________________
૬૦
- હૃદયપ્રદીપ કડવાશ ભરેલી હોય છે તે તારા ધ્યાનમાં આવતી નથી. અને ત્રીજું, આ ભવમાં જે પાપી, દુરાચારી, અપ્રામાણિક, નવા નવા પાપારંભની શરૂઆત કરનારો હોય છે તેને તેનાં અત્યંત કડવાં ફળ તો આગામી ભવે નરક-તિર્યંચાદિ દુર્ગતિમાં અસહ્ય ભોગવવાં પડે છે. અહીં તે જે સુખ ભોગવતો દેખાય છે તે તો પૂર્વભવમાં અજ્ઞાન કષ્ટ કર્યું હોય અને પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હોય તેનું ફળ છે. ચાર દિવસનું ચાંદરણું છે, પછી તો અંધારું ઘોર થવાનું છે. આ પ્રમાણેની ત્રણ બાબત વિચારી તું તેવાં સુખને સાચાં સુખ માનીશ નહીં અને તેવાં સુખ ગમે તેને પ્રાપ્ત થાય તો તેથી ચિત્તમાં ચમત્કાર પામીશ નહીં. તું સાચા સુખનો અભિલાષી થજે અને તેની પ્રાપ્તિ માટે તેનાં સાચાં નિમિત્તો કે જે જગતમાં સદ્ધર્મ તરીકે ઓળખાય છે તેનું સેવન કરજે. Explanation - Renunciation of all worldly activities' is indirectly advised in this verse. Firstly, it analysis the basic nature of worldly pleasures that they are (1) sensual and (2) artificial. Secondly, it enlists the kind of beings that enjoy these sensual pleasures. All beings, irrespective of their spiritual stature, whether they are (a) lowly, (b) mediocre or (c) sublime, do happen to enjoy sensual pleasures. Thus, a being cannot be assumed to be genuinely happy only on the basis of the sensual pleasures he enjoys.