________________
૨૮
હૃદયપ્રદીપ સંસારમાં આસક્ત થઈ પડી રહે. મુનિઓ સાધારણ હશે તોપણ તેના પ્રસંગથી અને ઉપદેશથી જીવો સંસારથી વૈરાગ્ય પામી ચારિત્ર લઈ આત્મકલ્યાણ સાધવા ઉજમાળ થશે અને ગૃહસ્થીઓ ગમે તેટલા જ્ઞાની હશે તો પણ તેમના ઉપદેશથી સંસારથી વિરક્ત દશા થવી બહુ જ મુશ્કેલ છે. આટલા પરિણામથી બસ થતું નથી, પણ આ ભવમાં વ્યવહારની અરુચિ તથા વ્યવહારવાળા ઉપર અરુચિ કરવાની વાસના એવી પ્રબળ જામી જાય છે કે ફરી ભવાંતરમાં પણ તે જીવને બોધિબીજની પ્રાપ્તિ પણ અતિ દુષ્કર થઈ પડે છે, કારણ કે દરેક ઠેકાણે જીવ ઘણા ખરા બાહ્ય નિમિત્તના સાધનથી જ બોધિ પામે છે. આ બાબતનો પૂરેપૂરો વિચાર કરી જ્ઞાની અને વિવેકી જીવે જેઓએ શરીર ઉપરનો રાગ અને મોહ છોડ્યો હોય, છોડવાના પ્રયત્નો જારી કરેલા હોય અને તે જ પ્રકારનો ઉપદેશ કરતા હોય તેઓનો પ્રસંગ કરી શરીર ઉપરનો રાગ તથા મોહ છોડવો અને બીજા જીવોને તેવા પ્રસંગ મેળવી આપી છોડાવવા એ જ તેની ફરજ અને ખરેખરું વિવેકીપણું છે. વિશેષ વિસ્તાર કરી સર્યું. Explanation - This verse ridicules a soul who is intensely infatuated towards the body. Infatuation for the body is caused by ignorance. Ignorance, however, is not the true nature of the ‘self'. The 'self' is at once the 'seer? who sees the truth about the body, the speaker who narrates the truth' and the active wisdom that discerns the truth from falsehood. There is no reason for the 'self' to remain attached to the body which is composed of and filled with degenerating organic matter.