Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/007164/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ را از そばやん Page #2 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી ચિરંતનજી વિરચિત હૃદયપ્રદીપ શ્રીમદ શ્લોક પદ્યાનુવાદ અર્થ ભાવાર્થ ાજચંદ્ર આશ્રમ ધરમપુર Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ , (શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર સંચાલિત) ધરમપુર-૩૯૬૦૫૦ જિલ્લો વલસાડ, ગુજરાત પર્યુષણ પર્વ, સંવત-૨૦૬૧ ઈ.સ. ૨૦૦૫ : પ્રત : ૨૫૦૦ કિંમત - રૂા. ૩૫/ મુદ્રક : કોનેમ પ્રીન્ટર્સ મુંબઈ - ૪૦૦૦૩૪ પ્રાપ્તિ સ્થાન : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ મોહનગઢ, “ધરમપુર-૩૯૬૦૫૦ જિલ્લો વલસાડ, ગુજરાત ટે.નં. (૦૨૬૩૭) ૨૪૦૯૬૯ : (૦૨૬૩૭) ૨૪૧૬૦૨ ફેક્સ (૦૨૬૩૭) ૨૪૧૬૦૩ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર, ૧૦-બી, ઈસ્ટ વિંગ, બોમ્બે માર્કેટ એપાર્ટમેન્ટ, ૭૮-તારદેવ રોડ, મુંબઈ-૪૦૦૦૩૪ ટે.નં. (૦૨૨)૨૩૫૧૧૩૫ર (૦૨૨)૨૩૫૧૬૯૫૦ ટેલીફૅક્સ. (૦૨૨)૨૩૫૧૧૩૫૩ E-mail : info@sradharampur.org Web Site : www.shrimadrajchandradharampur.org Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ કારતક સુદ પૂનમ ૧૯૨૪ દેહવિલય ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ‘જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે.” (પત્રાંક-૭૦૬) , પરમ જ્ઞાનાવતાર, સનાતન વીતરાગમાર્ગના ઉદ્ધારક, પ્રચંડ આત્મપરિણામી, અપ્રમત્ત યોગીશ્વર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનિર્દિષ્ટ સસ્પંથ ઉપર વિચરનારા તેઓશ્રીના પરમ ભક્ત પૂજ્યશ્રી રાકેશભાઈની આત્મશ્રેયસ્કારી નિશ્રામાં અમે, “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રના મુમુક્ષુઓ, છેલ્લા બે દાયકાથી અમારાં આત્મલક્ષનું પરિપ્રેક્ષણ અને અધ્યાત્મરુચિની પરિપુષ્ટિ કરી રહ્યા છીએ. જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો જે વીતરાગપુરુષોનો મૂળ મર્ગ, તેનું રહસ્ય તેઓશ્રીની સામર્થ્યમયી નિશ્રા અને અભુત શૈલીના બળે સમજવા-પામવા અમે પ્રયત્નરત છીએ. પૂજ્યશ્રી રાકેશભાઈના અમૂલ્ય માર્ગદર્શન અનુસાર અમારી આધ્યાત્મિક સાધના સમગ્ર વર્ષ દરમ્યાન વિધવિધ પ્રકારે પ્રેમોલ્લાસપૂર્વક પ્રગતિરત રહે છે. આ સાધના અંતર્ગત પ્રતિવર્ષ પર્યુષણ પર્વ નિમિત્તે, શુદ્ધ મોક્ષમાર્ગની આરાધનામાં ઉપકારી થાય એવા કોઈ એક અનુભાવક ગ્રંથવિશેષ ઉપર સ્વલક્ષી અધ્યયન-સત્સંગની સાધના પણ સમાવિષ્ટ થયેલ છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન જાત અને જગતનું યથાર્થ સ્વરૂપ દર્શાવી, સ્વ-પર ભેદવિજ્ઞાનની આરાધનામાં પ્રેરતી આધ્યાત્મિક સત્સંગશ્રેણી દ્વારા પૂજ્યશ્રી રાકેશભાઈ, પૂર્વનિર્ધારિત પરમાર્થપ્રધાન ગ્રંથના વિષયની વિશિષ્ટ છણાવટ કરી, વર્ષોવર્ષ Page #7 -------------------------------------------------------------------------- ________________ વર્ષી આ પર્વને તથા એ દરમ્યાન થતી સાધનાને અધિકાધિક જોમવંતી અને હેતુલક્ષી બનાવી રહ્યા છે. ગત વર્ષોનાં પર્યુષણ પર્વ દરમ્યાન તેઓશ્રીએ અનેક સંસ્કૃતિઓનો આધાર લઈ, વ્યવહારનિશ્ચયની સંધિરૂપ, અતીન્દ્રિય નિજ સુખની પ્રાપ્તિના માર્ગનો સુંદર ક્રમ જિજ્ઞાસુ ભવ્યાત્માઓ માટે વિશેષપણે અનાવૃત કર્યો છે. આ વિષમ ભૌતિક યુગમાં ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનની પ્રભાવના એ પૂજ્યશ્રીની નિષ્કારણ કરુણાની નિષ્પત્તિ છે. આ વર્ષના આરાધનાગ્રંથની વિગતમાં પ્રવેશ કરીએ તે પૂર્વે છેલ્લાં થોડાં વર્ષોમાં પર્યુષણ પર્વ દરમ્યાન અવગાહેલ સત્કૃતિઓનું વિહંગાવલોકન કરી લઈએ – સંસ્કૃતિ રચયિતા ઈ.સ. ૧૯૯૨ ‘અપૂર્વ અવસર શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૯૩ “છ પદનો પત્ર' શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૯૪ ‘આઠ યોગદષ્ટિ ઉપાશ્રી યશોવિજયજી ઈ.સ. ૧૯૯૫ “છ ઢાળા’ પંડિતશ્રી દૌલતરામજી ઈ.સ. ૧૯૯૬ ‘સમાધિતંત્ર’ આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ઈ.સ. ૧૯૯૭ “અનુભવપ્રકાશ' પં. દીપચંદજી કાસલીવાલ ઈ.સ. ૧૯૯૮ યોગસાર આચાર્યશ્રી યોગીન્દુદેવ ઈ.સ. ૧૯૯૯ તત્ત્વજ્ઞાનતરંગિણી' ભટ્ટારકશ્રી જ્ઞાનભૂષણજી ઈ.સ. ૨૦૦૦ “સમ્યજ્ઞાનદીપિકા' કું. બહ્મચારીશ્રી ધર્મદાસજી ઈ.સ. ૨૦૦૧ “શ્રી ભક્તામર સ્તોત્ર' આચાર્યશ્રી માનતુંગસૂરિજી ઈ.સ. ૨૦૦૨ (ઈબ્દોપદેશ આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ઈ.સ. ૨૦૦૩ “આત્માનુશાસન' આચાર્યશ્રી ગુણભદ્રસ્વામી ઈ.સ. ૨૦૦૪ ‘સામ્યશતક' આચાર્યશ્રી વિજયસિંહસૂરિજી Page #8 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવે જ્ઞાનીદશાનો અદ્ભુત મહિમા ગાયો છે અને જો જીવ તે ઉત્કૃષ્ટ દશાની ઓળખાણપૂર્વક વૈરાગ્ય-ઉપશમને અંગીકાર કરે તો તેવી દશાને ત્વરાથી પામે એમ ઠેર ઠેર ઉપદેશ્ય છે. પત્રાંક-પ૬૩માં તેઓશ્રી ફરમાવે છે, “.... વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવાં શાસ્ત્રો અને સપુરુષનાં ચરિત્રો વિચારવાથી તથા કાર્યો કાર્યે લક્ષ રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના થવી ઘટે તે થશે.” આ શિક્ષાનું અનુસરણ કરવાને અર્થે એવમ્ ઉપરોક્ત મંગળ પરંપરાને અનુલક્ષીને આ વર્ષે હૃદયપ્રદીપષત્રિશિકા' ગ્રંથ પર અધ્યાત્મયાત્રા માટે સુસજ્જ કરતી વૈરાગ્યપ્રેરક સત્સંગમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ગ્રંથની પ્રાચીન હસ્તપ્રતોમાંથી તેના રચયિતા વિષે કોઈ માહિતી સાંપડતી નથી. ગ્રંથમાં ક્યાંય રચયિતાના નામનો ઉલ્લેખ મળતો નથી તેમજ કોઈ પણ ગચ્છ કે સંપ્રદાયની છાપથી પણ તે તદ્દન મુક્ત છે. તેથી જ ગ્રંથના વિવિધ સંપાદકો તથા વિવેચકો તેને કોઈ અજ્ઞાત મહાપુરુષની કૃતિ તરીકે વર્ણવે છે; એમ છતાં અમુક આધારભૂત સોત તેના સર્જક તરીકે પંચસૂત્રના રચયિતા આચાર્યશ્રી ચિરંતનજીને યશ આપે છે. ગમે તે હોય, શ્લોકરચનાનું ગાંભીર્ય તથા ઐશ્વર્ય જોતાં ગ્રંથકારની ઉત્કૃષ્ટ સાધના, પ્રજ્ઞા અને દશા પ્રત્યે પ્રણત થયા વિના રહેવાતું નથી. “હૃદયપ્રદીપ' એટલે દિલનો દીવો; “ષત્રિશિકા' ૩૬ શ્લોકનું સૂચન કરે છે. ગાગરમાં સાગર સમી આ નાનકડી કૃતિના ૩૬ શ્લોક અર્થાત્ ૩૬ ભાવદીપક હૃદયગુહામાં યુગોથી ઘેરાયેલા તમને વિચારવામાં અને ભીતરની કેડી પર આગળ ધપવામાં સાધકને સહાય કરવામાં સમર્થ છે. સરળ, સ્પષ્ટ અને ભાવવાહી સંસ્કૃત ભાષા, વિવિધ મનોહર છંદો એવમ્ અલંકારોનો સુંદર ઉપયોગ તથા લક્ષ્યવેધક, ધારદાર અને સચોટ Page #9 -------------------------------------------------------------------------- ________________ શૈલીથી સમૃદ્ધ એવો આ ગ્રંથ એક ઉત્તમ વૈરાગ્યપ્રધાન અધ્યાત્મશાસ્ત્ર છે. - જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે.” (પત્રાંક-૪૬૬) આ ક્ષતિ સુધારવાના મહત્વ કાર્યમાં સહાયભૂત થનાર આ સાધનાપ્રેરક ગ્રંથને આત્મકલ્યાણના આ વિશિષ્ટ અવસરે રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. એનું ભાવપૂર્વક અધ્યયન તથા તંજ્જન્ય બોધની સૂક્ષ્મ વિચારણા કરવાથી સમ્યગું વૈરાગ્ય, સદ્ગુરુને સંશ્રય અને અનુભૂતિપૂર્ણ દઢ નિશ્ચય સંપ્રાપ્ત થશે. જ્ઞાની મહાત્માઓની અનુભવમૂલક આર્ષવાણીના સાંતિશય પ્રભાવથી સહુ આત્માર્થી જીવો અધ્યાત્મસાધનામાં આગળ વધે અને શીધ્રાતિશીઘ પરમપદમાં સ્થિત થાય એ જ ભાવનો.. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” - પર્યુષણ પર્વ, વિનીત વિ.સં. ૨૦૬૧ ટ્રસ્ટીગણ, તા: ૧-૯-૨૦૦૫ શ્રીમદ્ રાજચંદ્ર - આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર, મુંબઈ. Page #10 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર... * મૂળ શ્લોક - આચાર્યશ્રી ચિરંતનજી * ગુજરાતી પદ્યાનુવાદ - મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ (દિલનો દીવો') * અંગ્રેજી પદ્યાનુવાદ - શ્રી નીલેશ્વરીબેન કોઠારી તથા (મુનિશ્રી મૃગેન્દ્રવિજયજી મહારાજ 'Explanation' સંકલિત “હૃદયપ્રદીપષત્રિશિકા - . The Light of the Soul'Hiell સાભારઉદ્ધત) * ‘અર્થ - આચાર્યશ્રી વિજય રત્નસુંદરજી (“ચેતન! જ્ઞાનદીપ પ્રગટાવો') * “ભાવાર્થ' શ્રી જૈનધર્મ પ્રસારક સુભા, ભાવનગર દ્વારા પ્રકાશિત હૃદયપ્રદીપ'માંથી સાભાર ઉદ્ભત * પ્રસ્તુત સંકલનકાર્યમાં - શ્રીમતી સ્મિતાબેન કોઠારી, વિવિધ સ્તરે યોગદાન ડૉ. અતુલભાઈ શાહ, કુમારી રીમા પરીખ, શ્રી પ્રમેશભાઈ શાહ * ઉપરોક્ત તમામ કૃતિઓના પ્રકાશક મહાનુભાવો તેમજ સંસ્થાઓ Page #11 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુ પરમકૃપાળુ, વંદન તમને શ્રી રાજ કૃપાળુ. મારા મનમાં કૃપાળુ કરો અજવાળું, આ હૃદયપ્રદીપ પ્રગટાવો કૃપાળુ, તારી કૃપાને યાચું હું. આચાર્ય, ચિરંતન કરું છું નમન, ગુરુ-આજ્ઞાએ કરું હું પઠન, પામું હું સાચું દરશને. Page #12 -------------------------------------------------------------------------- ________________ . શરૂઆતમાં ગ્રંથકર્તા. સ્વાત્મસંબોધનપૂર્વક - ભવ્ય જનને સમજાવવા અનુભવનું સ્વરૂપ કહે છે – શ્લોક-૧ शब्दादिपञ्चविषयेषु . . विचेतनेषुः, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद् भवान्तरगतान्यपि चेष्टितानि, . प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः ॥ શબ્દાદિ પાંચ વિષયો થકી સાવ નોખું, ચૈિતન્ય તત્ત્વ ઝળકે હૃદયસ્થ ચોખ્ખું-- ને જે પ્રકાશિત કરે ગત જન્મ ચેષ્ટ, તે તત્ત્વના અનુભવે ધરજો સુનિષ્ઠા. Endeavour, endeavour, endeavour, Ő man! To seek sincerely and thereby obtain, That 'self-experience' which unfolds in a heart The wisdom to set sound and all senses apart, As non-living objects, distinct from knowledge, (Like a chariotear from his carriage). That wisdom, which reveals to the eyes of the soul The deeds of earlier births and all. ' ' ' Page #13 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રદીપ અર્થ – જે અનુભવ ચિત્તમાં રહ્યો થકો ચેતનારહિત જડ એવા શબ્દાદિ પાંચેય વિષયોમાં વિવેકની કળાને હૃદયને વિષે પ્રગટ કરે છે તથા જે અનુભવથી ભવાંતરમાં થયેલી ચેષ્ટાઓ પણ પ્રગટ થાય છે તે અનુભવને તું ભજ! ભાવાર્થ – હૃદયમાં દેદીપ્યમાન દીપકની પેરે પ્રકાશ કરનાર છત્રીશ શ્લોકરૂપ ‘હૃદયપ્રદીપ ષત્રિશિકા' રચનાર ગ્રંથકારે પોતાના આત્માને સંબોધીને જે વિચાર દર્શાવ્યો છે, તે અન્ય પણ અનુભવજ્ઞાનના અર્થી ભવ્ય જનોએ અતિશય મનન કરવા યોગ્ય છે એમ ધારી, તે વિચાર ભાષાંતરરૂપે લખવાની જરૂર હોવાથી આ ભાષાંતરનો પ્રારંભ કરવામાં આવે છે - - પ્રથમ શ્લોકમાં ગ્રંથકારે અનુભવનું સ્વરૂપ બતાવવા સાથે તે જે અનુભવની સેવા કરવાનો ઉપદેશ કરેલો છે તે બતાવે છે : જે અનુભવ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પાંચ વિષયો પુગલસ્વભાવરૂપ હોવાને લીધે જડ છે, તે વિષયોમાં રૂડે પ્રકારે ‘આ વિષયો તે હું નથી અને એઓનું સ્વરૂપ તે મારું સ્વરૂપ નથી, હું એનાથી અન્ય છું, એનાથી મારું સ્વરૂપ પણ ન્યારું છે' એવું વિવેચન પોતાના મનમાં કરાવી આપે છે; વળી, જે અનુભવજ્ઞાનના બળથી અન્ય અનેક જન્મોમાં વિભાવદશાના આધીનપણાએ કરેલી મોહજાળમાં ફસાવવાની હેતુભૂત વર્તનાઓનો ભાસ થાય છે તે તારા પોતાના આત્મામાં જ રહેલા અનુભવને છે. આત્મા! તું સેવ. અહીં અનુભવજ્ઞાનની સેવા કરવાની જે વાત ગ્રંથકારે બતાવી છે તેથી કાંઈ તેના કારણભૂત શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાન એ બે જ્ઞાનની સેવાનો નિષેધ થતો નથી, પરંતુ ઊલટું તે બે જ્ઞાનનું સેવન અતિ આદરપૂર્વક કરવું. એમ સિદ્ધ થાય છે; Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧ - કારણ કે બે જ્ઞાન જે બતાવ્યાં તે કારણ છે અને અનુભવજ્ઞાન તે તો તેનું કાર્ય છે, તો કારણરૂપ બે જ્ઞાનની અતિ આદરપૂર્વક સેવા કર્યા સિવાય તેના કાર્યરૂપ અનુભવજ્ઞાનની સેવા કરી એમ કહેવાય જ નહીં. આ ઉપરથી ભવ્ય પ્રાણીઓ પોતાનાં હૃદયમાં સમજશે કે દરરોજ નવો જ્ઞાનાભ્યાસ કરવાની કેટલી બધી જરૂર છે. કેટલાક આ કાળમાં અનુભવજ્ઞાન મેળવવાની વાતો કર્યા કરે છે, પણ જ્યાં સુધી ગુરુગમ સહિત શાસ્ત્રાનુસાર શ્રુતજ્ઞાન મેળવે નહીં, ત્યાં સુધી એમને સમ્યક. ચિંતાજ્ઞાન ક્યાંથી આવવાનું? અને જ્યાં સુધી સમ્યક્ ચિંતાજ્ઞાન પ્રાપ્ત ન થયું હોય, ત્યાં સુધી આ ભવનાં ચેષ્ટિતોનું પણ અનુભવજ્ઞાન સત્ય ન મળી શકે તો પરભવનાં ચેષ્ટિતોનું સમ્યજ્ઞાન તો મળવાનું જ ક્યાંથી? હંમેશાં સંસારની અગર ધર્મની દરેક બાબત સિદ્ધ કરવાનો રસ્તો જ એ છે કે પ્રથમ તેનાં કારણોનું જ્ઞાન બીજા પાસે અતિ આદર-વિનયપૂર્વક મેળવવું. પછી કંટાળો લાવ્યા વગર ઘણા કાળ સુધી તે જ્ઞાનનું મનન કર્યા કરવું કે જે દ્વારા પ્રાણી અવશ્ય સમ્યક્ અનુભવજ્ઞાન મેળવી શકે છે. કાર્ય સિદ્ધ કરવાની વાતો કર્યા કરે અને તેના કારણભૂત પદાર્થના સેવનનો આદર મંદ કરે અગર ન કરે તો તે જિનેશ્વર ભગવાનના શાસનને અંગીકાર કરનારો જ કહેવાતો નથી. जइ जिणमयं पवज्जह, ता मा ववहार निच्छए. मुयह । વીર નમોસ્કેપ, તિથ્થચ્છમો . નો દોડુ. ||, “જો તમે જિનેશ્વર ભગવાનના મતને અંગીકાર કરતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બન્નેને ન મૂકો, જે હતું માટે વ્યવહારનયનો ઉચ્છેદ થવાથી તીર્થનો ઉચ્છેદ થાય છે.” છે. આ ગાથાના ભાવાર્થ ઉપરથી ભવ્ય પ્રાણીઓ વિચારે કરી Page #15 -------------------------------------------------------------------------- ________________ * હૃદયપ્રદીપ શકશે કે શાસ્ત્રકાર એક વાર બને નયનો સ્વીકાર કરવાનો બતાવી, વળી વ્યવહારનયનો નાશ કરવાથી શાસનનો નાશ થશે, ‘નહીં કે નિશ્ચયનય અંગીકાર નહીં કરવાથી શાસનનો નાશ થશે' એમ બતાવે છે. એ ઉપરથી એ જ નિર્ણય આવે છે કે વ્યવહારથી જે સિદ્ધિગતિ પ્રાપ્ત થવાનાં કારણ હોય તેમાં અતિ આદરપૂર્વક પ્રવર્તવું અને એ વ્યવહાર દ્વારા જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે ચૂકી જવું નહીં; પણ એવો નિર્ણય નથી આવતો કે વ્યાવહારિક કારણોનો અગર તેના સેવનારાઓનો અનાદર કરવો કે તેના ઉપર અરુચિ કરવી કે વ્યવહારથી તેઓને છોડાવી દેવા. જે પ્રાણીઓ ગુરુ દ્વારા જ્ઞાન મેળવતા નથી તેઓની આ ભવમાં પણ એવી કઢંગી સ્થિતિ થઈ પડે છે કે પોતે જિનશાસનનું રહસ્ય સમજતા નથી અને બીજાઓને તે રહસ્ય સમજાવવાનો ડોળ કરવા જાય છે, તેથી તે બિચારાઓની ગુરએ નહીં શીખવેલા મોરના નાટક જેવી સ્થિતિ થઈ પડે છે. એ ઉપરથી સમજવાનું એટલું જ છે કે અતિ આદરપૂર્વક હંમેશાં, વધારે વખત ન મળે તો ઓછામાં ઓછો એક કલાક તો અવશ્ય ગમે તે વખતે દરરોજ નવું જ્ઞાન મેળવવામાં અર્પણ કરવો. ઘણા સુજ્ઞોને તેવી ઇચ્છા હોય છે છતાં તેઓ તે પ્રમાણે વર્તી શકતા નથી; તેનું કારણ એ છે કે જે વખતે તેવી ભાવના આવે છે. તે વખતે તેવા પ્રકારનો કોઈ નિયમ તે લોકો કરતા નથી. જો કોઈ પણ પ્રકારનો એવો નિયમ કરે કે “આળસથી જો જ્ઞાનાભ્યાસમાં એક કલાક ન કાઢું તો મારે અમુક જરૂરની ચીજ તે દિવસે અગર બીજે દિવસે ન ખાવી' તો તો અવશ્ય જ્ઞાનાભ્યાસ બની શકે અને શ્લોકમાં બતાવ્યા પ્રમાણે તે મેળવેલા જ્ઞાનનું ચિંતન-મનન કરવા દ્વારા તેના કાર્યરૂપ અનુભવજ્ઞાન પણ મેળવી અવશ્ય તેની સેવા બજાવી શકે. Explanation - Man seeks bliss, but constant Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧ suffering is his lot. This verse stresses that 'right knowledge' is the only remedy. Right knowledge is attained in three stages : (1) Right information, (2) right reflection and (3) self-experience. Of these, right information, which implies scriptural knowledge and right reflection, which involves mental activity are both indirect, Self-experience is the knowledge attained by the 'soul without the aid of either the senses or the mind, and is thus direct. 'Selfexperience' is vital because it lends the seeker the wisdom to distinguish non-living objects of the five special senses and the living soul from each other and also blesses him_with the extrasensory perception and knowledge of his previous births. Page #17 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અનુભવ જ્ઞાન અને ક્રિયા બે હોય તો જ થાય છે – બ્લોક-૨ जानन्ति केचिन्न तु कर्तुमीशाः, कर्तुं क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तुं, ते केऽपि लोके विरला भवन्ति ।। જાણે ખરા કો'ક, ન કાર્યકારી, કો' શક્તિ ધારે, નવ જાણકારી; જ્ઞાને તથા આચરણેય પૂરા, એવા જડે માનવ કો'ક શૂરા. A few among men do have the privilege To possess the right spiritual knowledge, Yet they happen to remain for ever Incapable to act in a righteous manner; And few others, who are capable of action Are deprived of the right knowledge and vision; Rarest of rare are indeed those who Are right in their knowledge and conduct too. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૨ અર્થ – આ લોકને વિષે કેટલાક મનુષ્યો તત્ત્વને જાણે છે પણ તે પ્રમાણે કરવાને સમર્થ નથી, જે મનુષ્યો કરવાને સમર્થ છે તેઓ તત્ત્વને જાણતા નથી, પરંતુ જેઓ તત્ત્વને જાણે છે અને એ પ્રમાણે કરવાને સમર્થ પણ છે તેવા જીવો તો કોઈક વિરલા જ હોય છે. ભાવાર્થ – કેટલાક મનુષ્યોએ દ્રવ્યથી શુકપાઠરૂપે અગર શ્રદ્ધાનરૂપે કરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવેલું હોય છે. જેમ કે નવ તત્ત્વમાં આવે અને અજીવ એ બે તત્ત્વ જાણવા યોગ્ય છે; બંધ, આસવ અને પાપ એ ત્રણ તત્ત્વ તેનાં કારણોમાં ન પ્રવર્તવા દ્વારા છાંડવા યોગ્ય છે; સંવર, નિર્જરા તથા મોક્ષ એ ત્રણ તત્ત્વ તેનાં કારણોમાં પ્રવર્તવા દ્વારા આદર કરવા યોગ્ય છે; શેષ રહેલું પુણ્ય તત્ત્વ વ્યવહારનયે આદરવા યોગ્ય છે તથા નિશ્ચયનયે છાંડવા યોગ્ય છે. આ પ્રકારનું જ્ઞાન હોય છે, છતાં આદરવા યોગ્ય તત્ત્વોનો આદર કરી શકતા નથી અને છાંડવા યોગ્ય પદાર્થોને તજી શકતા નથી. કેટલાક છાંડવા યોગ્યને છાંડવા તેમજ આદરવા યોગ્ય પદાર્થોને આદરવાની યોગ્યતા તથા સામર્થ્યવાળા હોય છે, પણ તેઓ તત્ત્વને જાણતા નથી. પરંતુ જેઓ યથાસ્થિત પદાર્થોનાં રહસ્યને જાણે છે તથા તે જ પ્રમાણે વર્તવાને સમર્થ થાય છે તેવા માણસો તો દુનિયામાં થોડા જ હોય છે. આ શ્લોકમાં ધર્મમાં વર્તતા પ્રાણીઓના ત્રણ વર્ગ બતાવ્યા છે. તેમાં જ્ઞાન અને ક્રિયા બને જેને હોય છે તે અનુભવજ્ઞાની કહેવાય છે, તેવા માણસો લોકમાં બહુ થોડા હોય છે; એ એક વર્ગ બતાવ્યો. આ વર્ગ તો સૌથી જલદી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. હવે જેને જ્ઞાનું છે. પણ ચારિત્રમોહનયના ઉદયના પ્રબળપણાથી તે જ્ઞાન પ્રમાણે વર્તવા સમર્થ થઈ શકતા નથી, આ બીજો વર્ગ. પણ જો જેઓ Page #19 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રદીપ ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિકે કરી યથાર્થ વર્તવા સમર્થ છે તેના ઉપર આદરવાળા રહે અને પોતે પણ ચારિત્રમોહનીય તોડવાના ઉદ્યમમાં તત્પર રહે તો કેટલાક વખત પછી પણ અવશ્ય મોક્ષપદને સાધી શકે છે. હવે ત્રીજો વર્ગ કે જે ચારિત્રમોહનીય તથા પ્રકારનું પ્રબળ નહીં હોવાને લીધે કરવા સમર્થ છે પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે આદરવા યોગ્ય તથા છાંડવા યોગ્ય પદાર્થને સમજી શકતો નથી. આ વર્ગ પણ જેઓ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમના બળે કરી પદાર્થનાં સ્વરૂપને જાણતા હોય, તેઓની વિનયભક્તિ કરવામાં તત્પર રહે અને પોતે જ્ઞાનાવરણીય કર્મ ખપાવવા માસતુષ નામના પ્રસિદ્ધ, મુનિમહારાજની પેઠે સાવધાન રહી કંટાળારહિતપણે ઉદ્યમ કરે અને જ્યાં સુધી પોતાને હિતાહિતનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી જ્ઞાનીની નિશ્રાએ રહી તેમજ કર્યા કરે તો તે પણ કેટલાક કાળે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત કરે. પણ જેઓ કેવળ શુકપાઠરૂપ જ્ઞાન મેળવી ચારિત્રવંતો ઉપર અરુચિવાળા હોય, એટલું જ નહીં પણ તેવાઓના અવર્ણવાદ બોલવાથી અને તેઓની અવજ્ઞાથી કેવળ પોતાની માન-પૂજા વધારવાની વાંછા રાખતા હોય તે તથા જેઓ ક્રિયા કરવા સમર્થ હોય પણ જ્ઞાનની તો કંઈ ખબર જ ન હોય છતાં દુનિયામાં અદ્વિતીય માન મેળવવા માટે કેવળ બાહ્ય ક્રિયાનો ડોળ કરી જ્ઞાનીઓનાં ચરણારવિંદની સેવા દ્વારા જ્ઞાનાવરણીય કર્મ તોડવાનો ઉદ્યમ તો ક્યાંથી કરે! પણ ઊલટા જ્ઞાનનાં સાધનોની તથા જ્ઞાનીઓની અતિ આશાતના કરતા હોય તેવા પ્રાણીઓ તો અનંત સંસારી હોવાની સાથે જૈન શાસનની મર્યાદાથી બહાર જ છે એમ સમજવું. જો કે શુષ્ક જ્ઞાન અથવા શુષ્ક ક્રિયાવાળા પોતાની મતિકલ્પનાથી અમે જૈન શાસનમાં છીએ એમ માને છે તોપણ તેઓનું જ્ઞાન અગર ક્રિયા કેવળ મતિકલ્પિત હોવાથી તેઓ આજ્ઞાથી પરાભુખ હોય છે, તેથી તે વસ્તુ કેવળ તેમને Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૨ સંસારરૂપ ફળ આપવાવાળી થાય છે. समइपवित्ती सव्वा, आणाबझ्झत्ति भवफला चेव । तिथ्थयरुद्देसेणवि, न तत्तओ सा तदुद्देसा ।। “પોતાની મતિકલ્પનાપૂર્વક જ્ઞાન અગર ક્રિયા સાધવા કરેલી સર્વ પ્રવૃત્તિ તીર્થંકર મહારાજની આજ્ઞાની બહાર હોવાને લીધે કેવળ સંસારવૃદ્ધિરૂપ ફળને આપનાર થાય છે. જો કે તે મતિકલ્પનાપૂર્વક પ્રવૃત્તિ કરનારાઓ પોતાથી કરાતી પ્રવૃત્તિને તીર્થકરે બતાવેલી છે એમ માને છે તો પણ તે પ્રવૃત્તિ પરમાર્થથી જોતાં તીર્થકરે બતાવેલી છે જ નહીં; અને તેથી જ સંસારવૃદ્ધિરૂપ ફળને તે આપે તેમાં નવાઈ જેવું નથી. આ ઉપરથી સુજ્ઞ જનો સમજી શકશે કે અનુભવજ્ઞાન મેળવવામાં તો જો કે વખત લાગે તેમ હોય તો પણ તેના પહેલા વખતમાં અવળા માર્ગે તો જવું જોઈએ જ નહીં. એક માણસની આંખો ગઈ એટલે ‘તેના હાથ-પગ શું કામના છે?' એમ કહી તેને નિરુપયોગી કરી નાંખવા તે વ્યાજબી કહેવાય જ નહીં. તેના હાથ-પગ સાજા રાખવાની સાથે તેનાં ચક્ષુ સાજા કરવા અગર કરાવવા તે વ્યાજબી કહી શકાય. એક માણસ દેખતો હોય અને પાંગળો હોય તો “આની આંખો શું કામની છે?' એમ ધારી તેની દૃષ્ટિ બંધ કરી દેવી એ કાંઈ વ્યાજબી ગણાય જ નહીં, પણ તેના હાથ-પગ સાજા થાય તેને માટે ઉદ્યમ કરવો એ વ્યાજબી કહેવાય; તેમ જે માણસો જ્ઞાન શીખી શકતા હોય પણ ક્રિયા ન કરી શકતા હોય તો તેઓને જ્ઞાનનો અભ્યાસ છોડાવી દેવાની જરૂર નથી, પણ ક્રિયામાં ધીમે ધીમે પ્રેરણા કરી પ્રવર્તાવવાની જરૂર છે. કેટલાક ક્રિયા કરી શકતા હોય અને જ્ઞાન ન આવડતું હોય તો તેઓથી થતી ક્રિયા મુકાવી દેવાની જરૂર નથી, પણ હરકોઈ પ્રકારે તેઓ જ્ઞાનવાળા થઈ શકે તેવો ઉદ્યમ કરાવવાની જરૂર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ હ્રદયપ્રદીપ છે. કેટલીક વખત એક માણસની પાસે કાર્યસિદ્ધિ કરવાના બન્ને પદાર્થો નથી હોતા, તોપણ જો બે ગુણવાળા બન્ને માણસો ભેગા મળી શકે તો અવશ્ય કાર્ય સાધી શકે છે. संजोगसिद्धिइ फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समेच्चा, ते संपउत्ता नगरं पविठ्ठा ॥ “જ્ઞાનીઓ સામગ્રીના સંયોગની સિદ્ધિથી ફળ બતાવે છે. એક ચક્રથી રથ કોઈ પણ વખતે ચાલી શકતો નથી. અંધ તથા પંગુ વનમાં એકઠા થયા અને તે બન્ને જોડાયા તો નગરમાં પેઠા.” દૃષ્ટાંત આ પ્રમાણે “એક વનમાં દાવાનળ લાગેલો હતો, ત્યાં એક આંધળો માણસ હતો અને એક પાંગળો માણસ હતો. આંધળાને નહીં દેખાવાથી દાવાનળ વિનાની દિશાએ રસ્તો લેવો શક્ય નહોતો, પાંગળો દાવાનળ વિનાની દિશાને દેખી શકતો હતો પણ ચાલવાની શક્તિ નહીં હોવાને લીધે તે દાવાનળરહિત રસ્તે ચાલવા અસમર્થ હતો. આ દરમ્યાનમાં દૈવયોગે તે બે એકઠા મળ્યા; અને એકસંપ કરી આંધળાએ પાંગળાને પોતાની ખાંધે બેસાડ્યો. પાંગળો રસ્તાની સૂચના જેમ જેમ ડાબા, જમણી બતાવી કરવા લાગ્યો, તેમ તેમ તે તરફ ચાલી આંધળો તેનો અમલ કરતો ગયો. એમ બન્ને એકઠા મળ્યા અને પરસ્પર યોગ્ય ઉદ્યમ કર્યો તો તેઓ વાંછિત નગરે પહોંચ્યા અને દાવાનળથી થતી મરણની આપત્તિથી બચ્યા.” આ જ રીતે દુઃષમ કાળના પ્રભાવે બહોળતાએ જ્ઞાનક્રિયારૂપ બન્ને પદાર્થ સાથે એક પ્રાણીમાં હોવા મુશ્કેલ છે, તોપણ ઉપર બતાવેલા દૃષ્ટાંતની માફક જો બન્ને એકઠા મળી, એકસંપે રહી, પોતપોતાની ફરજ બજાવી લે તો તેઓ અતિ અલ્પ અનુભવીઓ જે આ શ્લોકમાં બતાવેલા છે તેઓની પેઠે - મોક્ષસુખની સિદ્ધિ કરવાની સાથે જૈન શાસનનો પણ ઉદ્યોત રૂડી રીતે કરી શકે. સુજ્ઞ જનોને ઘણું કહેવાથી સર્યું. - Page #22 -------------------------------------------------------------------------- ________________ 24118-2 ૧૧ Explanation Seekers of self-experience can be classified into three broad categories: (1) Theorists, who have the right scriptural knowledge about the 'self', the 'nature of self' and the right path to liberation, but are unable to put their knowledge into action due to spiritual lethargy. (2) Ritualists are those who zealously undertake the performance of various rites and rituals but are totally unaware of the 'self'. (3) Those rare few, who seek 'self-realization' by the synchronization of right conduct and right knowledge. → Page #23 -------------------------------------------------------------------------- ________________ અનુભવથી મોક્ષની સિદ્ધિ થાય છે તે કહે છે – બ્લોક-3 सम्यग्विरक्तिर्ननु यस्य चित्ते , सम्यग्गुरुर्यस्य च तत्त्ववेत्ता । सदाऽनुभूत्या दृढनिश्चयो यस्तस्यैव सिद्धिर्न हि चापरस्य ।। સાચી વિરક્તિ હૃદયે ધરે છે, ને તત્ત્વવેત્તા ગુરુને ભજે છે; સ્વાનુભવે નિશ્ચય જે કરે છે, એને જ સિદ્ધિ નિયમા વરે છે. He, and he all alone, whose mind Has truly cast all attachments behind, Who has for a guide a verily true guru, (A knower of that which is really true), Whose iron resolve rests on experience Of that which is truly his own essence, Yes, he alone ultimately attains "Realization' and freedom from mundane existence. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૩ ૧૩ અર્થ – જેના ચિત્તમાં નિશ્ચ સમ્યક્ પ્રકારની વિરક્તિ હોય અને જેના ગુરુ સમ્યક્ પ્રકારે તત્ત્વને જાણનાર હોય તથા સર્વદા અનુભવ વડે જે દઢ નિશ્ચયવાળો હોય તેને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, બીજાને નહીં. ભાવાર્થ – હવે ત્રીજા શ્લોકમાં કેવા સ્વરૂપવાળો જીવ મોક્ષ પામી શકે તેમજ કેવા સ્વરૂપવાળો જીવ મોક્ષ ન પામી શકે તે સંથકાર બતાવે છે. નિશ્ચય કરી જેના હૃદયમાં રૂડી રીતની વૈરાગ્યદશા પ્રાપ્ત થયેલી હોય, ઉત્તમ પ્રકારે યથાવસ્થિત જૈન શાસ્ત્રોનાં રહસ્યનું જ્ઞાન જેને હોય એવા સદ્ગુરુની જેને પ્રાપ્તિ થયેલી હોય, અનુભવજ્ઞાન મેળવવા વડે જે પ્રાણી પોતે જેવી રીતે આત્મગુણોની અંદર રમણતા કરવી જોઈએ તેવા કર્તવ્યમાં દઢ નિશ્ચયવાળો બનેલો હોય તેની સિદ્ધિ થાય છે; તે થકી અન્ય કે જેણે ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત કર્યો નથી, જેને ઉત્તમ ગુરુનો સમાગમ મળ્યો નથી, વળી જેણે અનુભવ તો સ્વપ્નામાં પણ દીઠો નથી તેવા જીવની મુક્તિ થઈ શકતી નથી. આ શ્લોકમાં શાસ્ત્રકારે મુક્તિગમનના સાધનભૂત ત્રણ પદાર્થો બતાવ્યા છે. પ્રથમ વૈરાગ્ય, બીજો ઉત્તમ ગુરુસમાગમ અને ત્રીજો અનુભવજ્ઞાન દ્વારા કર્તવ્યનો દઢ નિશ્ચય. હવે પ્રથમ પદાર્થ જે વૈરાગ્યરૂપ બતાવ્યો છે તેનું વિવેચન કરવાની ખાસ જરૂરિયાત રહે છે, કારણ કે તે વિષયને પુષ્ટ કરવાને જ આ પ્રયાસ આદરેલો છે. વૈરાગ્ય ત્રણ પ્રકારના હોય છે. એક દુઃખગર્ભિત, બીજો મોહગર્ભિત અને ત્રીજો જ્ઞાનગર્ભિત. “તવૈરાએ મૃત દુઃમોરંજ્ઞાનાન્ડયાત્રિધા ” અનેક પ્રકારનાં શરીર સંબંધી મનુ, સંબંધી તેમજ કુટુંબ સંબંધી દુઃખો દેખીને સંસારના પદાર્થોથી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હૃદયપ્રદીપ વૈરાગ્ય થાય છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્યના બળથી જો કે તે જીવ સંસારનો ત્યાગ કરે છે તોપણ જ્યારે ચારિત્રમાં અનેક પ્રકારના પરિષહઉપસર્ગોનું દુઃખ આવી પડે છે ત્યારે ગૃહસ્થાવાસની ઇચ્છા કરે છે. પારમાર્થિક આત્મકલ્યાણના હેતુભૂત શાસ્ત્રો ભણવાને બદલે જ્યોતિષ, વૈદક આદિ શાસ્ત્રનો અભ્યાસ કરે છે; કારણ કે જ્યારે પાછો ગૃહસ્થાવાસ અંગીકાર કરે ત્યારે તે તેને આજીવિકાના સાધનભૂત થાય. પારમાર્થિક અગર બીજા પ્રકારનું કદાચિત્ કંઈક જ્ઞાન મેળવે છે તો તેથી પણ પોતે ઘણો જ મગરૂર બની જાય છે. આ પ્રકારનું તે વૈરાગ્યનું સ્વરૂપ હોય છે છતાં પણ જો તેવા વૈરાગ્યવાળો સર્વથા ગીતાર્થ ગુરુને આધીન રહે અને તેમના કહેવા મુજબ જ જો આત્મસાધન કર્યા કરે તો તે પણ મુક્તિપદને સાધી શકે છે, પણ તેમ બની શકવું તેવા વૈરાગ્યવાળાને બહુ મુશ્કેલી ભરેલું હોય છે. બીજો મોહગર્ભિત વૈરાગ્ય અન્ય દર્શનીઓનાં શાસ્ત્રોના સંસ્કારથી સંસારનું દૂષિતપણું જોઈને થાય છે. જો કે તેથી તે બાલતપસ્વીપણું અંગીકાર કરે છે તોપણ તેને શીધ્ર મોક્ષફળ મળી શકતું નથી. ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કે જે સ્યાદ્વાદ શૈલીથી સંસારનું વિકરાળ સ્વરૂપ યથાસ્થિતપણે જાણવાથી પ્રાપ્ત થાય છે, તે જલદી સિદ્ધિપદને આપી શકે છે. વેદાંત શાસ્ત્રાનુસારી વૈરાગ્ય મોહગર્ભિતમાં અંતર્ભત છે. તેનું સ્વરૂપ એવું હોય છે કે જેમ એક બાળકને કોઈ વ્યાધિ હોવાથી મીઠી ચીજ અપથ્ય હોય છે તેને છી છી' શબ્દ વડે મુકાવી દેવામાં આવે છે, પણ જ્યારે તે બાળક મા-બાપને દેખતો નથી ત્યારે તે ચીજ ઉપાડી લઈ એક વખત જો તેનો સ્વાદ ચાખી લે છે તો ફરીથી છી છી’ શબ્દ તેનાં મા-બાપ બોલે છે છતાં પણ તે તે ચીજને મૂકતો નથી. તેમ સંસારમાં રહેલા પદાર્થોને વેદાંતીઓ વગેરે સંસારમાં વર્તતા અજ્ઞાનીઓને ઇન્દ્રજાળ જેવા બતાવે છે. તે ઉપરથી કેટલીક વખતે તેઓ વૈરાગ્ય પામી Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૩ ૧૫ સંન્યાસીપણું અંગીકાર કરે છે, છતાં પણ જ્યારે તેમને શાસ્ત્રનું જ્ઞાન વધારે થાય છે ત્યારે દુનિયાના પદાર્થોને પ્રત્યક્ષ પ્રમાણ વડે સિદ્ધ થયેલા જોઈ બાળકની પેઠે તે પદાર્થો અંગીકાર કરવાનું તેઓ મન કરે છે. પરંતુ જો સર્વ પદાર્થો પોતપોતાના સ્વરૂપે સત્ય જ છે એમ બતાવવાની સાથે તેનું વિનાશીપણું સમજાવી વૈરાગ્ય પમાડવામાં આવ્યો હોય તો સમજુ રોગી જેમ સમજીને તજેલું કુપથ્ય તે રોગ હોય ત્યાં સુધી ફરી લેતો નથી; તેમ તે પણ અનિત્ય, વિનશ્વર, અંતમાં આપત્તિદાયી એવા સાંસારિક પદાર્થોનો ફરી સ્વીકાર કરે નહીં, કારણ કે તેણે સાચી રીતે તે પદાર્થોને કુપથ્ય તરીકે ધારી મૂકેલા હોય છે. આ પ્રકારે વસ્તુનો પારમાર્થિક બોધ થવાથી થયેલો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અવશ્ય - સિદ્ધિપદને આપે છે. સદ્ગુરુનું લક્ષણ શાસ્ત્રકારે એવું બતાવેલું છે કે જેમને આત્મસ્વભાવરૂપ નૈયિક ધર્મ તથા તેને પ્રગટ કરવાના સાધનભૂત અનેક અનુષ્ઠાનરૂપ વ્યવહાર ધર્મની જાણ હોય, વ્યવહારનિશ્ચય બને ધર્મને સેવનાર હોય, ધર્મમાં સદા તત્પર હોય અને હમેશા પ્રાણીઓને ધર્મનાં તત્ત્વનો ઉપદેશ કરનાર હોય. धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मपरायणः । सत्वेभ्यो धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ।। “જે ધર્મના જાણ, ધર્મના કરનાર, ધર્મમાં સદા તત્પર અને પ્રાણીઓને ધર્મશાસ્ત્રાર્થનો ઉપદેશ કરનાર હોય તે ગુરુ કહેવાય છે.” આ પ્રકારના સદ્ગુરુના સંયોગથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયેલો હોય તો તે દૃઢ થાય છે અને પ્રાપ્ત ન થયેલો હોય તો તેની પ્રાપ્તિ થાય છે. ત્રીજો અનુભવજ્ઞાન દ્વારા કર્તવ્યનો દઢ નિશ્ચય તે આ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ હૃદયપ્રદીપ પ્રમાણે - સદ્ગુરુના સમાગમ વડે પ્રાણીઓ સત્ય પદાર્થોનું સ્વરૂપ વિચારી તેનું વારંવાર મનન કર્યા કરે છે, તેથી અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે કે જે અનુભવજ્ઞાન દ્વારા તેઓ જલદી સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. પણ ઉપર કહેલાથી વિપરીત અન્ય પ્રાણીને સિદ્ધિપદ પ્રાપ્ત થતું નથી. ઊલટું જેમ નવા તાવવાળાને દૂધપ્રમુખ પદાર્થો અતિ ઉત્તમ છતાં પણ સનિપાત દ્વારા શીઘ્ર મરણને આપે છે, તેમ વૈરાગ્ય વિના અયોગ્યતાએ મેળવેલું જ્ઞાન પણ અનંતા જન્મ-મરણને આપે છે. આ હેતુથી જ શાસ્ત્રકારે અનુક્રમે આગમોનું જ્ઞાન આપવાનું કહ્યું છે. Explanation - This verse spells out the three most important preconditions for 'self-realization' : (1) true detachment, (2) true guide and (3) iron resolve. Self-realization' is impossible without total mental detachment from all other substances' except one's self-substance. The guidance of one who is himself a knower of the real truth' and is thus a 'true guru', is also essential. Firm determination based on "true experience of the 'self', prevents one's deviation from the right path. Page #28 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યપ્રાપ્તિ માટે શરીરસ્વરૂપ વર્ણવે છે – લોક-૪ विग्रहं कृमिनिकायसंकुलं, દુઃા રિ વિવેચયન્તિ | કુતિવર્ધ્વમિવ ચેતને હિ તે, मोचयन्ति तनुयन्त्रयन्त्रितम् ।। દેહ તો કૃમિ સમૂહથી ભર્યો, દુઃખરૂપ સમજે વિવેકીઓ; દેહની નિબિડ કેદમાં પડીચેતના, કર વિમુક્તિ તેહની. The soul is once and for all set free From its physical frame - the body, Alike a captive from a prison-hole, By him who knows in his heart and soul That the body is only a gathering of worms, (Speaking of it, in absolute terms) It causes one, over and over again. Nothing but untold suffering and pain. Page #29 -------------------------------------------------------------------------- ________________ હ્રદયપ્રદીપ ૧૮ અર્થ જેઓ આ શરીર કૃમિનિકાયોના સમૂહથી વ્યાપ્ત અને દુઃખદાયી છે એમ પોતાનાં હૃદયમાં વિવેકપૂર્વક જાણે છે, તેઓ જાણે કેદખાનામાં બંધાયેલા હોય તેમ શરીરરૂપી યંત્રથી બંધાયેલા આત્માને નિશ્ચે છોડાવે છે. — ભાવાર્થ સમ્યગ્ વૈરાગ્ય શરીરાદિનું યથાસ્થિત સ્વરૂપ વિચારવાથી જ થાય છે, તેથી તે દેખાડે છે હમેશા દરેક વસ્તુ સંબંધી વૈરાગ્ય, તેનાથી પ્રાપ્ત થતી આપત્તિઓના તેમજ તેના બિભત્સ સ્વરૂપના વિચારથી થાય છે. પ્રાણીઓ અનુક્રમે સર્વ વસ્તુ ઉપરનું મમત્વ ઉતારતા છતાં પણ છેવટે શ૨ી૨ ઉપ૨નું મમત્વ ઉતારી શકતા નથી. જેમ ધન ઉપાર્જન કરવા દેશ મૂકે છે, ધન વડે કુટુંબનું રક્ષણ કરે છે અને છેવટે કુટુંબને પણ પોતાના શરીરના રક્ષણ માટે છોડી દે છે. આ પ્રકારનો મોહ શરીર ઉપર અનાદિ કાળથી હોય છે, છતાં પણ જ્યારે તે શરીરના સ્વરૂપનું વિચક્ષણો વિવેચન કરે છે ત્યારે શરીર ઉપરથી પણ તેઓ મમત્વ ઉતારે છે અને પછી દેહને દુ:ખ પડ્યા છતાં પણ ભય ન પામી “વેઠે દુ:સ્તું મા” એ સૂત્રવચનનું અવલંબન કરી પરિષહ-ઉપસર્ગો સહન કરવા તત્પર થાય છે અને તે દ્વારા સર્વ કર્મ ક્ષય કરી અનંતા કાળથી થતાં શારીરિક અને માનસિક દુઃખોને જલાંજલિ આપે છે; અને અવ્યાબાધ સુખ જે આત્માના સ્વાભાવિક ગુણરૂપ છે તે પ્રાપ્ત કરે છે. એક તરફ જ્યારે શરીરને કૃમિ આદિ જીવોના આધારભૂત જ્ઞાનીઓ બતાવે છે, ત્યારે બીજી તરફ અતિ મોહી પ્રાણીઓ તે જ શરીરના અવયવો જે કેવળ અપવિત્ર પદાર્થોથી ભરેલા છે તેને અતિ ઉત્તમ પદાર્થોની ઉપમા આપે છે. જેમ કે સ્ત્રીનું મુખ શ્લેષ્માદિકથી ભરેલું છે છતાં તેઓ તેને ચંદ્રના સરખું કલ્પે છે, સ્તનો માંસરુધિરાદિકની પોટલીરૂપ છે છતાં તેને કનકકળશની ઉપમા Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૪ ૧૯ આપી તેને વખાણી તેનું આલિંગન કરવા તૈયાર થાય છે અને તે કાર્યની પ્રાપ્તિ થતાં અતિ મોહથી મનમાં હર્ષવંત થાય છે. જે ગુહ્ય ભાગ આખી દુનિયાથી છુપાવી રાખી લજ્જાદાયક હોઈ કોઈને પણ બતાવવામાં આવતો નથી, વળી જે કેવળ મલમૂત્રની કોઠીરૂપ છે, જેને સ્પર્શ કરતાં પણ માણસોને પોતાના હાથપ્રમુખ ધોઈને શુચિ થવું પડે છે તેવા પદાર્થનો સ્પર્શ કરવામાં મોહના પ્રબળ ઉદયથી અતિ આકાંક્ષા ધારણ કરે છે અને તે નિમિત્તે અનેક પ્રકારનાં આર્ત-રૌદ્રધ્યાનનું સેવન કરી, પૈસા મેળવી તે પદાર્થ સાધવા-સેવવા ઇચ્છે છે. કદાચિત્ પૂર્વકૃત પુણ્યના ઉદયથી તે વસ્તુ પ્રાપ્ત થાય છે તો તેની આસક્તિ અને તે નિમિત્તક વિડંબના અને દુર્ગાનનો કંઈ પાર રહેતો નથી. અતીત કાળમાં જે અનંતાં શરીર અને– મન સંબંધી દુઃખ પ્રાપ્ત થયાં છે તે તેવી વિષયાસક્તિને લીધે થયેલાં છે તેનું તેમને ભાન પણ આવતું નથી. જો કે પરાધીનપણે તો 'વિષયસુખનો ત્યાગ પ્રાણીઓ અનંત કાળ સુધી અમંતી વખત કરે છે, તોપણ તેવા ત્યાગથી કંઈ તેમના આત્માનું કલ્યાણ થઈ શકતું નથી; છતાં ભોગનો ત્યાગ કરવાથી જ તાત્ત્વિક ત્યાગીપણું પ્રાપ્ત થઈ શકે છે. “ને ય વંતે nિયે મોયે लध्धेवि पिठ्ठीकुव्वइ । साहीणे चयइ भोए सेहु चाइत्ति તુવેરૂ” | “જે પ્રાણીઓ રમણીય અને પ્રિય પ્રાપ્ત થયેલા સ્વાધીન ભોગોનો ત્યાગ કરી તેને પૂંઠ દે છે, તે પ્રાણીઓ નિશ્ચય કરી પારમાર્થિક ત્યાગીઓ કહેવાય છે.” આ ઉપરથી વિચક્ષણો સમજી શકશે કે જો થોડા વખતને માટે પ્રાપ્ત થયેલા ભોગોનો ત્યાગ કરશું નહીં તો એકેન્દ્રિયમાં જઈ રખડતાં અનંત કાળ સુધી વિષયો તો નહીં જ મળે, પણ તેની સાથે આત્મકલ્યાણ દ્વારા મોક્ષસુખ સાધવાનું પણ બની શકશે નહીં. માટે જેમ બને તેમ હમેશ દરેક વિષયનો ત્યાગ કરવા પ્રવર્તવું એ જ મોક્ષાર્થી પ્રાણીઓની ફરજ છે. બાહ્ય ચીજોના ત્યાગનો Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હૃદયપ્રદીપ અતિ આગ્રહપૂર્વક ઘણા ભવો સુધી અભ્યાસ કરવામાં આવે તો અંતે મોક્ષસુખના સાધનભૂત ભાવત્યાગને પણ પ્રાપ્ત કરવા તે પ્રાણીઓ ભાગ્યશાળી બની શકે છે. બહોળતાએ દ્રવ્યત્યાગના અભ્યાસ સિવાય ઘણા પ્રાણીઓને ભાવત્યાગ પ્રાપ્ત થવો બહુ મુશ્કેલ છે. બાહ્ય પદાર્થોની આસક્તિ છૂટવાથી અંત વખતે પ્રાણીઓ સમાધિમરણને સાધી શકે છે, નહીંતર શરીરનો મોહ રહેવાથી અતિ આર્ત્ત-રૌદ્રધ્યાન કરી દુર્ગતિમાં જવાનો વખત આવે છે; માટે શરીરનો મોહ છોડી દેવો કે જેથી આત્મા અનાદિ કાળથી શરીરયંત્રથી નિયંત્રિત થયેલો છે તે મુક્ત થાય. મોહનીય કર્મ સર્વ કર્મોમાં પ્રધાન હોવાથી તેને હણ્યું એટલે શેષ સર્વ કર્મ હણાઈ જાય છે. Explanation True, detachment from an object is generated by the knowledge of either its (1) underlying ugliness or its (2) remote painfulness. Therefore, only he who knows his body to be a gathering of worms and realizes that it ultimately causes pain, is able to get rid of his body-mindedness. And only he, who is thus truly detached, is able to release his soul from the body like a prisoner set free from a prison-hole. - Page #32 -------------------------------------------------------------------------- ________________ શરીરની ભોગ અને યોગ માટે સાધનતા પાત્રભેદથી કહે છે – બ્લોક-૫ भोगार्थमेतद् भविनां शरीरम्, ज्ञानार्थमेतत् किल योगिनां . वै । जाता विषं चेद्विषया हि सम्यग् , ज्ञानात्ततः किं कुणपस्य पुष्ट्या ।। સંસારીનું આ તન ભોગ કાજે, ત્યાગી જનોનું તન જ્ઞાન કાજે; જે ભોગને કેવળ રોગ જાણે, તે કેમ ચાહે જડ ખોળિયાને? The physical body is to worldly beings, A means of quenching sensual cravings, But unto the seekers of spiritual union, . . It is a tool of knowledge acquisition. What purpose is served by nourishing the body, When once right knowledge indicates clearly That objects of sense are in fact poison, .. Which subject the soul to deadly delusion? Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ હ્રદયપ્રદીપ અર્થ સંસારી જીવોને આ શરીર ભોગને માટે થાય છે અને જ્ઞાનીઓને (ત્યાગીઓને) એ જ શરીર જ્ઞાનને માટે થાય છે; કારણ કે આ વિષયો જેમને સમ્યગ્નાનથી વિષરૂપ થયા છે, તેઓને આ મૃતક જેવા શરીરની પુષ્ટિથી શું? = ભાવાર્થ એક જ શરીર કયા કયા પ્રાણીઓને કેવાં કેવાં સુખ-દુઃખના સાધનભૂત થાય છે, તે બતાવે છે - - સંસારી પ્રાણીઓ શરીરને ભોગને માટે કલ્પી તે દ્વારા તેનું સફળપણું કરવા માગે છે અને જ્ઞાનીઓ કેવળજ્ઞાનના સાધનભૂત તે શરીરને કલ્પી તેનું સફળપણું કરવા ઇચ્છે છે. જો સ્વ-પરવિવેચન કરવાથી વિષયસુખો વિષની તુલ્ય ભાસ્યાં હોય તો પછી આ જડ શરીરની પુષ્ટિથી શું પ્રયોજન હોય? કંઈ પણ નહીં.. જે શરીરને પ્રાણીઓ અતિ પ્રયત્ન કરી પુષ્ટ કરવા ઇચ્છે છે, તે જ શરીર મરણ પછી કેવલ ભસ્મરૂપ અગર માટીરૂપ થઈ જવાનું છે તેનો તેમને ખ્યાલ પણ હોતો નથી. જેમ ભાડાનું ઘર હોય છે અને વળી તે અચાનક મૂકી દેવું પડશે એવો સંભવ હોય છે તો વિચક્ષણ માણસો કદી તેની સારસંભાળ કરવાનો અતિ પ્રયાસ લેતા નથી, તેમ આ શરીર કઈ વખતે મૂકવું પડશે તેની ખાતરી તો પ્રાણીઓને હોતી નથી, તો પછી તે શરીરને પુષ્ટ કરવા અનેક પ્રકારના આરંભો કરવા તત્પર થવું, વળી અનંતા કાળે પણ પ્રાપ્ત થવી . દુર્લભ એવી જે મનુષ્યજિંદગી તેનો સર્વથા ભોગ આપવો અને તે મનુષ્યજિંદગી દ્વારા સધાતા આત્મકલ્યાણનો કંઈ પણ વિચાર ન કરવો એ કેટલું બધું શોચનીય છે! આપણને જે શ્રોત્રેન્દ્રિય મળેલી છે તે પરના અવર્ણવાદ અગર કામવિકારાદિનાં શાસ્ત્રો સાંભળવાથી સફળ થવાની નથી; પણ જિનેશ્વર ભગવાન તથા સિદ્ધ ભગવાન તથા મુનિમહારાજાદિના ગુણગ્રામ સાંભળવાથી Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫ ૨૩ તેમજ આપ્ત પુરુષોનાં હિતકારી વચનો સાંભળવાથી જ સફળ થવાની છે. આપણને પ્રાપ્ત થયેલી નેત્રેન્દ્રિય વિકારર્દષ્ટિએ અનેક પ્રકારનાં સ્ત્રી-પુરુષ આદિનાં રૂપ જોવાથી સફળ થતી નથી, પણ જિનેશ્વર ભગવાનની તથા મહાત્મા પુરુષોની શાંત મુદ્રાઓ જોવાથી તેમજ શાસ્ત્રોનું અવલોકન કરવાથી અને ઈર્યાસમિતિ શોધવાથી સફળ થાય છે. આપણને મળેલી ઘ્રાણેન્દ્રિય સ્વાર્થને માટે વિષયાસક્તિથી પુષ્પ આદિ પદાર્થો સૂંઘવાથી સફળ થતી નથી, પણ પ્રભુભક્તિ અગર ગુરુભક્તિને માટે અગર જીવદયા પાળવા નિમિત્તે પુષ્પો, આહાર તેમજ, ઝોળીમાં બાંધેલાં પાત્રાં આદિ સૂંઘવાથી થાય છે. આપણને મળેલી રસનેન્દ્રિય અનેક પ્રકારનાં ભોજનોનો સ્વાદ લઈ વિષયાસક્ત થવાથી કે અવર્ણવાદ બોલવાથી સફળ થતી નથી, પણ કલ્પ્ય-અકલ્પ્ય આદિક વસ્તુઓની પરીક્ષા કરવાથી તેમજ સ્વાધ્યાય અને ગુણીઓના ગુણનું ઉત્કીર્તન કરવાથી સફળ થાય છે. સ્પર્શેન્દ્રિય પણ સ્ત્રીઓનું આલિંગન કરવાથી અગર વિષયસેવન કરવાથી કે અનુપયોગપણે ચાલી જીવનાશ કરવાથી સફળ થતી નથી, પણ ઉપયોગ સહિત ચાલી સ્પર્શ દ્વારા કોઈ પણ જીવ હોય, તો તેને જાણી, તેનો બચાવ કરવાથી તેમજ ગુરુમહારાજાની વિશ્રામણાદિક કરવાથી સફળ થાય છે. મનોઇન્દ્રિય પણ બીજાઓનું માઠું ચિંતવવાથી સફળ થતી નથી, પણ શાસ્ત્રોનું રહસ્ય તથા સર્વ પ્રાણીઓનો ઉપકાર કેમ થાય તે ચિંતવવાથી સફળ થાય છે. આ પ્રકારે શરી૨ જ્ઞાનીઓને તો કેવળ મોક્ષના જ હેતુભૂત થાય છે. “ને આસવા તે પરિસવા ।" જેટલાં જેટલાં મોહી જીવોને કર્મ બાંધવાનાં સાધન છે, તેટલાં જ અર્થાત્ તેને તે જ તત્ત્વજ્ઞાનીઓને મોક્ષ સાધવાનાં સાધન છે. માટે મોક્ષના અર્થ પ્રાણીઓએ પ્રાપ્ત થયેલા દરેક બાહ્ય સાધનનો શુભ ઉપયોગ જ કરવો ઉચિત છે; પણ વિનાશી શરીરનું પોષણ કરવામાં તત્પર રહેવું ઉચિત Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૯૮૨૧૦૫ હદયપ્રદીપ નથી. જો યથાયોગ્યપણે શરીરનો ઉપયોગ કરવામાં ન આવે તો તે શરીર જ ખાસ અનંતા ભવો સુધી તે પ્રાણીને દુઃખનું સાધન થઈ પડે છે, કારણ કે જગતમાં શરીર તથા મન સંબંધી દુઃખો થવાનું કારણ શરીર તથા મન જ શાસ્ત્રકારો બતાવે છે. Explanation – Different men have different viewpoints towards the body depending on their spiritual state. Worldly beings, who are generally body-minded, look upon the body as a means of gratification of sensual desires; but to Yogis, who seek union with Supreme Consciousness, the body is a tool of gaining right knowledge. Right knowledge reveals that the objects of sensual pleasures poison the soul with delusion. Thus, no being who has this right knowledge ever indulges in nourishing the body. Page #36 -------------------------------------------------------------------------- ________________ શરીર પોષવાનું મુખ્ય કારણ મોહ છે. વિવેકી એવા તારે મોહ કરવો યોગ્ય નથી – બ્લોક-હ त्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्र- ... પૂર્વોડનુરા: વડે ક્યું તે | दृष्टा च वक्ता च विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम् । ત્વચા તથા હાડ થકી બનેલા, લોહી તથા માંસ વડે ભરેલા; આ દેહમાં મુગ્ધ બને તું શાથી? તું માત્ર દ્રષ્ટા, અળગો બધાથી. - Composed of fat, flesh, bones and the skin, And with waste matter, filled from within, This body is a contemptible possession, How can it be an object of affection? When you are yourself 'the power-in-person', . The power of preaching and of true perception.. Why then, O soul! This infatuation, When you are the discerning 'wisdom-in-action'? Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ હ્રદયપ્રદીપ અર્થ ત્વચા, માંસ, ચરબી, હાડકાં, વિષ્ટા અને મૂત્રથી ભરેલા આ શરીર પર તને પ્રીતિ કેમ થાય છે? કેમ કે સાક્ષાત્પણે આત્મિક ગુણોનો જોનાર અને કહેનાર વિવેકરૂપ તું પોતે જ છે, તો પછી આ પ્રમાણે તું મૂંઝાય છે કેમ? -- ભાવાર્થ શરીરને પુષ્ટ કરવાનો અભિપ્રાય જ્યારે શરીર ઉપ૨ પ્રાણીઓને રાગ હોય ત્યારે જ થાય છે. રાગ એ મોહરૂપ છે. મોહ વિવેકી પ્રાણીઓએ કરવો જોઈએ નહીં, આ અધિકાર હવે છઠ્ઠા શ્લોકે કરી ગ્રંથકાર બતાવે છે. હે ચેતન! જે શરીર ચામડી, માંસ, ચરબી, વિષ્ટા અને મૂત્ર વગેરે અશુચિ પદાર્થોથી ભરેલું છે; તેમાં તને રાગ અવિચારિતપણે શા માટે થયા કરે છે? હે ચેતન! સાક્ષાતૃપણે સર્વ પદાર્થોનો જાણનાર, યથાવસ્થિતપણે બતાવનાર અને તેઓનું વિવેચન કરનાર તું પોતે જ છે, તો હવે એવા અશુચિ પદાર્થોમાં રાગ કરી શા માટે મૂંઝાય છે? આ શ્લોકમાં ગ્રંથકારે જીવને બહુ મોટો અને વિવેકી હરાવી ઉપદેશ આપવા પ્રયત્ન કર્યો છે. આ ઉપદેશપદ્ધતિ બાળ, અજ્ઞાની, માનના ભૂખ્યા જીવને બહુ જ અસરકારક થાય છે. નાના બાળકની પેઠે અગર પશુની પેઠે અજ્ઞાનતાથી તેમજ અવિવેકીપણાથી મૂઢ અને અજ્ઞાની જીવ તો અશુચિ પદાર્થમાં રાગ કરે અને મૂંઝાય; પણ તું પોતે જ્ઞાની થઈને, બીજા પ્રાણીઓને ઉપદેશ આપનાર થઈને તેમજ વિવેકરૂપ હોઈને આવા અશુચિ પદાર્થમાં રાગ કરી મોહ પામીને શા માટે મૂંઝાય છે? જ્ઞાનીપણું, વક્તાપણું, વિવેકીપણું તો તારું ત્યારે ખરેખરું કહેવાય કે એવા અશુચિ પદાર્થથી પણ અતિ ઉત્તમ મોક્ષસાધન જ્યારે તું સાધી લે. પ્રાણીઓએ જે અનંતાં કાળચક્ર સુધી આ સંસારમાં, સર્વ ગતિઓમાં અનંતું Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬ ૨૭ દુઃખ પ્રાપ્ત કર્યું તે શરીર ઉપર રાગ તથા મમત્વ કરવા વડે જ કર્યું છે. હજુ પણ જો તેઓ વિચાર કરે નહીં તો અવશ્ય હાલમાં જેમ શરીર સંબંધી તથા મન સંબંધી દુઃખો પામે છે, તેમ આગામી કાળમાં પણ અનંતા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરતાં દુઃખ પામવાના. જ્યારે જ્ઞાનીપણું,. વક્તાપણું અને વિવેકીપણું પ્રાપ્ત કર્યું ત્યારે પણ જો શરીર ઉપરનો રાગ તથા મોહ ન છોડી શકે તો પછી તે પામેલાં જ્ઞાનીપણાદિક સાધનો પણ ફરી અનંતા સંસારમાં રઝળતાં ક્યારે પ્રાપ્ત થવાનાં? જ્ઞાનીપણું તો ખરેખરું ત્યારે જ કહેવાય કે જ્યારે રાગાદિક મોહમાં ફસાય નહીં. “તનજ્ઞાનમેવ ન મવતિ, यस्मिन्नुदिते . विभाति रागगणः । तमसः कुतोस्ति शक्तिનિરવિરUTTગ્રત: ચાતુતિ |” “તે જ્ઞાન જ ન કહેવાય કે જે જ્ઞાન ઉદય પામ્યા છતાં પણ રાગનો સમૂહ વિસ્તાર પામે; સૂર્યનાં કિરણોની આગળ અંધકારની ટકવાની શક્તિ ક્યાંથી હોય?” દુનિયામાં અધ્યાત્મીઓ બની, ઝીણા ઝીણા સ્વરથી ડોળ કરી વાચાળપણું બતાવનાર અને એ જ દ્વારા પોતાના સ્વાર્થો સાધનારનાં દૃષ્ટાંતો તો આ હુંડા અવસર્પિણીરૂપ દુઃખમ કાળમાં શોધવાં પડે તેમ છે જ નહીં. તે જીવો બિચારા કૂવાના દેડકાની જેમ કંઈક ભાષાંતરપ્રમુખ દ્વારા જ્ઞાન મેળવી, “અમારા જેવા અધ્યાત્મજ્ઞાનીઓ દુનિયામાં બીજા કોઈ નથી' એમ ધારી, પુષ્ટાલંબનભૂત અને અનેક જીવોનું હિત કરનારા મુનિમહારાજાઓને ક્રોધી ઠરાવે, અયોગ્ય ઠરાવે, પોતે તેઓનો પરિચય કરી પોતાનું તથા તેઓનું જે હિત કરવાનું તે છોડી દઈ અલગ અલગ રહે અને બીજા જીવોને પણ અલગ રાખે; આનું પરિણામ એ આવે કે તેઓ ગમે તેટલો અધ્યાત્મનો ઉપદેશ કરે તો પણ તેઓનો શરીર ઉપર રાગ, મોહ તેમજ તે સાધવાના પ્રયત્નો જોઈ તેઓના આશ્રયે રહેલા જીવોને પ્રતિબોધ લાગે નહીં. ઉપદેશકોની પેઠે તેઓ પણ બિચારા Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ હૃદયપ્રદીપ સંસારમાં આસક્ત થઈ પડી રહે. મુનિઓ સાધારણ હશે તોપણ તેના પ્રસંગથી અને ઉપદેશથી જીવો સંસારથી વૈરાગ્ય પામી ચારિત્ર લઈ આત્મકલ્યાણ સાધવા ઉજમાળ થશે અને ગૃહસ્થીઓ ગમે તેટલા જ્ઞાની હશે તો પણ તેમના ઉપદેશથી સંસારથી વિરક્ત દશા થવી બહુ જ મુશ્કેલ છે. આટલા પરિણામથી બસ થતું નથી, પણ આ ભવમાં વ્યવહારની અરુચિ તથા વ્યવહારવાળા ઉપર અરુચિ કરવાની વાસના એવી પ્રબળ જામી જાય છે કે ફરી ભવાંતરમાં પણ તે જીવને બોધિબીજની પ્રાપ્તિ પણ અતિ દુષ્કર થઈ પડે છે, કારણ કે દરેક ઠેકાણે જીવ ઘણા ખરા બાહ્ય નિમિત્તના સાધનથી જ બોધિ પામે છે. આ બાબતનો પૂરેપૂરો વિચાર કરી જ્ઞાની અને વિવેકી જીવે જેઓએ શરીર ઉપરનો રાગ અને મોહ છોડ્યો હોય, છોડવાના પ્રયત્નો જારી કરેલા હોય અને તે જ પ્રકારનો ઉપદેશ કરતા હોય તેઓનો પ્રસંગ કરી શરીર ઉપરનો રાગ તથા મોહ છોડવો અને બીજા જીવોને તેવા પ્રસંગ મેળવી આપી છોડાવવા એ જ તેની ફરજ અને ખરેખરું વિવેકીપણું છે. વિશેષ વિસ્તાર કરી સર્યું. Explanation - This verse ridicules a soul who is intensely infatuated towards the body. Infatuation for the body is caused by ignorance. Ignorance, however, is not the true nature of the ‘self'. The 'self' is at once the 'seer? who sees the truth about the body, the speaker who narrates the truth' and the active wisdom that discerns the truth from falsehood. There is no reason for the 'self' to remain attached to the body which is composed of and filled with degenerating organic matter. Page #40 -------------------------------------------------------------------------- ________________ હવે ધનની અનિત્યતાને દુઃખનું કારણ બતાવી તેનો ત્યાગ કરવા કહે છે – બ્લોક धनं न केषां निधनं गतं वै, दरिद्रिणः के धनिनो न द्रष्टाः । दुःखैकहेत्वत्र धनेऽतितृष्णां, त्यक्त्वा सुखी स्यादिति में विचारः ॥ શ્રીમંત શું ના કદી રંક થાતા? દરિદ્ર શું ના ધનવંત થાત?--- તૃષ્ણા ખરું કારણ દુઃખ કેરું, તેને તજો સૌખ્ય મળે અનેરું. Don't wealthy beings too one day witness, Destruction of all they were proud to possess? Aren't the poorest of poor seen to rise, To wealth that well-nigh touches the skies? Not wealth, but the thirst for wealth is really The cause of all the human misery. Shun this thirst, this excessive greed, And find yourself, from all miseries freed. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ હૃદયપ્રદીપ અર્થ – કોનું ધન વિનાશને નથી પામ્યું? અને કયા દરિદ્રીઓ ધનવાન થયેલા નથી જોયા? દુઃખના એકમાત્ર હેતુભૂત એવી ધન વિષેની અતિ તૃષ્ણાને છોડીને (જ) માણસ સુખી થાય છે એમ મારો વિચાર છે. . ભાવાર્થ – આ કાવ્યમાં કર્તાએ આપેલી સલાહ બહુ કિંમતી છે. ધનવાન કે નિર્ધન થવું તે ભાગ્યાધીન છે, અર્થાત્ લાભાંતરાયના ક્ષયોપશમથી પ્રાણી ધનવાન થાય છે અને લાભાંતરાયનો બંધ કરવાથી નિધન થાય છે. પરંતુ તૃષ્ણા અત્યંત રાખવી અને તેને અંગે અનેક પ્રકારનાં છળ, પ્રપંચ, ઠગાઈ, અપ્રામાણિકપણું કરવું અથવા અનેક પ્રકારના પાપારંભનાં - મોટી હિંસાનાં કારણો જોડવાં તે તો પરભવમાં અવશ્ય નિર્ધનપણું જ આપનાર છે, કેમ કે એ બધાં કાર્યો લાભાંતરાયનો બંધ કરાવનાર છે. કર્તાની આ સલાહ દ્રવ્ય તજી દેવાની નથી, પણ તેને મેળવવા માટે અને રક્ષણ કરવા માટે જે અત્યંત લાગણી ધરાવવી તે તૃષ્ણા કહેવાય છે, એવી અતિ તૃષ્ણા તજી દેવા માટે આ કાવ્યમાં ઉપદેશ કરવામાં આવ્યો છે. Explanation – Wealth is considered to be a major source of pleasure. This pleasure is very momentary since wealth increases or decreases with fluctuating fortune. Man, therefore ought to give up his excessive thirst for wealth. Page #42 -------------------------------------------------------------------------- ________________ દુ:ખ નાશ કરવાનો ઉપાય બતાવે છે શ્લોક संसारदुःखान्न परोऽस्ति रोगः, सम्यग्विचारात् परमौषधं न T तद्रोगदुःखस्य विनाशनाय, सच्छास्त्रतोऽयं क्रियते विचारः ॥ રોગો બધામાં ભવ રોગ મોટો, વિચાર છે ઔષધ, ન્હોય જોટો; તે રોગની શાંતિ, સમાપ્તિ માટે, વિચારવું આજ સુશાસ્ત્ર વાટે. To be subjected to mundane existence, Is greatest of all grave worldly afflictions, There is no better, no surer cure Than right reflection' : truthful' and ‘pure'. Hence, for the purpose of complete destruction Of all the agony of this affliction, I here do suggest the right remedy, As spelt by the scriptures, true and holy. Page #43 -------------------------------------------------------------------------- ________________ હદયપ્રદીપ અર્થ – સંસારના દુઃખ જેવો બીજો કોઈ રોગ નથી. સમ્યગુ. વિચાર જેવું બીજું કોઈ ઔષધ નથી. તેથી તે રોગ સદશ દુઃખનો નાશ કરવા માટે સારા શાસ્ત્ર થકી આ વિચાકરવામાં આવે છે. ભાવાર્થ – આ સંસારી જીવ જ્વરાદિક રોગને જ રોગ કહે છે, પણ જીવને સાંસારિક અનેક પ્રકારની વ્યાધિઓ - માનસિક, વાચિક અને કાયિક વળગેલી છે. તેમાં માત્ર કાયિકને જ વ્યાધિ રોગ તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ તે સિવાયના બીજા રોગ તે કરતાં વધી જાય તેવા - વધારે દુઃખના આપનારા, ઉપાધિના કરનારા, કર્મોના બંધાવનારા છે. તે સર્વ પૂર્વકર્મજન્ય છેતે રોગમાત્રનું નિવારણ કરનાર પરમૌષધ યગુ વિચાર જ છે. તેના વડે જ સર્વ વ્યાધિઓ નિર્મુળ થઈ શકે છે; પરંતુ તે સમ્યગૂ વિચાર ઉત્પન કરવા માટે - જાગૃત કરવા માટે સજ્ઞાનની પૂર્ણ આવશ્યકતા છે. સમ્યક્ પ્રકારના બોધ સિવાય સમ્યગુ વિચાર ઉત્પન્ન થઈ શકતા નથી. સમ્યગુ બોધ પણ શુદ્ધ શ્રદ્ધા વડે જ થઈ શકે છે. સમ્યક્ શ્રદ્ધા વિનાનો બોધ તે સમ્યમ્ બોધ કહેવાતો જ નથી. તેથી સમ્યક્ શ્રદ્ધાયુક્ત સમ્યગૂ બોધ પ્રાપ્ત કરી સત્શાસ્ત્રોનું અવગાહન કરી તપૂર્વક સમ્યગૂ વિચાર કરવો કે જે પરમૌષધ. વડે આ જીવને ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની સાંસારિક વ્યાધિઓ સહેજે નાશ પામે. આ કાવ્યમાં કર્તાએ ખરેખરા રોગને અને તેનાં ઔષધને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં થોડા શબ્દોમાં એક મહાન કૂંચી બતાવી દીધી છે. Explanation - Disease and death are feared by all men, but for a soul, this very worldly existence is _ the_worst disease-of- all. This affliction can be cured only by the panacea of right reflection'. Page #44 -------------------------------------------------------------------------- ________________ 26115-2 ૩૩ Right reflection, when undertaken as per the guidelines given in true scriptures, uproots all the suffering entailed by a mundane existence. X Page #45 -------------------------------------------------------------------------- ________________ તે વિચારનો પ્રકાર બતાવે છે – શ્લોક-૯ अनित्यताया यदि चेत् प्रतीतिस्तत्त्वस्य निष्ठा च गुरुप्रसादात् । सुखी हि सर्वत्र जने वने च, नो चेद्वने चाथ जनेषु दुःखी ।। અનિત્યતાનું યદિ હોય ભાન, ગુરુ પ્રસાદે વળી તત્ત્વજ્ઞાન; સર્વત્ર તેને મળશે જ શાંતિ, ઘરે, ગુફામાં – નહિ તો અશાંતિ. One who upholds in his conviction, The transient nature of all creation, And has with his guru's gracious blessings Firm faith in the intrinsic 'truth' of all things. Wherever he lives, he lives happily, In the midst of men or in woodlands lonely, But he who holds no faith or conviction Is followed everywhere by inner agitation. Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯-. અર્થ - જો અનિત્યપણાની પ્રતીતિ થઈ હોય અને ગુરુના પ્રસાદથી તત્ત્વની દઢ શ્રદ્ધા થઈ હોય તો તે આત્મા વસ્તીમાં અને વનમાં સર્વત્ર સુખી જ હોય છે અને જો અનિત્યપણાની પ્રતીતિ અને તત્ત્વશ્રદ્ધા ન થઈ હોય તો વનમાં અને વસ્તીમાં પણ તે આત્મા દુઃખી જ હોય છે. ભાવાર્થ – આ પ્રાણી નિરંતર સુખનો અર્થ છે અને દુઃખથી ત્રાસ પામે છે, પરંતુ સુખ-દુઃખના હેતુને યથાર્થ ન ઓળખવાથી તેને ખરું સુખ પ્રાપ્ત થતું નથી અને દુઃખનો નાશ થતો નથી. પ્રાણીને દુઃખનું કારણ આ સંસારના પદાર્થો અને સ્વજનાદિ કે જે અનિત્ય છે તેને નિત્ય માની બેસે છે તે જ છે, કારણ કે અનિત્ય પદાર્થો તેની સંયોગસ્થિતિ પૂર્ણ થયે જ્યારે તેનાથી વિખૂટા–પડે છે અથવા નાશ પામે છે ત્યારે તેને નિત્ય માનનાર મુગ્ધ મનુષ્ય દુઃખ પામે છે, રુદન કરે છે, દિલગીર થાય છે અને કેટલીક વખત તો બીજાં દુ:ખોને ઉદીરે છે અને વખતે પ્રાણ પણ ત્યજી દે છે. આટલા માટે જ શાસ્ત્રકાર કહે છે કે જો આ જીવને અનિત્યતાની પ્રતીતિ થઈ હોય અને તત્ત્વનિષ્ઠા એટલે વસ્તુસ્વભાવની યથાર્થ ઓળખાણ થઈ હોય, જે વસ્તુ જે સ્વભાવવાળી હોય તે બરાબર સમજાયેલ હોય તો પછી તેને વનમાં કે ઘરમાં, વસ્તીમાં કે ઉજ્જડમાં, મહેલમાં કે સ્મશાનમાં સર્વત્ર સુખીપણું જ છે. તે દુઃખીપણું ક્યારે પણ સ્વીકારતો જ નથી. તે તો વસ્તુસ્વભાવને જ ગષ્યા કરે છે. આવી તત્ત્વનિષ્ઠા ગુરુકૃપા વિના થતી, નથી, આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે પ્રાણીને એવી અનિત્યતાની પ્રતીતિ અને તત્ત્વનિષ્ઠા થયેલી હોતી નથી તેવો પ્રાણી વનમાં કે જનમાં, વસ્તીમાં કે ઉજ્જડમાં, બગીચામાં કે અરણ્યમાં સર્વત્ર દુઃખી જ રહે છે. કદાચિત્ અલ્પ સમય તે સુખી દેખાય છે પણ તે સુખીપણું ક્ષણિક છે. કંઈ પણ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ , હૃદયપ્રદીપ અનિષ્ટની પ્રાપ્તિ કે ઈષ્ટનો વિયોગ થયો કે તરત જ તેનું સુખ દુઃખમાં પલટાઈ જાય છે. આ જગતમાં વાસ્તવિક સુખ કે દુઃખનાં કારણો કોઈ છે જ નહીં, માત્ર મનની માન્યતાથી – પ્રાણી છે તે કારણોને સુખ કે દુઃખનાં કારણો માની લે છે તેમાં પણ એક જેને સુખના નિમિત્ત તરીકે માને છે, તેને જ બીજો દુઃખના નિમિત્ત તરીકે માને છે. આ કાવ્યનો ભાવાર્થ ખાસ મનન કરવા લાયક છે. Explanation - Equanimity - heals all worldly wounds. This equanimity is attained by a being who (1) has firm conviction about the impermanence of the entire universe; --(2) has the blessing of a true guru and (3) has, by the virtue of such blessing, strong faith in truth. Beings who lack such conviction and faith undergo constant suffering, whether they live in isolation or in social association. Page #48 -------------------------------------------------------------------------- ________________ વિવેકરૂપી સૂર્યનો ઉદય થતાં મોહાંધકાર નાશ પામે શ્લોક-૧૦ मोहान्धकारे भ्रमतीह तावत्, संसारदुःखैश्च कदर्थ्यमानः । यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ।। મોહાંધકારે ભમતો રહે છે, સંસાર દુઃખે રડતો રહે છે; – વિવેકભાનું યદિ ના ઊગે છે, સ્વરૂપ સાચું નવ સાંપડે છે. Lost in the darkness of self-delusion, Tortured by ignorance and infatuation, Seeking an escape from worldly agony, Man wanders, and wanders all over; aimlessly, Until the sun of discerning vision Rises and shines on his inner horizon And until he sees in its glorious brilliance His own true nature, his spiritual essence. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ હૃદયપ્રદીપ અર્થ સંસારનાં દુઃખોથી કદર્થના પામતો જીવ મોહરૂપી અંધકારથી વ્યાપ્ત આ સંસારમાં ત્યાં સુધી પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યના મહાન ઉદય વડે યથાર્થ સત્યપણે આત્માનું સ્વરૂપ તે જોતો નથી. ભાવાર્થ આ જગતમાં મોહ અને વિવેક એ બન્ને ખરેખરા એકબીજાના પ્રતિસ્પર્ધી છે. મોહ વિવેકને ભુલાવે છે અને વિવેક આવે છે કે મોહ નાશ પામે છે. આ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ મોહ છે અને તેમાંથી છૂટવાનું ઊંચા આવવાનું કારણ વિવેક છે. વિવેકરૂપ સૂર્યનો ઉદય થાય છે ત્યારે જ પ્રાણી પોતાના આત્મસ્વરૂપને જોઈ શકે છે, તે સિવાય આત્મસ્વરૂપનો બોધ થઈ શકતો નથી અને આત્મસ્વરૂપ યથાર્થ સમુજાયા સિવાય મોહ ખસતો નથી. એમને પરસ્પર કાર્ય-કારણભાવ વર્તે છે. વળી મોહનો નાશ થાય ત્યારે જ સાંસારિક દુઃખોની કદર્થના નાશ પામે છે, તે સિવાય નાશ પામતી નથી. સાંસારિક દુ:ખોનું કારણ જ મોહ છે. સંસારનાં સર્વ દુઃખો મોહજન્ય જ છે. મોહ વડે જ તે તે દુઃખોને આ પ્રાણી દુઃખરૂપ માને છે. વિવેક જાગૃત થયા પછી તે તે દુઃખોને આ પ્રાણી દુઃખરૂપ માનતો નથી પણ વસ્તુસ્વભાવ તરફ જ તેની દૃષ્ટિ જાય છે. એટલે દુઃખને દુઃખરૂપ ન માનતાં, ઊલટું કેટલીક વખત કર્મનિર્જરાનું કારણ માની સુખ તરીકે ગણી લે છે. આ બધી મોહ અને વિવેકની જ કૃતિ છે. તેથી ઉત્તમ જીવોએ તે બન્નેને પણ બરાબર ઓળખી મોહને તજવા અને વિવેકને સ્વીકારવા યત્નશીલ થવું. આ કાવ્યમાં ખાસ એ રહસ્ય રહેલું છે. - Explanation Man is tortured by worldly miseries as he is drowned in the darkness of delusion. Delusion is the root cause of a man's worldly - Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦ ૩૯ wandering. This wandering comes to an end when the 'sun' of discerning knowledge and vision dispels all the darkness and man sees his true. nature in its light. Page #51 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનમાં જેને રસ છે, તેને ધન વગેરે અનર્થકારી विरहित લાગે છે. -- શ્લોક-૧૧ अर्थो ह्यनर्थो बहुधा मतोऽयं, स्त्रीणां चरित्राणि शवोपमानि । विषेण तुल्या विषयाश्च तेषां येषां हृदि स्वात्मलयानुभूतिः ॥ ।। સંપત્તિને આપદરૂપ જાણે, માને; શરીરને એ શબરૂપ ભોગો જણાતા ભયરૂપ તેને, આત્માનુભૂતિ થઈ હોય જેને. That wealth is an evil to a holy soul, Which is to many, an essential life-goal; A woman's gestures of love and loyalty Are like those of a corpse lifeless and filthy; All worldly objects of sense satiation Are just as venomous as deadly poison, To him who has had the divine experience Of dissolving himself in his soul-substance. Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧ ૪૧ અર્થ જેઓનાં હૃદયમાં પોતાના આત્માને વિષે લય(તન્મયપણા)નો અનુભવ છે, તેઓને અનેક પ્રકારે સાંસારિક સુખના કારણભૂત લોકોએ માનેલ આ પ્રત્યક્ષ દેખાતું ધન અનર્થકારક લાગે છે, સ્ત્રીઓનાં ચરિત્રો મૃતક જેવાં લાગે છે અને ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા લાગે છે. 1 ભાવાર્થ આત્માને વિષે લય એટલે આત્માનાં હિત-અહિતની જ કાયમ ચિંતા જે પ્રાણીને વર્તતી હોય છે, સાંસારિક દુઃખો કે સુખો બન્ને તરફ જેમની નિરંતર ઉપેક્ષા વર્તે છે, એવા પ્રાણીઓ - મનુષ્યો અર્થને - દ્રવ્યને સ્વાર્થસાધક માનતા નથી પણ અનર્થકા૨ક જ માને છે. દ્રવ્યલોભ તેમનાં હૃદયમાં હોતો જ નથી અને દ્રવ્યની લાભ-હાનિ તેમનાં મન ઉ૫૨ કિંચિત્ પણ અસર કરતી નથી. વળી કોઈ મૃતક જેમ મંત્રવાદીની પ્રેરણાથી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે, તેવી કામદેવની પ્રેરણાથી સ્ત્રીજાતિ તરફથી કરાતી હાવભાવ, કટાક્ષાદિ ચેષ્ટા માને છે. તેમની ચેષ્ટા એવા આત્મલયવાળા મહાત્માના હૃદય ઉપ૨ કિંચિત્ પણ અસર કરતી નથી. કામને ઉત્પન્ન કરવામાં સ્ત્રીજાતિનો તેમના પ્રત્યેનો પ્રયાસ નિષ્ફળ નીવડે છે. તે સ્ત્રીઓની . ચેષ્ટાઓ તેમને ઇષ્ટને બદલે અનિષ્ટ લાગે છે. મોહી મનુષ્ય જેને ઇષ્ટ માને છે, તેને જે પ્રિય લાગે છે તે આત્મલયીને અપ્રિય અનિષ્ટ લાગે છે. ઇન્દ્રિયોના વિષયો તેમને વિષ જેવા લાગે છે. વિષ કરતાં .એક અક્ષર (') વધારે હોવાથી વિષયને તે વિશેષ હાનિકારક માને છે. વિષ એક ભવમાં મારે છે, ત્યારે વિષય અનેક જન્મ-મરણ આપે છે. આવો આત્મલય પૂર્વના શ્લોકમાં બતાવ્યા પ્રમાણે, જેમને તત્ત્વનિષ્ઠા થઈ હોય તેવા મનુષ્યોને જ થાય છે. Explanation The previous verse highlighted the significance of wisdom. This one sings the glory - Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ હ્રદયપ્રદીપ of the divine experience of dissolution within one's self. All the sources of momentary mirth, namely, (1) wealth, (2) woman and (3) worldly means of sense-satiation become redundant to him who is engrossed in himself. Such a being looks upon wealth as an 'evil' and not as one of the four principle ends' of life. The gestures of a woman are as lifeless and meaningless to him as those of a corpse. Pleasures of the sense become poison for him whose heart overflows with 'selfexperience'. Page #54 -------------------------------------------------------------------------- ________________ આ આત્માને જ્યારે ધર્મમાં રસ પડવા માંડે છે ત્યારે બીજાને સંસારનાં કાર્યોમાં ઉત્સાહ જોઈને ખેદ પામે છે, તેને ઉપદેશરૂપે કહે છે – બ્લોક-૧૨ कार्यं च किं ते .परदोषदृष्ट्या, कार्यं च किं ते परचिन्तया च । वृथा कथं खिद्यसि बालबुद्धे, कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ।। દોષો પરાયા નીરખે તું શાને? ચિતા પરાઈ કરતો તું શાને? ભોળો ન થા, ખેદ વૃથા તજી દે, છોડી બધું, શ્રેય સ્વનું કરી લે. What is the need to focus attention On others wrongs, without any reason? How can others be your responsibility? How can their deeds cause you anxiety? What anyone else does is none of your business, Why this disgust then, why this distress? O childlike being! Shun everything else And fulfil your duty to your own 'self'. Page #55 -------------------------------------------------------------------------- ________________ વર્ણવતપરાયણ પ્રામાણિક બનો ! ૪૪ હૃદયપ્રદીપ અર્થ – તને પારકાના દોષ જોવાથી શું કાર્યફળ છે? અને તને પારકી ચિંતા કરવાથી શું ફળ છે? હે બાલબુદ્ધિવાળા! તું તારું પોતાનું જ કાર્ય કર અને બીજું સર્વ છોડી દે! ફોગટ ખેદ શું કામ કરે છે? ભાવાર્થ – હે ભવ્ય પ્રાણી! તારે પારકા દોષ જોવા સાથે અથવા અન્ય કોઈ ધર્મકાર્ય કરતો ન હોય, પરમાર્થ કરતો ન હોય, પરોપકારપરાયણ ન હોય, ધર્મક્રિયાથી પરાભુખ હોય, તત્ત્વ સમજવામાં પ્રમાદી હોય, એટલું જ નહીં પણ તત્ત્વજ્ઞ મહાપુરુષો સાથે ઊલટો તેષ વહન કરતો હોય, ધર્મીજનોના અવર્ણવાદ બોલતો હોય, નીતિપરાયણતાનો ડોળ કરતો હોય છતાં અનીતિપરાયણ હોય, પરોપકારની વાત કરતો હોય છતાં સ્વાર્થપરાયણ હોય, પ્રામાણિકપણાની વાત કરતો હોય છતાં પરવચનામાં પ્રવીણ હોય, ધર્મીનો ડોળ કરતો હોય છતાં ધર્મને તો ઓળખતો જ ન હોય, આવાં અને સાંસારિક કાર્યોમાં, કુટુંબના પ્રતિપાલનમાં, દ્રવ્ય ઉપાર્જન કરવામાં અને લોકમાં મિથ્યા કીર્તિ સંપાદન કરવામાં તત્પર હોય તેવા પ્રાણીનાં કાર્યાકાર્ય પ્રત્યે લક્ષ આપવાની તારે કિંચિત્ પણ જરૂર નથી. તેની ચિંતા તારે કરવા યોગ્ય નથી, કેમ કે અન્યનાં કાર્યથી તને લાભ કે હાનિનો અલ્પ પણ સંભવ નથી. એવું જોઈને કદી તને પ્રશસ્ત ખેદ થતો હોય તો તે પણ નિષ્ફળ છે, કારણ કે તારા ખેદ કરવાથી તેવા મનુષ્યો કાંઈ સુધરતા નથી, લાઈન પર આવતા નથી. તેઓ તો કરતા હોય તેમ કર્યા જ કરે છે. માટે એવા વ્યર્થ ખેદાદિ તજી દઈને તું તારા આત્માનાં હિતાહિતનો જ વિચાર કર અને જેથી આત્મહિત થાય તેવું કાર્ય કર, કેમ કે એ ચિંતા કાર્યસાધક છે. જે ચિંતા કાર્યસાધક ન હોય તેવી ચિંતા ઉત્તમ પુરુષો કરતા જ નથી. જો કે એવી વિચિત્રતા જોઈને કેટલીક વખત ઉત્તમ પુરુષોને કાર્યથી છે. તે પ્રશસ્ત અફવાથી તેવા કરતા હોય તે Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્લોક-૧૨ ૪૫ ખેદ થાય છે એ સ્વાભાવિક છે; પરંતુ ગ્રંથકાર કહે છે કે તે નિષ્ફળ જાણીને તેને હૃદયમાં ટકવા ન દેતાં આત્માનાં હિતાહિતની જ ચિંતા કરવી, તેને જ હૃદયમાં ટકવા દેવી અને ચોક્કસ હિતકારી સમજાય તેવા કાર્યમાં પ્રયત્ન કરવો. વ્યવહારમાં કહેવાતી કાજી ક્યું દુબળે કે સારા શહેરની ફિકર એ કહેવતને લગતું આ કાવ્ય છે. Explanation – A potential self-attainer who has just set out on his spiritual path, is forewarned here against three probable pitfalls : (1) tendency for fault-finding, (2) anxiety for the well-being of others and (3) frustration with wrong-doings of the world. One who seeks self-realization must focus on doing his duty towards the 'self' rather than remaining preoccupied with the world. - Page #57 -------------------------------------------------------------------------- ________________ વળી અનર્થકારી કાર્યો ન કરવા કહે છે શ્લોક-૧૩ यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथाऽस्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावत्, मूर्योऽपि कुर्यात् खलु तन्न कर्म ।। - જે કાર્યમાંહી સુખ અલ્પ થાતું, ને ભાવિ કાળે બહુ દુઃખ થાતું; સંતાપ ને સંભવ મૃત્યુનો જ્યાં, મૂર્ખાય એ કાર્ય કદી કરે ના. What good is that deed, that activity Which generates only a grain of gaiety, And causes a bond - unbreakable and endless, Instead, with worldly unhappiness, And subjects a being to agony of mind To go through a gruelling and gradual grind; Tell me, which fool, which mindless being, Spends all his life in such a doing. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩ ૪૭ અર્થ જે કાર્ય કરવાથી સુખ તો લેશમાત્ર પ્રાપ્ત થાય અને દુ:ખના અનુબંધનો અંત આવે નહીં તથા મ૨ણ પર્યંત મનને તાપ થાય તેવું કાર્ય મૂર્ખ માણસ પણ કરતો નથી. (તો. પછી વિદ્વાન તો કરે જ શી રીતે?) - ભાવાર્થ કેટલાંક અધમ કાર્ય ડાહ્યામાં ખપતા, સમજુ ગણાતાં, ધર્મી તરીકે ઓળખાતા, જ્ઞાનીપણાનો ડોળ ધરાવતા એવા મનુષ્યો પણ કર્મના વશે કેટલીક વખત કરે છે, તેમનાથી થઈ જાય છે કે જે જોઈને અન્ય સુજ્ઞ મનુષ્યના હૃદયમાં વિચાર થાય છે કે આ શું! આવું કનિષ્ટ કાર્ય આ માણસથી કેમ થયું હશે? આવું અધમ કાર્ય આ સમજુ માણસે કેમ કર્યું હશે? પરંતુ તે વખતે વિચારવું કે એવું કાર્ય તેનાથી થવાનાં મુખ્ય બે કારણો છે. એક તો કર્મના પરવશપણાથી. - કર્મનો તીવ્ર ઉદય થાય ત્યારે ખરો-સમજુ પણ છક્કડ ખાઈ જાય છે. આ તો માફ થઈ શકે તેવી બાબત છે. પરંતુ બીજું કારણ એ છે કે તેવા ડાહ્યા, સમજુ, ધર્મ કે જ્ઞાની કહેવાતા મનુષ્યો વાસ્તવિક ડાહ્યા, સમજુ, ધર્મ કે જ્ઞાની હોતા નથી; માત્ર દંભ વડે જ તેવા ઉપનામ મેળવેલ હોય છે. આવા મનુષ્યોનાં તેવાં કૃત્યો માફ કરવા લાયક નથી. ગ્રંથકાર કહે છે કે તને સુખની ઇચ્છા તીવ્ર છે તો ભલે તું સુખી થાય તેવું કાર્ય ક૨, પણ જે કાર્ય કરવાથી સુખ તો અતિ અલ્પ થાય, અલ્પકાલીન થાય અને તેને પરિણામે દુઃખ એટલું બધું અને દીર્ઘકાલીન થાય કે તેની ગણના પણ થઈ શકે નહીં. વળી, જે છૂપું પાપ એવું હોય કે જે કર્યા પછી તેનો ડંખ હૃદયમાંથી... મરણ પર્યંત ખસે જ નહીં, હૃદય ડંખ માર્યા જ કરે તેવું પાપ સમજુ માણસ કદી પણ કરે નહીં. દૃષ્ટાંત તરીકે પરસ્ત્રીલંપટ મનુષ્યોથી થતાં તેમજ તીવ્ર લોભી અથવા તીવ્ર ક્રોધી મનુષ્યોથી થતાં છૂપાં પાપો કે જે પરિણામે તો પ્રસિદ્ધ થયા વિના રહેતાં - Page #59 -------------------------------------------------------------------------- ________________ ४८ હૃદયપ્રદીપ જ નથી તેવાં પાપો સમજવાં. આવાં પાપોથી તદ્દન દૂર રહેવાનો આ કાવ્યનો ઉપદેશ છે. Explanation - Right conduct is as significant in spiritual aspiration as right knowledge is. Right conduct leads to true and lasting happiness. . Wrong conduct may bring joy in the short run, but it causes an endless bond with future misery. The shadow of one's own sins chase man till death and subject him to lifelong mental torture. To waste one's entire lifetime in such wrongdoing is indeed foolishness. Page #60 -------------------------------------------------------------------------- ________________ કામ કેવો હાનિકારક છે. તે કહે છે – શ્લોક-૧૪ यदर्जितं . वै वयसाऽखिलेन, . ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । - લોન સર્વ પ્રત્યો તત્, વામો વહી પ્રાપ્ય છ યતીના ||. મહા પ્રયત્ન ગુણ મેળવેલા, . જ્ઞાનાદિથી જીવન કેળવેલાં; જો ચિત્તમાં કામ કદી ભળે છે, તો સદ્ગુણો સૌ ક્ષણમાં બળે છે. Such finer fruits which ascetics desire And - after an entire lifetime - acquire; Self-meditation', as also 'penance', Knowledge' and attainment of 'real essence' Are all burnt to ashes instantaneously, Collectively, completely and very cunningly, By Kama', the God of sensual longing, Oft cleverly disguised as a beautiful earthling. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ હ્રદયપ્રદીપ અર્થ જીવન પર્યંત મુનિઓએ ઉપાર્જિત કરેલાં ધ્યાન, તપ, જ્ઞાન, સત્ય વગેરેને બળવાન એવો કામ છળ પામીને એક ક્ષણવારમાં ભસ્મીભૂત કરી નાખે છે. - ભાવાર્થ – કામદેવ એટલો બળવાન છે કે તે પ્રાણીને એક પળમાં પાયમાલ કરી નાખે છે. એનાથી નિરંતર ડરતા રહેવાની જરૂર છે. તેનાં સાધનો જે પાંચ ઇન્દ્રિયોના વિષયો તેને સેવતાં બહુ જ વિચાર કરવાનો છે. જેને કામદેવને વશ થવાની ઇચ્છા ન હોય તેણે પૌષ્ટિક અથવા કામોત્પાદક આહાર કદાપિ ન ક૨વો, સ્ત્રીપરિચય કદી અલ્પ પણ ન કરવો. ‘આટલી વાત માત્ર કરવાથી શું?' એમ કદી ધારવું નહીં અને શૃંગા૨૨સવાળી વાર્તાઓ-બુકો વાંચવી નહીં. શાસ્ત્રકારે કહેલી શિયળની નવ વાડ જાળવવી. જે પ્રાણી તે વાડ જાળવતો નથી, તેના શિયળરૂપી ક્ષેત્રનો કામદેવ અવશ્ય વિનાશ કરે છે. પોતાના ખેતરની વાડ બરાબર નહીં જાળવનાર ખેડૂતનો મોલ પશુના ભોગમાં આવે છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. આ ક્રૂર કામદેવ એક વાર આત્મગૃહમાં પેઠો તો પછી તે મોટા મોટા મુનિરાજનાં મનને પણ ડામાડોળ કરી નાખે છે અને તે તેમનાં જ્ઞાન-ધ્યાનને ભુલાવી દે છે, તપને નિરર્થક કરી નાખે છે અને સત્ય ગુણનો પણ નાશ કરે છે; અર્થાત્ કામીપુરુષ કદી પણ સત્યવાદી રહી શકતો-નથી. આવા અપ્રતિમ ગુણોનો વિનાશ કરનાર કામદેવ અલ્પ પણ વિશ્વાસ ક૨વા લાયક નથી. એણે અનેક મહાત્માઓને ચુકાવ્યા છે. અન્ય મતિના શાસ્ત્રોમાં તપાસ કરતાં હરિહર અને બ્રહ્મા કે જેઓ દેવ તરીકે ઓળખાય છે, તેમને તેમજ મોટા મોટા તપસ્વીઓ-ઋષિઓ કે જેઓ મહાન ધર્મગુરુ તરીકે ઓળખાય છે, તેમને પણ કામદેવે પાયમાલ કરી નાખ્યા છે. જૈન શાસ્ત્રમાં પણ અષાઢાભૂતિને, નંદીષેણને, આર્દ્રકુમારને, સિંહગુફાવાસી મુનિને, ૨થનેમિને ઇત્યાદિ અનેક મુનિઓને ચુકાવ્યા છે. અનેક Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪ . ૫૧ મુનિઓને નિયામાં કરાવી તપ અને ચારિત્રનાં ફળથી વંચિત કરી દીધા છે. માટે એ દુરંત કામદેવનો અંત કરવાના ઈચ્છકે પાંચે ઈન્દ્રિયોના વિષયોને સર્વથા પોતાને આધીન રાખવા, પોતે તેને આધીન ન થવું અને સ્ત્રી જાતિનો પરિચય બિલકુલ ન કરવો. શિયથેચ્છ સ્ત્રીએ પુરુષજાતિનો પરિચય ન કરવો. આ પોતાના પ્રાપ્ત ગુણોને ટકાવી રાખવાનો અને નવા ગુણો મેળવવાનો સત્ય ઉપાય છે, અન્ય કોઈ ઉપાય નથી. Explanation - This verse shows how the power of lust can cause the spiritual ruin of a being. Kama, the God of love and lust, often deceitfully robs great ascetics of the finest of fruits of all their spiritual aspiration. The 'self-meditation', 'penance', 'right knowledge' and 'truth' attained by them after painstaking and persistent effort are all burnt down by lust in an instant. Page #63 -------------------------------------------------------------------------- ________________ કામનું અસ્તિત્વ મોહ છે. તેના નાશનો ઉપાય કહે છે વિના નથી. મોહ મહાબળવાન - શ્લોક-૧૫ बलादसौ मोहरिपुर्जनानां ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं हि जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति મોહઃ ।। " આ મોહ શત્રુ જનને સતાવે, વિવેક ને ભાન બધું ભુલાવે; છે દુઃખનું કારણ આ જ મોહ, તત્ત્વાવબોધે બનશો અમોહ. Delusion - man's most mighty enemy, With all of its force and all its fury, Destroys his knowledge, all his inner light', His power to seperate the ‘wrong' from the ‘right'. Having been overcome by such a delusion, The world turns blind to self-destruction, But one's delusion disappears suddenly On knowledge of the essential reality. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫ પ૩ અર્થ – આ મોહરૂપી શત્રુ બળાત્કારે માણસોનાં જ્ઞાન અને વિવેકનો નાશ કરે છે. વળી, મોહથી પરાભવ પામેલું આ જગત નાશ પામ્યું છે. આવો મોહ તત્ત્વના વિશિષ્ટ બોધથી નષ્ટ થાય છે. ભાવાર્થ – મોહ વિવેકનો ખરેખરો ટ્ટો શત્રુ છે એ હકીકત આપણે ઉપર પણ કહી આવ્યા છીએ. વિવેકની ઉત્પત્તિ જ્ઞાનથી થાય છે, તેથી જ્ઞાન પણ મોહના શત્રુ તરીકે ગણાય એમાં કાંઈ નવાઈ નથી. જ્ઞાન અને વિવેક વડે–પ્રાણી તત્ત્વને બરાબર સમજીને પછી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિના વિરોધી મોહને નિર્મૂળ કરવા મથે છે. એમ મોહ પણ પોતાને જ્યારે અવસર મળે છે ત્યારે - આત્મા જ્યારે તેના વશવર્તી થાય છે ત્યારે જ્ઞાન અને વિવેક બનેને નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરે છે. આ યુદ્ધ. અનાદિ કાળથી આપણાં આત્મગૃહમાં ચાલ્યું જ આવે છે અને તેમાં આપણો આત્મા જેની તરફદારી કરે છે–તેનો જય થાય છે. આપણો આત્મા એટલો બધો અદઢસ્વભાવી થઈ ગયેલો છે કે તે ઘડીકમાં મોતને વહાલો મિત્ર સમજે છે અને ઘડીકમાં તેને કટ્ટો શત્રુ સમજે છે. મોહના સાધનભૂત સ્ત્રી, પુત્ર, પરિવાર, દ્રવ્ય, મકાન વગેરે ઉપર જે પ્રીતિ વધતી જાય છે તેથી મોહ પ્રબળ થતો જાય છે અને પોતાનાં મૂળ ઊંડાં ઊંડાં નાખતો જાય છે. આખું જગત તેણે પોતાને વશ કર્યું છે અને આત્માના ગુણોને વિનષ્ટ કરી દીધા છે. તેવા પ્રબળ મોહને દૂર કરવા માટે બળવાન કારણ ખરેખરો તત્ત્વબોધ કરવો તે જ છે. ખરેખરો તત્ત્વબોધ થવાથી મોહના પ્રત્યેક ચેષ્ટિત સમજવામાં આવે છે. એટલે પછી આ પ્રાણી કદી પણ તેનાથી છેતરાતો નથી, કોઈ પણ પ્રકારે તેને કબજે કરવાનો જ પ્રયત્ન કરે છે અને તેમાં પરિણામે તે ફતેહમંદ થાય છે. જગતના પ્રાણીઓ આ પ્રમાણે જાણે છે છતાં પણ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ હૃદયપ્રદીપ મોહને વશ થાય છે તે આશ્ચર્યકારી હકીકત છે. તેણે અનાદિ કાળથી પોતાની જમાવટ કરી દીધેલી છે તે માલિક જ થઈ પડ્યો છે, તેથી તેને આત્મગૃહમાંથી કાઢવો મુશ્કેલ છે એ ખરી વાત છે. પણ જ્યારે આપણે તેને ખરેખરો અહિતકર સમજીએ ત્યારે પછી એક પળ પણ રહેવા કેમ દઈએ? માત્ર તેવી દૃઢ સમંજણ તત્ત્વબોધ વડે થવાની જ જરૂર છે. Explanation Lust nullifies all one's accomplishments. However, the root cause of lust is delusion. This verse deals with the ill-effects of delusion and points to its cure. Delusion (1) destroys knowledge and wisdom and (2) leads the world to self-destruction. 1 - . This age-old delusion, however, disappears suddenly when one realizes the 'essential reality', i.e., the true nature of things.. Page #66 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં દરેક પ્રાણી સુખ મેળવવા જે પ્રયત્ન કરે છે તે નિષ્ફળ છે – બ્લોક-૧૬ सर्वत्र सर्वस्य . सदा प्रवृत्ति१ःखस्य नाशाय सुखस्य हेतोः । तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ।। દુઃખો નિવારી સુખ પામવાનો, હંમેશનો ઉદ્યમ છે બધાનો; દુઃખો ન તોયે ટળતાં જરીએ, સુખોય ના સ્થિર રહે કદીએ. Always, everywhere, all activity, And all endeavour of humanity, Is for destruction of worldly distress, And for the purpose of gaining happiness. Yet, it is seen that there is no end, To unhappiness found around every bend, No one, anywhere, is ever able To obtain happiness lasting and stable, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ હૃદયપ્રદીપ અર્થ સર્વ ઠેકાણે હંમેશાં સર્વ પ્રાણીની પ્રવૃત્તિ દુઃખના નાશ માટે અને સુખની પ્રાપ્તિ માટે જ હોય છે, છતાં દુઃખ નાશ પામતું નથી અને સુખ કોઈનુંય સ્થિરતાને પામતું નથી. 1 ભાવાર્થ સુખાભિલાષી પ્રાણીઓ અવિચ્છિન્ન સુખને ઇચ્છે છે, પરંતુ તેમનો પ્રયત્ન તેવા સુખની પ્રાપ્તિ થાય તેવા પ્રકારનો હોતો નથી. માત્ર ઇચ્છા કરવાથી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નંથી. તઘોગ્ય પ્રયત્નની આવશ્યકતા છે. સારાં અને મીઠાં ફળ ખાવાની ઇચ્છા કરનારે તેવાં વૃક્ષો વાવવાં જોઈએ અને તેને ઉછેરવાં જોઈએ, તેનું રક્ષણ કરવું જોઈએ તો તેનાં મીઠાં ફળ ચાખી શકાય; પણ ઝાડ તો બાવળ અને બોરડીનાં વાવે અને ફળ આંબાનાં ચાખવા ઇચ્છા કરે તે કોઈ કાળે બની શકે નહીં. તેવી મિથ્યા ઇચ્છા પૂરી થાય જ નહીં. તેમ ઇચ્છા સુખની કરનારે સુખ શાથી પ્રાપ્ત થાય છે? તેનાં ખરાં કારણો વિચારવાં જોઈએ અને તે તે કારણો સેવવાં જોઈએ. પરોપકાર, સત્યતા, દયા, પ્રામાણિકપણું, સદાચાર, અલ્પારંભીપણું, તૃષ્ણાની મર્યાદા, નિર્લોભી વૃત્તિ, ક્ષમા, નિરભિમાનીપણું, સરલતા, પરનિંદાનો ત્યાગ, સદ્ગુરુની સેવા, ધર્મશ્રવણ, સુદેવની ભક્તિ, સત્તીર્થયાત્રા, વડીલોની પર્યુપાસના, દીન જનો ઉપર અનુકંપા, સુપાત્રદાન ઇત્યાદિ અનેક કારણો આ ભવમાં પુણ્ય બંધાય તેવાં અને પરભવમાં અવિચ્છિન્ન સુખ આપે તેવાં છે અને તેનાથી વિપરીત કારણો આ ભવમાં પાપ બંધાય તેવાં અને પરભવમાં દુ:ખ આપે તેવાં છે. તેથી જો સાચા સુખની અભિલાષા હોય તો સુખનાં કારણો સેવવાં જોઈએ. જેમ બને તેમ કર્મબંધ અલ્પ થાય તેવાં પરિણામમાં વર્તવું જોઈએ. તેમ કરવાથી સુખનો અનુબંધ થશે. કદી પૂર્વજન્મકૃત પાપના ઉદયથી દુઃખ ભોગવવું પડશે તો તે પણ અલ્પ રસ આપશે અને અલ્પ કાળમાં સમાપ્તિ પામી જશે. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૬ ૫૭ પછી ફરીને દુઃખ પામવાનો વખત નહીં આવે. આ હકીકત અક્ષરશઃ હૃદયમાં ઉતારી, સાચા સુખનાં સાચાં સાધનો સેવવા તત્પર રહેવું એ સહૃદય મનુષ્યોનું કર્તવ્ય છે. તે સિવાય માત્ર સુખની વાંછા માત્ર જ કરવી તે તો ફાંફાં છે. તેથી સાચા સુખની અવિચ્છિન્ન સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. Explanation Attainment of lasting and stable happiness is the aim of all worldly activities; but all worldly achievements like acquisition of wealth, physical beauty and strength, sensual pleasures or political power fail to uproot man's agony permanently. Thus, all worldly activities are meaningless to him, who is in search of genuine bliss. Page #69 -------------------------------------------------------------------------- ________________ વિષયાદિ સુખ મળે તેમાં આશ્ચર્ય માનવા જેવું નથી, કારણ તેવું સુખ સર્વને અનેક વખત મળી ચૂક્યું છે – શ્લોક-૧૭ यत् कृत्रिमं वैषयिकादिसौख्यं, भ्रमन् भवे को न लभेत मर्त्यः । सर्वेषु तच्चाधममध्यमेषु, यदृश्यते तत्र किमद्भुतं च ॥ પરિગ્રહો ને વિષયો થકી જે, કૃત્રિમ ને સ્વલ્પ સુખો મળે છે; તે તો મળે છે જગમાં બધાને, તેમાં અરે! તું હરખાય શાને? Going through cycles of mundane existence, Which mortal does never come to experience Sensual, worldly pleasures - unreal, Unlasting, unnatural and incidental. All beings - whatever their spiritual stature, The lowest of lowly and the mediocre, Are seen to be enjoying worldly happiness, What wonder is it then, if you too possess? Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૭ ૫૯ અર્થ – કૃત્રિમ એવું જે પાંચેય ઇન્દ્રિયોના વિષયો સંબંધી સુખ છે, તેને આ સંસારમાં ભ્રમણ કરતો કયો જીવ ન પામી શકે? વળી, જે સુખ સર્વ અધમ અને મધ્યમ મનુષ્યોમાં પણ દેખાય છે તેમાં શું આશ્ચર્ય છે? ભાવાર્થ – સાચું સુખ અને સાચા સુખનાં ઉત્પાદક કારણો સમજવાં જોઈએ. એ હકીકત આપણે ઉપરના શ્લોકમાં જોઈ આવ્યા. આ પ્રાણી સાંસારિક ઇન્દ્રિયજન્ય સુખને સાચા માની તેમાં આસક્ત થઈ જાય છે, દ્રવ્યાદિકની વિશેષ પ્રાપ્તિ થાય છે તો મદોન્મત્ત પણ થઈ જાય છે અને કેટલાક પાપી મનુષ્યોને આ ભવમાં સુખી જોઈને - સાંસારિક સુખોની તેમને પ્રાપ્તિ થયેલી જોઈને પુણ્ય-પાપનાં ફળને માટે શંકાશીલ બની જાય છે, તેને હિતશિક્ષા આપવા માટે આ કાવ્યમાં કર્તા કહે છે કે વૈષયિક સુખ તે કૃત્રિમ સુખ છે, સાચું સુખ નથી. તું પુત્ર, સ્ત્રી, દ્રવ્ય, મકાન, બાગ-બગીચા વગેરેની કોઈ પાપી મનુષ્યને પ્રાપ્તિ થયેલી જોઈને મનમાં મૂંઝાઈ જાય છે, પણ પ્રથમ તો એ સુખ વાસ્તવિક નથી. વાસ્તવિક સુખ તે કહેવાય કે જેને પરિણામે દુઃખ ભોગવવું ન પડે. વૈષયિક સુખ તો પરિણામે અવશ્ય દુઃખ આપે છે. બીજું, તું ધારે છે તેવો તે સુખી અંદરખાનેથી હોતો નથી. તેના હૃદયની ઉપાધિઓની તેને જ ખબર હોય છે. તે ગુપ્ત વ્યાધિઓથી પીડાતો હોય છે. પુત્ર હોય છે તો શત્રુ જેવો થઈને મિલકતમાં ભાગ માંગતો હોય છે. સ્ત્રી રૂપવંત હોય છે તો દુરાચારી હોય છે, એટલે ઊલટી દુઃખને માટે જ થાય છે. વ્યાપાર પુષ્કળ ચાલતો દેખાય છે પણ અંદરખાને તરતું હોય છે કે બૂડતું હોય છે તેની કોને ખબર? હાટ, હવેલી, મકાનો તેનાં દેખાય છે પણ તેની માલિકી તેની રહી હોય છે કે ગીરો મુકાઈ ગયેલાં હોય છે તે કોણ જાણે છે? એવી રીતે ઉપરથી દેખાતાં સુખનાં સાધનોમાં પણ અંદર Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૦ - હૃદયપ્રદીપ કડવાશ ભરેલી હોય છે તે તારા ધ્યાનમાં આવતી નથી. અને ત્રીજું, આ ભવમાં જે પાપી, દુરાચારી, અપ્રામાણિક, નવા નવા પાપારંભની શરૂઆત કરનારો હોય છે તેને તેનાં અત્યંત કડવાં ફળ તો આગામી ભવે નરક-તિર્યંચાદિ દુર્ગતિમાં અસહ્ય ભોગવવાં પડે છે. અહીં તે જે સુખ ભોગવતો દેખાય છે તે તો પૂર્વભવમાં અજ્ઞાન કષ્ટ કર્યું હોય અને પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હોય તેનું ફળ છે. ચાર દિવસનું ચાંદરણું છે, પછી તો અંધારું ઘોર થવાનું છે. આ પ્રમાણેની ત્રણ બાબત વિચારી તું તેવાં સુખને સાચાં સુખ માનીશ નહીં અને તેવાં સુખ ગમે તેને પ્રાપ્ત થાય તો તેથી ચિત્તમાં ચમત્કાર પામીશ નહીં. તું સાચા સુખનો અભિલાષી થજે અને તેની પ્રાપ્તિ માટે તેનાં સાચાં નિમિત્તો કે જે જગતમાં સદ્ધર્મ તરીકે ઓળખાય છે તેનું સેવન કરજે. Explanation - Renunciation of all worldly activities' is indirectly advised in this verse. Firstly, it analysis the basic nature of worldly pleasures that they are (1) sensual and (2) artificial. Secondly, it enlists the kind of beings that enjoy these sensual pleasures. All beings, irrespective of their spiritual stature, whether they are (a) lowly, (b) mediocre or (c) sublime, do happen to enjoy sensual pleasures. Thus, a being cannot be assumed to be genuinely happy only on the basis of the sensual pleasures he enjoys. Page #72 -------------------------------------------------------------------------- ________________ વિષયસુખ ઇચ્છનારાઓની ભૂલ બતાવી યતિઓ તેનાથી વિમુખ હોય છે તે કહે છે – શ્લોક-૧૮ क्षुधातृषाकामविकाररोषहेतुश्च तद्भेषजवद्वदन्ति । तदस्वतन्त्रं क्षणिकं . प्रयासकृत्, यतीश्वरा दूरतरं त्यजन्ति ।। 2182zorilask noga સુધા, તૃષા, કામવિકાર, ક્રોધ એનો થતો ભોગ થકી નિરોધ; હા, કિંતુ એ તો ક્ષણમાત્ર ચાલે, એ પાતંત્ર્ય મુનિઓ ન મહાલે. Root causes for instincts of hunger and thirst," And passions like anger and instinct for lust, Such worldly objects that always do allure, And fan inner fires, are deemed as a cure By beings blindfolded and bound by ignorance; But supreme sages shun them from a distance, Knowing that they are contingent, transient, · And are on human endeavour dependant. Page #73 -------------------------------------------------------------------------- ________________ અર્થ - ભૂખ, તરસ, કામવિકાર અને ક્રોધનાં કારણોને વિષયલુબ્ધ જીવો ઔષધ જેવાં માને છે; પરંતુ તે સુધાદિક શમાવવાના કારણરૂપ ઔષધ પરાધીન છે, ક્ષણિક છે અને પ્રયત્નથી, સાધ્ય છે. તેથી તેને યતીશ્વરો અત્યંત દૂરથી જ તજી ભાવાર્થ – આ પ્રાણીને સુધા, તૃષા અને કામવિકાર સાથે દરરોજનો પ્રસંગ પડેલો હોય છે, તેથી તેને શમાવવાની તે ઇચ્છા કરે એ સ્વાભાવિક છે. પરંતુ તે શમાવવાનાં ખરાં કારણોને નહીં જાણવાથી ઊલટાં તેનાં ઉદીરક કારણોને તે સેવે છે અને તેનાં વડે તેની નિવૃત્તિ ઇચ્છે છે. આ શાસ્ત્રકાર તે બાબતમાં તેને સમજૂતી આપે છે કે – હે ભવ્ય પ્રાણી! સુધાં, તૃષા, કામવિકાર અને રોષના જે ઉત્પાદક હેતુ છે તેને તું ઉપશામક માને છે તેમાં તારી ભૂલ થાય છે. સુધાનું શમન ભક્ષ્યાભશ્ય જે મળ્યું તે ખાવાથી થતું નથી, પણ તેનું શમન કરવાના ઈચ્છકે તપસ્યા કરવી, પરિમિત પદાર્થો ખાવા, ખોરાકમાં નિયમિત થઈ જવું અને દિનપરદિન તેમાં ઘટાડો કરવો, તેથી ક્ષુધા શમે છે, મર્યાદામાં આવી જાય છે. તૃષા શમાવવાના ઈચ્છકે પેયાપેય પદાર્થોનું પાન ન કરવું, પરંતુ પરિમિત શુદ્ધોદકમાત્ર જ પીવું અને પરિમિત વખતે જ પીવું ઇત્યાદિ પ્રકારે નિયમન કરવાથી તૃષા કબજામાં આવી જાય છે. કામવિકારનું શમન ઇચ્છનારે તેનાં ઉત્પાદક કારણો ન સેવવાં, ઓછાં સેવવાં, સ્ત્રીસંસર્ગ ઘટાડવો, ઈન્દ્રિયો તેજ થાય તેવા પદાર્થો ને ખાવા, તેવી વાતો ન સાંભળવી, તેવી બુકો ન વાંચવી, વૃત્તિ શાંત રાખવી; એમ કરવાથી કામવિકાર શમશે. રોષ-ક્રોધ-દ્વેષ શમાવવાના ઈચ્છકે ક્ષમાને પ્રધાનપણું આપવું. દરેક વખતે ક્ષમા રાખવાનો, ક્ષમા કરવાનો અભ્યાસ પાડવો. રોષ કરવાની જરૂર જણાય ત્યારે પણ કાળક્ષેપ કરવો, Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૩ શ્લોક-૧૮ ઉતાવળા ન થવું, ભરાઈ ન પડવું; એમ કરતાં કરતાં રોષ શમી જાય છે અને ક્ષમા કરવાની ટેવ પડી જાય છે. આ પ્રમાણેના સુધા, તૃષા, કામવિકાર અને રોષ શમાવવાના ઉપાયોને લક્ષમાં લઈને તપ, બહ્મચર્ય, ક્ષમાદિકને સ્વીકારવાનો અહર્નિશ પ્રયત્ન કરવો. Explanation - After explaining the futility of worldly activities in verse 16 and the insignificance of worldly pleasures in verse 17, the poet now presents the contrast in the view-points of ordinary men and true ascetics towards objects of worldly pleasures. Worldly beings, ignorant of the true nature of things, consider worldly objects as a cure to cravings. They fail to realize that these objects may satiate their desires and pacify their passions in the short run but ultimately end up only, intensifying them. 'Yatis' or saintly seekers, on the other hand, know that worldly pleasures are (1) contingent (dependent on external factors like fate), (2) transient and (3) endeavour-oriented (they can be attained by conscious effort). Knowing this, true ascetics shun all objects of worldly pleasures Page #75 -------------------------------------------------------------------------- ________________ પતિઓને સારાં ભોજન વગેરેની વાંછા કેમ નથી હોતી? – આ શ્લોક-૧૯ गृहीतलिङ्गस्य च चेद्धनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी । गृहीतलिङ्गो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं हि || ત્યાગી છતાં છે ધનની જ આશા, ત્યાગી છતાં હો વિષયાભિલાષા; ત્યાગી છતાં સ્વાદ ત્યજી શકે ના, એથી વધુ અન્ય વિડંબના ક્યાં? A hermit who holds in his heart hidingly A hope for riches, which are worldly, unholy, A man in the mask of a mendicant who Desires sensual pleasures all through, One who possesses all symbols of sainthood, But favours the flavours of forbidden food Is indeed the picture of great irony, His monkhood is world's most mindless mockery. Page #76 -------------------------------------------------------------------------- ________________ * શ્લોક-૧૯ અર્થ – અનિવેશ ધારણ કરનારને જો ધનની આશા હોય, મુનિવેશ ધારણ કરનાર જો વિષયોનો અભિલાષી હોય, રસલોલુપ હોય તો તેના જેવી અધિક વિડંબના બીજી કોઈ નથી. ભાવાર્થ – અનિવેષ ધારણ કર્યા અગાઉ શુદ્ધ વૈરાગ્ય કે જે જ્ઞાનગર્ભિત વૈરાગ્યના નામથી ઓળખાય છે તે પ્રાપ્ત થવો જોઈએ. તેવા વૈરાગ્યથી સંસારનું ખરું સ્વરૂપ સમજાય છે, સર્વ પદાર્થ અનિત્ય ભાસે છે, અર્થ અનર્થનું મૂળ છે એમ ખાતરી થાય છે. ઇન્દ્રિયોના વિષયોએ જ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવ્યું છે એમ સમજાય છે. પાંચ ઇન્દ્રિયોમાં રસેન્દ્રિય વધારે બળવાન છે અને તેના વશવર્તીપણાથી પ્રાણી ભક્ષ્યાભઢ્યનો વિવેક ચૂકી જાય છે એ વાત અનુભવથી સિદ્ધ થયેલી હોય છે, એટલે પછી દઢ વૈરાગ્ય વડે ચારિત્ર લઈ મુનિવેષ ધારણ કર્યા બાદ તેને ઉપર શ્લોકમાં કહેલી વિડંબના પ્રાપ્ત થતી નથી. છતાં જો ચારિત્ર લેવાના કારણભૂત થયેલ વૈરાગ્ય મોહગર્ભિત કે દુ:ખગર્ભિત હોય અથવા કોઈ પ્રબળ પૂર્વકર્મનો ઉદય થઈ જાય તો આ કાવ્યમાં કહેલી વિડંબના જીવને મુનિપણામાં પણ પ્રાપ્ત થાય છે. તેને માટે કર્તા કહે છે કે – જો મુનિવેષ ધારણ કર્યા છતાં પણ દ્રવ્યસંચય કરવાની ઈચ્છા થાય, વિષયની અભિલાષા થાય અને રસેન્દ્રિયની લોલુપતા થાય તો તે પ્રાણી ભવ તરી જવાને બદલે આ અમૂલ્ય મનુષ્યભવ હારી જાય છે અને વિશેષ કર્મબંધ કરી દુર્ગતિમાં ચાલ્યો જાય છે. આ હકીકત બહુ ધ્યાન આપવા લાયક છે. એક વાતનો સ્વીકાર કર્યા અગાઉ બહુ વિચાર કરવો, પણ સ્વીકાર કર્યા પછી તો પ્રાણાંતે પણ તેનો ત્યાગ કરવો નહીં અથવા તેમાં દોષ લગાડવા નહીં. આ ઉત્તમ જનોની પદ્ધતિ છે અને તેથી જ તેઓ કોઈ પણ કાર્યનો સ્વીકાર કર્યા અગાઉ દીર્ઘ વિચાર કરે છે. અન્ય મનુષ્યોએ પણ તે જ પદ્ધતિ સ્વીકાર કરવા યોગ્ય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૬ હૃદયપ્રદીપ Explanation - The guidance of a true guru is one of the most essential elements which leads to liberation. Here, the inner tendencies of an untrue gurú are explained to enable a seeker to correctly identify a true guru. A pseudo-saint inwardly clings to (1) thirst for wealth, (2) desire for sensual pleasures and (3) craving for forbidden food. His monkhood is a mockery because his outward chastity is not accompanied by inner purity. This--verse calls upon a seeker to cultivate true detachment and right renunciation before initiation to monkhood. Page #78 -------------------------------------------------------------------------- ________________ પાખંડીને મુનિપણાનું ફળ લોકોની ખુશામત સિવાય બીજું મળતું નથી – શ્લોક-૨૦ ये लुब्धचित्ता विषंयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः । ते दाम्भिका वेषधराश्च धूर्ता, मनांसि लोकस्य तु . रअयन्ति । છે અંતરે ભોગ તણા જ રોગી, બહારથી વેષ ધરે વિરાગી;--- એ દાંભિકો ઢોંગ ઘણા રચે છે, સૌનું મનોરંજન એ કરે છે. He who ceaselessly, and subconsciously, Longs for all kinds of sensual revelry, And outwardly unties all worldly strings And yet to innermost craving who clings. He, who is in fact 'hypocrisy-in-person', A cheat in the garb of holy human, .. Is in essence just a world-entertainer, And neither a 'seeker' of self nor 'attainer' Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ હૃદયપ્રદીપ અર્થ - જે મનુષ્યો પાંચ ઇન્દ્રિયોના વિષયો તથા ધનના ભોગને વિષે લુબ્ધ મનવાળા હોય છે, બહારથી વિરાગી અને અંતઃકરણથી રાગ-દ્વેષથી બંધાયેલા હોય છે; તેઓ દંભી, દ્રિવ્યથી મુનિવેશને ધારણ કરનારા ધૂર્ત જ હોય છે. તેઓ માત્ર લોકનાં ચિત્તને જ રંજિત કરે છે. ભાવાર્થ – જે મનુષ્યો ઉપરથી માત્ર મુનિનો વેષ ધારણ કરતા હોય પણ અંદર વૈરાગ્યવાસિતપણું ધરાવતા ન હોય તેવા દાંભિકોને માટે આ કાવ્યમાં કર્તા ઉપદેશ આપે છે. એવા વિષયાસક્ત ચિત્તવાળા, ઉપરથી કેટલીક વખત ઊલટા વધારે વૈરાગ્યનો - ત્યાગવૃત્તિનો દેખાવ કરે છે, પરંતુ તેમનું અંતઃકરણ કોરું હોય છે - વૈરાગ્ય વડે આર્ટ હોતું નથી. તેવા દાંભિકો એક પ્રકારના ધૂર્ત જ છે, કારણ કે તેમના બાહ્યાચરણથી લોકો બિચારા ઠગાય છે, તેમની ભક્તિ કરે છે અને તેમનો વિશ્વાસ કરે છે. તેનું પરિણામ માઠું આવે છે. આવા દાંભિકો પરનું રંજન કરી શકે છે. જો કે તે પણ અલ્પકાલીન હોય છે, લાંબે વખતે તો તેનો ઘટસ્ફોટ થયા વિના રહેતો નથી; પરંતુ જે વધારે વિચક્ષણ હોય છે તે તો લાંબા વખત સુધી પોતાનાં દુરાચરણને છુપાવી શકે છે અને લોકરંજન કરે છે; પરંતુ તેમાં તેનું આત્મરંજન યત્કિંચિત્ પણ થતું નથી. તેના આત્માનું તો અત્યંત અહિત થાય છે. જેમ કોઈ પ્રકારનું શરીરમાં શલ્ય હોય અને તે ઉપરથી રુઝાઈ ગયેલ હોય તો ઉપરથી શલ્ય ન દેખાય પણ અંદર ઊલટો વધારે બગાડ કરે. તે કરતાં તો જો ઉપરથી વણ દેખાતું હોત તો અંદર બગાડ ઓછો થાત. તેની જેમ દાંભિકોનું અંતઃકરણ ક્લિષ્ટ હોવાથી ઉપરનું આચ્છાદન કરે છે, પરંતુ તે તેના આત્માને અત્યંત હાનિ કરે છે. તેનું આત્મરંજન અલ્પ પણ થતું નથી અને આ ભવમાં કરેલા દાંભિકપણાથી તે દુર્ગતિનું Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૨૦ ભાજન થાય છે. આ હકીકત સ્પષ્ટ સમજી શકાય તેવી છે, તેથી વિશેષ વિવેચનની અપેક્ષા નથી. Explanation - Outward monkhood, unaccompanied by inner detachment and discipline, is only hypocrisy. A being who subconsciously seeks sensual pleasures all the time, while practising outward austerities, is a cheat in the garb of a holy being. Such a person, who aims at pleasing the world with his hyprocritical holiness can never attain self-realization. Page #81 -------------------------------------------------------------------------- ________________ દાંભિક સાધુઓના બાહ્ય વૈરાગ્યાદિ જોઈને લોકો શાથી ઠગાય છે? – લોક-૨૧ मुग्धश्च लोकोऽपि हि यत्र मार्गे , निवेशितस्तत्र रतिं करोति । धूर्तस्य वाक्यैः परिमोहितानां, केषां न चित्तं भ्रमतीह लोके ।। ભોળા જનો તો ઝટ ભોળવાતા, જ્યાં દોરી જાઓ, ઝટ દોરવાતા; ધૂર્તો તણી જાળમહીં ફસાઈ, શાણાય જાતાં નહિ શું મૂંઝાઈ? Simple beings, enchanted, misguided, Become mentally, thoroughly lop-sided, . And follow with greatest delight and devotion, The so-called pathway to 'realization'; For, who falls not prey to fatal attraction Of a sorcerer's most splendid oration? And once thus deluded, who is capable, To remain inwardly unshaken and stable? Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૨૧ ૭૧ અર્થ - મુગ્ધ લોક પણ જે માર્ગ સ્થાપિત કર્યો હોય તે માર્ગમાં પ્રીતિ કરે છે. આ જગતમાં ધૂર્તનાં વચનો વડે મોહ પામેલા કયા માણસોનું ચિત્ત ચલાયમાન થતું નથી? ભાવાર્થ – લોકસમુદાયનો બહોળો ભાગ ધાર્મિક વિષયમાં તો પ્રાયઃ મુગ્ધ જ હોય છે. વ્યવહારમાં વિચક્ષણ ગણાતા, રાજદ્વારી વિષયમાં અતિ પ્રૌઢ ગણાતા એવા મનુષ્યો પણ ધાર્મિક વિષયમાં એટલા બધા મુગ્ધ દેખાય છે કે તેમની સેવા પ્રકારના ધર્મ ઉપર રુચિ થતી જોઈને સુજ્ઞ જનોને આશ્ચર્ય થાય છે. આટલા માટે જ કર્તા આ કાવ્યમાં એવા ધર્મસંચાલકોને ઉપદેશ આપે છે કે – હે ભવ્યો! મનુષ્યો તો પ્રાયઃ ધાર્મિક | વિષયમાં મુગ્ધ હોય છે, તેથી તમે જે પ્રકારની ધર્મક્રિયામાં તેમને રુચિ કરાવવા ધારશો તેમાં તેઓ રુચિ કરશે, પણ તેમાં તમારે જ વિચાર કરવાનો છે. ઉન્માર્ગે રતિ કરવાથી તેઓ તો બિચારા ભુલાવો ખાશે, પરંતુ તેવો ભુલાવો ખવરાવનાર જે તમે તેનું શું થશે? તમારે દુર્ગતિમાં અસહ્ય દુઃખનો ભાજન થવું પડશે એમ નિઃસંશય સમજશો. ધૂર્ત લોકોનું માયાવીપણું એવા પ્રકારનું હોય છે કે તેની જાળમાં - તેની વાક્યરચનામાં ભદ્રિક મનુષ્યો તરત જ ફસાઈ જાય છે. જો કે પરિણામે તો એવા ધૂર્તો તેનાં માઠાં ફળ ભોગવે છે, પરંતુ પ્રારંભમાં તો પોતાના ફંદમાં બીજાઓને ફસાતાં જોઈને તેઓ મનમાં મલકાય છે. વળી વાસ્તવિક રીતે તો તેઓ બીજાને ઠગતા નથી પણ પોતાના આત્માને જ ઠગે છે. પરને ઠગવું તે તો કહેવા માત્ર જ છે. તેથી ઉત્તમ જનોએ વ્યવહારમાં પણ કોઈની સાથે ઠગાઈ કરવી નહીં, સરલતાથી જ વર્તવું અને અન્ય મનુષ્ય જેઓ પોતાની ઉપર આધાર રાખતા હોય, તેમને નેતા તરીકે સત્ય માર્ગ જ બતાવવો કે જેથી તેમના આત્માનું કલ્યાણ થાય. Page #83 -------------------------------------------------------------------------- ________________ હદયપ્રદીપ Explanation - This verse narrates how men, misguided by pseudo-saints, fall prey to delusion. Simple-minded worldly beings get easily influenced by the splendour of speech of the socalled chaste beings, who are actually cheats. They devoutly follow the path shown to them by such hyprocritical gurus. Thus misled, they get mentally distracted and lose their spiritual focus. Page #84 -------------------------------------------------------------------------- ________________ જેઓ એ પ્રમાણે ધૂર્ત નથી અને અંતરમાં વૈરાગ્યપૂર્ણ છે, તેમનું ચરિત્ર કહે છે શ્લોક-૨૨ ये स्तत्त्वैकनिष्ठा निःस्पृहास्त्यक्तसमस्तरागागलिताभिमानाः संतोषपोषैकविलिनवाञ्च्छा स्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ।। જે નિઃસ્પૃહી ને વળી તત્ત્વલીન, વૈરાગ્યરંગી વળી ગર્વહીન; ~ સંતોષથી તૃપ્ત સ્વયં રહે છે, તે લોકનું રંજન ના કરે છે. True holy beings, devoid of desire, Having discarded the 'attachment quagmire' To truth' are devoted wholly and solely, Have dissolved all pride and pomposity, Whose all in one wish is only nourishment Of the sacred spirit of ‘self-contentment'; Such beings seek genuine joy of the 'self' Instead of pleasing one and all else. Page #85 -------------------------------------------------------------------------- ________________ અર્થ - જેઓ નિસ્પૃહી છે, સમસ્ત રાગના ત્યાગી છે, તત્ત્વમાં જ એકનિષ્ઠાવાળા છે, નષ્ટ અભિમાનવાળા છે તથા સંતોષના પોષણથી નષ્ટ ઈચ્છાવાળા છે, તેઓ પોતાનાં મનનું જ રંજન કરે છે, પણ લોકોનું રંજન કરતા નથી. ભાવાર્થ – ઉપર શ્લોકાર્થમાં બતાવેલ ભાવવાળા ઉત્તમ પુરુષો તો આત્મરંજન જ કરે તેમાં આશ્ચર્ય શું? કારણ કે તેમનાં મનને લોકરંજનની અપેક્ષા હોતી જ નથી. તેઓ જે ધર્મારાધન કરે છે તે આત્મરંજન માટે જ કરે છે. તેઓ જાણે છે કે જનમનરંજન ધર્મનું મૂલ ન એક બદામ'. આ વાત તેમનાં હૃદયમાં દઢ કસેલી હોય છે, કેમ કે તેઓ સમગ્ર વસ્તુસમૂહ ઉપર તેમજ કુટુંબ-પરિવારાદિ ઉપર _ગરહિત હોવાથી ખરા નિઃસ્પૃહી થયેલા હોય છે. સૂક્ષ્મ બોધ થયેલો હોવાથી તત્ત્વનિષ્ઠ થયા હોય છે, ગણધરાદિકની અપૂર્વ રાષ્ટ્ર ધારણશક્તિ જાણેલી હોવાથી અભિમાન તો સર્વથા નિર્મૂળ થઈ ગયેલું હોય છે અને ઇચ્છામાત્રનો રોલ કરવાથી સંતોષસુરતરુની શીતળ છાયાનો આશ્રય કરીને રહેલા હોય છે. એવા સંતો ખરેખરા ધન્યવાદને પાત્ર છે. ત્યાગ પણ તેમનો જ સાચો છે, વૈરાગ્ય પણ તેમનો જ ખરો છે અને બોધ પણ તેમને થયેલો જ પ્રમાણ છે. આ હકીકત સર્વ સુજ્ઞ જનોએ ધારી રાખવા લાયક છે અને જનમનરંજન કરવાનો વિચાર તજી દઈ આત્મરંજન કરવા ઉઘુક્ત થવું ઘટમાન છે. . . . . . Explanation - The nature of a truly detached and holy being is described in this verse. True saints are (1) desire-free, (2) totally detached, (3) devoted to truth, (4) devoid of pride and (5) seekers of self-contentment. Such beings have no need to please people Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૫ eclis-221 deceitfully. They only seek genuine bliss, which is in fact the true nature of the 'self', by cultivating spiritual virtues. Page #87 -------------------------------------------------------------------------- ________________ - જે સ્વમનને રંજન કરનારા હોય તે જનરંજક ન હોય તે પર દૃષ્ટાંત – બ્લોક-૨૩ तावद्विवादी નવરઝa, यावन्न चैवात्मरसे सुखज्ञः । चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति ।। રાખે અપેક્ષા બહુ લોક કેરી, હોંશે વગાડે મતવાદભેરી; એણે ન ચાખો રસ આત્મભાવે, ચાખી શકે તે બસ, મૌન થાવે. One is involved in debate and discussion, And pleasing people is his prime concern, Until he discovers the spiritual bliss, That is absolutely and naturally his; For, who in this world, on discovering The jewel that is 'all-wish-fulfilling', Goes on around the entire universe Foolishly proclaiming his fortune to others? Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૨૩ અર્થ – જીવ જ્યાં સુધી આત્માના જ્ઞાનામૃતરૂપ રસમાં પરમાનંદરૂપ સુખને જાણનાર થયો નથી, ત્યાં સુધી જ તે વિવાદી અને લોકરંજક હોય છે, કારણ કે આ જગતમાં શ્રેષ્ઠ એવા ચિંતામણિ રત્નને પામીને કયો માણસ દરેક મનુષ્યને કહેતો ફરે છે? ભાવાર્થ – અધૂરો ઘડો જ છલકાય છે અને પોલી વસ્તુ જે અવાજ આપે છે; તેમ જેઓ સાંસારિક સુખને જ સુખ માની બેઠા હોય છે, આત્મિક સુખનો આસ્વાદ જેમણે લીધેલો હોતો નથી તેઓ જે અનેક પ્રકારના વાદવિવાદો કરે છે અને લોકોને રીઝવવાના પ્રયત્નો કર્યા કરે છે. પરંતુ એક વાર જરા પણ આત્મિક સુખનો આસ્વાદ લીધો અને તેમાં જો લીન થવાપણું બન્યું તો પછી બીજી તમામ ક્રિયાઓ તજી દઈને તેને સંપૂર્ણાશે મેળવવાનો જ પ્રયત્ન આદરે છે, કારણ કે જ્યાં સુધી ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થઈ ન હોય ત્યાં સુધી જ પ્રાણી અન્ય ખાણોમાં બીજાં સામાન્ય રત્નો - જવાહિરો શોધવા પ્રયત્ન કરે છે અને તેવી પ્રાપ્તિથી આનંદ માને છે; પરંતુ ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થઈ એટલે પછી બીજી અપેક્ષામાત્ર રહેતી નથી. તેમજ જો અમુક પ્રકારે - અમુક પ્રયત્ન ચિંતામણિ રત્ન પ્રાપ્ત થશે એમ સમજાય તો પછી પ્રાણી બીજા બધા પ્રયત્નો છોડી દઈ તેમાં જ મચે છે. તે જ પ્રકાર આત્મિક સુખ માટે સમજવો. વળી, ચિંતામણિ રત્નની જેને પ્રાપ્તિ થઈ હોય છે તે પછી જેમ જ્યાં ત્યાં તે વાત કહેવા જતો નથી, પોતે જ તજ્જન્ય સુખનો નિશ્ચિતપણે અનુભવ કરે છે; તેમ આત્મિકે સુખની પ્રાપ્તિવાળા મનુષ્યો પણ પછી અન્ય જનોને રંજન કરવાનો કે બીજો વૃથા પ્રયત્ન કરતા જ નથી, કેમ કે તેમને જે મેળવવું હતું તે મળી ગયું પછી કૃતકૃત્ય પ્રાણી શા માટે Er Page #89 -------------------------------------------------------------------------- ________________ ७८ અન્ય પ્રયત્ન કરે? ન જ કરે. Explanation A wonderful analogy emphasizes how invaluable spiritual bliss is, as compared to social approval and worldly glory. હૃદયપ્રદીપ - ) < A man tries, either to prove his superiority or to entertain others, by indulging in debate and discussion, only as long as he is unaware-of the nectarous taste of spiritual bliss. For, a man who acquires the 'all-wish-fulfilling' jewel neither seeks any other wealth nor goes on proclaiming his good fortune to others. Page #90 -------------------------------------------------------------------------- ________________ સર્વનું મનરંજન કોઈથી થઈ શકે નહીં માટે આત્મરંજન એ જ શ્રેય છે – શ્લોક-૨૪' SUUU વિરોઘોડre તર્થવે તેષાં શતશ नानापथे सर्वजनः को लोकमाराधयितुं નાનાં, મે: | प्रवृत्तः, समर्थः ।। પડ઼ દર્શનો આપસમાં ભળે ના, ને સેંકડો ભેદ-પ્રભેદ તેના;સદા રહે લોકચિ વિભિન્ન, શી રીતે થાયે સહુયે પ્રસન? All the six systems of philosophy Are found to be mutually contradictory, There are a hundred sub-streams to each one, Each flowing in quite a different direction; Folks are thus seen to be following always, Several religious and righteous ways, When such chaos is widely prevalent, How can one win universal assent? Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૦ હૃદયપ્રદીપ અર્થ વળી, છએ દર્શનોનો પરસ્પર વિરોધ છે તથા તે છએ દર્શનોના સેંકડો ભેદો છે. સર્વ લોકો જુદા જુદા માર્ગે પોતાની રુચિ અનુસાર પ્રવર્તેલા છે. એટલે સર્વ લોકનું રંજન ક૨વાને કોણ સમર્થ છે?. - ભાવાર્થ જેમને આત્મિક સુખનું આસ્વાદન જરા પણ પ્રાપ્ત થયું નથી અને જેઓને આત્મરંજનનો સત્ય માર્ગ સમજાયો નથી, તેઓ સર્વને પ્રિય થવાનો લોકરંજન કરવાનો અનેક પ્રકારનો પ્રયત્ન કરે છે; પરંતુ તેઓ કોઈ રીતે સર્વને પ્રિય થઈ શકતા જ નથી, કેમ કે લોકપ્રવાહ અનેક માર્ગે વહે છે. પ્રિયતા પણ જનસમૂહની અનેક પ્રકારમાં વહેંચાયેલી છે. ધર્મના પણ પારાવાર ભેદો પડી ગયેલા છે અને પૃથક્ પૃથક્ માર્ગે વહેનારા મનુષ્યો પોતાના સ્વીકારેલા માર્ગને સર્વોત્તમ જ જાણે છે. તેથી તે બધાઓનું રંજન કરવાનું કાર્ય સાધારણ નથી, અસાધારણ છે, અશક્ય જ છે. તીર્થંકરાદિક અતુલ પુણ્યશાળી મહાત્માઓ પણ સર્વને રીઝવી શક્યા નથી તો આપણું - પામરનું શું ગજું? માટે તેવા મિથ્યા પ્રયત્નમાં ન મચતાં તેમાં કાળક્ષેપ અને શક્તિનો વ્યય ન ક૨તાં આત્મરંજન થયું તો સર્વનું રંજન થઈ ગયું સમજવું. આત્મરંજન કરવા માટે મુખ્ય માર્ગ પરમાત્માનું રંજન કરવું તે છે. પરમાત્માનું રંજન તેમની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી થાય છે. તેમની આજ્ઞા શુદ્ધ આચરણરૂપ છે, તેથી પરંપરાએ આત્મરંજનના ઇચ્છુકોએ પ્રથમ સદાચરણી થઈ પરમાત્માની આજ્ઞા આરાધવી કે જેથી આત્મરંજન, પરમાત્મરંજન અને લોકરંજન સર્વ થશે. તે સિવાય તેને માટે બીજો માર્ગ જ નથી. . - - Explanation It is impossible to attain universal and eternal agreement in this world. There are six main streams of philosophy which are mutually : Page #92 -------------------------------------------------------------------------- ________________ 29 eccls-28 contradictory, due to differences in their approach to truth. Further, each philosophy has several subtypes of its own which have a similar problem. Hence, we find people all over the world following different philosophies and religions. In such a situation it is highly improbable that one can win the approval of the entire humanity at once. It is, therefore better that one concentrates on self-search rather than on fruitless debate and discussion. Page #93 -------------------------------------------------------------------------- ________________ આત્માનું રંજન-મનની સ્થિરતાથી થાય છે – શ્લોક-૨૫ तदेव राज्यं हि धनं तदेव, તપસ્તવેવેઃ –ી રે સૈવ | स्वस्थे भवेच्छीतलताऽऽशये चेत्, नो चेद् वृथा सर्वमिदं हि मन्ये ।। એ રાજઋદ્ધિ વળી એ સમૃદ્ધિ, એ સાધના, એ બળ, એ જ બુદ્ધિજો ચિત્તમાં શીતળતા રહે છે, ને અન્યથા સર્વ વૃથા ઠરે છે. His kingdom is kingdom in reality, His wealth is a symbol of true prosperity, His penance as penance is valid and true His arts and his skills are successful too Whose mind is at peace on their possession And perpetual calm crowns his intention Without this peace, this tranquillity, What holds any value or validity? Page #94 -------------------------------------------------------------------------- ________________ અર્થ જો સ્વસ્થ અંતઃકરણને વિષે શીતળતા થાય તો આ જગતમાં જે પ્રાપ્ત થયેલ તે જ રાજ્યને રાજ્ય કહેવું, પ્રાપ્ત થયેલા તે જ ધનને ધન કહેવું, તે જ તપને તપ કહેવું અને પ્રાપ્ત કરેલી તે જ કળાને કળા કહેવી. પરંતુ જો એમ ન હોય તો એટલે કે ચિત્તની સ્વસ્થતા અને શીતળતા પ્રાપ્ત ન થાય તો આ સર્વ રાજ્યાદિક ફોગટ છે એમ હું માનું છું. ભાવાર્થ. संसार આ કાવ્યમાં કર્તા એમ બતાવવા માંગે છે કે રાજ્ય, ધન, તપાસ કળા તેની પ્રાપ્તિ આ જીવ પોતાના = આત્માની સ્વસ્થતાને શાંતિને માટે ઇચ્છે. છે. રાજ્ય કે ધન - મળ્યું પણ તેથી તૃપ્તિ થઈ નહીં કે શાંતિ પ્રાપ્ત થઈ નહીં, અન્ય ઉપાધિઓએ રાજ્ય કે ધનની પ્રાપ્તિને ઊલટી દુઃખમય કરી મૂકી તો પછી તે પ્રાપ્તિ શા કામની? તેમજ તપસ્યા કરી પણ ચિત્તની સ્વસ્થતા જળવાણી નહીં - ક્રોધનો ઉદ્ભવ થયો, પારણે કે ઉત્તર પારણે આહા૨ની તીવ્ર ઇચ્છા જાગી તો પછી તે તપ શા કામનું? તેનું વાસ્તવિક ફળ તો મળ્યું નહીં તેમજ કોઈ પ્રકારની કળા મેળવી, તેના ફળ તરીકે પુષ્કળ દ્રવ્યપ્રાપ્તિ થવા લાગી, પરંતુ તેથી ચિત્તનું સાંત્વન થયું નહીં તો પછી તે કળા પ્રાપ્ત કરી શા કામની? જગતના જીવો જે જે વસ્તુઓ મેળવવા ઇચ્છે છે, તે શાંતિ-સુખ-સ્વસ્થતા વગેરેની પ્રાપ્તિ માટે ઇચ્છે છે. જે કારણ સેવવાથી કાર્યનિષ્પત્તિ ન થાય તે કારણ સેવના૨માં કાંઈક ખામી છે. જો વાસ્તવિક કારણ હોય અને વિધિપૂર્વક તેની સેવા થાય તો તેથી કાર્યસિદ્ધિ થવી જ જોઈએ. પરંતુ રાજ્ય કે ધન મળ્યા છતાં ઊલટી તૃષ્ણા વધે, અન્ય ઉપદ્રવ કરનારાઓ વધે અને તપસ્યા કર્યા છતાં ઊલટો ક્રોધ વધે - તપનું અજીર્ણ થાય અને કોઈ સારી કળા પ્રાપ્ત કર્યા છતાં પ્રમાદ વધે અથવા બીજું વિઘ્ન આવે તો પછી તે તે વસ્તુની પ્રાપ્તિ નિષ્ફળ થાય છે. માટે રાજ્ય કે ધનની પ્રાપ્તિ Page #95 -------------------------------------------------------------------------- ________________ ८४ હૃદયપ્રદીપ થયે સંતોષ વાળવો, તપ કરવા માંડવું કે સાથે જ ક્ષમાની વૃદ્ધિ કરવી અને કળા પ્રાપ્ત થાય કે તેમાં અપ્રમાદી રહેવું આ ખાસ કર્તવ્ય છે. Explanation - This verse directly points to the fruits of cultivating virtues for 'self-pleasure'. Such virtues lead to perpetual inner calm and peace of mind. All worldly possessions like endless wealth and vast kingdoms; artistic accomplishments and spiritual attainments like great penance have some value or validity as means to true joy, only when one has peace of mind. Page #96 -------------------------------------------------------------------------- ________________ ચિત્તની શાંતિથી થતો લાભ કહે છે – બ્લોક-૨ रुष्टैर्जनैः किं यदि चित्तशान्ति- . स्तुष्टैर्जनैः किं. यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान् , स्वस्थः सदोदासपरो हि योगी ।। જો ચિત્ત શાંતિ, અપમાનથી શું? જો છે અશાંતિ, બહુમાનથી શું? ના રીઝવે, ન વળી ખીજવે છે, યોગી સદા સ્વસ્થપણે રહે છે. What difference it makes if the world is unkind To him, who has peace for ever in his mind? Can pleasure and praise of all kith and kin Please him, who is always burning from within? Yogis, the seekers of the ultimate union, Serene and aloof of the world's opinion, Nurture for none, any worldly affection, And neither do hurtle harm on anyone. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૬ હૃદયપ્રદીપ 1- 6 =અર્થ - જો તારા હૃદયમાં શાંતિ છે તો લોકો સુઝુમાન થાય તેથી શું? જો તારા હૃદયમાં અશાંતિ છે તો લોકો સુષ્ટમાન થાય તેથી પણ શું? આ પ્રમાણે જાણીને યોગી બીજા જીવોનું રંજન કરતા નથી અને દુઃખ ઉત્પન્ન કરતા નથી, કારણ કે તેઓ સર્વદા શાંત અને ઉદાસીનપણામાં જ તત્પર હોય છે. ભાવાર્થ – આ જગતના જીવો પોતાની શાંતિ કે અશાંતિનો વિચાર કર્યા સિવાય અન્ય જનો પોતાની ઉપર રોષે થયા છે કે તુષ્ટમાન થયા છે તેની ફિકર કર્યા કરે છે. જ્ઞાની કહે છે કે બીજાના રોષ કે તોષથી તને લાભ-હાનિ શું છે? તારે તો તારા આત્માની શાંતિ કે અશાંતિનો વિચાર કરવો યોગ્ય છે. જો તારો આત્મા શાંતિનો અનુભવ કરતો હોય - તેની અંદર સ્વસ્થતાનો નિવાસ થયો હોય તો પછી લોકો ભલે રુષ્ટમાન થાય તેથી તને કાંઈ હાનિ થવાની નથી અને જો તારા ચિત્તમાં શાંતિ કે સ્વસ્થતા નથી - તેની અંદર ઉપતાપ ભરેલો છે તો લોકો ભલે તારી ઉપર પ્રસન્નતા બતાવે - પ્રશંસા કરે પણ તેથી તને ફળપ્રાપ્તિ શું? લાભ શો? કાંઈ નહીં. માટે લોકોના રોષ-તોષનો વિચાર ન કરતાં, તેને ગૌણ ભાવે રાખી, તારા આત્માની શાંતિ-અશાંતિનો વિચાર કરી જે પ્રકારે તારા આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને અશાંતિ દૂર થાય તેવો પ્રયત્ન કરવામાં તત્પર રહે. યોગી પુરુષો આ જ કારણને લઈને કોઈને પ્રીતિ ઉત્પન્ન કરવાનો કે કોઈને દુહવવાનો પ્રયત્ન કરતા નથી, પરંતુ આત્માની શાંતિનો જ અભ્યાસ કરે છે અને જગતથી ઉદાસીન રહે છે. જો કે જગત તો કેટલીક વખત તેમના ઉપર પ્રીતિ પણ કરે છે અને કેટલીક વખત દુહવાય પણ છે, પરંતુ યોગી પુરુષો તેની દરકાર કરતા નથી. તેઓ તો આત્માની શાંતિઅશાંતિનો જ અહર્નિશ વિચાર કર્યા કરે છે અને શાંતિ મળે છે એટલે તેમાં જ લીન થઈ આત્મહિત કરે છે. - Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૨૬ co Explanation - The two greatest virtues of a true ascetic highlighted here are (1) serenity' and (2) aloofness. Owing to his serenity and aloofness, a true ascetic remains, unaffected by either the anger or the affection of people. He, therefore, neither hurts anyone nor holds anyone close to his heart. Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉદાસીનતા ધારણ કરવામાં એકત્વભાવના કારણભૂત બ્લોક-૨૭ एकः पापात् पतति नरके याति पुण्यात् स्वरेकः, पुण्यापुण्यप्रचयविगमात् मोक्षमेकः प्रयाति । सङ्गान्नूनं न भवति सुखं न द्वितीयेन कार्य, तस्मादेको विचरति सदाऽऽनन्दसौख्येन पूर्णः ।। પુણે સ્વર્ગે, નરક ગતિમાં પાપથી એકલો જઆત્મા જાતો, ઉભય ટળતાં મોક્ષમાં એકલો જ; બીજા સંગે સુખ નવ કદી, અન્યનું કામ ના કૈ, તેથી જ્ઞાની સહજ વિચરે મોજથી એકલો શૈ. One goes to hell or to heaven alone, Depending on sinful or sacred seeds sown, And having dissolved all deposits of deeds To realm of freedom, all alone he proceeds, No joy can be found in worldly togetherness, No being can grant the other happiness; A holy being who understands this, Celebrates in solitude his eternal bliss. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૨૭ ૮૯ અર્થ – આ સંસારમાં પાપકર્મથી જીવ એકલો જ નરકમાં જાય છે, પુણ્યકર્મથી એકલો જ સ્વર્ગમાં જાય છે, પુણ્ય-પાપના સમૂહનો સદંતર નાશ થવાથી એકલો જ મોક્ષમાં જાય છે. આ જગતમાં સંગથી નિશે સુખ પ્રાપ્ત થતું નથી, બીજા કોઈ વડે કાર્યની સિદ્ધિ થતી નથી; તેથી હંમેશાં આત્માનંદરૂપ સુખે કરીને પૂર્ણ એવા યોગીજન એકલા જ વિચારે છે. ભાવાર્થ – આ જગતના જીવો જો કે અન્યના સંગને - સાથને ઈચ્છે છે, પરંતુ વાસ્તવિક વિચાર કરતાં કોઈની સંગતિ , પરિણામે કામ આવતી નથી, કેમ કે ખરેખરી મિત્રાઈ હોય તો આ ભવમાં તો કદી તે મિત્ર આપણી સાથે રહે છે, પરંતુ આયુ પૂર્ણ થયે પરભવમાં જવું પડે છે ત્યારે કોઈ સાથે આવતું નથી - આવી શકતું નથી, કારણ કે ગતિ તો પોતપોતાનાં પુણ્ય કે પાપને અનુસારે થાય છે. આ ભવમાં સત્કાર્યો કરવા વડે જો પુણ્ય સંપાદન કર્યું હોય છે તો દેવાદિ સદ્ગતિની પ્રાપ્તિ થાય છે અને જો હિંસા, અસત્ય, પરદારનગમનાદિ અકાર્યો વડે પાપનો સંચય કર્યો હોય છે તો નરકાદિ દુર્ગતિમાં એકલા જવું પડે છે અને ત્યાંનાં અસહ્ય દુઃખો એકલા સહન કરવાં પડે છે. કદી કોઈ સચ્ચારિત્રવાન જીવ કર્મ ક્ષય કરવાને જ ઉદ્યમવંત થાય અને સર્વ કર્મોને ખપાવી દે તો તે મોક્ષે પણ એકલો જ જાય છે, તેમાં કોઈના સાથની અપેક્ષા નથી અને કોઈ સાથે આવી શકતું પણ નથી. એટલા માટે શાસ્ત્રકાર કહે છે કે “હે ભાઈ! કોઈના સંગની આ જગતમાં અપેક્ષા જ નથી. બે વસ્તુ ભેળી થયે તો ઊલટો ખડખડાટ થાય છે, માટે અન્ય વસ્તુના કે મનુષ્યના સંયોગની ઇચ્છા કર્યા સિવાય માત્ર એકલા આત્માનું જ હિત કરવા તરફ પ્રવૃત્તિ કરવી – તેમાં જ આનંદ માનવો યોગ્ય છે. અન્યના સંયોગની ઇચ્છા કરીશ - ઇષ્ટ સંયોગે આનંદ માનીશ તો તેના વિયોગે જરૂર શોકાર્ત . Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૦ હૃદયપ્રદીપ થવું પડશે અને આત્મહિતમાં ખામી આવશે; માટે મહાન યોદ્ધાની જેમ એકલા જ આત્મસાધનમાં તત્પર થઈ જવું.' એક નીતિવેત્તા કહે છે કે – અનુભવીએ એકલા આનંદમાં રહેવું રે, ભજવા ભગવંતને, બીજું કાંઈ ન કહેવું રે. અનુભવીએ આ કાવ્યનું રહસ્ય ખાસ મનન કરવા લાયક છે. Explanation - Aloofness is the key to genuine joy. Constant contemplation of one's absolute aloneness helps a man to cultivate true aloofness. This verse reminds one and all that whether in heaven or hell, each being has to face the consequences of his good or bad deeds himself. Besides, no one can cause the ultimate well-being of any other person. Thus, worldly togetherness can in no way be instrumental in bringing true bliss in one's life. True ascetics who know this futility of worldly association, renounce it altogether. Page #102 -------------------------------------------------------------------------- ________________ મનને વશ વર્તાવવું એ મોક્ષસાધન માટે જરૂરનું છે, પણ તે દુષ્કર છે – બ્લોક-૨૪ त्रैलोक्यमेतद् बहुभिर्जितं यैमनोजये तेऽपि यतो न शक्ताः । मनोजयस्यात्र पुरो हि तस्मात् , तृणं त्रिलोकीविजयं वदन्ति ।। સમર્થ જે હો જગ જીતવાને, અશક્ત છે તે મન જીતવાને; સાચો વિજેતા મનનો વિજેતા, નીચા ઠરે ત્યાં જગના વિજેતા. Many a men, courageous and mighty, Who gained over all the three worlds a victory, Proved ultimately, absolutely unable To conquer their own minds - feeble, unstable; Thus conquest of the earth, heaven and hell, When compared to victory over one's 'self', . Is petty and inconsequential, alas! Like the conquest of a blade of grass. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨. હૃદયપ્રદીપ અર્થ – જે ઘણાં પ્રાણીઓએ આ ત્રણ લોક જીત્યા છે, તેઓ પણ મનનો જય કરવામાં શક્તિમાન થયાં નથી. તે કારણ માટે આ જગતમાં મૂનના જયની પાસે ત્રણ લોકનો વિજય તૃણ સમાન છે એમ મહાત્માઓ કહે છે. ભાવાર્થ – આ કાવ્યમાં કર્તાએ ખરેખરી આવશ્યકતા મનનો જય કરવાની બતાવી છે અને તે ખરેખરી વાત છે, કારણ કે મન પર્વ મનુષ્યા રપ વંધમોક્ષયોઃ | મન જ આ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે અને મન જ આ સંસારનો પાર પમાડી મોક્ષમાં લઈ જનાર છે. જો કે આ વાક્યરચના ખરી રીતે વિચારતાં ઔપચારિક છે, કારણ કે મનનો સ્વામી તો આ આત્મા પોતે છે. મન તો તેને તાબેદાર છે, પરંતુ કેટલીક વખત જેમ નોકર, મુનીમ અથવા દીવાન ઘરના, દુકાનના કે રાજ્યના માલિક જેવા માથાભારે થઈ પડે છે અને ઘર, દુકાન કે રાજ્યના માલિકને પોતાને આધીન કરી દે છે - પોતે જેમ નચાવવા ધારે તેમ તેને નચાવે છે, તેવી સ્થિતિ આ આત્માની થઈ પડી છે. અજ્ઞાનદશાના તેમજ સાંસારિક સુખની આસક્તિના યોગે આ પ્રાણી મનને આધીન થઈ ગયેલો છે, તેથી તે જેમ નચાવે તેમ આ પ્રાણી નાચે છે. તેથી કાવ્યકાર કહે છે કે – હે બંધુ! ચક્રવર્તીપણું મેળવવા કરતાં અને ઇન્દ્રનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવા કરતાં મુશ્કેલ કાર્ય મનનો જય કરવો તે છે, તેથી બીજું સર્વ છોડી દઈ મનનો જય કરવાનો પ્રયત્ન કર. મન જિતાણું એટલે સર્વ જિતાણું. કહ્યું છે કે - “મન સાધ્યું તેણે. સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી;' આ કાવ્યમાં તો ગ્રંથકાર ત્રણ જગતના જય કરતાં પણ મનોજયને વિશેષ કહે છે અને મનના જય વડે જ મોક્ષની પ્રાપ્તિ થવાનું સૂચવે છે. આ હકીકત અક્ષરશઃ સત્ય છે અને અનુભવસિદ્ધ છે, જેથી એ વિષયમાં વધારે લખવાની Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૨૮ અપેક્ષા રહેતી નથી. Explanation – Attainment of liberation is impossi-, ble without mental discipline. This verse describes how difficult it is to gain victory over one's own mind and once this victory is gained, how insignificant all other accomplishments become. Even he who gains victory over the heaven, the hell and the earth, finds it impossible to conquer his own weak and unstable mind. Hence, to him who gains this ultimate victory, control over all the three worlds is like the conquest of a grass-blade. Page #105 -------------------------------------------------------------------------- ________________ મનોજયથી સંસારમાં સારભૂત એવાં યોગ, જ્ઞાન અને સુખ પ્રાપ્ત થાય છે શ્લોક-૨૯ मनोलयान्नास्ति परो हि योगो, ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च । समाधिसौख्यान्न परं च सौख्यं, संसारसारं त्रयमेतदेव || યોગો મહીં શ્રેષ્ઠ જ્ઞાન મહીં ઉત્તમ સંતોષ જેવું સુખ હોય અન્ય, સંસારમાં સાર ત્રણે અનન્ય. મનનિરોધ, તત્ત્વબોધ; No ‘meditation' is ever, more refined Than complete ‘immersion and merger' of mind; No 'knowledge' can ever be deemed superior To constant reflection on ‘truth' and its nature. No worldly joy can stand comparison To joy that is obtained on ‘self-absorption'; These three are the sap, the sublime essence, Of all material and mundane existence. Page #106 -------------------------------------------------------------------------- ________________ 1, , 5 | | - - - "MATTU . 500 જમ & Co - A ૧ જાગ ૯૫ "ઈમૂનોલય જેવો બીજો કોઈ વીગ નથી, તત્ત્વના અર્થની વિચારણા જેવું બીજું કોઈ જ્ઞાન નથી, સમાધિના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. સંસારને વિષે આ ત્રણ જ સારભૂત છે ભાવાર્થ – સંસારમાં આસક્ત મનુષ્યોએ સંસારમાં સારભૂત એક દ્રવ્ય અને બીજી સ્ત્રી એ બે જ શોધી કાઢેલ છે. તેથી આગળ વધીને મધ્યમ વર્ગના મનુષ્યો દેશસેવા, જનસેવા, કીર્તિ વગેરેને પણ સારભૂત - કર્તવ્ય તરીકે લેખવે છે; પરંતુ ઉત્તમ પુરુષો તો આ મનુષ્ય જિંદગીનો સાર તેના વડે યોગ, જ્ઞાન અને સુખ એ ત્રણ મેળવવાં તે જ ગણે છે. અહીં પ્રશ્ન થાય કે યોગ શું? જ્ઞાન શું? અને સુખ શું? કારણ કે યોગ, જ્ઞાન અને સુખના સંબંધમાં પણ જુદી જુદી અનેક તરેહની માન્યતા હોય છે. તેવી માન્યતાઓના દોહન તરીકે, રહસ્ય તરીકે, સાર તરીકે આ કાવ્યકાર કહે છે કે – મનનો જે લય કરવો - તેને અશુભ વિચારણા કરતું તદ્દન રોકી દઈને આત્મામાં - આત્મવિચારણામાં જ લીન કરી દેવું તે ખરેખરો યોગ છેજ્ઞાન તત્ત્વાર્થની વિચારણા કરવી તે જ છે, એટલે આ જગતમાં તાત્ત્વિક પદાર્થો શું શું છે અને તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેની વિચારણા કરવી - તે સંબંધી નિર્ણય કરવો તે જ ખરેખરું જ્ઞાન છે. અન્ય ભૂગોળ-ખગોળાદિનું કે ઇતિહાસાદિનું જ્ઞાન નિરર્થક છે અથવા તે સર્વ તત્ત્વાર્થવિચારણામાં અંતર્ભાવ પામે છે એમ સમજવું; અને સમાધિજન્ય- સુખ ઉપરાંત બીજું સુખ નથી, અર્થાત્ જેમાં આત્માને શાંતિ-સમાધિ-સમભાવ પ્રાપ્ત થાય, જેમાં વિષય-કષાયાદિની પ્રવૃત્તિ ન હોય એવું જે સુખ તે જ ખરું સુખ છે. વિષય-કષાયજન્ય સુખ માત્ર માન્યતારૂપ જ છે. તે સુખ અનિશ્ચિત, વિનશ્વર અને ક્ષણિક છે, તેમજ તે સુખને અંગે જુદી જુદી માન્યતા હોય છે અને સમાધિસુખને તો સર્વ એકમતે સુખ કહે છે. તેથી ઉપર જણાવ્યાં તે જ યોગ, Page #107 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રદીપ જ્ઞાન અને સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો અને તેથી વ્યતિરિક્ત યોગ, જ્ઞાન અને સુખની ઉપેક્ષા કરવી, તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરવો. Explanation - Conquest of the mind is crucial to' self-realization. Kņowledge and meditation are respectively the theoretical and the practical arms of spiritual aspiration. This verse, therefore, elaborately explains the purest state of right knowledge, meditation and the joy attained thereupon. Immersion of the mind in self-attention and ultimately, the merger of the mind into the 'self' is the highest meditation. Constant reflection on substances and their discernment into (1) those to be known, (2) those to be owned and (3) those to be disowned, is the ultimate knowledge. Complete absorption of the 'self' within itself is the greatest bliss. These three attainments are the real essence of human existence. Page #108 -------------------------------------------------------------------------- ________________ મનની પરમાત્મસ્વરૂપમાં લીનતા, જ્ઞાન અને સમાધિથી ચિત્ત પ્રસન્ન થાય છે. જ્યાં ચિત્ત પ્રસન્ન છે, વિષરૂપ લાગે છે ત્યાં સિદ્ધિ આદિ શ્લોક-30 याः सिद्धयोऽष्टावपि दुर्लभा ये, चाअनधातुवादाः रसायनं ध्यानानि मन्त्राश्च समाधियोग्य् . श्चित्ते प्रसन्ने विषवद् भवन्ति ॥ ગણાય જે દુર્લભ અષ્ટ સિદ્ધિ, રસાયનો, અંજન, સ્વર્ણ સિદ્ધિ; સમાધિઓ, મંત્ર, અનેક ધ્યાનઅશાંત ચિત્તે વિષની સમાન. All eight enormous spiritual powers, Rarely attainable in this universe, Medicine enhancing life-longevity, Magical ointments and metallurgy, All contemplation and all incantations, Self-absorption and meditative exertions, Seem like poison, undersirable and deadly, Once one's mind is filled with ecstasy. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ * હદયપ્રેદીપત અર્થ – દુર્લભ એવી આઠે અણિમાદિક સિદ્ધિઓ, દુર્લભ એવું રસાયણ, અદૃશ્યાદિક અંજૂન, ધાતુવૌદ વાને વશીકરણાદિક ૬૩. નારાજ મત્રો, સંમાધિયોગો - આ બધુંય ચિત્ત પ્રસંનો યારે ઝેરરૂપ લાગે છે. ભાવાર્થ – જ્યાં સુધી આ પ્રાણીને ખરી ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી જ તે તેની પ્રાપ્તિને માટે સિદ્ધિ, રસાયન, અંજન, ધાતુવૃંદ, ધ્યાન, મંત્ર, સમાધિ અને યોગ વગેરેની ચાહના કર્યા કરે છે. તેને મેળવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. અનેક યોગી પુરુષોની સેવા કરે છે, દેશાંતર પરિભ્રમણ કરે છે, પ્રયાસ કરવામાં બાકી રાખતા નથી; પરંતું જ્યારે ખરેખરી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થઈ, અર્થાત્ જ્યારે ભાવી અણગારની - અપ્રમત્ત મુનિની સ્થિતિ પ્રાપ્ત થઈ, સચ્ચિદાનંદ સ્વરૂપ જે કેવળજ્ઞાન તેની પ્રાપ્તિ નજીક જણાણી, ત્યારપછી ઉપર કહેલ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ વગેરે સર્વ તેને વિષ જેવાં ત્યાજ્ય લાગે છે. અહીં તેને માત્ર ત્યાજ્ય ન કહેતાં વિષ જેવાં ત્યાજ્ય એટલા માટે કહ્યાં છે કે તે સર્વ વસ્તુઓ તેને અહિતકારી લાગે છે, આવશ્યકતા વિનાની લાગે છે અને તે મેળવવાનો પ્રયત્ન કરવા જતાં આત્માનું ખાસ કર્તવ્ય ભૂલી જવાય એમ લાગે છે. તેથી તે સર્વ મેળવવાના પ્રયત્નને તજી દઈને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઇચ્છનાર મનુષ્ય આત્મસ્વરૂપની વિચારણા કરવી - તેમાં રમણ કરવું તે જ પસંદ કરે છે, તે જ તેને જરૂરનું લાગે છે અને તેમાં જ તે લીન થાય છે. તે સમજે છે કે આ સિદ્ધિઓ, રસાયન, અંજનાદિ સર્વ પદાર્થો માત્ર ઐહિક સુખના આપવાવાળો છે અને તે પણ અનિશ્ચિત છે તો તેને માટે પ્રયાસ ન કરતાં જેથી પરભવમાં અવિનાશી સુખ પ્રાપ્ત થાય તેને માટે જ પ્રયત્ન કરવો એ યોગ્ય છે. સુજ્ઞ જનોનું એ જ કર્તવ્ય છે. siste a AO ESA REZU 294 52 Page #110 -------------------------------------------------------------------------- ________________ eclis-30 Explanation - Even ‘eight spiritual powers' and 'nine undiminishing treasures' become meaningless to one who attains the joy of self-absorption. As one advances in spiritual aspiration, the superhuman potential of the soul becomes manifested in the form of 'eight powers' - like those of 'contraction', 'weight-loss', 'wish-fulfilment', etc. Superlative material objects like wonder-medicines and magic ointments, knowledge of alchemy and powerful chants come under one's' control. But to a true ascetic, who is truly detached and is therefore, truly happy, not only these supernatural powers and possessions but also the craving for the state of self-absorption and meditation, becomes as contemptible as poison. Page #111 -------------------------------------------------------------------------- ________________ વિષયાકુળ જીવો આત્મતત્ત્વ જાણવા સમર્થ ન હોવાથી તેમને સમાધિસુખ પ્રાપ્ત ન થાય – બ્લોક-૩૧ विदन्ति तत्त्वं न यथास्थितं वै, . संकल्पचिन्ताविषयाकुला ये । संसारदुःखैश्च । कदर्थितानां , स्वप्नेऽपि तेषां न समाधिसौख्यम् ।। સંકલ્પ-ચિંતા-વિષયો મહીં જે, ડૂળ્યા રહે તત્ત્વ ન જાણશે તે; સંસાર કષ્ટ બહુ તે રિબાતા, સ્વપ્નય પામે ન સમાધિ શાતા. Ignorant of the true, inherent essence Of all substances found in existence, Driven by anxiety and by wrong notions, By sensual cravings and agitations, Unhappy, unhopeful and helpless humans Suffering miseries of mundane existence, Cannot in even their dreams, envision The ultimate bliss of self-absorption. Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૩૧ ધન ધન ક+ पाया सामान – અર્થ – સંકલ્પ, ચિંતા અને વિષયોથી આકુળ થયેલા જે જીવો - હોય છે, તેઓ યથાર્થપણે તત્ત્વને જાણતા જ નથી. સંસારનાં દુ:ખો વડે વિડંબના પામેલા તેઓને સ્વપ્નને વિષે પણ સમાધિનું સુખ હોતું નથી. ભાવાર્થ જે સમાધિસુખની વ્યાખ્યા ૨૯મા કાવ્યમાં કરી આવ્યા છીએ અને જેના સમાન બીજું કોઈ પણ સુખ નથી એમ કહી આવ્યા છીએ, તેવા અપ્રતિમ સમાધિસુખની પ્રાપ્તિ જ્યાં સુધી યથાર્થ તત્ત્વો જાણવામાં ન આવે, સંકલ્પ-વિકલ્પ દૂર ન થાય, ઇન્દ્રિયજન્ય સુખથી ઉપરાંટું મન ન થાય, તે સુખો ઉપ૨ અભાવ ઉત્પન્ન ન થાય અને સાંસારિક અનેક પ્રકારનાં - દુઃખોની કદર્થના દૂર ન થાય, એટલે જે દુઃખોનો મોટો ભાગ તો માત્ર કલ્પનાથી દુ:ખ તરીકે માનેલો હોય છે અને બાકીનો ભાગ ઉદીરણા વડે જ ઉત્પન્ન કરેલો હોય છે, તે બધાં દુ:ખો સદ્વિચારણા વડે દૂર ન થાય ત્યાં સુધી થઈ શકતી-નથી. તેથી જો એવા અપ્રતિમ સમાધિસુખને પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તો તત્ત્વસ્વરૂપ જાણવા પ્રયત્ન કરવો, ખોટા સંકલ્પવિકલ્પ તજી દેવા, ઇન્દ્રિયજન્ય સુખની ઇચ્છાને રોકી દેવી, .તે સુખ પરિણામે દુઃખરૂપ જ છે એવી માન્યતાને દૃઢ કરવી અને સાંસારિક દુઃખોથી અલગ થઈ જવું. સંસારમાં ગણાતા ઇષ્ટવિયોગ, અનિષ્ટસંયોગાદિ આર્ત્તધ્યાનનાં કારણોમાં ચિત્તને લીન જ થવા ન દેવું, એટલે સ્વતઃ અપ્રતિમ સમાધિસુખ પ્રાપ્ત થશે અને તેની પ્રાપ્તિ થઈ એટલે સૂર્યોદયથી અંધકારની જેમ અન્ય દુઃખમાત્ર દૂર થઈ જશે. કેટલાંક તો માત્ર મનની માન્યતામાત્ર જ દુ:ખ હતાં તે વિસરાળ થઈ જશે અને આત્મા આત્મિક સુખનો અવિનાશી સુખનો ભોક્તા થશે. તેથી માત્ર ઉપર બતાવેલા હેયોપાદેયને હૃદયમાં ધારણ કરી હેયને તજવાનો અને ઉપાદેયને આદરવાનો પ્રયત્ન કરવો. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ હૃદયપ્રદીપ Explanation – This verse very clearly states the conditions in which the attainment of blissful 'self-absorption' is impossible. One can never experience the joy of 'selfabsorption' as long as he is (1) ignorant of the truth in all aspects, (2) agitated by wrong notions, dilemmas, anxiety and lustful longing and (3) unhappy due to worldly miseries. Such a being cannot, even in his dreams, feel the ecstasy of equipoise. Page #114 -------------------------------------------------------------------------- ________________ ઘણાં શાસ્ત્રો ભણવા કરતાં થોડું પણ ઉત્તમ જ્ઞાન ગ્રહણ કરી, આત્મામાં પરિણમાવી મોક્ષસિદ્ધિ કરવી જોઈએ – બ્લોક-૩૨ श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरअनाय । સંનવનીતિ વરસૌષધમેનેવે , व्यर्थश्रमप्रजननो न तु मूलभारः ।। પર્યાપ્ત છે પથપ્રદર્શક એક શ્લોક, ગ્રંથો અસંખ્ય જનરંજન હેતુ ફોક; સંજીવની યદિ મળે સવિ રોગહારી, લાગે તદા વિવિધ ઓસડ ભારકારી. A singular verse, which on recitation, . Illumines the path of 'self-realization', Is better than billions of so-called 'scriptures, Read for the pleasure of ignorant creatures. The acquistion of the 'Sanjivani', Which restores in beings their life energy, Is better than accumulation of roots, Which yield frustration and fatigue as fruits. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અર્થ પરમ તત્ત્વમાર્ગને મોક્ષમાર્ગને પ્રકાશિત કરનાર એક શ્લોક પણ શ્રેષ્ઠ છે, પરંતુ લોકને રંજન કરવા માટે કરોડો ગ્રંથોનું ભણવું તે સારું નથી. જેમ કે સંજીવની નામની એક જ ઔષધિ શ્રેષ્ઠ છે, પરંતુ ફોગટ જ માત્ર પરિશ્રમને ઉત્પન્ન કરનાર વૃક્ષોનાં મૂળિયાંનો સમૂહ શ્રેષ્ઠ નથી. ૬ – હૃદયપ્રદીપ - ભાવાર્થ આ કાવ્યમાં કાવ્યકાર આ પ્રાણીને બહુ પ્રયાસ કરતો અળસાવી, અલ્પ પ્રયાસે માત્ર એક જ વસ્તુ મેળવવાથી કાર્યસિદ્ધિ થઈ જાય તેવી અપૂર્વ કૂંચી બતાવે છે. તેઓ કહે છે કે – અહો ભવ્ય પ્રાણીઓ! તમે અનેક ગ્રંથો ભણવા-વાંચવાનો પ્રયાસ જે લોકરંજન માટે કરો છો, સારાં સારાં વ્યાખ્યાન વાંચીને, સારી સારી કથાઓ કહીને લોકોને - શ્રોતાઓને રીઝવી શકાય તેને માટે પ્રયાસ કરો છો, તે પ્રયાસ કરવો તજી ઘો અને માત્ર એક જ શ્લોક કે જે પરમ તત્ત્વ, જે મોક્ષ તેનો માર્ગ બતાવે તેવો હોય તે જ કંઠે કરો, તેનો અર્થ જ સમજો, તેનો ભાવાર્થ જ વિચારો, તેનું જ મનન કરો, તેમાં જ લીન થઈ જાઓ, તે માર્ગે જ પ્રવર્તો, તેને જ રહસ્યભૂત - કર્તવ્યરૂપ સમજો; બીજી કશી જરૂર નથી. આ હકીકત પરત્વે દૃષ્ટાંત આપે છે કે વનસ્પતિમાત્ર ઔષધિરૂપ છે, અન્ન પણ ઔષધિ જ છે, કેમ કે સુધારૂપ વ્યાધિનું નિવારણ કરે છે; પરંતુ સર્વ પ્રકારની વનસ્પતિમાં એક એવી વનસ્પતિ છે કે જેનું નામ સંજીવની ઔષધિ છે, તે ઔષધિ વ્યાધિમાત્રને નિવારી શકે છે અને જીવનની વૃદ્ધિ કરી શકે છે, આ પ્રમાણે વૈદકશાસ્ત્ર કહે છે. તો પછી બીજી વનસ્પતિઓ - ઔષધિઓ એકત્રિત કરવાનો પ્રયાસ ન કરતાં માત્ર તે સંજીવની ઔષિધ મેળવવાનો પ્રયાસ કરવો તે યોગ્ય છે. હવે તે ઔષિધ ક્યારે મેળવી શકાય કે જ્યારે તેને ઓળખી શકીએ તેવાં તેનાં લક્ષણો ચિહ્નો આકૃતિ જાણીએ. તે જ પ્રમાણે જો તમારે પરમ તત્ત્વોનો પંથ - - Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૩ર ૧૦૫ બતાવનાર એક જ શ્લોક વડે કાર્યસિદ્ધિ કરવી હોય તો પરમ તત્ત્વ શું? અને તેનો માર્ગ કયો? તે જાણવા માટે સદ્ગુરુની સેવા કરવી જોઈએ, તેમની કૃપા મેળવીને તે બન્ને બાબત સમજી લેવી જોઈએ, તો પછી તેના માર્ગને બતાવનાર એક શ્લોક પણ ઓળખાશે અને તેની સાધના વડે જ ઇચ્છિત કાર્ય સિદ્ધ થશે. ઇત્યલ.... Explanation – This verse provides the master-key to spiritual success. It stresses the need for focussed attention and effort in the process of spiritual aspiration. For this, even one single verse, which truly illumines the path of the ultimate truth is more than sufficient. Hearing, learning, mental churning, meditation and actualization of the truth stated therein, is more fruitful in leading a seeker to. liberation rather than perfection of academic knowledge of millions of holy books with an intention to impress people. The point is emphasized by the analogy. of the Sanjivani herb. Heaps of ineffective herbs, painstakingly gathered, are only an unnecessary burden. Not only do they fail to cure the disease, they cause fatigue and frustration. A single Sanjivani herb, on the other hand, restores life in a dead being. Similarly, if one makes a single verse an integral part of his life, it may become instrumental in his attainment_of 'self-realization'. . . Page #117 -------------------------------------------------------------------------- ________________ જેમણે મનની સ્વસ્થતા, પ્રસન્નતાનું સુખ અનુભવ્યું છે, તેમને ભોગો ન રુચે – લોક-33 तावत्सुखेच्छा विषयादिभोगे, यावन्मनःस्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा ।। જેણે ન માગ્યું સુખ આંતરિક, તેને ગમે છે સુખ પૌદ્ગલિક; માણે મજા ચિત્ત પ્રસન્નતાની, તેને સ્પૃહા ના રહેતી કશાની. One has desire to obtain happiness By pandering his senses, only unless He is unaware of the eternal ecstasy, Derived from mental tranquillity. But once he acquires even a bit Of joy that flows from a stable spirit, He neither has lust nor even the longing To rule all the three worlds for ever as a king. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૩૩ ૧૦૭ અર્થ – આ સંસારમાં પ્રાણી જ્યાં સુધી મનની સ્વસ્થતાના સુખને જાણતો નથી, ત્યાં સુધી જ તેને વિષયાદિક ભોગમાં સુખની ઇચ્છા હોય છે, પરંતુ મનની સ્વસ્થતારૂપી સુખનો એક લેશ માત્ર પણ પ્રાપ્ત થયે છતે તે પ્રાણીને ત્રણ જગતના રાજ્યને વિષે પણ વાંછા થતી નથી. ભાવાર્થ – સ્વસ્થપણાના સુખનો અંશ પણ એટલો કિંમતી છે કે જેની પાસે ત્રણ લોકના રાજ્યનું સુખ પણ તુલનામાં આવી શકતું નથી; કેમ કે પ્રથમનું સુખ અવિનાશી છે ત્યારે બીજું ઉપાધિજન્ય છે, પહેલું કર્મમાત્રને રોકનાર છે ત્યારે બીજું કર્મનો તવ બંધ કરાવનાર છે, પહેલું સંસારમાંથી મુક્ત કરાવનાર છે ત્યારે બીજું પરિભ્રમણ કરાવનાર છે. ઇત્યાદિ અનેક પ્રકારે તે બન્ને પ્રકારનાં સુખમાં રાત્રી અને દિવસ જેટલું અથવા ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર છે. કાવ્યકાર કહે છે કે - આ પ્રાણીને વિષયજન્ય સુખની ઇચ્છા ત્યાં સુધી જ થાય છે કે જ્યાં સુધી તેણે સ્વસ્થપણાના સુખના લેશનું પણ આસ્વાદન કર્યું નથી. એ હકીકત વાસ્તવિક છે કે જ્યારે અમૃતના એક લવનો પણ આસ્વાદ પ્રાપ્ત થાય તો પછી તે પ્રાણીને અન્ય પદાર્થોના ઉપભોગની ઇચ્છા રહે જ નહીં. પરંતુ સ્વસ્થપણાનું સુખ મેળવવું એટલું બધું મુશ્કેલ છે કે જ્યાં સુધી આ પ્રાણીની લાઇન જ - દિશા જ ન બદલાય, ત્યાં સુધી તે કોઈ રીતે પ્રાપ્ત થઈ શકે તેમ નથી. જ્યારે આ પ્રાણી પોતાની દિશા બદલશે, કંચન-કામિનીની તૃષ્ણા તજી . દઈ તેને વિષરૂપ સમજશે, તે બાજુ ઢળ્યા જ કરે છે તે તજી દઈ પોતાનો પ્રવાહ જ જ્ઞાન-ધ્યાન તરફ વાળશે ત્યારે પ્રથમ તેને આત્મિક સુખની ગંધ પ્રાપ્ત થશે અને પછી ક્રમે ક્રમે સ્વસ્થપણાનું સુખ નજીક થતાં તેનો સ્વાદ પણ તે મેળવશે. એટલા માટે સમ્યગ્દષ્ટિ જીવ જેમ પોતાની લાઈન જ બદલી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ હ્રદયપ્રદીપ નાખે છે તેમ લાઈન બદલી નાખવાની જરૂર છે. આજ સુધી સંસારમાં રચ્યો, પચ્યો અને મચ્યો રહ્યો છે તે હવે પરમાર્થમાં ધર્મમાં આત્મહિતના કાર્યમાં રચ્યા, પચ્યા અને મચ્યા રહેવું પડશે. ત્યારે જ આત્મિક સુખની પ્રાપ્તિ થશે અને ત્રણ લોકનું રાજ્ય કોઈ સામે આપવા આવશે તોપણ તેને તુચ્છકારી કાઢશે, અકિંચિત્કર માનશે અને તેની લેશમાત્ર પણ ઇચ્છા ક૨શે નહીં. - - Explanation – This verse glorifies ‘mental tranquillity' as the highest achievement in this world. The joy that is generated by spiritual stability is much superior to the pleasure of power over all the three worlds! Such inner happiness is lasting and liberating. Only a being who is unaware of this fact wishes to indulge in the attainment of worldly pleasures like sensesatiation, wealth and power. Page #120 -------------------------------------------------------------------------- ________________ આત્મસુખ છે તે જ વાસ્તવિક, ખરું સુખ છે – બ્લોક-38 न देवराजस्य न चक्रवर्तिनस्तद्वै सुखं रागयुतस्य · मन्ये । यद्वीतरागस्य मुनेः सदाऽऽत्मनिष्ठस्य चित्ते स्थिरतां. प्रयाति ॥ છે આત્મલક્ષી વળી રાગમુક્ત, સદા રહે નિર્મળ બોધિ યુક્ત; માણે મુનિ જે સુખ આત્મધામે, તે ઇન્દ્ર-રાજેન્દ્ર કદી ન પામે. Neither the king of gods does possess, Nor the universal monarch does have an access To joy that is lasting, limitless and true; Both have attachments, which agonise anew.. , True joy, for ever, dwells in the mind. Of one whom no worldly attachments can bind, And of a saint who is devoted to His 'soul', which is beautiful, blissful and true', Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ હૃદયપ્રદીપ અર્થ જે સુખ રાગ-દ્વેષરહિત તથા નિતર આત્મતત્ત્વના વિચાર વિષે જ તત્પર થયેલા વીતરાગી મુનિના ચિત્તને વિષે સ્થિરતાને પામે છે; તે સુખ નિશ્ચે રાગ-દ્વેષથી યુક્ત એવા ઇન્દ્ર કે ચક્રવર્તીને હોતું નથી એમ હું માનું છું. -— ભાવાર્થ આ સંસારમાં કેટલાક પ્રાણીઓ મોટી રાજઋદ્ધિ, સુખ-સૌભાગ્ય, સ્ત્રી-પુત્ર, પરિવાર વગેરેની પ્રાપ્તિવાળા ઇન્દ્ર અને ચક્રવર્તી વગેરેને જોઈને તેને પરમ સુખી માને છે અને તેવું સુખ પ્રાપ્ત કરવા મેળવવા પોતે ઇચ્છે છે, પરંતુ જ્ઞાની કહે છે કે હે બંધુઓ! એમાં તમારી ભૂલ થાય છે. જે સુખ આત્મનિષ્ઠ એવા મુનિમહારાજને પ્રાપ્ત થયેલ હોય છે, તેના અનંતમા ભાગનું સુખ પણ ઉપર કહેલા ઇન્દ્રચક્રવર્ત્યાદિકને હોતું નથી. કેટલીક વખત તો તેઓને પૂછવાથી પણ જણાય છે કે તેઓ ખરા સુખી નથી પણ દુઃખી છે. તેઓ કહે પણ છે કે ભાઈઓ! તમે ઉપરથી અમને બહુ સુખી માનો છો પરંતુ અમને જે ચિંતા છે, જે ઉપાધિ છે, જે દુ:ખો છે તે બધાં જો તમે જાણો-સમજો-અનુભવો તો તમે અમને સુખી કહો જ નહીં. અમને ઉપરનું અનેક પ્રકારનું સુખ છે, અમે ગાડી-ઘોડામાં બેસીને ફરીએ છીએ, અનેક સુંદરીઓની વચ્ચે ઘૂમીએ છીએ; પરંતુ અમને અત્યંતર સુખ - નિશ્ચિતપણું, શાંતિ અલ્પ પણ નથી. આવા કથનથી અને જ્ઞાનીઓના તથા પ્રકારના અનુભવથી ઉપર જણાવી છે તે હકીકત અક્ષરશઃ સત્ય છે. ખરું સુખ વીતરાગી અને આત્મનિષ્ઠ એવા મહાત્માઓને જ હોય છે તેમને જ હોઈ શકે છે. અન્યત્ર તેવા સુખના બિંદુનો પણ સંભવ નથી. Explanation All celestial and earthly pleasures are absolutely insignificant as compared to the happiness of a holy being engrossed in his own - - k - - Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ eclls-38 'self'. Neither Lord Indra, the king of gods, nor any of the great universal monarchs are able to obtain even a drop of the eternal ecstasy that overflows from the heart of an unattached ascetic. By virtue of an ascetic's non-attachment, ultimate bliss comes to rest in his heart. The joys of kinghood as well as godhood are, on the other hand, very transient since the attachment to their sources generates a subconscious fear of their loss. Page #123 -------------------------------------------------------------------------- ________________ છે જે આત્મવિચાર કરવા થોભતા નથી, તેને તે સ્વાથ્યસુખ મળતું નથી – લોક-૩૫ યથા યથા ફાર્યશતાવુઢ્યું. વૈ, कुत्रापि नो विश्रमतीह चित्तम् । તથા તથા તેમ ૩રાપં, हृदि स्थितं सारविचारहीनैः ।। ઘણાં બધાં કાર્ય તણા વિચારે, જંપે જરી ના નિજ ચિત્ત જ્યારે; વિચારશુદ્ધિ નવ હોય ત્યારે, તત્ત્વોપલબ્ધિ નહિ શક્ય ત્યારે. Distracted and drawn in hundred directions, Restlessly involved in hundreds of actions, Driven by passions and devoid of peace, A man with a mind which is never at ease, Loses the wisdom he may have once had To discern the good from that which is bad. To a thoughtless being, ever unstable, The truth in his heart turns unattainable. Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૩૫ ૧૧૩ અર્થ આ સંસારમાં નિશ્ચે જેમ જેમ સેંકડો કાર્યો વડે વ્યાકુળ થયેલું આ ચિત્ત કોઈ પણ ઠેકાણે વિશ્રામઁને પામતું નથી, તેમ તેમ સાર તત્ત્વના વિચારરહિત પ્રાણીઓને હૃદયમાં રહેલા એવા પણ આ આત્મતત્ત્વની પ્રાપ્તિ દુર્લભ થાય છે. - આ પ્રાણીને આ સંસારમાં કર્તવ્ય તરીકે અનેક ભાવાર્થ કાર્યો ઉપસ્થિત થાય છે, પરંતુ તે સર્વ કરી શકાતાં નથી; ચિત્ત એક તેથી આ પરંતુ એવી રીતે અનેક કાર્યમાં વ્યગ્ન રહેવાથી તેનું પણ કાર્યમાં બરાબર એકાગ્ર થઈ શકતું નથી. કાવ્યમાં એવી શિક્ષા આપવામાં આવે છે કે હે ભવ્ય પ્રાણી! જો તારે કોઈ પણ કાર્ય બરાબર કરવું હોય તો પ્રથમ સારાસાર કાર્યનો વિચાર કર અને પછી તેમાં જે કાર્ય સારભૂત જણાય તે કાર્ય કરવાનો પ્રયત્ન કર, કેમ કે માત્ર એકાદ કાર્ય જ જો કર્તવ્યપણે નક્કી થશે અને તેમાં જ પૂરતો પ્રયત્ન ક૨વામાં આવશે તો તે કાર્ય બરાબર થશે અને ચિત્તને પણ વિશ્રાંતિ મળશે. જેઓ તમામ કાર્યમાં મચ્યા રહે છે તેઓ એક પણ કાર્ય યથાસ્થિત કરી શકતા નથી તેમજ તેમને સારાસારની વહેંચણી કરતાં આવડતી નથી એમ સિદ્ધ થાય છે. ખરા તત્ત્વની પ્રાપ્તિ પણ તેમને થઈ શકતી નથી, કેમ કે જેની તત્ત્વો જાણવાની કે મેળવવાની ઇચ્છા હોય છે, તે પ્રથમ તત્ત્વાતત્ત્વની ગવેષણા કરે છે અને અતત્ત્વને તજી દઈ તત્ત્વ મેળવવાનો જ પ્રયત્ન કરે છે. આ પ્રમાણે થવાથી ખરા સારભૂત કાર્યને તે યથાર્થ કરી શકે છે અને તેમાં તેનું ચિત્ત વિશ્રાંતિ પામે છે. આત્મહિત પણ ત્યારે જ થઈ શકે છે. આ જગતમાં ઘણા ઉદ્યોગપરાયણ મનુષ્યો અનેક કાર્યમાં માથું મારતાં દૃષ્ટિગોચર થાય છે, પરંતુ તેઓ એક પણ કાર્ય પૂર્ણ કરી શકતા નથી. જેઓ ઉપસ્થિત થતાં સર્વ કાર્યમાંથી ખરી જરૂરનાં અગત્યનાં વિશેષ લાભકારી સ્વ-પરહિતકારી - = - - - Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ હૃદયપ્રદીપ આત્માને શાંતિ આપનારા કાર્યને શોધી તેમાં જ પોતાની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરે છે, તેઓ જ ખરી વિશ્રાંતિ અને આત્મહિત મેળવે છે અને તેઓ જ કાર્ય પરીક્ષામાં પણ પ્રવીણ ગણાય છે. Explanation - This verse cautions a self-seeker against intense involvement with worldly activities and the resultant spiritual thoughtlessness. Various worldly affairs pull a man in many different directions. Constant distraction leads to restlessness and he loses control over his passions. Once self-control is lost, both wisdom and peace-of mind leave him. He forgets the true nature of his own 'self' and is exposed to eternal wandering in a mundane existence. Page #126 -------------------------------------------------------------------------- ________________ હવે ગ્રંથકાર પોતાને તે પ્રશમસુખની પ્રાપ્તિ થયેલી જાણીને ચિત્તસમાધિ દ્વારા મોક્ષપ્રાપ્તિનો ઉપદેશ કરતાં આ હૃદયપ્રદીપ કાવ્યનો ઉપસંહાર કરે છે – લોક-36 शमसुखरसलेशाद् द्वेष्यतां संप्रयाता, विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः ।। परमसुखमिदं यद् भुज्यतेऽन्तःसमाधौ , मनसि सति तदा ते शिष्यते किं वदान्यत् ।। પ્રશમ સુખ તણો જો મેળવ્યો સ્વાદ સારો, વિવિધ વિષય કેરો સંગ લાગે અકાશે; પરમ સુખ સમાધિ હોય જો આમ જામી, તવ હૃદય મહીં તો, શી રહે બોલ ખામી? On tasting the pleasures of pacification, Of sensual cravings and intense passion, Even in its most microscopic part, Utter distaste for them fills the heart. When you experience the ultimate bliss Of 'self-absorption' and eternal peace, O being! Do tell me, what does remain That you may desire to try and obtain? Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ હૃદયપ્રદીપ અર્થ – પ્રશમ વડે ઉત્પન્ન થયેલા સુખરસના લેશથી વિવિધ પ્રકારના વિષયભોગ સંબંધી તારી વિશેષ પ્રકારની અત્યંત વાંછાઓ જો અરુચિપણાને પામેલી છે (તો તે બહુ ઠીક થયું છે). હવે જો અંત:સમાધિને વિષે મન રહ્યું છતે આત્મતત્ત્વનું સુખ તારા વડે ભોગવાતું હોય તો તો તારે બીજું શું બાકી રહ્યું છે તે તું કહે. ભાવાર્થ – આ જગતમાં આત્મહિત ઈચ્છક મનુષ્યને પ્રાપ્ત કરવાની વસ્તુ બે જ છે - ઉપશમસુખ અને અંતઃકરણની સમાધિ. એ બેની અંદર કાર્ય-કારણભાવ પણ રહેલો છે, કારણ કે ઉપશમસુખથી અંતઃકરણની સમાધિ પ્રાપ્ત થાય છે. આ આખા કાવ્યમાં જે હિતશિક્ષા આપી છે, તે આ બે વસ્તુની પ્રાપ્તિ માટે જ આપવામાં આવી છે. હૃદયની અંદર રહેલ અજ્ઞાનાંધકારને દૂર કરી તેમાં જ્ઞાનપ્રદીપ પ્રગટ કરવાનો જ આ કાવ્યકારનો પ્રયત્ન છે અને તેથી જ આ કાવ્યનું નામ હૃદયપ્રદીપ' રાખેલું છે; અને તેની અંદર ૩૬ કાવ્ય હોવાથી તેને “પત્રિશિકા' શબ્દ જોડવામાં આવ્યો છે. જે પ્રાણીને ઉપશમસુખનો લેશ પણ પ્રાપ્ત થાય છે તેને પછી સાંસારિક વિષયજન્ય સુખ ઉપર અભાવ-અપ્રીતિ-અરુચિ ઉત્પન્ન થાય છે અને તેને વિશેષ વિશેષ મેળવવાની વાંચ્છા તો સર્વથા નાશ જ પામી જાય છે. આ પ્રમાણે થવાથી તેને અંતઃકરણની સમાધિની ક્રમે ક્રમે પ્રાપ્તિ થતી જાય છે. આ જગતમાં મનુષ્યપણું પામીને ખરું શીખવાનું એ જ છે. જે પ્રાણી એટલું શીખ્યો અને તેનું અનુકરણ કર્યું - તદ્યોગ્ય પ્રયત્ન કર્યો તે પ્રાણી અવશ્ય આત્મહિત કે જે પરમ કષ્ટ સાધ્ય થઈ શકે તેવું છે તેને સાધે છે અને આઘશ્લોકમાં કહ્યા પ્રમાણે તેના હૃદયમાં ખરેખરો વિવેક પ્રગટે છે, જે વિવેક તેને અનુક્રમે પરમાનંદ સુખ પ્રાપ્ત કરી આપવાના જામીનરૂપ છે. આ કાવ્ય પણ જો Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૩૬ ૧૧૭ અક્ષરશઃ વાંચવામાં આવે - તેનો અર્થ વિચારવામાં આવે અને મનન કરવામાં આવે તો પરમાનંદ પ્રાપ્ત કરી આપે તેમ છે. ખરેખરો હૃદયમાં પ્રદીપ પ્રગટ્યો ત્યારે જ કહેવાય કે તેમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. આ કાવ્યકારનો સર્વ પ્રયત્ન તેને માટે જ છે અને અમે પણ તેના અર્થનું વિવેચન કરવાનો જે પ્રયત્ન સેવ્યો છે તે તે હેતુ માટે જ સેવેલો છે. જે ભવ્ય જીવો તેનો યોગ્ય ઉપયોગ કરશે તે આત્મહિત પ્રાપ્ત કરશે અને અમારો પ્રયત્ન પણ સફળ થશે. તથાસ્તુ. Explanation This concluding verse clearly proclaims the superiority of inner joy and peace over all worldly pleasures and possessions. = True and everlasting ecstasy can be experienced only when one is completely absorbed in the ‘self'. The greatest pitfalls on the path of ‘self-absorption' are : (1) sensual cravings and (2) intense passions. Once an aspirer learns to pacify them, he begins to experience endless bliss and peace. Thus, attainment of the ‘self-absorbed' state is the ultimate aim of life. Once this goal is reached, everything else becomes quite insignificant. Page #129 -------------------------------------------------------------------------- ________________ हृदयप्रदीप (वसन्ततिलका) शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद् भवान्तरगतान्यपि चेष्टितानि, प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः ॥१।। (इन्द्रवज्रा) जानन्ति केचिन्न तु कर्तुमीशाः, कर्तुं क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तुं, --ते. केऽपि लोके विरला भवन्ति ।।२।। (रथोद्धता) सम्यग्विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग्गुरुर्यस्य च तत्त्ववेत्ता । सदाऽनुभूत्या दृढनिश्चयो य. स्तस्यैव सिद्धिर्न हि चापरस्य ।।३।। विग्रहं कृमिनिकायसंकुलं, दुःखदं हृदि विवेचयन्ति ये । गुप्तिबद्धमिव चेतनं हि ते, मोचयन्ति तनुयन्त्रयन्त्रितम् ॥४।। (इन्द्रवज्रा) भोगार्थमेतद् भविनां शरीरम् , ज्ञानार्थमेतत् किल योगिनां वै । जाता विषं चेद्विषया हि सम्यग् , ज्ञानात्ततः किं कुणपस्य पुष्ट्या ।।५।। Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ हृदयप्रदीप (उपजाति) त्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्रपूर्णेऽनुरागः कुणपे कथं ते । । दृष्टा च वक्ता च विवेकरूप- . स्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम् ॥६।। धनं न केषां निधनं गतं वै, दरिद्रिणः के धनिनो न द्रष्टाः । दुःखैकहेत्वत्र धनेऽतितृष्णां, त्यक्त्वा सुखी स्यादिति मे विचारः ।।७।। (इन्द्रवज्रा) संसारदुःखान्न परोऽस्ति रोगः, सम्यग्विचारात् परमौषधं न । तद्रोगदुःखस्य विनाशनाय, सच्छास्त्रतोऽयं क्रियते विचारः ।।८।। अनित्यताया यदि चेत् प्रतीतिस्तत्त्वस्य निष्ठा च . गुरुप्रसादात् । सुखी हि सर्वत्र जने वने च, नो चेद्वने चाथ जनेषु दुःखी ।।९।। (उपजाति) मोहान्धकारे भ्रमतीह तावत्, संसारदुःखैश्च कदर्थ्यमानः । यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ॥१०।। अर्थो ह्यनर्थो बहुधा मतोऽयं, स्त्रीणां चरित्राणि शवोपमानि । विषेण तुल्या विषयाश्च तेषां , येषां हृदि स्वात्मलयानुभूतिः ॥११।। "त) Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ હૃદયપ્રદીપ कार्यं च किं ते परदोषदृष्ट्या , कार्यं च किं ते परचिन्तया च । वृथा कथं खिद्यसि बालबुद्धे, कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ||१२|| यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य · तथाऽस्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावत्, मूर्योऽपि कुर्यात् खलु तन्न कर्म ||१३|| यदर्जितं वै वयसाऽखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । क्षणेन सर्वं प्रदहत्यहो तत्, कामो बली प्राप्य छलं यतीनाम् ॥१४।। बलादसौ. मोहरिपुर्जनानां , ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं हि जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति मोहः ॥१५।। सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति१:खस्य नाशाय सुखस्य हेतोः । तथापि दु:खं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ॥१६।। यत् कृत्रिमं वैषयिकादिसौख्यं, भ्रमन् भवे को न लभेत मर्त्यः । सर्वेषु तच्चाधममध्यमेषु , यदृश्यते तत्र किमद्भुतं च ॥१७।। क्षुधातृषाकामविकाररोषहेतुश्च तद्रेषजवद्वदन्ति । Page #132 -------------------------------------------------------------------------- ________________ हृदयप्रदीप ૧૨૧ तदस्वतन्त्रं क्षणिक प्रयासकृत्, यतीश्वरा दूरतरं त्यजन्ति ||१८|| (उपेन्द्रवज्रा) गृहीतलिङ्गस्य च चेद्धनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी । गृहीतलिङ्गो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं हि ॥१९।। (उपजाति) ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः । . ते दाम्भिका वेषधराश्च धूर्ता, मनांसि लोकस्य तु रञ्जयन्ति ॥२०|| मुग्धश्च लोकोऽपि हि यत्र मार्गे, निवेशितस्तत्र रतिं करोति --- धूर्तस्य वाक्यैः परिमोहितानां, केषां न चित्तं भ्रमतीह लोके ||२१|| (इन्द्रवज्रा) ये निःस्पृहास्त्यक्तसमस्तरागास्तत्त्वैकनिष्ठा गलिताभिमानाः । संतोषपोषैकविलिनवाञ्छास्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ॥२२।। (उपजाति) तावद्विवादी जनरअकञ्च , यावन्न चैवात्मरसे सुखज्ञः । चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति ॥२३॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ હૃદયપ્રદીપ षण्णां विरोधोऽपि च दर्शनानां, तथैव तेषां शतशश्च भेदाः । नानापथे . सर्वजनः प्रवृत्तः, को लोकमाराधयितुं समर्थः ॥२४।। तदेव राज्यं हि धनं तदेव, तपस्तदेवेह कला • च सैव । स्वस्थे भवेच्छीतलताऽऽशये चेत्, नो चेद् वृथा सर्वमिदं हि मन्ये ॥२५।। (इन्द्रवज्रा) रुष्टैर्जनैः किं यदि चित्तशान्तिस्तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान्, स्वस्थः सदोदासपरो हि योगी ॥२६।। (मन्दाक्रान्ता) एकः पापात् पतति नरके याति पुण्यात् स्वरेकः, पुण्यापुण्यप्रचयविगमात् मोक्षमेकः प्रयाति । सङ्गान्नूनं न भवति सुखं न . द्वितीयेन कार्य, तस्मादेको विचरति, सदाऽऽनन्दसौख्येन पूर्णः ॥२७।। __(उपजाति) त्रैलोक्यमेतद् बहुभिर्जितं यै... मनोजये तेऽपि 'यतो न शक्ताः । मनोजयस्यात्र पुरो हि तस्मात्, तृणं त्रिलोकीविजयं वदन्ति ॥२८|| मनोलयान्नास्ति परो हि योगो, ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च । | Page #134 -------------------------------------------------------------------------- ________________ हृदयप्रदीप समाधिसौख्यान्न परं च 'संसारसारं सौख्यं, त्रयमेतदेव ||२९|| याः सिद्धयोऽष्टावपि दुर्लभा ये, रसायनं चाअनधातुवादाः I ध्यानानि मन्त्राश्च समाधियोगा श्चित्ते प्रसन्ने विषवद् भवन्ति ॥३०॥ (इन्द्रवज्रा ) विदन्ति तत्त्वं न यथास्थितं वै, संकल्पचिन्ताविषयाकुला ये 1 ૧૨૩ संसारदुःखैश्च कदर्थितानां, स्वप्नेऽपि तेषां न समाधिसौख्यम् ||३१|| (वसन्ततिलका) श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय | संजीवनीति वरमौषधमेकमेव, व्यर्थ श्रमप्रजननो न तु मूलभारः ||३२|| (उपजाति) विषयादिभोगे, तावत्सुखेच्छा यावन्मनःस्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा ।।३३।। 9 न देवराजस्य न चक्रवर्तिनरागयुतस्य मन्ये । मुनेः सदाऽऽत्म स्तद्वै सुखं यद्वीतरागस्य निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ||३४|| Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ હ્રદયપ્રદીપ यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो नो विश्रमतीह चित्तम् । तत्त्वमिदं दुरापं, स्थितं सारविचारहीनैः ||३५|| तथा तथा हृदि (मालिनी) शमसुखरसलेशाद् द्वेष्यतां संप्रयाता, विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः परमसुखमिदं यद् भुज्यतेऽन्तः समाधौ, मनसि सति तदा ते शिष्यते किं वदान्यत् ॥३६॥ *** Page #136 -------------------------------------------------------------------------- ________________ હ્રદયપ્રદીપ (મુનિશ્રી ભુવનચંદ્રજી) શબ્દાદિ પાંચ વિષયો થકી સાવ નોખું, ચૈતન્ય તત્ત્વ ઝળકે હૃદયસ્થ ચોખ્ખું; ને જે પ્રકાશિત કરે ગત જન્મ ચેષ્ટા, તે તત્ત્વના અનુભવે ધરજો સુનિષ્ઠા. ૧ જાણે ખરા કો'ક, ન કાર્યકારી, કો' શક્તિ ધારે, નવ જાણકારી; જ્ઞાને તથા આચરણેય પૂરા, એવા જડે માનવ કો'ક શૂરા. ૨ સાચી વિરક્તિહૃદયે ધરે ને તત્ત્વવેત્તા ગુરુને ભજે સ્વાનુભવે નિશ્ચય જે કરે એને જ સિદ્ધિ નિયમા વરે છે. ૩ દેહ તો કૃમિ સમૂહથી ભર્યો, દુઃખરૂપ સમજે વિવેકીઓ; દેહની નિબિડ કેદમાં પડીચેતના, કર વિમુક્તિ તેહની. ૪ છે, છે; છે. ! સંસારીનું આ તન ભોગ કાજે, ત્યાગી જનોનું તન જ્ઞાન કાજે; જે ભોગને કેવળ રોગ જાણે, તે કેમ ચાહે જડ ખોળિયાને? ૫ ત્વચા તથા હાડ થકી બનેલા, લોહી તથા માંસ વડે ભરેલા; Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ હૃદયપ્રદીપ આ દેહમાં મુગ્ધ બને તું શાથી? તું માત્ર દ્રષ્ટા, અળગો બધાથી. ૬ શ્રીમંત શું ના કદી રંક થાતા? દરિદ્ર શું ના ધનવંત થાતા? તૃષ્ણા ખરું કારણ દુઃખ કેરું, તેને તજો સૌખ્ય મળે અનેરું. ૭ રોગો બધામાં ભવ રોગ મોટો, વિચાર છે ઔષધ, ન્હોય જોટો; તે રોગની શાંતિ, સમાપ્તિ માટે, વિચારવું આજ સુશાસ્ત્ર વાટે. ૮ અનિત્યતાનું યદિ હોય ભાન, -ગુરુ પ્રસાદે વળી તત્ત્વજ્ઞાન; સર્વત્ર તેને મળશે જ શાંતિ, ઘરે, ગુફામાં - નહિ તો અશાંતિ. ૯ મોહાંધકારે ભમતો રહે છે, સંસાર દુઃખે રડતો રહે છે; વિવેકભાનુ યદિ ના ઊગે છે, સ્વરૂપ સાચું નવ સાંપડે છે. ૧૦ સંપત્તિને આપદરૂપ જાણે, શરીરને એ શબરૂપ માને; ભોગો જણાતા ભયરૂપ તેને, આત્માનુભૂતિ થઈ હોય જેને. ૧૧ દોષો પરાયા નીરખે તું શાને? ચિતા પરાઈ કરતો તું શાને? ભોળો ન થા, ખેદ વૃથા તજી દે, છોડી બધું શ્રેય સ્વનું કરી લે. ૧૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૭ હૃદયપ્રદીપ જે કાર્યમાંહી સુખ અલ્પ થાતું, ને ભાવિ કાળે બહુ દુઃખ થાતું; સંતાપ ને સંભવ મૃત્યુનો જ્યાં, મૂર્ખાય એ કાર્ય કદી કરે ના. ૧૩ . મહા પ્રયત્ન ગુણ મેળવેલા, જ્ઞાનાદિથી જીવન કેળવેલાં; જો ચિત્તમાં કામ કદી ભળે છે, તો સગુણો સૌ ક્ષણમાં મળે છે. ૧૪ આ મોહ શત્રુ જનને સતાવે, વિવેક ને ભાન બધું ભુલાવે; છે દુઃખનું કારણ આ જ મોહ, તત્ત્વાવબોધે બનશો અમોહ. ૧૫ દુઃખો નિવારી સુખ પામવાનો, હંમેશનો ઉદ્યમ છે બધાનો; દુઃખો ન તોયે ટળતાં જરીએ, સુખોય ના સ્થિર રહે કદીએ. ૧૬ પરિગ્રહો ને વિષયો થકી જે, કૃત્રિમ ને સ્વલ્પ સુખો મળે છે; તે તો મળે છે જગમાં બધાને, તેમાં અરે! તું હરખાય શાને? ૧૭ સુધા, તૃષા, કામવિકાર, ક્રોધ, એનો થતો ભોગ થકી નિરોધ; હા, કિંતુ એ તો ક્ષણમાત્ર ચાલે, એ પાતંત્ર્ય મુનિઓ ન મહાલે. ૧૮ ત્યાગી છતાં છે ધનની જ આશા, ત્યાગી છતાં હો વિષયાભિલાષા; Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ હદયપ્રદીપ ત્યાગી છતાં સ્વાદ ત્યજી શકે ના, એથી વધુ અન્ય વિડંબના ક્યાં? ૧૯ છે અંતરે ભોગ તણા જ રાગી, બહારથી વેષ ધરે વિરાગી; એ દાંભિકો ઢોંગ ઘણા રચે છે, સૌનું મનોરંજન એ કરે છે. ૨૦ ભોળા જનો તો ઝટ ભોળવાતા, જ્યાં દોરી જાઓ, ઝટ દોરવાતા; ધૂર્તો તણી જાળમહીં ફસાઈ, શાણાય જાતાં નહિ શું મૂંઝાઈ? ૨૧ જે નિઃસ્પૃહી ને વળી તત્ત્વલીન, વૈરાગ્યરંગી વળી ગર્વહીન; સંતોષથી તૃપ્ત સ્વયં રહે છે, તે લોકનું રંજન ના કરે છે. ૨૨ રાખે અપેક્ષા બહુ લોક કેરી, હોંશે વગાડે મતવાદભેરી; એણે ન ચાખ્યો રસ આત્મભાવે, ચાખી શકે તે બસ, મૌન થાવ. ૨૩ ષડૂ દર્શનો આપસમાં ભળે ના, ને સેંકડો ભેદ-પ્રભેદ તેના; સદા રહે લોકરુચિ વિભિન, શી રીતે થાયે સહુયે પ્રસન્ન? ૨૪ એ રાજઋદ્ધિ વળી એ સમૃદ્ધિ, એ સાધના, એ બળ, એ જ બુદ્ધિજો ચિત્તમાં શીતળતા રહે છે, ને અન્યથા સર્વ વૃથા ઠરે છે. ૨૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૯ હદયપ્રદીપ જો ચિત્ત શાંતિ, અપમાનથી શું? જો છે અશાંતિ, બહુમાનથી શું? ના રીઝવે, ના વળી ખીજવે છે, યોગી સદા સ્વસ્થપણે રહે છે. ર૬ પુણ્ય સ્વર્ગે, નરક ગતિમાં પાપથી એકલો જઆત્મા જાતો, ઉભય ટળતાં મોક્ષમાં એકલો જ; બીજા સંગે સુખ નવ કદી, અન્યનું કામ ના કેં, તેથી જ્ઞાની સહજ વિચરે મોજથી એકલો થૈ. ૨૭ સમર્થ જે હો જગ જીતવાને, અશક્ત છે તે મન જીતવાને; સાચો વિજેતા મનનો વિજેતા, નીચા ઠરે ત્યાં જગના વિજેતા. ૨૮ યોગો મહીં શ્રેષ્ઠ મનનિરોધ, - જ્ઞાન મહીં ઉત્તમ તત્ત્વબોધ;--- સંતોષ જેવું સુખ હોય અન્ય, સંસારમાં સાર ત્રણે અનન્ય. ૨૯ ગણાય જે દુર્લભ અષ્ટ સિદ્ધિ, રસાયનો, અંજન, સ્વર્ણ સિદ્ધિ; સમાધિઓ, મંત્ર, અનેક ધ્યાનઅશાંત ચિત્તે વિશ્વની સમાન. ૩૦ સંકલ્પ-ચિંતા-વિષયો મહીં જે, ડૂળ્યા રહે તત્ત્વ ન જાણશે તે; સંસાર કષ્ટ બહુ તે રિબાતા, સ્વપ્નય પામે ન સમાધિ શાતા. ૩૧ પર્યાપ્ત છે પથપ્રદર્શક એક શ્લોક, ગ્રંથો અસંખ્ય જનરંજન હેતુ ફોક; Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ હૃદયપ્રદીપ સંજીવની યદિ મળે સવિ રોગહારી, લાગે તદા વિવિધ ઓસડ ભારકારી. ૩૨ જેણે ન માયું સુખ આંતરિક, તેને ગમે છે સુખ પૌગલિક; માણે મજા ચિત્ત પ્રસન્નતાની, તેને સ્પૃહા ના રહેતી કશાની. ૩૩ છે આત્મલક્ષી વળી રાગમુક્ત, સદા રહે નિર્મળ બોધિ યુક્ત; માણે મુનિ જે સુખ આત્મધામે, તે ઈન્દ્ર-રાજેન્દ્ર કદી ન પામે. ૩૪ ઘણાં બધાં કાર્ય તણા વિચારે, ‘જંપે જરી ના નિજ ચિત્ત જ્યારે; વિચારશુદ્ધિ નવ હોય ત્યારે, તત્ત્વોપલબ્ધિ નહિ શક્ય ત્યારે. ૩૫ પ્રશમ સુખ તણો જો મેળવ્યો સ્વાદ સારો, વિવિધ વિષય કેરો સંગ લાગે અકારો; પરમ સુખ સમાધિ હોય જો આમ જામી, તવ હૃદય મહીં તો, શી રહે બોલ ખામી? ૩૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ HRIDAYPRADEEP (Ms. Nileshwari Kothari) Endeavour, endeavour, endeavour, O man!" To seek sincerely and thereby obtain, That 'self-experience' which unfolds in a heart The wisdom to set sound and all senses apart, As non-living objects, distinct from knowledge, (Like a chariotear from his carriage) That wisdom, which reveals to the eyes of the soul The deeds of earlier births and all. A few among men do have the privilege To possess the right spiritual knowledge, Yet they happen to remain for ever Incapable to act in a righteous manner; And few others, who are capable of action Are deprived of the right knowledge and vision; Rarest of rare are indeed those who Are right in their knowledge and conduct too. 2 He, and he all alone, whose mind Has truly cast all attachments behind, Who has for a guide a verily true guru, (A knower of that which is really true), Whose iron resolve rests on experience Of that which is truly his own essence, Yes, he alone ultimately attains Realization' and freedom from mundane existence. 3 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ હૃદયપ્રદીપ The soul is once and for all set free From its physical frame - the body, Alike a captive from a prison-hole, By him who knows in his heart and soul That the body is only a gathering of worms, (Speaking of it, in absolute terms) It causes one, over and over again Nothing but untold suffering and pain. The physical body is to worldly beings, A means of quenching sensual cravings, But unto the seekers of spiritual union, It is a tool of knowledge acquisition. What purpose is served by nourishing the body, When once right knowledge indicates clearly That objects of sense are in fact poison, Which subject the soul to deadly delusion? 5 Composed of fat, flesh, bones and the skin, And with waste matter, filled from within, This body is a contemptible possession, How can it be an object of affection? When you are yourself 'the power-in-person', The power of preaching and of true perception. Why then, O soul! This infatuation, When you are the discerning 'wisdom-in-action'? 6 Don't wealthy beings too one day witness, Destruction of all they were proud to possess? Page #144 -------------------------------------------------------------------------- ________________ HRIDAYPRADEEP Aren't the poorest of poor seen to rise, To wealth that well-nigh touches the skies? Not wealth, but the thirst for wealth is really The cause of all the human misery. Shun this thirst, this excessive greed, And find yourself, from all miseries freed. ૧૩૩ To be subjected to mundane existence, Is greatest of all grave worldly afflictions, There is no better, no surer cure Than 'right reflection': 'truthful' and 'pure'. Hence, for the purpose of complete destruction Of all the agony of this affliction, I here do suggest the right remedy, As spelt by the scriptures, true and holy. One who upholds in his conviction, The transient nature of all creation, And has with his guru's gracious blessings Firm faith in the intrinsic 'truth' of all things. Wherever he lives, he lives happily, In the midst of men or in woodlands lonely, But he who holds no faith or conviction Is followed everywhere by inner agitation. Lost in the darkness of self-delusion, Tortured by ignorance and infatuation, Seeking an escape from worldly agony, Man wanders, and wanders all over; aimlessly, Until the sun of discerning vision Rises and shines on his inner horizon 7 8 9 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ હૃદયપ્રદીપ And until he sees in its glorious brilliance His own true nature, his spiritual essence. That wealth is an evil to a holy soul, Which is to many, an essential life-goal; A woman's gestures of love and loyalty Are like those of a corpse lifeless and filthy; All worldly objects of sense satiation Are just as venomous as deadly poison, To him who has had the divine experience Of dissolving himself in his soul-substance. What is the need to focus attention On others wrongs, without any reason? How can others be your responsibility? How can their deeds cause you anxiety? What anyone else does is none of your business, Why this disgust then, why this distress? O childlike being! Shun everything else And fulfil your duty to your own 'self'. What good is that deed, that activity Which generates only a grain of gaiety, And causes a bond unbreakable and endless, Instead, with worldly unhappiness, And subjects a being to agony of mind To go through a gruelling and gradual grind; Tell me, which fool, which mindless being, Spends all his life in such a doing. - Such finer fruits which ascetics desire And after an entire lifetime acquire; - 10 11 12 13 Page #146 -------------------------------------------------------------------------- ________________ HRIDAYPRADEEP 934 'Self-meditation', as also 'penance', 'Knowledge and attainment of 'real essence' Are all burnt to ashes instantaneously, Collectively, completely and very cunningly, By ‘Kama', the God of sensual longing, Oft cleverly disguised as a beautiful earthling. 14 Delusion - man's most mighty enemy, With all of its force and all its fury, Destroys his knowledge, all his inner light', His power to seperate the 'wrong' from the 'right'. Having been overcome by such a delusion, The world turns blind to self-destruction, But one's delusion disappears suddenly On knowledge of the essential reality. Always, everywhere, all activity, And all endeavour of humanity, Is for destruction of worldly distress, And for the purpose of gaining happiness. Yet, it is seen that there is no end, To unhappiness found around every bend, No one, anywhere, is ever able To obtain happiness lasting and stable. 16 Going through cycles of mundane existence, Which mortal does never come to experience Sensual, worldly pleasures - unreal, Unlasting, unnatural and incidental. All beings - whatever their spiritual stature, The lowest of lowly and the mediocre, 15 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ હૃદયપ્રદીપ Are seen to be enjoying worldly happiness, What wonder is it then, if you too possess? 17 Root causes for instincts of hunger and thirst, And passions like anger and instinct for lust, Such worldly objects that always do allure, And fan inner fires, are deemed as a cure By beings blindfolded and bound by ignorance; But supreme sages shun them from a distance, Knowing that they are contingent, transient, And are on human endeavour dependant. 18 A hermit who holds in his heart hidingly A hope for riches, which are worldly, unholy, .. A man in the mask of a mendicant who Desires sensual pleasures all through, One who possesses all symbols of sainthood, But favours the flavours of forbidden food Is indeed the picture of great irony, His monkhood is world's most mindless mockery. 19 He who ceaselessly and subconsciously, Longs for all kinds of sensual revelry, And outwardly unties all worldly strings And yet to innermost craving who clings. He, who is in fact 'hypocrisy-in-person', A cheat in the garb of holy human, Is in essence just a world-entertainer, And neither a 'seeker' of self nor 'attainer'. 20 Page #148 -------------------------------------------------------------------------- ________________ HRIDAYPRADEEP ૧૩૭ Simple beings, enchanted, misguided, Become mentally, thoroughly lop-sided, And follow with greatest delight and devotion, The so-called pathway to 'realization'; For, who falls not prey to fatal attraction Of a sorcerer's most splendid oration? And once thus deluded, who is capable, To remain inwardly unshaken and stable? True holy beings, devoid of desire, Having discarded the 'attachment quagmire' To 'truth' are devoted wholly and solely, Have dissolved all pride and pomposity, Whose all in one wish is only nourishment Of the sacred spirit of 'self-contentment'; Such beings seek genuine joy of the 'self' Instead of pleasing one and all else. 21 All the six systems of philosophy Are found to be mutually contradictory, There are a hundred sub-streams to each one, Each flowing in quite a different direction; 22 One is involved in debate and discussion, And pleasing people is his prime concern, Until he discovers the spiritual bliss, That is absolutely and naturally his; For, who in this world, on discovering The jewel that is 'all-wish-fulfilling', Goes on around the entire universe Foolishly proclaiming his fortune to others? 23 Page #149 -------------------------------------------------------------------------- ________________ 24 25 ૧૩૮ હૃદયપ્રદીપ Folks are thus seen to be following always, Several religious and righteous ways, When such chaos is widely prevalent, How can one win universal assent? His kingdom is kingdom in reality, His wealth is a symbol of true prosperity, His penance as penance is valid and true His arts and his skills are successful too Whose mind is at peace on their possession And perpetual calm crowns his intention Without this peace, this tranquillity, What holds any value or validity? What difference it makes if the world is unkind To him, who has peace for ever in his mind? Can pleasure and praise of all kith and kin Please him, who is always burning from within? Yogis, the seekers of the ultimate union, Serene and aloof of the world's opinion, Nurture for none, any worldly affection, And neither do hurtle harm on anyone. One goes to hell or to heaven alone, Depending on sinful or sacred seeds sown, And having dissolved all deposits of deeds To realm of freedom, all alone he proceeds, No joy can be found in worldly togetherness, No being can grant the other happiness; A holy being who understands this, Celebrates in solitude his eternal bliss. 26 Page #150 -------------------------------------------------------------------------- ________________ HRIDAYPRADEEP ૧૩૯ Many a men, courageous and mighty, Who gained over all the three worlds a victory, Proved ultimately, absolutely unable To conquer their own minds - feeble, unstable; Thus conquest of the earth, heaven and hell, When compared to victory over one's 'self', Is petty and inconsequential, alas! Like the conquest of a blade of grass. 28 No 'meditation' is ever, more refined Than complete 'immersion and merger' of mind; No 'knowledge' can ever be deemed superior To constant reflection on "truth' and its nature. No worldly joy can stand comparison To joy that is obtained on 'self-absorption'; These three are the sap, the sublime essence, Of all material and mundane existence. The 29 All eight enormous spiritual powers, Rarely attainable in this universe, Medicine enhancing life-longevity, Magical ointments and metallurgy, ... All contemplation and all incantations, Self-absorption and meditative exertions, Seem like poison, undersirable and deadly, Once one's mind is filled with ecstasy. 30 Ignorant of the true, inherent essence Of all substances found in existence, Driven by anxiety and by wrong notions, By sensual cravings and agitations, Page #151 -------------------------------------------------------------------------- ________________ 31 980 હૃદયપ્રદીપ Unhappy, unhopeful and helpless humans Suffering miseries of mundane existence, Cannot in even their dreams, envision The ultimate bliss of self-absorption. A singular verse, which on recitation, Illumines the path of 'self-realization', Is better than billions of so-called scriptures, Read for the pleasure of ignorant creatures. The acquistion of the Sanjivani', Which restores in beings their life energy, Is better than accumulation of roots, Which yield frustration and fatigue as fruits. 32 One has desire to obtain happiness By pandering his senses, only unless He is unaware of the eternal ecstasy, Derived from mental tranquillity. But once he acquires even a bit Of joy that flows from a stable spirit, He neither has lust nor even the longing To rule all the three worlds for ever as a king. 33 Neither the king of gods does possess, Nor the universal monarch does have an access To joy that is lasting, limitless and true; Both have attachments, which agonise anew. True joy, for ever, dwells in the mind Of one whom no worldly attachments can bind, Page #152 -------------------------------------------------------------------------- ________________ HRIDAYPRADEEP ૧૪૧ And of a saint who is devoted to : His ‘soul', which is beautiful, blissful and true'. 34 Distracted and drawn in hundred directions, Restlessly involved in hundreds of actions, Driven by passions and devoid of peace, A man with a mind which is never at ease, Loses the wisdom he may have once had To discern the good from that which is bad. To a thoughtless being, ever unstable, The truth' in his heart turns unattainable. 35 On tasting the pleasures of pacification, Of sensual cravings and intense passion, Even in its most microscopic part, Utter distaste for them fills the heart. When you experience the ultimate bliss Of 'self-absorption' and eternal peace, O being! Do tell me, what does remain That you may desire to try and obtain? 36 Page #153 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ Page #154 -------------------------------------------------------------------------- _