Page #1
--------------------------------------------------------------------------
________________
मनाचार्य श्रीविजयधर्मसूरिभ्यो नमः
શ્રી યશોવિજયજી -
છે દાદાસાહેબ, ભાવનગર, | ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
522A૦૦૬
ના ગ્રાહુ કોને ત્રીજા વર્ષની ભેટ .
ન થતામ્બર, અર્વાચીન દિગમ્બર.
-
લેખક
ના
મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી.
' છે પાવી માસિદ્ધ કરનાર | શાહ હર્ષચદ્ર મરાભાઈ,
મુ એન્ડ કાઠી, અન.સ.
આવૃત્તિ પહેલી.
SED
S' વત
, ' ,
વીર સા રે ૪૪ ૦,
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar com
Page #2
--------------------------------------------------------------------------
________________
ખ્યાવરના શ્રીજૈનવેતામ્બર મૂર્તિપૂજક
શ્રીસંઘની સહાયતાથી.
HTT
શ્રી સત્યનારાયણ પ્રિન્ટિંગ પ્રેસમાં, પટેલ મોતીલાલ કાળીદાસે છાપ્યું. ઠે. ડિસ્ટ્રીકટ કોર્ટની પાસે અમદાવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
| | અર્થ છે परमगुरुश्रीविषयधर्ममरिभ्यो नमः
બે બોલ. આવા એક વાદાનુવાદના ટેન્ટમાં “બે બેનકાબેન સ્તાવના ”ની આવશ્યકતા કઈ પણ માણસ સ્વીકારી શકે નહિં. એ વાત ખરી, પરન્તુ આ કિટના સંબંધમાં એક બે ખાસ કારણે મહને તેમ કરવાની (બે બેલ લખવાની) ફરજ પાડે છે.
ટેકટ માડું કેમ બહાર પડયું? જૈનશાસનના ખાસ અંકમાં પ્રકટ થએલ ‘વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર? ” નામના લેખના જવાબમાં, મિ, પાંગલે મહાશય તરફથી બહાર પડેલું કિર હુને ઘણું જ લાંબી મુદતે પ્રાપ્ત થયું હતુંઅને હાર બાદ હું વિહારમાં પળે એટલે સ્થિરતા સિવાય આવું ઐતિહાસિક કટ લખવું ઘણું મુશ્કેલી ભરેલું હોવાથી હારે આ ચાતુર્માસની અંદર બહારી સ્થિરતા થઈ, ત્યારે હું આ ટેકટ લખવા ભાગ્યશાળી નિવડ. બસ ! આજ કારણથી આ ટેકટ બહાર પાડવામાં વિલંબ થયે છે.
પુનરૂક્તિદેષ હારે એક વાત બીજી પણ કહી દેવી જોઈએ. મહારા આ બીજા ટેકટની અંદર એકાદ બે સ્થળે મહારે પુનરૂક્તિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
દષમાં અણછૂટકે ઉતરવું પડ્યું છે. કારણ એ હતું કે મિ. પાંગલેના રેટમાં એકની એક વાતને વારંવાર ચીતરવામાં કંઈ કમી રહેલી નથી અને તેટલાજ માટે ઘણે બચાવ કરવા છતાં પણ એકાદ બે સ્થળે તે દોષમાં ઉતરવું પડ્યું છે, તે બદલ વાંચક ક્ષમા કરશે.
મહારા પ્રથમના લેખને ટ્રકટ નં. ૧ કરી, આ બીજા - કટની સાથે જેવી દેવામાં આવ્યું છે, કારણ કે વાંચનારાઓને એ વાત સહજમાં સમજાઈ જાય કે હારે પ્રથમને લેખ કેટલી પ્રબળ યુક્તિઓથી લખવામાં આવે છે, અને હેને જવાબ મિ. પાંગલે મહાશયે પિતાના ટેટમાં કેવી નિર્બળતાથી આ છે ?
આ ટેટની અંદર અગર દષ્ટિદેષથી કઈ ભૂલ રહી ગઈ હોય તે તે સુધારીને વાંચવા ભલામણ કરૂં છું.
ઉપકાર,
છેવટ- ઇતિહાસતવમદધિ, ઉપાધ્યાયજી શ્રી ઈન્દ્રવિજયજી મહારાજ સાહેબને આ સ્થળે હું અન્તઃકરણથી ઉપકાર માનું છું કે જેઓ સાહેબે સ ત્તયા હુને આ ટેકટ લખવામાં સહાયતા કરી છે. ઈનિ સમ .
પાવર. જૈન ઉપાશ્રય. ) માગસર સુદિ ૭ વીર સં. ૨૪૪૦ વિદ્યાવિજય. તા. 7 ડિસેમ્બર સં. ૧૯૧ ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
परमगुरु श्री विजयसूरिभ्यो नमः શ્વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર ?
ટેકટ નં. ૧
આજ જે વિષયને માટે આ લેખક કલમ ઉઠાવે છે, તે વિષય હે મહત્વને છે, હેજ બહોળા પ્રમાણમાં ચર્ચાઈ પણ ગએલે છે, એટલું જ નહિ પરતુ પાશ્ચાત્ય તેમજ એતદેશીય વિદ્વાન મહાનુભાએ “આ વિચારને સાહિત્યની કટી ઉપર સારી પેઠે ઘર્ષણ કરીને હેને નિશ્ચય પણ કર્યો છે કે-“શ્વેતામ્બર મત પ્રાચીન છે” (જે વાત આ લેખને સંપૂર્ણ વાંચવાથી સમજાઈ જશે) આ પ્રમાણે કહેવાથી જે કે હું એક રીતે બંધઉં છું, કેમકે વાંચકે આ લેખને ઉપકમ વાંચતાંજ કદાચિત એવી શંકામાં પડી જશે કે-હારે આ વિષય સારી રીતે ચર્ચાઈ ગયે છે, આ વિષય સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં ખેડાઈ ગયા છે, તે પછી મુનિ વિદ્યાવિજયને અત્યારે શી જરૂર પડી હતી કે આટલે સમયને અને કાગળ મસીને વ્યય કર્યો? પરંતુ લગાર સબુર કરે! હું તે વાતને કબૂલ કરું છું કે આ સમયમાં તામ્બર અને દિગમ્બર ભાઈઓએ, જે જે બાબતેમાં મળતા હોય તે તે બાબતે માં, મળીને વિરપ્રભુની ખરી ભક્તિ બનાવવાની છે, વળી સંખ્યામાં પણ પછાત પડેલી જેન કેમને વધારવાની આવશ્યકતા છે અને ચારે તર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ફથી અશાન્તિ રૂપ અગ્નિથી પ્રજ્વલિત થએલા સમયમાં શાન્તિપ્રિય જૈન પ્રજાએ વાસ્તવિક શાતિ ફેલાવવાની જરૂર છે, પર
તુ અફસોસની વાત છે કે આવા સમયમાં, ચર્ચાઈ ગએલા. વિષયેને પણ એક મહેસું રૂપ આપી કેટલાક દિગમ્બર મહાનુભા, તામ્બરે ઉપર આક્ષેપપ્રયુક્ત શબ્દથી ભરપૂર લેખ, પ્રસ્તાવનાઓ વિગેરે બહાર પાડી સુતા સિંહને જગાડવાનું પણ સાહસ કર્યા વિના રહેતા નથી. હવે જે હેવાઓના લેખોને ઉચિત જવાબ આપવામાં ન આવે તે ભદ્રિક જીના અંન્તષ્કરણમાં તે વાત અવશ્ય ઠસી જાય કે દિગમ્બરનું કહેવું સાચું છે, અને તેટલાજ માટે કેટલાક હિતૈષીઓની પ્રેરણાથી આ લેખ લખ ઉચિત ધાર્યો છે.
દિગમ્બર મતની ઉત્પત્તિ. હવે આપણે દિગમ્બર મતની ઉત્પત્તિને છેડે ખ્યાલ કરીએ. શ્વેતામ્બર મતના ગ્રન્થમાં એ સ્પષ્ટ પાઠ છે કે-શ્રી મહાવીર દેવના નિર્વાણ થયા બાદ ૬૦૯ વ શ્રી શિવભૂતિ નામન મુનિથી દિગમ્બર મતની ઉત્પત્તિ થઈ છે. સંક્ષેપમાં– વાત એમ બની હતી કે–
“રથવીરપુર નગરમાં કે એક દિવસે કૃષ્ણનામા આચાર્ય પધાર્યા, તેઓની સાથે, એક શિવભૂતિ નામના મુનિ હતા, ( આ મુનિ રથવીરપુર નગરના જ હતા.) તેમને રાજાએ એક રત્નકંબળ હેરાવી, ત્યારે આચાર્ય કહ્યું કે આવું વસ્ત્ર સાધુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
, વિરજી
લેવું ઉચિત નથી. હમે શા માટે તે વસ્ત્ર ગ્રહણ કર્યું? એમ કહીને તે રકબળના આચાર્ય ક ડ કરી નાખી, સાધુઓને માટે એઘા (રજોહરણ) નાં નિશિથીયાં કરી નાખ્યાં. આથી શિવ મૂનિ એ ગુરૂની સાથે કલેશ કર્યો. હવે કોઈ એક દિવસે આચાર્ય જિનકલ્પી સાધુઓને આચાર વર્ણવી રહ્યા હતા, તે સમયે શિવમૂતિ મુનિએ કહ્યું કે–હારે એમ છે, તે પછી આપ શા માટે આટલી ઉપાધી શખે છે? આચાર્યશ્રીએ કહ્યું કે આ કાળમાં જિનકલ્પીની સમાચારી રહી નથી, કેમકે જંબૂસ્વામીના મોક્ષ ગયા બાદ જિનકલ્પ વિચછેદ થઈ ગયું છે.
હારે શિવભૂતિએ કહ્યું કે-“આપ એમ શા માટે કહે છે, જુઓ હું તે પ્રમાણે પાળી બતાવું, કેમકે તીર્થકરે પણ અચેલકજ હતા. અત એવ વસ્ત્રરહિતપણું જ સર્વથા શ્રેષ્ઠ છે.” ત્યારે આચાર્યે કહ્યું કે-જહેવી રીતે વસ્ત્રાદિ પરિગ્રહના સદ્ભાવમાં કપાય, મૂચ્છ આદિ દેશે સ્વીકારે છે, હેવી રીતે શરીરના સર્ભાવમાં પણ કષાયાદિ દેષ કેમ નથી સ્વીકારતા? અને જે સ્વીકારતા છે તે શરીરને પણ ત્યાગ કરવો જોઈએ. પરંતુ આ પ્રમાણે માનવું સર્વથા ભૂલભરેલું છે. કેમકે સૂત્રમાં મુનિને “અપરિગ્રપણું ” જે બતાવેલ છે, તે ધર્માપકરણમાં પણ મૂચ્છ ન કરવી તે અપેક્ષાથી કહેલ છે. તીર્થકરે પણ એકાંતે અલક નહોતા, કેમકે એ પ્રમાણેનું આગમ વચન છે કે–રવે વિ દૂબ નિયા નિવારવીઉં દરેક તીર્થક એક દેવદખ્ય સહિત સંસાર છેડેલ છે. ઈત્યાદિ પ્રકારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
જુઓ હુ તેમ કહ્યું કે
Page #8
--------------------------------------------------------------------------
________________
આચાર્યે ઘણું સમજાવ્યું, પરંતુ તે ન માનતાં, શિવભૂતિ મુનિ ભારે કર્મોદયના કારણથી નગ્ન થઈ, બહાર ઉદ્યાનમાં સ્થિતિ કરી રહ્યા. હવે એક દિવસ શિવભૂતિની બહેન કે જે સાધ્વી હતી, તે શિવભૂતિને વંદણા કરવા ગઇ. ત્યાં આગળ શિવભૂતિને નાગા દેખી પિતે પણ નગ્ન થઈ વિચારવા લાગી.
કેઈ એક દિવસે ભિક્ષાને માટે તે શહેરમાં આવી, હારે એક વેશ્યાએ હેને નગ્ન દેખીને વિચાર કર્યો કે –“જે સ્ત્રીઓ નગ્ન ફરવા લાગી તે લેકે અમારાથી વિરકત થઈ જશે ” અત એવ હેણે એક સાડી તે સાધવીના શરીર ઉપર નાખી, જહારે શિવભૂતિએ સાધ્વી પાસે વસ્ત્ર દેખ્યું, હારે હેમણે કહ્યું કે
આ વસ્ત્ર તું ત્યારી પાસે રાખ, કેમકે તે હને દેવતાએ અર્પણ કર્યું છે. ત્યાર બાદ શિવભૂતિએ કોડિન્ય અને કોઇ વીર નામના બે શિષે કર્યા. કાલાન્તરે પરંપરા વધી અને એક નવુંજ મિથ્યાદર્શન ઉત્પન્ન થયું.”
જમ્હારે આ બધી વાતને આકાશ કુસુમવત્ કરી નાખી દિગમ્બરે અત્યારે એમ કહેવા માગે છે કે-“ આ જે તા
મ્બર દર્શન છે, તે તે વિકમ રાજાના મૃત્યુ બાદ ૧૩૬ વર્ષ પછી સારાષ્ટ્ર દેશમાં આવેલા વલ્લભીપુર નગરમાં શ્રીજીનચંદ્ર નામના સાધુએ ચલાવ્યું છે. ”
હવે આ બેમાં શું સત્ય છે? હેને, પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલી શેધાળને તેમજ યુક્તિઓ વિગેરેને અનુસરી વિચાર ચલાવીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
દિગમ્બરચન્થાને રચના કાળા પ્રથમ આપણે દિગમ્બરગ્રન્થને રચના કાળ તપાસીએ. દિગમ્બર મતાનુયાયીઓનું એમ કહેવું છે કે “અગીઆર અંગ વિચછેદ થઈ ગયાં છે, અને વી. સં. ૬૮૩ માં ધરસેન નામના મુનિ પાસેથી જ્ઞાન લેવાવાળા બે મુનિયેએ પહેલ વહેલાં પેણ શુકલ પંચમીને દિવસે ત્રણ સિદ્ધાન્ત બનાવ્યાં.”
હવે અહિંયાં તે પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે તે બે મુનિઓએ શાસ્ત્રની રચના શા આધારે કરી ? કદાચિત કઈ એમ કહે કે અને કઈ કઈ ભાગ રહે હવે તે ઉપરથી શાસ્ત્ર રચ્યાં,
હારે તે એ વાત ચોક્કસ છે કે-જન સમાજને પ્રતીતિ થવા માટે ખાસ તે તે અંગેની અવશ્ય સાક્ષી આપવી જોઈતી હતી, અને તે પ્રમાણે તે કઈ સ્થળે દેખવામાં આવતું નથી. તેથી એ વાત સિદ્ધ થાય છે કે તેઓએ સ્વકવિ કલ્પિત શાસ્ત્રો રચ્યાં છે, અને સ્વકપલ કલ્પિત શાસ્ત્રો જગમાં કેવી રીતે પ્રમાણું થઈ શકે ? તે તે વાંચકે સ્વયં સમજી શકે તેમ છે. અસ્તુ !
હવે પ્રથમ તે દિગમ્બરેએ માનેલા ધરસેન સુનિને સમયજ પૂર્વાપર વિધવાળ દષ્ટિગોચર થાય છે, જુઓ –
એક સ્થળે એમ બતાવવામાં આવ્યું છે કે-“મહાવીરદેવના નિર્વાણ બાદ ૬૮૩ વર્ષે ધરસેન મુનિ ગિરનારની ગુફામાં બેડા હતા, તે કાળમાં અગિઆરે અંગ વિછેર ગયાં.” જહાજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
મૂલ સંઘની પટ્ટાવલીમાં એ પ્રમાણે લખેલું છે કે-“શ્રીમહાવીર પ્રભુથી ૬૧૪ વષ વ્યતીત થયા બાદ ધરસેનાચાર્ય થયા અને હેમને વર્તમાન કાળ વર્ષ ૨૧ ને છે” આ બને સમયે પરસ્પર કેવા વિધી છે? તે વાંચકે સ્વયં જોઈ શકશે.
વળી કઈ કઈ સ્થળે એમ પણ લખવામાં આવેલું છે કે-“ધરસેન મુનિ જ્ઞાનવાન્ હતા. કમં પ્રાભૂત બીજું પૂર્વ કંઠાગ્ર હતું, હેમણે પિતાનું અલ્પ આયુ જાણીને, જિનયાત્રા કરવા - સંઘ આવ્યું હતું, હેના ઉપર એક ચીઠી મેકલીને તીણ બુદ્ધિમાન, ભૂતબલી અને પુષ્પદંત નામના બે મુનિ લાવ્યા, અને તેઓને જ્ઞાન શિખવાડી વિદાય કર્યા.”
આ હકીકત પણ વિકમપ્રબ નામના ગ્રન્થમાં લખેલી હકીકતથી વિધીજ છે. કેમકે વિકમપ્રબન્ધમાં લાગ્યું છે કે
શ્રીવીરનિર્વાણ બાદ ૬૩૩ વર્ષે પુષ્પદંત નામના આચાર્ય થયા. તેઓને વર્તમાનકાલ ૩૦ વર્ષને થયે. શ્રી મહાવીર નિર્વાણ બાદ ૬૬૩ વર્ષે ભૂતબલી આચાર્ય થયા, તેઓને વર્તન માન કાલ વીશ વર્ષને થયે. એ પ્રમાણે વરે નિર્વાણ બાદ ૬૮૩ વર્ષ સૂધી પૂર્વ અંગની પરિપાટી ચાલી, અને ત્યાર બાદ અનુક્રમે ઘટવા લાગી, અને અહિં સુધી એ કાંગધારી મુનિ થએલ છે, ત્યાર બાદ શ્રુતજ્ઞાની મુનિ થયા. એ પ્રમાણે આચાર્યોની પરિપાટી છે.”
હવે વિચાર કરે કે શ્રીવીરનિર્વાણથી ૬૮૩ વર્ષે ધરસેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
મુનિ આવ્યા ક્યાંથી ? ભૂતબલી અને પુષ્પદંતને બેલાવ્યા કોણે? ભૂતબલી, પુષ્પદન્ત આવ્યા ક્યાંથી ? ભણાવ્યા કેણે? કેમકે ધરસેનનું મૃત્યુ તે. ૬૩૩ માં થએલું છે, અને પુષ્પદ તનું મૃત્યુ ૬૬૩માં થયું છે, જ્યારે ભૂતબલીનું મૃત્યુ ૬૮૩ માં થયું છે, મ્હારે આ બધાઓને સમાગમ કયાંથી થયે? અત એવ પૂર્વોક્ત પરસ્પર વિરોધી ધરસેનની કથા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-દિગમ્બર શાને રચના કાળ જે બતાવવામાં આવે છે, તે પણ મન કલ્પિતજ છે.
વળી જે દિગમ્બર મત પ્રાચીન હતું, તે ગણધરાદિ મુનિએને બનાવેલો કઈ પણ ગ્રન્થ, પ્રકરણ, અધ્યાય, વસ્તુ આદિ અવશ્ય હોવું જોઈતું હતું, અને છે તે નહિ, તેથી પણ એ સિદ્ધ થાય છે કે દિગમ્બરેએ પિતાને મત ચલાવવાને માટેજ રવકલ્પિત નવીન ગ્રન્થની રચના કરી લીધી છે.
કવેતામ્બરેની પ્રાચીનતાના સંબંધમાં “અંગે પૈકીને કેટલેક ભાગ” અત્યારે આપણને હટામાં મહેદી સાક્ષી આપે છે, વળી દિગમ્બરે તે એમ પણ માને છે કે- અંગે અને પૂર્વે તે વિચછેદ થઈ ગયાં, હેની સાથે દશવૈકાલિક, ઉત્તરથયનાદિ પણ વિચ્છેદ થઈ ગએલ છે.'
હવે અહિં કેવું આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે-ધરસેન મુનિને સમુદ્ર સમાન બીજા પૂવનું કર્મ પ્રાર્થાત તે કઠાગ્ર રહી ગયું
અને એકાદશાંગ, દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનાદિ અ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૮ ) સંખ્યાવાળા ગ્રન્થ વિછેદ થઈ ગયા, શું આ વાત કોઈ પણ બુદ્ધિમાન માન્ય કરી શકે ખરે? કદાપિ નહિ. તે તે કદાહીજ માન્ય કરે. હું ન ભૂલત હેઉં તે આવા ઉસૂત્રથી ભરપૂર ગ્રન્થને પ્રચાર કરવાને માટે જ પાછલા અંગ પ્રકીર્ણાદિ ગ્રન્થ છે દીધેલા જણાય છે. •
પાશ્ચાત્ય વિદ્વાને શું કહે છે? હવે દિગમ્બરના ગ્રન્થ કરતાં વેતામ્બરના ગ્રન્થ પ્રાચીન છે, આ વાતને અમે (શ્વેતામ્બરે) જ કહીએ છીએ-સિદ્ધ કરીએ છીએ, એટલું જ નહિ, પરંતુ પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ તે વાતને, ચેકસ શેખેળ કરી, દઢ કરી છે. આ પ્રમાણે કહીને છુટી ન જતાં એક બે નમૂના પણ અહિં રજુ કરૂં છું
"The Sacred Books of the East' Vol. XXII ( 1884 A. D. ) ની પ્રસ્તાવનામાં પાને ૪૨ મેં મી. જેકેબી મહાશય લખે છે કે –
Additions and alterations may have been made in the sacred texts after that time; but as our argumont is not based on a single pas age or even a part of the Dhammapada, but on the me. trical laws op a variety of metres in this and other Pali hooks, the admission of alterations and additions in these books will not materially influence our conclusion, viz. that the whole of the Jaina
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Siddhanta was composed after the fourth century B. C.
અનુવાદ–તે વખત પછી ધાર્મિક મૂળ ગ્રન્થની અંદર ઉમેરાઓ અથવા ફેરફાર કરવામાં આવ્યા હેય; પરન્તુ જેથી કરીને આપણી દલીલનું મૂળ એકજ ફકરા ઉપર અથવા ધમ્મુપદના એક ભાગ ઉપર પણ નિર્ભર નથી, પણ તેને પાયે આ અને બીજા પાલી પુસ્તકો માંહેલા વિવિધ પદ્યાના માત્રામેળના નિયમ ઉપર નિર્ભર રહે છે, તેથી કરીને આ પુસ્તકની અન્દરના ફેરફાર અને ઉમેરીને આપણે સ્વીકાર કરીએ તે પણ “સંપૂર્ણ જેન સિદ્ધાંત ઈ. સ. પૂર્વે ચેથા સિકા પછી સંગ્રહ કરવામાં આવ્યું હત” એ પ્રકારના આપણા અનુમાનને વસ્તુતઃ કાંઈ વાંધ આવશે નહિ.
એ પ્રમાણે તામ્બર અને દિગમ્બરના ગ્રન્થ રચનાના કાળ ઉપરથી હવે એમ પ્રશ્ન કરવાની જરૂર રહેતી જ નથી કેવેતામ્બર અને દિગમ્બર પૈકી ક મત પ્રાચીન છે? તે પણ આપણે હેની વિશેષ કટી કરીએ.
અત્યારે “ જેન તિર” ના સાતમા ભાગના બાઝ્મા અંક કમાં પ્રકટ થએલ “સ્માંડાલા વિજ્ઞા” એ મથાળાવાળા લેખ અવલોકન કરીએ. ડેભાંડારકર, મિ. પાંગલેના પ્રશ્નને જવાબ આપતાં કહે છે કે “મેરી સર્ષેિ જિજર સબदाय मूलका और ताम्बर पंथ पीछे का है, और मेरे इस Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) मतको पोषण करने वाले बहुत से प्रमाण मिले हैं, प्राचीन જૈન મૂતિયાં કાય: નત્ર ફ્રી મિજતી હૈં ' ઇત્યાદિ.
આથી તે એ સિદ્ધ થાયછે કે-ડૅા. ભાંડારકરે, જૈન પ્રાચીન શિલાલેખાની શોધખેાળ કરવી તેા દૂર રહી, પરન્તુ હેવા શિલાલેખાનાં દર્શન પણ કરેલાં નજ હોવાં જોઇએ, અને જો કોઈ દિવસ પણ બારીકાઇથી તપાસ કરવામાં ભાગ્યશાળી નિવડયા હત, તા ભાંડારકર આવા જવાબ આપી શકતેજ નહિ, કેમકે મથુરાના રપ ઉપરના જૈન શિલાલેખા પ્રાચીનમાં પ્રાચીન ગણવામાં આવેછે, અને હેમાંના šાટે ભાગ અત્યારે શ્વેતામ્બર મતનેજ મળતા જોવામાં આવેછે, એટલુંજ નહિ પરન્તુ તે શિલાલેખા ઉપર જે જે આચાર્યાનાં નામ, ગણુ તેમજ કુલ વિગેરે બતાવવામાં આવેલ છે, તે દરેક કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં વર્ણવેલ આચાર્યાની સાથે મલતાવડાપણું ધરાવે છે, અને તેજ પ્રમાણે Vienna Oriental journal Vol. 4 ની અંદર મા, જી. ડ્યૂલર પોતાના Further proofs of the authenticity of the Jaina tradition" નામના લેખની અંદર પાને ૩૧૫ મે આ પ્રમાણે કહે છેઃ
2
“ The inscriptions now prove the actual xistence of twenty of the subdivisions mention d in the Sthavi avai of th‰ Kalasutra
અનુવાદ–હવે શિલાલેખા, કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં કથન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
[, ( ૧૧ ) કરવામાં આવેલા વીશ વિભાગની વાસ્તવિક હયાતીને સાબીત કરે છે.”
તેથી પણ એ સિદ્ધ થાય છે કે–દિગમ્બર મત કરતાં શ્વેતામ્બર મત પ્રાચીન છે. વળી બીજું પ્રમાણ–તેજ પુસ્તકમાં પાને ૩૨૦ મે કુટનોટમાં મી. ખૂહુર લખે છે કે
According to the Kalpasutra P. 82 (Jacobi) the Kodiya (iana was founded by Susthita and Supratibuddha and the l'chchanagari Shakha by their third spiritual descendent, Santise:via. The traditirn places the death of Susthita in 313 A. V. 02 213 B. C. The foundation of the Gaia may, therefore, be put about 250 B. C. and that of the Snakha about 60 or 70 years later.
અનુવાદ-કલ્પસૂત્ર પૃષ્ઠ ૮૨ (જેકોબી) પ્રમાણે કેડિયગણની સ્થાપના સુસ્થિત અને સુપ્રતિબુદ્ધે કરી હતી, અને તેમની ત્રીજી પાટે થએલા શાંતિસેને ઉસ્થાનાગરી શાખાની સ્થાપના કરી હતી. ગુરૂ પરંપરા પ્રમાણે સુસ્થિતિને કાળધર્મ વીર નિર્વાણ પછી ૩૧૩ વર્ષે એટલે ઈ. સ. પૂર્વે ૨૧૩ માં થયે હતે. તેથી કરીને તે ગણની સ્થાપના ઈ. સ. પૂર્વે ૨૫૦ વર્ષે મૂકી શકાય અને શાખાની સ્થાપનાને કાળ તેની પછી લગભગ ૬૦ અથવા ૭૦ વર્ષે ગણી શકાય.
ઉપર પ્રમાણે વેતામ્બર મતમાંથી નીકળેલી એક શાખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
પણ ઈ. સ. પૂર્વે ૨૧૩ માં સ્થપાએલી સાખીત થઇ ચૂકી છે. આ પ્રમાણે મી. જી. પ્રૂફ્લર જેવા વિદ્વાન્નુ કહેવું છે, અને કલ્પસૂત્રની સ્થવિરાવલીથી તે વાત દૃઢ થાય છે. તેા શું ડાક્ટર સાહેબને આ વાતની માલૂમ નહિ હોય ?
આટલેથી સતાષ ન થતા હાય તેા જુએ તેજ શિલાલેખાની અંદર અત્યન્ત ખૂબીવાળું એક ચિત્ર કે જે-શ્વેતામ્બર મતના માનવા પ્રમાણે, હિરણેગમેષી દેવે કરેલા ગર્ભાપહાર સંબધી યથાસ્થિત સ્વરૂપને બતાવનાર છે. તે ઉપરથી પણ એમજ સિદ્ધજ થાયછે કે—શ્વેતામ્બર મત પ્રાચીન છે. કેમકે ગર્ભાપહારને તા દિગમ્બરી માનતાજ નથી. વળી આ ચિત્ર ઉપર જે વાં કાતરેલા છે, તે ઉપરથી પણ પાશ્ચાત્ય વિદ્વાનાએ એ સિદ્ધ કર્યું છે કે—ઇ॰ સ૦ ની શરૂઆતના અથવા તા તેથી પણ વધારે પ્રાચીન સમયના તે લેખ છે. જુઆ
(
The Jain Stupa by V. A Smith' પાને ૨૫ મે Chapter 6th, plate XVIII. ની અંદર.
આટલા બધા પ્રાચીન પુરાવા હેાવા છતાં ડા. ભાંડારકર કહેછે કે પ્રાચીન ગન મૂર્તિયાં પ્રાય: નગ્ન ઠ્ઠી મિલતી હૈં' શું ડાક્ટર સાહેબ, નમ્ર અને ઢાંકેલી મૂર્તિઓના ભેદ સમજ્યા છે કે ? પરન્તુ નહિ, હૅને તેા એમજ અનુમાન થાયછે કે— વર્તમાન સમયમાં, ૯ જૈન મૂર્તિએ નગ્ન હોયછે? આવા પ્રકારના જે પવન કુકાએલા છે, તે અનુસાર ડા. સાહેબે જે તેમ કહી દીધું હોય તેા ના નહિ, કેમકે વર્તમાન સમયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૩ ) હિંદુસ્તાનમાં અવ્વલ નંબરે ગણાતા કાશીના કોઈ પણ બ્રાહ્મણ શાસ્ત્રીને જે કંઈ પૂછે તે તેઓ એમજ કહે કે, “જેન મૂતિયે નગ્ન હોય છે અને કદાચ ડેકટર સાહેબ નરાને અર્થ
કેટ પાટલૂન કે હેવાં વસ્ત્રાને અભાવપણું, સમજતા હોય તે, પ્રાચીન કે અર્વાચીન ગમે તેવી પણ જિનદેવની કૃતિને કંઈ કેટ પાટલૂન અથવા તે સાડી, ચણીઓ પહેરાવેલાં નહિ હોય, અને જે આ ક૫ના પિતાની મેળેજ કરી જવાબ આ
યે હોય તે તેઓ મનસ્વી છે, તેઓને કોઈ રોકી શકનાર નથી, પરતું એટલે તે જરૂર કહીશ કે-જે ડૉ. સાહેબે ઉપયુક્ત પ્રમાણે જવાબ આપ્યો હોય તે તે ભૂલ ભરેલેજ આવે છે, કેમકે પ્રાચીન મૂતિઓ જેવા જઈશું તે તે સલગેટ મળશે અને તે શ્વેતામ્બરેનીજ મૂતિ હેવી જોઈએ.
આગળ ચાલતાં શ્વેતામ્બર અને દિગમ્બરના ગ્રન્થ રચનાના કાળ સંબંધી પ્રશનને જવાબ આપવામાં . સાહેબે જે ભૂલથાપ ખાધી છે, હેને જવાબ પણ ઉપર બતાવેલ “ગ્રન્થ રચનાના કાળ ઉપરથી આવી જાય છે, એટલે તે સંબંધમાં પુનઃ લખવાની કંઈપણ જરૂર ન જેવા સાથ, માત્ર એટલું જ કહીશ કે હરકેઈ વિષયમાં સંપૂર્ણતા પ્રાપ્ત કર્યા વિના તે વિષય સંબંધી અમુક એક નિશ્ચય કરી દે છે, તે એક જાતનું જગતમાં હાંસીને પાત્ર થવા જેવું છે. ડો. સાહેબ શ્વેતામ્બર ગ્રન્થ રચનાના કાળ સંબંધમાં તે પ્રેડૉહર્મન જે કેબીને પણ સાથ સાથ ઘસડે છે, પરંતુ તેજ ડો. હર્મન જેકેબી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૪) મહાશયને શું અભિપ્રાય છે, તે જુઓ–
'The Sacred Books of the East Vol. XLV' ઈ. સ. ૧૮૯૪ની પ્રસ્તાવનામાં તે મહાશય આ પ્રમાણે લખે છે –
As, however, the reader of the present volume will naturally aspect the translator to give expra. ssion to his personal conviction on Uis point, I give my opinion with all reserve, man that most parts, tracts or treatises of which the canovical books con-ist, are old; that the reduction of the Angas took place at an early period (tradition places it under Bhadrabahu ; that the other works of the Siddlanta were collected in course of time, probably in the first centuries before our era, and that additions or alterations may have been made in the canonical works till the time of the first edition under Devardhiganin ( 980 A. V. = 454 A. ID. )
અનુવાદ–તેમ છતાં, ચાલુ પુસ્તકને વાંચનાર રવાભાવિક રતેજ, આ બાબત ઉપર ભાષાંતર કર્તા પિતાને જાતિ નિર્ણય પ્રકટ કરે, એવી આશા રાખશે, તેથી કરીને હું તમામ હાવકઈ પૂર્વક મારો અભિપ્રાય આપું છું, તે એ છે કે-ઘણા ખરા ભાગે, ટૂંક પ્રબંધે, અને નિબંધે કે જેના આગમે બનેલા છે તે જૂનાં છે, આગને ઉદ્ધાર પ્રાચીન કાળમાં થયો હતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૫) ગુરૂ પરંપરા તેને ભદ્રબાહુના વખત મૂકે છે), સિદ્ધાંતના બીજા પુસ્તકે વખતના વહેવાની સાથે આપણું ઈ. સ. અગાઉના પહેલા સૈકામાં સંગ્રહ કરવામાં આવ્યા હતા, અને આ ગમના ગ્રન્થની અન્દર ઉમેરા તથા ફેરફારે દેવદ્ધિગણિને પ્રથમ ગ્રન્થ પ્રકાશનના વખત સુધી કરવામાં આવ્યા હોય. (વીર સંવત. ૯૮૦=ઈ. સ. ૪૫૪).
આથી તે આપણને એજ નિશ્ચય થયે કે-વેતામ્બરના ગ્રન્થને રચના કાળ દિગમ્બરે કરતાં પહેલાં જ છે. અરતુ! આ વિષયને હવે અહિંયાંજ મૂકી તાબર મતની પ્રાચીનતાના સંબંધમાં હિન્દુધર્મશાસ્ત્રોમાંથી પણ કેવા પુરાવા મળે છે? તે પણ તપાસીએ.
હિન્દુધર્મશાસે શું કહે છે? હિન્દુધમ શાસ્ત્રાની અન્દર પણ શ્વેતાંબર મતના સાધુએનું વર્ણન કરવામાં આવેલું છે. જુઓ
"मुण्डं मलिनं वस्त्रश्च कुण्डिपात्रसमन्वितम् । दधानं पुत्रिका हस्तं चालयन्तं पदे पदे ॥१॥ वस्त्रयुक्तं तथा हस्त क्षिप्यमाण मुखे सदा । धर्मति व्याहरन्तं तं नमस्कृत्य स्थितं हरेः" ॥२॥
શિવપુરાણ, અધ્યાય ૨૧ મે. અર્થ-મુંડ મસ્તક્વાળા, મલિન વસ્ત્રને ધારણ કરનાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
કાકનું પાત્ર હાથમાં ધારણ કરનાર, એક હાથમાં જંતુરક્ષક (રજેહરણ) રાખનાર, પદ પદને વિષે (ધીરે ધીરે) ચાલનાર, વળી વસ્ત્ર યુક્ત છે હાથ જહેના, તે વસ્ત્ર વારંવાર મુખ ઉપર હલાવતા અને ધર્મલાભને ઉચ્ચાર કરતા મુનિ, હરિને નમસ્કાર કરી સ્થિત થયા.
આટલેથી સંતોષ ન થતું હોય તે હજુ આગળ વધી જુઓ– તેજ અધ્યાયને ૨૫ મે અને ૨૬ મે લૈક શું કહે છે –
“ત્તે પાત્ર પાની સુધરે ત્રણ વા | मलिनान्येव वासांसि धारयन्तोऽल्पभाषिणः ॥ २५ ॥ धर्मो लाभः परं तत्वं वदन्तस्ते तथा स्वयम् । मार्जनी धार्यमाणास्ते वस्त्रखण्डविनिर्मिताम् " ॥२६॥
અથો-હાથમાં પાત્રને ધારણ કરનાર, નાસિકા આગળ વસ્ત્રને ધારણ કરનાર, મલિન વસ્ત્રને ધારણ કરનાર, થોડું બેલતે “ધર્મને લાભજ પર તત્ત્વ છે એ પ્રમાણે બેલતા અને વસ્ત્રના કકડાથી બનેલી માર્જની (રજોહરણ) ધારણ કરનાર મુનિ સ્થિત થયા.
જો કે આ વિષય ઉપર લંબાણથી સમાલોચના કરવાની છે, પરંતુ અત્યારે તે ઉદ્દેશ નહિ હોવાથી માત્ર પ્રસ્તુત વિષયને જ અનુસરી આગળ વધું છું) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) પાઠકે! વિચાર કરે, હિન્દુધર્મના પ્રાચીન અને માનનીય ગ્રન્થની અન્દર કેવા મુનિનું વર્ણન કરવામાં આવ્યું છે? “દિગ
મ્બર મુનિઓનું આ વર્ણન છે' એમ કોઈ પણ બુદ્ધિમાન કહી શકે ખરે? છે કોઈ દિગંબર મતાનુયાયી ઉ ક્ત વર્ણનને
દિગમ્બરમતના મુનિનું વર્ણન છે એમ સિદ્ધ કરનાર વ્હારે આવા હિન્દુધર્મના શાસ્ત્રમાં પણ તાંબર મુનિનું વિવેચન કરવામાં આવ્યું છે, હારે હવે તેમ કહેવામાં કંઈ પણ જાતની કચાશ રહી શકે છે ખરી કે શ્વેતાંબર મત પ્રાચીન છે?
હવે કેટલાક પૂર્વાપર વિધી વાક્યોને નહિ જાણનાર દિગંબરે મહાભારતના ત્રીજા પરિછેદની આદિનું વાક્ય (હેની અન્દર માત્ર એક = શબ્દ આવેલે છે) આગળ કરી એમ સિદ્ધ કરવા ચેષ્ટા કરે છે કે – “મહાભારતમાં પણ અમારા દિગંબર મતની ચર્ચા આવેલી છે, જુઓ મહાભારતમાં તે વા
ક્ય આ પ્રમાણે છે– ___ साधयामस्तावदित्युक्त्वा प्रातिष्ठतेोत्तङ्कस्ते कुण्डले गृही त्वा सेोऽपश्यदथ पथि नग्नं क्षपणकमागच्छन्तं मुहुर्मुहुद्देश्यमानमदृश्यमानं च ॥
અર્થ-કોઈ ઉત્તક નામને વિદ્યાર્થી પિતાના ગુરૂની સ્ત્રીને માટે કુંડલ લાવવાને માટે ગયે, કુંડલ લઈને ચાલ્યા આવે છે, તે રસ્તામાં હેણે કઈ દેખતા કંઈ ન દેખતા એક મુનિને વારંવાર દેખ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
હવે ઉપરાક્ત વાક્યમાં આવેલા ‘નગ્ન” શબ્દને લેઇને અમારા દિગમ્બર ભાઈએ પાતાની પ્રાચીનતાના ઝડા ઉઠાવવાની કોશિશ કરે છે, પરન્તુ જે વ્યાસજીએ જૈન મુનિના વેષનાં પ્રમાણેા શિવપુરાણમાં આપ્યાં છે, તેજ બ્યાસજીએ મહાારતમાં પણ ઉપરોક્ત વચન કહેલું છે, ખેર ! તે વાત પણ હું તે કબ્રૂલજ રાખું છું, કેમકે—જીનકલ્પી સાધુએ પણ તે વખતે હતા, એમ અમે માનીએ છીએ અને ઉપરોક્ત શબ્દથી તે ‘જીનકલ્પી' મુનિ હતા, એમ કહેવામાં કાઈ જાતના વિરોધ આવતા નથી. ખરેખર, વિરાધ તા દિગંબર ભાઇને આવે છે, કેમકે એકજ વ્યાસજીનાં તે ખન્ને વચના છે, એટલે એક સ્થળે શ્વેતામ્બર મતના સાધુનું વર્ણન કરે અને બીજી તરફ દિગઅરમતના નગ્ન સાધુનુ વર્ણન કરે, તે કદાપિ સંભવી શકતુંજ નથી, કારણ કે તે સમયમાં દિગમ્બર મતની વિદ્યમાનતાજ ન્હાતી. અત એવ ઉપરાક્ત વાતના ફલિતાર્થ એજ છે કે મહાભારત અને શિવપુરાણમાં પણ શ્વેતાંખર મતના સાધુઓનુ જ વર્ણન છે, માટે એ સિદ્ધ થાય છે કે શ્વેતામ્બર મત પ્રાચીન છે.
હુને આ લેખ લખતાં લખતાં આશ્ચર્ય પણ થતું જાય છે કે, જ્હારે કોઇ પણ વ્યક્તિ કે સમાજ પાતાના કકકા સાચા કરાવવા માટે હઠ પકડેછે, ત્હારે તે ખૂણા ખચકામાંથી ણુ વાક્ય કે શબ્દને શોધી કાઢીને આગળ ધરે છે, પરન્તુ તે વ્હેલાં એટલે વિચાર નથી કરવામાં આવતા કે-હું આ જે વાક્ય જન સમાજની દષ્ટિપથમાં મૂક તે કેટલા અંશે સાચું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) હમણાંજ એક દિગંબરમતના અનુયાયી વિદ્યાર્થીએ ભદ્રબાહુ ચરિત્રનું ભાષાન્તર બહાર પાડયું છે પરંતુ આટલેથીજ સંતોષ ન માનતાં તે મહાનુભાવ, એક લાંબી ચેડી પ્રસ્તાવના લખીને પણ પિતાનું મિત્વ પ્રકટ કર્યા વિના રહ્યા નહિ. જો કે આ પ્રસ્તાવનામાં બતાવેલી કેટલીક યુક્તિઓને જવાબ તે ઉપરના લખાણથીજ આવી ગયું છે, એટલે તે સંબંધી પુનઃ ન લખતાં તે વિદ્યાર્થીએ એક “વરાહમિહિર' નામના
તિષ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનને એક શ્લોક (કે જહેની અન્દર “નગ્નજિનનાં વિદુ:” આ પદ આવેલું છે, તેને ઉદ્ધત કરી પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવા કોશિશ કરી છે, હેનેજ જવાબ આપું છું.
પ્રથમ તે ઉપરોક્ત વાકયમાં નગ્ન શબ્દ દેખી ફૂલી જનાર મહાશયને હું પૂછું છું કે –ત્યમે વરાહમિહિનું દાન તે આપ્યું, પરંતુ પહેલાં વરાહમિહિરના સમયને નિશ્ચય કર્યો છે? અને જે કર્યો હતે તે આ પ્રમાણે નીચ શબ્દને દેખી તે વાકયને આગળ ધરતેજ નહિ કેમકે પરિતિકા ની અંદર વરાહમિહિર પિતે લખે છે કે “શાકે ૪૭ ના સમયમાં આ ગ્રન્થ એ છે ” આથી અમે બતાવેલા દિગમ્બરના સમઅને કઈ પણ રીતે ધકે પહોંચતેજ નથી, અને ભદ્રબાહ ચરિત્રની પ્રસ્તાવામાં આ વાતને જે પ્રમાણ રૂપે ગણવામાં આવી છે, તે પ્રમાણુજ બિલકુલ બિનપાયાદાર ઠરે છે.
હવે કેટલાક દિગમ્બર મતાનુયાયીઓ “નિર્ચન્થ” શબ્દને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) દેખીને એકદમ કહી દે છે કે–જુઓ તામ્બરે પણ નિર્ગન્થને જ માન આપે છે ” જહેવી રીતે “ જેન હિતેષી ના સાતમા ભાગના બારમા અંકમાં જ એક સ્થળે લખવામાં આવ્યું છે કે “શ્વેતાદાત્રાÉ મી નિન્યા મારા ના રે” વાત પણ ઠીક જ છે, કેમકે પ્રથમ તે સમગ્ર વેતાંબર સાયુએનું નામ જ “ નિ9 ” હતું, તે સંબંધી એક પટ્ટાવલીમાં પણ લખ્યું છે કે—“ શ્રીસુઘાશિનો મરીન यावद् निर्ग्रन्थाः साधवोऽनगारा इत्यादिसामान्यार्थाभिधायिन्याख्याऽऽमीत्" ' અર્થાત–નિર્ચન્થ શબ્દથી સાધુ, અનગાર કહેલ છે, કંઈ નિગ્રન્થને અર્થ “નાગ એ પ્રમાણે કરવામાં આવ્યું નથી.
હવે તાંબર મતની પ્રાચીનતાના સંબંધમાં કેટલીક સ્કૂલ યુક્તિએ આપી આ લેખને સમાપ્ત કરીશ.
પહેલાં આપણે મંખલી ગોશાલનું દષ્ટાન્ત લઈએ. જે મંખલી ગોશાલનું નામ, તાંબરેએ માનેલ ભગવતી આદિ અનેક સૂત્રોમાં ઠેકાણે ઠેકાણે આવે છે, તેજ મંખલી ગોશાલનું વર્ણન ના પિકટ ગ્રન્થમાં પણ આવે છે, મ્હારે દિગમ્બરેને એક પણ ગ્રન્થમાં મેખલીગોશાલનું નામ દષ્ટિગોચર થતું નથી. તેથી એ સિદ્ધ થાય છે કે–દિગમ્બરેના ગ્રન્થ, તાબર ગ્રન્થ કરતાં અર્વાચીન જ છે, અને હેના ગ્રન્થજ નવીન રચેલ ઠરે છે, તે મતની પ્રાચીનતા કેવી હોવી જોઈએ? તે વાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ). ચકે સ્વતઃ સમજી શકે તેમ છે.
આ સિવાય આપણે એ પણ જોઈ શકીએ છીએ કે-દિગમ્બરોના શાસ્ત્રની અંદર ઠેકાણે ઠેકાણે કવેતાંબર મતની નિંદા આવે છે, તેથી પણ એ સિદ્ધ થાય છે કે-વેતાંબર મત તે પહેલાને હોજ જોઈએ.
વળી એક હેટામાં હેટી વાત કહેવી રહી જાય છે અને તે એજ છે કે–વેતાંબર મતમાં માનેલા ઉત્તરાધ્યયનાદિ સૂત્રમાં કહેવું છે કે “અજીતનાથથી લઈ પાર્શ્વનાથ સુધી બાવીસ તીર્થકરે, તેમ તેમના સાધુઓ ચાર મહાવ્રતને માનતા હતા, અર્થાત્ ચેથા બ્રહ્મની ગણતરી અપરિગ્રહમાંજ કરી લેતા હતા.
મ્હારે મહાવીરદેવના સાધુઓ શ્રીષભદેવના સાધુઓની માફક પાંચ મહાવ્રતને માને છે. આ વાતને બાદ્ધને પિટક ગ્રન્થ હે કે-“દિનિકાયના સામાન્ય ફલસૂત્રની સુમંગલા વિલાસિની' નામની ટીકામાં બુદ્ધઘે જે લખ્યું છે, તે સંબન્યમાં ડે. જેકેબી મહાશય મૂલગ્રન્થકાર તથા ટીકાકારની ભૂલ બતાવતાં સ્પષ્ટરૂપે પિતાની ૧૮૯૪ની પ્રસ્તાવનાના ૨૧ મેં પાને લખે છે કે –
'For the Pali chatuyama is equivalent to the Prakrit chatujjam, a well klown Jain.. term which denotes the four vors of Parsliva in contradistinction to the five voms (Pancha Mabayvaya) of Mahavira.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૨ ). અનુવાદકારણ કે પાલી “ચાતુયામ” શબ્દ પ્રાકૃત “ચાતુજામની બરાબર છે. “માતુર જામ કે જે મહાવીરના પાંચ મહાવ્રતથી ભિન્ન શ્રી પાર્વના ચાર વ્રતનું જ્ઞાપન કરનાર એક પ્રસિદ્ધ જૈન (પારિભાષિક) શબ્દ છે.
આ ભેદ દિગંબર મતમાં બિલકુલ બતાવવામાં આવ્યું નથી. તેથી પણ એ સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે કે-ટ્વેતાંબર મતજ પ્રાચીન છે.
વળી ધમ્મપદ ઉપર બુદ્ધષની ટીકામાં કહેવું છે કેનિ (સાધુઓ) નીતિ મર્યાદાને માટે એક જાતને કપડે રાખે છે અને તેજ વાતને અનુસરતું શ્વેતાંબર ગ્રન્થમાં પણ કહ્યું છે કે –
“નિતારિવાતિનિનોર્થપૂનાં નુસ્નાન વદુमूल्यविविधवर्णवस्त्रपरिभोगाऽनुज्ञासद्भावेन सचेलकत्वमेव, केषाश्चित् श्वेतमानोपेतवस्त्रधारकत्वेन अचेलकत्वमपि, इति अनियतस्तेषामयं कल्पः, श्रीऋषभवीरनीर्थयतिनां च सर्वेषामपि श्वेषमानोपेनजीर्णायवस्त्रधारित्वेन अचेलकत्वमेव"
આથી પણ સિદ્ધ થાય છે કે બૌદ્ધ ગ્રન્થનું અને . તાંબર ગ્રન્થનું કથન એક હોવાથી શ્વેતાંબર મત પ્રાચીન જ છે, કેમકે દિગબર તે સર્વથા નાગા રહેવાનું જ પસંદ કરે છે.
હવે લેખને ઉપસંહાર કરવા પહેલાં એટલું બતાવવું આવશ્યક ધારું છું કે-દિગંબરાચાર્યોએ પોતાને મત ચલાવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૩ ) કેવા રૂપમાં ચિતરી નાંખે છે? અર્થાત્ તેના અંતઃકરણમાં માટે કવેતામ્બર મતને કે છેષદાવાનળ રહેલે હે જોઈએ? હેને બતાવનાર એક નમૂને અહિં રજુ કરૂં છું.
દિગંબર મતમાં થઈ ગયેલ દેવસેન નામના આચાર્ય પોતે વિ. સં. ૯૯૦માં બનાવેલા “દર્શનકાર' નામના ગ્રન્થમાં લખે છે કે –
" अण्णं च एवमाई आगम रट्राइ मिच्छमत्थाई । विरइत्ता अप्पाणं पडिठवियं पढमए णिरए" ॥१५॥
અર્થા– ઈત્યાદિ અનેક આગને સ્થાપિને, મિથ્યાશાસ્ત્ર બનાવીને, પિતાને આત્માને (દુછ જિનચન્દ્ર) પહેલી નરકમાં સ્થાપન કર્યો.
વાંચક! વિચાર કર, એક મુનિના અન્તઃકરણમાં કેટલે બધે ઠેષ વ્યાપી રહેલે છે? ખેર! પહેલાં તે હું તેજ પૂછું છું કે–તે દેવસેનાચાર્ય વિ. સં. ૯૯૦માં તે “દર્શન સાર” નામને ગ્રન્થ બનાવે છે, તે શું તે વખતે દેવસેનને અવધિજ્ઞાન થયું હતું કે હેથી હેમણે જાણી લીધું કે–જિનચન્દ્ર પહેલી નરકમાં ગયા? આ દેવસેનના લેખથીજ એ સિદ્ધ થાય છે કે-વેતાંબર મતના સંબંધમાં તેઓએ જે કલ્પનાઓ કરેલી છે, તે સવથા અસત્ય તેમજ છેષ પ્રયુક્તજ છે. આવી જ રીતે આપણે ભદ્રબાહુ ચરિત્રના બનાવનાર “રત્નન દીની વાકજાલ થી તપાસીએ. તે મહાનુભાવ પિતાના બનાવેલા “ભદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
બાહુ ચરિત્ર' માં એક સ્થળે લખે છે કે –
'श्वेतांशुकमतोद्भूतमूढान् ज्ञापयितुं जनान्' આ એક વાક્ય ઉપરથી આપણને માલુમ પડે છે કે–ભદ્રબાહુ ચરિત્ર, કેવળ દ્રષબુદ્ધિથી વેતાંબર મતના ખંડનને માટેજ જુડું જોડી કાઢેલ છે, આ સિવાય તેજ ભદ્રબાહુ ચરિત્રના કર્તા અને ભાષાન્તર કર્તામાં, લંપક મત સંબંધી પણ કેવી અજ્ઞાનતા રહેલી છે તે પણ જુઓ. તેઓ ભબાહુ ચરિત્રમાં એક સ્થળે લખે છે કે –
"मृते विक्रमभूपाले सप्तविंशतिसंयुते । दशपश्चशतेऽब्दानामतीते श्रृणुतापरम् ॥ लुंकामतमभूदेकं लोपकं धर्मकर्मणः । देशेऽत्र गौर्जरे ख्याते विद्वत्ताजितनिर्जरे ॥ अणहिल्लपत्तने रम्ये प्राग्वाटकुलजोऽभवत् । लूकाभिधो महामानी श्वेतांशुकमताश्रयी ॥ दुष्टात्मा दुष्टभावेन कुपितः पापमण्डितः ।
तीव्रमिथ्यात्वपावन लुङ्कामतमकल्पयत् " ॥ અર્થાત-વિક્રમરાજાને મૃત્યુ બાદ ૧૫૨૭ વર્ષે ગુજરાત દેશના અણહિલનગરમાં પ્રાગ્વાટ (પિરવાળ) વંશીય હુંકા નામને એક મહામાની દુષ્ટ, પાપી, કૅધી સફેદ કપડાંને ધારણ કરનાર થયે, તે દુષ્ટ તીવ્ર મિથ્યાત્વના ઉદયથી લંકામતને પ્રાદુર્ભાવ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૫).
આ કથન કેટલું સત્ય છે તે જુઓ, લંકામત ગુજરાતની અન્દર આવેલા અમદાવાદ શહેરમાં દશા શ્રીમાળી જ્ઞાતિના હુંકા નામના લેખક (લહિયા)થી ઉત્પન્ન થએલે છે, અને તે વાતને ખાસ લકા વિગેરે ગચ્છવાળાઓ પણ કબૂલ રાખે છે, જ્યારે ભદ્રબાહુ ચરિત્રના કર્તા તે ઇદં તૃતીયં વેતરી નાખે છે. આ કેટલી બધી અજ્ઞાનતા સૂચવે છે તે વાંચકે સહજ જોઈ શકશે.
આ સિવાય તે ભદ્રબાહુ ચરિત્રના ભાષાન્તર કર્તાએ તે ઉપરોક્ત શ્લોકોના અર્થમાં પણ કેટલીએક ભૂલ કરી છે, જહેવી કે લંકા મતને હૂંડીયા મત જણાવે છે, અને પ્રાગ્વાટ કુલને કુલુંબી વંશ લખે છે, પરંતુ આથી તે હેણે પિતાની મેટી મૂર્ખતા સૂચવી છે.
ઉપસંહાર હવે લેખને સમાપ્ત કરતાં ઉપસંહાર રૂપે એટલું કહેવું આવશ્યક ધારું છું કે-નગ્ન રહેવામાં કંઈ અપરિગ્રહપણું કે અલકપણું સમાએલું નથી. હરકોઈ વરતુ ઉપર મૂર્છા કરવી હેનું નામજ પરિગ્રહ છે. નગ્ન રહીને, સાથમાં માલ મશાલાના કે ભરી રાખે, તે તેથી નિષ્પરિગ્રહપણું કહેવાતું નથી.
કેટલાક દિગંબરે એમ માને છે કે-વેતાંબર શાસ્ત્રામાં પરિગ્રહ ધારીને મેલ લખેલ છે. પરંતુ આ કહેવું સર્વથા અસત્યજ છે. તાંબર મતાનુયાયી તે પરિગ્રહધારીમાં સાધુપણુંજ માનતા નથી. વેતાંબર શાસ્ત્રોમાં મૂછાને પરિગ્રહ માShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૬ ) નેલ છે, પરંતુ ધર્મોપકરણને પરિગ્રહ માન્ય નથી, અને તેજ વાતને દિગંબર આચાર્યો પણ કબૂલ કરે છે, જુઓ જ્ઞાનાણુંવના કર્તા શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવના સાળમા પ્રકરણમાં લખે છે કે –
"निःसङ्गोऽपि मुनिर्न म्यात् सं यूजउन संगवर्जितः ॥ यतो मूछैव तत्वज्ञैः संगसूतिः कीर्तिता" ॥१॥
અર્થત-જે મુનિ નિઃસંગ હોય, એટલે કે બાહ્ય પરિગ્રહથી રહિત હોય, અને જે મમત્વ કરતે હોય તે તે નિષ્પરિગ્રહી થઈ શકે નહિ, કેમકે તવજ્ઞાની વિદ્વાનોએ સુચ્છ તેજ પરિગ્રડની ઉત્પત્તિનું સ્થાન માનલ છે
આ ઉપરથી કદાચ કોઈ એમ કહે કે- જે સાધુ ધર્મેપકરણ રાખશે, તે હેને અવશ્ય મૂરછ થશે, તે પછી હેને પરિગ્રહને ત્યાગી કેમ કહી શકાય? પરંતુ આમ શંકા કરનાર દિગંબર ભાઈએ પોતે માનેલા આચાર્ય શ્રી શુભચન્દ્રાચાર્યનાજ વચનનું પહેલાં સ્મરણ કરવું જોઈએ છે, જુઓ તેજ આચાર્ય જ્ઞાનાણવના અઢારમા પ્રકરણમાં શું કહે છે –
" शय्यासनोपधानानि शास्त्रोपकरणानि च । पूर्व सम्यक् समालोच्य प्रतिलिख्य पुनः पुनः ॥ १२ ॥ गृहणतोऽस्य प्रयत्नेन क्षिपतो वा धरानले । મારાવિઝા સાપોવાનHપતિઃ ર” || ૩ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
(૨૭). અર્થ-જે મુનિ શય્યા, આસન, ઉપધાન, શાસ્ત્ર અને ઉપકરણ, દિવસે પહેલાં સારી રીતે જોઈને અથાત્ વારંવાર પ્રતિલેખન કરીને યત્નપૂવક ગ્રહણ કરને, તથા તેજ પ્રમાણે કરી પૃથ્વી ઉપર મૂકે છે, તે અવિકલ (પૂર્ણ) આદાનનિક્ષેપણુસૂમિતિ પાળે છે.
ઈત્યાદિ અનેક રીતિથી સિદ્ધ થાય છે કે–સાધુને ઉપકરણે રાખવાની ખાસ જરૂર છે, અને તે ઉપકરણે ઉપર જે મૂચ્છો ન રાખવામાં આવે તેજ નિષ્પરિગ્રહપણું કહી શકાય
અન્તમાં દિગમ્બર મતાનુયાયીઓને એટલી સૂચના કરું છું કે-મહાનુભાવો ! જે પ્રાચીન છે તે, ગમે તેટલી કુયુક્તિઓ કે પ્રપંચે રચવાથી પણ અર્વાચીન થનાર નથી, અને જે અવિચીન છે તે પ્રાચીન થનાર નથી, આવા પુરાણા ઝઘડાઓમાં
વ્યર્થ સમયને વ્યય કરે, આ વધવાના સમયમાં ઉચિત નથી. લેખ લખનારાઓએ પણ એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે-ગાલીપ્રદાન કે હેવી બીજી કુયુક્તિઓનું શરણ લેવાથી લાભ થતું નથી, માટે હર કઈ લખનારે સીધે સીધી રીતે પિતાના ઉદેશને અનુસરી લખાણ કરવું તેજ શ્રેયસ્કર થાય છે.
છેવટ-હારી તે એજ આંતરીક ભલામણ છે કે જેના ત્રણે ફિરકાઓ એક સંપી થઈ જૈનધર્મનાં મુખ્ય તને ફેલાવે કરે, એક તાંબર દિગંબર થશે તે તેથી ૧૪ લાખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
(૨૮) ને ૩૪ હજારની સંખ્યામાં વધારો થનાર નથી, એક દિગબર
તાંબર થશે તે તેથી પણ ઉપરોક્ત સંખ્યામાં વધારે થનાર નથી, માટે ત્રણે ફીરકાઓ મળી ઉપરેક્ત સંગ્યામાં વધારે થાય, અહિંસા ધર્મને ફેલાવો થાય અને મહાવીર દેવની સાચી ભક્તિ સચવાય, હેવા ઉપાયે જે અને સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ રત્નત્રયની પ્રાપ્તિ કરવા પૂર્વક દરેકને મેક્ષ થાઓ. એજ અંતઃકરણથી ઈછી આ લેખને સમાપ્ત કરૂં છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
(૨૯)
પ્રોવિઝાધર્મસૂભ્યિો નમઃ | શ્વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર?
(ટેક્ટ નં. ૨)
એતે ખરૂં છે કે જમ્હારથી ઇતિહાસ તત્વ તરફ લેકની પ્રજ્ઞાએ પ્રયાણ કર્યું છે, હારથી દિન-પ્રતિદિન અમુક વાતની પ્રાચીનતાના વિષયમાં ઘણી જ સરળતા પ્રાપ્ત થવા લાગી છે. ઈતિહાસ શેધકે એ વાતને નિર્ણય આસાનીથી કરી શકે છે કે અમુક બે વસ્તુઓમાં પ્રાચીન કેણ છે અને અર્વાચીન કેણ છે? પરંતુ એટલું તે જરૂર કહેવું પડશે કે, એતદેશીય લેકમાં હજુ તે શેખે જોઈએ હે પ્રવેશ કર્યો નથી, તેપણ પાશ્ચાત્ય પ્રજાની દેખાદેખી અથવા કહે કે એવાં જ બીજા કેઈ કારણથી એતદેશીય કેટલાક મહાનુંભાવે, તે વિષયમાં ચંચું પ્રવેશ કરતા દેખાયા છે, આ કંઈ થી આનંદજનક વાત નથી. સંભવ છે, કોઈ સમય આપણે માટે એ પણ આવશે કે, આપણે હજારે ભારતવાસી બધુએની પલટન ઇતિહાસ તત્ત્વવેત્તા તરીકેની જેવા ભાગ્યશાળી નિવડીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૩ ) ઇતિહાસવેત્તાઓ કેવી કેવી અજાયબીભરેલી વાતને પ્રકાશિત કરે છે કે, જહેને જાણીને સાંભળીને, હેને અસલી આન દ. તેજ મનુષ્ય અનુભવ કરે છે કે, જાહેણે તે વિષયમાં લગાર માત્ર પણ પ્રશ કર્યો છે. સેંકડો વર્ષોથી હે વાતે કેઈને મગજમાં લગાર પણ ઠેકર ન ખાધી હોય, તે વાતને પણ આબેહુબ રીતે બતાવી આપનારા ઈતિહાસવેત્તાએજ છે. અસંભવિત લાગતી વાતોને પણ સરાસર સંભવિત શું? પ્રત્યક્ષ બતાવી આપવામાં ઇતિહાસવેત્તાઓજ સફળ નિવડે છે અને હું ન ભૂલતે હેઉ તે સત્ય અને અસત્યને ગુપ્ત - ચા આવતે ઝઘડે નિપટાવવામાં પણ ખરેખર ઇતિહાસવેત્તાઓ ન્યાયાધીશને હે ભોગવે છે.
એવું આજ સુધી કેને જાણવામાં હતું કે–આજકાલ પ્રચલિત “પંતજ્ઞ પં. વિષ્ણુશર્માનું નહિં, પરંતુ એક જૈનાચાર્યનું બનાવેલું છે? અને આજ સુધી એ કેણ જાણતું હતું કે–પં. વિઘણુશર્માના બનાવેલા “વંત્રતત્ર” નું મૂળ પણ જૈન કથા વ્રજ છે? પરંતુ મને કહેવા છે કે, ડો. હર્ટલ મહાશયનેજ મુબારકબાદી ઘટે છે કે–જહેઓએ ઇતિહાસ ઉપરથી એ વાત સિદ્ધ કરી આપી કે–પ્રચલિત “વંતત્ર વિષ્ણુ શર્માનું નહિ, પરંતુ તે એક જનચાર્યની કૃતિનું છે. અને પં. વિષ્ણુશર્માના બનાવેલા
તત્ર”નું મૂળ પણ જૈન કથા ગ્રન્થ જ છે. હેવીજ રીતે મન-મનાતની પ્રાચીનતા–અર્વાચીનતાના સંબંધમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
ઘણાએક વિદ્વાના ઘણે ભાગે નિણય કરતા જાય છે. તે અનુસાર આજના શ્વેતામ્બર—દિગમ્બરે ની પ્રાચીનતા—અવાચીનતાના વિ'યને પણ ઇતિહાસવેત્તાએ ભૂલ્યા નથી. પ્રાાત્ય સારા સારા ઉચ્ચકોટિના વિદ્વાનોએ ત્યેના નિર્ણય કર્યેા છે, અને તે વાતના ઉલ્લેખ, ઝ્હાં સુધી બન્યું, હું મારા પ્રથથમના લેખમાં ટ્રેક્ટ નં. ૧ માં) કરી પણ ચક્રયા છુ.
વાંચકોએ જોયુ હશે કે—મ્હેં મારા પ્રથમના ‘શ્વેતાઅર્ પ્રાચીન કે દિગમ્બર ?’ નામના લેખમાં ઇતિહાસ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ અને યુક્તિ પ્રમાણથી એ સિદ્ધ કરી બતાવ્યું છે કે—' શ્વેતામ્બર અને દિગમ્બર્ એ એ ક્રિકાઓમાં શ્વેતામ્બર’પ્રાચીન છે. ’ પરન્તુ વાંચો એ વાતને સારી પેઠે જાણતા હશે કે—આગ્રહદેવના ઉપાસકેા ગમે હેવી સારી વાત હોય તે પણ તે સ્વીકાર—માન્ય કરતા નથી. સ્વીકાર કરવાની—માન્ય કરવાની વાતતા દૂર રહી, પરન્તુ પથરા લેઇને પાછળ ન પડે, તેાજ મોટા ઉપકાર કર્યેા કહેવાય.
અમારા દિગમ્બર ભાઇઓને માટે આ ઉપર્યુક્ત નિયમ કઇક લાગુ પડતા હાય, એમ દેખાય છે. મ્હારા પ્રથમના લેખ ઉપ થી, તેઓને બુદ્ધિમત્તાથી અથવા કહો કે તટસ્થપણાથી સમીક્ષા કરવ નું તે નજ સૂઝ્યું, પ્રદ્યુત મ્હારૂ' તેજ સાચુ’ આ વ્હેમના અસલી સિદ્ધાન્તને ચરિતાર્થ કરવાનુ તેઓએ ઉચિત ધાર્યું, · પેાતાને કાઢેલા કર્મોોજ ખરી, બાકીના બધા ખાટા ' આજ બાલચેષ્ટા, તેના ‘ પ્રાચીન દિગમ્બર અવા
૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
--
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૩ર) ચીન વેતામ્બર” નામના ટેકટમાં દેખીને ખરેખર આ લેખકને દયા આવે છે. ખરું કહું તે “પ્રાચીન દિગમ્બર–અર્વચીન શ્વેતામ્બર” આ ટ્રેકટ શું છે? બાલચેષ્ટાઓને ભંડાર છે. અથવા એથી પણ બીજા શબ્દોમાં કહું તે આગ્રહદેવતાજ પુસ્તકરૂપે પ્રકટ થયા છે. હું નથી ધારતે કે કઈ પણ મનુષ્ય, કે જહેનામાં લગાર માત્ર પણ યુક્તિપ્રયુક્તિને સમજવાની શક્તિ છે, અથવા સત્યાસત્યનો વિચાર કરી શકવાનું સામર્થ્ય છે, તે ઉપયુક્ત ટેકટને વાંચીને, હેના લેખક તરફ તિરસ્કારની દ્રષ્ટિથી જોયા વિના રહી શકે? અને તેજ વાતને પુરા હું હમણાંજ થોડે દૂર જઈને આપીશ. ખેર ! આ વાત ઉપર વિશેષ રામકહાણી ચીતરવાને હું બંધાએલે નથી. મારી મુખ્ય ફરજ અથવા મુખ્ય ઉદ્દેશ તે, શ્રીમાન નેમિનાથ પાંગલેનું કટ, કેવું યુક્તિ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ કે ઇતિહાસ પ્રમાણથી દૂર રહેલું છે? તેજ બતાવવાનું છે, અને તેટલાજ માટે હું આ લેખના ઉપકમને સમાપ્ત કરી, મહારા મૂલ ઉદ્દેશ ઉપર આવું છું.
“વતો વાઘાત:”નું એક ઘણું જ સુંદર ઉદાહરણ હને મિ. પાંગલેના પ્રત્રન ફિશ્વર-અર્વાચીન દૈતન્ના નામના ટેકટની શરૂઆતમાંથી મળી આવે છે. મિ. પાંગલે કહે છે કે –
“સનાતન જન ધર્મના દિગમ્બર અને કવેતામ્બર આમ્નાય પિકી પ્રાચીન કોણ? એ પ્રશ્ન વારંવાર આપણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
(૩૩) આગળ આવતું હોવાથી, જે તે આમ્નાયવાળા આ પ્રશ્નને ઉત્તર પિતાનાજ આમ્નાય પ્રમાણે આપી ટી જાય છે, પણ ખરે પંથ ક્ય છે? દિગબર કે વેતામ્બર ? એને પક્ષ પાત રહિત કેઈ પણ જવાબ આપતા નથી. એનું કારણ પિતાપિતાના પંથ માટેને અંધ પ્રમજ છે.”
વફા ને નિયમ આ ઉપર્યુક્ત વાકયમાં કે સુંદર રીતે લાગુ પડે છે, તે આપણે તપાસીએ.
* પાંગલે મહાશયના ઉપયુક્ત કથનથી એ વાત સાફ પ્રકટ થઈ આવે છે કે – કતાર કે દિગમ્બર, કઈ પક્ષપાત રડિત જવાબ આપતા નથી. ” અને હેનું કારણ તેઓ અંધ પ્રેમ બતાવે છે. અર્થાત્ “વેતામ્બર–દિગમ્બરે અને અંધ પ્રેમી છે, ” આ તેને ફલિતાર્થ છે. પરંતુ આગળ ચાલતાં તે તેઓ લખે છે કે –“મુનિ વિદ્યાવિયજીએ કવેતામ્બર પ્રાચીન કે દિગમ્બર ? એવો એક લેખ લખી પિતાના અંધ પ્રેમની પરાકાષ્ટા કરી છે.”
આ લખાણથી સ્પષ્ટ જણાઈ આવે છે કે –તેઓ પિતે અંધ પ્રેમીઓની કલાસમાંથી પોતાનું નામ કમી કરાવાની ચેષ્ટા કરે છે. પહેલાં તે પોતે જ કડી ગયા છે કે–વેતામ્બરે અને દિગમ્બરે બને અધ પ્રેમી છે. પરન્તુ પાછળથી “તા દયાધાત ના નિયમને ચાવી પાનને બચાવ કરે છે. શું કઈ પણ રીતે તેઓનો બચાવ થઈ શકે તેમ છે? કદાપિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
( ૩૪ ) નહિ. કઈ પણ અંશમાં તેઓનો બચાવ તે ત્યારે જ થઈ શકતે કે વ્હારે હેમણે દિગમ્બર કે શ્વેતામ્બર, કોઈના પણ પક્ષમાં ન પડી તટસ્થપણે લેખ લખ્યું હતું, પરંતુ હેમાંનું તે કંઈ પણ હેમના લેખમાં દેખાતું જ નથી. ખરૂં જેવા જઈએ તે અધ પ્રેમની પરાકાષ્ટાની પણ પરાકાષ્ટાએ દિગ
મ્બર ભાઈઓ જ પહોંચેલા છે, અને તે વાત તેઓના જૂઠા આક્ષેપ, વ્યર્થ ઝઘડાઓ તથા તામ્બરે પ્રત્યેની નિંદાજ બતાવી આપે છે. વધારે દુર શા માટે જઈએ? આ ટ્રેકટર લેખકે કેવી સભ્યતાથી લખેલું છે ? તે જેવાથી સહજ અનુમાન થઈ આવે છે. ઇતિહાસ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણે કે યુક્તિ પ્રમાણથી પિતાની પ્રાચીનતા સિદ્ધ કરી આપનારને “અંધ પ્રેમની પરાકાષ્ટા કરી છે” આમ કહેવાનું સાહસ તે, અમારા દિગમ્બર ભાઈઓમાં પ્રખ્યાતિ પામેલા એડિટરાચાર્ય મિ. પાંગલે મહાશય સિવાય બીજામાં કડાંથી જ હઈ શકે ?
આગળ ચાલતાં તેઓ લખે છે કે –“એવડે માટે પ્રયત્ન કરી ડુંગર બેદી ઊંદરજ કાઢયે છે.”
હું નથી સમજી શકતો કે આ કથનથી તેઓએ પિતાની શી બહાદુરી બતાવી? લેખક મહાશયની બકુદરી કે ઉપર્યુક્ત ઉક્તિ લખવાનું ચરિતાર્થપણું તે હારેજ લેખી શકાત કે મહારા લખેલા લેખની યુક્તિઓનું ઐતિહાસિક, શાસ્ત્રીય કે યુક્તિ દ્વારા ખંડન કર્યું હતું. અતુ!
પાંગલે મહાશય આગળ ચાલતાં લખે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૩૫ ) “દિગમ્બર અને વેતામ્બર ભાઈઓ જે જે બાબતેમાં મળતા હોય, તે તે બાબતે માં મળીને તેઓએ વીરપ્રભુની ખરી ભક્તિ કરવાની છે, આ મત જાહેર કરનારા મુનિએ ફરીથી આ વાદમાં ઉતરવું, એ નવાઈ જેવું છે.'
આ તેઓનું લખાણ, આપણને તેઓના મનને અભિપ્રાય જોખી રીતે બતાવી આપે છે ક–અમે (દિગમ્બર) ગમે તેટલું લખીએ, પણ ન્હમારે (તાઓએ) કંઈ લભવું નહિ.” કે સુંદર ન્યાય ? કેવી સુંદર જબરદસ્તી ? ખરેખર, આ જબરદસ્તી, અલ્લાઉદ્દીન ખિલજીની જબરદસ્તીથી કંઈ કમતિ નથીજ
હવે લખવાની ચાલબાજીમાં મિ. પાંગલે મહાશયે વિશારદતા પ્રાપ્ત કરી હોય, એમજ માલુમ પડે છે. હે નિયમ હમેશાને માટે પોતાના ઉપર લાગુ પડતું આવ્યું છે, તેજ નિયમ શ્રીમાને કવેતામ્બરે ઉપર લગાવ્યું છે. શ્રીમાન લખે છે“જ: સ્વમ દિ ચકિત જ નિ ચં ટુતિ. નિયમ તે ઠીક છે, પરંતુ હેની માળા તે આપના ગળાનેજ શેભા દે છે. એ શેભાથી કવેતામ્બરો હજુ બહુ દૂર છે.
એ તે ખરી વાત છે કે-હેને જહેવી ધૂન લાગેલી હોય, હેની દ્રષ્ટિ તે તરફ વધારે વળે છે. શ્વેતામ્બરે પુરાણેને નથી માનતા, અથવું વતાર શાસ્ત્રામાં પુરાણ સંજ્ઞાવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
(૩૬ ) કેઈ પણ શાસ્ત્ર છે જ નહિ, એ વાત સારી આલમ જાણે છે, તે છતાં મિ. પાંગલે મહાશય લખે છે કે –
“તેમણે પિતાના પુરાણમાંની કથાનું જે જે પ્રદર્શન કર્યું છે.................... વાહ ! કેવું આશ્ચર્ય ? શું આ તેઓનું લખવું સત્ય વાતની ટાંગ તેડવા બરાબર નથી કે ? મહાનુભાવ! વેતામ્બરે પુરાણને પ્રમાણે નથી માનતા, પરંતુ મહાવીરદેવના સિદ્ધાન્તોને પ્રમાણ માને છે. આથી દિગમ્બર- ભાઈએને મ્હારે જણાવવું જોઈએ કે જહેવી રીતે અમારા (તામ્બરેના) સિદ્ધાન્ત મહાવીરદેવકથિત-ગણધર રચિત માનવામાં આવે છે, અને હેના પ્રમાણમાં અંગાદિની વિદ્યમાનતા બતાવવામાં આવે છે, હેવીજ રીતે હુમારાં શાસ્ત્રોમાંથી, મહાવીર દેવે ઉપદેશેલા અને ગણધરોએ રચેલા, અંગોમાં કઈ પણ ભાગ કાઢી બતાવે, તે હું હમને હાદિક ધન્યવાદ આપ્યા વિના રહીશ નહિં. અને જે હેમાંથી કંઈ પણ ભાગ ન નિકળે તે પછી મહારા પ્રથમના લેખમાં કહેવા પ્રમાણે દિગ
અર શાસ્ત્રો બિલકુલ કપિત—-નવા બનેલા છે, એ વાત ચોક્કસ રીતે સિદ્ધ થાય છે.
પ્રિય પાઠક ! મિ. પગલે કહે છે કે -
ડ, ભાંડારકરને હું પક્ષપાતી નથી, અથવા મુનિ વિદ્યાવિજયજીને હું ષ કરતું નથી.”
શું આ તેઓ સત્ય કહે છે? આ વાત તે વાંચક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
(૩૭)
હારેજ સાચી માનવાનું સાહસ કરતે કે, હારે “અંધ પ્રેમની પરાકાષ્ટા આદિ ષસૂચક શબ્દોની જ ન દેખવામાં આવતી. અથવા તે યુક્તિઓનું આલંબન કરીને જ પિતાનું જ ટ્રેકટ પુરું કર્યું હતું. પરંતુ તે તે શ્રીમાનના ટેકટથી હજારે કેશ દૂર ગયું છે. એટલે પછી લેખક ગમે હેવું તટસ્થપણું બતાવે, પરંતુ હેનું ફળ સિવાય હાસ્યાસ્પદ, બીજું કંઇજ હેઈ શકે નહિં.
એમાં તે કંઈ મીનમેખ જેવું છેજ નહિ કે-હે પ્રાચીન છે તે પ્રાચીન જ રહેશે–કહેવાશે, અને જહે અર્વાચીન છે, હેને માથે અર્વાચીનતાને જ ટોપલે રહેવાને. પછી ભલે અર્વાચીન દિગમ્બરે, પ્રાચીન વેતામ્બર મૂતિઓને પિતાની બનાવવા માટે તીર્થસ્થાનમાં ઝગડા કરે, અને પિતાન. દ્રવ્યનું પાણી કરે, તેમ કરવાથી દિગબર ભાઈઓની ખીચડી કદાપિ પકવાની નથી. હુને બહુ દયા આવે છે કે–મિ. પાંગલે મહાશયે પિતાના ટેકટના પાંચમા પૃષ્ઠમાં આ સંબંધી બે ચાર આંસુ પાડી પિતાના હૃદયની વાળા બહાર કાઢી છે. જહે ચાલબાજી, તેઓ પિતાની અનુભવે છે, તે વાતના બાજીગર તેઓએ કતાબને ગયા છે; પરન્તુ ઠીક છે, સ્વભાવમાં પણ એક વિલક્ષણ સા. મર્થ્ય રહેલું છે. તે પણ મહારે દિગંબર ભાઈઓ પ્રત્યે જણાવવું જોઈએ કે “ભાઈઓ! બ્રિટિશ તેજના અજવાળામાં મુષ્ટા મુષ્ટિ કે કેશાશિથી કંઈ વળવાનું નથી. જહેવી રીતે
શ્વેતામ્બર આચાર્યોએ, તે તે તીર્થોનાં વર્ણન, પિતાના ગ્રન્થમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
( ૩૮ ) કરેલાં, જાહેર કરવામાં આવે છે, હેવીજ રીતે હમે પણ એવા પ્રાચીન પુરાવાઓથી, તે તીર્થોમાં પિતાનું સ્વત્વ પ્રકાશિત કરે, તે ખુશીની સાથે હેમાં ૯મારો હક પણ લખી શકાય, પરંતુ મજાને માલ દેખી માલિક બની બેસવાની કેશિશ કરવી, એ તે સરાસર, સભ્ય પુરૂષને અછાજતુંજ વર્તન ગણી શકાય.
મિ. પાંગલે મહાશયનું “આખરે ચાર અંગ્રેજોને આધાર આપીને પણ તેમને લેખ પૂરે થયે નહિ ” આ લખવું પણ બિલકુલ બેહદુજ માલૂમ પડે છે કેમકે મિ. પાંગલે કેવલ ડે. ભાંડારકરના વિચારને વેદવાક્ય માની, નહિં પ્રાચીનતાને પ્રાચીનતા સિદ્ધ કરવા લાગી પડ્યા, તે પછી હે ચાર પાશ્ચાત્ય વિદ્વાનોના અભિપ્રાય ટાંકી બતાવી સત્ય વાતને પ્રકાશિત કરી, હેમાં મિ. પાંગલેને ચુંક આવી, એ પણ તેઓની અસહ્ય પ્રકતિજ બતાવી આપે છે. બુદ્ધિમાન અને સત્યપ્રિય મનુષ્ય આવી રીતે દડા રેવામાં બહાદુરી નથી સમજતા, પરંતુ હામાની યુક્તિઓનું ખંડન કરવામાં જ બહાદુરી સમજે છે, અને તે અનુસાર મિ. પાંગલે મહાશયે મહારા આપેલા ચાર પાશ્ચાત્યવિદ્વાનોના અભિપ્રાયનું ખડન કર્યું હતું, તે જનસમાજમાં તેઓ જરૂર પ્રશંસાને પાત્ર નિવડતું.
હવે પગલે મહાશયે કરેલા વિષય પ્રવેશનું અવલોકન કરીએ.
મિ. માંગલે મહાશયે વિષયપ્રવેશ કરતા એક યુક્તિ આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
(૩૯). એટલા માટે દિગમ્બર લેક ( conservative ) મૂળ રિવાજને વળગી રહેનારા અને કવેતામ્બર લોક (liberal) સુધારા વધારા કરનારા છે એમ કહેવામાં કોઈ વાંધો નથી. પહેલેથી જ તેઓ ( liberal ) સ્વતંત્રતાને ચહાતા હોવાથી તેમણે દેશ-કાળ અને સમય અનુસાર ઘણાજ જલદી સુધારા પિતાનામાં દાખલ કર્યો છે.”
આ વાતથી તેઓ એમ કહેવા માંગે છે કે –“નગ્નપણે રહી શકાયુ નહિ ત્યારે મુનીએ વસ્ત્ર પહેરવાં, એવો સુધારો કર્યો, હેમાં તેઓ પ્રમાણ આપે છે કે–વેતામ્બરે પરદેશમન, વ્યાપારમાં સાહસ, ગ્રન્થ છપાવવા વિગેરે કાર્યો કરતા જાય છે, તેમજ પાઠશાળાઓ, હાઈસ્કૂલ, પાંજરાપોળ વિગેરે કાર્યો સમયાનુસાર કરતા જાય છે.
કેટલું બધું આશ્ચર્ય ? વિદ્યાપ્રચારને માટે, ધર્મ પ્રચારને માટે, વેતામ્બરે કંઈપણ ઉદ્યમ કરે છે, તે તેથી હેને આધાર લઈ પગલે મહાશય કહે છે કે – “વસ્ત્ર પહેરવાને પણ સુધારે કર્યો. આથી અક્કલની સીમા બીજી કઈ હોઈ શકે ? પહેલાં તે કવેતામ્બરે એ પ્રમાણે માનતા નથી, તે છતાં તેઓ લખે છે કે કવેતામ્બરે એ પ્રમાણે કબુલ કરે છે’ હું પૂછું છું કે-શ્વેતામ્બરના કયા ગ્રન્થમાં એ પ્રમાણે લખ્યું છે? તે બતાવશે કે ? હને કહેવા કે, યદિ સુધારા તરફ જ દેખવામાં આવતું હોય તે શું દિગમ્બર આચાર્યો સુધારા કરતા નથી આવ્યા ? જે સુધારા શ્વેતામ્બરના બતાવ્યા, તેજ સુધારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
(૪૦ ) અથવા કહો કે કાર્યો, દિગમ્બર સંપ્રદાયમાં શું નથી થવા પામ્યાં ? અને હેવીજ રીતે તેથી આગળ વધીને જુઓ–પહેલે પહેલા દિગમ્બર સાધુઓ નગ્ન ( માતાના પેટમાંથી નિકળ્યા હેવાજ ) ધૂમતા હતા. હાર બાદ એક લગેટી રાખવાને સુધારો કર્યો. હાર બાદ મેરપીંછીથી અલંકૃત થયા અને તેથી આગળ વધીને કમંડલ વિગેરે પણ ઉઠાવવા લાગ્યા. તે આ બધા સુધારા શું, સુધારાની દાદી નહિ કે? એથી પણ આગળ વધીને બતાવું તે, દિગમ્બર સાધુઓને પાંચ સમિતિનું પાલન કરવા માટે પ્રતિલેખન વિગેરેની પણ વિધિઓ તેઓના આચાર્યોએ બતાવી કે જહે વિધિઓને ઉલ્લેખ મહે મહારા પ્રથમના લેખમાં “જ્ઞાનાર્ણવ'ના કલેકે ટાંકી બતાવી આપી છે. જમ્હારે દિગમ્બર સાધુઓને સર્વથા નાગાજ રહેવાનું બતાવ્યું હતું, અને હેમાં લગાર પણ મીન મેખ જે ફેરફાર ન્હોત થયો, તે પછી શા માટે શુભચન્દ્રાચાર્ય એમ બતાવતે કે—“જે મુનિ શયા, આસન, ઉપધાન, શાસ્ત્ર અને ઉપકરણ દિવસે પહેલાં સારી રીતે જોઈને અર્થાત્ વારંવાર પ્રતિલેખન કરીને યત્નપૂર્વક ગ્રહણ કરતે, તથા તેજ પ્રમાણે કરી પૃથ્વી ઉપર મૂકે છે, તે અવિકલ (પૂર્ણ) આદાન નિક્ષેપણ સમિતિ પાળે છે.”
આવી જ રીતે અમૃતચંદ્રસૂરિએ પણ “વાર્થના' નામના ગ્રન્થમાં દિગમ્બર સાધુઓને “એષણસમિતિ માટે પણ
કહ્યું છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
( ૪૧ )
“पिण्डं तथोपधिं शय्यामुद्गमोत्पादनादिना । साधो शोधयतः शुद्धा ह्येषणा समितिर्भवेत् ॥ ५ ॥ (સંવર્ત૬.) અર્થાત્-પિણ્ડને, ઉપધિને અને શય્યાને જે ઉદ્ગમ- ઉત્પાઢના દોષો વડે કરીને શોધે છે-શુદ્ધ કરે છે, હેને એષણાસમિતિ શુદ્ધ થાય છે.
વળી એ પણ જુઓ, ગ્રન્થા લખવાનુ કામ પણ દિગમ્બરાએ વેતામ્બરા પહેલાંજ પ્રાર. છે, એટલે કે શ્વેતામ્બરાના ગ્રન્થ લખવાના કાળ પહેલાંના, દિગમ્બરોના ગ્રન્થ લેખન ટાળ છે.
હવે બતાવેા, આ બધા સુધારા નહિ તા બીજી શું કહી શકાય ? અને વ્હારે એમજ છે તા પછી હે આરોપ તેઓ શ્વેતામ્બરોના માથે મૂકે છે, તેજ આરોપ શું દિગમ્બરને શિર નથી આવી શકતા ? એશક! આવે છે. પરન્તુ ખરૂ છે, કેપગ નીચેને દાવાનળ કાણુ જુએ છે? વાસ્તવિક જોવા જઇએ તે આપણને સ્પષ્ટ માલૂમ પડે છે કે—હારથી શિવભૂતિએ અભિમાનથી નગ્ન વૃત્તિ ધારણ કરી, ત્હારથી વખતના હેવા સાથે દિગમ્બરાચાર્યા દિન-પ્રતિદિન પેાતાના આાચાર-વિચારામાં ફેરફાર કરતા ગયા છે. અને હેનુ કારણ એજ હોવું જોઈએ કે-નગ્નપણે રહેવાથી, સભ્ય જગત્ આપણને અજ્ઞ ગણશે, આપણને અસભ્યની ગણત્રીમાં ગણી કાઢશે, આપણી અર્વાચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
(૪ર ) નતા જહેવીને હેવી કાયમ રહેશે, અને આપણી પ્રાચીનતાની પિપુડી કેઈપણ સાંભળશે નહિં, માટે આપણે પણ પ્રાચીન શ્વેતામ્બરની માફક આચાર-વિચાર રાખીશું તે આપણે પ્રાચીનતાને ઝંડે, જહેમ ફાવશે તેમ ફરકાવી શકીશું.” બસ; આજ વિચારથી તેઓએ ધીરે ધીરે પિતાની ટાંગ પસારવી શરૂ કરી.
આગળ ચાલતાં પાંગલે મહાશય લખે છે કે –
પહેલાં શ્રી મહાવીર તીર્થકર સુધી ઉંચી શ્રેણીના જનમુનિ “નિર્ચન્થ, નગ્ન, દિગમ્બર હતા.”
આને માટે તેઓ કલ્પસૂત્રનું પ્રમાણ આવે છે. ભલા! આ પણ અજ્ઞાન લોકોની આંખે પાટા બાંધવાને ઈરાદે નહિં, તે બીજું શું કહી શકાય ? “કલ્પસૂત્ર' ની અંદર કોઈપણ સ્થળે “નિર્ચ સ્થાને અને “નગ્નને એક કેટિમાં ગણવામાં આવ્યાજ નથી, એમ હું દાવા સાથે કહી શકું છું. કપસૂત્ર તે શું? કોઈપણ શ્વેતામ્બર ગ્રન્થમાં “નગ્ન ને અર્થ “નિW’ કે ‘નિર્ચન્થને અર્થ “નગ્ન હોઈ શકે જ નહિં. યદિ પાંગલે મહાશય સપ્રમાણ સિદ્ધ કરી આપે તે હું તેઓને હાર્દિક ધન્યવાદ આપું.
સખેદાશ્ચય ને વિષય છે કે–નિગ્રન્થ” અને “નગ્ન અને ભેદ હે, મ્હારા પ્રથમના લેખમાં જ સમજાવવા માટે કેશિશ કર્યા છતાં મિ. પાંગલે, હેને ભેદ હજી સુધી સમજી શકયા નહિં, અને કદાચિત્ સમજ્યા છતાં પણ “મહાકું તેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
(૪૩) સાચું' જેવું રાખતા હોય, તે પછી, હું તે શું ? બ્રહ્મા પણ તેઓને સમજાવવા માટે સમર્થ થઈ શકે ખરા કે ? હરગિજ નહિં.
હ હારા પ્રથમના લેખમાં સાફ સાફ બતાવી છું કે—“ પહેલાં તે સમગ્ર જૈન સાધુઓનું નામ જ “નિર્ચન્થ ” હતું, અને હેને માટે એક પટ્ટાવલીનું પણ પ્રમાણ આપ્યું છે કે – __ 'श्रीसुधर्मस्वामिनोऽटी मूगिन् यावद् निर्ग्रन्था साधवो ऽनगारा इत्यादि सामान्यार्थाभिधायिन्याख्याऽऽसीत् ।
અર્થા–નિગ્રન્થ ' શબ્દથી સાધુ–નગાર કહેલ છે, કંઈ નિર્ચન્થને અર્થ “નાગો” એ પ્રમાણે કરવામાં આવ્યા નથી.”
આ પ્રમાણે સાફ ભેદ બતાવવા છતાં પણ, મહાશય નિગ્રન્થ, નગ્ન-દિગમ્બર એ શબ્દોને એકજ ઝાડના ફળ રૂપે બેતાવે છે, શું આ તેઓની અક્કલને નમૂનો નથી ?
હવે મિ. પાંગલે મહાશય પિતાના ટેકટના સાતમા પેજમાં “વેતામ્બર ભાઈઓની વિચાર ભૂલ ” બતાવતાં બે ઉદાહરણો આપે છે. એક હાઈસ્કુલનું, અને બીજુ ગ્રેજ્યુએટનું. એ ટલે કે-હાઈસ્કુલ કહેવાથી સાત ધોરણ સુધી શિક્ષણ આપનારી વિદ્યાલય સમજવી, અને ગ્રેજ્યુએટ કહેવાથી મેટીકયુલેશન, પ્રીવિઅસ, ઇન્ટરમીજીએટ બધી પરીક્ષાઓ તેની અંદર આવી ગઈ. હેવીજ રીતે “દિગાર કહીએ એટલે વસ્ત્રધારણની સામાન્ય શ્રેણિથી તે વસ્ત્ર છેડતાં સુધીની એટલે દિગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
(૪૪ ) મ્બર થતા સુધીમાં, બધી શ્રેણીઓને હેમાં સમાવેશ થાય છે. અંતિમ સાધ્ય જે નરસ્થિતિ છે, તેને જેનેએ “દિગમ્બર એવું નામ આપ્યું છે. આ પ્રમાણે તેઓ ફલિતાર્થ કાઢે છે.
હુને તે લાગે છે કે–પગલે મહાશયે પિતાની સારી બુદ્ધિને વ્યય આ ઉપરનાં બે દષ્ટાન્તમાંજ કરી દીધું છે.
પહેલાં તે મહારે બતાવવું જોઈએ કે–મિ. પાંગલે “નગ્નાવસ્થા ” ને ઉંચી પાયરી ગણી છે, એજ હેમણે સત્ય વાતને શિરછેદ કરેલે છે. એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે નગ્નાવ
સ્થા ઉંચી હદ છે? અમારૂં તે હજુ પણ કહેવું છે કે-- વિરકલ્પ” અને “જીવનકલ્પ” એવા બે કલ્પે વર્ણવેલા છે, એ બે કપમાં પણ સ્થવિરકલ્પજ મુખ્ય ગણેલે છે. જે “જીનકલપ’ જ ઉત્તમ હતા તે શામાટે ‘જીનકલ્પમાં રહેલા મુનિઓને કેવળ. જ્ઞાન ન થવું જોઈએ ? મ્હારે થતું તે નથી. એથી ચકાસ સિદ્ધ થાય છે કે જનકલ્પ અવસ્થા એટલી ઉત્તમ નથી કે, જહેટલી સ્થવિરકલ્પ અવસ્થા ઉત્તમ છે.
મિ. પાંગલે આ સ્થળે મહાવીર સ્વામિનું દષ્ટાન્ત આપે છે, પરંતુ તેઓ મહા ભૂલ કરે છે. કેમકે મહાવીર સ્વામી કલ્પાતીત હતા. કપાતી તેની સાથે સામાન્ય વ્યક્તિઓને ઘટાવવી સર્વથા અનુચિત છે. અને જે તેમજ હોય તે મહાવીર સ્વામીએ તે કઈ ગુરૂ પણ હેતા ધાર્યા, તે શું આજકાલના મુનિઓ પણ તેઓનું અનુકરણ કરવા લાગી જશે? તીર્થકરને તે હેવે અતિશયજ છે કે–તેઓ વસ્રરહિત હોવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૫ )
પણ, કાઇ હેવી અવસ્થામાં દેખતા નથી. આજ કાલ કોઇ પાંગલે મહાશયના નાગુરૂ અારમાં નિકળે અને તેને તીર્થંકરની માફક, નાવસ્થામાં કોઈ ન દેખે તો વિદ્યાવિજય, તાથંકરનુ આપેલું દાન્ત સાચું માનવાને માટે તૈયાર છે. વાતને તેઓ કેમ ભૂલે છે કે-દિગમ્બરોના માનવા પ્રમાણે તે તીર્થંકરાને તા બહિરગ-યતિલિગના અભાવ૪ મતાન્યેા છે. જુએ હેને માટે ‘પ્રવચનસાર ’ ની વૃત્તિમાં કહ્યું છે કેઃ
આ
" न विद्यते लिंगानां धर्मध्वजानां ग्रहणं यस्येति वहिरंगयतिलिंगाभावस्येति "
આથી એ સિદ્ધ છે કે જીનેશ્વરાને અહિરા યતિલિંગને અભાવ છે.
એ તે ખરૂ છે કે—જેઓ સ્થવિર કલ્પમાં હતા, તે અમુક સમયને માટે ‘ જીનપ્’ અવસ્થા સ્વીકારતા હતા, ૫રન્તુ તે શા માટે? તપસ્યા કરીને પોતાનાં ચીકણાં કર્મોને મૃદુ અનાવવા માટે. પરન્તુ તેથી તે અવસ્થા ઉત્તમજ હતી, એમ તા હતુંજ નહિ. હેને માટે આ એકજ દષ્ટાન્ત બસ થશે. ધારો કે એ ઉમેદવારો ‘ મેટ્રીકયુલેશન 'ની પરીક્ષા આપવાના છે, હેમાં એકે વિશેષ મહેનત ન કરી અને ઉત્તીર્ણતા પ્રાપ્ત કરી, ઝ્હારે બીક્તએ અત્યન્ત પરિશ્રમ કરીને કેટલીક મુદતે ઉત્તીણુતા પ્રાપ્ત કરી છે, તે તેથી પેલા વધારે મહેનત કરીને પાસ થએલા ઉમેદવાર ઉત્તરા છે, એમ કોઇ પણ બુદ્ધિમાન્ કબૂલ કરી શકેજ નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
આજ છાત વિકલ્પ અને જનકલ્પ બે અવસ્થાઓ ઉપર ઘટાવીએ. એક સાધુ સ્થવિર ક૬૫માં રહીને જ પોતાનું ઈષ્ટસાધન કરે છે, જહારે એક બીજે સાધુ જીનકપમાં જઈ કેટલીક તપસ્યાઓ વિગેરે કરી આવે છે, હારે કાલાન્તરે પતાનું ઈષ્ટ સાધન કરે છે, તે તેથી તે જીનકલપ અવસ્થાવાળે સાધુ વધારે શ્રેષ્ઠ છે, એમ તે કઈ દિવસ કહી શકાય જ નહિં. હાં ! સ્થવિરકલ્પ અવસ્થામાં કેવલ જ્ઞાન ન થતાં, જીનકલ્પ અવસ્થામાં જ કેવલજ્ઞાન થતું હતું, તે બેશક ! તે અવસ્થાને ઉત્તમ માનવાનું એક કારણ હતું. પરંતુ તે તે કંઈ છેજ નહિં, એટલે જનકલ્પ અવસ્થાને શ્રેષ્ઠતમ માનવું ભૂલભરેલું છે. જનકલ્પ અવસ્થામાં કેવલજ્ઞાન નથી થતું, હેને માટે જંત્ર17. સૂત્રકૃત્તિ, તથા પ્રવત્રના દ્વારવૃત્તિ વિગેરેમાં લખ્યું છે કે –ત ઘડિટ્ટમાવાળો” અર્થાત્ તે જ ન્મમાં કેવલજ્ઞાનને પ્રતિષેધ હોવાથી મુક્તિ થતી નથી.
હવે મિ. પાંગલે મહાશયે આપેલા એજ ગ્રેજ્યુએટ અને હાઈસ્કુલના ૮ષ્ટાન્તને ઉચિત રીતે ઘટાવીએ.
બેશક, “ગ્રેજયુએટ કહેવાથી મેટીકયુલેશન, પ્રીવિઅસ અને ઈન્ટરમીજીએ. આ બધી પરીક્ષાઓ આવી જાય છે, અને હાઈસ્કુલ કડી એટલે સ ત ધોરણ સૂધી શિક્ષણ આપનારી વિ. ઘાલય સમજવી, ” પરંતુ આ બન્ને દષ્ટાન્ત કઈ કઈ અવસ્થાએમાં મુકવાં જોઈએ, હેમાં મિ. પાંગલે મહાશયે ભૂલ ખાધી છે. અર્થાત્ પગલે મહાશય, ગ્રેજ્યુએટ સ્થાનાપન્ન અને હાઈShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
(૪૭ ) સ્કુલ સ્થાનાપન્ન જનકલ્પ અવસ્થાને ગણે છે, પરંતુ આ એવી જ ભૂલ છે, જહેવી દિવસને રાત કહેવાની ભૂલ. તેજ બે છાતોને ઉલટાવવાથી વાંચકને હેની યથારિત અવસ્થા જણાઈ આવશે.
ગ્રેજ્યુએટ અને હાઇસકુલના સ્થાનાપન્ન, વિરકલ્પને ગણવે જોઈએ. મ્હારે તેથી નીચા દરજજામાં જનકલ્પને ગણવો જોઈએ. એ ખરૂં છે કે –ગ્રેજ્યુએટ અવસ્થાને ઉંચે દરજજો ગણવાનું કારણ એજ છે કે હેની અંદર, નીચેની કલા કરતાં જ્ઞાન અધિક હોય છે. હાઈસ્કુલને ઉંચા દરજજાના સ્કૂલ ગણવાનું કારણ એ છે કે-હેની અંદર અધિક જ્ઞાન અને પાય છે. હેવીજ રીતે સ્થવિરક૫ અને જનકલ્પ એ બે અવસ્થાઓમાં તેની અંદર જ્ઞાન અધિક મળતું હોય હેને શા માટે ઉંચે દરજો ન ગણો જોઈએ? બેશક ગણો જોઈએ. અને હોરે એમજ નિશ્ચય થયું તે પછી, તે અનુસાર તે
વિરકલ્પજ ઉંચે દરજજે એટલે ગ્રેજ્યુએટ અવસ્થા છે. અને જનકલ્પ, તેથી નીચેની અવસ્થા એટલે હલકે દરજજો છે. કેમકે સ્થવિર ક૫ની અંદર ચાદપૂર્વ સુધીનું જ્ઞાન હોય છે, જ્યારે જીનક૫માં વધારેમાં વધારે કંઈક ન્યૂન દશ પૂર્વ જેટલું શ્રતજ્ઞાન થાય છે. હેને માટે જૂઓ “વિવારફરમાવ્ય” પૃષ્ઠ ૧૪ની ચોથી લાઈનમાં લખ્યું છે કે –
જિન િતારઝળતો નવમળ જૂતાमाचारवस्तु, उत्कर्षतस्त्वसम्पूर्गानि दशपूर्वाणि श्रुतं भवति"
હેવી જ રીતે કેવલજ્ઞાન પણ જીનકલ્પ અવસ્થામાં જ ન થતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
(૪૮ ) વિરક૯પ અવસ્થામાં જ થાય છે. વિગેરે દરેક રીતિથી - વિરક૯૫ અવસ્થા, જીનક૬૫ અવસ્થા કરતાં સર્વથા ઉચે દરજજે છે, એમાં લગાર પણ મી એખ જેવું નથી.
આગળ ચાલતાં મિ. પાંગલે દશમા પૃષ્ઠમાં “કલ્પસૂત્રમાં દિગમ્બર માટેનો પુરાવો મહાવીર સ્વામીનું નામ લઈ આપે છે. પરંતુ હેને જવાબ તે હું પહેલાં જ આપી ગયો છું કે-મહાવીરસ્વામી કપાતીત છે, માટે તેઓની સાથે અન્ય સામાન્ય વ્યક્તિને ઘટાવી શકાય જ નહિં.
અગીયારમા પૃષ્ઠમાં પાંગલે જી કહે છે કે—“ કારણ કે મને હામુનિ થતી વખતે મહાવીર દિગમ્બર થયા હતા. ”
બિલકુલ જુદી વાત છે. મહામુનિ થતી વખતે મહાવીર સ્વામીએ દિગમ્બર વૃત્તિ ધારણ કરી જ હતી. એક વર્ષથી અધિક તેઓએ દેવ દુબે વસ્ત્ર રાખ્યું હતું ! આ વાતને પાંગલે મહાશય કેમ ભૂલી જાય છે? મહાવીર સ્વામી તે શું? દરેક તીર્થકરે દિક્ષા ગ્રહણ વખતે વસ્ત્ર રાખે છે, તે માટે વિવર ની ટીકાના ૧૦૨૨મા પૃષ્ટમાં લખ્યું છે કે – રવે વિ જ નિ દિકરા ને ” અર્થાત્ ચેવિશે તીર્થકરે એક વસ્ત્ર સાથે નિકળે છે આથી અધિક પ્રમાણુ મિ. પાંગલે મહાશય શું માગશે ?
વાંચકોએ જોયું હશે કે—હારા પ્રથમના લેખમાં કહે શિવપુરાણના ૨૧ મા અધ્યાયનના ચાર કલેકે, જહેની અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
( ૪ ). શ્વેતામ્બર જૈન સાધુઓનું વર્ણન કરવામાં આવેલું છે, ટાંકી બતાવી કતારની પ્રાચીનતા છ કરેલ છે.
આ લેકમાં આપેલું વેઈન, અવતાર સાધુઓનું નહિં, દિગબર સાધુઓનું છે એમ કહેવાની કઈ પણ બારી તેઓને ન મળી, હારે શ્રીમાને એક બીજીજ કરત ઉભી કરી. અને તે એજ કે શિવપુરાણનેજ અવાંચીન બતાવી આપ્યું. હેની પુષ્ટીમાં તેઓએ “આર્યધર્મ' નાના માસિક પુસ્તકમાં આવેલા પુરાવા રજુ કર્યો છે. | વાંચકેએ આ વિષયને લગાર બારીકાઈથી વાંચવે. મિ. પાંગલે મડાશયે વ્હે પુરાવાના ઉતારા આપ્યા છે, હેમાને પહેલે આ છે --
(૧) પિરાણિક મંડળીએ જેલોના આદિ અને ઉત્તર પુરાણ માફક અઢાર પુરાણ અને અઢાર ઉપપુરાણે બનાવ્યાં.”
આ પ્રથમ પુરાવા ઉપર આપણે એ વિચાર કરવાને છે કેકતારમાં આદિ કે ઉત્તર પુરાણ છે નહિ, દિગમ્બર આ. મનાયમાં છે, એટલે એમાં તે કઈ કહેવા જેવું છેજ નહિં કે, મિ. પાંગલે મહાશયના કહેવા પ્રમાણે પરાણિક મંડળીએ દિગમ્બર પુરાણોનું અનુકરણ કર્યું છે.
હવે હેની ઉપરના પિરામાં તો શ્રીમાન સાફ કથન કરી ગયા છે કે “કારણ કે અર્વાચીન પુરાણ કર્તાઓએ જૈનધર્મનું વર્ણન કરતાં કંઈ કંઈ શ્વેતામ્બર સાધુનું જ વર્ણન કર્યું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) આ ઉપર આપણને એ સમીક્ષા કરવાને અવકાશ મળે છે કે યદિ દિગમ્બરોના પુરાણોનું અનુકરણ કરી પારાણિક મંડળીએ પુરાણોની રચના કરી હોય, તે શા માટે તેઓ જન ધર્મને ઉલ્લેખ કરતાં વેતામ્બર સાધુઓનું વર્ણન કરે? તે. એને તે દિગમ્બર સાધુઓનું જ વર્ણન કરવાને પ્રસંગ રહેલે છે, કેમકે દિગમ્બરેનાજ પુરાણની માફક (પાંગલેના કહેવા પ્રમાણે) તેઓ રચના કરે છે. આથી મિ. પાંગલે મહાશયના કથન અનુસારજ એ સિદ્ધ થાય છે કે પિરાણિક મંડળીએ દિગમ્બરે નાં આદિ અને ઉત્તર પુરાણની માફક રચના નથી કરી, પ્રત્યુત દિગમ્બરેએજ, તે પિરાણિક મંડળીનાં રચેલાં પુરાણે ઉપરથી રચના કરી છે.
“આર્યધર્મ' માસિકના જહે ઉતારા પગલે મહાશયે આપ્યા છે, હેને બીજો ઉતારે એમ કહે છે કે –
ભેજ રાજાની પછી દેશે વર્ષ વિણવ મતને પ્રારભ થયો. કંજર જાતમાં શઠ કેપ મનુ ય પેદા થયે. તેણે આ મતને છેડેક પ્રચાર કર્યો. પછી ચંડાળકુળના મુનિવાહન અને યવનકુળના યાવનાચાર્ય થયા, તેમણે આ મત ફેલાવવા ઘણી જ ખટપટ કરી. પછી ચોથે બ્રાહ્મણ કુળને રામાનુજ થયે, તેણે આ મત ઘણેજ ફેલા. શેએ શિવ પુરાણ વિગેરે બનાવ્યાં.'
ખેર ! આ બધી રામાયણની આપણને કંઈ પણ જરૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
(૫૧ ) નથી. પરંતુ હારે એ વિચારથી દૂર ભાગવું ન જોઈએ કે-- પષ્ણવ મતને પ્રારંભ કહારે થયે?’
આર્યધર્મ' ને હે ઉતારે ઉપર ટાંકવામાં આવ્યું છે, હેની અંદરથી મનના તરંગે સિવાય, વૈષ્ણવધર્મની અર્વાચીનતાના સંબંધમાં કઈ પણ પ્રમાણ આપણે મેળવી શક્તા નથી. એમ પણ બતાવવામાં નથી આવ્યું કે તેઓ આ વાતને શા આધારે લખે છે? તે પછી એક માસિક પુસ્તકની અંદર આવી કલ્પના આવી, તેથી હેને સાચી માની લેવાનું સાહસ, મિ. પાંગલે સિવાય બીજું કેણ કરી શકે ? હાં ! હેની અંદર કોઈ પ્રબળ પ્રમાણ આપ્યું હતું તો બેશક ! થેડા વખતને માટે હેની સમીક્ષા કરવાને પ્રસંગ લેવાની જરૂર પડતે, પરંતુ ઠીક છે, મને આ પ્રસંગે એક મિસાલ ( દાદાન્ત ) યાદ આવે છે.
એક વખતે એક બાદશાહે પિતાના નેકરેને કહ્યું – જૂઓ, શિયાળી રાત્રે કેમ રૂદન કરે છે, નેકરેએ કહ્યું મહારાજ ! તે શિયાળી રાત્રે ટાઢે મરે છે, કેમકે તેઓની પાસે કંઈ વસ્ત્ર નથી. બાદશાહે કહ્યું, ઠીક ! આજે દશહજાર રજાઈઓ ખરીદી, દરેકને એક એક આપી દેજે. નેકરેએ કહ્યું –બહુ સારૂં હજુર ! આજ્ઞા પ્રમાણે થઈ જશે.” | નેકરે જાણે છે કે-આ બાદશાહની બેવકૂફી છે, પરંતુ
શા માટે તેઓ ખરી વાત બાદશાહને સમજાવે? હેમાં તે પિતાનાજ મનમેદક ઉડવાના હતાને! બસ, એજ દષ્ટાન્ત મિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
( પર ) પાંગલે મહાશયના વિષયમાં ઘટે છે. પાંગલે મહાશય એમ તે સહજ સમજી શકયા હશે કે- આર્યધર્મ ” ના પુરાવા બિલકુલ બિનપાયાદાર અને પ્રમાણ વિનાનાજ છે. પરંતુ પા. ઠકો જાણતા હશે કે–ભાવનું હોય ને વૈદ્ય કહે, તે પછી શા માટે ખુશી થવામાં ન આવે ? તેજ પ્રમાણે પાંગલે મહાશયે તે આ પ્રમાણને પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવાનું નાવ તે શું? એક હેટ સ્ટીમર જ સમજી લીધી.
આ પ્રસંગે “વૈષ્ણવ સમ્પ્રદાય, આજને નહિં પરંતુ લગભગ બે હજાર વર્ષોથી પહેલાને' છે, આ વાતને સિદ્ધ કર. નાર એક નોટ “ જુલાઈ, સ. ૧૯૯૩ ની “ વ ” માં નિક બી છે, હેને કિશિત ભાગ ડુિં ઉતિ કરું છું—
.. શો , નવા નવી જ बडे टीले पर एक 'गरुडध्वज' नामक स्तम्भ खडा है । इस पर एक अति प्राचीन लेग्य उत्कीर्ण है, जो पहले सेंदुरसे ઢા ફુગાથા રૂTI પાવાઈ 1 -- ___"यह वासुदेवका गाडवा विष्णुभक्त हीलियो डारस (Helioria as) ની 11 TH Tv gg વન મત બ્રીજ (Jonian gr 6, ચા | “ પિત્તા ના વિ (Dion) થા ઘ૪ તક્ષશિa ( fપuી કાનને વારા થi | રાગ પ્રતીકા (.1ntal kadas) % યવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૫૩) (Jnian greek) દૂત થા, પ્રતિનિધિ દોર વદ પાના માનभद्रके पास उसके राज्यके चौथे सालमं आयाथा। * *
___ इस शिलालेखसे यह भी सिद्ध है कि-वैष्णवसम्प्रदाय, कोई नवीन कल्पना नहीं, परन्तु दो हजार वर्षों से भी वह - રવિ પુરાની હૈ”
આ ઉપરના સપ્રમાણ લેખથી વાંચકે જોઈ શક્યા હશે કે “વૈષ્ણવ સંપ્રદાય અર્વાચીન છે એમ કહેવાને કહે ઘટાટોપ મિ. પાંગલે મહાશયે કરેલ છે, તે સરાસર જઠો અને બિનપાયેદાર છે. તેઓના ઘટાટોપે ખરેખર “ઢમઢેલ માહે પિલ” ની નકલ કરી છે, જહારે એમજ છે તે પછી તેઓનું “વા. સ્તવિક રીતે “આ પુરાણ નહીં, પણ નવીન ગ્રન્થ છે,”... .. ઇત્યાદિ કથન, સત્ય વાતનું ખૂન કરનારજ છે, એમ કહેવું કે પણ રીતે અત્યુક્તિ ભરેલું કહી શકાશે નહિ.
મહને અત્યન્ત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે હે પાઈને, જવાબ મહે મહારા પ્રથમના લેખમાં બખૂબી આપે છે, તેજ પિઈન્ટને ઝંડે મિ. પાંગલે મહાશયે પિતાના ટેકટમાં ઉઠાવેલ છે. શું તેઓએ પાનાં ભરવામાં જ પ્રાચીનતા માની લીધી હશે કે? ખેર, ગમે તે હે, મહારે તે કારણને જવાની કંઈ પણ જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
(૫૪) મહાભારતાના હે ફકરાને જવાબ મહે મહારા લેખમાં આપે છે તે આ છે –
"साधयामस्तावदित्युक्त्वा प्रातिष्ठनोत्तङ्कस्ते कुण्डले गृही. वा सोऽश्यदय पथि नग्नं क्षपणकपागच्छन्तं नमदृश्यमानं च"
હવે આ વાકયમાં “==' શબ્દ દેખવાથીજ દિગમ્બરે પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ હું પહેલાં. નાજ લેખમાં બતાવી ગયે છું કે-જનકલ્પી સાધુઓ તે વખતે મેજૂદજ હતાં અને આ પ્રસંગ તે જીનકલપી સાધુઓ માટે છે. દિગમ્બરે “નગ્ન' શબ્દથી દિગબર સાધુને ગણે છે, પરંતુ આ મેટી ભૂલ છે. હે વ્યાસજીએ શિવપુરાણમાં થતા
મ્બર સાધુઓનું વર્ણન કર્યું છે, તેઓ મહાભારતમાં દિગમ્બર સાધુઓનું વર્ણન કરે, તે સંભવી શકે જ નહિ, કેમકે તે સમયમાં તે દિગમ્બરનું નામ નિશાન પણ ન્હતું. ખેર ! આ ઉપર બીજે પણ એક વિચાર ઉદ્ભવે છે –
તે સમયમાં સાધુમાત્રને ક્ષપણુક કહેવામાં આવતા હતા. હારે ક્ષપણુક કહેવાથી જ સાધુને બંધ થઈ જાય છે, તે પછી “રા' શબ્દ આપવાની શી જરૂર હતી? નગ્ન વિશેષણ આપ્યું છે, તેથીજ એ સિદ્ધ થાય છે કે-તે વખતે વસ્ત્રધારી મુનિઓ અવશ્ય હતા. હારે “સ્થવિર કલ્પી” અને “જીનકલપી” આ બે અવસ્થાઓ શ્વેતાની માન્યતા પ્રમાણે સિદ્ધજ ઠરે છે, એમાં લગાર મીનમિખ જહેવું રહેતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
(૫૫). હવે મિ. પાંગલે મહાશયની એક ઔર કરતૃત તપાસીએ. મિ પગલે મહાશય, પૃ ૧૩ માં હિન્દુધર્મશાસ્ત્ર ભાગવતને એક પુરા આપી, પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવામાં કૂલ્યા સમાતા નથી. પરંતુ તેઓ એ વાતને કડાં સમજે છે કે હું આ પુરા આપવામાં કેટલી ભૂલ કરું છું? તેઓની ભૂલ હું બતાવું, તે પહેલાં, હેમણે આપેલે ભાગવતને ફકરે અહિં ઉદ્ધત કરે ઉચિત સમજું છું. તે ફકરો આ છે –
"एवमनुशास्यात्मनान्स्वयमनुशिष्टानपि लोकानुशायनार्थ महानुभावः परममुहृद् भगवानृषभोपदेश उपशमशीलानां उपरतकर्मणां महामुनीनां भक्तिज्ञान-वैराग्यलक्षणं पारमहंस्यधर्ममुपशिक्ष्यमाणः स्वतनयशत ज्येष्ठ परमभागवतं भगवज्जनपरायणं भरतं धरणिपालनायाभिषिच्य स्वयं भवनरवोर्वरितशरीरमात्रपरिग्रह उन्मत्त इव गगनपरिधानः प्रकीर्णकेश आत्मन्यारोपिताहवनीयो ब्रह्मवर्तात्मवत्राज !"
હવે આ ઉપર્યુક્ત કથનમાં આવેલ “ ધાન: ' - બ્દને આગળ ધરી, તેઓ એમ કહેવા માગે છે કે- “ષભદેવ ગગનરૂપી વસ્ત્ર ધારણ કરી અર્થાત્ દિગમ્બર બનીને પિતાના કર્તવ્યને વિચાર કરતા બ્રહ્મવર્તમથી નિકળી પડયા.'
શું આ તેઓની યુક્તિ કઈ પણ પ્રકારના મહત્વને સ્થાપિત કરે છે? હરગિજ નહિં. હે માલ-ખજાનાને છેડે, પુત્રપરિવારને છેડે, અને સારા રાજ્યપાટને છેડ, હેના માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૫૬ )
"
?
એક વસ્ત્ર ‘ગગન પરિધાન ' રૂપજ લેખાય, તા હૈમાં શું આ હુ પહેલાંજ બતાવી ગયો છું કે- વૈવિ હ્રફૂદેન નિયા નિવા વપથ્થર' અર્થાત્ ચાવીશે તીર્થંકરે એક દેવ દૃષ્ય સહિત સાધુ અવસ્થા સ્વીકાર કરે છે. તે! આવું એક દેવ દુષ્ય માત્ર હાવાથી તેને ‘ગગનપરિધાન ' એવું વિશેષણ આપવાથી, ક'ઈ' એમ ન કહી શકાય કે તેઓએ નગ્નાવસ્થા સીકારી. વ્યવહારમાં પણ આપણે જોઇએ છીએ કે-હેમ કાઈ માણસ કેવલ ધેાતીયું પહેરીને નદીમાં ઉતર્યા હાય, પરન્તુ તે એમજ કહે છે કે ભાઈ ! મ્હારે નદી ઉતરવા માટે બધાં વસ્ત્રો કાઢી નાખવાં પડડ્યાં. હેવીજ રીતે કાઇ માણસે ધેાખીને વા ધાવા આપ્યાં હોય, અને જો કે વ્હેને પહેરવાને અમુક વસ્રા હોય છે, તાપણ તે તગાઢો (ઉઘરાણી) કરતી વખતે એમજ કહે છે કે–ભાઇ ! કપડાં જલદી આપે, ઉઘાડા ફરવું પડે છે.
આ એક વ્યાવહારિક ભાષા છે. તેથી એમ સિદ્ધાન્ત કાઢી લેવાના નથીજ કે તેઓ નગ્નજ કરે છે. અને હેવીજ રીતે ઋષભદેવ જેવા રાજરાજેશ્વર, સાધુ અવસ્થા સ્વીકાર કરે અને તેની પાસે એક દેવન્દૂષ્ય માત્ર હાય, તે તેને માટે ‘ગગન પરિધાન ' કહેવું લગાર માત્ર પણ ખોટું નથી. આજકાલ પણ જાએ કાઈ સાધુ થાય છે, ત્હારે હેને માટે લોકો એમજ કહે છે કે ધન્ય છે, ફલાણાના છોકરા બધુ... છેડી સાધુ થઈ ગયા. '' આથી શું લ્હેણે દુનિયાભરની ચીજો છેાડી દીધી ? બધું ' કહેવાથી ખાવું-પીવું-બેસવું-ઉઠવું–સુવું-આદ્યા- મુહપત્તિ
(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૫૭ )
પાત્ર-વસ્ત્રા અને શરીર વિગેરેને પણ ત્યાગ કરી દીધો? કદાપિ નહિં. ત્યારે “ ગગનપરિધાન' શબ્દથી ૬ નગ્નાવસ્થાને સ્વીકાર ” કહેનાર મિ. પાંગલે મહાશયની બુદ્ધિને મુબારકબાદી આપ્યા વિના કેમ રહી શકાય ? આ સિવાય ઉપયુક્ત ભાગવતના ફકરામાં આવેલા “પરમહંસ ધર્મ ને અર્થ પાગલ મહાશયે બ્રેકેટમાં “દિગમ્બરમત' કર્યો છે, પરંતુ આ કયા કેશની ટાંગ તેડી, એ બતાવ્યું હતું તે વધારે સારું હતું.
આ પરામર્શ ઉપરથી વાંચકે સમજી ગયા હશે કે મિ. પાં ગલે મહાશયને કોઈ સ્થલ યુક્તિ, પિતાની પ્રાચીનતાના વિષયમાં નથી મળી આવી, ડારે તેઓએ “ના” શબ્દની કે “નગ્ન અર્થને કહેવાવાળા શબ્દની જ ડાઢી ખીચવામાં, પિતાના સમયને વ્યય કર્યો જણાય છે. “બુદ્ધિનો વ્યય કર્યો છે એમ કહે. વાનું સાહસ હું તે કરી શકું જ નહિ; કેમકે “નગ્ન અર્થને કહેવાવાળા શબ્દોને શેધી કાઢવામાં બુદ્ધિને એટલી તકલીફ નથી પડતી, હેટલી કે યુક્તિઓનું ખણ્ડન કરવામાં યા નવા પ્રમાણેને શેધી કાઢવામાં પડે છે.
આ તે શું ? ભાગવતના સંબંધમાં તે હું બીજું પણ પ્રબલ પ્રમાણ આપવાને સમર્થ થાઉં છું.
પ્રસ્તુત ભાગવત વ્યાસજીનું નહિ, પરંતુ અર્વાચીન ‘પદેવનું બનાવેલું છે, એમ “પુરાણ તત્વપ્રકાશમાંથી મળી આવે છે. પુરાણ તત્ત્વપ્રકાશના પ્રથમ ભાગના દશમા પૃષ્ઠમાં લખ્યું છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) " इसके उपरान्त ज्ञानेश्वरमिश्रने जो गीताकी टीका बनाई है उसमें उन्होंने १२७२ शकाब्दमें हेमाद्रिका होना सिद्ध किया है । और उन्हीं समय में पण्डित बोपदेव नी हुए, जिन्होंने राजा सचिव हेमाद्रिको भागवत सुनाइ थी । इससे प्रत्यक्ष प्रकट होता है कि-भागवतको बने बहुत थोडे दिन हुए।"
ભે, “પુરાતત્ત્વ પ્રકાશના કર્તા તો ભાગવતને જ અર્વાચીન ગણે છે, કહો, હવે મિ. પાંગલે મહાશય શિવપુરાણના દષ્ટાન્તની માફક આને પણ સાચું નહિં માને કે ? અમારે માટે તે ભાગવતના સંબંધમાં બન્ને યુક્તિઓ લાભદાયક છે, પરન્ત દિગમ્બર ભાઈઓ, ભાગવતના ઉપર્યુક્ત વાક્યને ઉકત કરી, અઢી ચાવલની ખીચડી પકાવવા કેશિશ કરે છે, તે તે કઈ રીતે સિદ્ધ થાય તેમ છેજ નહિ.
મિ. પાંગલે મહાશયે પિતાના ટેકટના પંદરમા પૃષ્ઠમાં, પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે એક જબરદસ્ત પ્રમાણ આપ્યું છે, ખરેખર આ પ્રમાણે તે દુનિયાભરના પ્રમાણોના કાન કાપી લીધા. જો કે આ તેઓના પ્રમાણના બદલામાં તે તે ટેકટના વાંચનારાઓએ સ્વયં વાંચતી વખતે પાંગલે મહાશયની અક્કલની પરીક્ષા કરી લીધી હશે; તે પણ હારે તે હેને જવાબ આપવો જ જોઈએ.
પાંગલે મહાશય કહે છે કે –“લેકરૂઢી જોઈએ તે જેનના દેવ નાગા” એ વાત બધા ભારતવાસીઓની માં છે.......
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
( પલ )
વેતામ્બરના દેવ જે નસ હેતા, તે લેકમાં કહેવાતી રૂઢી કયાંથી આવી?”
ટૂંકમાં જવાબ તે. એટલે જ હોઈ શકે કે “આ રૂઢી આવી દિગબરના દેવ નાગા દેથા હાંથી.” એવું કેણ કહી શકે કેઆ રૂઢી વેતામ્બરના દેવ નાગા હતા, તે ઉપરથી આવી? તાઅરના દેવ નાગા હતા પણ નહિં, અને એ પણ નહિં. અને જે આ રૂઢી કતાબના દેવ ઉપરથીજ પ્રચલિત થઈ હોય, તે મ્હારે કહેવું જોઈએ કે-વેતામ્બરના મંદિરમાં જતાં અન્ય દર્શનીએ અચકાય છે, કે દિગમ્બરેના મંદિરમાં જતાં? હેની તપાસ કરે. તપાસ શી કરવી છે, બનારસ-લખન વિગેરે સ્થળોએ મ્હારે દિગમ્બરની રથયાત્રા નિકળે છે, ડારે હેની અંદર કેઈપણ હિન્દુધર્માનુયાયી શામેલ થતો નથી, એટલું જ નહિ પરંતુ મહું પ્રત્યક્ષ એ વાતને અનુભવ કર્યો છે કે-લખનમાં તે દિગમ્બરેની રથયાત્રા હોય છે, તે દિવસે કુલ બજાર બંધ રહે છે, બલ્ક સાંભળવા પ્રમાણે મુસલમાને પણ દુકાને બંધ કરે છે. અને તેજ શહેરમાં શ્વેતામ્બરની રથયાત્રા કે વડે નિકળે છે, ત્યહારે કુઠ્ઠ બજાર ખુલે રહે છે અને લોકે ઉત્સાહપૂર્વક હૈમાં ભાગ પણ લે છે. બલકે બનારસમાં તે અન્યદર્શી નીને ભગવાનની પાલખી ઉઠાવતાં અને પોતાનાં મકાને ઉપરથી પુષ્પ વડે ભમવાનું ને વધાવતાં પણ હે જોયા છે. પાઠક ! વિચાર કરી શકશે કે, મિ. પાંગલેનું કથન કેટલું બધું
થી ભરેલું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
( to )
આ
ઉપર્યુક્ત કથનથી. એ તો ચાક્કસ જણાઇ આવ્યુ કે આ રૂઢી દિગમ્બર-દેવમૂર્તિ ઉપરથીજ પ્રચલિત થઇ છે. હવે કદાચ દિગમ્બરો એમ કહેવા માગતા હોય કે-
,
“ જૈનના દેવ નાગાછે, આ રૂઢી દિગમ્બર મૂર્તિ ઉપરથી પ્રચલિત થઇ છે, તેથી અમેજ પ્રાચીન છીએ ” તેા તે પણ ખાટુ જ છે. ખરૂ જોવા જઈએ તા આ રૂઢીથી તેઓની પ્રાચીનતા સિદ્ધ નથી થતી, પરન્તુ તેઓ જૈન ધમ ને કલ કભૂત થયા છે ઃ આ વાત સિદ્ધ થાય છે. કેમકે જમ્હારથી તેએ મૂર્તિને નગ્નાવસ્થામાં રાખવા લાગ્યા, ત્હારથી આ લેાકેાક્તિ પ્રચલિત થઇ છે. આ લેાકેાક્તિ કઇ શાસ્ત્ર પ્રતિપાદ્ય નથી. આવીજ એક બીજી પણ લેાકેાક્તિ -જ્ઞના ફ્રેન્છા ' એ પ્રમાણેની ચાલી આવે છે, અને તે લેાકેાક્તિ સ્થાનકવાસી ( ઢૂંઢીયા ) સાધુએ ઉપરથી ચાલેલી અનુભવાય છે. કેમકે ઢુંઢીયા સાધુઓના કેટલાક વ્યવહાર, નિદાને પાત્ર બને, વ્હેવા હાય છે. હવે શું આ લેાકેાક્તિ ઉપરથી ઢૂંઢીઆએ એમ કહી શકે ખરા કે “ગૅના žચ્છા' આ લોકોક્તિ અમારા ઉપરથી ચાલે છે, માટે અમે પ્રાચીન છીએ. '' કદાપિ નહિ હેવીજ રીતે દિગમ્બર ભાઇઓથી પણ, તે લેાકેાક્તિના આધારે પેાતાની પ્રાચીનતા સિદ્ધ કરી શકાય તેમ નથી. આવીજ લેકોક્તિઓ ઉપર મ્હારા ખુશમિજાજી મિત્ર સાથે મ્હારે એક વખતે વાતચીત થતી હતી, તે વખતે હેમણે મ્હને કહ્યું કેઃહશે કે મ્હારે ઘરમાં
–
“ હમને એ વાતને અનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૬ ) કુતરૂં પિસતું હોય છે, ત્યહારે હૈને હટ સરાવગી (દિગ
મ્બર)' એમ કહીને હાંકવામાં આવે છે, અને આ પ્રમાણે હુ ઘણાઓના મુખેથી સાંકળું છું, તેથી માલૂમ પડે છે કે–આ લેકેક્તિ ઘણું કાળથી ચાલી આવતી હોવી જોઈએ, અને જે તેમજ હોય તે શું દિગમ્બર ભાઈઓને ગ્રામદ્લેની સાથે કંઈ સંબન્ધ હશે કે ?
હારે તે વખતે પણ કહેવું પડયું કે નહિં, આ હમારી મોટી ભૂલ છે. શું લોકેતિ ઉપરથી એમ કહી શકાય કે? અને તે શું સંભવિત છે કે?
આવીજ લેકેતિ “ ના "નાત ” એ પ્રમાણેની પણ ચાલે છે. શું આ લેકેનિને કેઈપણે બુદ્ધિમાન સાચી માની શકશે ? કદાપિ નહિ. જેને શું આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક અને મેક્ષ આદિ પદાર્થને નથી માનતા કે હેથી તેઓ નાસ્તિક કહેવાય ? જહેવું જેનોના શોમાં ઉપર્યુક્ત પદાર્થોનું
સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે, તહેવું કોઈ પણ દર્શનમાં જેવામાં આવતું નથી. વેદમાં બતાવેલી હિંસા આદિ નિવકાર્યોને જૈનોએ ન માન્યાં, એટલે તેઓને ‘નાસ્તિક ” નું ટાઈટલ આપી દીધું, આ તે કેવલ કેપબુદ્ધિનું જ પરિણામ છે, અને દ્વેષ બુદ્ધિથી ચાલેલી લેકેતિઓ પ્રમાણભૂત હોઈ શકે જ નહિં. યદિ
જનના દેવ નાગા ” આ લોકતિને આગળ ધરી દિગમ્બર ભાઈએ પોતાની પ્રાચીનતા સિદ્ધ કરવાનું બીડું ઝડપતા હોય, તે મહારે કહેવું જોઈએ કે–ના : એ લેકે કિતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
પણ સાચી માનવાનું, દિગમ્બરભાઈએ સાહસ કરશે ખરાજ ને? પરતુ નહિં, આવી લાકે તિઓ ઉપરથી અમુક એક ધારણ બાંધવું, એ તે અસત્ય વાતને ખરીદી લેવા બરાબર છે.
હવે પૃટ સેલમામાં મિ. પાંગલે મહાશયે, કતારની ઉત્પત્તિ દુષ્કાળના વખતમાં બતાવી છે. પરંતુ મ્હારા પ્રથમના લેખમાં બતાવેલી દિગમ્બરની ઉત્પત્તિની વાતને, તેઓ ગાયબજ કરી નાખે છે, અર્થાત્ ઉડાવી દીધી છે. વેતામ્બરની ઉત્પત્તિની જે રામકહાણી શ્રીમાને ચીતરી છે, હેમાં કંઈ પણ પ્રમાણિકતાની વાત નથી. નિદાન તેઓએ કંઈ પણ પ્રમાણ આપ્યું નથી. આ સિવાય તેઓનું આ લખવું: _“વેતામ્બરી ભાઈએના કરતાં, વેતામ્બરી સાધુઓ જ વધારે હડ કરનારા હેય છે, અને તેઓ ન્યાયની કોઈ પણ વાત એકદમ માનતા નથી.” બિલકુલ મૂર્ખતા કે દ્વેષ ભરેલું છે. હેમાં તેઓ પ્રમાણ “લાલન અને સાધુઓને ઝઘડે થયે હતો. તે બતાવે છે.
ખરેખર મિ. પાંગલે મહાશયે પિતાની સ્વચ્છન્દતાને સારો અનુભવ અહિં જ આપી દીધો છે. શ્વેતામ્બર સાધુઓને અને લાલનને કયા વિષયમાં ઝગડે થયે હતું ? વિગેરે કથા કહેવાની અહિં કંઈ પણ જરૂર જોતું નથી, પરંતુ એટલું જરૂર કહીશ કે, શાસન શુભેચ્છક મહાત્માઓ, કઈ પણ શમ્સને શાસ્ત્ર વિરૂદ્ધ કલ્પનાઓ કરતાં, શાસન વિરૂદ્ધ કાર્યો કરતાં અટકાવ કરે અથવા શિક્ષા કરે છે તેઓને હઠ કરનારા કે “ન્યાયની વાતને નહિ માનનારા ” કહેવું એ કેટલું બધું પાપી કામ કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
શકાય ? પરન્તુ ઠીક છે, નિર્નાથ દિગમ્બર સંપ્રદાયની અંદર જહેમ લોકે મનમેદ ઉડાવે છે, હેમ વેતાબર સંપ્રદાયની અંદર પણ મુનિરાજે, લોકોને મનોદક ઉડાવવા દે તે જરૂર, મિ. પાંગલે મુનિરાજોની તારીફ (સ્તુતિ) કરે. પરંતુ મિ. પાંગલે મહાશયે આ વાતને પિતાના અંતઃકરણમાં બરાબર કોતરી રાખવી જોઈએ કે -શ્વેતામ્બર આ નાય, દિગમ્બર આમ્નાય જે અગર (ગુરૂવિનાને) નથી, કતાઓની અંદર હજુ શાસન પ્રિય મહાત્માએ મેજૂદ છે, અને હાં સુધી તેઓની વિદ્યમાનતા છે, તહાં સુધી તેઓ શાસ્ત્રવિરૂદ્ધવર્તન કરનારાઓની અને ઉસૂત્ર પ્રરૂપણ કરનારાઓની હામે પડવાના, પડવાના ને પડવાના. ચાહે તે મહાત્માઓની લો કે સ્તુતિ કરે યા નિંદા પરન્તુ તે બદલ અમારા પગલે મહાશયને શામાટે પેટમાં દદ થતું હશે ? તે કંઈ સમજી શકાતું નથી. યાદ રાખવું જોઈએ કે શ્વેતામ્બર સાધુઓ હઠ કરનારા નથી, કિન્તુ સાચી વાતને જાહેર કરનારા છે.
મિયાની ચાંદે ચાંદ” જહેવું કરે, તે વેતામ્બર સાધુઓ સત્યગ્રાહી ગણી શકાય, આ પણ કે ન્યાય? દિગમ્બરેની અસત્ય વાતને કવેતામ્બર સાધુઓ ન સ્વીકાર કરે અને હેનું ખડન કરે, તે તેથી શું તેઓ દુરાગ્રહી થઈ ગયા કે ? ભાઈ! દુરાગ્રહી કે અન્ધશ્રદ્ધાળુ તે મારા જેવા દિગમ્બરભાઈએ જ છે કે-જેઓને અનેકાનેક પ્રમાણેથી એ વાત સિદ્ધ કરી આ પીએ છીએ કે “દિગબરે અર્વાચીન છે, તે છતાં “થિ વિશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
તો મેં ટાર્ચ ઉપરી ” ની માફક ભૂલને સ્વીકાર કરી સત્યવાતને માનતા નથી.
પ્રિય પાઠક ! એ તે આ કઈ વીકાર કરી શકશે કેમનુષ્ય માત્રની ભુલ હમેશાં થતી આવે છે. એક સમયમાં માણસના જહે વિચારો હેય તે બીજા સમયમાં બદલાઈ જાય છે. અને તહેવીજ રીતે અમુક વિષયમાં મ્યાં સુધી પિતાને વિશેષ અનુભવ ન થયો હોય, ત્યાં સુધી સાચી વતથી વિપરીત મન્તવ્ય કદાચિનું હોય, તે હેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી.
મિ. યુ. ડી. બડિયા કે જેઓ એ' ગ્રેજ્યુએટ છે, હે. મણે “જૈનીઝમ' નામનું પુસ્તક લખી, જૈન ગ્રેજ્યુએટસ એસેસીએશન દ્વારા પ્રસિદ્ધ કરાવ્યું છે. આ પુસ્તકની અંદર તે મહાનુભાવે એક એ રો ફરે લખે છે કે, હેની અંદરથી મતલબ કાઢવાવાળે માણસ એમ કાઢી શકે કે “કતાબોની ઉત્પત્તિ દુકાલના વખતથી થએલી છે.”
પરંતુ આ મિ. બરોડિયાના ફકરા ઉપર તે મિ. પાંગલે મહાશય ફૂલ્યા પણ સમાતા નથી. તેઓ તે પિતાના મનમાં એમ જ સમજવા લાગી ગયા છે કે આ વાક્ય શું છે? દિગઅરેની પ્રાચીનતા સિદ્ધ કરનાર, સર્વજ્ઞનું વચન છે. અને તેટલાજ માટે તેઓએ બે ત્રણ પેજ કાળાં કરવામાં સંપૂર્ણ ઉત્સાહ બતાબે માસ પડે છે. પરંતુ હું પહેલાં જ કહી ગ છું કે-રડુ સુધી અનુચને અમુક વિષયમાં રાપૂર્ણ માડિવી ન હોય, હાં સુધી તે વિષયમાં ભૂલ થાય, એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
( ૬૫ ) શું આશ્ચર્ય છમસ્થાવસ્થામાં રહેલા તમામ છ ભૂલને પાત્ર બને છે, જે એમ ન હોય તે તીર્થંકરે શામાટે છમસ્થ અવસ્થામાં ઉપદેશ ધારા વહેતી ન રાખે? તેનું કારણ એજ હતું કે–તેઓ એમ સમજતા હતા કે–ચદિ છમસ્થ અને વસ્થામાં ઉપદેશ દેવામાં હે પ્રરૂપણ થાય હેમાં, અને કેવળ જ્ઞાન થયા બાદ કરેલી પ્રરૂપણામાં બીજે જ ભાવ પ્રકટ થાય, તે દ્વિધાવાળુ થવાને પ્રસંગ આવે, માટે જ તેઓ છદ્મસ્થાવસ્થામાં ઉપદેશ ન્હોતા દેતા. અને હેવીજ રીતે શ્રીયુત યુ. ડી. બરીયાએ પણ છત્મસ્થ અવસ્થાના કારણથી ભૂલ કરેલી છે.
આ વિષયમાં મિ. બીયાની સાથે, પૂજ્યપાદ મહારાજ શ્રીઈન્દ્રવિજયજીને ઘણે વિસ્તારથી પત્રવ્યવહાર થએલે છે, અને તે પત્રવ્યવહારમાં અન્તગત્વા આવેલા પરિણામને જાહેર કરૂં, તે પહેલાં મિ. બધયાની સરળતા, સત્યપ્રિયતા અને તેઓના ઉત્સાહ બદલ અનેક ધન્યવાદ આપ્યા સિવાય હું આ લેખિનીને આગળ ચલાવી શકું નહિં. ખરેખર, ગ્રેજ્યુએટ્સ વર્ગમાં આવા પુરૂષો હું કવચિતજ જેવા ભાગ્યશાળી નિવડ્યો છું. મિ. બરડીયા, પોતાના તા. ૨૦–૭–૧૩ના પત્રમાં લખે છે કે –
“ એક બે પિઈન્ટ સિવાય ઘણેજ ૫રિશ્રમ લઈ સરસ મીમાંસાયુકત મુનિશ્રી વિદ્યાવિજયજીએ પોતાને લેખ લખ્યો છે, ત્યારે મી. પાંગલે પિતાને લેખ વિદ્વત્તાને ન છાજે તેવા શયુક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
(૬૬) લખેલો છે. કંઇક ઉશ્કેરણુ વૃત્તિથી તે લખાએલ હેાય તેવું ભાસે છે.
મારે એક વાત આ પત્રમાં લખવી જોઈએ. મી. પાંગલે મારે પેરેગ્રાફ ટાંકીને તેની સાથે પોતાના વિચારે ભેળવી દઇને મને અને જૈન શ્વેતાંબર સાધુઓને અન્યાય આપે છે એ નિસંશય છે. તેથી મારી પ્રથમ વિનંતિ સ્વીકારી તે ગેરસમજતી ઉતપન્ન કરાવનાર મારો સંક્ષેપમાં લખાયેલ પેરો આપ સુધારી આપે. જે આપની તેમ ઈચ્છા નહીં હશે તેજ પછી હું તે સુધારવા આરંભ કરીશ. એજ”
શું આ પત્ર બદલ, આવી સરલતા સત્યપક્ષતા માટે મિ. બડીયાને થોડે ધન્યવાદ ઘટે છે?
બસ ! હવે મહારે, મિ. પાંગલે મહાશયે મી. બરડીયાને ફકરો આગળ ધરી જે ફૂલ મારી છે, હેને કંઈપણ જવાબ આપવાની જરૂર નથી. મિ. બરેડીયા પિતેજ તે ભૂલ સ્વીકારે છે. તે પછી, પાંગલે મહાશયની રામકહાણી માટે લખી લખીને, પાઠકોને વિશેષ સમય શામાટે રેક જોઈએ?
હુ આ પ્રસંગે એક આશા અવશ્ય રાખીશ કે, મિ. પાંગલે મહાશયે શ્રીયુત બધયાને “સમજુ” “વિદ્વાન” ઈતિહાસ સંશોધક” અને “પદ્વીધારક ઇત્યાદિ વિશેષ હે પ્રેમથી જે ઉત્સાહથી લખેલાં છે, તે પ્રેમ કે ઉત્સાહને લગાર માત્ર પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
ખંડિત નહિ કરે. અને મિ. બરડીયા સત્યપક્ષી થયા-સાચું તે મહારૂં, આ અનુસાર વર્તવા લાગ્યા, તેથી મિ. પાંગલ, યદિ બીજા જ વિશેષણથી બડિયાને વધાવશે તે, જોકે સત્ય-પ્રિય બયાને તે કંઈજ નથી, પરન્તુ હાં ! જનસમાજ તે મિ. પાંગલેની કિંમત આંકયા વિના કદાપિ રહી શકશે નહિ. આ વિષયમાં અધિક લખવું વ્યર્થ છે, પાઠકે સ્વયં વિચાર કરી શકે તેમ છે. આગળ ચાલતાં મિ. પાંગલે પૃષ્ઠ ૧૯માં લખે છે કે –
કુંદકુંદાચાર્યના વખતમાંજ દિગમ્બર કવેતામ્બર બદલ ગિરનાર પર્વતપર વાદ થયે, તે વેળા દિગમ્બર પ્રાચીન અને શ્વેતામ્બર અર્વાચીન ઠર્યા. ”
શું આમ લખવા માત્રથી કોઈપણ બુદ્ધિમાન માની લેવાનું સાહસ કરશે કે ? એવી રીતે તે દરેક પિતપોતાની વડાઈ હાંક્યા કરે, પરંતુ તેથી પ્રમાણ વિને પ્રામાણિક થઈ શકે નહિં. આ સિવાય “પ્રભાસપુરાણ” “ દ” “રામાયણ બાલકાંડ” અને “નિઘંટુ’ એમ બે ત્રણ વાગ્યે સંસ્કૃતના, કે જાહેની અંદર “નગ્ન' અર્થને કહેવાવાળે શબ્દ કે “નગ્ન” શબ્દ આવેલ છે, તે ઉલેખ્યાં છે, પરંતુ હું એમ કહ્યા વિનાન રહી શકું કે “નગ્ન” શબ્દને દેખી “નાગા' થવાને, દિગ
મ્બર ભાઈઓને એક મહાવરેજ થઈ ગયા છે. ભલા, “નગ્ન” શબ્દ આવવાથી દિગમ્બર ભાઈઓની પ્રાચીનતા કેવી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૬ )
સિદ્ધ થઈ શકવાની હતી ? વળી આ હે ત્રણ ચાર વાગ્યે આપ્યાં છે, તે તે અસખદ્ધજ આપ્યાં છે, ન તે હેમણે તે કયા પ્રસ`ગની વાત છે ? તે બતાવ્યું છે, અથવા તેઆએ કયા પૃષ્ઠમાંથી, કયા પ્રકરણમાંથી તે વાકયેા ઉદ્ધૃત કર્યાં છે, તે પણ મતાવ્યું નથી, એથી વાંચનારા સહુજ સમજી શકશે કે આ હૅમના જૂઠે વિતંડાવાદ અથવા તેા ચાલબાજીજ છે.
હવે તે અંધશ્રદ્ધા કે અજ્ઞાનતા નથી રહી કે માત્ર શ્લોક કે સંસ્કૃત વાક્ય આપી દેવાથી હેને વેદવાકય માની લે. હવે તે વાંચનારાએ પ્રકરણ, સ્થળ, પૃષ્ઠ વિગેરે તમામ મશાલે મેળવ્યા પછીજ હેને સત્ય માનવાનુ સાહસ કરે છે. હારે મિ. પાંગલે મહાશયને કઈ પ્રખળ યુક્તિ મળતી, ત્હારે તેઓ કેવા શબ્દોમાં પેાતાના રાશ બહાર કાઢ છે, ત્યેના નમૂના એક આ પણ છેઃ—
નથી
.............અને આ ખાટા શાસ્ત્રને કેટલાએક ભેાળા, હઠીલા શ્વેતામ્બરી ભાઇએ ખરાં માને છે.”
ધન્ય છે દિગમ્બરી, હમારી ભદ્રિકતા અને સરળતાને !! મહાશયજી ! શું હમારાં શાસ્ત્રને અધશ્રદ્ધાથી કે અજ્ઞાનતાથી માની બેઠેલા દિગમ્બરીએ સાચી વાતને પણ માનવામાં, કન્નોજના ટટ્ટુએથી પણ વધીને અડીઅલપણું કરે છે, હેને હમે ભદ્રિક અને સરળ ગણાછે કે? વાહ, મહાશય ! શું કહેવું હુમારી અક્કલની અમલદારી માટે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૬ )
પ્રિકપાઠક ! મી૰ ખરાડીયાના અગ્રેજી કરાવાળા ચરખા તે પાછા, પૃષ્ઠ ૨૦ અને ૨૧ માં પણ પાંગલે મહાશયે ચલાન્યા છે. પરન્તુ ત્યેના ઉત્તર તા હું પ્રથમજ આપી ગયાધુ, એટલે ‘વીણેલાને વીણવા કરતાં, નવું વીણવું સારૂં હૈની માફક તે ટ્રેકટના આગળના ભાગમાં જહે અશુદ્ધિ-અસત્ય રૂપી કીડાઓ ખિલખિલાઈ રહ્યા છે, હેએનેજ દૂર કરવા વધારે ઉત્તમ સમજી છું.
'
આજ સુધી હું એમ સમજતા હતા કે જાદુઇ ખેલા-હાથચાલાકીના ખેલેા કરવામાં પ્રાસર નથુ મ`ચ્છાચંદ અવ્વલ નખર ભાગવતા હશે. પરન્તુ જમ્હારથી મિ. પાંગલેનું ટ્રેકટ મ્હારા વાંચવામાં આવ્યુ, ત્હારથી મ્હને એમ ખાતરી થઇ કે, નહિ, અસલી સ્વરૂપને ઉડાવી દેઇ, હેને ખીજાજ રૂપમાં બતાવવાની જા ુવિધામાં ખરેખર મિ. પાંગલેએ વિશારદતાજ પ્રાપ્ત કરી છે.
વાંચકાએ જોયુ હશે કે-મ્હે' મ્હારા પ્રથમના લેખમાં એક સ્થળે એમ જણાવ્યું છે કેઃ—
દિગમ્બર મતાનુયાયિઓનુ' એમ કહેવું છે કે અગી- ચાર અ'ગ વિચ્છેદ થઈ ગયાં છે, અને વીર સ. ૬૮૩ માં ધરસેન નામના મુનિ પાસેથી જ્ઞાન લેવાવાળા બે મુનિએએ પહેલ પહેલાં જ્યેષ્ઠ શુકલ પચમીને દિવસે ત્રણ સિદ્ધાન્ત બનાવ્યાં, હવે અહિ' પ્રશ્ન એ ઉઠે છે કે—તે મુનિઓએ શાસ્ત્રાની ૨ચના શા આધારે કરી? કદાચિત્ કાઇ એમ કહે કે અંગાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૭૦ )
કોઇ કોઇ ભાગ રહ્યા હતા તે ઉપરથી શાસ્ત્રા રચ્યાં, ત્હારે તે એ વાત ચાક્કસ છે કે-જનસમાજને પ્રતીતિ થવા માટે ખાસ તે તે અ‘ગની અવશ્ય શાક્ષી આપવી જોઇતી હતી. અને તે પ્રમાણે તે કોઇ સ્થળે દેખવામાં આવતું નથી, તેથી એ વાત સિદ્ધ થાયછે કેતેઓએ સ્વકપાલ કલ્પિત શાસ્ત્રા રચ્યાં છે, અને સ્વક પેાલકલ્પિત શાસ્ત્ર જગત્માં કેવીરીતે પ્રમાણ થઇ શકે ? તે તે વાંચકે સ્વય· સમજી શકે તેમ છે. ”
આ પ્રમાણે લખેલા મ્હારા કરાનો જવાબ શ્રીમાન્ કેવી જાદુવિદ્યાથી-કેવી ચાલાકીથી આપે છે ? તે તપાસે.
શ્રીમાન્ પૃષ્ઠ ૨૧ માં લખે છે કેઃ—“ મુનિ વિદ્યાવિજયજી લખે છે કે- વીર સ. ૬૮૩ માં જૈન ગ્રન્થ લખવાના પ્રાર્ભ થયા. ”
ઉપરજ બતાવેલા ફકરામાં વાંચકે જોઇ શકશે કે-મ્હે દિ ગમ્બાના ગ્રન્થાન રચવાના પ્રારંભ ખતાન્યા છે કે લખવાના ? રચનાના પ્રારભને લખવાના પ્રારભ ટાંકી ખતાવી, શું નજરબંધીના ખેલ નથી કરી ખતા ? નજરઅધીના ખેલ શામાટે ? વાંચકાની આંખામાં ધળ નાખવાને પ્રપંચ નથી કર્યા કે? અસ્તુ ! આ સિવાય ઉપરની બીજી બધી વાત, કે હે સબંધી શકા કરવામાં આવી છે, તે તે હજમજ કરી ગયા છે.
>
હવે બીજી વાત તપાસીએ——‹ પ્રશ્નચર્ચા સમાધાન ' નામના દિગમ્બર ગ્રન્થમાં લખ્યુ છે કેઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૭૧ ) “મહાવીર દેવના નિર્વાણ બાદ ૬૮૩ વર્ષે ધરસેન મુનિ ગિરનારની ગુફામાં બેઠા હતા, તે કાળમાં અગીઆરે અંગ વિચ્છેદ ગયાં, હારે “વિકમ પ્રબંધ” અને “મૂલ સંઘની પટ્ટાવલી ” માં તે લખ્યું છે કે –“મહાવીર પ્રભુથી ૧૪ વર્ષ વ્યતીત થયા બાદ ધરસેનાચાર્ય થયા, અને હેમને વર્તમાનકાળ ૧૯ (૨૧) વર્ષને છે.
હવે આ ઉપરથી એક બાળક પણ સમજી શકે છે કે હારે ૬૩૩ની સાલમાં તેઓ (ધરસેન મુનિ) સ્વર્ગે સિધાવ્યા છે, તે પછી ૬૮૩ ની સાલમાં તેઓ ગિરનારની ગુફામાં બેસેજ કહાંથી ? પરંતુ આ લખવું, બિલકુલ જૂઠથી ભરેલું છે, તે છતાં પણ પાંગલે મહાશય હેને ઉચિત જવાબ તે ખાઈજ ગયા અને હેને બીજા જ રૂપમાં ચીતરી કાઢે છે.
શ્રીમાન તે લખે છે કે-“વીર સં. ૬૧૪ થી ૬૩૩ સુધીમાં ધરસેન મુનિએ પુષ્પદંત અને ભૂતબલી આચાર્યને શ્રતજ્ઞાન શિખવ્યું, અને પછી ૬૮૩ માં ધરસેને શિખવેલું તે બંનેએ લખેલું શ્રુતજ્ઞાન જગજાહેર કર્યું એટલે દિગમ્બર શાસ્ત્રને લે. ખનકાળ વીર સં. ૬૮૩ થી નક્કી થાય છે.”
કેવી આશ્ચર્યની વાત છે કે-પહેલાં તે ધરસેન મુનિના સમયને જ નક્કી નથી કરી શકતા અને ગ્રન્થના લેખનકાળ ઉપર જઈને નોબત વગાડી. પ્રશ્ન એ થાય છે કે- ધરસેન સુનિ ૬૮૩ માં ગિરનારની ગુફામાં પિઠવા કહાંથી? કેમકે તેઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
સમય તા ૬૯૩ ના છે.' આ પ્રશ્નના જવાબ આપ્યા નહિં, અને લેખન તથા રચનાકાળ ઉપર ઉતર્યા. વાહ પાંગલેજી હમારી ચાલાકીને ?
'
· ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે' આ લોકોક્તિને મિ. પાંગલે બહાદુરે ડીકજ ચરિતાર્થ કરી છે. તે મ્હને શિખામણ આપતાં કહે છે કેઃ—
“ ઇતિહાસ અવલેાકનાર્થે ઇતિહાસની તારીખ નક્કી કરવામાં સારાસાર વિચારની ઘણી જરૂર છે. ''
વાહ ! મને ઉપદેશ આપનાર મ્હેતાજી! હેનુ પાલન હંમે પાતે કરી છે કે કેમ ? તે વિચારે. પરન્તુ મહાશય ! ખરેખર તે પછીનું હમારૂં લખેલુ હૅના અભાવે આવા ગોટાળા “ ભરેલુ. અધું ખાટુ' માલૂમ પડે છે ” આ વાકય ત્હમે યથાર્થ રીતેજ ચરિતાર્થ કરી બતાવ્યુ છે.
હમે લગાર દ્વેષદાવાનળને શાન્ત કરી, શાન્તચિત્તથી આ દ્ઘમારા ધરસેન મુનિજીના સમયનેજ તપાસી જોયેા હતે, તે હમને માલૂમ પડતે કે-હલ્લુ હું કયા નવાણુંના ફેરમાં પડો છું ? • અને અસબદ્ધ આ શું ચિતરૂદ્ધ ? હવેથી તેમ ન થવા પામે, તે માટે એક હિતેચ્છુ તિરકે અનુરોધ કરૂ છું.
વળી મ્હેં મ્હારા લેખમાં એમ જણાવ્યુ છે કે—
“ હવે વિચાર કરો કે શ્રી વીર નિર્વાણુથી ૬૮૩ વર્ષે ધર
(ર
સેન મુનિ આવ્યા ફડાંથી? ભૂતખલી અને પુષ્પદ તને ખેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૭૩ )
બ્યા કાણે ? ભૂતખલી પુષ્પદંત આવ્યા કમ્હાંથી ? ભણાવ્યા કાણે ? કેમકે ધરસેનનું મૃત્યુ તે ૬૩૩ માં થયું છે, પુષ્પદંતનું મૃત્યુ ૬૬૩ માં થયું છે, જહારે ભૂતમલીનું મૃત્યુ ૬૮૩ માં થયુ છે. તેા પછી આ બધાને સમાગમ કહાંથી થયા ? અત એવ પૂર્વોક્ત પરસ્પર વિરોધી ધરસેનની કથા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-દિગમ્બર શાસ્ત્રોના રચનાકાળ હે અતાવવામાં આવે છે, તે પણ મન:કલ્પિતજ છે. ’
આના જવાબ મિ. પાંગલે મહાશયે હે આપ્યા છે, તે બિલકુલ ખિન પાયાદારજ આપ્યા છે. બિન પાયાદાર શું આચેા છે ? તેઓ પાતેજ આ વાતમાં શકાશીલ થએલા છે. અર્થાત્ તેઓને પણ હજી સુધી એ નિર્ણય નથી થયા કે— · ધરસેન, પુષ્પદત અને ભૂતખલી કમ્હારે થયા ? '
શ્રીમાને જહે જવાબ આપ્યા છે તે આ છેઃ
“ ધરસેન જો વીર સ. ૬૩૩ માં સ્વર્ગસ્થ થયા હશે અને ૬૬૩ માં પુષ્પદંતાચાર્ય શ્રુતજ્ઞાનના થાડો ભાગ ગ્રન્થમાં લખી સ્વસ્થ થએલા હશે અને વીર સ. ૬૮૩ માં ભૂતખલી આચાર્ય તે લખી રાખેલા દિગમ્બર આમ્નાયના ગ્રંથ પ્ર સિદ્ધ કરી સ્વર્ગસ્થ થયા હશે, તે એ ત્રણેને સતત દી પ્રયત્ન આ પ્રથમ લખાણ કરવામાં રોકાએલા હેાવાથી તે ત્ર. ઊનાં નામ અને શ્રુતજ્ઞાન ગ્રંથ રૂપે પ્રસિદ્ધ થયાની મિતિ વીર સ. ૬૮૩ ના જ્યેષ્ઠ સુદ પાંચમ જૈન દિગમ્બર ઇતિહાસમાં નોંધાઇ ગઇ છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
( ૭૪ )
પ્રિય વાંચક ! આ તેઓના જવાબ કોઈ પણ જાતની પુષ્ટી કરનારા છે કે ? પુષ્ટી શાની કરે ? કેમકે તેઓ પોતેજ, આમ હશે, જો આમ હશે તે આમ થયું છે.' આવું અસબદ્ધ વાક્ય લખે છે તે પછી હેને ‘ જવાબ' કહેવાનું સાહસ કાણુ મૂર્ખ કરી શકે ? આ વિષયમાં હજી પણ હું દાવા સાથે કહી શકુ છુ. કે—મિ. પાંગલે મહાશય, કાઇ પણુ રીતે પેાતાના બચાવ કરી શક્યા નથી અને કરી શકે તેમ પણ નથી.
દિગમ્બર ગ્રન્થાને રચના કાળ તે આપણે ઉપર ઘણા વિસ્તારથી તપાસી ગયા. હવે મ્હારા પ્રથમના લેખમાં એ શકા ઉઠાવેલી છે કેઃ
-
“ જો દિગમ્બર મત પ્રાચીન હતે તે ગણુધાદિ મુનિએનેા બનાવેલા કોઇ પણ અંગ, પ્રકરણ, અધ્યાય અથવા વસ્તુ અવશ્ય હોવું જોઇતું હતું, અને છે તે નહિ', તેથી પણ એ સિદ્ધ થાય છે કે દિગમ્બરોએ પોતાના મત ચલાવવા માટેજ સ્વકલ્પિત નવીન ગ્રન્થાની રચના કરી લીધી છે. ’’
વાંચકા, વિચારી શકશે કે આ કથન મ્હારૂં શું ખાટુ છે? કેમકે હાં સુધી તેએ પ્રાચીન કોઇ અંગ, પ્રકરણ આદિ સમ્પૂર્ણ તા શું ? થોડા અંશ પણ ન બતાવી શકે, ત્યાં સુધી એમ કેમ ન કહી શકીએ કે તેઓના ગ્રન્થા ખીલકુલ વર્કપેાલ કલ્પિત છે ? પરન્તુ આવું મીઠું દૂધ પણ તેને ઘણુંજ અરૂચિ ‘ભરેલુ’ નિવડયુ’. તેઓ તે કહે છે કે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૫ ) વિદ્યાવિજ્યનું આ કહેવું કેવળ અભિમાન ભરેલું અને દીર્ઘ વિચાર વગરનું છે” કહો! મિ. પાંગલેએ પિતાની યેયતાને ફેટે ખેંચી બતાવ્યું કે નહિ ? પ્રિય પાઠક ! આટલેથી સંતોષ ન રાખે, નહિ લખેલી વાતને પિતાની કલમથી ચીતરી કાઢી વાંચકેની આંખે પાટા ઉપર પાટા બાંધવાનું તે તેઓને એકડે એક જહેવું થએલું છે. તેઓ કહે છે કે “એકદમ ગ્રન્થ રચના થઈ નહિં, અને પાછળથી થઈ, માટે રચના કપોલ કલ્પિત છે, એવું કહેવું ભૂલભરેલું છે.'
પ્રિય વાંચક ! શું મ્હારા લેખકની અંદર કોઈ પણ સ્થળે આવું વાક્ય તમે વાંચ્યું છે કે? મ્હારી ઉઠાવેલી શંકા તે તેઓ તેિજ ઉપર ઉદ્ધત કરી આવ્યા છે, તે છતાં પણ હેના સારાંશમાં તે એક “ઇદે તૃતીયં” અભિપ્રાયજ ઉભું કરે છે. કહો હારે વિતંડાના છેડા સુધી તેઓ પહોંચી ગયા કે નહિ? ખેર ! તેઓ ગમે તેટલી ચાલાકી કરી પિતાને બચાવ કરવા ચાહે, પરંતુ તેઓને બચાવ તે થવો દૂર રહ્યા, પ્રત્યુત તેથી તે તેઓની નિર્બળતાજ જણાઈ આવે છે.
આગળ ચાલતાં તેઓ લખે છે કે – “વેદને રચનાકાળ મિ. તિલકે “દશ હજાર વર્ષ પહેલાને છે એવું “આર્ટિક હોમ ઈન ધી વેદાઝ' નામના ગ્રન્થમાં સાબીત કર્યું છે, અને લેખનકાળ તે પછી છે, માટે તીલકની તે મીમાંસા ભૂલભરેલી કરશે કે શું ?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
આ
Page #80
--------------------------------------------------------------------------
________________
( ૬ ) ઘણું આશ્ચર્યની વાત છે કે-મિ. પાંગલે પિતાના હાથેજ પિતાના પ્રશ્નને જવાબ આપે છે, છતાં પણ તેઓ અવળું જ દેખે છે.
મિ. તિલકની તે મીમાંસાને કેઈપણ બુદ્ધિમાન ભૂલ ભરેલી કહી શકશે નહિં. કેમકે તેઓ તે પહેલાં વેદોની સ્થિતિ સિદ્ધ કરે છે અને હાર બાદ લેખનકાળ બતાવે છે. પરંતુ અમારા દિગમ્બર ભાઈઓ એતે સિદ્ધ કરતાજ નથી કે “અમારા ગ્રન્થ મેજૂદ હતા અને પાછળથી લખાણ અને મહારે પ્રશ્ન પણ તેજ છે કે–પહેલાં હુમારા અંગેના મૂળ ભાગની વિદ્યમાનતા સિદ્ધ કરે અને પછીથી હેને લેખનકાળ બતાવે. અને જહાં સુધી તેની વિદ્યમાનતા સિદ્ધ ન કરે, વહાં સુધી લેખનકાળની તતડી કઈ સાંભળે તેમ નથી. લેખનકાળ આ. જથી આઠ દિવસ પહેલા જ કેમ ન હોય ? લેખનકાળની સાથે અમારે કંઈ સંબંધ જ નથી. તેની પ્રાચીનતા સિદ્ધ કરવાની જરૂરત છે. અને પ્રાચીનતા તે સિદ્ધ હારેજ થઇ શકે કે, હારે દિગમ્બર ગ્રન્થમાં ગણધરાદિ મુનિઓએ બનાવેલા અંગ, પ્રકરણ, અધ્યાય કે વસ્તુમાંથી કંઈ પણ સંપૂર્ણ કે અંશમાં પણ બતાવી શકશે. અન્યથા તે તમારૂં રૂદન “અરણ્યરૂદન” સમાનજ નિવડ્યું છે, અને નિવડશે.
આગળ ચાલતાં પત્ર ૨૩ માં ડે. હર્મન જેકેબી મહાશયને એક ફકરે અને હેને અર્થ ટાંકળે છે, પરંતુ તેથી તેઓ શું કહેવા માંગે છે, એ જ સમજવું કઠીણુતા જેવું થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
( ૭ ) પડયું છે, કેમકે જે કેબીની તે વાતને તે શ્વેતામ્બરે પણ માને છે. તે ફકરે આ છે –
In olden times the books were not used, it being the custom of the Brahmins to rely rather on the memory than on the manuscripts and in this they were followed by the Jains and Buddhists.
અર્થ અસલના વખતમાં પુસ્તકને ઉપગ થત હેતે, પુસ્તકના કરતાં સ્મરણ શક્તિ ઉપર આધાર રાખવાનું બ્રાહ્મણે વધારે પસંદ કરતા અને તે રિવાજને અનુસરી જેને અને બાદ્ધ લોકે ચાલતા.”
આ વાતને કણ અસ્વીકાર કરે છે ? યદિ તત્ત્વષ્ટિથી જોઈએ તે જહેવા વેતામ્બર જૈને આ નિયમને વધારે વળગી રહ્યા છે, હેવા બીજા કેઈ વળગી રહ્યા નથી. સ્મરણ શક્તિથી જ પહેલાં તે આચાર્યોએ કામ ચલાવ્યું, પરંતુ હારે
સ્મરણ શક્તિ કમ થઈ, હારે ગ્રન્થ લખાયા, આ વાતને કવે. તામ્બરે પણ સ્વીકારે છે. તે પછી ઉપરને ફકરે અને હેને અર્થ ટાંકીને પગલે મહાશયે શી બહાદુરી બતાવી ?
વળી આગળ તેઓ લખે છે કે –“દુકાળના વખતમાં હે. સાધુએ મહાવીરની દિગમ્બર પરિપાટી વિરૂદ્ધ વેત વસ્ત્ર ધારણ કરી, હેમને મહાવીરની નગ્ન પરિપાટીમાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૭૮) આજ્ઞામાં ફેરફાર કરનારે, ન અને કલ્પિતભાગ આચારાંગાદિ ગ્રન્થમાં સમાવેશ કરવાને ઉદ્દેશ હો જોઈએ. ”
- બિલકુલ અસત્ય વાત છે. પહેલાં તે “મહાવીરની દિગમ્બર પરિપાટી” “નગ્ન પરિપાટી” કથન જ સત્ય વાતનું ખૂન કરે છે. કેમકે મહાવીરની દિગબર પારપાટી હતી જ નહિં, અને તે સંબંધી તે આ લેખની અંદર પહેલાં જ ઘણું એક લખવામાં આવ્યું છે. હેવી જ રીતે દુકાળના વખતમાં ત વસ્ત્ર ધારણ કર્યાનું, મહાવીરની નગ્ન પરિપાટીમાં અને આજ્ઞામાં ફેરફાર કર્યાનું, તેમજ નવીન અને કલ્પિત ભાગ આચારોગાદિ ગ્રન્થમાં સમાવેશ કર્યાનું, આ બધું કથન બેઠું છે. કેમકે કવેતામ્બરે એ પ્રમાણે માનતા જ નથી. અને આ બધી વાતને ખુલાસે એજ ઉપરથી આવી જાય છે કે “દુષ્કાળના વખતમાં વેતામ્બર મત નિકળે નથી, આ વાતને પ્રથમ સિદ્ધ કરી આપી છે.
વળી તેઓ લખે છે –“ જો તેમ ન હતા તે દેશાન્તર ગએલા નગ્ન સાધુ અને દુકાળના વખતમાં વેતામ્બર વસ્ત્ર ધારણ કરેલા સાધુઓ મળી અંગાદિ શાસ્ત્ર લખવાં જોઈતાં હતાં, અને જેમાં તે વખતે પડેલા દિગમ્બર અને તાઅર મત ભેદ થવા જોઈતા ન્હોતા. ”
થવા શું જોઈતા નહોતા. તે વખતે કવેતામ્બર દિગમ્બર એવા બે ભેદ, થયાજ હેતા. અને જેઓને હમે દેશાન્તર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
( G૯) ગએલા નગ્ન સાધુ ગણે છે, તેઓ નગ્ન હતાજ નહિં. બેશક, હૃમે શ્વેતા બની હે ઉત્પત્તિ આપી છે, તે ઉપરથી એમ કહી શકે છે, પરંતુ તે હમારી બતાવેલી ઉત્પત્તિજ કપલ કલ્પિત છે, એ વાતની સિદ્ધિ પહેલાં કરી બતાવી છે, તે પછી વિશેષ લખવું શા કામનું ?
મિ. પાંગલે મહાશયે એક સ્થળે ડૅ. જોકેબી મહાશયને એક ફકર આપી એમ સિદ્ધ કરવા કશિશ કરી છે કે –“વેતામ્બરના ગ્રન્થની રચના ગણધરાદિથી નથી થએલી, પરંતુ દુષ્કાળના વખતમાં જેઓએ વેતામ્બર મતની ઉત્પત્તિ કરી, તેઓથી થએલી છે, અને તે પણ ભદ્રબાહુની મદદ વગર.”
પાંગલે આ પ્રમાણે અર્થ કાઢવામાં મહેટી ભૂલ કરે છે કેમકે ડાજેકેબીને ફકરો તે સાફ સાફ કહે છે કે –
“તે સમયમાં ગ્રન્થો એકઠા કર્યા, મ્હારે હેને પગલે મહાશય ગ્રન્થ રચાયા એમ કહે છે, આ તેઓની અજ્ઞાનતા નહિં, તે બીજુ શું કહી શકાય ? બેશક, જેકેબી મહાશયનું આ કહેવું ખરું છે કે “અગીઆર અંગે (Collected) ગોઠવવામાં–સંગ્રહ કરવામાં ભદ્રબાહુ શામીલ હેતા, (તે સમયે તેઓ નેપાળમાં હતા ), પરંતુ તેથી એમ તે કદાપિ સિદ્ધ થઈ શકતું નથી કે અગિઆર અંગોને સંગ્રહ કરવામાં તેઓ વિરૂદ્ધ હતા. જે તેઓ વિરૂદ્ધજ હોય તે, શ્રી સંઘની આજ્ઞાથી સ્થૂલિભદ્રાદિ તીક્ષણ બુદ્ધિવાળા પાંચસે સાધુઓ ભદ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
(૮૦)
માડુ પાસે ચાદ પૂર્વ શિખવા માટે શામાટે જતે ? શામાટે તે ભણાવતે ? અને સ્થૂલભદ્ર સ્વામિને એ વસ્તુ ન્યૂન દશપૂર્વ પાડાર્થ શામાટે શિખવાડતે ?
વળી આ કુકરાની અંદર એ પણ બતાવવામાં આવ્યુ છે કે—“ ભદ્રબાહુને દિગમ્બરા પોતાના હેડ તરીકે માને છે, અને હેવીજ રીતે શ્વેતામ્બરા પણ માને છે, તેા પણ સ્થવિરની પરિપાટીમાં સંભૂતિવિજયને પ્રથમ માને છે.”
જેકેાખી મહાશય, સંભૂતિવિજયને પ્રથમ માનવાનું કારણ, અવશ્ય સમજ્યા હશે, તેાપણુ મ્હારે કહેવું જોઇએ કે સભૂતિવિજય અને ભદ્રખાહુ અને એક પાટ ઉપર થએલા છે. હૈમાં મ્હોટા સંભૂતિવિજયને પટ્ટધર ગણવામાં આવતા, મ્હારે ભદ્રબાહુ ગચ્છની સાર સંભાળ રાખતા હતા. મ્હારે આમજ હતું તે પછી સભૂતિવિજયને પ્રધાન માનવામાં આવે, હેમાં વાંધો શા છે ?
મિ. પાંગલે મહાશય, ડા. જેાખી મહાશયના ફકરા ઉપરથી સારાંશ કાઢે છે કે—“ ગણધરીએ શ્વેતામ્બરમતના ગ્રંથની રચના કરી, તે વિદ્યાવિજયજીનું કહેવું ખાટુ' છે, તેમજ પાટલીપુત્રમાં એકઠા થએલા જૈનસઘે શ્વેતામ્બર મતના સિદ્ધાં ન્ત તૈયાર કરેલા, તે આખા જૈન ધર્મના સિદ્ધાન્ત નથી.',
'
શું આ સારાંશ તેઓએ સાચા કાઢયા છે ? પટણામાં એકઠા થએલા સંઘે અગાના સંગ્રહ કર્યા'તા તેથી ગણધરાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
(૮૧) બનાવટમાં શે વિરોધ આવ્યું ? વળી “ આખા જૈન ધર્મના સિદ્ધાન્ત નથી એ તે ઠીક જ છે. કેમકે સ્વારથી અભિમાની, અવિનીત શિવભૂતિથી એક અલગજ નાગા મતે પિતાની અઢી ચાવલની ખીચડી પકાવવી શરૂ કરી, હારથી તે ગણધરાદ રચિત ગ્રન્થ તેઓ માન્ય નથી રાખતા, પરંતુ તેથી પહેલાં તે તે સિદ્ધાન્ત સમસ્ત જૈનેને માન્યજ હતા, એમાં કંઈ શકજ નથી.
ભદ્રબાહુના સંબંધમાં દિગમ્બરે ઘણી વખત ભૂલથાપ ખાઈ જાય છે-કંઈના બદલે કંઈ ભરો મારે છે, તેમાં એક કારણ છે. જહેમ પ્રસિદ્ધ ગૌતમ ત્રણ થયા છે. એક ગૌતમ બુદ્ધ (જહેને બાદ્ધ ધર્મ ચાલે છે), બીજા ગાતમસ્વામી (મહાવીર દેવના પ્રધાન શિષ્ય ) અને ત્રીજા ગૌતમ ઋષિ ( હેમણે ન્યાયશાસ્ત્રની રચના કરી ). આ ત્રણ ગતમ પ્રસિદ્ધ હેવાથી, વિશેષ અનુભવથી દૂર રહેલા લેકે, એકના બદલે બીજાને ગણી નાખે છે, હેવી જ રીતે ભદ્રબાહુના સંબન્ધમાં પણ અજ્ઞાન દિગમ્બરીએ ભૂલથાપ ખાય છે.
હારે આ પ્રસંગે એ વાતને ફટ કરી બતાવવી જોઈએ કે-દિગમ્બરે, વેતા બની ઉત્પત્તિ કલ્પિત ઉભી કરવા જતાં, પિતે જ પિતાનું પિકળ પ્રકાશ કરી ગયા છે. આતે “ને ૬ પૂત, તે મારું વનર ” જહેવું દિગમ્બરેને થયું છે, તે વાતનું હમણાં જ હું સ્પષ્ટિકરણ કરી બતાવું છું.
પ્રથમ તે દિગમ્બરે, હે બીજા ભદ્રબાહુને માને છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
(૮૨ ) હેમના સમયને જ તે લેકે હજુ નિશ્ચય કરી શક્યા નથી. જુઓ -
(૧) વામદેવ, પિતાની “ભાવસંગ્રહની ટીકા'માં લખે છે કે-વિ. સં. ૧૩૬ માં જનચંદ્રદ્વારા વેતામ્બરેની ઉત્પત્તિ થઈ, આ વખતે ભદ્રબાહુ હતા. ( આ સંવતને વીર સં. ૬૦૬ ગણવામાં આવે છે.)
(૨) મૂલસંઘની બલાત્કારગણુની પટ્ટાવલીમાં લખ્યું છે કેવીર નિર્વાણથી ૪૯૮ વર્ષમાં ભદ્રબાહુ પસ્થ થયા.
(૩) “સર્વાર્થસિદ્ધિ’ની ભાષા ટીકામાં, વીરનિર્વાણથી ૬૪૩ વર્ષમાં ભદ્રબાહુ થયા, એમ લખ્યું છે.
(૪) સરસ્વતીની પટ્ટાવલીમાં વીરનિર્વાણથી પ૧૫ વર્ષે દેવલોક પામ્યા, એમ લખ્યું છે. ( ૪૨ માં પાટપર બેઠયા .)
હવે આ ચારે અભિપ્રા–લેખે, વાંચકે ધ્યાન પૂર્વક વાંચશે તે માલૂમ પડશે કે, એક બીજાથી ભિન્ન ભિન્ન સંવત બતાવી રહ્યા છે. આ ઉપરથી આપણે જોઈ શક્યા કે-દિગ
મ્બરનું, “ બીજા ભદ્રબાહુના વખતમાં વેતામ્બરની ઉત્પત્તિનું માનવું કપિલ કપિત અને પાયા વિનાના પુલ જેવું છે.
હેવી જ રીતે તેઓ પ્રથમ ભદ્રબાહુના વખતમાં વેતાબની ઉત્પતિ થઈ, એમ પણ કહેવાને સમર્થ થઈ શકે તેમ નથી. કેમકે
પહેલા ભદ્રબાહ વીર નિર્વાણથી ૧૬૨ વર્ષે સ્વર્ગવાસી થયા, એવું તેઓના ‘વિકમ પ્રબન્ધ” આદિમાં લખ્યું છે, જહારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૮૩ )
<
વિ. સ‘, ૧૩૬માં શ્વેતામ્બરાની ઉત્પત્તિ થઇ ' આ પ્રમાણે તા દિગમ્બરા ઠેકાણે ઠેકાણે લખતા આવ્યા છે, તેા પછી આ • મિયાં મહાદેવનું જોડું ' કેવી રીતે મેળવી શકવાના હતા ? અત એવ આ પરામર્શ ઉપરથી એમ ચાક્કસ થઇ આવે છે કે શ્વેતામ્બરાની ઉત્પત્તિના સંબધમાં અતિહાસિક સૃષ્ટિથી દિગમ્બરો કોઇપણ રીતે સાચા ઠરતા નથી.
હવે ‘ ભદ્રબાહુ ચરિત્ર ' વગેરે ઉપરથી માલૂમ પડે છે કે-દિગમ્બરોએ પહેલા ભદ્રખાહુ ( જેએ શ્રુતકેવલી હતા ) ની ચન્દ્રગુપ્ત સબન્ધી કથા, તથા બીજી કેટલીક બાબતે, ખીજા ભદ્રષાહુમાં ઘુસાડી દીધી છે. આવું ગડબડાધ્યયન થવામાં કેટલાંક કારણા છે.
(૧) શ્વેતામ્બરાએ માનેલી દિગમ્બરોની ઉત્પત્તિના સમય, અને દિગમ્બરએ માનેલી શ્વેતામ્બરાની ઉત્પત્તિના સમય એકજ મળતા આવે છે. એટલે કે—
બીજા ભદ્રબાહુ, વજ્રસેનસૂરિના વખતમાં થયા છે, એમ સર્વાથસિદ્ધિ ' ની ભાષા ટીકાને અનુસારે પણ સિદ્ધ થાય છે. કેમકે વજ્રસેનસૂરિના હે સમય છે, તેજ સમયની લગભગમાં ભદ્રબાહુ થયાનું લખ્યું છે. હવે આ સમયની દરમિયાન, શ્વેતામ્બરા શિવભૂતિથી દિગમ્બરાની ઉત્પત્તિ માને છે.
* આ વાતને પુષ્ટ કરનાર સૈન્નત્તિતેવી’ ના ૯મા અંકનુ ૫૩૩-૫૩૪ પૃષ્ઠ જુએ. હેની અંદર લખ્યું છે કે:--
'
दूसरे भद्रबाहु आचारांगके ज्ञाता थे । शायद अष्टाङ्ग
www.umaragyanbhandar.com
(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #88
--------------------------------------------------------------------------
________________
(૨) આ વખતમાં પણ બાર વર્ષને દુકાળ પડ્યા હતા,
(૩) પહેલા ભદ્રબાહુ બ્રાહ્મણ હતા, હેવી જ રીતે આ બીજા ભદ્રબાહુ પણ બ્રાહ્મણ હતા.
(૪) પહેલા ભદ્રબાહુ દુકાળના સમયમાં મગધ દેશમાંથી નેપાળમાં ગયા હતા, જ્હારે બીજા ભદ્રબાહ ઉજજૈનથી કર્ણટકમાં ગયા હતા. | (૫) પહેલા ભદ્રબાહુની ઉમ્મર ૭૬ વર્ષની હતી, હારે બીજા ભદ્રબાહુની પણ તેટલી જ દિગમ્બરે માને છે. બસ! આવાં કેટલાંક કારણોથી એકની કથા બીજામાં ઘુસાડી દીધી છે. આજ અભિપ્રાયને ડૉ. ગેરિનોટ પણ પુષ્ટ કરે છે કે–બીજા ભદ્રબાહુ ઉર્જ થી કર્ણાટકમાં ગયા હતા, નહિં કે પહેલા.
3. ગેનોટને અંગ્રેજી ફેક અહિં રજુ કરૂં તે ૫હેલાં હારે કહેવું જોઈએ કે–જે કે હું પહેલાંજ બતાવી ગયે છું કે, વેતામ્બરની ઉત્પત્તિ હજુ દિગમ્બરે જ નિર્ણય કરી શક્યા નથી અને તે વાતને પુષ્ટ કરનાર વાત, શ્રીરૈનાતમાં ની બીજી–ત્રીજી કીરણ વાંચતાં મળી આવી છે. ઉક્ત કિરણના निमिन भी यही कहलाते थे । आचाराङ्गके शाता चार
आवार्यों में ये तीसरे थे। वीर भगवानके ६८३ वर्ष पीछे तक अंगज्ञानकी प्रवृत्ति रही है । और ये चारों आचार्य ११८ वर्ष के भीतर हुए हैं । इस लिए वीर नि० संवत ६५० के लगभग
दूसरे भद्रबाहुका समय निश्चित होता है।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
(
૫ )
૧૪૪મા પૃષ્ઠમાં, “ વિદ્વત્નમણિ ” ની સમાલોચના કરતાં સમ્પાદક મહાશય લખે છે કે –
__ " एक जगह और आपने लिखा है कि-विक्रमके १३६ वर्ष पीछे श्वेताम्बर सम्प्रदाय अलग हुआ है । किन्तु यह बात एकदम निर्मल मालूम होती है। क्योंकि यह बात सर्व मान्य तथा सर्व प्रसिद्ध है कि भद्रबाहुस्वामी के समयमें दिगम्बर सम्प्रदायसे श्वेताम्बर सम्प्रदाय अलग हुआ है"।
પ્રિય પાઠક ! હૃમે જોઈ શક્યા હશે કે, હજુ દિગમ્બર ભાઈઓ તેિજ નિશ્ચય રૂપેણ કંઈ નથી કહી શકતા કે-કતામ્બરોની ઉત્પત્તિ કહારે થઈ ? હું હારા મનમાં એમ સમજતું હતું કે વિક્રમ સંવત્ ૧૩૬ની સાલને તે બધા સ્વીકાર કરતા હશે, પરન્તુ નહિ, તેમાં પણ હેટ વિવાદ છે, એમ દિગમ્બર સમ્પ્રદાયમાં અવલ નંબરે નિકળતા ત્રિમાસિક ઉપરથી માલુમ પડ્યું. ઉપર્યુક્ત ફકરો લખનાર મહાશયનું એમ કહેવું છે કે વિ. સં.-૧૩૬માં નહિ, પરંતુ પહેલા ભદ્રબાહના વખતથી શ્વેતામ્બર સંપ્રદાય નિકળેલ છે, પરંતુ જહેવી રીતે બીજા ભદ્રબાહુની કલ્પના તેઓની ખોટી ઠરાવી બતાવી, હેવી રીતે પ્રથમ બદ્રબાહુના વખતની પણ તેમાંથી કલ્પના થઈ શકે તેમ નથી, એ વાત પણ હું બતાવી ચૂક છું. હેવીજ રીતે દિગમ્બરે, કયા ભદ્રબાહુના વખતમાં શ્વેતામ્બરેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૮ ) ઉત્પત્તિ થઇ તે પણ હજુ નિશ્ચય કરી શકયા નથી.§
હવે ઉપર હુ· ડા॰ ગેરિનોટના અગ્રેજી ફકરો આપવાની પ્રતિજ્ઞા કરી ગયા છું, તે અનુસાર ડા. ગેરિનાટ, કે જેઓ ડા. જેકોબી મહાશયના જુના શિષ્ય થાય છે, તેના એક લેખના કરો આપુંછું, તે ઉપરથી વાંચકોને ખાતરી થશે કેભદ્રમાહુના સંબંધમાં દિગમ્બરા કેટલી મ્હોટી ભૂલ કરતા આવ્યા છે:
A Sketch of the jaina Literature in tamil language by Dr. A. Guerinot, Paris, માં લખે છે કેઃ— This migration is a historical fact. The Pontiff Bhadrabahu, who foresaid the Twelve years
$ આ વાતની સાક્ષીમાં જુઓ દિગમ્બરાનાં પ્રધાન માસિકપત્ર સરિતી” ના નવમા ભાગના નવમા અક. હૅની અંદર પૃષ્ટ પ૨૮ માં મુદ્દે સમ્પાદક મહાશય લખે છે કેઃ
'
==
" इस विषय में मेरा वक्तव्य केवल इतनाही है कि पहले आप भद्रबाहुका समय निश्चय कर लीजीये, तब देवसेनमूरि के समयको निर्मूल बतलाईए। आपके भद्रबाहुओंका तो कुछ ठिकाना ही नहीं है । कभी आप चन्द्रगुप्त के समकालीन भद्रबाहुको श्रुतकेवली बतलाते हैं । कहीं अष्टाङ्ग निमितज्ञ बतलाते हैं और कहीं कुछ और ही ...... विगेरे विगेरे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૮૭ ). famine at Ujjayini and led the jains to Southern India was not the Shrutakeyalin of that name but Bhadrababu II, the Minor Angin who became Pontiff in B. C. 53 or 61 according to the “ Digambara Pattavalis"
અર્થાતઃ–આ વાત ઐતિહાસિક છે કે, આચાર્ય ભદ્રબાહુએ, એ પ્રમાણે ભવિષ્ય વર્ણન કર્યું હતું કે “ઉજજનીમાં બાર વર્ષનો દુકાળ પડશે.” અને તેટલા માટે હેમણે જૈનીઓને પોતાની સાથે દક્ષિણ હિન્દુસ્થાનમાં દેશાટણ કરાવ્યું. આ આ ચાર્ય શ્રુતકેવલી હતા, પરંતુ બીજા ભદ્રબાહુ હતા; કે જેઓ ચેડા અંગોને જાણવાવાળા હતા અને દિગમ્બર પટ્ટાવલીઓના આધારે ઈ. સપૂર્વે ૫૩ યા ૬૧ માં આચાર્યપદે આવ્યા હતા.
આ બધી વાતો ઉપરથી વાંચકે સારી પેઠે સમજી શક્યા હશે કે- મહાવીરદેવની પ્રાચીન પરંપરા ધારણ કરી ચાલનારા વેતામ્બરે છે, મ્હારે નવીન–અર્વાચીન કલ્પિત પંથ પ્રમાણે ચાલનારા દિગમ્બરભાઈઓ છે.
હવે હે મહારા પૂર્વના લેખમાં, ડૅ. ભાંડારકરના “મેરી समझमें दिगम्बर सम्प्रदाय मूलका और श्वेताम्बर पंश पीछेका है। આ વાક્યનું ખંડન કર્યું છે, હેને મિ. પાંગલે મહાશય “ જૈનમુનિને અયોગ્ય એવું મેણું ' કહી બતાવે છે. કહે,
આ તેઓને કે અંધ પક્ષપાત કહેવાય ? પરન્તુ ઠીક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
તેઓના સ્વામાં લગાર પ્રતિભાસ થયું લાગે છે, ઉપાય કરી શકીશું ?
( ૮ )
પાકા પહેાંચતા હેાવાથી તેને તેમ અસ્તુ ! વ્હેને માટે આપણે શે
ડા૦ ભાંડારકરના વિચારના ખંડનમાં મ્હે. મથુરાના શિલા લેખાના ઉલ્લેખ કરી તાન્યે છે અને તેજ વાતને માન્ય રાખી મિ. પાંગલેજી કહે છે કેઃ—“તે શિલાલેખામાં, જૈનના પ્રથમ તીર્થંકરનુ રૂષભનાથ નામ છે ” તે વાતને કાણુ ના મંજૂર કરે છે ? શું શ્વેતામ્બરા ઋષભનાથ કે ઋષભદેવ એ નામ નામજૂર કરે છે? ચ્હારે તેઓ મજૂર કરે છે, તે પછી આ વાત બતાવવાનું શું પ્રયેાજન ?
પિષ્ટપેષણ કરવું, એ તે મિ. પાંગલે મહાશય પોતાના પરમ ધર્માંજ સમજી બેઠા છે. તેના નાનકડા ટ્રેકટમાં એવી ઘણી વાતા આપણે દેખી શકીએ છીએ કે, હેનાં એક એ વાર તા શું ? અનેકવાર દર્શન થયા વિના રહેતાં નથી. પરન્તુ ઠીક છે, મિ. પાંગલેને મ્હારે બીજુ કાઇ પ્રબળ પ્રમાણ મળે મ્હારે તેએ પાતાની પકડેલી વાતનુ પૂછ્યું છેડે ને ? ખેર ગમે તેમ હાય, મ્હારે તેા મ્હારા ઉદ્દેશ ઉપરજ રહેવું જોઇએ.
''
શ્રીમાન્ લખે છે કેઃ— ઋષભનાથ નગ્ન દિગમ્બર હતા, એ વાત ભાગવતમાં પ્રખ્યાત છે, તેમજ મહાવીર પણ નગ્ન હતા, એ વાત શ્વેતામ્બરાના કલ્પસૂત્રમાં પણ છાની રાખી નથી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૮૯ ) આજ તેઓની અજ્ઞાનતાને જવાબ હું હારા પહેલાંના લેખમાં અને આ લેખમાં પણ આપી ગયો છું કે:-“દરેક તીર્થકરે એક દેવદુષ્ય વસ્ત્ર સાથે ચારિત્ર અંગીકાર કરે છે અને કલ્પસૂત્રમાં વણિત મહાવીરદેવે એક વર્ષ ઉપરાન્ત દેવદુષ્યવસ્ત્ર રાખ્યું હતું. અને હાર બાદની સ્થિતિ લેવા જતા હે તે, તે અનુચિત છે, કેમકે તીર્થકરે તે કલ્પાતીત છે, તેઓનું ઉદાહરણ આપણાથી લઈ શકાય નહિં. એવું કોણ નથી જાણતું કે મહાવીર દેવને અતિશય એ હતો કે તેઓને નગ્નાવસ્થામાં કઈ દેખી જ શકતું નહતું ? દિગમ્બર ભાઈઓ નગ્ન રહેવામાં મહાવીર દેવનું અનુકરણ કરે છે, તે પછી તેઓના બીજા આચાર-વિચારમાં શામાટે અનુકરણ કરતા નથી ? હું દાવા સાથે એ વાત જાહેર કરૂં છું કે–ચદિ પાંગલે મહાશય દીક્ષા લે, દેવદુષ્ય વસ્ત્ર તેઓને દેવતા અર્પણ કરે, હાર બાદ તેઓ વસ્ત્રને ત્યાગ કરીને વિચરે અને લેકે જે તેઓને માના પેટમાંથી નિકળ્યા, તેવા ન દેખે તે વિદ્યાવિજય અહારે દિગમ્બર મત સ્વીકાર કરવાને તૈયાર છે. શું પગલે મહાશય, હજુ સુધી પણ એ વાતથી અજ્ઞાત છે કે-જીની હદ-હદમાં અથવા બીજા શબ્દોમાં કહું તે પુણ્ય પ્રકૃતિમાં એક બીજાથી ઘણું જ અંતર રહેલું હોય છે ? ” યદિ તેઓ આ વાતથી અજ્ઞાતજ હોય, તે ખરેખર સખેદ આશ્ચર્યની વાત છે.
એક સ્થળે મિ. પાંગલે કહે છે:–“ દુષ્કાળના વખતમાં જેઓ નગ્ન ન રહી શક્યા, તેઓએ વસ્ત્ર પહેરવાં શરૂ કર્યો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
( 6 ) ભલા ! હે નાગા મુનિઓ હેવા દુષ્કાળના વખતમાં નગ્નપણે વિચરવાને સમથ થયા હતા, તે આવા સુકાળના વખતમાં શા માટે દિગમ્બર સાધુઓ નગ્ન પણે વિચારતા નથી ? શું લોકે ધોકા મારે છે ? પરંતુ નહિ, પાંગલેનું આ માનવું ભયંકર ભૂલ ભરેલું છે કે દુષ્કાળના વખતમાં પતિત થઈ વસ્ત્રાદિ ગ્રહણ કરવા લાગ્યા.
ભાગવતને જે પિકાર મિ. પાંગલે મહાશયે ઉઠાવ્યું છે, હેને પણ જવાબ હું બખૂબી રીતે પ્રથમજ આપી ગયો છું.
ર સમક્ષ ફિશ્વર જૈન ધ્રરાય મૂરવા” આ પ્રમાણેના ડૉ. ભાંડારકરના કથન ઉપર હને ગુસ્સો નથી થયો, પરંતુ વાસ્તવિક રીતે તેઓના મન્તવ્યને તફાવત સપ્રમાણ સમજાવ્યું છે. તે છતાં હેને “ ગુસ્સ” વિગેરે લખી અવળા રસ્તે ચીતરી મારે છે, હેને માટે શ્રીમાનના ઉપર “ભાવદયા લાવવા સિવાય બીજો હું શે વિચાર કરી શકું ?
હું આ ટેકટના પ્રારંભમાંજ એ વાત બતાવી ચૂક્યું છું કે કઈ પણ મતની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે ઐતિહાસિક વિષયે–પ્રાચીન શિલાલેખો કે હેવાજ પ્રાચીન પુરાવાઓ વધારે પ્રમાણભૂત લેખી શકાય છે. તે અનુસાર મહે હારા પ્રથમના લેખમાં કેટલાક એતિહાસિક પુરાવા સાથે એક એ પણ જબર દસ્ત પ્રમાણ આપ્યું હતું કે
“શ્વેતાના માનવા પ્રમાણે હરિગ દેવે મહાવીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૧ ) દેવને ગર્ભાપહાર કરે છે અને હેના યથાસ્થિત સ્વરૂપને બતાવનાર પ્રાચીન શિલાલેખોમાં એક સુંદર ચિત્ર મળી આવે છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ, આ ચિત્ર ઉપર કતરેલા વર્ષે ઉપરથી એમ સિદ્ધ કર્યું છે કે–ઈ. સ. ની શરૂઆતને અથવા તે તેથી પણ વધારે પ્રાચીન સમયને તે લેખ છે જુઓ – The jain stupa by. V, A, Sheth પાને ૨૫ મે cha. pter 6tin Plate XVIII. ની અંદર.”
આવા એક જબરદસ્ત પ્રમાણને પણ તેઓ કલ્પના રૂપેજ બતાવે છે. હારે હેમનાથી એમ કહી શકાય તેમ ન રહ્યું કે જે “આ શિલાલેખ જ છેટે છે, હારે હેમણે ડો. જેકેબીના શબ્દમાં એ બચાવ કર્યો કે:-આ ગર્ભહરણની કથા, જન્મતાંજ કૃષ્ણને દેવકી પાસેથી ઉચકી ગુપ્તપણે રેહીણિ પાસે લાવી મુક્યા, આ કથા ઉપરથી જેનેએ લીધી છે.”
હવે યદિ તત્ત્વ દૃષ્ટિથી વિચાર કરીએ તે ડે. જેકેબી મહાશયે આ વાતમાં તે “લકોને અવળે રસ્તે દોર્યા છે” એમ કહેવામાં લગાર પણ અતિશયોક્તિ નથી. જોકેબી મહાશયનું આ પ્રમાણે નિશ્ચય રૂપેણ શું? અનુમાનદ્વારા પણ કહેવું બિલકુલ અસત્ય પ્રતિપાદિત લેખી શકાય. ધારો કે આજથી સેંકડે વર્ષ ઉપર, કેઈ માણસ કંઈ કાર્ય કરી ગયે હોય, અને હેવાજ કાર્યને કેઈ અંશ, આજકાલ કરતા કઈ મનુષ્યના કાર્યને મળતું આવતું હોય, તે તેથી આ માણસે
હેનું અનુકરણ કર્યું છે, એમ કહેવું શું સત્ય વાતનું ખૂન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
( ૯૨ )
નથી કરતું ? એક ધર્મનાં મન્ત્રબ્યા બીજા કોઇ ધર્મના મન્ત્ર. ન્યાની સાથે કોઈ અશમાં મળતાં હોય, તે તેથી શું એમ કહી શકાય કે-આ ધર્મ તેા અમુક ધર્મની શાખા છે ? અથવા આ ધર્મે અમુક ધર્મનું અનુકરણ કરેલ છે ? કદાપિ નહિ' યદિ આ સિદ્ધાન્ત સર્વમાન્ય હોય તેા હૅને કહેવા દ્યા કે“ કેટલાક વેદના અનુયાયિએ એમ માને છે કે વેદ અપક્ જેય છે, અને હેવીજ રીતે દિગમ્બર પણ માને છે કે તીર્થંકરોની વાણી નિરક્ષરી છે” ત્હારે આ ઉપરથી હું એમ કેમ ન કહી શકું કે દિગમ્બરોએ આ પાતાના સિદ્ધાન્ત, તે વેદાનુયાયીઓ ઉપરથી ઉભા કર્યા છે? મ્હને આશા છે કે ડૅા, જૈકાખી મહાશય આ મ્હારા કથનને અક્ષરશઃ મળતા થશે.
પરન્તુ નહિ, એ કાઇ વાત નથી. અમુક વાત ખીજાની સાથે કાઇ અંશે મળતી આવી, તેથી હેણે તેના ઉપરથી જોડી કાઢી છે, એ સિદ્ધાન્ત ડીકજ હોય તેા દુનિયાના વ્યવ હારજ બિલકુલ હવા વિનાની ધમણ જેવા સંકુચિત થઇ જાય. એવું સેંકડા વખત આપણે અનુભવીએ છીએ કે એક માણસની પાસે હે વિચાર સાંભળ્યા હોય છે, તેજ વિચારા કાળાન્તરે કે તત્કાળ બીજાની પાસે પણ સાંભળીએ છીએ તે તેથી તે બન્નેએ એક બીજાનું અનુકરણ કર્યું છે, એમ કહી શકાયજ નહિ.
ડા. ભાંડારકર મહાશયે, મિ, પાંગલે મહાશયને આપેલા મૂર્તિએ સ’બધીના જવાખમાં મ્હે' એમ લખ્યુ કે–વર્તમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
(૯૩ ) સમયમાં જૈન મૂર્તિઓ નગ્ન હોય છે ” આ હે પવન ફૂ કાયેલે છે, તે અનુસાર 3. સાહેબે તેમ કહી દીધું હોય તે ના નહિ,” તે હેમાં ઉતારી પાડવાનું શું કહી શકાય ? ડૉ. ભાંડારકરની આટલી ગ્યતા શું? તેથી પણ અધિક ગ્યતા હેય અને કદાચ આ વિષયમાં તેઓએ અધિક તપાસ ન કરી હોય, તે તેઓ કંઈ સમયે ભૂલથાપ ખાઈ જાય, હેમાં શું આશ્ચર્ય ? શું સંસ્કૃતના પ્રોફેસર થયા કે અંગ્રેજીમાં એમ. એ. થયા, એટલે દુનિયાભરની વાતે તેઓના જાણવામાં આવી ગઈ? નહિ, હેતે હે વિષય હેય, તે હેમાંજ સપૂર્ણતયા કામ બજાવી શકે. અસ્તુ ! હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ.
આગળ ચાલતાં મિ. પાંગલે લખે છે કે:–“ કર્ણાટક તરફ દુકાળના વખતમાં જૈન સાધુ ઈ. સ. પૂર્વે ૪ સિકામાં ગયા આને જવાબ તે પ્રથમજ અપાઈ ગયું છે.
હાં ગયા પછી તેમણે ત્યાં જૈન મંદિર સ્થાપ્યાં, શ્રવણબેલગુલ, હાદ્વીબીડ, મુડબીદ્વી વિગેરેની લંગોટ વગરની પ્રાચીન જૈન મૂતિ ડે. ભાંડારકરના વચનની સત્યતા સાબીત
કરે છે.'
- આ તેઓનું કથન, કથનમાત્રજ છે. એમ કહેવાથી કે માની શકે નહિં. જહેવી રીતે મહે સ્વારા પ્રથમના લેખમાં પ્રાચીન શિલાલેખો વિગેરેનાં પ્રમાણે આપ્યાં છે, હેવીજ રીતે યદિ દિગમ્બર (લગેટ વિનાની) મૂતિઓ પ્રાચીન દેખવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
( ૯૪ )
આવતી હોય, તેા શામાટે હેના સવત સાથેના લેખા વિગેરે પ્રસિદ્ધ કરવામાં હમે પછાત છે ? અને કદાચિત્ મિ. પાંગલે મહાશય પૂજા–પ્રક્ષાલ નહિ થવાથી, હેના ઉપરની કાલિમા ઉપરથી, હેને પ્રાચીન ગણતા હાય, તે પછી હેવી પ્રાચીનતા સિદ્ધ કરવામાં હેમને કંઈ તકલીફ ઉઠાવવી પડે તેમ છેજ નહિ. પરન્તુ, એટલું જરૂર છે કે હેવી પ્રાચીનતા જનસમાજ તે માની શકશે નહિં, જનસમાજ તે હારેજ માનવાનું સાહસ કરે કે જહારે પ્રાચીન મૂર્તિએ ઉપરના સાલ– સંવત્ વાળા શિલાલેખા અથવા હેવાં બીજા પ્રમાણેા રજી કરવામાં આવે.
મિ. પાંગલેએ બેલગુલ, હાલીખીડ, મુડખીદ્રી વિગેરે સ્થળાએ લગાટ વિનાની મૂર્તિઓ હાવાનુ જાહેર કરે છે, પરન્તુ હેમાં આશ્ચય શું છે ? કેમકે દિગમ્બરોની ઉત્પત્તિ બાદ તે સ'પ્રદાયમાં થએલ ભદ્રબાહુ ( શ્રુતકેવલી ભદ્રાહુ નહિં) કર્ણાટકમાં ગયા, તેઓના વખતની તે મૂર્તિઓ હાય, તે વાત સ’ભવી શકે છે. પરન્તુ તેથી તે પ્રાચીન તા કહી શકાયજ નહિ......
મિ. પાંગલેએ પૃષ્ઠ ૨૯માં ‘અંતરીક્ષજી પાર્શ્વનાથ’ની સ્મૃતિ સંબંધી કેવલ ઠુઠવાદજ જાહેર કર્યેા છે. તે મૂર્તિ શ્વેતામ્બરાની છે, એમાં લગાર પણ મીન-મેખ જેવું નથી. હૅને માટે શ્વેતામ્બરાના ‘તીર્થકલ્પ ' આદિમાં ખાસ ઉલ્લેખ કરેલા છે, હેવીજ રીતે તે મૂર્તિના સંબંધમાં શા માટે દિગમ્બર ભાઇએ ત્હવા લેખિત કે બીજા
પુરાવા રજુ કરતા નથી ? કેવલ ઝઘડા કરવાથી કે લાખાનુ’પાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૫ ) કરવા-કરાવાથી શું તે મૂર્તિ પિતાની સિદ્ધ થઈ શકવાની છે? પરતુ ઠીક છે, દિગમ્બર ભાઈઓની આ ચાલ કંઈ આજની નથી. આ રૂઢી તે હેમની વંશપરંપરાથી જ ચાલી આવે છે. આવા એકજ તીર્થને માટે તેઓ ઝઘડે ઉભું કરે છે, એમ નથી. શ્વેતાનાં પ્રાયઃ તમામ પ્રાચીન તીર્થોમાં ઝઘડાદેવની ઉપાસના કરવા લાગી જાય છે. જુઓ સમેતશિખરજી, પાવાપુરી, રાજહી આદિ તીર્થોને માટે કેટલી પિતની ટાંગ પસારી? જે કે જહાં હાં તેઓ અનીતિપૂર્વક ઝઘડા ઉઠાવે છે, હાં
હાં તેઓને “લાખોની બરબાદી ” અને લેક-સમાજમાં ફિટકાર” આ બે ફળ સિવાય ખરી રીતે બીજું કંઈ મળતું નથી, તે પણ તેઓ પિતાના કુળમાં ચાલી આવતી રૂઢીને બરાબર સંભાળી રાખે છે. અંતરીક્ષ કે હેવાં જહે હે વેતામ્બરેનાં તીર્થોમાં થોડો પણ દિગમ્બરભાઈઓને પગ પસાર થયું છે, તે અમારા શ્વેતામ્બરભાઈઓની ઉદારતા અથવા કહે કે ભદ્રિકતાનું જ પરિણામ છે. “આંગળી દેખાડવાથી દુર્જને પાંચે પકડી લે છે. આ લોકોક્તિને તેઓ (વેતામ્બર) યથાર્થ સમજ્યા જ નથી, એમ મહારે કહેવું જોઈએ. એક નીતિકાર કહે છે કે, “દુર્જનના ઉપર દયા કરવી, તે હેની દુર્જનતાને ઉત્તેજન આપવા બરાબર છે. હું મિ. પાંગલે મહાશયને આ સ્થળે એટલી સૂચના કર્યા વિના ન રહી શકે કે કોઈપણ રીતે શિરપુરની પ્રતિમા દિગમ્બરેની કરવાની નથી. માટે દિગમ્બરે
વ્યર્થ ઝગડાને ન વધારે, તે માટે તેઓને ભલામ કરે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
(૯૬ ) અંતરીક્ષ પાર્શ્વનાથની મૂતિ તા બની છે, એજ પ્રાચીન ચાલી આવતી વાતને કાયમ રાખે. નાહકનાં ડફાણ વધારવામાં કંઈ લાભ કાઢી શકે, તે હું દેખી શકતા નથી. હે પ્રમાણે હમેશાંથી સત્યતા ચાલી આવી છે, તેમજ ચાલવા ઘે. બસ! જુઓ હમણાંજ ઝઘડાને અંત આવશે. લાખનું પાણી થતું અટકી જશે અને શાન્તિને વરસાદ વરસશે. જો કે આથી વેતાંબર સંપ્રદાય કરતાં દિગમ્બર સંપ્રદાય અર્વાચીન છે,” આ સત્ય હકીકત જહેવી ને હેવી કાયમ રહેશે, પરન્તુ તે તકરારેને દિગમ્બરભાઈએ શાન્તિ પકડી નિકાલ લાવશે, તે નામ મહેસું થશે, એમાં જરા પણ સંશય નથી.
હવે ‘જનગ્રંથ રચના અને લેખનકાળ” ના વિષયમાં મહારે કહેવું જોઈએ કે–જોકે તે સંબંધી વાતને હું પ્રથમ ટ્રેટમાં અને આ લેખમાં ઘણી જ ફૂટ રીતે ઉલ્લેખી ગયે છું, તે છતાં શ્રીમાન ટેટના ૩૦ મા પૃષ્ઠમાં લખ્યું છે કે –
દિગમ્બર સમ્પ્રદાયનું એજ માનવું છે કે-“મહાવીર તીર્થે. કરે ગૌતમ ગણધરને કહેલું, જૈનધર્મ જ્ઞાન પરંપરાથી શિષ્યોને શિખવવામાં આવતું, અને છેવટે ધરસેન મુનિના શિષ્ય પુષ્પદંત અને ભૂતબલીએ તે ગ્રંથરૂપે લખી રાખ્યું.”
કતાનું પણ તે માનવું છે કે–મહાવીર તીર્થકરે ગતમાદિગણઘરોને કહેલું જૈનધર્મનું જ્ઞાન પરંપરાથી શિવેને શિખવવામાં આવતું, પરંતુ આ તેઓનું કહેવું સત્ય વિરૂદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
( ૭ ) છે કે-“ધરસેનમુનિના શિષ્ય પુષ્પદંત અને ભૂતબલીએ તે ગ્રંથ રૂપે લખ્યું ” તેઓએ પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન લખ્યું છે, હેમાં શું પ્રમાણ? કેમકે હેમણે પિતાના ગ્રન્થમાં એવા કંઈ જૂના ફકરા આપ્યા નથી કે જહેથી આપણે તેમ માનવાનું સાહસ કરી શકીએ.
આગળ ચાલતાં, પાછે તેજ પિતાને ચરખે મિ. પાંગલે મહાશયે શરૂ કર્યો છે. તેઓ લખે છે કે –
દિગમ્બરેએ શ્વેતામ્બર પ્રમાણે દુષ્કાળમાં સભા ભરી શાસ્ત્ર બનાવ્યાં નથી અથવા હેમાં કંઈ વધારે ઘટાડે કર્યો નથી. પુષ્પદંત અને ભૂતબલીએ લખેલા દિગમ્બર આમ્નાયના જૈન ગ્રન્થને લેખન કાળ ઈ. સ. ૧૩૯ અને વિ. સ. ૧૯૫ છે. ગોતમ ગણધર પછી કઈ પણ કેવલી શ્રુતકેવલીએ નવીન શાસ્ત્ર રચાં નથી. મહાવીરના વખતથી જે જ્ઞાની પરંપરાથી લુપ્ત પ્રાયઃ થતું આવતું, તેજ મેઢે કરવામાં આવતું અને આખરે પુષ્પદંતાચાર્ય અને ભૂતબલી આચાર્યે ઈસ. ૧૩૯ માં ગ્રન્થરૂપે દિગમ્બર સંપ્રદાયનું જ્ઞાન લખી રાખ્યું. આજ દિગમ્બરની ગ્રંથ રચનાને સમય છે.”
મિ. પાંગલેનું આ કથન પાયા વિનાના પુલ જેવું છે. શ્વેતામ્બરેએ દુષ્કાળના વખતમાં સભા ભરીને શાસ્ત્રો બનાવ્યાં નથી, પરંતુ પરંપરાથી જ જ્ઞાન ચાલ્યું આવતું, હેને સંગ્રહ કર્યો છે, અને તે વાત અનેક વખત આ લેખમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૯૮ ) બતાવી ચક છું. એટલે વિશેષ લખવાની જરૂર નથી. બેશક, એ વાત અમે માનીએ છીએ કે પુષ્પદંત અને ભૂતબલીએ . સ. ૧૩૯ માં ગ્રન્થ લખ્યા, પરંતુ તે ગ્રન્થ નવીન રચનારૂપે લખ્યા છે. ગતમ ગણધરની પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન લખ્યું છે, તે તદ્દન ખોજ છે. યદિ પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન લખ્યું હતું, તે તેની પ્રતીતિ થવા માટે કંઈપણું પ્રમાણ હેવું જોઈતું હતું, અને હેવું છે તે નહિ, તેથી એ સિદ્ધ વાત છે કે પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય મનઃકલ્પિત ઘેડા દેડાવ્યા છે. અર્થાત્ “મનપૂર્ત સમર ” નું અનુકરણ કર્યું છે.
આગળ ચાલતાં ૩૧ મા પૃષ્ઠમાં મિ. પાંગલે, ડે. જે કેબી મહાશયને ફકરે લખી લખે છે કે
“ઈ. સ. પૂર્વે ૪ થા સૈકામાં સર્વ (વેતામ્બર) જેન સિદ્ધાન્ત રચાયા. કવેતાબર જૈન સિદ્ધાન્તને સંગ્રહકળ અથવા ખરૂં કહીએ તે રચનાકાળ ઈ. સ. પૂર્વે ૪થા શતકના અંતમાં અથવા ત્રીજા સિકાની શરૂઆતમાં કરે છે.”
ભૂલવું ન જોઈએ કે આ સમય તેજ છે કે હેને દુશ્કેાલને સમય ગણવામાં આવે છે. પરંતુ તે સમયમાં - તાઅર ગ્રન્થને રચનાકાળ સમજવો, ભયંકર ભૂલ છે. તે વખતમાં પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન, જહેને હેને જેટલું
સ્મરણપથમાં રહ્યું હતું, તે બધાને સંગ્રહ કરવામાં આવ્યું, અને તે વાતને જે કેબી મહાશય પણ સ્વીકારે છે. પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૯ ) હેની સાથે સંગ્રહકાળને અર્થ અથવા રૂપાન્તરમાં રચનાકાળ કહે છે, એજ હેટી ભૂલ કરે છે.
લેખનકાળના વિષયમાં ડે. જેની મહાશયના શબ્દોમાં મિ. પાંગલેનું આ કથન છે તે નથી જ. “દેવધિગણિના પ્રમુખપદ નીચે વલલી નગરમાં જૈન સિદ્ધા
ન્ત વીર સં. ૯૮૦ (અથવા ૩ અને ઈ. સ. ૪૫૪ (અથવા ક૬૩) માં લખાયાં” પરંતુ તે લેખનકાળ ઉપરથી કવેતામ્બરની અર્વાચીનતા સિદ્ધ થતી નથી. જોકેબી મહાશયના ઉપર્યુક્ત વચને ઉપરથી શ્રીમાન એ પ્રમાણે મતલબ કાઢે છે કે –
દિગમ્બની અંગપૂર્વ (શાસ્ત્ર ) રચના ગણધરેએ કરેલી, અને શ્વેતાની અંગપૂર્વ રચના, ઇ. સ. પૂર્વે ૪-૩ શતકમાં દુકાળ વખતે પાટલીપુત્ર (પટના) માં શ્વેત વસ્ત્ર ધારણ કરેલા દિગમ્બર મતમાંથી ભ્રષ્ટ થએલા સાધુએ કરેલી.” - દૂધમાંથી પોરા કાઢવાની આ હેમની ચાલબાજીને કેણ બુદ્ધિમાન સમજ્યા વિના રહેશે વારૂ? દિગમ્બરેનાં શાસ્ત્રાને ગણધરાદિ રચિત અંગપૂર્વ (શાસ્ત્ર) કહેવાં, “વધ્યાને પુત્ર રમે છે એમ કહેવા બરાબર છે. તેઓનાં શાસ્ત્રાજ નવીન રચેલાં છે, તે પછી હેને ગણધરરચિત અંગપૂર્વ કહેવાનું સાહસ કેમ કરી શકાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્વેતામ્બરનાં અંગ-પૂર્વની રચના, પાંગલેન્ડના કહેવા પ્રમાણે નથી થએલી, પરંતુ ગણધરોથી થએલી છે. અને
હેના પ્રમાણભૂત વેતામ્બરેમાં અંગાદિ અત્યારે મેજૂદ છે. દિગમ્બરની માફક વેતામ્બરે અસત્ય પ્રતિપાદન કરવામાં પુણ્ય નથી માનતા, પરન્તુ મહા પાપ સમજે છે. વેતાઓરેને ગણધરરચિત જહેટલે ભાગ ઉપલબ્ધ થયે, તેટલેજ જાહેર કરે છે. જુઓ આચારાંગનું મહાપ્રજ્ઞા અધ્યયન ન મળ્યું, તે કઈ કારણથી પણ તે લખ્યું નહિં. બસ ! આજ તેઓની પ્રામાણિકતા બતાવી આપે છે. શું દિગમ્બર આચાચૅની માફક દેવધિગણિક્ષમાશ્રમણાદિક કુશાગ્ર બુદ્ધિવાળા આચાર્યો હેની પૂતિ કરી શકે હેમ હેતા? પરંતુ નહિં, તેઓ સત્ય વાતને જ જાહેર કરનારા હતા. તેઓ કલ્પિત વાત બનાવવામાં મહા પાપ સમજતા હતા. વેતામ્બરેની પ્રામાણિકતાને માટે આથી અધિક પ્રમાણુ બીજું શું જોઈએ ?
વળી તેઓ ૩ર મા પૃષ્ઠમાં લખે છે કે –“દિગમ્બરને પ્રથમ ગ્રન્થ ઈ. સ. ૧૩૯ અને વિ. સં. ૧૫ માં લખાય અને વેતામ્બરને પ્રથમ ગ્રન્થ ઈ. સ. ૪૫૪માં લખાયે. દિગમ્બર વેતામ્બરના રચના અને લેખન સમયમાં આટલે જમીન આસમાનને ફરક છે, તે પછી વેતામ્બરના ગ્રન્થ દિગમ્બર કરતાં પ્રાચીન કેવી રીતે હોઈ શકે ?”
પ્રિયવાચક! એ વાતને ભૂલશે નહિં કે- “પુષ્પદંત અને ભૂતબલીએ દિગમ્બર ગ્રન્થની રચના કરી. ” હવે લેખનકાળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) વેતામ્બર દિગમ્બરોના જહે બતાવ્યા છે, તે ઠીક છે, પરંતુ તેથી એમ કેણ બુદ્ધિમાન પુરૂષ કહી શકે કે –“ દિગમ્બર ગ્રન્થના રચનાકાળ કરતાં વેતામ્બર ગ્રથને રચનાકાળી પછીને છે? લેખનકાળને અને રચનાકાળને કંઈ પણ નાતેદારી નથી. ધારે કે એક કલાસની અંદર એક વિદ્યાર્થી ઘણું વખતથી અભ્યાસ કરી રહ્યો છે, હેવામાં એક બીજો વિદ્યાર્થી તેજ કલાસમાં દાખલ થયે, હવે જહે પહેલાને વિદ્યાર્થી છે, તે તીફણ બુદ્ધિવાળા હોવાથી અમુક વાતને ઘણી વખત સુધી સ્મરણપથમાં રાખી શ, મ્હારે દાખલ થએલે વિ. ઘાર્થી સ્થૂલ બુદ્ધિવાળે હોવાથી, અમુક વાત શરૂઆતથી જ લખી રાખવા લાગ્યું. તે તેથી એમ તે નજ કહેવાય કે પેલા બીજા વિદ્યાર્થીએ અમુક વાત પહેલાં લખી રાખી, માટે તે પ્રાચીન છે. ગણધર રચિત શાસ્ત્રોને સ્મરણમાં રાખી આવતા
શ્વેતામ્બર આચાર્યો ૪૫૪ સુધી સ્મરણમાં રાખી શક્યા, અને દિગમ્બર આચાર્યોએ, પંથની શરૂઆત કરતાં જ નવીન બનાવેલાં શાસ્ત્રો લખ્યાં, તે તેથી શ્વેતા અને ગ્રંથ રચનાકાળ પાછળને છે, એમ સિદ્ધ થઈ શકતું નથી. જહારે આમ છે તે પછી “ડા ભાંડારકરે ભૂલથાપ ખાધી છે,” એમ હારૂં કહેવું શું ખોટું હતું?
હવે “નિગ્રંથ શબ્દના અર્થ ઉપર આવીએ. દિગમ્બર ભાઈઓ “નિગ્રંથ' શબ્દનો અર્થ “નગ્ન કરે છે, હારે એક પટ્ટાવલીમાંથી મળેલા પ્રમાણ ઉપરથી મહે એ સિદ્ધ કર્યું હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) કે “નિર્ચન્થસાધુ–અનગાર એ પર્યાય-વાચક શબ્દ છે. તે પટ્ટાવલીનું વચન આ છે.
___“ श्रीसुधर्मस्वामिनोऽष्टौ सूरीन यावद् निर्ग्रन्थाः साधवोऽनगारा इत्यादिसामान्यार्थाभिधायिन्याख्याऽऽसीत् "
અર્થાત્ “નિગ્રન્થ” શબ્દથી સાધુ–અનગાર કહેલ છે, નિર્ઝન અર્થ “નગ્ન' કરવામાં આવ્યું નથી.
આ શબ્દ ઉપર વિશેષવર માગ્ય' કે હે “જીનભપ્રગણિ ક્ષમાશ્રમણનું બનાવેલું છે, અને હેના ઉપર માલધારી શ્રી હેમચંદ્રસૂરિની બનાવેલી “શિષ્યહિતા નામની ટીકા છે, હેની અંદર ર૫૬૧ મી ગાથાથી ર૫૭૯ ગાથા સુધી શાસ્ત્રાર્થ આપે છે. આ બધે “નિર્ચન્થશબ્દ ઉપર આપેલ શાસ્ત્રાર્થ ખાસ મનન કરવા લાયક છે. તે બધે શાસ્ત્રાર્થ અહિં આપું તે વિષય ઘણેજ વધી જવાને ભય હેવાથી હેની અંદર છેવટે કાઢેલા નિષ્કર્ષને જ અહિં બતાવી આગળ વધવા પ્રયત્ન કરું છું. યદિ સમય મળે તે તે આખે શાસ્ત્રાર્થ, “શાસન દ્વારા પ્રકટ કરવાનું સિભાગ્ય પ્રાપ્ત કરીશ.
ઉપર્યુક્ત “વિરોઘાવાવમાર્ગ' ના પૃષ્ઠ ૧૦૨૮ માં ૨૫૭૪ મી ગાથાની ટીકામાં ખાસ લખ્યું છે કે –“તત"gછા પરિग्गहो वुत्तो इइ वुत्तं महेसिणा' इतिवचनाद् यत्र वसु-देहाऽऽहारकनकादौ मूर्छा सम्पद्यते तद् निश्चयतः परमार्थतो ग्रन्थः। यत्र तु सा नोपजायते तदग्रन्थः"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) અર્થાત્ “મૂચ્છ પરિગ્રહ’ એ પ્રમાણે મહષિઓએ કહેલું છે, એ વચનથી દ્રવ્ય-શરીર–આહાર અને કનકાદિને વિષે, જે મૂરછ ઉત્પન્ન થાય, તે તે “ગ્રન્થ કહેવાય, અને યદિ હેને વિષે મૂરછ ઉત્પન્ન ન થાય તે તે “અગ્રન્થજ છે.
આ ઉપરથી વાંચકે જોઈ શક્યા હશે કે– નિર્ચન્થને અર્થ “ના” નથી, પરંતુ “મૂચ્છ રહિતપણું છે.
મિ. પાંગલેનું આ કહેવું તદ્દન ભૂલ ભરેલું છે કે સુધર્મા વિગેરે શ્રુત કેવલી નગ્ન હતા. શું તેઓને કેવળજ્ઞાન થયું છે કે હે દ્વારા તેઓ એમ કહી શક્યા? હાં, કવળજ્ઞાન તે થયું છે, એમાં તે કંઈ શક નથી. આ જહેવાં અનેક ગપાછકે હાંકતા આવ્યા છે, હેવું એક ગપાક આ પણ હાંકયું, પરતુ હેમાં પ્રમાણ શું? મિ. પાંગલે આપ આપ કહી નાખે છે કે- “સુધર્માસ્વામી નગ્ન હતા, આ વાત બંનેને નિવિવાદપણે કબૂલ છે. આ પણ એક જબરદસ્તિજ કહેવાયને ! શું શ્વેતામ્બરે તરફથી પણ એ પ્રમાણે કહી દેવાને હેમણે કે રાખે છે? શ્વેતામ્બરે એ વાતને કબૂલ કરતાજ નથી કે “સુધર્માસ્વામી વિગેરે નગ્ન હતા. તેઓ “નગ્ન હતા, પરન્તુ નિર્ચન્થ હતા, એટલે કે “મૂર્છારહિત” હતા.
હવે મિ. પાંગલેની એક ઔર કરતૂત જુઓ. વાંચકેએ હારા પ્રથમ ટ્રેકટમાં એ વાત વાંચી હશે કે –
“ હે “મંખલી ગોશાલ'નું નામ, શ્વેતામ્બરોના માનેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) ભગવતી આદિ અનેક સૂત્રમાં ઠેકાણે ઠેકાણે આવે છે, તે જ મંખલી ગોશાલનું વર્ણન બદ્ધાના પિટક ગ્રન્થમાં પણ આવે છે, જહારે દિગમ્બરના એક પણ ગ્રન્થમાં મંખલી ગોશાલનું નામ દષ્ટિગોચર થતું નથી, તેથી એ સિદ્ધ થાય છે કે-દિગઅરના ગ્રન્થ, શ્વેતામ્બર શો કરતાં અર્વાચીન જ છે.”
આવા એક જબરદસ્ત પ્રમાણને પણ શ્રીમાન કેવી યુક્તિથી હઠાવે છે? તે જુઓ–તેઓ લખે છે કે –
કારણ કે શ્વેતામ્બર સાધુઓએ અંગરચના તવ ધારણ કર્યાથી કરી, તેમજ હેમનાં શાસે પણ ઈ. સ. ૪ થાના સિકામાં લખાયા પછી તેમણે તે વેળા બેના પિટક ગ્રન્થને અનુસરી એક બે વ્યક્તિ પિતાના શાસ્ત્રમાં કેમ નહિ ઘુસાડી હોય ? ”
પગલે મહાશયના આ જવાબથી હેમની બુદ્ધિની પૂજીને પતે ઠીક ઠીક મળી આવે છે. પહેલાં તે “અંગરચના કતામ્બર વસ્ત્રો ધારણ કર્યાથી કરી આજ હેમની ભયંકર ભૂલ કઈ મહત્ત્વને સ્થાપિત કરતી નથી. કેમકે શ્વેતવસ પહેલેથીજ હતાં, નવાં કર્યો નથી. અને અંગરચના કરી નથી, પરંતુ અંગેને એકઠાં કર્યો છે અને સંગ્રહ કર્યો છે. આ વાતને તે 3. જેકેબી મહાશય પણ સ્વીકારે છે. એ વાત હું પ્રથમજ બતાવી ગયો છું. હવે “શાસ્ત્રો લખાયાં તે વખતે એક બે વ્યક્તિ ઘુસાડી દીધી હેય” તે પણ બિન પાયાદાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
(૧૦૫). રજ છે. સૂત્રોની ભાષા ઉપરથી જ વાંચકે જોઈ શકશે કે-આ ઘણી જ પ્રાચીન ભાષા છે; અને તે વાતને પાશ્ચાત્ય વિદ્વાને પણ જોર શેરથી કહે છે કે–સૂત્રોની ભાષા ઘણી જ પ્રાચીન છે. 3. જે કેબી મહાશયને જ ફકરે હે મહારા પ્રથમના લેખમાં આપે છે, ત્યેની અંદર હેઓ ખાસ જણાવે છે કે – “આગમોનો ઉદ્ધાર પ્રાચીન કાળમાં થયે હતા, (ગુરૂ પરંપરા હેને ભદ્રબાહુના વખતમાં મુકે છે)” કહેવાની આવશ્યક્તા છેજ નહિ કે, જહે વસ્તુ પહેલાં હોય છે, હેનેજ ઉદ્ધાર કરવામાં આવે છે. અને તે અનુસાર આગમ પહેલાં હતાં, તેજ હેને ઉદ્ધાર થયે, એમ જેકેબી મહાશયને કહેવાની જરૂર પડી. યદિ આગની અંદર, બૈદ્ધના પિટક ગ્રન્થમાં આવેલી કઈ કઈ વાત દેખવામાં આવવાથી, તે વાતને “વેતામ્બર આચાર્યોએ ઘુસાડી દીધી છે. એમ કહેવામાં આવતું હોય તે હિને કહેવા કે, અવલતે હેની ભાષામાંજ ફરક પડે જોઈતો હતો. તેમજ જે એ સિદ્ધાન્ત સર્વમાન્ય હોય, તે દિગમ્બરના પણ કેટલાએક સિદ્ધાન્ત એવા છે કે હે બ્રાદ્ધના સિદ્ધાન્તને મળતા છે, તે અમે એમ કેમ ન કહી શકીએ કે તે સિદ્ધાન્ત બદ્ધ ગ્રન્થ ઉપરથી ઘુસાડી દીધા છે? અને હેવી રીતે તે અમારી વાત પણ સાચીજ કરવાની કે “દિગમ્બરે તીર્થંકરની વાણીને નિરક્ષરી માને છે, છે, આ વાત, વેદાનુયાયી કે જેઓ વેદ, અપરૂષેય માનીને શબ્દાત્મક માને છે, હેના સિદ્ધાન્તને મળતી છે, માટે દિગ
મ્બરેએ તે વાત, તે વેદાનુયાયીઓથી લીધી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
(૧૮૬) દિગમ્બરભાઈઓએ યાદ રાખવું જોઈએ કે–વેતામ્બર આચાર્યો, બીજાની વાતને પિતામાં ઘુસાડી દેવાનું શિખ્યાજ નથી. જે હમારી માફક ઘુસાડી દેવાનું શિખ્યા હતે, તે તેઓ શું સ્વતંત્ર શાસ્ત્ર નહિં રચતે કે ? અસ્તુ ! મિ. પાંગલે, મંખલી ગોશાલને માટે આ જવાબ આપવા સમર્થ થયા તે હેની સાથેજ લખેલે આ ફકર શામાટે ઉડાવી દીધો ? જુઓ તે ફક આ છે –
“ તામ્બરમાં માનેલા ઉત્તરાધ્યયનાદિ સૂત્રોમાં કહેલું છે કે–અજીતનાથથી લઈ પાર્શ્વનાથ સુધી બાવીસ તીર્થકરે, તેમ હૈમના સાધુઓ ચાર મહાવ્રતને માનતા હતા. અર્થાત્ ચોથા “ બ્રહ્મ 'ની ગણતરી અપરિગ્રહમાંજ કરી લેતા હતા, જહારે મહાવીર દેવ અને હેમના સાધુએ શ્રીષભદેવના સાધુઓની માફક પાંચ મહાવ્રતને માને છે, આજ વાતને બદ્ધને પિટક ગ્રન્થ જહે કે “દિનિકાયના સામાન્ય ફલ સૂત્રની સુમંગલા વિલાસિની' નામની ટીકામાં બુદ્ધષે જે લખ્યું છે ” ( આ ઉપર ડા, જેકોબીની લખેલી ૧૮૯૪ની પ્રસ્તાવનાને કરે પણ આપે છે. )
આ ખાસ વાતને જવાબ આપવામાં તે મિ. પાંગલે - હાશયે કૂપિણું મૈન)જ બતાવ્યું છે. પરંતુ ઠીક છે, આ વિષયમાં તેઓથી એમ તે કહી શકાય તેમ હતુંજ નહિ કે - દ્ધના પિટક ગ્રન્થ ઉપરથી આ વાત ઘુસાડી દીધી છે ” બસ !
મહારે કોઈ પણ રીતે હેમાં ચંચુ પ્રવેશ ન થઈ શકે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) હારે તે વાતનો જવાબને હજમજ કરી ગયા. આ ઉપરથી એ ક્કસ થાય છે કે –મિ. પાંગલે મહાશયે હે જવાબ આપે છે, તે બિલકુલ નિર્માલ્ય અને ઢંગધડા વિનાને છે.
આ સિવાય હરિણેગમેષીદેવે કરેલો, મહાવીર દેવના ગર્ભાપહરણને ઉલ્લેખ કરી કહે છે કે –“કૃષ્ણના જન્મકાળના અદલાબદલીનું અનુકરણ કર્યું છે પરંતુ હેને જવાબ આજ લેખની અંદર વિસ્તારથી પ્રથમ આપવામાં આવે છે.
હવે વિસં. ૯૯૦ માં થએલા દિગમ્બર મતાનુયાયી દેવસેને શ્વેતામ્બરની ઉત્પત્તિ બદલને ઉલેખ કરતાં દશનસારમાં લખ્યું છે કે –
શ્વેતામ્બર મત સ્થાપી, મિથ્યા શાસ્ત્ર રચી જનચંદ્ર પિતેજ પિતાને નરકમાં પ્રથમ સ્થાપન કર્યો ” આ વાત શું હળાહળ દ્વેષથી ભરેલી નથી ? પરંતુ તેને પણ બચાવ કરવા પાંગલે મહાશયે પિતાની કલમ ઉઠાવી છે.
મહે મહારા લેખમાં લખ્યું હતું કે –“ શું દેવસેનને અવધિજ્ઞાન થયું હતું કે હે દ્વારા “જનચંદ્ર નરકમાં ગયા ? એમ કહેવા ભાગ્યશાળી થયા ?”
આને જવાબ પાંગલે મહાશય આપે છે કે –“ દેવસેને પરંપરાથી કહેવામાં આવતે ઇતિહાસ લખ્યું હોય તે હેને અવધિજ્ઞાન જ કયાંથી હોય ?
ઠીક છે, આ મને જવાબ શું છે ? પિતાની આખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
(૧૦૮)
પર'પરા આવાં દ્વેષ પ્રયુક્ત લખાણા કરતી આવી છે, એ વાતને સિદ્ધ કરી આપનાર મુદ્રાલેખ છે. પાંગલેના લખવાથી એ વાત સ્પષ્ટ જણાઇ આવે છે. કે-દેવસેનજ નહિં, હેમની પહેલાંના આચાર્યે પણ તે પ્રમાણે અસત્ય, દ્વેષ ભરપૂર, ગપાડા તે હાંકતા આવ્યા છે. ખરેખર, આ બદલતા હુ. મિ. પાંગલેને પ્રેમ પૂર્વક ધન્યવાદજ આપીશ. પરન્તુ સાથસાથ તેઓને એટલું કહ્યા વિના તેા નહિ જ રહી શકુ કે વ્હેલાં હમે એ અતાવી આપે! કે દેવસેનની પહેલાં કયા આચાર્યે એ પ્રમાણે લખ્યું છે ? અને જહાં સુધી આ વાતને ઇતિહાસથી સપ્રમાણ સાબિત ન કરે, šાં સુધી હું કેમ ન કહી શકું કે-દેવસેને પેાતે પેાતાની મેળેજ આ વાતને ઘડી કાઢી છે ?
મ્હને સ્મરણમાં છે કે—હારે બનારસ પાઠશાળામાં મિ. પાંગલે મહાશય પધાર્યા અને પૂયશ્રી ઇન્દ્રવિજયજી મહારાજ સાહેબે દર્શનસારના સંબંધમાં પ્રશ્ન કર્યા, હારે તે કોઇ પણ રીતે પ્રબલ પ્રમાણેા આપી સિદ્ધ કરી શકયા ન્હાતા અને હેવી રીતે આ ટ્રેકટની અંદર હેમણે ઉટપટાંગ અને અસંબદ્ધ વિચારે જણાવ્યા છે, તેજ ચાલ હેમની તે વખતે
પણ હતી.
*
મહાશય ! ઉલટા ચાર કોટવાલને દૐ' આ ન્યાય તે ખરેખર હમારે માટેજ લાગુ પડે છે. હે શ્વેતામ્બરા સુખ સમાધી પૂર્વક પોતાનાં કાર્યોને બજાવે જાયછે, જડે શ્વેતા
મ્બરે પોતાની વસ્તુનેજ પાતાની માનતા આવે છે, હેની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
(૧૯) અંદર હમારા જહેવા વિન સંતોષીએ, નહિં પિતાની વરતુ ને પિતાની માનવા લાગી જાય છે, અનેક પ્રકારનાં દ્વેષ પ્રયુક્ત લખાણ કરે છે, રાત દિવસ ઝઘડાઓ કરી, લાખ રૂપિયાનું પાણું કરી કરાવી આનંદ માને છે, તેમજ ખોટા ખોટા રીપોર્ટી ( સભાઓના ) બહાર પાડે છે. આટલું આટલું કરવા છતાં તેજ આરેપ વેતામ્બરે ઉપર મૂકે, તે પછી કહે “ ઉલટે ચોર કોટવાલને દંડે ” આ નિયમ કેના ઉપર લાગુ પડે છે?
દિગમ્બર ફિરકાના કેટલાક પત્રકારે સભાઓના રીપોર્ટી કેવા બેટા બેટા બહાર પાડે છે, હેને એક નમૂને મહારે અહિં રજુ કરવા જોઈએ.
વાંચકને સ્મરણમાં હશે કે-સ. ૧૧૨ ના જૂન મહીના ની શરૂઆતમાં કલકત્તાની અંદર એક પબ્લિક સભા થઈ હતી, ત્યેની અંદર ઘણું દિગમ્બર વિદ્વાનેએ હાજરી આપી હતી. અને તેનું પ્રમુખસ્થાન મહામહોપાધ્યાય પં. સતીશચંદ્ર વિદ્યાભૂષણ, એમ. એ. પીએચ. ડી. ને આપવામાં આવ્યું હતું. આ સભાને રીપોર્ટ આપતાં “મૈનહિતરીના સમ્પાદકપ્રવરે, સભાપતિના ભાષણને, કેવું અસત્ય જોડી કાઢ્યું છે? તે તપાસે. તેઓ લખે છે કે મહા મહોપાધ્યાયે પિતાના ભાષણમાં કહ્યું હતું કે – __"जैन सम्प्रदायमें दो पंथ हैं एक श्वेताम्बर दूसरा दिगम्बर । इन दोनोमें परस्पर बड़ा विरोध है । मुझे बडा आShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
( ११० )
श्वर्य हुआ, जबके काशी गया और वहां एफ श्वेताम्बर साघुसे श्वेताम्बर सम्प्रदाय के विषय सुने, परन्तु दिगम्बर सममदायकी बातें पूछनेपर उत्तर मिला कि - हम कुछ नहीं जानते । जो विद्वान् छहाँ दर्शनका ज्ञान रखता है और | उनका खंडन मंडन कर सकता है वही अपने साथी सम्प्रदायका कुछ भी ज्ञान नही रखता है । हमने यहाँ तक सुना है कि दोनों सम्प्रदाय एक दूसरेके ग्रंथ भी अपने यहाँ नहीं रखते है । मैंने दानें सम्प्रदाय के ग्रन्थों का अवलोकन किया है । मेरी समझमें श्वेताम्बर सम्प्रदाय से दिगम्बर सम्प्रदाय प्राचीन है । "
પરન્તુ આ વાત સરાસર અસત્યજ છે. કારણ કે મહામહાપાધ્યાયજીએ ખાસ એક પત્ર, તેજ સ૦ ૧૯૧૨ના ઑગસ્ટ માસમાં પૂજ્યપાદ શ્રીઇન્દ્રવિજયજી મહારાજ ઉપર લખેલે છે, હેના ઉપરથી જણાય છે કે હેમણે તે સભામાં હેવું કંઇ પણ કહ્યું નથી, પ્રદ્યુત હેમાં તાવેતામ્બરાનીજ પ્રાચીનતા બતાવી છે. જુએ તે પત્રની અંદર મહામહાપાધ્યાય ખુદ જણાવે છે કેઃ
I fully remember that a meeting, was held in June in Calcutta in which a Digambar Scholar delivered lecture on the Digambar philosophy
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
(922) refuting the Brahmanic doctrine of the creator &c. Insumming up the lectures, and in making Presidential remarks I addressed the members of both the Digambar and Setambar Schools to make up their differences towards the advancement of both. I said that in Calcutta we had the honour of listening to the learned and eloquent lectures of the distinguished Setambar Sadhoo Shastra Visharad Jainacbarya Vijaya Dharma Suri, but we had no opportunity of coming in contact with a Digambar Scholar here,
While in Benares, I studied some of the Setambar Jain books under the Setambar Sadhoo aforementioned, but on enquiry I learnt there were not many learned Digambar Scholars in Benares. Through the Kidness of Muni Indravijay, I got the opportunity of meeting with one Digambar Pandit who gave me some information about his School. but I wanted to learn more. It is no doubt a great fortune that we have got in Calcutta a Digambar Pandit who is a learned Scholar. Benyal is now much advanced. The most orthodox of the Bengali Paudits are now eager to learn something of the doctrine of both the Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
(૧૧૨) Setambar and Digambar Schools. Modern Scholar. ship is not one sided.
The Setambars and Digambars both contend for the antiquity of their doctrine It is now generally acknowledged that Setambar doctrine is the oldest. In the begining there was no distinction between the two Schools. The distinction arose later. I can only say that Digambar doctrine is not result. There is no good in desputing over the matter.
Yours Sincerely Satish Chandra Vidyabhusana Principle Sanscrit College
and Secretary Board of Sanscrit
Examination. ભાવાર્થ –હને સંપૂર્ણ રીતે યાદ છે કે-જુન માસમાં કલકત્તાની અંદર એક દિગમ્બર વિદ્વાને દિગમ્બર ફિલેસોફી ઉપર ભાષણ આપ્યું હતું. જહેમાં “જગત્કત વિગેરે બ્રાહ્મણ સિદ્ધાન્તનું ખંડન કર્યું હતું.
ભાષણને ઉપસંહાર કરતાં પ્રમુખ તરીકેના હારા ભાષશુમાં દિગમ્બર તથા શ્વેતામ્બર સમ્પ્રદાયના સભ્યોને હે
જણાવ્યું કે-આગળ વધવાને માટે બન્નેએ આપસના વિરેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૧૩ )
ધાને સમાવી દેવા જોઈએ. મ્હે' કહ્યું કે કલકત્તામાં સુપ્રસિદ્ધ શ્વેતામ્બર સાધુ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિના વિદ્વત્તામય અને વક્તૃત્વ શક્તિવાળાં ભાષા સાંભળવાને આપણને સુઅવસર પ્રાપ્ત થયા હતા, પણ અહિચ્ય આપણને કાઈ પણ દિગમ્બર વિદ્વાન્ની સાથે સખધમાં આવવાની તક મળી ન્હોતી. મ્હારે ખનારસમાં હે પૂર્વોક્ત સાધુની દેખરેખ નીચે કેટલાંક શ્વેતામ્બર જૈન પુસ્તકાના અભ્યાસ કર્યો અને તપાસ કરતાં મ્હને માલૂમ પડ્યું કે બનારસમાં ઘણા દિગખર પંડિત હતા નહિ. મુનિ ઇન્દ્રવિજયજીની કૃપાથી એક દિગમ્બર પ"ડિતની સાથે મળવાની
ને તક મળી, જ્હણે પેાતાના સમ્પ્રદાય વિષે કેટલીક માહીતી હુને આપી, પણ મ્હે' વધારે જાણવાને ઇચ્છયું. બેશક, તે એક મહાન્ સાભાગ્ય છે કે, આપણે કલકત્તામાં એક દિગમ્બર પડિત છે કે હે એક સારા વિદ્વાન છે. ખ"ગાળા હવે ઘણું આગળ વધે છે. ખૂબ ધર્મચુસ્ત બંગાળી પડતા હવે શ્વેતામ્બર અને દિગમ્બર એ બેઉ સમ્પ્રદાયના સિદ્ધાન્તામાં કંઇક શીખવાને આતુર છે. હાલની વિદ્વત્તા એક તરી નથી.
શ્વેતામ્બર અને દિગમ્બર બેઉ પેાતાના મતની પ્રાચીનતાને માટે તકરાર કરે છે, હવે તે સામાન્ય રીતે સ્ત્રીકારવામાં આવ્યુ છે કે શ્વેતામ્બર મત સાથી પ્રાચીન છે. શરૂઆતમાં બે સમ્પ્રદાય વચ્ચે બિલકુલ સેદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
(૧૧૪)
•
હતા નહિ. ભેદ પાછળથી ઉત્પન્ન થયા. હું માત્ર એટલુંજ કહી શકુ છુ કે દિગમ્બર મત હમણાંના નથી. આ વિષય ઉપર તકરાર ચલાવવામાં કઇ સાર નથી. ( ‘જૈનશાસન' ખીજા વર્ષના નવમા અંકમાંથી )
પ્રિય વાંચક ! ખુદ ભાષણ આપનાર મહામહેાપાધ્યાય તે આ પ્રમાણે લખે છે, હારે મિ. પ્રેમીજી, પેાતાના ૮ જૈનહિતૈષી ’માં તે કંઇનું કઇ વેતરે છે. શું આવા ખાટા રીપોટા છાપવાથી દિગમ્બર ભાઈઓની પ્રાચીનતા સિદ્ધ થઈ જશે કે?
"
હવે ઃ કુલ્પાકપાર્શ્વનાથની મૂર્તિ શ્વેતામ્બરી બનાવી આ હેમનુ' કહેવુ ખીલકુલ ખેાટુ' છે. તે તેા શ્વેતામ્બરાની હતીજ, અને હેને માટે અનેક ગ્રન્થામાં હેનુ ઋતિપાદન કરેલું છે.
કાશીના એક દિગમ્બર વિદ્યાર્થીએ ભદ્રબાહુ ચરિત્રનું ભાષાન્તર બહાર પાડી અર્થના અનર્થ કરી નાખ્યા, આ વા તને મ્હે બતાવી, હારે પાગલે મહાશય કહે છે કે હેના ઉપર દ્વેષ કર્યા ' પરન્તુ પાંગલે હેવા પક્ષપાતી ન્યાયાધીશને હું પૂછું છું કે-તેજ ભદ્રમાડું ચરિત્રના ભાષાન્તરકાર વિદ્યાીએ, પોતે લખેલી પ્રસ્તાવનામાં શ્વેતામ્બરાને કેટલા તુચ્છ અને અસભ્ય શબ્દોમાં ઉલ્લેખ્યા છે, હૅને માટે કઇ ન્યાય કર્યું કે ? પરન્તુ ઠીક છે, તે વાત હુમારા સ્મરણમાં કેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૧૫)
આવી શકે ? કેમકે હેમાં તે હમારી ખીચડી પકાય તેમ છે. અસ્તુ ! આવેા પક્ષપાતી ન્યાય તે હ્યુમનેજ મુખારક હોઇ શકે. બસ ! હવે અધિક ન લખતાં માત્ર એટલુજ લખીશ કે દાંભિક વૃત્તિની પરાકાષ્ઠાએ પહોંચવામાં દિગમ્બર ભાઈઓને હવે કંઇ પણ ખાકી રહ્યુ' નથી,
આગળ ચાલતાં પત્ર ૩૫ માં શ્રીમાન્ લખે છે કેઃ
વિદ્યાવિજયજી કહે છે કે—ધર્મપકરણને પરિગ્રહ માન્યા નથી' પણ આ નિયમ હલકી શ્રેણિના દિગમ્બર મુનિને છે” સ્તુને આશ્ચર્ય થાય છે કે—દિગમ્બર મુનિએમાં હલકી અને ઉંચ્ચ શ્રેણિના ભેદ પાડવા પાંગલે મહાશયે કમર કસી. હું પૂછું છું કે–શું આ નિયમ શાસ્ત્રીય રીતિથી મતાન્યેા છે કે ? શું પાંગલે મહાશયે, ભગવાન શ્રીઉમાસ્વાતિ વાચકે, પોતાના તત્ત્વાર્થ સૂત્રમાં બતાવેલું · મૂર્છા પશ્ચિં: ' આ સૂત્રનું કોઈ ‘ દિવસ પણ સ્મરણ કર્યું છે? વ્હારે શું આ સૂત્ર, ઉમાસ્વાતિ વાચકે હલકી શ્રેણિના સાધુઓ માટે બનાવ્યું છે ? મહાનુભાવ ! એમ માનવાની ભૂલ કદિ પણ ખાશે નહિં. તે સૂત્ર સામાન્ય રીત્યા સમસ્ત સાધુઓને માટે છે. આ સિવાય વિશેવાવ મધ્ય'નું પણ પ્રમાણુ છું. પ્રથમજ આપી ગયા છું, તે પછી વિશેષ પ્રમાણેા આપવાં, વાંચકોના સમય વ્યર્થ નષ્ટ કરવા ખરાખર છે. જે હેવીજ રીતે મૂર્છા પરિગ્રહ માનેલ ન હોય, તે શામાટે દિગમ્બરના માનીતા આચાર્ય થલચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
પર
-
Page #120
--------------------------------------------------------------------------
________________
III
(૧૧૬) દ્રાચાર્ય પોતાના જ્ઞાનાર્ણવના સોળમા પ્રકરણમાં એમ લખતે કે –
"निसंगोऽपि मुनिन स्यात् संमूर्च्छन् संगवर्जितः ।
यतो मृच्छैव तत्त्वज्ञैः संगमूतिः प्रकीर्तिता" ॥१॥
અર્થા–જહે મુનિ નિઃસંગ હોય, એટલે કે બાહા પરિઝહથી રહિત હોય, અને જે મમત્વ કરે, તે તે નિષ્પરિગ્રહી થઈ શકે નહિં. કેમકે તત્ત્વજ્ઞાની વિદ્વાનેએ મૂચ્છ એજ પરિગ્રહની ઉત્પત્તિનું સ્થાન માનેલ છે.”
હારે આમજ છે તે પછી મિ. પાંગલે, પિતે માનેલા આચાર્યોના વચનનું ખૂન કરે છે, એમ કહેવામાં શું કઈ પણ જાતની અત્યુક્તિ કહી શકાશે? કદાપિ નહિં.
પ્રિયપાઠક ! આ વાતને મહે મહારા પ્રથમના લેખમાં પણ ઉલ્લેખ કર્યો છે, પરંતુ અફસની વાત છે કે પાંગલે મહાશયે આ વાતને ઉડાવી જ દીધી છે. અસ્તુ! પાંગલે મહાશય, ભલે આવાં અકાય પ્રમાણેને ઉડાવી દેવા પ્રયત્ન કરે, પરંતુ વાંચક વર્ગ કંઇ આંખ મીંચીને વાંચતું નથી. તત્ત્વને જાણવાની અભિલાષા રાખનારે વર્ગ તે હેને બારીકાઈથીજ તપાસે છે.
શ્રી શુભચંદ્રાચાર્યે આ એકજ સ્થળે ઉલ્લેખ કર્યો છે, એમ નથી, પરંતુ આગળ ચાલતાં અઢારમા પ્રકરણમાં પાંચ સમિતિનું વર્ણન કરતાં, “આદાનનિક્ષેપણસમિતિ ” નું પાલન કરવાને માટે સાફ સાફ બારમા અને તેરમા લેકમાં બતાવ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૧૭) “ હે મુનિ શય્યા, આસન, ઉપધાન, શાસ્ત્ર અને ઉપકરણ દિવસે પહેલાં સારી રીતે જોઈને અર્થાત્ વારંવાર પ્રતિલેખન કરીને યત્ન પૂર્વક ગ્રહણ કરતે, તથા તેજ પ્રમાણે કરી પૃથ્વી ઉપર મૂકે છે, તે અવિકલ ( પૂર્ણ ) આદાન નિક્ષેપણ સમિતિ પાળે છે. ”
આવા પરમ સિદ્ધાન્તને માટે પણ મિ. પાંગલે મહાશય વકીલાત કરી કહે છે કે “શુભચંદ્રાચાર્યે કરેલું વર્ણન દિગમ્બર સપ્રદાયના હલકી શ્રેણિના સાધુનું જ છે. ” વાહ ! શાસ્ત્રીય સિદ્ધાન્તને ઉલટ પાલટ કરી નાખવામાં આ વકીલ સાહેબની ખીસ્સા કલમે, એક મોટું અજાયબજ ઉત્પન્ન કરે છે, જહેઓ પિતાના આચાર્યોના વચનનું ખૂન કરવામાં અથવા તે તે વચનેને જુદા રૂપમાં બતાવવાને માટે જબરદસ્ત બહાદુરી બતાવે છે, તેઓ વેતામ્બરેના કે અન્યના શાસ્ત્રને ઉલટપાલટ કરી નાખે હેમાં શું આશ્ચર્ય ?
દિગમ્બર મુનિ ઉચ્ચ શ્રેણિના કેવા હોય છે? તે બતાવતાં મિ. પાંગલે આ કલેક આપે છે
" भूः पर्यको निजभुजलता कंदुकं खं वितानं
दीपश्चन्द्रो विरतिवनितालब्धसङ्गः प्रमोदः । दिकान्ताभिः पवनचमरैर्वीज्यमानः समन्ताડિલુ તૃત ફર યુરિ ચ રિ |
( શુભચન્દ્રાચાર્ય)”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
(૧૧૮) અવ્વલ તે આ લૅક કહાંથી લીધે છે ? કયા પ્રકરણમાં છે ? કેવા પ્રસંગને છે ? વિગેરે કંઈ પણ બતાવ્યું નથી. તે છતાં પણ આ કલેક ઉપરથી એમ તે કદાપિ સિદ્ધ નથી થતું કે સાધુએ વસ્ત્ર ન પહેરવાં,-ઉપકરણે ન રાખવાં. શું વસ્ત્રા રાખનાર-ઉપકરણ રાખનાર સાધુને માટે આ કલેક નથી ઘટી શકતો ? પરંતુ હેને વિચાર કેણ કરે છે ? સાધુઓની હલકી અને ઉચ્ચ શ્રેણિનો ભેદ બતાવનાર મી. પાંગલેની બુદ્ધિને માટે કેને આશ્ચર્ય થયા વિના રહેશે વારૂ ? એવું કેઈએ પણ નહિં સાંભળ્યું હોય કે સાધુઓનાં પાંચ મહાવ્રત અને અષ્ટ પ્રવચન માતા (પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ) માં ભેદ કેઈ શાસ્ત્રમાં બતાવ્યું હોય. સામાન્ય રીતે સાધુ માત્રને પાંચ મહાવ્રત અને અષ્ટ પ્રવચન માતાનું પાલન એક સરખી રીતે કરવાનું છે. હેની અંદર અગર પિલ હોય તે પછી તે સાધુ કહેવાયજ કેમ ?
શ્રીમાન શુભચન્દ્રાચાર્ય ઉપયુક્ત હે વર્ણન કર્યું છે, તે સમ્યક ચારિત્રના વર્ણનમાં કર્યું છે, ત્યેની અંદર તેઓ એમ નથી બતાવતા કે આ હલકી શ્રેણિના સાધુઓનું વર્ણન કરી રહ્યો છું. બલકે તેઓએ આપેલા વશમા કલેક ઉપરથી એમ ચોક્કસ જણાઈ આવે છે કે તેઓ હે વર્ણન કરી રહ્યા છે તે નિર્દોષ ચારિત્રનું વર્ણન છે. તે બ્લેક આ છે – __" इति कतिपयवर्णैश्चार्चत चित्ररूपं ।
चरणमनघच्चैश्चेमुतसांशुद्धिधाम । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૧૯)
अविदितपरमार्थैर्यन साध्यं विपक्ष
સ્વમિસરનું નિનઃ રાતાપારના અર્થાત્ ઉક્ત પ્રકારથી કેટલાએ અક્ષરેશદ્વારા વર્ણન કરેલું જહે અનેક રૂપ નિર્દોષ ચારિત્ર, તે અતિશય ઉંચા ચિત્તવાળાને તે શુદ્ધતાનું મંદિર છે, અને નથી જાણે પરમાર્થ જહેશે, એવા વિપક્ષીઓને તે અસાધ્ય છે. એવા આ ચારિત્રને (ઉપર્યુક્ત વણિત) શાન્તદોષી જ્ઞાની પુરૂષ ધારણ કરે.
આ ઉપરથી શું એ સ્પષ્ટ નથી થતું કે--આજ પ્રકરણમાં શુભચંદ્રાચાર્ય હે વર્ણન કરી ગયા છે, તે સત્કૃષ્ટ અને સાધુમાત્રને સ્વીકાર કરવા લાયક છે?
શુભચન્દ્રાચાર્ય જ શા માટે ? એવા કેટલાએ દિગમ્બર ગ્રન્થ કર્તાઓએ સાધુને ઉપકરણ રાખવાનું પ્રકટપણે બતાવ્યું છે. જુઓ કુંદકુંદમુનિકૃત મૂલાચારમાં આ પ્રમાણે લખ્યું છે – " गाणुवहिं संजमुवहिं तव्वुववहिमण्णमवि उवहिं वा ।
पयदं गहणिक्खेवो समिड़ी आदाननिक्खेवा ॥"
અર્થાત-જ્ઞાનપધિ, પુસ્તક પત્રિકા અનાદિ, સંયમપધિ (જના રાખવાથી સંયમ પાળી શકાય ) અને તપિપધિ તથા અન્ય પ્રકારની પણ ઉપધિ, તે દરેક ઉપધિને પ્રયત્નથી - હણ-નિક્ષેપ કરવું, હારે સપૂર્ણ “આદાન નિક્ષેપ સમિતિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) વળી પણ જુઓઃ-ગેન્દ્ર દેવ વિરચિત “પરમાત્મપ્રકાશ ની ટીકામાં પણ સાધુને ઉપકરણ ગ્રહણ કરવાનું લખ્યું છે. યથા –
"परमोपेक्षासंयमाभावे तु वीतरागशुद्धात्मानुभूतिभावसंयमरक्षणार्थ विशिष्टसंहननादिशक्त्यभावे सति यद्यपि तपःपर्यायशरीरसहकारीभूतमन्नपानसंयमाचज्ञानोपकरणणमयमावरणादिकं किमपि गृह्णाति तथापि ममत्वं न करोतीति।"
હેવી જ રીતે રાજવાર્તિક વિગેરે અનેક દિગમ્બર ગ્રન્થમાં સાધુને ઉપકરણની આવશ્યકતા બતાવી છે. પરંતુ આશ્ચર્ય
છે કે- નાગ ” રહેવામાંજ ધર્મ માનનાર મિ. પાંગલે મહાશય જેવા પિતાને દુરાગ્રહ છેડતા નથી, એટલું જ નહિં, પરંતુ શ્વેતામ્બર સાધુઓને, વસ્ત્રાદિ ઉપકરણ ધારણ કરવાથી ભ્રષ્ટાચારીપણે ગણે છે, આ પણ તેઓના દ્વેષભાવને નમૂને નહિ તે બીજું શું કહી શકાય ?
હવે લેખની પૂર્ણાહુતિમાં ઉપસંહાર રૂપે બે શબ્દો કહી આ લેખને સમાપ્ત કરીશ.
ઉપસંહાર જ વાંચકે હારા પ્રથમના લેખને વાંચીને, મિ. પાંગલે મને હાશયના કટને વાંચ્યું હશે, તેઓને એ વાતને નિશ્ચય થયે હશે કે–મિ. પાંગલે મહાશયે હારા લેખમાં બતાવેલા કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૨૧ )
પાઈન્ટોના જવાબ આપવામાં ખરેખર એક બાજીગરની નકલ કરી છે. કતિપય પોઇન્ટોના જવાબે આપવામાં વાસ્તવિક સફળ નિવડચા નથી, જમ્હારે કેટલાક પોઇન્ટોને તા તેઓ પોતાના દેશની (દક્ષિણની) ચટણીજ સમજી ગયા. આ વાતનું સ્પષ્ટીકરણ મ્હારા આ બીજા ટ્રેટથી થઇ જાય છે. તે છતાં યદિ હું, હે પાઈન્ટોના જવાખા તેઓએ આપ્યા નથી, તે ન બતાવી લેખને પૂર્ણ કરૂં, તે જરૂર લેખની પૂર્ણાહુતિમાં ન્યૂનતા રહી લેખી શકાય. અત એવ તે પેઇન્ટોનાં નામ માત્ર ગણાવી લેખને સમાપ્ત કરીશ.
'
(૧) ધરસેન મુનિને સમુદ્ર સમાન ખીજા પૂર્વનુ કર્મપ્રામૃત તા કઠાગ્ર રહી ગયું અને એકાદશાંગ, દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનાદિ અલ્પ સંખ્યાવાળા ગ્રન્થા વિચ્છેદ થઈ ગયા, શું આ વાત કાઇ પણ ખુદ્ધિમાન માન્ય કરી શકે ખરી ? કદાપિ નહિ. આના વામ તેઓએ આપ્યા નથી.
( ૨ ) દિગમ્બર ગ્રન્થા કરતાં, શ્વેતામ્બર ગ્રન્થા પ્રાચીન છે, આ વાતને પુષ્ટ કરનાર The sacred Books of the east - Vol. XXII ( 1884 A, D, ) ની પ્રસ્તાવનામાં પાના ૪૨ મે લખેલા ડા. જેકેાખી મહાશયવાળા ફકરાના જવામ આવ્યે નથી.
(૩) ‘મથુરાના પ્રાચીન શિલાલેખા ઉપર હે હે આચાર્યેાનાં નામ, ગણુ તેમજ કુલ વિગેરે ખતાવવામાં આવેલ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
(૧૨૨ )
તે દરેક કલ્પસૂત્રની વિરાવલીમાં વર્ણવેલ આચાર્યાની સાથે મલતાવડાપણુ ધરાવે છે.' આ પ્રમાણે સિદ્ધ કરનાર ડૉ. લર મહાશયના અંગ્રેજી ફકરાનો જવાબ આપ્યું નથી.
ભુ
પણ
( ૪ ) ‘શ્વેતામ્બર મતમાંથી નિકળેલી એક શાખા ઇ॰ સ૦ પૂર્વે ૨૧૩ માં સ્થપાએલી છે,' આ વાતને સિદ્ધ કરનાર ડૉ. ખુલ્લરના અંગ્રેજી ફકરાનો જવાબ આપ્યા નથી.
"
(૫) ‘જૈનાગમાં પ્રાચીન છે, હૅના ઉદ્ધાર પ્રાચીન કાળમાં થયા હતા. ' આ પ્રમાણે સદ્ધ કરનાર ડા. જેકેાખી મહાશયની ઇ॰ સ૦ ૧૮૯૪ની પ્રરતાવનાના કરા આપ્યા છે, હેના જવાબ પણ આપ્યા નથી.
'
( ૬ ) કાશીના દિગમ્બર વિદ્યાર્થીએ, પાતે મહાર પાડેલા ભદ્રખાડું ચરિત્રમાં · વરાહમિહિર ' નું ટાન્ત આપ્યું છે, પરન્તુ એમ પૂછવામાં આવ્યું કે—“ પહેલાં ‘ વરાહમિહિર’ ના સમયના નિશ્ચય કર્યા છે ?....કેમકે વનિક્રાન્તિા' ની અંદર વરાહમિહિર પાતે લખે છે કે શાકે ૪૨૭ ના સમયમાં આ ગ્રન્થ રચ્યા છે' આથી અમે બતાવેલા દિગમ્બરના સમયને કોઇ પણ રીતે ધક્કા પહોંચતાજ નથી. ” આને પણ જવાબ આપ્ચા નથી.
:
( ૭ ) · દિગમ્બરેશના પ્રાચીન ગ્રન્થામાં પણ શ્વેતા શ્નરાની નિંદા આવે છે, તેથી પણ સિદ્ધ થાય છે કે શ્વેતામ્બર મત પહેલાંના હોવા જોઇએ.’ આને પણ જવાખ આપ્ચા નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૧૨૩)
( ૮ ) વેતામ્બરેએ માનેલા સૂત્રોની અંદર એ પ્રમાણે ઠેકાણે ઠેકાણે ઉલ્લેખ આવે છે કે –“અછતનાથથી લઈ પાટ્વનાથ સુધી બાવીસ તીર્થકર અને હેમના સાધુએ ચાર મહાવ્રત માનતા હતા. (“બ્રહ્માની ગણતરી અપરિગ્રહમાં કરતા હતા ) હારે પહેલા અને છેલ્લા તીર્થકર અને હેમના સાધુઓ પાંચ મહાવ્રતને માને છે. આજ વાતને બૈઠને પિટક ગ્રન્થ, હે કે “દિનિકાયના સામાન્ય ફલસૂત્રની સુમંગલા વિલાસિની' નામની ટીકામાં બુદ્ધઘોષે લખ્યું છે” અને તે ઉપર ડૉ૦ જેકેબી મહાશયના આપેલા ફકરાને પણ જવાબ આપે નથી.
( ૯ ) “ધમ્મપદ” ઉપર બુદ્ધની ટીકામાં કહેલું છે કે –“ નિર્ચન્થ ( સાધુઓ ) નીતિમર્યાદાને માટે એક જાતને કપડે રાખે છે” આ વાત વેતામ્બરના મન્તને મળતી છે, એમ કહે બતાવવામાં આવ્યું છે, હેને પણ જવાબ નથી.
( ૧૦ ) ભદ્રબાહુ ચરિત્રમાં એક સ્થળે લખ્યું છે કે – “શ્વેતાંગુલતાન શાયતું નાન” આ એકજ વાક્ય ઉપરથી માલૂમ પડે છે કે–ભદ્રબાહુ ચરિત્ર કેવળ દ્વેષ બુદિથી વેતામ્બર મતના ખંડનને માટેજ જૂઠું જોડી કાઢેલ છે.” આને પણ જવાબ આપેલ નથી.
બારીકાઈથી તપાસ કરું તે શાયદ તેથી પણ વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૧૨૪) પિઇન્ટ મળી આવે ખરા. તે પણ સ્કૂલ સ્થલ આ દશ પિાઈ ન્ટના તે જવાબ શ્રીમાને આપ્યા જ નથી. આથી એ નિશ્ચય થાય છે કે–આ દશ પિઈન્ટેને તે તેઓએ સ્વીકાર કરી લીધા. હવે હેમણે આપેલા જવાબને પ્રત્યુત્તર માટે આ ટેકટ નં. ૨ લખવામાં આવ્યું છે. આશા છે કે–આ અકાય પિઈન્ટને, બારીકાઈથી અવલોકન કરી–દુરાગ્રહને પડદે દૂર કરી, તેને સ્વીકાર કરી લેશે.
જહેનામાં લગાર પણ સમજવાની શક્તિ છે તે તે અનાયાસજ સ્વીકાર કરી લેશે કે – નગ્ન રહેવામાં અપરિગ્રહપણું કે અલકપણું સમાએલું નથી. કઈ પણ વસ્તુ ઉપર મૂચ્છ કરવી, હેનું નામ જ પરિગ્રહ છે. શાસ્ત્રકારે પણ મૂર્છાને જ પરિગ્રહ ફરમાવે છે. યદિ નગ્ન રહેવામાં જ અપરિગ્રહપણું કે અસલી સાધુપણુ ગણતું હોય, તે હેને કહેવા દ્યો કે–પેલાં કૂતરાં, બિલાડાં, ઘેડા, બેલ વિગેરે પશુઓને શામાટે આપણે સાધુ ન ગણવા જોઈએ? જુઓ-કૂતરાં ઘેર ઘેર ટુકડા માગીને પિતાનું ઉદર પિષણ કરે છે, મળ્યું તે સંતેષ, ન મળ્યું તે પણ સંતેષ. દિગમ્બર ભાઈઓને હું પુછું છું કે તેઓને સાધુ ગણવા કે નહિ ? ન ગણવા, તે શા માટે? શું તેઓ પશુ છે હેટલા માટે?
તટસ્થપણને ન છોડું તે હું એમ પણ કહી શકીશ કે– કપડાં ધારણ કરવામાં કઈ સાધુપણું સમાએલું નથી. જે કપડાં ધારણ કરવાથી જ સાધુપણું કહેવાતું હોય, તે મનુષ્ય જાતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૨૫ ) માત્રને સાધુ કહેવા જોઈએ. પરંતુ નહિં, હાં સુધી સાધુના ગુણ ન હોય, હાં સુધી સાધુ કહી શકાય નહિં. કપડાં રાખીને યદિ તેના ઉપર મૂછો રાખવામાં આવી, પુસ્તક રાખીને યદિ હેના ઉપર મૂચ્છ રાખવામાં આવી, તેમજ સાધુનાં બીજા પણ ઉપકરણે રાખી હેના ઉપર મૂચ્છ રાખવામાં આવી, તે સમજવું કે તે સાધુ પરિગ્રહના દેષને પાત્ર છે. સાધુઓને જહે જહે ઉપકરણે રાખવાનાં શાસ્ત્રકારોએ બતાવ્યાં છે, તે હેના ઉપર મૂ સવાર થવા માટે નહિં, પરંતુ ચારિત્ર ધર્મની રક્ષા કરવા માટે-સંયમને સારી રીતે પાળવા માટે.
એતે ચેકસ વાત છે કે-ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરી સાધુ અવસ્થા એટલાજ માટે આત્માથી પુરૂ રવીકારતા આવ્યા છે કે-સાધુ અવસ્થામાં વિશેષ પ્રકારે જીવ દયા પાળી શકાય. સાધુ થવાની મતલબ એ નથી કે બસ, સાધુ થયા એટલે જીવાજીવને ભેદ-વિચાર છે દે. સાધુ થયા પછી અધિક જીવરક્ષા વિગેરે કરવાની જરૂર છે. અને તેટલાજ માટે શાસકારે હેને ઉચિત ઉપકરણે રાખવાનું ફરમાવતા આવ્યા છે. વિકાસ” વિગેરે અનેક ગ્રંથની અંદર સાધુને ઉપકરણે રાખવાનું સહેતુક બતાવ્યું છે. હું નીચે હે લેકે આપું છું તે ઉપરથી વાંચકો જોઈ શકશે કે ચારિત્રની રક્ષા માટે અને જીની રક્ષા માટે સાધુને અમુક અમુક ઉપકરણે રાખવાની ખાસ આવશ્યકતા છે. તે શ્લોકો આ છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૬) “ પાનોવેશનરવારનિક્ષેપગ્રહનહિg
जन्तुपमार्जनार्थ हि रजोहरणमिष्यते ॥" “ wાતિ કિરવાનાં રક્ષા મુવતિ |
भक्तपानस्थनमूना परीक्षायै च पात्रकम् ॥" “ સવજ્ઞાનવત્રતા વાપરતા ___ चीवराणि च कल्पादीन्गीकुर्वन्ति साधवः ॥"
અર્થ સ્થાનને વિષે બેસવું-સૂવું-મૂકવું–ગ્રહણ કરવું વિગેરે કિયાઓને વિષે જંતુના પ્રમાર્જનને માટે રજોહરણ ( ઘા) ની જરૂરીયાત છે.
સંપાતિમાદિ ની રક્ષાને માટે મુખવાચિકા ( મુહપત્તિ ) ની જરૂર છે, અને આહારપાણીની અંદર કે જીવ ન આવી જાય, એ પરીક્ષાને માટે પાત્ર રાખવાની જરૂર છે.
અને તેવી જ રીતે સમ્યક્ જ્ઞાન-ચારિત્ર–તપ વિગેરે સાધનના હેતુ માટે સાધુ લેકે વસ્ત્રોને પણ અંગીકાર કરે છે.
પરમાત્મા મહાવીર દેવના શાસનમાં “અહિંસા પરમો ધર્મ આ સિદ્ધાન્ત પ્રધાન માનેલ છે. હે મનુષ્ય અહિંસાનું પાલન ન કરે, તે પછી તે ભલે ન હોય કે વસ્ત્રધારી હોય, પરન્તુ તે દુર્ગતિને જ ભાગી છે. હવે એ પિતાની બુદ્ધિમત્તાથી જ સમજવું જોઈએ કે ઉપર્યુક્ત ઉપકરણે સિવાય સાધુ, છાની રક્ષા કેવી રીતે કરી શકવાના હતા? શું નગ્ન સાધુના ઉપર ખાવાની-પીવાની-બેસવાની-ઉઠવાની-સુવાની ક્રિયાઓ સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૨૭ )
વાર થએલી નથી ? શું જ્ઞાન-દર્શન-ચ ત્રિ-તપ વિગેરેનુ સાધન કરવું એ હેતુ પ્રથમ કર્તવ્ય નથી ? હારે છે, તે પછી હેને ઉપર્યુક્ત ઉપકરણા રાખવાની ખાસ આવશ્યકતા રહેલી છે, એમ કહેવું લગાર પણ સત્ય વિરૂદ્ધ દેખાતું નથી.
પ્રાચીનતા અવાચીનતાના વિષયમાં છેવટે મ્હારે કહેવું જોઇએ કે-દિગમ્બર ભાઈએ ડેટલા પાકારો કરે છે, તે તેએના પ્રલાપ માત્ર છે. ઐતિહાસિક રીતિથી, શાસ્ત્રીય રીતિથી કે યુક્તિદ્વારા હજી સુધી દિગમ્બર ભાઈએ પેાતાની પ્રાચીનતા સિદ્ધ કરી શક્યા નથી. હજી પણ હું દાવા સાથે કહું છું કે ખુશીની સાથે મ્હારા આ ટ્રેકટને જવાબ આપે. હું ગુરૂકૃપયા જવાખ આપવાને તૈયાર છું. કેમકે તેમ કરવામાં ચાલે વાવે નાતે તવષ ' આ વાક્ય ચરિતાર્થ થશે. પરન્તુ એટલું યાદ રાખવું જોઇએ કે–જવાબ આપવામાં વિષયાન્તર ન થવા પામે. તેમજ ઐતિહાસિક, શાસ્ત્રીય અને યુક્તિઓ દ્વારાજ પઇન્ટાના જવાખ આપવા જોઇએ.
k
અન્તમાં—આ લેખની અંદર કોઈપણ જીવને દુઃખ થાય, એવે શબ્દ લખાઈ ગયા હોય, તે તે બદલ ક્ષમા યાચવા સાથ દરેક સાહિત્ય પ્રેમીઓ સાહિત્યની અને શાસન પ્રેમીએ શાસનની સેવા બજાવી ઉત્તમ સુખના ભાગી બને, એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરતા વિરમું છું.
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________ ચશોહિ .વજય જન શાસન. alcbble I bolle 189 ante pe સામાજિક, નૈતિક, ધાર્મિક અને સાહિ ભરેલું આ પત્ર હિન્દી તથા ગુજરાતીમાં પ્રતિ બુધવારે પ્રકાશિત થાય છે. જેને સમાજમાં પોતાના ઢગનું આ એક અદિનીય સામોહિક પત્ર છે. યદિ હમે ઘેર બેંકે પરમાત્માના પવિત્ર ઉપદેશને શ્રવણ | કરવા ચાહે છે, દિ તમે ઘેર બેંકે અને સમાજની સ્થિતિને જાણવા ચાહે છે અને યદિ એ કોર પાછોય જન અને ! ગના કાર્યોનું નિરીક્ષણ કરવા ચાહો છો તે શીય જન શાસન પત્રના ચાર કે થાઓ. . દળદાર પત્ર હોવા છતાં વાર્ષિક લવાજમ તો માત્ર 3. 3 0 0 4 કે : મેનેજર * જન શાસન’ રાધનપુરી બજાર, ભાવનગર, ( મ ડી યા વાડ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com