________________
૬૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલન
આ ગીત સાથે તીવ્ર-ગતિ થી તબલા, ઢોલક, વગેરે વાદ્યયંત્રો વાગી રહ્યાં હતાં અને એક યુવક તેની લયપર કમર હલાવી હલાવી નાચી રહ્યો હતો.
જરા વિચાર કરો... ઉપરના ગીતના ભાવો સાથે તાળીઓનો અને ઉત્સાહ પૂર્વક ઝૂમી ઝૂમી નાચવામાં કોઈ તાલમેળ છે? આ ગીત ગવાતી વખતે તો ચારેય ગતિના દુ:ખોનું સ્મરણ કરી ખેદ વ્યકત થવો જોઈએ. આને ‘પરિણામ સુધરવાનો-બગડવાનો વિચાર નથી’ એમ ન કહીએ તો શું કહીએ ?
તત્ત્વથી અજાણ ભોળા-ભલા લોકોને નાચ-ગાનમાં જ વધારે આનંદ આવે છે તથા તેમને એવું લાગે છે કે દાનમાં આપેલું ધન વસૂલ થયું છે. આયોજકો પણ વિદ્વાનો પાસેથી એવી જ અપેક્ષા રાખે છે કે પંડિતજી એવો કાર્યક્રમ કરાવે કે લોકોને મજા પડી જાય અને ગંભીરતાથી વિચાર કર્યા વગર પંડિતજીએ પણ એવો કાર્યક્રમ કરાવવો પડે છે કે લોકોને તેમાં મજા આવી જાય અને આયોજકોને વધારેમાં વધારે પૈસા મળે.
મધુર કંઠના ધણી અને સ્વર, તાલના રસિક લોકોના પરિણામ બહુ ઝડપથી મૂળભાવથી વિચલિત થઇ જાય છે. જો પૂજન-પાઠની ધૂન, સ્વર લય વગેરે તેમની ઇચ્છાનુકૂળ ન થાય તો તેમનો મૂડ ખરાબ થઈ જાય છે અને પૂજન-પાઠ સાંભળતી વખતે પણ પરિણામ સંકલેશરૂપ થઇ જાય છે. જો બધું જ તેમની પસંદગી અનુસાર થાય તો તે બધાં તેમાં તન્મય થઇ ભાવ-વિભોર બની પૂજન-પાઠ કરે છે.
પ્રશ્ન:- જો આમ હોય તો લય તાલ, સ્વર, ધુન વગેરે બધું સારામાં સારૂં હોવું જોઇએ, નહીં તો પૂજન-પાઠમાં ભાવો જ નહીં આવે?
ઉત્તર :- અરે ભાઇ ! જરા ગંભીરતાથી તો વિચારો કે ભાવ શેમાં આવે? પૂજનમાં બોલાતા છંદોના અર્થમાં કે મધૂર કંઠ અને સંગીતમાં, અહીં જતો આપણને વિવેકની આવશ્યકતા છે. આપણે તન્મય થઇએ છીએ ગીતસંગીતમાં, કન્દ્રિયોના વિષયમાં અને એમ માની સંતુષ્ટ થઇએ કેપૂજનમાં