________________
૧૦
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧ સ્વીકારીએ તો માયાવીમાં પણ વિભુ માનવાનો પ્રસંગ આવે. માટે તેનાથી વિભુનું વિભુપણું સિદ્ધ ન થઈ શકે.
આલયવિહારાદિથી સાધુત્વનું અનુમાન કરીને વંદનનો વ્યવહાર કરવાથી નિર્જરારૂપ ફળ મળે છે ત્યારે, વંદનીય વ્યક્તિ ક્વચિત્ સુસાધુ પણ હોય અને
ક્વચિત્ કુસાધુ પણ હોય, પરંતુ જ્યારે વંદનીય વ્યક્તિને જોઈને અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષ થતું હોય ત્યારે, તે વંદનીય વ્યક્તિ નિયમા સુસાધુ છે, તે બતાવવા અર્થે કહે છે --
અવ્યક્તસTધ ... વળી અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષમાં વિષયવિશેષ પણ નિવેશ્ય છે.
આશય એ છે કે કુસાધુમાં આલયવિહારાદિથી જે સાધુબુદ્ધિ થઈ છે, ત્યાં વિશેષ અદર્શનમાં ફળાભાવ નથી, એમ જે કહ્યું, તે નિર્જરારૂપ ફળની અપેક્ષાએ છે; પરંતુ કુસાધુથી અવ્યક્તસમાધિરૂપ ફળ થતું નથી, તેથી અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષ માટે સિદ્ધયોગી એવા ભાવસાધુરૂપ વિષયવિશેષ પણ નિવેશ્ય છે.
આનાથી એ ફલિત થયું કે બાહ્ય આચારોથી સાધુત્વનું અનુમાન કરીને વંદનાદિ કરાય છે ત્યારે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થઈ શકે છે, તેમ કોઈ વ્યક્તિ ભગવાનની બાહ્ય સંપદાને જોઈને ભગવાનની ઉપાસના કરતી હોય તો તે ઉપાસનાકૃત નિર્જરારૂપ ફળ થઈ શકે છે; આમ છતાં બાહ્ય સંપદાથી વિભુના વિભુત્વને સિદ્ધ કરવાના અનુમાનમાં ક્વચિત્ તે માયાવી હોય અને તેને
ભગવાન માનીને કોઈ ભક્તિ કરે, તો તે ભક્તિથી વિશેષ અદર્શનદશામાં નિર્જરારૂપ ફળ થઈ શકે; પરંતુ જેમ આલયવિહારાદિયુક્ત સાધુમાં “આ સાધુ નથી તેવું વિશેષ દર્શન થયા પછી વંદનાદિ કરવામાં આવે તો ફળપ્રાપ્તિ થાય નહીં; તેમ બાહ્ય સંપદાથી વિભુના વિભુત્વને સિદ્ધ કરવાના અનુમાનમાં પણ
આ માયાવી છે તેવું વિશેષ દર્શન થયા પછી તેની ઉપાસના કરવામાં આવે તો ઉપાસનાનું ફળ પ્રાપ્ત થાય નહીં. તેથી બાહ્ય સંપદા જ તીર્થકર ભગવાનના વિભુત્વની અનુમાપિકા નથી.
અહીં વિશેષ એ છે કે વિનયરત્ન સાધુ બાહ્ય સાધ્વાચાર સમ્યક પાળતો હતો. તેથી તેના આચારને જોઈને કોઈને તેના પ્રત્યે ભક્તિ-બહુમાન થાય અને વંદનાદિ કરે તો તેને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય; આમ છતાં જ્યારે “આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org