________________
(૧૨૭ )
વાર થએલી નથી ? શું જ્ઞાન-દર્શન-ચ ત્રિ-તપ વિગેરેનુ સાધન કરવું એ હેતુ પ્રથમ કર્તવ્ય નથી ? હારે છે, તે પછી હેને ઉપર્યુક્ત ઉપકરણા રાખવાની ખાસ આવશ્યકતા રહેલી છે, એમ કહેવું લગાર પણ સત્ય વિરૂદ્ધ દેખાતું નથી.
પ્રાચીનતા અવાચીનતાના વિષયમાં છેવટે મ્હારે કહેવું જોઇએ કે-દિગમ્બર ભાઈએ ડેટલા પાકારો કરે છે, તે તેએના પ્રલાપ માત્ર છે. ઐતિહાસિક રીતિથી, શાસ્ત્રીય રીતિથી કે યુક્તિદ્વારા હજી સુધી દિગમ્બર ભાઈએ પેાતાની પ્રાચીનતા સિદ્ધ કરી શક્યા નથી. હજી પણ હું દાવા સાથે કહું છું કે ખુશીની સાથે મ્હારા આ ટ્રેકટને જવાબ આપે. હું ગુરૂકૃપયા જવાખ આપવાને તૈયાર છું. કેમકે તેમ કરવામાં ચાલે વાવે નાતે તવષ ' આ વાક્ય ચરિતાર્થ થશે. પરન્તુ એટલું યાદ રાખવું જોઇએ કે–જવાબ આપવામાં વિષયાન્તર ન થવા પામે. તેમજ ઐતિહાસિક, શાસ્ત્રીય અને યુક્તિઓ દ્વારાજ પઇન્ટાના જવાખ આપવા જોઇએ.
k
અન્તમાં—આ લેખની અંદર કોઈપણ જીવને દુઃખ થાય, એવે શબ્દ લખાઈ ગયા હોય, તે તે બદલ ક્ષમા યાચવા સાથ દરેક સાહિત્ય પ્રેમીઓ સાહિત્યની અને શાસન પ્રેમીએ શાસનની સેવા બજાવી ઉત્તમ સુખના ભાગી બને, એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરતા વિરમું છું.
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com