Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 111
________________ (૧૦૭) હારે તે વાતનો જવાબને હજમજ કરી ગયા. આ ઉપરથી એ ક્કસ થાય છે કે –મિ. પાંગલે મહાશયે હે જવાબ આપે છે, તે બિલકુલ નિર્માલ્ય અને ઢંગધડા વિનાને છે. આ સિવાય હરિણેગમેષીદેવે કરેલો, મહાવીર દેવના ગર્ભાપહરણને ઉલ્લેખ કરી કહે છે કે –“કૃષ્ણના જન્મકાળના અદલાબદલીનું અનુકરણ કર્યું છે પરંતુ હેને જવાબ આજ લેખની અંદર વિસ્તારથી પ્રથમ આપવામાં આવે છે. હવે વિસં. ૯૯૦ માં થએલા દિગમ્બર મતાનુયાયી દેવસેને શ્વેતામ્બરની ઉત્પત્તિ બદલને ઉલેખ કરતાં દશનસારમાં લખ્યું છે કે – શ્વેતામ્બર મત સ્થાપી, મિથ્યા શાસ્ત્ર રચી જનચંદ્ર પિતેજ પિતાને નરકમાં પ્રથમ સ્થાપન કર્યો ” આ વાત શું હળાહળ દ્વેષથી ભરેલી નથી ? પરંતુ તેને પણ બચાવ કરવા પાંગલે મહાશયે પિતાની કલમ ઉઠાવી છે. મહે મહારા લેખમાં લખ્યું હતું કે –“ શું દેવસેનને અવધિજ્ઞાન થયું હતું કે હે દ્વારા “જનચંદ્ર નરકમાં ગયા ? એમ કહેવા ભાગ્યશાળી થયા ?” આને જવાબ પાંગલે મહાશય આપે છે કે –“ દેવસેને પરંપરાથી કહેવામાં આવતે ઇતિહાસ લખ્યું હોય તે હેને અવધિજ્ઞાન જ કયાંથી હોય ? ઠીક છે, આ મને જવાબ શું છે ? પિતાની આખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132