________________
કરી ઉકાઈ અને કાકરાપાર આવ્યા. બંધનું સ્થાન જોયું. અહીંથી ભડભૂંજા આવ્યા. પશ્ચિમ ખાનદેશના ગાંધીથી ઓળખાતા બાલુભાઈ મહેતાની મુલાકાત અને ખાનદેશ
જિલ્લાના પ્રવાસની વિચારણા. તા. ૨૬-૧-૫૮: ચિંચપાડાઃ તલોદા, નિઝર, નંદરબાર આવ્યા. અહીં તારીખવાર
ડાયરી નથી, પણ સળંગ વિશ્વ વાત્સલ્યમાં આપેલી હકીકત આવે છે.
ધૂળિયા (ધૂળે)ની સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત. શિવાજી ભાવે – વિનોબાના નાના ભાઈ સાથેની
મુલાકાત. માલેગાંવ: મુસ્લિમની વસ્તી ધરાવતું, હાથસાળની સાડીનું અગ્રણી કેન્દ્ર, મુલાકાત. તા. ૨૫-૫-૫૮: ઘાટકોપર : ૨૨ વર્ષ પછી મુંબઈમાં પ્રવેશ, પોતાના ગુરુદેવ પણ
અહીં બિરાજતા હતા. તેમની સાથે મુલાકાત. કિ.ધ. મશરૂવાળાના ગુરુ શ્રી કેદારનાથજીની અધ્યક્ષતામાં ૩૬ જેટલી સંસ્થાઓએ
સંતબાલજીનું બહુમાન કર્યું. જૈન ધર્મ વિશ્વધર્મ ઉપર પ્રવચન. તા. ૨૮-પ-પ૮ થી ૧૪-૬-૫૮ : ચાંદીવલી ફાર્મ : ચાતુર્માસની હજુ એકાદ માસ
વાર હોવાથી પોતાના ગુરુદેવ સાથે શ્રી અમૃતલાલ શેઠના ફાર્મ
ચાંદીવલીમાં રહ્યા. તા. ૨૯-૫-૫૮ : કોંગ્રેસ પ્રમુખ શ્રી ઉ. ન. ઢેબર તથા રસિકભાઈ પરીખની
તા. ૧-૬-૫૮ : વિશ્વવાત્સલ્ય પ્રા. સંઘની રચના અંગે વિચારણા. પોતાના ગુરુદેવે
તેમાં અનુમતિ આપી. પોતાની કલ્પનાની સંસ્થાના તેમણે ત્રણ મુખ્ય ઉદ્દેશ દર્શાવ્યા: (૧) અહિંસક દૃષ્ટિએ સમાજના પ્રશ્નોનો ઉકેલ (૨) મધ્યમ વર્ગને માટેની આર્થિક યોજના (૩) સ્ત્રી
શક્તિનો ઉપયોગ તા. ૨-૬-૫૮: ભાલના સેવકો, કચ્છના કાર્યકર્તાઓ અને ગોપાલક અગ્રણીઓ
સાથે મુલાકાત. તા. ૪-૬-૫૮: શામળાજીવાળા નરસિંહભાઈ ભાવસારના પ્રશ્નો. તા. ૭-૬-૫૮ : વિશ્વવાત્સલ્ય પ્રા. સંઘની બીજી બેઠક જેમાં બંધારણ અને
નિયામકની ચર્ચા તા. ૧૦-૬-૫૮ : પોતાના ગુરુદેવ સાથે સત્સંગ અને ચર્ચાવિચારણા, પત્રલેખન વગેરે.
સાધુતાની પગદંડી પુસ્તક-છઠું
19