SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) વિદ્યાવિજ્યનું આ કહેવું કેવળ અભિમાન ભરેલું અને દીર્ઘ વિચાર વગરનું છે” કહો! મિ. પાંગલેએ પિતાની યેયતાને ફેટે ખેંચી બતાવ્યું કે નહિ ? પ્રિય પાઠક ! આટલેથી સંતોષ ન રાખે, નહિ લખેલી વાતને પિતાની કલમથી ચીતરી કાઢી વાંચકેની આંખે પાટા ઉપર પાટા બાંધવાનું તે તેઓને એકડે એક જહેવું થએલું છે. તેઓ કહે છે કે “એકદમ ગ્રન્થ રચના થઈ નહિં, અને પાછળથી થઈ, માટે રચના કપોલ કલ્પિત છે, એવું કહેવું ભૂલભરેલું છે.' પ્રિય વાંચક ! શું મ્હારા લેખકની અંદર કોઈ પણ સ્થળે આવું વાક્ય તમે વાંચ્યું છે કે? મ્હારી ઉઠાવેલી શંકા તે તેઓ તેિજ ઉપર ઉદ્ધત કરી આવ્યા છે, તે છતાં પણ હેના સારાંશમાં તે એક “ઇદે તૃતીયં” અભિપ્રાયજ ઉભું કરે છે. કહો હારે વિતંડાના છેડા સુધી તેઓ પહોંચી ગયા કે નહિ? ખેર ! તેઓ ગમે તેટલી ચાલાકી કરી પિતાને બચાવ કરવા ચાહે, પરંતુ તેઓને બચાવ તે થવો દૂર રહ્યા, પ્રત્યુત તેથી તે તેઓની નિર્બળતાજ જણાઈ આવે છે. આગળ ચાલતાં તેઓ લખે છે કે – “વેદને રચનાકાળ મિ. તિલકે “દશ હજાર વર્ષ પહેલાને છે એવું “આર્ટિક હોમ ઈન ધી વેદાઝ' નામના ગ્રન્થમાં સાબીત કર્યું છે, અને લેખનકાળ તે પછી છે, માટે તીલકની તે મીમાંસા ભૂલભરેલી કરશે કે શું ?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આ
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy