________________
( ૩ર) ચીન વેતામ્બર” નામના ટેકટમાં દેખીને ખરેખર આ લેખકને દયા આવે છે. ખરું કહું તે “પ્રાચીન દિગમ્બર–અર્વચીન શ્વેતામ્બર” આ ટ્રેકટ શું છે? બાલચેષ્ટાઓને ભંડાર છે. અથવા એથી પણ બીજા શબ્દોમાં કહું તે આગ્રહદેવતાજ પુસ્તકરૂપે પ્રકટ થયા છે. હું નથી ધારતે કે કઈ પણ મનુષ્ય, કે જહેનામાં લગાર માત્ર પણ યુક્તિપ્રયુક્તિને સમજવાની શક્તિ છે, અથવા સત્યાસત્યનો વિચાર કરી શકવાનું સામર્થ્ય છે, તે ઉપયુક્ત ટેકટને વાંચીને, હેના લેખક તરફ તિરસ્કારની દ્રષ્ટિથી જોયા વિના રહી શકે? અને તેજ વાતને પુરા હું હમણાંજ થોડે દૂર જઈને આપીશ. ખેર ! આ વાત ઉપર વિશેષ રામકહાણી ચીતરવાને હું બંધાએલે નથી. મારી મુખ્ય ફરજ અથવા મુખ્ય ઉદ્દેશ તે, શ્રીમાન નેમિનાથ પાંગલેનું કટ, કેવું યુક્તિ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ કે ઇતિહાસ પ્રમાણથી દૂર રહેલું છે? તેજ બતાવવાનું છે, અને તેટલાજ માટે હું આ લેખના ઉપકમને સમાપ્ત કરી, મહારા મૂલ ઉદ્દેશ ઉપર આવું છું.
“વતો વાઘાત:”નું એક ઘણું જ સુંદર ઉદાહરણ હને મિ. પાંગલેના પ્રત્રન ફિશ્વર-અર્વાચીન દૈતન્ના નામના ટેકટની શરૂઆતમાંથી મળી આવે છે. મિ. પાંગલે કહે છે કે –
“સનાતન જન ધર્મના દિગમ્બર અને કવેતામ્બર આમ્નાય પિકી પ્રાચીન કોણ? એ પ્રશ્ન વારંવાર આપણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com