________________
( ૭૧ ) “મહાવીર દેવના નિર્વાણ બાદ ૬૮૩ વર્ષે ધરસેન મુનિ ગિરનારની ગુફામાં બેઠા હતા, તે કાળમાં અગીઆરે અંગ વિચ્છેદ ગયાં, હારે “વિકમ પ્રબંધ” અને “મૂલ સંઘની પટ્ટાવલી ” માં તે લખ્યું છે કે –“મહાવીર પ્રભુથી ૧૪ વર્ષ વ્યતીત થયા બાદ ધરસેનાચાર્ય થયા, અને હેમને વર્તમાનકાળ ૧૯ (૨૧) વર્ષને છે.
હવે આ ઉપરથી એક બાળક પણ સમજી શકે છે કે હારે ૬૩૩ની સાલમાં તેઓ (ધરસેન મુનિ) સ્વર્ગે સિધાવ્યા છે, તે પછી ૬૮૩ ની સાલમાં તેઓ ગિરનારની ગુફામાં બેસેજ કહાંથી ? પરંતુ આ લખવું, બિલકુલ જૂઠથી ભરેલું છે, તે છતાં પણ પાંગલે મહાશય હેને ઉચિત જવાબ તે ખાઈજ ગયા અને હેને બીજા જ રૂપમાં ચીતરી કાઢે છે.
શ્રીમાન તે લખે છે કે-“વીર સં. ૬૧૪ થી ૬૩૩ સુધીમાં ધરસેન મુનિએ પુષ્પદંત અને ભૂતબલી આચાર્યને શ્રતજ્ઞાન શિખવ્યું, અને પછી ૬૮૩ માં ધરસેને શિખવેલું તે બંનેએ લખેલું શ્રુતજ્ઞાન જગજાહેર કર્યું એટલે દિગમ્બર શાસ્ત્રને લે. ખનકાળ વીર સં. ૬૮૩ થી નક્કી થાય છે.”
કેવી આશ્ચર્યની વાત છે કે-પહેલાં તે ધરસેન મુનિના સમયને જ નક્કી નથી કરી શકતા અને ગ્રન્થના લેખનકાળ ઉપર જઈને નોબત વગાડી. પ્રશ્ન એ થાય છે કે- ધરસેન સુનિ ૬૮૩ માં ગિરનારની ગુફામાં પિઠવા કહાંથી? કેમકે તેઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com