સંબંધે તેને પૂછવામાં આવેલા પ્રશ્નોત્તરોનું સ્વરૂપ કંઇક આવું હશે :
પ્રશ્ન :- આપ પ્રતિદિન પૂજન કેમ કરો છો? ઉત્તર :- મારો દરરોજ પૂજન કરવાનો નિયમ છે માટે કરૂં છું. પ્રશ્ન:- આપે નિયમ શા માટે લીધો?
ઉત્તર :- મારા પિતાશ્રી અંતિમ સમયે કહી ગયાં હતાં કે આ મંદિર / વેદી પૂર્વજોએ બનાવડાવી છે, માટે અહીં રોજ પૂજન કરવું ! માટે અમે આ નિયમ લીધો છે.
પ્રશ્ન:- શું આપ પૂજય અને પૂજાના સ્વરૂપ વિષે કંઇ જાણો છો?
ઉત્તર :- અમને તે જાણવાની ફૂરસદ જ ક્યાં મળી છે, આ બધું જાણવું તો આપ જેવા પંડિતોનું કામ છે. અમે તો અમારા નિયમનું પ્રામાણિકતાથી પાલન કરીએ છીએ.
ઉપરોકત પ્રશ્નોત્તરથી સ્પષ્ટ થાય છે કે તે વ્યકિત્ત માત્ર નિયમપાલનમાં જસંતુષ્ટછે. તત્ત્વ સમજવાથી તેને કોઈ પ્રયોજન નથી. આ સંતોષ અને અનદ્યવસાય ભાવ જ તેનો વિપરીત અભિપ્રાય છે.
ઉપરના પ્રશ્નોત્તરનું બીજું રૂપ આ પ્રમાણે પણ હોઇ શકે છે:પ્રશ્ન :- આપ પ્રતિદિન પૂજન શા માટે કરો છો? ઉત્તર :-પાપથી બચવા તથા પુણ્ય કમાવા માટે કરીએ છીએ.
પ્રશ્ન :- આપ પાપથી કેમ બચવા માગો છો અને પુણ્ય શા માટે કમાવા ઇચ્છો છો ?
ઉત્તર:-પાપના ફળથી નરકાદિ ગતિઓમાં દુ:ખ ભોગવવું પડે છે, માટે અમે તેનાથી બચવા ઇચ્છીએ છીએ; તથા પુયથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે અમે પુણ્ય કમાવા ઇચ્છીએ છીએ.
ઉપરના પ્રશ્નોત્તરથી સ્પષ્ટ થાય છે કે તે જીવ પ્રતિકૂળ સંયોગોમાં