Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004664/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત જિનમહત્ત્વદ્ધાત્રિશિક શદશB વિવેચન Cોથી લાશીશી વિવેચક 8 પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Prvate & Personal Use Only www.ainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિત દ્વાદિંશદ્વાચિંશિકા ગ્રંથ અંતર્ગત જિનમહત્ત્વદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન * મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર : લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા + આશીર્વાદદાતા + વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા પ્રાવચનિપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ - વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૦ સંકલન-સંશોધનકારિકા છે પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી : પ્રકાશક : ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા શબ્દશઃ વિવેચન ક વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૩ આવૃત્તિ: પ્રથમ વિ. સં. ૨૦૧૩ નકલ ૫૦૦ મૂલ્ય રૂ. ૫૦-૦૦ * આર્થિક સહયોગ પલવીયા પાર્શ્વનાથ જૈન સંઘ, પાલનપુર. : મુખ્ય પ્રાપ્તિસ્થાન : ઝાતા ના, (૭૦) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩. મુદ્રક જ મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓક્સેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. Page #4 -------------------------------------------------------------------------- ________________ 5 * અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. * (૦૨૨)૨૨૮૧૪૦૪૮ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, * સુરત ઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, : ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. (૦૨૬૧) ૩૦૧૩૨૪૪ પ્રાપ્તિસ્થાન : * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. જામનગર-૩૬૧૦૦૧. જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ (080) (O) 22875262, (R) 22259925 શ્રી નટવરભાઈ એમ. શાહ (આફ્રિકાવાળા) ડી-૮૦૪, સમર્પણ ટાવર્સ, ઘરડા ઘર પાસે, ૧૩૨ ફૂટ રીંગ રોડ,નારણપુરા,અમદાવાદ-૧૩. * (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. ૪ (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગર: શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ . પ્રકાશકીય તેમ “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, ૫. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું તય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જેતસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચકોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્વજિજ્ઞાસ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા (સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.) Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો ગુજરાતી વ્યાખ્યાનકાર :- ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદૃષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કણિકા ૩. સદ્ગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “ અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી (ભાગ-૧) ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો Page #7 -------------------------------------------------------------------------- ________________ | dus :- ५. ५. शशिवर्य श्री युगभूषाविश्य (नाना ifsd) म. सा. ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? (हिन्दी) व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. . १. जैनशासन स्थापना २. चित्तवृत्ति ३. श्रावक के बारह व्रत एवं विकल्प ४. प्रश्नोत्तरी लेखक :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ? संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ENGLISH Lecturer : H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Status of religion in modern Nation State theory - | Author : H. H. GANIVARYA SHRIYUGBHUSHANVIJAYJI M.S. 1. Is Jaina Order Independent Religion or Denomination ? Page #8 -------------------------------------------------------------------------- ________________ Gk ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત કરે વિવેચનના ગ્રંથો (ગુજરાતી) વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચના ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચના ૨૬. સાધુ સામર્થ્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાઢાબિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ 3. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!!! સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની ‘જિનમહત્ત્વદ્ધાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચન સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકાર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩૨-૩ર અર્થગંભીર શ્લોકોથી કરેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વપજ્ઞવૃત્તિથી સમલંકૃત આ ‘દ્વાáિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. આ ધાત્રિશિકામાં અન્ય દેવો કરતાં તારક તીર્થકર શ્રી જિનેશ્વરદેવો કઈ રીતે મહાન છે, તેની સ્વ-પરદર્શનશાસ્ત્રોનાં કથનો અને યુક્તિઓ દ્વારા વિસ્તૃત છણાવટ કરેલ છે. તાર્કિક શિરોમણિ શ્રી સમસ્તૂભદ્રાચાર્યકૃત “આપ્તમિમાંસા' ગ્રંથનો સંવાદી શ્લોક બતાવીને ગ્રંથકારશ્રીએ દર્શાવ્યું કે માયાવીની રચના જેવા ત્રણ ગઢ, ઇન્દ્રધ્વજ, ચામર, છત્ર વગેરે બાહ્ય વૈભવ દ્વારા ભગવાનની મહત્તા નથી, પરંતુ ભગવાનનું સંવાદી ન્યાયયુક્ત વચન હોવાથી ભગવાન મહાન છે. આવા મહાનતા માટેના ગ્રંથકારશ્રીએ દર્શાવેલા કેટલાક પદાર્થો ક્રમશઃ વિચારીએ – ભગવાનની મહાનતા (૧) અંતરંગ ગુણસંપદાથી મહત્ત્વ ને ન્યાયસંગત સંવાદી વચનથી અને કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવના ગુણોથી ભગવાનની મહાનતા. (૨) બાહ્ય સંપદાથી મહત્ત્વ – ૧૦0૮ લક્ષણયુક્ત દેહ, મન વચન-કાયાના ઉત્તમ યોગો, Page #11 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/પ્રસ્તાવના વિશિષ્ટ સંઘયણાદિ ઔદયિકભાવના ગુણો અને બાહ્ય વૈભવથી મહાનતા. (૩) સ્વભાવભેદથી મહત્ત્વ - મિથ્યાત્વાદિ અવસ્થામાં પણ અન્ય ભવ્ય જીવો કરતાં ભગવાનનું ભવ્યત્વ વિશિષ્ટ હોવાથી ચરમ ભવમાં સ્વ-પરના કલ્યાણનું કારણ બને તેવા વિશિષ્ટ ભવ્યત્વથી મહાનતા. અન્ય દર્શનકારો અન્ય દર્શનના મતે ભગવાન સ્વદર્શનના મતે કેમ મહાન નથી? ભગવાન કેમ મહાન છે ? (૪) ન્યાયદર્શનકારો નિત્યનિર્દોષતાનોને ધ્વસ્તદોષવાળા હોવાથી અભાવ હોવાથી ભગવાન મહાન છે. સાધના મહાન નથી. કરી સ્વપરાક્રમ દ્વારા સત્ત્વના પ્રકર્ષથી દોષોનો ધ્વંસ કરી નિર્દોષ બન્યા છે. (૫) કેટલાક જગતના કર્તા ને ભગવાન તમામ પદાર્થોના જ્ઞાતા દર્શનકારો નથી માટે છે, અને જેમના જ્ઞાનને મહાન નથી. ઓળંગીને પદાર્થો પરિણામ પામતા નથી, એવા ભગવાન મહાન છે. (૬) કેટલાક બ્રહ્માંડના – ભગવાન જગતના કર્તા નથી દર્શનકારો ધારકરૂપે માટે જ મહાન છે. જગત્કર્તા ન હોવાથી મહાન નથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/પ્રસ્તાવના (૭) બૌદ્ધ દર્શનકારો બોધિસત્ત્વ જેવું – પરિમિત દાનમાં સિદ્ધયોગી એવા અસંખ્ય દાન ભગવાનના ગુણો કારણ છે, નહીં હોવાથી માટે મહાન છે. મહાન નથી. (૮) બૌદ્ધ દર્શનકારો અકૃતાર્થ હતા ભગવાન ફળની આશાથી દાન માટે દાન કરતા નથી, પરંતુ જગતને આપ્યું, તેથી ઉપકારક લોકોત્તમ પુણ્ય જ મહાન નથી. પરહિત અર્થે દાનમાં પ્રવૃત્તિ કરાવે છે, માટે મહાન છે. > અન્ય ચરમશરીરી જીવો કરતાં ભગવાન ગર્ભથી માંડી અતિ ઉચિત પ્રવૃત્તિ કરતા હોવાથી મહાન છે. દા. ત. વીર પરમાત્માએ ગર્ભમાં કરેલ અભિગ્રહ. (૯) કેટલાક ઋષભદેવે પ્રભુની આ પ્રવૃત્તિ અધિક દોષ દર્શનકારો પુત્રાદિને રાજ્યદાન અને અનર્થના નિવારણના કર્યું અને લોકોને ઉપાયરૂપે હોવાથી મહાન છે. શિલ્પ શીખવવારૂપ આરંભનું કૃત્ય કર્યું, માટે મહાન નથી. (૧૦) બૌદ્ધ દર્શનકારો બુદ્ધ જેવું ) પ્રાથમિક ઉપાસક એવા બુદ્ધ જેવું પરોપકારવાળું કુશળચિત્ત ભગવાનનું નથી, અને ઉદાર પરંતુ મોક્ષના અનન્ય ઉપાયરૂપ, આશયવાળું સંપૂર્ણ નિરવદ્યભાવરૂપ, કુશળચિત્ત ભગવાનનો સામાયિકનો પરિણામ ભગવાનનું નથી, કુશળચિત્તથી ચઢિયાતો હોવાથી માટે મહાન નથી. મહાન છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાઝિશિકા/પ્રસ્તાવના (૧૧) બૌદ્ધ દર્શનકારો બુદ્ધના જ માંસનું બુદ્ધના આવા ચિત્તમાં સ્વાર્થપણું ભક્ષણ કરનારા છે અને પરના અપાયને નહિ અપકારી એવા જોનારી દૃષ્ટિ છે, તેથી તે વાઘ આદિને પણ સામાયિક કરતાં મહાન નથી; ઉપકારી માનનાર જ્યારે ભગવાન સામાયિકના બુદ્ધ જેવું શ્રેષ્ઠ ચિત્ત પરિણામવાળા છે, માટે ભગવાનનું નથી, મહાન છે. માટે મહાન નથી. આ રીતે અન્ય-અન્ય દર્શનકારોને માન્ય સ્વ-સ્વ ઉપાસ્ય દેવ કરતાં વિશિષ્ટ ગુણો દ્વારા ભગવાનની વિશેષતા બતાવીને ભગવાન મહાન છે' તે શ્લોક-૧ થી ૨૬ સુધી સ્થાપન કર્યા પછી ભગવાનના ત્રણ વિશિષ્ટ ગુણો દ્વારા ગ્રંથકારશ્રી ભગવાનની મહાનતા સ્થાપિત કરે છે. (૧) ભગવાન પરહિતકર્તા છે. (૨) ભગવાન પરાર્થરસિક છે. (૩) ભગવાન અમૂઢલક્ષ્યવાળા છે=જીવોની યોગ્યતા જાણી સમ્યગુ ઉપકાર કરનારા છે. આવા પરંબ્રહ્મ સ્વરૂપ ભગવાનની પ્રાપ્તિનો ઉપાય ‘ર્ટ' શબ્દનું ધ્યાન છે, તે વાતનું દષ્ટાંતથી સમર્થન કર્યું કે જેમ સુવર્ણના રસના વેધથી તાંબું સુવર્ણભાવને પામે છે, તેમ અરિહંતના ધ્યાનથી આત્મા પરમાત્મભાવને પામે છે; અને સર્વ કથનના સારરૂપે કહ્યું કે -- "पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् । अस्यैव शासने भक्ति: कार्या चेच्चेतनास्ति वः" ।। “આ અરિહંત જ પૂજ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે અને પરમ આદરથી સેવવા યોગ્ય છે; અને તત્ત્વના પરમાર્થને વિચારી શકે તેવી તમારી ચેતના હોય તો આ અરિહંતના જ શાસનમાં=અરિહંતે બતાવેલા શ્રુતમાર્ગમાં, ભક્તિ કરવી જોઈએ,” જેથી ‘ઇલિ ભમરીસંગથી ભમરીપદ પાવે, તિમ પ્રભુધ્યાનથી જિન Page #14 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વતાવિંશિકા/પ્રસ્તાવના ઓપમ આવે”, અર્થાત્ જેમ ઇયળને ભમરી પોતાના દરમાં લાવીને મૂકે અને ભમરીના સતત ગુંજારવથી ઇયળ મરીને ભમરીરૂપે થાય છે, તેમ સાધક જિનના ધ્યાનથી જિન જેવો થાય છે. એ રીતે આપણો આત્મા પણ પરમાત્માના ધ્યાનથી પરમાત્મભાવને પામે છે. વીતરાગ ધ્યાતવ્ય છે, તેમની સાથે તાદાભ્યરૂપે ધ્યાન થાય તો પરમપદને આપે છે. માટે ભગવાનની ભક્તિ શ્રતના પરમ સારરૂપ છે. તે બતાવવા અંતે ગ્રંથકારશ્રી કહે છે – સારમૈતન્મયા નથં કૃતાર્થેરવદનાત્ | __भक्तिर्भागवतीबीजं परमानन्दसंपदाम्" ।। શ્રુતસમુદ્રના અવગાહનથી મારા વડે આ સાર પ્રાપ્ત કરાયો કે પરમાનંદ સંપત્તિનું બીજ ભગવાનની ભક્તિ છે. અધ્યાત્મસારમાં પણ કહ્યું કે -- "उपासनाभागवती सर्वेभ्योऽपि गरीयसि । महापापक्षयकरी तथा चोक्तं परैरपि" ।। “સર્વથી પણ શ્રેષ્ઠ એવી ભગવાનની ઉપાસના મહાપાપક્ષયને કરનારી છે, તે પ્રમાણે પર વડે પણ કહેવાયું છે.” (અધ્યાત્મસાર-૧૫/૬૦) આ ધાર્નિંશિકાનું અધ્યયન કરતાં, ભગવાનની ભક્તિ કરતાં અપૂર્વ ભાવથી ચિત્ત પ્લાવિત થયું છે અને સતત તેના પદાર્થોનું ગુંજન થયા કર્યું છે. કઠિન જણાતી આ દ્વાત્રિશિકાને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ સુંદર રીતે શબ્દશઃ સમજાવી ઊંડા ભાવોને સ્પષ્ટ કરીને બતાવેલ છે. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી, અને યોગમાર્ગમર્મજ્ઞ અને યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજાએ) જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના તથા પ. પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ. સા.ના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો, અને યોગગ્રંથોના પઠન પાઠનમાં સતત રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ, જે શ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને પ્રકાશિત કરી રહ્યા છે, તેમણે કરેલ ગ્રંથવિવેચનને લખવાનું કાર્ય કરી સંકલના Page #15 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના કરવાની પુણ્ય તક મને પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ સતત પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધિનું કામ કરેલ છે. આ દ્વાત્રિંશિકાના ગુજરાતી વિવેચનના પ્રસંશોધનાદિ કાર્યમાં શ્રુતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને સહાધ્યાયી જ્ઞાનપિપાસુ પ. પૂ. સા. શ્રી ચંદનબાળાશ્રીજી મ.નો તથા સા. શ્રી દૃષ્ટિરત્નાશ્રી અને સા. શ્રી આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. આ દ્વાત્રિંશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડં” માંગું છું. પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસથી મારું અને ગ્રંથ વાંચનાર, ભણનાર સહુ કોઈનું ચિત્ત પરમાત્માના ગુણોથી ઉપરંજિત થાઓ અને પરમાત્મા સાથે અનુસંધાન કરી પરમાત્મભાવની પ્રાપ્તિ થવારૂપ શુદ્ધ સ્વરૂપનું પ્રગટીકરણ કરો અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાનને પામો, એ જ અંતરની અભ્યર્થના. ‘લ્યાણમતુ સર્વગીવાળામ વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. વૈરાગ્યવારિધિપ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ ૫. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ.સા. ના શિષ્યા તપસ્વીરત્ના, સ્વાધ્યાયપ્રિયા ૫.પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. ના શિષ્યા ભવવિરહેચ્છુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી 卐卐 Page #16 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/સંકલના. ‘દ્વાચિંશદ્વાચિંશિકા” ગ્રંથની ચતુર્થ “જિનમહત્ત્વદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના ભગવાન અંતરંગ ગુણસંપદાથી મહાન છે' તે બતાવવા માટે પ્રથમ શ્લોકમાં બાહ્ય વૈભવથી ભગવાન મહાન નથી, તેમ યુક્તિથી સ્થાપન કર્યું. તેથી એ ફલિત થયું કે વીતરાગ (૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) વચનાતિશય અને (૪) પૂજાતિશય – એ ચાર અતિશયોથી મહાન છે. આ ચાર અતિશયોથી ભગવાન મહાન હોવા છતાં ભગવાનમાં વર્તતા વીતરાગતાદિ ભાવો ચહ્યુગોચર નથી અને વર્તમાનમાં તો સાક્ષાત્ ભગવાન પણ ઉપલબ્ધ નથી, તો તેમની અંતરંગ ગુણસંપદાથી તેમને કઈ રીતે મહાનરૂપે જાણી શકાય? આ બતાવવા માટે ભગવાનનું ન્યાયસંગત સંવાદી વચન ભગવાનની મહાનતાનું સૂચક છે, તેમ શ્લોક-૨માં બતાવ્યું. આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના વચનાતિશયના કારણે જગતના જીવોને ઉપકારનું કારણ બને તેવું ન્યાયસંગત ભગવાનનું વચન છે, માટે ભગવાન મહાન છે. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વીર ભગવાનને તેમના ન્યાયસંગત વચનના બળથી જ સમર્પિત થયા છે, પરંતુ વીર ભગવાન આપણા છે માટે મહાન છે” તેવી બુદ્ધિથી સમર્પિત થયા નથી. શ્લોક-૩માં આ બતાવીને ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે કે યુક્તિયુક્ત વચનના બળથી ભગવાનની મહાનતા સિદ્ધ થાય છે. આ રીતે અંતરંગ ગુણસંપદાથી ભગવાનનું મહાનપણું બતાવ્યા પછી “બાહ્ય વૈભવ પણ ભગવાનની મહાનતાનો સૂચક છે' તે બતાવેલ છે. ઉત્તમ પુરુષો સર્વ લક્ષણોથી યુક્ત દેહવાળા હોય છે, ઉત્તમ વજનવાળા હોય છે અને ઉત્તમ મનોયોગવાળા હોય છે, આથી મહાન હોય છે; અને આવા તમામ ઉત્તમ પુરુષોમાં પણ ભગવાન સર્વોત્તમ પુરુષ છે; કેમ કે દેહના ૩૨ લક્ષણોથી પણ ઉત્તમ પુરુષ જણાય છે, જ્યારે ભગવાન તો ૧૦૦૮ લક્ષણોથી યુક્ત દેહવાળા હતા. માટે ભગવાનનો દેહ અને ભગવાનનો બાહ્ય વૈભવ પણ ભગવાનની મહાનતાનો સૂચક છે, તે શ્લોક-૪માં બતાવ્યું. Page #17 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/સંકલના વળી તીર્થકરોનો આત્મા અન્ય ભવ્ય જીવો કરતાં વિશેષ પ્રકારનો હોય છે, જેથી ચરમભવમાં સ્વપરના કલ્યાણનું એક કારણ બને તેવા ઉત્તમ ભવને પ્રાપ્ત કરે છે. માટે ‘ભગવાન સ્વભાવના ભેદથી પણ અન્ય જીવો કરતાં મહાન છે' તે શ્લોક-૬માં બતાવ્યું છે. આ રીતે અંતરંગ ગુણોથી, બાહ્ય વૈભવથી અને સર્વ જીવો કરતાં અનાદિ સ્વભાવભેદથી તીર્થકરની મહાનતા બતાવ્યા પછી, અન્ય દર્શનકારો પોતાના ભગવાનને લોકોત્તમ પુરુષ કરતાં મહાન બતાવવા માટે જે યુક્તિઓ આપે છે, તેનું સમાલોચન કરીને અન્ય દર્શનકારોને અભિમત એવા ભગવાન કરતાં તીર્થકરો કઈ રીતે મહાન છે, તે બતાવતાં પ્રથમ ન્યાયદર્શનના અનુયાયીઓ જે કહે છે તે બતાવે છે – ન્યાયદર્શનના અનુયાયીઓ કહે છે કે “વીતરાગ નિત્યનિર્દોષ નથી માટે મહાન નથી, અને તેમને માન્ય ભગવાન નિત્યનિર્દોષ છે માટે મહાન છે.” તેનું બ્લોક-૭-૮માં સમાલોચન કરીને “ધ્વસ્તદોષવાળા પુરુષ મહાન છે' તેમ સ્થાપન કર્યું. તેનાથી એ ફલિત થાય કે ભગવાન પૂર્વેમાં આપણી જેમ સંસારમાં પરિભ્રમણ કરનારા હતા, આમ છતાં “સત્ત્વના પ્રકર્ષથી દોષોનો ધ્વંસ કરીને સંપૂર્ણ નિર્દોષ બન્યા, માટે ભગવાન મહાન છે.” વળી આત્મા દોષોનો નાશ કરી શકે છે, તે વાત યુક્તિથી શ્લોક-૯માં સ્થાપન કરી. તેનાથી એ ફલિત થયું કે જીવ પરાક્રમ દ્વારા દોષોનો નાશ કરી શકે છે; અને ભગવાને પરાક્રમ કરીને દોષનાશ કર્યો છે, માટે તેમનું અવલંબન લઈને આપણે પણ પરાક્રમ કરી શકીએ છીએ અને તેમની જેમ દોષનાશ કરી મહાન બની શકીએ છીએ. માટે આપણા માટે ધ્વસ્તદોષવાળા એવા ભગવાન મહાન છે. વળી કેટલાક લોકો ઈશ્વરને જગત્કર્તા માને છે અને ભગવાન જગત્કર્તા નથી માટે મહાન નથી' તેમ કહે છે. તેનું નિરાકરણ શ્લોક-૧૦-૧૧માં કરીને સ્થાપન કર્યું કે “ભગવાન વીતરાગ છે માટે જગતના કર્તા નથી માટે મહાન છે;' અને ઈશ્વરને જગતના કર્તા માનવામાં કોઈ પ્રમાણ નથી, માટે જે જગતના Page #18 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/સંકલના. કર્તા હોય તે મહાન છે, તેમ કહી શકાય નહીં; પરંતુ જે જગતના તમામ પદાર્થોના જ્ઞાતા હોય અને જેમના જ્ઞાનને ઓળંગીને જગતના કોઈપણ પદાર્થો પરિણમન પામતા ન હોય એવા ભગવાન મહાન છે' તેમ યુક્તિથી સ્થાપન કર્યું. વળી કેટલાક દર્શનવાળા બ્રહ્માંડના ધારકરૂપે ઈશ્વરને જગતના કર્તા સ્થાપન કરે છે; તે પણ યુક્તિયુક્ત નથી, તેમ શ્લોક-૧૨માં સ્થાપન કરીને, ભગવાન બ્રહ્માંડના ધારક પણ નથી છતાં મહાન છે, તેમ સ્થાપન કરેલ છે. ભગવાનના દીક્ષા અવસરના દાનના શાસ્ત્રવચનને સામે રાખીને બૌદ્ધદર્શનવાળા કહે છે કે “જેનોના ભગવાને પરિમિત દાન કર્યું છે અને બોધિસત્ત્વએ મહાન દાન કર્યું છે, માટે બોધિસત્ત્વ મહાન છે પણ જૈનોને અભિમત ભગવાન મહાન નથી.” તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાનના પરિમિત દાનમાં પણ સિદ્ધયોગી એવા ભગવાનના ગુણો જ પ્રબળ કારણ છે, પરંતુ કૃપણતાદિ ભાવો કારણ નથી. માટે “મહાન દાન કરનાર બોધિસત્વ કરતાં પણ પરિમિત દાન કરનાર હોવાથી ભગવાન મહાન છે' તેમ સિદ્ધ થાય છે, તે વાત યુક્તિથી શ્લોક-૧૩ થી ૧પમાં બતાવેલ છે. વળી કેટલાક દર્શનવાળા ‘ભગવાને દાન આપ્યું માટે ભગવાન અકૃતાર્થ હતા, તેથી મહાન નથી' તેમ કહે છે. તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભગવાન ફળની આશાથી દાન કરતા નથી, પરંતુ કેવળ જગતના ઉપકારના આશયથી દાન કરે છે. તેમનું લોકોત્તમ પુણ્ય એવું હતું કે એ પરહિતની પ્રવૃત્તિ કરાવીને જ વિપાકને પામે. આથી દાન આપવા છતાં પણ ભગવાન અકૃતાર્થ નથી, માટે ભગવાન મહાન છે, તેમ શ્લોક-૧૬માં સ્થાપન કર્યું. વળી ભગવાન ગર્ભથી માંડીને અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. જેમ વીર ભગવાને ગર્ભમાં અભિગ્રહ કર્યો અને માતાપિતાના ઉદ્વેગનો નિરાસ કર્યો. આનાથી એ પણ પ્રાપ્ત થાય કે ચરમશરીરી એવા પણ અન્ય જીવો ચરમ ભવમાં ભગવાનની જેમ અતિ ઉચિત પ્રવૃત્તિ કરનારા જ હોય તેવો નિયમ નથી, જ્યારે તીર્થકરો તો ગર્ભથી માંડીને અતિ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. માટે પણ ભગવાન મહાન છે, તે શ્લોક-૧૭ થી ૧૯માં બતાવ્યું. વળી કેટલાક દર્શનકારો કહે છે કે ભગવાને પુત્રાદિને રાજ્ય આપ્યું અને લોકોને શિલ્પાદિ કળાઓ શીખવી, જે સંસારનાં આરંભ-સમારંભરૂપ કૃત્યો છે, Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જિનમહત્વદ્ધાત્રિશિકા/સંકલના માટે ભગવાન મહાન છે, તેમ કહી શકાય નહીં. આ કથન ભગવાન ઋષભદેવને સામે રાખીને કરેલ છે; કેમ કે ઋષભદેવ પરમાત્માએ લોકોને શિલ્પકળાઓ વગેરે શીખવાડીને લોકવ્યવસ્થા સ્થાપન કરી તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે ભગવાને મોહવશ પુત્રાદિને રાજ્યાદિ આપ્યાં નથી કે લોકોને શિલ્પાદિ કળાઓ શીખવી નથી, પરંતુ લોકોના અધિક અનર્થોના નિવારણના ઉપાયરૂપે પુત્રાદિને રાજ્યાદિ આપ્યાં છે અને લોકોને શિલ્પાદિ કળાઓ શીખવાડી છે. માટે ભગવાને સમયોચિત રાજ્યાદિ આપ્યાં અને શિલ્પાદિ કળાઓ શીખવી તેનાથી પણ ભગવાન મહાન છે તેમ સિદ્ધ થાય છે. બૌદ્ધદર્શનના અનુયાયીઓ કહે છે કે “બુદ્ધ ભગવાનનું ચિત્ત બીજાઓના પરોપકારવાળું અને બીજાઓનાં પાપો પોતે પ્રાપ્ત કરે તેવા ઉદાર આશયવાળું છે, માટે બુદ્ધ ભગવાન મહાન છે, વીર ભગવાન મહાન નથી.” તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે સંપૂર્ણ નિરવદ્યભાવરૂપ સામાયિકનો પરિણામ ભગવાનમાં હતો, માટે ભગવાન મહાન છે. આમ બતાવીને ગ્રંથકારશ્રી સ્થાપન કરે છે કે મોક્ષના અનન્ય ઉપાયભૂત સામાયિકનો પરિણામ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, અને તે પરિણામ ભગવાનમાં હતો માટે ભગવાન મહાન છે; અને સામાયિકના પરિણામવાળા ભગવાનની ઉપાસના કરવાથી આપણે પણ તેમના જેવા ઉત્તમ થઈ શકીએ છીએ કે જેથી આપણા આ સંસારનો અંત પ્રાપ્ત થાય. તેના બદલે બોધિસત્ત્વ જેવા વિકલ્પોવાળા કુશળચિત્તથી ભગવાનને મહાન ગણવામાં આવે અને તેમની ઉપાસના કરવામાં આવે તો તે ઉપાસના બોધિસત્ત્વ જેવા કુશળચિત્તનું કારણ બનવા છતાં મોક્ષનું કારણ બને નહીં. માટે ઉપાસ્ય એવા ભગવાનનું સ્વરૂપ તો સામાયિકના પરિણામથી મહાન છે, પરંતુ બોધિસત્ત્વ જેવા કુશળચિત્તથી નહીં, તે શ્લોક-૨૩ થી ૨પમાં બતાવેલ છે. વળી આ બોધિસત્ત્વનું કુશળચિત્ત મોહથી અનુગત છે. તેથી સરાગસંયમી આદિ ઉપાસકો જેવું હોવા છતાં, સર્વ વિકલ્પોથી પર એવા સામાયિકના પરિણામ જેવું મહાન નથી, તે શ્લોક-રપમાં બતાવેલ છે. વળી કેટલાક બૌદ્ધદર્શનકારો કહે છે કે બુદ્ધનું પોતાનું માંસ ખાનારા એવા વાઘ આદિને પણ ઉપકારી માનનાર બુદ્ધનું ચિત્ત શ્રેષ્ઠ છે, માટે વીર ભગવાન કરતાં બુદ્ધ ભગવાન મહાન છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે વાઘ આદિને Page #20 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/સંકલના ૧૧ ઉપકારી માનનાર બોધિસત્ત્વના ચિત્તમાં સ્વાર્થપણું અને પરના અપાયને નહીં જોનારી દૃષ્ટિ છે, તેથી તે ચિત્ત ઉત્તમ નથી; પરંતુ સામાયિકના પરિણામવાળું વિર ભગવાનનું ચિત્ત ઉત્તમ છે, માટે વીર ભગવાન મહાન છે. આ રીતે સર્વ દર્શનકારોને માન્ય સ્વ-સ્વ ઉપાસ્ય દેવ કરતાં ભગવાનમાં કઈ કઈ વિશેષતાઓ છે તે બતાવીને ભગવાન કઈ રીતે મહાન છે તે સ્થાપન કર્યું. હવે ભગવાન કેવા પરોપકારી છે તે શ્લોક-૨૭માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે કે ભગવાન પરાર્થમાત્ર રસિક છે. જેઓએ ભગવાન ઉપર ઉપકાર કર્યો નથી, તેઓ ઉપર પણ ભગવાન ઉપકાર કરનારા છે; અને વળી અમૂઢલક્ષ્યવાળા છે=જે જીવોની જે યોગ્યતા હોય તે યોગ્યતાને ખીલવીને તેઓનો ઉપકાર કરવામાં લેશ પણ મોહ પામતા નથી, પરંતુ સમ્યગૂ ઉપકાર કરનારા છે. આવા ભગવાનની ઉપાસના કરવાથી, તેમના વચનાનુસાર સમ્યક પ્રવૃત્તિ કરીને કલ્યાણના અર્થી જીવો અંતે પરમાત્માના ધ્યાનથી પરમાત્મભાવ પામે છે. માટે સર્વ કલ્યાણના કારણભૂત અને મોક્ષપ્રાપ્તિનું બીજ ભગવાનની ભક્તિ છે. છબસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડે માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જિનમહત્ત્વદ્વાચિંશિકા/અનુક્રમણિકા અનુક્રમણિકા ૪-પ. બ્લોક નં. વિષય પાના નં.] ૧. | બાહ્ય વૈભવથી ભગવાનના મહત્ત્વનો અસ્વીકાર. ૧-૧૩ (i) ભગવાનના અવિસંવાદી વચનથી ભગવાનનું મહત્ત્વ. ૧૩-૨૩ (ii) ભદાર્ભદના સ્વીકારની યુક્તિ. ૧૩-૨૩ (ii) ધર્મી-ગ્રાહકમાનનું સ્વરૂપ. ૧૩-૨૩ ૩, ભગવાનના યુક્તિયુક્ત વચનને કારણે ૨૩-૨૪ પૂ. હરિભદ્રસૂરિ દ્વારા ભગવાનના શાસનનો સ્વીકાર. બાહ્ય વૈભવથી પણ ભગવાનના મહત્ત્વના સ્વીકારની યુક્તિ. ૨૫-૨૯ અન્ય જીવો કરતાં ભગવાનના સ્વભાવભેદનાં કારણો. | ૨૯-૩૪ ભગવાનની મહાનતા : નિત્યનિર્દોષતાનો અભાવ હોવાથી ભગવાનનું મહત્ત્વ નથી, એમ કહેનાર નૈયાયિકની યુક્તિનું ખંડન. | દોષāસથી ભગવાનની મહાનતાના સ્વીકારની યુતિ. દોષ અને આવરણના અત્યંત નાશના સ્વીકારની યુક્તિ . ભગવાન જગકર્તા નથી માટે મહાન નથી, એ પ્રકારની તૈયાયિકની યુક્તિનું ખંડન. ભગવાનના જ્ઞાન પ્રમાણે જગતના સર્વ પદાર્થો પરિણમન પામતા હોવાથી ભગવાનના જ્ઞાનનો જગત્કર્તારૂપે સ્વીકાર. ૬૮-૭૬ ૧૨. બ્રહ્માંડના ધારકરૂપે ઈશ્વરને જગત્કર્તા તરીકે માનનાર તૈયાયિકની યુક્તિનું ખંડન. ૭૬-૯૧ ૩૪-૪) ૪૦-૪પ ૪૫-૫૯ પ૯-૩૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/અનુક્રમણિકા. ( શ્લોક નં. વિષય પાના નં.] ૧૩. ૯૧-૯૪ ૧૪. ૯૪-૯૭ ૧૫. ૯૭-૧૦૧ ૧૦૧-૧૧૧ ૧૦૧-૧૧૧ ભગવાનના દાન કરતાં બોધિસત્ત્વનું દાન અધિક હોવાથી ભગવાન કરતાં બોધિસત્ત્વને મહાન કહેનાર બૌદ્ધની યુક્તિ. ભગવાનનું બોધિસત્ત્વ કરતાં ઓછું દાન હોવા છતાં ભગવાનમાં કૃપણતા આદિના અભાવની યુક્તિ . ભગવાન સિદ્ધયોગી હોવાને કારણે ભગવાનનું પરિમિત દાન હોવાથી ભગવાનની મહાનતાની સ્થાપક યુક્તિ. ૧૬. (i) ભગવાને વર્ષીદાન આપ્યું માટે ભગવાન અકૃતાર્થ છે, તે મા યતાનું ખંડન. (ii) પુણ્યાનુબંધી પુણ્ય આદિ ચાર ભાંગાનું સ્વરૂપ. (iii) ભગવાન કૃતકૃત્ય હોવા છતાં લોકોના ઉપકાર અર્થે વર્ષીદાન આપે છે, તેની સ્થાપક યુક્તિ. (i) તીર્થકરોની ગર્ભથી માંડીને ઉચિત પ્રવૃત્તિ. | (ii) વીર પરમાત્માએ ગર્ભમાં કરેલ અભિગ્રહની ન્યાયયુક્તતાની સ્થાપક યુક્તિ. (i) માતાપિતાના ઉગના નિરાસપૂર્વક સંયમ ગ્રહણ કરવાની વિધિ. (ii) માતાપિતાની ભક્તિ એ સંયમ ગ્રહણ કરવા માટે પ્રારંભ મંગલરૂપ. ૧૯. | સંયમ ગ્રહણ કરનારને માતાપિતાની અનુજ્ઞા ન મળે તો કઈ વિધિથી તેમની અનુજ્ઞા વિના સંયમ સ્વીકારે, તેની ઉચિત વિધિ. ૧૦૧-૧૧૧ ૧૧૧-૧૧૩ ૧૧૩-૧૨૦ ૧૧૩-૧ ૨૦ ૧૨૦-૧૨૬ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્લોક નં. વિષય ૨૦-૨૧-૨૨ ઋષભદેવ પરમાત્માએ પુત્રાદિને રાજ્ય આપ્યું અને લોકોને શિલ્પાદિ બતાવ્યું, આમ છતાં ભગવાનને આરંભની અનુમતિ નથી, પરંતુ ઉચિત પ્રવૃત્તિ છે, તેની સ્થાપક યુક્તિ. બાંધિસત્ત્વના કુશળચિત્ત કરતાં ભગવાનના સામાયિકચિત્તની શ્રેષ્ઠતાની સ્થાપક યુક્તિ. (i) બોધિસત્ત્વનું કુશળચિત્ત મોહયુક્ત હોવાથી અસુંદર, પરંતુ આદ્ય ભૂમિકામાં બોધિ આદિની પ્રાર્થનાની જેમ સુંદર છે, તેની સ્થાપક યુક્તિ. ૨૩-૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. 30. ૩૧-૩૨. જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/અનુક્રમણિકા (i) અન્ય જીવો કરતાં કેવળીમાં જુદા પ્રકારની, મનના ચાર ભાંગામાંથી અસત્યઅમૃષારૂપ ચોથા ભાંગાની પ્રાપ્તિનું સ્વરૂપ. વાઘ આદિને પોતાના માંસદાનાદિ વિષયક બોધિસત્ત્વના કુશળચિત્તમાં મોહનું અનુસરણ, સ્વાર્થનું અનુસરણ આદિ દોષો. ભગવાનની પરોપકારિતાનું સ્વરૂપ. ભગવાનના નામસ્મરણથી પણ પરમ બ્રહ્મની પ્રાપ્તિ. અરિહંતની ઉપાસના વિના પરમપદની અપ્રાપ્તિ. અરિહંતના ધ્યાનથી પરમાત્મભાવની પ્રાપ્તિ. શ્રુતના સારરૂપ ભગવાનની ભક્તિ. * પાના નં. ૧૨૬-૧૩૪ ૧૩૪-૧૪૦ ૧૪૦-૧૪૫ ૧૪૦-૧૪૫ ૧૪૫-૧૪૯ ૧૪૯-૧૫૦ ૧૫૦-૧૫૨ ૧૫૨ ૧૫૨-૧૫૩ ૧૫૩-૧૫૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीँ श्रीशर्खेश्वरपार्श्वनाथाय नमः । ॐ ऐं नमः । न्यायाचार्य-न्यायविशारद-श्रीमद्यशोविजयोपाध्यायविरचित . स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत जिनमहत्त्वद्वात्रिंशिका-४ अवतरशिs: मार्गविवेचनानन्तरं तद्देशकस्य भगवतो माहात्म्यं व्यवस्थाप्यते - मवतरशिक्षार्थ : માર્ગના વિવેચન પછી તેના દેશક એવા ભગવાનના માહાભ્યને વ્યવસ્થાપન रेछेविशेष३५ बतावे छे - लावार्थ : પૂર્વમાં માર્ગદ્વાáિશિકા-૩માં “માર્ગનું વિવેચન કર્યું. હવે આ “જિનમહત્ત્વદ્વાત્રિશિકામાં તે માર્ગને બતાવનારા ભગવાનનું માહાસ્ય સમ્યક્ પ્રકારે બતાવે છે - टोs : वप्रत्रयध्वजच्छत्रचक्रचामरसम्पदा । विभुत्वं न विभोस्तादृङ्मायाविष्वपि सम्भवात् ।।१।। मन्वयार्थ : वप्रत्रयध्वजच्छत्रचक्रचामरसम्पदा=जए। गढ, ध्य०४, छत्र, यसने यामरनी संपतिथी विभो: विभुतुं विभुत्वं विभुत्व नथी; म Page #25 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/બ્લોક-૧ मायाविष्वपि = मायावीमां पाछेन्द्र भजियाओमां पए। तादृक्=तेयुं = बुद्धिमानने यमत्कार उत्पन्न रे तेयुं विलुत्व सम्भवात् =संभवे छे. 11911 श्लोकार्थ : ૨ ત્રણ ગઢ, ઈંદ્રધ્વજ, છત્ર અને ચામરની સંપત્તિથી વિભુનું વિભુત્વ नथी; डेम डे तेवुं विलुत्व द्रभजियाओमां पए। संभवे छे. ॥१॥ ‘मायाविष्वपि' नहीं ‘अपि’ थी से उहेवु छे ! तेवा प्रारनं विभुत्व तीर्थंरमां તો સંભવે છે પરંતુ માયાવીમાં પણ સંભવે છે. મૂળ શ્લોક પ્રમાણે અનુમાનનો આકાર આ પ્રમાણે છે पक्ष :- 'विभोः' साध्य :- 'वप्रत्रयध्वजचक्रचामरसम्पदा विभुत्वं न' हेतु :- मायाविष्वपि तादृक् विभुत्वं सम्भवात् । શ્લોકમાં કરાયેલ અનુમાનમાં ‘વિમુ’ પક્ષ છે અને વિભુમાં વિભુત્વ રહેલું છે; આમ છતાં “વપ્રત્રય, ધ્વજ, છત્ર, ચક્ર અને ચામરની સંપદાથી વિભુત્વ નથી” - એ સાધ્ય છે. “માયાવીમાં પણ તેવા વિભુત્વનો સંભવ છે” એ હેતુ છે. टीका : वप्रेति-तादृक्-प्रेक्षावच्चमत्कारजनकं, मायाविष्वपि = ऐन्द्रजालिकेष्वपि । यदि हि बाह्यसंपदैव महत्त्वबुद्धिर्धर्मजननी स्यात्तदा मायाविष्वपि सा तथा स्यादित्यर्थः । तदिदमुक्तं समन्तभद्रेणापि - “देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् " ।। १ ।। इति । न च व्यक्तिविशेषविषयकत्वेन नातिप्रसंग इति शङ्कनीयं प्रमेयत्वादिना महत्त्वप्रकारकज्ञानादपि फलापत्तेः विशेषरूपेण महत्त्वप्रकारकत्वनिवेशस्यावश्यकत्वात् । अत एवासाधावपि आलयविहारादिमत्त्वेन साधुत्वबुद्धावपि विशेषादर्शनदशायां न फलाभाव इति तत्र तत्र व्युत्पादितम् । अव्यक्तसमाधिफलविशेषे तु विषयविशेषोऽपि निवेश्य: । यदि चालयविहारादिलिङ्गेन साधुत्वमनुमीयत एव तदनुमितिप्रयोज्यवन्दनादिना च फलविशेष इति विभाव्यते, तदा भगवत्यपि विशिष्टरूपेण महत्त्वानुमित्यनन्तरमेव स्मरणादिना फलोदयाविशेषात् 'महत्त्वं , Page #26 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧ न' इत्यनन्तर मनुमेयम्' इत्यध्याहारानानुपपत्तिः, स्वेतरनिष्ठात्यन्ताभावप्रतियोगिगुणवत्त्वरूपस्य महत्त्वस्य बाह्यसम्पदाऽनुमातुमशक्यत्वात् मायाविष्वेव વ્યભિચારન્ પારા ટીકાર્ય : તાદૃ ... ચમચારાત્મા શ્લોકના 'તાવ' શબ્દથી વિચારકને ચમત્કાર ઉત્પન્ન કરનાર એવું વિભુત્વ માયાવીમાં પણ સંભવે છે તે બતાવે છે, અને માયાવી' શબ્દથી કપટ કરનાર વ્યક્તિ ગ્રહણ કરવી નથી, પરંતુ ઈન્દ્રજાલિક ગ્રહણ કરવો છે. શ્લોકમાં કરાયેલ અનુમાનમાં હેતુ અપ્રયોજક નથી, તે બતાવવા માટે તક કરે છે – દિ દિજો બાહ્ય સંપદાથી જ મહત્વબુદ્ધિ ધર્મને ઉત્પન્ન કરનારી થાય તો માયાવીમાં પણ તે=મહત્વબુદ્ધિ, તેવી થાય=ધર્મને ઉત્પન્ન કરનારી થાય, એ પ્રકારે અર્થ છે. તતિલતે આ=બાહ્ય સંપદાથી વિભુનું વિભુત્વ નથી તે આ, સાંતભદ્ર વડે પણ કહેવાયું છે – “દેવતાનું આગમન, નભોયાન=આકાશમાં છત્રાદિનું ચાલવું, ચામરનું વીંઝાવું આદિ વિભૂતિઓ માયાવીમાં પણ દેખાય છે. અત:=આથી=આ બાહ્ય વિભૂતિઓથી, ઋતું ના=અમને ન મહા=મહાન નથી.” (આપ્તમીમાંસા-૧) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ દર્શક છે. માયાવીમાં આવતા અતિપ્રસંગના નિવારણ માટે કોઈ શંકા કરે તો તે ઉચિત નથી. તે બતાવે છે -- વિત્ત... વ્યક્તિવિશેષવિષયકપણા વડે અતિપ્રસંગ નથી, એમ શંકા ન કરવી=ભગવાન વ્યક્તિવિશેષ છે, તવિષયક આ બાહ્ય સંપદા છે, તે રૂપે માયાવીમાં વિભુત્વ માનવાનો અતિપ્રસંગ નથી, એમ શંકા ન કરવી; કેમ કે પ્રમેયત્વાદિ દ્વારા મહત્વપ્રકારક જ્ઞાનથી પણ ફળની આપત્તિ હોવાથી આ મહાન છે' એવા પ્રકારના બોધરૂપે ફળની આપત્તિ હોવાથી, Page #27 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧ વિશેષરૂપે=અન્ય અસાધારણ એવા મહત્ત્વત્વરૂપે, મહત્ત્વત્વપ્રકારકના નિવેશનું આવશ્યપણું છે. ૪ બાહ્ય લિંગથી વિભુના વિભુત્વના અનુમાનમાં ભ્રમ થઈ શકે છે, તેની પુષ્ટિ કરવા માટે ‘અત વ્' થી કહે છે अत एवासाधावपि . આથી જ=બાહ્ય લિંગથી વિભુમાં વિભુત્વ નથી આથી જ, અસાધુમાં પણ આલયવિહારાદિમત્ત્વરૂપે સાધુત્વબુદ્ધિમાં પણ વિશેષ અદર્શન દશા હોતે છતે લાભાવ નથી=આલયવિહારાદિ દ્વારા સાધુત્વબુદ્ધિ થવાથી વંદનઆદિ કરનારને નિર્જરારૂપ ફળનો અભાવ નથી, એ પ્રમાણે તે તે શાસ્ત્રમાં વ્યુત્પાદન કરાયું છે. -- અંતરંગ ગુણસંપત્તિથી અવ્યક્તસમાધિ થાય છે ત્યાં બાહ્ય સંપદાથી કરાયેલ અનુમાન ભ્રમાત્મક નથી, પરંતુ ગુણરહિત માત્ર બાહ્ય સંપદાથી કરાયેલું અનુમાન ભ્રમાત્મક છે, તે બતાવવા અર્થે કહે છે —— अव्यक्त વળી અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષમાં વિષયવિશેષ પણ નિવેશ કરવો=સાધુને જોઈને જે અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષ થાય છે, અથવા બાહ્ય સંપદાવાળાને જોઈને અવ્યક્તસમાધિરૂપ ફ્ળવિશેષ થાય છે, ત્યાં ‘આ સિદ્ધયોગી એવા સુસાધુ છે' અથવા ‘આ ગુણસંપન્ન તીર્થંકર છે’ એ રૂપ વિષયવિશેષ પણ નિવેશ કરવો. ..... બાહ્ય લિંગ દ્વારા સાધુમાં કરાયેલું અનુમાન અને બાહ્ય લિંગ દ્વારા તીર્થંકરમાં કરાયેલા વિભુત્વનું અનુમાન અતિપ્રસંગવાળું છે, તે યુક્તિથી બતાવે છે – यदि चालय અને જો આલયવિહારાદિ લિંગ દ્વારા સાધુપણાનું અનુમાન જ કરાય છે અને સાધુપણાની અનુમિતિથી પ્રયોજ્ય વંદનાદિ દ્વારા ફ્ળવિશેષ છે=નિર્જરાની પ્રાપ્તિરૂપ ફ્ળવિશેષ છે, એ પ્રમાણે વિભાવન કરાય છે=મનાય છે, તો ભગવાનમાં પણ વિશિષ્ટ રૂપથી=અન્ય અસાધારણ એવા મહત્ત્વત્વરૂપથી, મહત્ત્વની અનુમિતિ અનંતર જ સ્મરણાદિ દ્વારા= ભગવાનના ગુણોના સ્મરણાદિ દ્વારા, લોદયનો અવિશેષ હોવાથી= સાધુને વંદનાથી જેમ નિર્જરારૂપ ફ્ળ થાય છે તેમ ભગવાનના ગુણસ્મરણાદિથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ અવિશેષથી થતી હોવાથી, ‘મહત્ત્વ નથી' એ પ્રકારે અનંતર ‘અનુમેય છે', એ પ્રકારે અધ્યાહાર હોવાથી અનુપપત્તિ નથી= Page #28 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧ માયાવીમાં બાહ્ય સંપદાથી વિભુત્વ માનવાના અતિપ્રસંગની અનુપપતિ નથી; કેમ કે સ્વથી ઈતરનિષ્ઠ અત્યંતભાવપ્રતિયોગી ગુણવત્વરૂપ મહત્વનું બાહ્ય સંપદાથી અનુમાન કરવું અશક્ય છે. બાહ્ય સંપદાથી ભગવાનમાં મહત્ત્વનું અનુમાન કરવું અશક્ય કેમ છે ? તેમાં હેતુ કહે છે -- માવિષ્યવેવ્યfમવાર =માયાવીમાં જ વ્યભિચાર છે. JAI - ઈન્દ્રન્નિષ્પા ' અહીં ‘પ' થી એ કહેવું છે કે વિભુમાં તો વિભુત્વ છે, પણ ઇન્દ્રજાલિકમાં પણ છે. +વામ' અહીં ‘વ’ થી અન્ય પ્રાતિહાર્યોનું ગ્રહણ કરવું. ‘સમન્તમપિ ' અહીં ‘પ' થી એ કહેવું છે કે ગ્રંથકારશ્રીએ તો કહ્યું છે, પરંતુ દિગંબરાચાર્ય સમતભદ્ર વડે પણ ‘બાહ્ય સંપદાથી વિભુનું વિભુત્વ નથી' એ કહેવાયું છે. * પ્રયત્નદિના' અહીં ‘રિ’ થી જોયત્વ, દ્રવ્યત્વનું ગ્રહણ કરવું. ‘મહત્ત્વપ્રારંવેજ્ઞાનાપ' અહીં '' થી એ કહેવું છે કે પ્રમેયવારિરૂપે મહત્ત્વપ્રકારક જ્ઞાનથી ફળની પ્રાપ્તિ થતી નથી, તોપણ તે જ્ઞાનથી ફળની પ્રાપ્તિને સ્વીકારવાની આપત્તિ છે. ‘સાધાપ' અહીં ‘મા’ થી એ કહેવું છે કે સાધુમાં તો સાધુત્વબુદ્ધિ થાય છે પણ અસાધુમાં પણ સાધુત્વબુદ્ધિ થાય છે. + માત્રયવિહાર' અહીં ‘ ' થી સમિતિ-ગુપ્તિનું ગ્રહણ કરવું. “સાધુત્વવૃદ્ધાવપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અસાધુમાં સાધુત્વબુદ્ધિથી નિર્જરારૂપ ફળનો અભાવ છે, આમ છતાં વિશેષ અદર્શન દશામાં આલયવિહારાદિથી સાધુત્વબુદ્ધિ થયે છતે પણ ફળાભાવ નથી=નિર્જરારૂપ ફળનો અભાવ નથી, ‘વિષયવિશેષોડપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષમાં આલયવિહારાદિ તો જોઈએ, પરંતુ સિદ્ધયોગી એવા સુસાધુત્વરૂપ વિષયવિશેષ પણ જોઈએ. “મવત્ય' અહીં ‘વ’ થી એ કહેવું છે કે સાધુમાં તો આલયવિહારાદિથી સાધુત્વનું અનુમાન થયા પછી તદનુમિતિ પ્રયોજ્ય વંદનાદિથી ફળવિશેષ થાય છે, પરંતુ ભગવાનમાં પણ બાહ્ય સંપદાથી મહત્ત્વની અનુમિતિ પછી સ્મરણાદિથી નિર્જરારૂપ ફળવિશેષ થાય છે. ‘મરદ્રિના' અહીં ‘દ્રિ' થી ગુણકીર્તન, વંદન, નમસ્કારનું ગ્રહણ કરવું. Page #29 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વતાસિંચિકા/શ્લોક-૧ ભાવાર્થ - શ્લોકમાં રહેલ તાદૃ શબ્દનો અર્થ કરતાં કહે છે- વિચારક પુરુષને ચમત્કાર ઉત્પન્ન કરનાર એવું વિભુત્વ માયાવીમાં પણ સંભવે છે, તે તો શબ્દથી બતાવેલ છે; અને “માયાવી' શબ્દથી કપટ કરનારી વ્યક્તિ ગ્રહણ કરવી નથી, પરંતુ ઇન્દ્રજાલિક ગ્રહણ કરવો છે. પ્રસ્તુત શ્લોકમાં કરાયેલ અનુમાનમાં હેતુ અપ્રયોજક નથી, તે તર્કથી બતાવે છે - જેમ ‘પર્વત વનિમાર્ ધૂમ' એમ અનુમાન કર્યા પછી ધૂમરૂપ હેતુ સાધ્યનો ગમક છે તે બતાવવા માટે તર્કથી તેને પુષ્ટ કરવામાં આવે છે, જેથી નક્કી થાય છે કે આ હેતુ વ્યભિચારી નથી; તેમ પ્રસ્તુતમાં પણ “માવિષ્ય તા-વિમુત્વ સમવા' એ હેતુ સાધ્યનો ગમક છે, પણ વ્યભિચારી નથી, તે તર્કથી બતાવે છેં યદિ હિં..... જો બાહ્ય સંપદાથી જ ધર્મને ઉત્પન્ન કરનારી મહત્ત્વબુદ્ધિ થાય તો માયાવીમાં પણ તે બાહ્ય સંપદાથી થતી મહત્ત્વબુદ્ધિ, તેવી થાય=ધર્મને ઉત્પન્ન કરનારી થાય. આશય એ છે કે માયાવીમાં બાહ્ય સંપદા જોઈને “આ માયાવી બીજા કરતાં વિશેષ શક્તિવાળો છે' તેવી મહત્ત્વબુદ્ધિ થાય છે, તોપણ “આ માયાવીની ભક્તિ કરીને હું સંસારસાગરથી તરું' એવી ધર્મને ઉત્પન્ન કરનારી મહત્ત્વબુદ્ધિ થતી નથી, પરંતુ જો ભગવાનની બાહ્ય સંપદાથી જ “આ ભગવાન લોકોત્તમ પુરુષ છે અને તેમની ભક્તિ કરીને હું તરું' તેવી ધર્મને ઉત્પન્ન કરનારી મહત્ત્વબુદ્ધિ થતી હોય, તો ભગવાનના જેવી બાહ્ય સંપદા માયાવીમાં પણ છે, તેથી જેમ બાહ્ય સંપદાથી ધર્મને ઉત્પન્ન કરનારી મહત્ત્વબુદ્ધિ ભગવાનમાં થાય, તેમ માયાવીમાં પણ થવી જોઈએ. વસ્તુતઃ માયાવીમાં તેની ભક્તિ કરીને હું આત્મકલ્યાણ કરીને સંસારસાગર તરું' એવી ધર્મને ઉત્પન્ન કરનારી મહત્ત્વબુદ્ધિ થતી નથી. તેથી એ ફલિત થાય કે શ્લોકમાં કરાયેલા અનુમાનમાં “તાજ વિમુત્વ મવિષ્ય સમવા' એ હેતુ અપ્રયોજક નથી, પરંતુ સાધ્યનો ગમક છે. તેથી જેમ માયાવીમાં બાહ્ય સંપદાથી વિભુત્વ નથી, તેમ ભગવાનમાં પણ વિભુત્વ હોવા છતાં બાહ્ય સંપદાથી વિભુત્વ નથી, એ કથન સિદ્ધ થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧ તવિમુક્ત .... તે=આ બાહ્ય સંપદાથી વિભુનું વિભુત્વ નથી તે આ, સમતભદ્રાચાર્ય વડે પણ “આપ્તમીમાંસા ગ્રંથમાં કહેવાયું છે – દેવતાઓનું આગમન, આકાશમાં યાન=આકાશમાં છત્રાદિનું ગમન અને ચામરનું વીંઝાવું ઇત્યાદિ વિભૂતિઓ બાહ્ય ઠાઠમાઠ, માયાવીમાં પણ દેખાય છે. આથી બાહ્ય વિભૂતિઓથી ‘તું અમને મહાન નથી.” અહીં પૂર્વપક્ષી કહે કે તીર્થકર ભગવાન વ્યક્તિવિશેષ છે અને ભગવાનમાં રહેલી વપ્રત્રયાદિ બાહ્ય સંપદા વ્યક્તિવિશેષવિષયક છે. તેથી વ્યક્તિવિશેષ એવા તીર્થકર ભગવાનમાં રહેલી આ બાહ્ય સંપદા માયાવીમાં નથી, માટે બાહ્ય સંપદાથી માયાવીમાં વિભુત્વ માનવાનો અતિપ્રસંગ આવશે નહીં. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ન ર વ્યક્તિ... વ્યક્તિવિશેષવિષયકત્વ હોવાને કારણે અતિપ્રસંગ નથી અર્થાતું વ્યક્તિવિશેષવિષયક બાહ્ય સંપદા હોવાને કારણે માયાવીમાં વિભુત્વ માનવાનો અતિપ્રસંગ નથી, એમ શંકા ન કરવી; કેમ કે પ્રમેયવાદરૂપે મહત્ત્વપ્રકારક જ્ઞાનથી પણ ફળની આપત્તિ હોવાને કારણે વિશેષરૂપે=મહત્ત્વરૂપે, મહત્ત્વપ્રકારકત્વના નિવેશનું આવશ્યકપણું છે. આશય એ છે કે માયાવીને જોઈને તેના વપ્રત્રયાદિ ઠાઠમાઠને કોઈ પ્રમેયત્વરૂપે જોતા હોય ત્યારે મહત્ત્વ–પ્રકારક મહત્ત્વનું જ્ઞાન થતું નથી, પરંતુ પ્રમેયસ્વરૂપે મહત્ત્વત્વપ્રકારક જ્ઞાન થાય છે. તે વખતે “આ મહાન છે', તેવી બુદ્ધિ થતી નથી. આથી નાનું બાળક માયાવીના ઠાઠને જોઈને પણ, તે ભાવોને પ્રમેયરૂપે જાણે છે ત્યારે, “આ મહાન છે' તેવી બુદ્ધિ તેને થતી નથી. માટે પ્રમેયસ્વરૂપે મહત્ત્વત્વ પ્રકારક જ્ઞાનથી પણ “આ મહાન છે' તેવી બુદ્ધિ થવા રૂપ ફળની આપત્તિ હોવાને કારણે વિશેષરૂપે=અન્ય અસાધારણ એવા મહત્ત્વત્વરૂપે, મહત્ત્વવપ્રકારત્વના નિવેશનું આવશ્યકપણું છે. કહેવાનો ભાવ એ છે કે જ્ઞાન પ્રવૃત્તિ દ્વારા ફળને ઉત્પન્ન કરે છે, પરંતુ તે જ્ઞાન સામાન્યરૂપે હોય તો પ્રવૃત્તિનું કારણ બનતું નથી. જેમ જલધારણનો અર્થ ઘટને પ્રમેયસ્વરૂપે જાણે તો જલધારણ માટે ઘટમાં પ્રવૃત્તિ કરી શકે નહીં, પરંતુ પરત્વેન પટ' નું જ્ઞાન થાય તો જ તે ઘટમાં પ્રવૃત્તિ Page #31 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧ કરી શકે. માટે ઘટના અર્થીને પ્રમેયત્વે ઘટ:' નું જ્ઞાન ઘટમાં પ્રવૃત્તિ કરાવી શકતું નથી, પરંતુ ‘ઘટવૅન ઘટ:' નું જ્ઞાન ઘટમાં પ્રવૃત્તિ કરાવી શકે છે. તે જ રીતે પ્રસ્તુતમાં કોઈ વ્યક્તિ પ્રમેયત્વેન પેઇ' ભગવાનની બાહ્ય સંપદા જાણે છે ત્યારે તે બાહ્યસંપદામાં રહેલું મહત્ત્વ પ્રમેયસ્વરૂપે તેને જણાય છે. તેથી ત્યાં ‘પ્રમેયત્વેન રૂપે' મહાનપણાની બુદ્ધિ થવા છતાં લોકો કરતાં આ મહાન છે” તે રૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. તેથી લોકો કરતાં આ મહાન છે” તે રૂપ ફળપ્રાપ્તિ માટે વિશેષરૂપે મહત્ત્વપ્રકારકત્વના નિવેશની આવશ્યકતા રહે છે અર્થાત્, ‘મહત્ત્વ–ને મહત્ત્વ જ્ઞાન' આવશ્યક છે, અને ‘મહત્ત્વવેન મહત્ત્વDારજ્ઞાન' ત્યારે જ થઈ શકે કે જ્યારે આવું મહત્ત્વ સામાન્ય જીવોમાં નથી, પરંતુ આ પુરોવર્સી માયાવી પુરુષમાં છે, આવું જ્ઞાન થાય; અને મહત્ત્વના મહત્ત્વપ્રશ્ન| રજ્ઞાન' પુરોવર્સી માયાવીમાં ન થાય, ત્યારે આવો વિશેષ બોધ થતો નથી; પરંતુ પુરોવર્સી માયાવીની માત્ર બાહ્યસંપદા દેખાય છે, અને તે વખતે જ્ઞાનના વિષયરૂપે માત્ર બાહ્યસંપદા બને છે. તેથી તે બાહ્ય સંપદાનું જ્ઞાન માત્ર પ્રમેયરૂપે થાય છે, પણ મહત્ત્વવરૂપે થતું નથી. આનાથી એ ફલિત થાય કે ‘પ્રમેયત્વેન જ્ઞાન સામાન્યરૂપે હોવાથી પ્રવૃત્તિનું જનક બનતું નથી, પરંતુ વિશેષરૂપેઇ' જ્ઞાન આવશ્યક છે. તેથી બાહ્ય સંપદાનું જ્ઞાન પણ માત્ર પ્રમેયત્વરૂપેળ' હોય તો મહત્ત્વબુદ્ધિ ઉત્પન્ન કરાવી શકતું નથી, પરંતુ “જગતમાં અન્ય વ્યક્તિઓ કરતાં આ વ્યક્તિ વિશેષ છે કે જેમનામાં આવી સર્વોત્કૃષ્ટ સંપદા છે.' એવું જ્ઞાન જ્યારે થાય ત્યારે તે બાહ્ય સંપદા વ્યક્તિવિશેષવિષયત્વેન’ મહત્ત્વબુદ્ધિને ઉત્પન્ન કરી શકે છે, અને તે રીતે માયાવીમાં પણ બાહ્ય સંપદા જોતાં એવો ભાસ થાય કે “આ વ્યક્તિ વિશેષ છે. કે જેનામાં આવી અદ્ભુત સંપદા છે.' તેથી એ પ્રાપ્ત થયું કે અન્ય સામાન્ય જીવો કરતાં માયાવી પણ વ્યક્તિવિશેષ છે, તેમ વિચારકને જણાય છે, માટે માયાવીમાં રહેલી તે બાહ્ય સંપદા પણ વ્યક્તિવિશેષવિષયક બનશે. માટે વ્યક્તિવિશેષવિષયક એવી બાહ્ય સંપદા દ્વારા તીર્થકર ભગવાનના વિભુત્વનું અનુમાન કરીએ તો માયાવીને પણ વિભુ માનવાનો અતિપ્રસંગ નહીં આવે એમ કહી શકાય નહીં, કેમ કે પ્રમેયરૂપે મહત્ત્વબુદ્ધિથી માયાવીમાં થતી મહત્ત્વબુદ્ધિ કરતાં જુદી એવી “આ વ્યક્તિ મહાન છે' તેવી Page #32 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧ બુદ્ધિ થાય છે, છતાં તે મહાનતા માયાવીમાં ધર્મબુદ્ધિ ઉત્પન્ન કરાવતી નથી. માટે બાહ્ય સંપદાથી વિભુના વિભુત્વનું અનુમાન થઈ શકે નહીં, પરંતુ અંતરંગ ગુણસંપત્તિ જ ધર્મને ઉત્પન્ન કરાવે તેવી મહાનતાની બુદ્ધિ ભગવાનમાં કરાવી શકે છે. પૂર્વમાં કહ્યું કે વ્યક્તિવિશેષવિષયક બાહ્ય સંપદા ગ્રહણ કરીને ભગવાનને બાહ્ય સંપદાથી વિભુ સ્વીકારીએ તો માયાવીમાં અતિપ્રસંગ નહીં આવે એમ કહેવું નહીં; કેમ કે માયાવી પણ અન્ય સામાન્ય વ્યક્તિઓ કરતાં વ્યક્તિવિશેષ છે. માટે બાહ્ય સંપદાથી જ ભગવાનમાં વિભુત્વનું અનુમાન થઈ શકે નહીં; અને તે કથનને દૃઢ કરવા માટે આલયવિહારાદિ બાહ્ય આચારોથી અસાધુમાં સાધુબુદ્ધિ થાય છે, તેમ બાહ્ય સંપદામાત્રથી માયાવીમાં પણ વિભુત્વનો ભ્રમ થઈ શકે છે. તે બતાવવા અર્થે કહે છે -- મત વિ ..... આથી જ=વ્યક્તિવિશેષવિષયક બાહ્ય સંપદાથી જ ભગવાનમાં વિભુત્વ સ્વીકારવામાં આવે તો માયાવીમાં અતિપ્રસંગ આવે છે આથી જ, અસાધુમાં પણ આલયવિહારાદિમત્ત્વથી સાધુત્વબુદ્ધિ થવા છતાં પણ વિશેષ અદર્શનદશામાં “આ અસાધુ માયાવી છે' એ પ્રકારના વિશેષદર્શનની અભાવદશામાં, વંદનાદિ કરવામાં આવે છે ત્યારે ફળાભાવ નથી=વંદનકૃત નિર્જરાના ફળનો અભાવ નથી, એ પ્રમાણે ત્યાં ત્યાં તે તે શાસ્ત્રમાં, વ્યુત્પાદિત છે=કહેવાયેલું છે. આનાથી એ ફલિત થાય છે કે જે રીતે બાહ્ય આલયવિહારાદિને સુસાધુના અનુમાપક કહીએ તો વિશેષ અદર્શનમાં મુસાધુમાં પણ સાધુત્વબુદ્ધિ થાય છે, તે રીતે વિશેષ અદર્શનદશામાં બાહ્ય સંપદાથી માયાવીમાં પણ વિભુત્વ માનવાનો પ્રસંગ આવશે. ફક્ત જ્યાં સુધી “આ સુસાધુ નથી તેવો નિર્ણય કરાવનાર કોઈ લિંગ ના પ્રાપ્ત થાય ત્યાં સુધી બાહ્ય લિંગ એવા આલયવિહારાદિની પ્રવૃત્તિથી સાધુબુદ્ધિ કરીને તેમને વંદન કરવાથી નિર્જરાફળ પ્રાપ્ત થાય છે, તેમ તે તે શાસ્ત્રમાં કહેલ છે; છતાં જેમ બાહ્ય લિંગ દ્વારા કરાયેલ સુસાધુનું અનુમાન મુસાધુમાં પણ સુસાધુની બુદ્ધિ કરાવી શકે છે, તેમ બાહ્ય સંપદાથી જ વિભુનું વિભુપણું Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧ સ્વીકારીએ તો માયાવીમાં પણ વિભુ માનવાનો પ્રસંગ આવે. માટે તેનાથી વિભુનું વિભુપણું સિદ્ધ ન થઈ શકે. આલયવિહારાદિથી સાધુત્વનું અનુમાન કરીને વંદનનો વ્યવહાર કરવાથી નિર્જરારૂપ ફળ મળે છે ત્યારે, વંદનીય વ્યક્તિ ક્વચિત્ સુસાધુ પણ હોય અને ક્વચિત્ કુસાધુ પણ હોય, પરંતુ જ્યારે વંદનીય વ્યક્તિને જોઈને અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષ થતું હોય ત્યારે, તે વંદનીય વ્યક્તિ નિયમા સુસાધુ છે, તે બતાવવા અર્થે કહે છે -- અવ્યક્તસTધ ... વળી અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષમાં વિષયવિશેષ પણ નિવેશ્ય છે. આશય એ છે કે કુસાધુમાં આલયવિહારાદિથી જે સાધુબુદ્ધિ થઈ છે, ત્યાં વિશેષ અદર્શનમાં ફળાભાવ નથી, એમ જે કહ્યું, તે નિર્જરારૂપ ફળની અપેક્ષાએ છે; પરંતુ કુસાધુથી અવ્યક્તસમાધિરૂપ ફળ થતું નથી, તેથી અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષ માટે સિદ્ધયોગી એવા ભાવસાધુરૂપ વિષયવિશેષ પણ નિવેશ્ય છે. આનાથી એ ફલિત થયું કે બાહ્ય આચારોથી સાધુત્વનું અનુમાન કરીને વંદનાદિ કરાય છે ત્યારે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થઈ શકે છે, તેમ કોઈ વ્યક્તિ ભગવાનની બાહ્ય સંપદાને જોઈને ભગવાનની ઉપાસના કરતી હોય તો તે ઉપાસનાકૃત નિર્જરારૂપ ફળ થઈ શકે છે; આમ છતાં બાહ્ય સંપદાથી વિભુના વિભુત્વને સિદ્ધ કરવાના અનુમાનમાં ક્વચિત્ તે માયાવી હોય અને તેને ભગવાન માનીને કોઈ ભક્તિ કરે, તો તે ભક્તિથી વિશેષ અદર્શનદશામાં નિર્જરારૂપ ફળ થઈ શકે; પરંતુ જેમ આલયવિહારાદિયુક્ત સાધુમાં “આ સાધુ નથી તેવું વિશેષ દર્શન થયા પછી વંદનાદિ કરવામાં આવે તો ફળપ્રાપ્તિ થાય નહીં; તેમ બાહ્ય સંપદાથી વિભુના વિભુત્વને સિદ્ધ કરવાના અનુમાનમાં પણ આ માયાવી છે તેવું વિશેષ દર્શન થયા પછી તેની ઉપાસના કરવામાં આવે તો ઉપાસનાનું ફળ પ્રાપ્ત થાય નહીં. તેથી બાહ્ય સંપદા જ તીર્થકર ભગવાનના વિભુત્વની અનુમાપિકા નથી. અહીં વિશેષ એ છે કે વિનયરત્ન સાધુ બાહ્ય સાધ્વાચાર સમ્યક પાળતો હતો. તેથી તેના આચારને જોઈને કોઈને તેના પ્રત્યે ભક્તિ-બહુમાન થાય અને વંદનાદિ કરે તો તેને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય; આમ છતાં જ્યારે “આ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જિનમહત્ત્વદ્ધાત્રિશિકાશ્લોક-૧ માયાવી છે” એવું જ્ઞાન થાય, ત્યાર પછી તેને વંદનાદિ કરવામાં આવે તો ફળપ્રાપ્તિ થાય નહીં, પરંતુ કર્મબંધ થાય. તેમ બાહ્ય સંપદાથી વિભુના વિભુત્વનું અનુમાન કરીને વંદનાદિ કરવામાં આવે તો નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય, પરંતુ આ માયાવી છે' તેવું જ્ઞાન થયા પછી વંદનાદિ કરવાથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય નહીં, પરંતુ કર્મબંધ થાય. માટે બાહ્ય સંપદા જ વિભુના વિભુત્વની અનુમારિકા નથી. વળી આલયવિહારાદિથી સાધુનું અનુમાન કર્યા પછી તેમના સાંનિધ્યથી અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષ થાય, તો નક્કી થાય કે “આ સુસાધુ નિશ્ચિત છે, તેથી ત્યાં સુસાધુત્વની શંકા થાય નહીં. તેમ બાહ્ય સંપદાવાળી વ્યક્તિમાં પણ તેમના સાંનિધ્યથી અવ્યક્તસમાધિ પ્રગટ થતી હોય તો “આ વિભુ છે” તેવો નિર્ણય થઈ શકે છે; કેમ કે બાહ્ય સંપદાધારી માયાવીના સાંનિધ્યથી અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષ પ્રગટ થઈ શકે નહીં, પરંતુ માત્ર બાહ્ય સંપદાથી ભગવાનના વિભુત્વનું અનુમાન કરવામાં આવે તો માયાવીમાં પણ વિભુ માનવાની આપત્તિ આવે. પૂર્વમાં સિદ્ધ કર્યું કે બાહ્ય સંપદાથી ભગવાનના વિભુત્વનું અનુમાન થઈ શકે નહીં, અને તેની જ પુષ્ટિ મત વિ' થી કરતાં કહ્યું કે જેમ આલયવિહારાદિથી સાધુનું અનુમાન કરવામાં આવે તો વિશેષ અદર્શનદશામાં વંદનાદિનું ફળ મળે છે; છતાં બાહ્ય આચારમાત્રથી “આ સુસાધુ છે' તેવો એકાંતે નિર્ણય થતો નથી. તે જ વાતને તર્ક દ્વારા બતાવતાં કહે છે – - વ વાય ..... જો આલયવિહારાદિ લિંગ દ્વારા સાધુત્વનું અનુમાન કરાય છે, અને તે અનુમિતિથી પ્રયોજ્ય વંદનાદિ કરવાના કારણે ફળવિશેષ થાય છે= નિર્જરારૂપ ફળ થાય છે, એ પ્રમાણે માનવામાં આવે, તો ભગવાનમાં પણ વિશિષ્ટ રૂપથી=પ્રમેયરૂપે નહીં, પરંતુ વ્યક્તિવિશેષવિષયસ્વરૂપે' મહત્ત્વની અનુમિતિ અનંતર જ સ્મરણાદિ દ્વારા ભગવાનના ગુણોના સ્મરણાદિ દ્વારા, ફલોદયનું અવિશેષ હોવાથી સુસાધુને વંદનાદિથી ફળવિશેષ નિર્જરારૂપ ફળવિશેષ, થાય છે તેમ ભગવાનની ઉપાસનાથી પણ ફળવિશેષ થાય છે, તે રૂપ અવિશેષ હોવાથી “મહત્ત્વ નથી, એ પ્રમાણે અનંતર અનુમેય છે.” એ પ્રમાણે અધ્યાહાર હોવાને કારણે બાહ્ય સંપદાથી ભગવાનનું વિભુપણું નથી, એમ સ્વીકારવામાં અનુપપત્તિ નથી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧ આશય એ છે કે આલયવિહારાદિથી અનુમાન કરીને સુસાધુમાં વંદનાદિ કર્યા પછી તેનું કોઈ ચિહ્ન દેખાય તો “આ માયાવી છે કે નહીં ?' એમ અનુમિતિ અધ્યાહાર રહે છે, તેમ બાહ્ય સંપદાથી ભગવાનને વિભુ સ્વીકારીને વંદનાદિ કર્યા પછી તેવા કોઈક નિમિત્તે શંકા થાય તો ભગવાન પણ “આ માયાવી હોય તો મહાન નથી', એ પ્રમાણે અનુમિતિ અધ્યાહાર રહે છે. જેમ આલયવિહારાદિ દ્વારા સાધુપણાનું અનુમાન કરીને વંદનાદિથી ફળવિશેષ પ્રાપ્ત થાય છે, તેમ બાહ્ય સંપદાથી ભગવાનના મહત્ત્વનું અનુમાન કર્યા પછી ભગવાનની ભક્તિ આદિ કરવામાં આવે તો નિર્જરારૂપ ફળવિશેષ થઈ શકે છે; છતાં જ્યારે આલયવિહારાદિયુક્ત સાધુમાં પણ કોઈક પ્રવૃત્તિ દ્વારા “આ સુસાધુ નથી' તેમ અનુમાન થઈ શકે છે, તેમ બાહ્ય સંપદા દ્વારા “આ વિભુ છે' એવું અનુમાન કર્યા પછી પણ તેમના ઉપદેશાદિ શ્રવણથી કે કોઈક પ્રશ્નોના ઉચિત ઉત્તરની અપ્રાપ્તિથી “આ ભગવાન નથી, પરંતુ માયાવી છે', તેવું અનુમાન થઈ શકે છે. ટીકામાં મહત્ત્વ ન રૂચનન્તરમનમેય’ ત્યાર પછી ‘તિ' શબ્દ છે. તેનું તાત્પર્ય એ છે કે સુસાધુમાં બાહ્ય લિંગ દ્વારા સુસાધુત્વની, કે ભગવાનમાં બાહ્ય સંપદા દ્વારા મહત્ત્વની, અનુમિતિ કર્યા પછી કરાતી વંદનક્રિયા દ્વારા ફળનો ઉદય અવિશેષરૂપે પ્રાપ્ત થાય છે. એથી કરીને જેમ “સુસાધુમાં સુસાધુત્વ નથી' એ અનંતર અનુમેય છે, અર્થાત્ બાહ્ય લિંગ દ્વારા સુસાધુનું અનુમાન કર્યા પછી કોઈ દોષ જણાય તો “આ સુસાધુ નથી' તેમ અનંતર અનુમાન થઈ શકે છે, તેમ “ભગવાનમાં મહત્ત્વ નથી' એ અનંતર અનુમેય છે અર્થાત્ બાહ્ય વિભૂતિ દ્વારા આ જિન છે' એમ અનુમાન કર્યા પછી કોઈ પ્રશ્ન આદિ દ્વારા જણાય કે “આ સર્વજ્ઞ નથી” તો પૂર્વે સર્વજ્ઞરૂપે સ્વીકારાયેલા પણ ભગવાનમાં “આ ભગવાન નથી' એમ અનુમાન થઈ શકે છે. એ પ્રકારે અધ્યાહાર હોવાથી અતિપ્રસંગની અનુપત્તિ નથી=અતિપ્રસંગ આવે છે, એમ જાણવું. વળી, અતિપ્રસંગની અનુપત્તિ નથી, તેમાં ‘વેતર ..... માર’ સુધી જે હેતુ કહ્યો તેનો ભાવ એ છે કે સ્વ=પરમાત્મા, તેમનાથી ઇતર=પરમાત્મા સિવાયની અન્ય વ્યક્તિ, તેમાં પરમાત્માની ગુણસંપત્તિનો અત્યંતાભાવ છે; તે અત્યંતભાવનો પ્રતિયોગી પરમાત્માની ગુણસંપત્તિ છે, એ રૂપ મહત્ત્વ બાહ્ય Page #36 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/બ્લોક-૧-૨ ૧૩ સંપદા દ્વારા અનુમાન કરી શકાતું નથી; કેમ કે માયાવીમાં પણ આવી બાહ્ય સંપદા હોવા છતાં પરમાત્મા જેવી ગુણસંપત્તિનો અભાવ છે. તેથી માયાવીમાં વ્યભિચાર છે. ૧૦/ અવતરણિકા : ‘બાહ્ય સંપદા વિભુત્વની અનુમાપિકા નથી' એ વાત શ્લોક-૧માં સિદ્ધ કરી. તેથી પ્રશ્ન થાય કે વિભુતા વિભુત્વને ઓળખવાનો ઉપાય શું? એના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે -- શ્લોક ઃ स्वामिनो वचनं यत्तु संवादि न्यायसङ्गतम् 1 कुतर्कध्वान्तसूर्यांशुर्महत्त्वं तद्यदभ्यधुः । । २ । । અન્વયાર્થ: તુ=વળી તધ્વાન્તસૂર્વાશુઃ-કુતર્કરૂપી અંધકારના નાશ માટે સૂર્યના કિરણ સમાન, ન્યાયસકૃતમ્=ન્યાયથી સંગત, સંવાવિ=સંવાદી એવું સ્વામિનઃ= સ્વામીનું યત્ વનું=જે વચન તન્મદત્ત્વ=તે મહત્ત્વ છે; ય=જે કારણથી ગમ્યધુઃ=કહ્યું છે=હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે. ૨।। શ્લોકાર્થ : વળી કુતર્કરૂપી અંધકારના નાશ માટે સૂર્યના કિરણ સમાન, ન્યાયસંગત, સંવાદી એવું સ્વામીનું જે વચન તે મહત્ત્વ છે; જે કારણથી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે. IIII ટીકા ઃ यत्तु स्वामिनः = वीतरागस्य, वचनं संवादि-समर्थप्रवृत्तिजनकं, न्यायसङ्गतं = स्याद्वादमुद्रामनतिक्रान्तम्, एकान्तस्य तत्त्वतोऽन्यायत्वात्, धर्मधर्मिसम्बन्धभेदेऽनवस्थानात्, तदभेदे च सहप्रयोगाद्यनुपपत्तेर्धमिंग्राहकमानेन स्वतः सम्बद्धस्य सम्बन्धान्तरस्य कल्पनापेक्षया तेनैव सिद्धस्य शबलस्य वस्तुनोऽभ्युपगमस्य न्याय्यत्वात्, तदनुभवेपि चैकान्तभ्रमस्य दोषप्राबल्यादुपपत्तेः विशेषदर्शनेन च Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨ तस्य निवर्तयितुं शक्यत्वादिति दिक्, कुतर्का एव ध्वान्तानि तेषु सूर्यांशुः, तन्महत्त्वम्, अवच्छेद्यावच्छेदकयोलिङ्गलिगिर्वा स्याद्वादाश्रयणेन कथञ्चिदभेदात् यदभ्यधुः श्रीहरिभद्रसूरयः ।।२।। ટીકાર્ચ - યg.... સૂર જે વળી સ્વામીનું વીતરાગનું, સંવાદી વચન છે=સમર્થ પ્રવૃત્તિજનક એવું વચન છેઃવચનથી થતા બોધથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પ્રવૃત્તિ અભિપ્રેત ફળને અવશ્ય પ્રાપ્ત કરાવે એવું વચન છે, તે મહત્ત્વ છે, એમ ટીકાનાં અંતભાગમાં રહેલા “ તત્વમ્' સાથે અવય છે. વળી તે વચન કેવું છે ? તે કહે છે – વચન વ્યાયસંગત છે સ્યાદ્વાદમુદ્રાથી અતિક્રાંત છેઃસ્યાદ્વાદમય છે. અહીં પ્રશ્ન થાય કે ન્યાયસંગતનો અર્થ યુક્તિસંગત થાય, પરંતુ સ્યાદ્વાદમુદ્રાથી અનતિક્રાંત છે, તેનો અર્થ કેમ કર્યો ? તેમાં હેતુ કહે છે – એકાતનું તત્વથી અત્યાધ્યપણું છે. પરમાર્થથી એકાંતનું અન્યાય્યપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે – થર્નવર્ષિ... ધર્મ અને ધર્મીના સંબંધના ભેદમાં અનવસ્થાન છે, અને તેના અભેદમાં=ધર્મ અને ધર્મીના સંબંધના અભેદમાં, સહપ્રયોગાદિની અનુપપત્તિ છે. એકાન્તભેદ અને એકાન્તઅભેદ બંનેમાં દોષ હોવાને કારણે અનેકાન્ત કઈ રીતે સંગત છે ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે – પ્રિદિવ..... ધમગ્રાહકમાતથી ધર્મીગ્રાહક પ્રમાણથી, સ્વતઃ સંબદ્ધતું ધર્મ-ધર્મીથી અતિરિક્ત સંબંધાંતર વિના સ્વતઃ સંબદ્ધનું, સંબંધાંતરની કલ્પનાની અપેક્ષાએ તેના વડે જ=સ્વત સંબદ્ધપણા વડે જ સિદ્ધ એવી શબલ વસ્તુના અભ્યપગમતુંઅનેકારાત્મક વસ્તુના સ્વીકારવું, ચાટ્યપણું છે. માટે સ્યાદ્વાદમુદ્રા અનતિક્રાંત વચન જ ન્યાયસંગત છે, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે દરેક વસ્તુ અનેકાન્તાત્મક હોય તો બધાને અનેકાન્તરૂપે કેમ અનુભવ થતો નથી ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે – Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧પ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨ તદનુમપિ .... અને તેનો અનુભવ હોવા છતાં પણ=શબલ વસ્તુનો અનુભવ હોવા છતાં પણ, દોષના પ્રબળપણાથી=એકાંત મતની વાસનારૂપ દોષના પ્રબળપણાથી, એકાંત ભ્રમની ઉપપતિ છે. અહી પ્રશ્ન થાય કે દોષના પ્રાબલ્યથી એકાંતનો ભ્રમ થયો છે તે કેમ નક્કી થાય ? તેથી ગ્રંથકારશ્રી તેમાં હેતુ કહે છે – વિશેષ ને . અને વિશેષ દર્શન વડે તેનું ભ્રમ, તિવર્તન કરાવવા માટે શક્યપણું છે, એ પ્રમાણે દિશાસૂચન છે. વળી સ્વામીનું વચન કેવું છે ? તે બતાવે છે -- કુત... વળી સ્વામીનું વચન કુતર્ક અંધકારને વિષે સૂર્યના કિરણ જેવું છે. અહીં ‘તધ્યાન્ત સૂર્યાઃ' શબ્દનો સમાસ સ્પષ્ટ કરે છે – કુતર્કો જ અંધકાર છે. તેઓમાં ભગવાનનું વચન સૂર્યનાં કિરણો જેવું છે. તન્મદત્યંત મહત્ત્વ છે, અર્થાત્ પૂર્વમાં કહ્યું કે ભગવાનનું વચન સંવાદી, વ્યાયસંગત અને કુતર્કરૂપી અંધકારને વિષે સૂર્યના કિરણ જેવું છે, આવું વચન તે ભગવાનનું મહત્વ છે. અહીં પ્રશ્ન થાય કે મહત્ત્વ એ ભગવાનની ગુણસંપત્તિરૂપ છે, જ્યારે ભગવાનનું વચન એ પુદ્ગલરૂપ છે, તો તે ભગવાનના મહત્ત્વરૂપ કઈ રીતે બને ? તેમાં સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે – અવચ્છેદ્ય-અવચ્છેદકનો અથવા લિંગ-લિંગીનો સ્યાદ્વાદના આશ્રયણથી કથંચિત્ અભેદ હોવાને કારણે સ્વામીનું વચન સ્વામીના ગુણો સાથે અભેદરૂપે પ્રાપ્ત થાય છે. તેથી સ્વામીનું વચન મહત્વરૂપ છે, એમ અવય છે, જે કારણથી શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ જે કહ્યું છે તે આગળ શ્લોક-૩માં બતાવશે. ૨ા. ‘સહયોmવિ અહીં ‘’ થી સંબંધના પ્રયોગનું ગ્રહણ કરવું. ‘તવનુમપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે સ્યાદ્વાદનો અનુભવ ન હોય તો તો એકાંતનો ભ્રમ થાય, પરંતુ સ્યાદ્વાદનો અનુભવ હોવા છતાં પણ દોષપ્રાબલ્યને કારણે એકાંતનો ભ્રમ થાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨ ભાવાર્થ :વિભુના વિભુત્વને ઓળખવાનો ઉપાય : વચન: ભગવાનનું વચન (૧) સંવાદી, (૨) ન્યાયસંગત અને (૩) કુતર્કરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્યના કિરણ જેવું છે, અને આવું વચન તે ભગવાનનું મહત્ત્વ છે. (૧) સંવરિ :- ભગવાનનું વચન સંવાદી છે=સમર્થ પ્રવૃત્તિજનક છે. જે વચન અનુસાર પ્રવૃત્તિ કરવામાં આવે તો આત્માનું એકાંત હિત થાય અને અહિતથી નિવૃત્તિ થાય, તેવી સમર્થ પ્રવૃત્તિનું જનક વચન હોય તે વચન સંવાદી કહેવાય. ભગવાનનું વચન સંસારી જીવોના સંસારના ઉચ્છેદનું અને મોક્ષપ્રાપ્તિને અનુકૂળ સમર્થ પ્રવૃત્તિનું જનક હોવાથી સંવાદી છે; કેમ કે ભગવાનનું વચન કષ-છેદ-તાપથી શુદ્ધ છે. તેથી જે જીવો તે વચનનું અવલંબન લઈને પ્રવૃત્તિ કરે છે તે જીવોનું એકાંત હિત થાય છે. માટે ભગવાનનું વચન સમર્થ પ્રવૃત્તિજનક છે. (૨) ચાયતિ :- ભગવાનનું વચન જેમ સમર્થ પ્રવૃત્તિજનક છે, તેમ ન્યાયસંગત છે. ન્યાયસંગત વચન એટલે સ્યાદ્વાદમુદ્રાથી અનતિક્રાંત વચન અર્થાત્ ભગવાનનું વચન સ્યાદ્વાદમય છે. સ્યાદ્વાદમય વચન ન્યાયસંગત કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – એકાંતનું તત્ત્વથી અન્યાય્યપણું છે, માટે અનેકાંતવાદને કહેનારું વચન ન્યાયસંગત છે. ધર્મ-ધર્મીના સંબંધને આશ્રયીને એકાંતનું અન્યાયપણું કેમ છે ? તે બતાવે છે, જેથી એક સ્થાનમાં એકાંતવાદ અસંગત છે, તેમ સર્વ સ્થાનમાં એકાંતવાદ અસંગત છે, તેમ સિદ્ધ થાય. ધર્મ-ધર્મીના સંબંધ સ્થાનમાં એકાંતવાદ અસંગત આ રીતે છે – ઘટરૂપ ધર્મ અને ઘટમાં રહેલ રૂપ સ્વરૂપ ધર્મ, તે બંનેના સંબંધનો=ઘટ અને ઘટનું રૂપ, એ બંનેના સંબંધનો, એકાંત ભેદ સ્વીકારવામાં આવે તો અનવસ્થા દોષ આવે. તે આ પ્રમાણે -- Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૭. જિનમહત્ત્વાશિકા/શ્લોક-૨ નૈયાયિકોની માન્યતા પ્રમાણે ઘટ, અને ઘટના રૂપથી અતિરિક્ત સમવાય નામના સંબંધને સ્વીકારવામાં આવે તો ઘટ અને રૂપને સંબંધ કરનાર સમવાય જેમ ઘટ અને ઘટના રૂપનો સંબંધ કરે છે, તેમ સમવાયની સાથે ઘટનો સંબંધ કરવા માટે અને સમવાય સાથે ઘટના રૂપનો સંબંધ કરવા માટે અન્ય સંબંધ માનવો પડે; અને તે રીતે તે તે સંબંધને સંબદ્ધ કરવા માટે અન્ય અન્ય સંબંધની કલ્પના કરવી પડે, જેથી અનવસ્થા દોષની પ્રાપ્તિ થાય. ઘટ રૂપ સમવાય રૂપ ઘટે સમવાય સમવાય નવો સંબંધ નવો સંબંધ ધર્મ અને ધર્મના સંબંધના ભેદમાં થતા અનવસ્થા દોષને દૂર કરવા માટે ધર્મ અને ધર્મીનો એકાંત અભેદ સ્વીકારવામાં આવે તો સહપ્રયોગની અનુપપત્તિ છે. આશય એ છે કે ઘટ અને ઘટના રૂપનો એકાંત અભેદ છે તેમ કહીએ તો, “નીલ ઘટ” અને “રૂપવાન ઘટ’ એ પ્રકારનો પ્રસિદ્ધ પ્રયોગ થાય નહીં; કેમ કે નીલ રૂપ” અને “ઘટ’ બંનેનો એકાંત અભેદ છે. તેથી જેમ “ઘટ ઘટ એ પ્રકારનો પ્રયોગ થાય નહીં, તેમ “નીલ ઘટ’ એ પ્રયોગ પણ થાય નહીં. વળી, ઘટ અને તેના રૂપનો એકાંત અભેદ સ્વીકારવામાં આવે તો જેમ “ઘટનો ઘટ' એ પ્રકારનો પ્રયોગ થાય નહીં, તેમ “ઘટનું રૂપ' એ પ્રકારનો પ્રયોગ પણ થાય નહીં; અને “ઘટનું રૂપ' એ પ્રકારનો પ્રયોગ વ્યવહારમાં પ્રસિદ્ધ છે. માટે ધર્મ અને ધર્મીનો એકાંત અભેદ પણ સંગત નથી. અહીં પ્રશ્ન થાય કે ધર્મ અને ધર્મીને કઈ રીતે સંબદ્ધ માનીએ કે જેથી ધર્મ અને ધર્મી વચ્ચે એકાંત ભેદ કે એકાંત અભેદ માનવાનો પ્રસંગ આવે નહીં ? તેથી કહે છે – ધર્મીગ્રાહકમાનથી ઘટ અને ઘટનું રૂપ સ્વતઃ સંબદ્ધ છે. માટે ઘટ અને ઘટના રૂપ કરતાં અન્ય એવા સંબંધની કલ્પનાની અપેક્ષાએ તેનાથી જ=ઘટ અને ઘટ રૂપના સ્વતઃ સંબદ્ધપણાથી જ, સિદ્ધ એવી શબલ વસ્તુના સ્વીકારનું= અનેકાંતરૂપ વસ્તુના સ્વીકારનું, નાટ્યપણું છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨ ધર્મગ્રાહકપ્રમાણનું તાત્પર્ય આ પ્રમાણે છે -- એક ઘટથી બીજો ઘટ કેમ જુદો પ્રતીત થાય છે ? તો કહેવું પડે કે તે બંને ઘટના બે કપાલો જુદા છે. જો આ બંને ઘટના કપાલ એક હોય તો આ બંને ઘટ જુદા છે, એવી પ્રતીતિ થાય નહીં. આથી બે અવયવીનો ભેદ તેના અવયવના ભેદથી સિદ્ધ થાય છે. આ બંને ઘટના કપાલો કેમ જુદા છે ? તો કહેવું પડે કે બંનેની કપાલિકાઓ જુદી છે. તેથી બે કપાલોનો પરસ્પર ભેદ તેના અવયવરૂપ કપાલિકાના ભેદથી સિદ્ધ થાય છે. આ પ્રમાણે અંતે બે યણુકનો ભેદ તેના અવયવરૂપ બે પરમાણુના ભેદથી સિદ્ધ થશે; પરંતુ તે બે પરમાણુ નિરવયવ હોવાથી તે બે પરમાણુનો પરસ્પર ભેદ શાનાથી છે ? તે પ્રતીતિને સંગત કરવા માટે બે પરમાણુના પરસ્પર ભેદક બે વિશેષની કલ્પના નૈયાયિક કરે છે, અને કહે છે કે – ધર્મીગ્રાહકમાનથી ધર્મી એવા વિશેષને સ્વીકારનાર પ્રમાણથી, તે બે વિશેષો પરસ્પર જુદા છે. તેથી તે બે વિશેષ પરસ્પર જુદા કેમ છે ? તેમ પ્રશ્ન કરીને તે બે વિશેષનો ભેદક અન્ય કોઈ પદાર્થ માનવાની જરૂર રહેતી નથી, એમ નૈયાયિક કહે છે=જે પ્રમાણથી તે બે વિશેષને સ્વીકાર્યા તે પ્રમાણથી તે બે વિશેષ જુદા છે અર્થાત્ બે પરમાણુના ભેદના સ્વીકારવાના આશયથી તે બે પરમાણુના વિશેષને જુદા માન્યા, તેથી બે પરમાણુને જુદા માનવાના આશયથી સ્વીકારેલા તે બે વિશેષો સ્વતઃ જુદા છે તેમ સિદ્ધ છે, એમ તૈયાયિક કહે છે. આનાથી એ ફલિત થાય કે જેમ ધર્મરૂપ વિશેષને સ્વીકારવામાં જે પ્રમાણ છે તે પ્રમાણથી બે વિશેષ સ્વતઃ જુદા છે તેમ સિદ્ધ થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ ઘટની સાથે ઘટનું રૂપ સંબદ્ધ છે, એ જે પ્રમાણથી ગ્રહણ થાય છે, તે પ્રમાણથી એ સ્વતઃ સંબદ્ધ છે, એમ સિદ્ધ થાય છે અર્થાત્ ચક્ષુઇન્દ્રિય દ્વારા આપણને ઘટ અને ઘટનું રૂપ સંબદ્ધરૂપે જ ભાસે છે, પણ ઘટ અને પટની જેમ પૃથફ જણાતા નથી, તે કારણથી આપણે ઘટ અને ઘટનું રૂપ સંબદ્ધ છે, એમ માનીએ છીએ. એનાથી એ સિદ્ધ થાય છે કે ઘટ અને ઘટનું રૂપ પ્રત્યક્ષ પ્રમાણથી સ્વતઃ સંબદ્ધ છે. આથી ઘટ અને ઘટના રૂપના સંબંધને માટે નવા સંબંધની કલ્પના કરવા કરતાં ધર્મીગ્રાહકપ્રમાણથી સિદ્ધ થયેલા સ્વતઃ સંબદ્ધપણા વડે જ સિદ્ધ શબલ વસ્તુને સ્વીકારવી એ યુક્ત છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૨ “સ્વતઃ સંબદ્ધ' કહેવાથી શબલ વસ્તુ આ રીતે સિદ્ધ થાય છે : પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે ઘટ અને ઘટનું રૂપ જો “સ્વતઃ સંબદ્ધ' ન હોય અને પરત સંબદ્ધ હોય તો તે બે વસ્તુનોઘટ અને ઘટના રૂ૫ સ્વરૂપ બે વસ્તુનો, એકાંતે ભેદ સિદ્ધ થાય. જ્યારે “સ્વતઃ સંબદ્ધ” કહીએ ત્યારે “સંબદ્ધ' કહેવાથી એ પ્રતીત થાય છે કે બે વસ્તુ છે, કેમ કે બે વસ્તુ ન હોય તો “સંબદ્ધ' એ પ્રયોગ ન ઘટે, અને સ્વતઃ કહેવાથી એ નક્કી થાય છે કે કથંચિત્ તે બંને એકરૂપ છે; અર્થાત્ તે બંનેને સંબદ્ધ કરવા માટે અન્ય સંબંધોતરની અપેક્ષા નથી, તેથી તે બંને કોઈ અપેક્ષાએ એકરૂપે છે. આથી “સ્વતઃ સંબદ્ધ' સિદ્ધ થતાં ઘટરૂપ વસ્તુ પોતાના રૂપથી ભેદભેદરૂપ છે તેમ સિદ્ધ થાય છે. અહીં વિશેષ એ છે કે ઘટ અને રૂપના સંબંધરૂપ ધર્માના ગ્રાહક પ્રમાણથી જ ઘટ અને રૂપ સ્વતઃ સંબદ્ધ છે એમ કહ્યું. તેનાથી એ ફલિત થાય છે કે ચક્ષુઇન્દ્રિયથી ઘટની પ્રતીતિ થાય છે, ઘટના રૂપની પ્રતીતિ થાય છે, તેમ તે બંનેના સ્વતઃ સંબંધરૂપ ધર્માની પ્રતીતિ પણ થાય છે, કેમ કે ચક્ષુથી ઘટ અને રૂપ પરસ્પર સંબદ્ધરૂપે જ દેખાય છે, અને તે સંબંધને ધર્મી એટલા માટે કહેલ છે કે તે સંબંધમાં સ્વતઃ સંબદ્ધત્વરૂપ ધર્મ છે. તે અપેક્ષાએ સંબંધ એ ધર્મી છે, અને સંબંધને સ્વીકારવાનું પ્રયોજન એ છે કે ઘટ અને રૂપની સંબંધરૂપે પ્રતીતિ સંબંધ સ્વીકાર્યા વિના થઈ શકે નહીં. તેથી પ્રતીતિને સંગત કરવા માટે સંબંધનો સ્વીકાર કરવો પડે. વળી, જેમ તૈયાયિકને માન્ય એવા વિશેષ નામના પદાર્થના સ્વીકારવાથી જ વિશેષને પરસ્પર જુદા સ્વીકારવા માટે અન્ય કોઈ વ્યાવર્તક માનવાની જરૂર રહેતી નથી, તેમ ઘટ અને રૂપના સંબંધને સ્વીકારવાથી જ તેને સંબદ્ધ કરવા માટે અન્ય સંબંધના સ્વીકારની જરૂર રહેતી નથી, પરંતુ જેમ તૈયાયિકના મત પ્રમાણે ધર્મીગ્રાહકમાનથી વિશેષ સ્વતઃ સંબદ્ધ છે, તેમ ધર્મીગ્રાહકમાનથી ઘટ અને ઘટનું રૂપ સ્વતઃ સંબદ્ધ છે, એમ સિદ્ધ થાય છે; અને ઘટ અને ઘટનું રૂપ સ્વતઃ સંબદ્ધ સિદ્ધ થાય તો ઘટ અને ઘટના રૂપ વચ્ચે કથંચિત્ ભેદભેદ છે, તેમ સિદ્ધ થાય છે. તદ્દનુપપ ..... અહીં પ્રશ્ન થાય કે જો પદાર્થ ભેદભેદરૂપ અનેકાંતાત્મક હોય તો બધાને તેવો અનુભવ થવો જોઈએ, અને જો બધાને તેવો અનુભવ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨ હોય તો એકાંતવાદને કહેનારાં દર્શનો પ્રવર્તે નહીં. જેમ શંખ સફેદરૂપે સર્વને પ્રતીત છે, તેથી ઉન્મત્તને છોડીને કોઈ તેને અન્ય રૂપે કહેતું નથી. તેથી કહે છે - પદાર્થ અનેકાન્તાત્મક છે અને સર્વને તે રૂપે જ પદાર્થનો અનુભવ છે, તોપણ સ્વદર્શનની એકાંત માન્યતાના પક્ષપાતરૂપ દોષપ્રાબલ્યને કારણે “આ પદાર્થ એકાંતાત્મક છે' તેવા પ્રકારનો ભ્રમ છે તે દર્શનવાદીઓને થાય છે. જેમ – સાંખ્યદર્શનકારો ઘટપટાદિ બાહ્ય પદાર્થોને જોઈને ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામને બતાવે છે, અને તે રીતે બાહ્ય પદાર્થોમાં અનેકાંતની સિદ્ધિ થાય છે; અને જેમ તે પદાર્થો અનુભવને અનુરૂપ સાંખ્યદર્શનકારો બતાવે છે, તેમ આત્માના વિષયમાં અનુભવને અનુરૂપ વિચારે તો અનેકાંતની સિદ્ધિ થાય. આમ છતાં તે જ સાંખ્યદર્શનકારો આત્માને કુટસ્થ નિત્ય માને છે, તેનું કારણ સ્વમાન્યતા પ્રત્યેનો અવિચારક રાગ છે. સ્વમાન્યતાના રાગરૂપ દોષના પ્રાબલ્યને કારણે સાંખ્યદર્શનકારોને આત્મા એકાંતે કુટસ્થ નિત્ય ભાસે છે; પરંતુ જેમ ધર્મપરિણામ આદિ ત્રણમાં અનુભવને અનુરૂપ પદાર્થ સાંખ્યદર્શનકારો જુએ છે, તેમ પોતાના આત્માને પણ અનુભવને અનુરૂપ જુએ તો પોતાનો “આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે’ અને ‘પર્યાયરૂપે અનિત્ય છે,’ એમ પણ તેઓ જોઈ શકે; અને તેમ સ્વીકારે તો સંસારઅવસ્થા અને મુક્ત અવસ્થાની સંગતિ પણ થાય. આમ છતાં સ્વમાન્યતા પ્રત્યેનો અવિચારક રાગ હોવાથી તે પ્રકારનો ઉપયોગ પ્રવર્તે છે, જેથી આત્મા અનેકાંતાત્મક હોવા છતાં એકાંત નિત્ય ભાસે છે. (ધર્મપરિણામાદિ માટે જુઓ કાત્રિશદ્ધાત્રિશિકા-૨૪/૨૪). અહીં પ્રશ્ન થાય કે જો દોષના કારણે ભ્રમ થયો હોય તો તેનું નિવર્તન થવું જોઈએ. જેમ ચાકચિક્યાદિ દોષને કારણે શક્તિમાં રજતનો ભ્રમ થયા પછી તેને ગ્રહણ કરવા માટે પ્રવૃત્તિ કરવામાં આવે, ત્યારે “આ રજત છે' તેવો ભ્રમ દૂર થાય છે. તેમ એકાંતવાદનો ભ્રમ પણ દૂર થવો જોઈએ. તેથી કહે છે -- વિશેષ ..... વિશેષ દર્શન દ્વારા એકાંતવાદના ભ્રમનું નિવર્તન શક્ય છે. સ્વદર્શનની માન્યતાથી એકાંતવાદનો ભ્રમ ધારણ કરતા હોય તેવા પણ યોગ્ય જીવો કોઈ પુરુષવિશેષના સંપર્કમાં આવે અને તેઓના વચનથી વિશેષનો Page #44 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/મ્લોક-૨ બોધ થાય તો એકાંતવાદનો ભ્રમ દૂર થાય છે. જેમ સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ બ્રાહ્મણ હતા, અને તે દર્શન પ્રમાણે એકાંતવાદને માનનારા હતા; આમ છતાં જૈન દર્શનને પ્રાપ્ત કરીને તેઓનો એકાંતવાદનો ભ્રમ દૂર થયો, જેથી તેઓના ગ્રંથોમાં સર્વત્ર સ્યાદ્વાદના સ્થાપનનો યત્ન દેખાય છે. તેથી એ સિદ્ધ થાય કે અનુભવને અનુરૂપ પદાર્થ વિચારીએ તો પદાર્થ અનેકાંતાત્મક છે અને ભગવાનનું વચન અનેકાંતને કહેનારું છે માટે ન્યાયસંગત છે. (૩) તદ્દાન્તસૂર્વાશુ: :- ભગવાનનું વચન કુતર્કરૂપ અંધકારનો નાશ કરવા માટે સૂર્યનાં કિરણો સમાન છે. ૨૧ જીવમાં અનાદિ કાળથી મોહને કારણે કુતર્કો પ્રવર્તે છે. આથી ‘આત્મા શાશ્વત છે કે નહીં ?' અથવા ‘શરીરથી અતિરિક્ત આત્મા છે કે નહીં ?’ ઇત્યાદિ અનેક કુતર્કો પ્રવર્તે છે, જેના કારણે આત્મા પોતાના હિતની પ્રવૃત્તિ છોડીને કુતર્કને વશ થઈને સંસારની પ્રવૃત્તિઓ કરીને અહિતમાં પ્રવર્તે છે. વળી તે તે દર્શનવાદીઓ પણ પોતપોતાના દર્શન પ્રત્યેના રાગને વશ થઈને એકાંતવાદનું સ્થાપન કરે છે, તે પણ કુતર્ક છે; અને અવેઘસંવેદ્યપદની નિવૃત્તિ થાય ત્યારે કુતર્ક નિવર્તન પામે છે, તેમ ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં કહેલ છે. તેથી અન્ય દર્શનમાં રહેલા આરાધક યોગીઓ પણ જ્યાં સુધી સમ્યક્ત્વ પામ્યા નથી, ત્યાં સુધી તેઓમાં કુતર્કો પ્રવર્તે છે. અંધકારનો નાશ કરવા માટે સૂર્યનાં કિરણોની જેમ, આ સર્વ કુતર્કોનો નાશ કરવા માટે ભગવાનનું વચન સમર્થ છે. આનાથી એ ફલિત થયું કે ભગવાનનું વચન સંવાદી, ન્યાયસંગત અને કુતર્કરૂપી અંધકારને દૂર કરવા માટે સૂર્યના કિરણ જેવું છે, અને ભગવાનનું આવું વચન તે ભગવાનનું મહત્ત્વ છે અર્થાત્ ભગવાન આવા વચનવાળા છે માટે ભગવાન મહાન છે. અહીં પ્રશ્ન થાય કે ભગવાનની અંતરંગ ગુણસંપત્તિને મહત્ત્વ કહી શકાય, પરંતુ ભાષાવર્ગણાના પુદ્ગલરૂપ વચનને મહત્ત્વ કઈ રીતે કહી શકાય ? તેથી હેતુ કહે છે –– અવચ્છેદ્ય-અવચ્છેદકનો અથવા લિંગ-લિંગીનો સ્યાદ્વાદના આશ્રયણથી કથંચિત્ અભેદ હોવાથી ભગવાનના વચનને ભગવાનની અંતરંગ ગુણસંપત્તિ સાથે કથંચિત્ અભેદ કરીને મહત્ત્વ કહેલ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨-૩ આશય એ છે કે ઘાતિકર્મોના ક્ષયથી પ્રગટ થયેલ ભગવાનની ગુણસંપત્તિ એ અવચ્છેદ્ય છે, અને ભગવાનનું વાણીરૂપ વચન અવચ્છેદક છે. સ્યાદ્વાદના આશ્રયણથી તે બંનેનો કથંચિત્ અભેદ હોવાને કારણે અવચ્છેદક એવા વચનને પણ મહત્ત્વ કહેલ છે, અથવા ભગવાનમાં વર્તતા ગુણો લિંગી છે અને તેને જાણવાનું લિંગ ભગવાનનું વચન છે. તેથી બંનેનો અભેદ કરીને ભગવાનના ગુણોના લિંગભૂત એવા વચનને મહત્ત્વ કહેલ છે. સામાન્યથી જોતાં ભગવાનમાં સર્વજ્ઞતા અને વીતરાગતારૂપ ગુણસંપદા રહેલ છે, તેમ અંતઃસ્કુરણાત્મક વચન પણ રહેલ છે. તેથી ભગવાનના ગુણો અને અંતઃસ્કુરણાત્મક વચન ભગવાનરૂપ એક અધિકરણમાં છે, માટે અંતઃસ્કુરણાત્મક વચનને અવચ્છેદકરૂપે ગ્રહણ કરેલ છે અને ભગવાનની અંતરંગ ગુણસંપત્તિને અવચ્છેદ્યરૂપે ગ્રહણ કરેલ છે; અને ત્યારપછી સ્યાદ્વાદના આશ્રયણથી તે બંનેનો કથંચિત્ અભેદ કર્યો, તેથી ગુણસંપત્તિનું અવચ્છેદક એવું ભગવાનનું વચન પણ મહત્ત્વ છે, તેમ કહેલ છે. વળી અવચ્છેદ-વિચ્છેદકનો કથંચિત્ અભેદ કરીને ભગવાનનું સંવાદી વચન મહત્ત્વ છે, એમ બતાવ્યા પછી, વચન એ પુદ્ગલાત્મક હોવાથી ભગવાનમાં વૃત્તિ નથી એમ સૂક્ષ્મદ્રષ્ટિથી દેખાય. તેથી તે અવચ્છેદક બની શકશે નહીં એમ લાગવાથી, વચનને લિંગરૂપે ગ્રહણ કરીને લિંગ અને લિંગીના કથંચિત્ અભેદપક્ષનું આશ્રમણ કરીને અંતરંગ ગુણસંપત્તિને જણાવનાર એવું વચનરૂ૫ લિંગ ભગવાનનું મહત્ત્વ છે, તેમ કહેલ છે.Jરા અવતરણિકા : પૂર્વ શ્લોક-૨માં કહ્યું કે જે કારણથી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે તે કારણથી સંવાદી એવું સ્વામીનું વચન મહત્વ છે. તેથી હવે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે જે કહ્યું છે તે બતાવે છે – શ્લોક : पक्षपातो न मे वीरे न द्वेष: कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।३।। Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૩ અન્વયાર્થ - મે મને વીરે વીર ભગવાનમાં પક્ષપાતો ન=પક્ષપાત નથી, પિસ્તાવવું કપિલ આદિમાં રહેષ:-દ્વેષ નથી, યસ્થ જેનું વરનં વચન વિત્તમયુક્તિવાળું છે તસ્ય તેનો પરિપ્રદ વાર્થ = સ્વીકાર કરવો જોઈએ. ૩. શ્લોકાર્ચ - મને વીર ભગવાનમાં પક્ષપાત નથી, કપિલાદિમાં દ્વેષ નથી, જેનું વચન યુક્તિવાળું છે તેનો સ્વીકાર કરવો જોઈએ. Il3II + ‘પત્નવિવું' અહીં ‘વ’ થી અન્ય અન્યદર્શનના પ્રણેતાઓનું ગ્રહણ કરવું. ટીકા - पक्षपात इति-न मे=मम वीरे-श्रीवर्धमानस्वामिनि, पक्षपातो गुणानालोचनपूर्व एव रागः, कपिलादिषु च न मे द्वेषः, किन्तु यस्य वचनं युक्तिमत् तस्य परिग्रहः-स्वीकार:, कार्य:, इत्थं चात्राविसंवादिवचनत्वेनैव भगवतो महत्त्वमाचार्यैरभि-प्रेतम् ।३।। ટીકાર્ય : રમે મમ ..... મિખેતમ્ ા ગુણના અનાલોચનપૂર્વક જ રાગરૂપ પક્ષપાત મેકમ, વીર ભગવાનમાં=વર્ધમાનસ્વામીમાં, નથી, અને કપિલાદિમાં મને દ્વેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિવાળું છે તેનો પરિગ્રહ સ્વીકાર, કરવો જોઈએ; અને આ રીતે શ્લોકમાં કહ્યું કે જેનું વચન યુક્તિવાળું હોય તેનો સ્વીકાર કરવો જોઈએ એ રીતે, અહીં ઉપાસ્યના સ્વીકારમાં, અવિસંવાદિ વચતપણા વડે જ આચાર્યશ્રીને ભગવાનનું મહત્વ અભિપ્રેત છે. IaI ભાવાર્થ – પ્રસ્તુત શ્લોકમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા બતાવે છે કે ગુણના અનાલોચનપૂર્વક પક્ષપાત મને વર્ધમાનસ્વામીમાં નથી. તેથી એ ફલિત થાય કે ગુણના આલોચનને કારણે તેમને વીર ભગવાનમાં પક્ષપાત થયો છે, અને કપિલાદિનાં વચનોને અસંબદ્ધ જોઈને કપિલાદિનો Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જિનમહત્ત્વાગિંશિકા/શ્લોક-૩-૪ ત્યાગ કર્યો છે. કપિલાદિ આપણા ભગવાન નથી, એમ માનીને તેમના પ્રતિ લેષ નથી, પરંતુ જેમનું વચન યુક્તિયુક્ત લાગ્યું, તેમનો તેમણે સ્વીકાર કર્યો. અને તેવું યુક્તિયુક્ત વચન એ છે કે જે સમર્થ પ્રવૃત્તિનું જનક હોય, સ્યાદ્વાદમુદ્રાથી યુક્ત હોય અને કુતર્કનો નાશ કરનાર હોય; અને આવું વચન વીર ભગવાનનું છે. તેથી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજને ઉપાસ્યરૂપે વીર ભગવાન અભિપ્રેત છે અને કપિલાદિ અભિપ્રેત નથી. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના આ વચનથી એ ફલિત થાય છે કે ભગવાનનું આવું વચન છે, એ ભગવાનનું મહત્ત્વ છે. આ રીતે મહાવીર ભગવાનને ઉપાસ્ય સ્વીકારવામાં આચાર્ય પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજને અવિસંવાદી વચનપણા વડે જ ભગવાનનું મહત્ત્વ અભિપ્રેત છે. II3II અવતરણિકા : औदयिकभावस्यापि विशिष्टस्य महत्त्वप्रयोजकत्वं व्यवस्थापयति - અવતરણિકાર્ય : વિશિષ્ટ એવા દયિકભાવનું પણ મહત્વપ્રયોજકપણું વ્યવસ્થાપન કરે છે – • માયાવસ્થા' - અહીં ‘પ' થી એ કહેવું છે કે અંતરંગ ગુણસંપત્તિ તો મહત્ત્વની પ્રયોજિ કા છે, પરંતુ વિશિષ્ટ એવો ઔદયિકભાવ પણ મહત્ત્વનો પ્રયોજક છે. ભાવાર્થ પ્રથમ શ્લોકમાં કહ્યું કે બાહ્ય સંપદાથી ભગવાનનું વિભુત્વ નથી, અને ભગવાનની તે બાહ્ય સંપદા ઔદયિકભાવરૂપ છે તેમ બતાવીને, ભગવાનનું પારમાર્થિક મહત્ત્વ અંતરંગ ગુણસંપત્તિથી છે તેમ સ્થાપન કર્યું. હવે વિશિષ્ટ એવા ઔદયિકભાવનું પણ મહત્ત્વપ્રયોજકપણું વ્યવસ્થાપન કરે છે. તેથી એ ફલિત થાય કે જેમ અંતરંગ ગુણસંપત્તિથી ભગવાનનું મહત્ત્વ છે, તેમ અંતરંગ ગુણસંપત્તિથી વિશિષ્ટ બાહ્ય સંપદાથી પણ ભગવાનનું મહત્ત્વ છે. તે સ્પષ્ટ કરવા માટે કહે છે -- Page #48 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૪ ર૫ શ્લોક : पुण्योदयभवैर्भावैर्मतं क्षायिकसङ्गतैः । महत्त्वं महनीयस्य बाह्यमाभ्यन्तरं तथा ।।४।। અન્વયાર્થ : ક્ષયવાર્ત: ક્ષાવિકભાવથી સંગત યુક્ત, પુખ્યવયમર્યાવ: પુણ્યોદયથી ઉત્પન્ન થયેલા ભાવો વડે મદનીય પૂજય એવા ભગવાનનું વીમામ્યન્તર તથા બાહ્ય અને અત્યંતર મહેન્દ્ર મહત્વ પતિં સંમત છે. II૪u. શ્લોકાર્ચ - ક્ષાયિકભાવથી યુક્ત પુણ્યોદયથી ઉત્પન્ન થયેલા ભાવો વડે પૂજ્ય એવા ભગવાનનું બાહ્ય અને અત્યંત મહત્ત્વ સંમત છે. Imall ટીકા - पुण्येति-पुण्योदयभवैः-तीर्थकरनामकर्माद्युदयोत्पन्न:, भावैः विशिष्टसंहननरूपसत्त्वसंस्थानगतिप्रभृतिभिः, क्षायिकसङ्गतैः क्षायिकज्ञानादिमिलितैः, महत्त्वं महनीयस्य-पूज्यस्य मतं । बाह्यं तथाभ्यन्तरं प्रत्येकं विशिष्टमेव वा कथञ्चिदुभयव्यपदेशभाक् । इत्थं च विशिष्टबाह्यसंपदोऽन्यासाधारणत्वान्नातिप्रसञ्जकत्वमिति भावः ।।४।। ટીકાર્ય : પુછવામ: .... માવ: || સાયિકથી સંગત=ક્ષાયિક કેવળજ્ઞાનાદિથી મિલિત, પુણ્યોદયથી ઉત્પન્ન થયેલાં તીર્થકર નામકર્માદિ પુણ્યના ઉદયથી ઉત્પન્ન થયેલાં વિશિષ્ટ સંઘયણ, વિશિષ્ટ રૂપ, વિશિષ્ટ સત્ત્વ, વિશિષ્ટ સંસ્થાન અને વિશિષ્ટ ગતિ વગેરે ભાવો વડે, મહવીયનું પૂજ્યનું, મહત્વ સંમત છે. બાહ્ય બાહ્ય ભાવો, અને અત્યંતર ક્ષાયિક ભાવો, પ્રત્યેક અથવા વિશિષ્ટ જરઅત્યંતરવિશિષ્ટ બાહ્ય જ અત્યંતર ક્ષાવિકભાવવિશિષ્ટ બાહ્ય ભાવ જ, કથંચિત્ ઉભયવ્યપદેશને પામે છે=ઉભય દ્વારા વ્યપદેશ થનારા એવા મહત્ત્વ શબ્દભાફ થાય છે; અને આ રીતે પૂર્વમાં કહ્યું કે બાહ્ય સંપદા અને અત્યંતર સંપદા પ્રત્યેક અથવા અત્યંતરવિશિષ્ટ બાહ્ય, કથંચિત્ Page #49 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૪ ઉભયવ્યપદેશભાફ છે એ રીતે, વિશિષ્ટ બાહ્ય સંપદાનું=ભગવાનની વિશિષ્ટ બાહ્ય સંપદાનું, અન્ય અસાધારણપણું હોવાથી=અન્ય કોઈની સાથે સાધારણપણું નહીં હોવાથી, અતિપ્રસંજકપણું નથી=અત્યંતર ગુણસંપત્તિથી વિશિષ્ટ એવી વપ્રત્રયાદિ બાહ્ય સંપદાનું માયાવીમાં અતિપ્રસંજકપણું તથી, એ પ્રમાણે ભાવ છે. ।।૪।। ‘તીર્થંકરનામ’ અહીં ‘વિ’ થી તીર્થંકરનામકર્મના સહભાવી અત્યંત આર્દયતા આદિ નામકર્મોનું ગ્રહણ કરવું. ૨૬ ભાવાર્થ : : ક્ષાયિકભાવથી યુક્ત ઔદયિકભાવરૂપ બાહ્ય સંપદાથી ભગવાનનું મહત્ત્વ ઃભગવાનને કેવળજ્ઞાન થાય છે ત્યારે ભગવાનમાં કેવળજ્ઞાન આદિ ક્ષાયિકભાવો વર્તે છે અને તે ક્ષાયિકભાવોથી મિલિત એવા તીર્થંકરનામકર્માદિથી ઉત્પન્ન થયેલાં વિશિષ્ટ સંઘયણાદિથી ભગવાનનું મહત્ત્વ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનને કેવળજ્ઞાન થાય છે ત્યારે ભગવાનનું જે વિશિષ્ટ સંઘયણ છે તે પણ ભગવાનનું મહત્ત્વ છે. વળી ભગવાનનું જે વિશિષ્ટ રૂપ છે તે પણ ભગવાનનું મહત્ત્વ છે. વળી ભગવાનમાં મહાસત્ત્વ છે, તેથી લેશ પણ મોહથી આક્રાંત નથી, પરંતુ સ્વપરાક્રમથી મોહનો ઉચ્છેદ કરીને ક્ષાયિકભાવનું વીર્ય પ્રગટ કર્યું, તે પણ ભગવાનનું મહત્ત્વ છે. વળી ભગવાનનું સંસ્થાન પણ અપૂર્વ છે, તેથી તેનાથી પણ ભગવાનનું મહત્ત્વ છે. વળી ભગવાનની ચાલવાની ગતિ પણ લોકોત્તમ છે, તેનાથી પણ ભગવાનનું મહત્ત્વ છે. પ્રકૃતિપદથી અન્ય પણ પુણ્યપ્રકૃતિજન્ય ભગવાનની બાહ્ય વિશેષતાઓથી ભગવાનનું મહત્ત્વ છે. આનાથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે ભગવાનનું મહત્ત્વ કેવળ બાહ્ય સંપદાથી પણ છે, કેવળ અત્યંતર સંપદાથી પણ છે અને અત્યંતરવિશિષ્ટ બાહ્ય સંપદાથી પણ છે, અને આ ત્રણેથી થયેલું ભગવાનનું મહત્ત્વ કથંચિત્ ઉભયવ્યપદેશભા=બાહ્ય અને અત્યંતર ઉભયથી વ્યપદેશ પામે તેવા મહત્ત્વ શબ્દને ભજનારું, થાય છે. આશય એ છે કે વસ્તુતઃ ભગવાનનું મહત્ત્વ કેવળ બાહ્ય સંપદા નથી કે કેવળ અંતરંગ સંપદા નથી; કેમ કે જો કેવળ અંતરંગ સંપદાથી ભગવાનનું મહત્ત્વ ગ્રહણ કરીએ તો સર્વ કેવળીમાં મહત્ત્વ પ્રાપ્ત થાય, અને અંતરંગ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જિનમહત્ત્વદ્ધાત્રિશિકાશ્લોક-૪-૫ સંપદા ન હોય અને માત્ર બાહ્ય સંપદા હોય તો તે સંપદાથી ભગવાન મહત્ત્વ પામે નહીં; કેમ કે ગુણરહિત એવી પુણ્યપ્રકૃતિઓથી ઉપાસ્યરૂપ મહત્ત્વની પ્રાપ્તિ થાય નહીં. તેથી ભગવાનમાં બાહ્ય અને અંતરંગ બંને સંપત્તિઓ છે માટે ભગવાનનું મહત્ત્વ છે. આમ છતાં માત્ર બાહ્ય સંપદાથી પણ ભગવાન મહાન છે, તેવી બુદ્ધિ થાય છે; કેમ કે આવી બાહ્ય સંપદા અંતરંગ ગુણસંપદા વિના સંભવતી નથી; અને ભગવાનની અંતરંગ સંપદા પણ ભગવાનની બાહ્ય સંપદા સાથે સંલગ્ન હોવાથી મહત્ત્વને બતાવે છે, અને અંતરંગ સંપદાથી વિશિષ્ટ એવી બાહ્ય સંપદા પણ ભગવાનના મહત્ત્વને બતાવે છે. ત્યં .... અને આ રીતે-પૂર્વમાં સ્થાપન કર્યું કે બાહ્ય અને અત્યંતર પ્રત્યેક સંપદા કથંચિત્ ઉભયવ્યપદેશભાકુ છે અર્થાત્ બાહ્ય અને અત્યંતર સંપદાથી વાચ્ય એવા મહત્ત્વના વ્યપદેશને ભજનાર છે, તેથી ભગવાનની બાહ્ય સંપદા પણ ભગવાનના મહત્ત્વને બતાવે છે એ રીતે, વિશિષ્ટ બાહ્ય સંપદાનું માયાવીમાં અતિપ્રસંજકપણું નથી; કેમ કે ભગવાનમાં વર્તતી વિશિષ્ટ બાહ્ય સંપદા અન્ય અસાધારણ છે. આશય એ છે કે ચૂલથી જોનારને ભગવાન જેવી બાહ્ય સંપદા માયાવીમાં દેખાય, પરંતુ માયાવીમાં વર્તતી બાહ્ય સંપદા કરતાં ભગવાનમાં વર્તતી બાહ્ય સંપદા જુદા પ્રકારની છે, તેમ સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા જોઈ શકે છે. જેમ સુવર્ણ જેવા વર્ણવાળી અન્ય કોઈ વસ્તુ હોય તોપણ વિશેષને જોનાર દૃષ્ટિવાળા કહી શકે કે “આ સુવર્ણ નથી અને આ સુવર્ણ છે. તેમ ભગવાનની પ્રત્રયાદિ બાહ્ય સંપદાને જેઓ વિશેષથી જોઈ શકે તેઓ નક્કી કરી શકે કે માયાવીમાં ભગવાન જેવી બાહ્ય સંપદા નથી; કેમ કે તીર્થકર જેવું રૂપ સર્વ ઇન્દ્રો ભેગા મળીને પણ કરી શકતા નથી, તો માયાવી કઈ રીતે કરી શકે ? માટે ભગવાનની બાહ્ય સંપદાથી ભગવાનનું મહત્ત્વ સ્વીકારવામાં આવે તો પણ માયાવીમાં અતિપ્રસંગ પ્રાપ્ત થતો નથી. Iઝા અવતારણિકા : આ રીતે પરમાત્માનું મહત્ત્વ અંતરંગ સંપદા દ્વારા કે બાહ્ય સંપદા દ્વારા સિદ્ધ કર્યા પછી કેવળ બાહ્ય સંપદા પણ મહત્ત્વની નિયામિકા કેમ છે ? તેને પુષ્ટ કરતાં કહે છે – Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૫ શ્લોક : बहिरभ्युदयादी भवत्यन्तर्गतो गुणः । मणे: पटावृतस्यापि बहिर्कोतिरुदञ्चति ।।५।। અન્વયાર્થ પટવૃતિસ્થાપક(જેમ) વસ્ત્રથી આવૃત પણ મળતિ =મણિની જ્યોતિ વદિશ્વતિ બહાર ફેલાય છે (તેમ) મન્નતો પુ=પરમાત્માના અંતર્ગત ગુણ વદિમ્યુવાવર્ણી મતિ બહાર અભ્યદયને બતાવનાર હોય છે. પણ શ્લોકાર્થ : જેમ વસ્ત્રથી આવૃત પણ મણિની જ્યોતિ બહાર ફેલાય છે, તેમ પરમાત્માના અંતર્ગત ગુણ બહાર આવ્યુદયને બતાવનારા હોય છે. પII ૧ પટવૃતપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે પટથી આવૃત ન હોય તો મણિની જ્યોતિ બહાર દેખાય છે, પરંતુ પટથી આવૃત પણ મણિની જ્યોતિ બહાર દેખાય છે. ટીકા - વિિતિ-વ્ય: IT! ટીકાર્ય : શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ શ્લોકની ટીકા કરેલ નથી. પા. ભાવાર્થ : જેમ વસ્ત્રથી ઢંકાયેલા મણિની જ્યોતિ બહાર પ્રગટ થાય છે, તેમ ભગવાનના ક્ષાયિકભાવના અંતરંગ ગુણો વિશિષ્ટ પ્રકારના ઔદયિક ભાવોને બહાર પ્રગટ કરે છે. અહીં વિશેષ એ છે કે ભૂતકાળના પુણ્યના ઉદયથી ભગવાનની બાહ્ય પુણ્યપ્રકૃતિ પણ અન્ય કરતાં અસાધારણ છે, અને કેવળજ્ઞાન થયા પછી ભગવાનમાં પ્રગટ થયેલા ક્ષાયિકભાવના ગુણોને કારણે, તે બહિરંગ અભ્યદયને બતાવનારી પુણ્યપ્રકૃતિ પણ અતિશયિત થાય છે. તેથી કેવળ બાહ્ય સંપદા પણ Page #52 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૫-૬ ૨૯ ઉભયથી વ્યપદેશ પામે એવા મહત્ત્વને પામે છે, એ પ્રકારનું પૂર્વ શ્લોકના કથન સાથે પ્રસ્તુત શ્લોકનું યોજન છે. આનાથી એ ફલિત થાય કે કેવળ બાહ્ય સંપદાથી પણ ભગવાન મહાન છે એ પ્રકારનો નિર્ણય ભગવાનને જોતાં થઈ શકે છે. માટે બાહ્ય સંપદાથી વિભુના વિભુત્વનું અનુમાન પ્રાજ્ઞને થઈ શકે છે, તેથી માયાવીમાં અતિપ્રસંગ પ્રાપ્ત થાય નહીં. પા અવતરણિકા : स्वभावभेदादपि कार्यैकलिङ्गकं महत्त्वमाह અવતરણિકાર્ય :-- સ્વભાવના ભેદથી કાર્યએકલિંગક એવા મહત્ત્વને કહે છે પણ • ‘સ્વમાવમેવાર્તાપ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે પૂર્વમાં અંતરંગ સંપદાથી અને બાહ્ય સંપદાથી વિભુનું મહત્ત્વ બતાવ્યું તેનાથી તો ભગવાનનું મહત્ત્વ છે, પરંતુ સ્વભાવભેદથી પણ ભગવાનનું મહત્ત્વ છે, તે પ થી બતાવે છે. ભાવાર્થ: ભગવાનનો સ્વભાવ અન્ય ભવ્યજીવો કરતાં જુદો છે. તે રૂપ સ્વભાવના ભેદથી પણ ભગવાનનું મહત્ત્વ છે; અને અન્ય ભવ્યજીવો કરતાં વિશિષ્ટ એવું ભગવાનમાં ૨હેલું તથાભવ્યત્વ કાર્યએકલિંગક છે અર્થાત્ તે સ્વભાવનું કાર્ય ચરમ ભવમાં પ્રગટ થાય છે, ત્યારે તે કાર્યથી તે સ્વભાવભેદનું જ્ઞાન થાય છે; અને તે સ્વભાવભેદને કારણે પણ ભગવાન અન્ય જીવો કરતાં મહાન છે. - અહીં વિશેષ એ છે કે વ્યવહારનય માટીમાંથી જે જે કાર્યો થઈ શકે તેવી સંભાવના હોય તે તે સર્વ કાર્યો કરવાનો સ્વભાવ તે માટીમાં સ્વીકારે છે. તેથી જે માટીમાંથી રમકડાં થાય છે, તે માટીમાં ઘટાદિ કાર્યો થવાનો સ્વભાવ પણ સ્વીકારે છે. તે રીતે જે જીવો તીર્થંકર થયા વિના મોક્ષમાં જાય છે તેઓમાં પણ તીર્થંકર થવાનો સ્વભાવ વ્યવહારનય સ્વીકારે છે; કેમ કે તેવી સામગ્રી ન મળે તો તીર્થંકરનામકર્મ ન પણ બાંધે, તેમ વ્યવહારનય માને છે. - વળી, નિશ્ચયનય જે સામગ્રીમાંથી જે કાર્ય થાય તે સામગ્રીમાં તે જ કાર્ય થવાનો સ્વભાવ માને છે, અન્ય કાર્ય થવાનો સ્વભાવ માનતો નથી; જેમ કે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧ એક માટીના પિંડના બે ભાગ કરીને એક ભાગમાંથી રમકડાં થાય તો તે માટીના એક ભાગમાં રમકડાં થવાનો સ્વભાવ છે, તેમ સ્વીકારે છે, પણ તેમાં અન્ય ઘટાદિ કાર્ય થવાનો સ્વભાવ સ્વીકારતો નથી. તેથી નિશ્ચયનય કાર્યના ભેદથી કારણમાં સ્વભાવનો ભેદ માને છે. આ નિયમ પ્રમાણે જે જીવો તીર્થકર થાય છે તેમાં જ તીર્થકર થવાનો સ્વભાવ નિશ્ચયનય માને છે, અન્ય ભવ્યજીવોમાં તીર્થકર થવાનો સ્વભાવ માનતો નથી. માટે તીર્થંકરના આત્માઓ સ્વભાવના ભેદથી પણ અન્ય જીવો કરતાં મહાન છે, તેમ નિશ્ચયનય કહે છે. તેથી નિશ્ચયનયની દૃષ્ટિથી સ્વભાવભેદને કારણે પણ ભગવાનનું મહત્ત્વ આ ગ્લાકમાં બતાવે છે. બ્લોક : भेदः प्रकृत्या रत्नस्य जात्यस्याजात्यतो यथा । - તથાપિ તેવી મેલડપ્ય: માવત: iાદા અન્વયાર્થ : થા=જે પ્રમાણે પ્રવૃત્વ=પ્રકૃતિ વડે સ્વભાવ વડે સનાત્યતા અજાત્યથી= અજાત્યરત્નથી નાસ્થ રત્નચ=જાત્યરત્નનો મે=ભેદ છે, તથા તે પ્રમાણે મર્યાપિ અર્વાગૂ પણ=મિથ્યાત્વાદિ દશામાં પણ, જેમ્ય =અન્ય જીવો કરતાં સ્વમાવત =સ્વભાવથી સેવ-દેવતો=ભગવાનનો મે=ભેદ છે. દા. શ્લોકાર્ચ - જે પ્રમાણે સ્વભાવ વડે અજાત્યરત્નથી જાત્યરત્નનો ભેદ છે, તે પ્રમાણે અર્વાગ પણ મિથ્યાત્વાદિ દશામાં પણ, અન્ય જીવો કરતાં સ્વભાવથી ભગવાનનો ભેદ છે. III ટીકા :__ भेद इति-अर्वागपि मिथ्यात्वादिदशायामपि, “स्वभावत" इति, अन्यथा स्वस्मिन्नन्य-वृत्तिगुणापत्तेः । न च प्रागभावाभावानेयमापत्तिः, स्वगुणप्रागभावस्य स्वयोग्यता-परिणतिपर्यवसितत्वादिति भावः ।।६।। Page #54 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૬ ટીકાર્ય ઃ अर्वागपि ..... માવઃ ।। શ્લોકમાં ગર્વાપ શબ્દ છે તેનો અર્થ મિથ્યાત્વાદિ દશામાં પણ, એમ સમજવું. અન્યથા=સ્વભાવથી ભેદ છે એ પ્રમાણે ન માનીએ તો–તીર્થંકરના આત્માઓનો સ્વભાવથી અન્ય જીવોથી ભેદ છે એ પ્રમાણે ન માનીએ તો, સ્વમાં અન્યવૃત્તિગુણની આપત્તિ આવે=ભગવાનના આત્મામાં તે ગુણ ન હતો, પરંતુ અન્યમાં તે ગુણ હતો જે ભગવાનમાં પ્રાપ્ત થયો, તેમ માનવાની આપત્તિ આવે. તેથી મિથ્યાત્વાદિ દશામાં પણ અન્ય જીવોથી તીર્થંકરના જીવોનો સ્વભાવથી ભેદ છે, તેમ શ્લોકમાં કહ્યું છે. તીર્થંકરના અંતિમ ભવમાં જે વિશિષ્ટતા છે તે વિશિષ્ટતાનો ભગવાનના પૂર્વભવોમાં પ્રાગભાવ હોવાથી ભગવાનના ચરમ ભવમાં તે વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે, બીજા જીવોમાં તેવી વિશિષ્ટતાના પ્રાગભાવનો અભાવ હોવાથી તેવી વિશિષ્ટતારૂપ કાર્ય બીજા જીવોમાં થતું નથી. આમ માનવાથી મિથ્યાત્વાદિ દશામાં ભગવાનનો સ્વભાવભેદ ન માનવા છતાં સ્વમાં અન્યવૃત્તિ ગુણની આપત્તિ નથી, એમ પૂર્વપક્ષી કહે છે, તે બતાવીને પૂર્વપક્ષીનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - ૩૧ પ્રાગભાવનો અભાવ હોવાથી આ આપત્તિ નહીં આવે એમ ન કહેવું; કેમ કે સ્વગુણપ્રાગભાવનું સ્વયોગ્યતાપરિણતિમાં પર્યવસાનપણું છે, એ પ્રમાણે ભાવ છે. IÇI ♦ ‘અર્વાપિ=મિથ્યાત્વાશિયાવિ’ અહીં ‘વિ' થી સમ્યક્ત્વ અને ચારિત્રનું ગ્રહણ કરવું અને ‘વિ’ થી એ કહેવું છે કે ચરમ ભવમાં તો અન્ય જીવો કરતાં ભગવાનનો સ્વભાવથી ભેદ છે, પરંતુ મિથ્યાત્વાદિ દશામાં પણ ભગવાનનો અન્ય જીવો કરતાં સ્વભાવથી ભેદ છે. ભાવાર્થ: સ્વભાવભેદથી ભગવાનનું મહત્ત્વ ઃ ભગવાન ચરમ ભવમાં તીર્થંકર થાય છે અને બીજા ભવ્ય જીવો તીર્થંકર થતા નથી, તેથી તીર્થંકરરૂપ કાર્યના લિંગથી અન્ય જીવો કરતાં ભગવાનનો સ્વભાવ જુદો છે, એમ અનુમાન થાય છે; અને આ સ્વભાવ અનાદિ કાળથી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જિનમહત્ત્વાગિંશિકા/શ્લોક-૧ અન્ય જીવો કરતાં જુદો હતો, તેથી ભગવાન સમ્યક્ત્વ પામ્યા તેની પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં પણ અન્ય જીવો કરતાં ભગવાનનો સ્વભાવ જુદો છે. તેથી આ સ્વભાવભેદથી ભગવાનનું મહત્ત્વ છે. અહીં અન્ય જીવો કરતાં ભગવાનનો સ્વભાવ જુદો ન માનવામાં આવે અને એમ કહેવામાં આવે કે બધા ભવ્યજીવોનો સ્વભાવ સરખો છે, ફક્ત તીર્થકરના આત્માને તે પ્રકારની સામગ્રી મળવાથી તીર્થંકરનામકર્મ બાંધ્યું માટે ચરમ ભવમાં તીર્થકર થઈને મોક્ષમાં ગયા; અને બીજા ભવ્ય જીવો પણ ભગવાન જેવા સ્વભાવવાળા હતા, આમ છતાં, તીર્થકર નામકર્મની સામગ્રી ન મળી માટે તીર્થકર થયા નહીં; તો એ પ્રાપ્ત થાય કે અન્ય જીવોના જેવો ભગવાનનો સ્વભાવ છે, પરંતુ તીર્થકર થવારૂપે વિશેષ સ્વભાવ નથી, છતાં તીર્થકર થવાની સામગ્રી મળવાને કારણે તીર્થંકરનામકર્મ બાંધ્યું અને તીર્થકર થયા. પરંતુ આમ સ્વીકારીએ તો સ્વમાં અન્યવૃત્તિગુણની આપત્તિ આવે અર્થાત્ ભગવાનમાં અન્ય જીવોની જેમ તીર્થકર થવાનો સ્વભાવ ન હતો, છતાં તેની સામગ્રીને પામીને તીર્થકર થવાનો સ્વભાવ પ્રગટ થયો. તેથી તે સ્વભાવ કોઈ અન્યમાં હતો તે ભગવાનમાં આવ્યો, તેમ માનવું પડે. વસ્તુતઃ દ્રવ્યાસ્તિકનય સ્વીકારે છે કે જે વસ્તુમાં જે ભાવ શક્તિરૂપે રહેલો હોય તે સામગ્રી મળવાથી અભિવ્યક્ત થાય છે. તેથી ભગવાનમાં તીર્થકર થવાનો સ્વભાવ શક્તિરૂપે રહેલો હતો, તે તીર્થકર નામકર્મના બંધની સામગ્રી પામીને અભિવ્યક્ત થયો. તેથી ભગવાનમાં અન્ય જીવો કરતાં અસાધારણ એવો તીર્થંકરનામકર્મનો સ્વભાવ શક્તિરૂપે સ્વીકારવો જોઈએ, અને તે સ્વભાવ ન સ્વીકારવામાં આવે તો તીર્થકર નામકર્મના બંધની સામગ્રીથી કોઈ અન્ય જીવમાં શક્તિરૂપે રહેલો તે ગુણ તીર્થકર નામકર્મના બંધની સામગ્રીથી ભગવાનમાં આવે છે, તેમ માનવાની આપત્તિ આવે. અહીં પૂર્વપક્ષી કહે કે ભગવાનમાં મિથ્યાત્વાદિ અવસ્થા વખતે અન્ય જીવો કરતાં સ્વભાવભેદ નથી, પરંતુ ભગવાનના આત્મામાં તીર્થકર નામકર્મનો પ્રાગભાવ છે, જે અન્ય જીવોમાં નથી, તેથી ચરમ ભવમાં સામગ્રી મળતાં તે તીર્થકર બને છે. આમ, તીર્થકરના આત્માનો પૂર્વમાં સ્વભાવભેદ નહીં માનવા છતાં પણ ચરમ ભવમાં તીર્થકર થાય છે, તેમ માની શકાય છે; વળી તેથી ‘પૂર્વમાં તીર્થકર Page #56 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વવાાિંશિકા/શ્લોક-૬ થવાના સ્વભાવને ન સ્વીકારવા છતાં અન્યમાં રહેલા ગુણની પ્રાપ્તિનો દોષ આવશે નહીં, કેમ કે તીર્થકરના આત્મામાં તીર્થકરપણાનો પ્રાગભાવ હતો, તેથી તીર્થકર થયા; અને અન્ય જીવો પણ તીર્થકર જેવા સ્વભાવવાળા હોવા છતાં તીર્થકરપણાનો પ્રાગભાવ તેમનામાં નથી, માટે તીર્થકર થતા નથી. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સ્વગુણપ્રાગભાવનું સ્વયોગ્યતાપરિણતિમાં પર્યવસિતપણું છે.’ આશય એ છે કે તીર્થકરના આત્મામાં તીર્થકરગુણનો પ્રાગભાવ પૂર્વપક્ષીએ સ્વીકાર્યો, તે તીર્થંકરગુણનો પ્રાગભાવ તે તીર્થકર થવાની યોગ્યતાની પરિણતિમાં પર્યવસાન પામે છે. તેથી એ ફલિત થયું કે તીર્થંકરના આત્મામાં તીર્થકર થવાની યોગ્યતાની પરિણતિ છે અને અન્ય આત્મામાં તીર્થકર થવાની યોગ્યતાની પરિણતિ નથી. તેથી અર્થથી ભગવાનનો સ્વભાવ અન્ય જીવો કરતાં જુદો છે, તે સિદ્ધ થાય છે. આથી સ્વમાં અન્યવૃત્તિગુણની આપત્તિના નિવારણ માટે જે પ્રાગભાવની કલ્પના પૂર્વપક્ષીએ કરી તે ભગવાનના સ્વભાવભેદમાં વિશ્રાંત થાય છે. માટે ભગવાનનો સ્વભાવભેદ હોવાને કારણે પણ ભગવાન અન્ય જીવો કરતાં મહાન છે. અહીં વિશેષ એ છે કે નૈયાયિક માને છે કે ઘટના અવયવોમાં ઘટનો પ્રાગભાવ રહેલો છે, અને તે ઘટના અવયવોને ઘટના પ્રાગભાવથી અન્ય એવી ઘટનિષ્પત્તિની સામગ્રી મળે ત્યારે ઘટના પ્રાગભાવનો નાશ થાય છે અને ઘટ ઉત્પન્ન થાય છે; અને ઘટ ઉત્પન્ન થયા પછી પણ ઘટના અવયવો વિદ્યમાન છે, છતાં ફરી તે ઘટના અવયવોને ઘટનિષ્પત્તિની સામગ્રી આપવામાં આવે તો તે ઘટના અવયવોમાંથી બીજો ઘટ નિષ્પન્ન થતો નથી, તેનું કારણ ઘટનિષ્પત્તિની અન્ય સામગ્રી વિદ્યમાન હોવા છતાં ઘટના અવયવોમાં ઘટનો પ્રાગભાવ નથી. તેથી નૈયાયિક કહે છે કે ઘટની ઉત્પત્તિની ઉપાદાન સામગ્રી ઘટના અવયવો છે, અને ઉપાદાન સામગ્રીમાં ઘટનો પ્રાગભાવ રહેલો છે, તે પણ ઘટ પ્રતિ કારણ છે, અને ઘટ નિષ્પન્ન થયા પછી ઘટના અવયવોમાં ઘટનો પ્રાગભાવ નાશ પામે છે, તેથી તે ઘટના અવયવોને અન્ય સામગ્રી પ્રાપ્ત થાય તોપણ ફરી ઘટ ઉત્પન્ન થતો નથી. તે નિયમને સામે રાખીને તીર્થકરના આત્મામાં તીર્થકરપણાનો પ્રાગભાવ રહેલો છે, તેમ સ્વીકારી, નૈયાયિની યુક્તિ અનુસાર કોઈ સ્વભાવભેદનો અપલાપ કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે– તીર્થકરપણાનો પ્રાગભાવ તે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૬-૭ તીર્થંકરપણાની યોગ્યતારૂપ છે. તેથી ભગવાનના આત્મામાં અન્ય ભવ્યજીવો કરતાં સ્વભાવભેદની સિદ્ધિ થાય છે અને તે સ્વભાવભેદથી પણ વિભુ મહાન છે, તેમ સિદ્ધ થાય છે. IIકા અવતરણિકા : ભગવાનનું મહત્વ બાહ્ય સંપદાથી છે, અંતરંગ સંપદાથી પણ છે અને સ્વભાવભેદથી પણ છે તે શ્લોક-૧ થી ૬ સુધી બતાવ્યું. તેથી એ ફલિત થાય કે ચરમ ભવમાં ભગવાન કેવળજ્ઞાન પામે છે ત્યારે, ભગવાનમાં વર્તતી બાહ્ય સંપદા પણ ભગવાનનું મહત્ત્વ બતાવે છે, ભગવાનના અંતરંગ ગુણો પણ ભગવાનનું મહત્વ બતાવે છે, એટલું જ નહીં પણ ભગવાનનો અનાદિ કાળથી અવ્ય જીવો કરતાં સ્વભાવભેદ છે, તે પણ ભગવાનનું મહત્ત્વ બતાવે છે. ત્યાં તૈયાયિક કહે કે “તમારા ભગવાન મહાન નથી, અમારા ભગવાન મહાન છે અને તેમના ભગવાનનું મહાતપણું સ્થાપન કરવા માટે આપણા ભગવાનમાં મહાપણું કેમ નથી ? તે બતાવવા માટે તૈયાયિક જે યુક્તિ આપે છે તે બતાવીને તે કઈ રીતે સંગત નથી, તે ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક : नित्यनिर्दोषताऽभावान्महत्त्वं नेति दुर्वचः । नित्यनिर्दोषता यस्माद्घटादावपि वर्तते ।।७।। અન્વયાર્થ : નિત્યનિષતાડમાવા–નિત્યનિર્દોષતાનો અભાવ હોવાને કારણે ‘મહત્ત્વ ર'=મહત્વ નથી'=ભગવાનમાં મહત્વ નથી, ત્રિએ દુર્વચ=દુષ્ટ વચન છે; યાજે કારણથી પટોપિEઘટાદિમાં પણ નિત્યનિર્દોષતા=નિત્યનિર્દોષતા વર્તત રહે છે. કા શ્લોકાર્ચ - નિત્યનિર્દોષતાનો અભાવ હોવાને કારણે “ભગવાનમાં મહત્ત્વ નથી' એ દુષ્ટ વચન છે, જે કારણથી ઘટાદિમાં પણ નિત્યનિર્દોષતા રહે છે. IIછી Page #58 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૭ ૩૫ ‘ઘટાવાપિ’ અહીં ‘વિ' થી આકાશનું ગ્રહણ કરવું અને ‘પિ’ થી એ કહેવું છે કે નૈયાયિકને અભિમત ઈશ્વરમાં જેમ નિત્યનિર્દોષતા છે, તેમ ઘટાદિમાં પણ નિત્યનિર્દોષતા છે. ટીકા ઃ नित्येति नित्यनिर्दोषताया अभावान्महत्त्वं न, प्रक्रमाद्वीतरागे इति, दुर्वचः- दुष्टं वचनं, यस्मान्नित्यनिर्दोषता दोषात्यंताभाववत्त्वरूपा, नित्यत्वे सति इयमेव वा घटादावपि वर्तते । आदिना आकाशादिग्रहः । इत्थं च वीतरागो न महान् नित्यनिर्दोषत्वाभावादिति अन्वयिनि घटादौ दृष्टांते साधनवैकल्यमुपदर्शितं भवति, व्यतिरेकिणि चेश्वरदृष्टान्ते नोभयवादिसम्मतत्वं, वीतरागस्यैवासिद्धौ परस्याश्रयासिद्धिश्च तत्सिद्धौ वा धर्मिग्राहकमानेन तन्महत्त्वसिद्धौ बाधश्चेति દ્રષ્ટવ્યમ્ ।।૭। ટીકાર્ય : नित्यनिर्दोषताया દ્રષ્ટવ્યમ્ ।। નિત્યનિર્દોષતાનો અભાવ હોવાને કારણે મહત્ત્વ નથી=પ્રક્રમથી વીતરાગમાં મહત્ત્વ નથી, એ દુર્વચ છે દુષ્ટ વચન છે=ભૈયાયિકનું એ વચન દુષ્ટ છે; જે કારણથી દોષના અત્યંતાભાવરૂપ નિત્યનિર્દોષતા, અથવા નિત્યપણું હોતે છતે આ જ=નિર્દોષતા જ, ઘટાદિમાં પણ વર્તે છે=જ્યારથી ઘટાદિનું અસ્તિત્વ છે, ત્યારથી નિર્દોષતા છે, માટે ઘટાદિમાં નિત્યનિર્દોષતા છે. ‘ઘટાવિ’ માં ‘વિ’ પદથી આકાશાદિનું ગ્રહણ કરવું; અને આ રીતે=પૂર્વમાં સ્થાપન કર્યું કે ‘વીતરાગ મહાન નથી; કેમ કે નિત્યનિર્દોષતાનો અભાવ છે' એ પ્રકારનું તૈયાયિકનું વચન દુષ્ટ છે, અને તેમાં હેતુ આપ્યો કે ઘટાદિમાં પણ નિત્યનિર્દોષતા છે, એ રીતે, ‘વીતરાગ મહાન નથી; કેમ કે નિત્યનિર્દોષત્વનો અભાવ છે' એ પ્રકારના તૈયાયિકે કરેલા અનુમાનમાં અત્વથી એવા ઘટાદિ દૃષ્ટાંતમાં સાધનનું વૈકલ્ય બતાવાયું છે, અને વ્યતિરેકી એવા ઈશ્વરના દૃષ્ટાંતમાં ઉભયવાદી સંમતપણું નથી. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે વ્યતિરેકી એવું ઈશ્વરનું દૃષ્ટાંત ઉભયવાદી સંમત નથી, માટે તે દૃષ્ટાંતને ગ્રહણ કરીને પણ ‘વીતરાગ મહાન નથી' તે પ્રકારનું અનુમાન નૈયાયિક કરી શકે નહીં. વળી તૈયાયિકનું અનુમાન યુક્તિરહિત છે, તે બતાવવા માટે કહે છે Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૭ વીતરા સ્થવસિદ્ધો .. અને વીતરાગતી જ અસિદ્ધિ હોતે છતે પરને આશ્રયાસિદ્ધિ છેeતૈયાયિકે કરેલ અનુમાનમાં તૈયાયિકને વીતરાગરૂપે કોઈ પુરુષ અભિમત નથી. તેથી હેતુના આશ્રયરૂપ વીતરાગની અસિદ્ધિ છે, તેથી અનુમાન થઈ શકે નહીં; અને તેની સિદ્ધિ થયે છતે વીતરાગરૂપ પક્ષની સિદ્ધિ થયે છતે, ધર્મીગ્રાહકમાનથી તેના મહત્વની વીતરાગના મહત્ત્વની, સિદ્ધિ થવાથી બાલદોષ છેeતૈયાયિકના અનુમાનમાં બાધદોષ છે, એ પ્રમાણે જાણવું. IIકા ભાવાર્થ - નિત્યનિર્દોષતા મહત્ત્વનિર્ણાયક નથી : નૈયાયિક પોતાના ઈશ્વરને ત્રિકાળવર્તી નિર્દોષ માને છે, અને જૈનદર્શનની માન્યતા પ્રમાણે તીર્થકરો અનાદિશુદ્ધ નથી, તે ગ્રહણ કરીને તીર્થકરો મહાન નથી તે બતાવવા માટે તૈયાયિક અનુમાન કરે છે કે “જૈનોને અભિમત વીતરાગ મહાન નથી, કેમ કે વીતરાગમાં નિત્યનિર્દોષતાનો અભાવ છે.' આ પ્રમાણે કહીને તૈયાયિકને એ કહેવું છે કે સાધના કરીને જેઓ વીતરાગ થાય છે તેઓ મોક્ષમાં જાય છે, પરંતુ તેઓ મહાન નથી. મહાન તો ઈશ્વર છે અને ઈશ્વર સદા માટે શુદ્ધ છે, જ્યારે સાધના કરીને જેઓ વીતરાગ થાય છે, તેઓ સદા શુદ્ધ નથી=નિત્યનિર્દોષ નથી, માટે મહાન નથી. આનાથી એ ફલિત થયું કે ગ્રંથકારશ્રીએ ભગવાનનું ત્રણ પ્રકારે મહત્ત્વ બતાવ્યું ઃ (૧) બાહ્ય સંપદાથી, (૨) અંતરંગ સંપદાથી અને (૩) સ્વભાવભેદથી. હવે નૈયાયિક કહે છે કે તેવા પણ ભગવાન વીતરાગ હોવા છતાં મહાને નથી; કેમ કે તે ભગવાનમાં નિત્યનિર્દોષતા નથી. ગ્રંથકારશ્રી તેનું નિરાકરણ કરતાં કહે છે, આ પ્રકારનું નૈયાયિકનું વચન દુષ્ટ વચન છે, અને તેમાં યુક્તિ બતાવે છે કે નિત્યનિર્દોષતા ઘટાદિમાં પણ વર્તે છે. માટે નિત્યનિર્દોષતા જ્યાં હોય તે મહાન છે, તેમ કહીએ તો નિત્યનિર્દોષતાવાળા ઘટાદિને મહાન કહેવાની આપત્તિ આવે. માટે તૈયાયિકનું વચન દુષ્ટ છે. નિત્યનિર્દોષતાનો અર્થ ગ્રંથકારશ્રી બે રીતે કરે છે – (૧) દોષના અત્યંતભાવરૂપ નિત્યનિર્દોષતા, અથવા (૨) નિત્યપણું હોતે છતે નિર્દોષતા, તે નિત્યનિર્દોષતા. Page #60 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૭ (૧) દોષના અત્યંતાભાવરૂપ નિત્યનિદોષતા :નિત્યનિર્દોષતાના આ પ્રથમ અર્થ પ્રમાણે સદા દોષનો અભાવ જ્યાં હોય ત્યાં નિત્યનિર્દોષતા છે, અને તેવી નિત્યનિર્દોષતા વીતરાગમાં નથી અને ઘટાદિમાં છે. તે આ રીતે -- વીતરાગ પૂર્વમાં નિર્દોષ ન હતા, સાધના કરીને નિર્દોષ થયા. તેથી વીતરાગમાં સદા દોષનો અભાવ નથી, માટે દોષના અત્યંતાભાવરૂપ નિર્દોષતા વીતરાગમાં નથી; અને ઘટ પહેલાં દોષવાળો હતો અને પછીથી દોષ વગરનો થાય છે, તેવું નથી હોતું. તેથી ઘટમાં સદા નિર્દોષતા છે. માટે દોષના અત્યંતાભાવરૂપ નિત્યનિર્દોષતા ઘટાદિમાં છે. (૨) નિત્યપણું હોતે છતે નિર્દોષતા તે નિત્યનિર્દોષતા :નિત્યનિર્દોષતાના બીજા અર્થ પ્રમાણે રાગાદિ અનાકુળતારૂપ નિર્દોષતા જેમાં નિત્ય હોય તે નિત્યનિર્દોષતા છે, અને તેવી નિત્યનિર્દોષતા વીતરાગમાં નથી અને ઘટાદિમાં છે. તે આ રીતે – વીતરાગ વીતરાગ થાય છે ત્યારે રાગાદિ અનાકુળતારૂપ નિર્દોષતા પ્રગટ થાય છે, તેથી તે નિર્દોષતા નિત્ય નથી; કેમ કે વીતરાગ થયા પૂર્વે ભગવાન રાગાદિથી આકુળ હતા; અને ઘટાદિમાં સદા રાગાદિની અનાકુળતારૂપ નિર્દોષતા છે; કેમ કે ઘટાદિ પૂર્વમાં રાગાદિથી આકુળ હતા અને પછીથી રાગાદિથી અનાકુળ થાય છે, તેવું નથી. તેથી ઘટાદિમાં નિત્યનિર્દોષતા છે, અને વીતરાગમાં નિત્યનિર્દોષતા નથી. અહીં “ઘ' માં મદ્ર' પદથી આકાશાદિનું ગ્રહણ કરવું, તેમ ટીકામાં કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ ઘટાદિમાં નિત્યનિર્દોષતા છે, તેમ આકાશાદિમાં પણ નિત્યનિર્દોષતા છે. માટે તૈયાયિક નિત્યનિર્દોષતાનો અભાવ હોવાને કારણે વીતરાગ મહાન નથી' તેમ કહે છે, તો ઘટાદિને અને આકાશાદિને મહાન માનવાની આપત્તિ આવે. આ કથનથી શું ફલિત થયું, તે બતાવે છે – નિયાયિક અનુમાન કર્યું કે “વીતરાગ મહાન નથી; કેમ કે વીતરાગમાં નિત્યનિર્દોષતાનો અભાવ છે આ પ્રકારના નૈયાયિકના અનુમાનમાં અન્વયી દૃષ્ટાંત ઘટાદિ છે અને વ્યતિરેકી દૃષ્ટાંત ઈશ્વર છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૭ અન્વયી એવા ઘટાદિ દષ્ટાંતમાં સાધનનું વિકલપણું છે, તે આ રીતે – નૈિયાયિકે કરેલ અનુમાનમાં મહત્ત્વ ન' - એ સાધ્ય છે અને નિત્યનિર્દોષતાડવા એ સાધન છેaહેતુ છે, અને અન્વયી એવા ઘટાદિ દૃષ્ટાંતમાં મહત્ત્વ ન' એ સાધ્ય વિદ્યમાન છે, પરંતુ નિત્યનિર્દોષતાડમાવત્' એ સાધનનું વિકલપણું છે; કેમ કે ઘટાદિમાં નિત્યનિર્દોષતાનો અભાવ નથી, પરંતુ નિત્યનિર્દોષતા છે. અન્વયી દૃષ્ટાંત એટલે જેમાં સાધ્ય અને હેતુની પ્રાપ્તિ હોય. અહીં ઘટાદિમાં ‘મહત્ત્વન' એ રૂપ સાધ્ય વિદ્યમાન છે અને નિત્યનિષતાડવી’ એ સાધન હતું, જો મળતો હોય તો જ તે અન્વયી દૃષ્ટાંત બને. અહીં અન્વયી એવા ઘટાદિ દૃષ્ટાંતમાં સાધ્યને સાધનાર એવા નિત્યનિર્દોષતાના અભાવરૂપ હેતુનું વિકલપણું છે, તેથી તે અન્વયી દષ્ટાંત સાધ્યનું ગમક બનતું નથી. કેટલાક અનુમાનના સ્થાનમાં અન્વયી દૃષ્ટાંત ન મળતું હોય ત્યારે વ્યતિરેકી દૃષ્ટાંતથી અનુમાન કરવામાં આવે છે. તેમ પ્રસ્તુતમાં નૈયાયિક કહે છે કે અન્વયી દૃષ્ટાંતથી વીતરાગમાં મહત્ત્વનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી; કેમ કે ઘટાદિમાં હેતુની અપ્રાપ્તિ છે. તેથી અમે અન્વયી દૃષ્ટાંતને ગ્રહણ કરીશું નહીં, પરંતુ વ્યતિરેકી દૃષ્ટાંતથી સાધ્યની સિદ્ધિ કરીશું. વ્યતિરેકી દષ્ટાંત એટલે જેમાં સાધ્ય પણ ન હોય અને હેતુ પણ ન હોય. 'वीतरागो न महान् नित्यनिर्दोषत्वाभावात् ईश्वरवत्, अत्र ईश्वरो व्यतिरेकी दृष्टांत:' આ અનુમાન દ્વારા વીતરાગ મહાન નથી, તેમ તૈયાયિક સિદ્ધ કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે વ્યતિરેકી દૃષ્ટાંતમાં ઉભયવાદીસંમતપણું નથી. જે વ્યતિરેકી દૃષ્ટાંત પ્રત્યક્ષથી દેખાતું હોય તેને દૃષ્ટાંત તરીકે સ્વીકારી શકાય, પરંતુ પ્રસ્તુતમાં ઈશ્વરરૂપ વ્યતિરેકી દૃષ્ટાંત પ્રત્યક્ષથી દેખાતું નથી. વળી જે દૃષ્ટાંત પ્રત્યક્ષથી ઉપલબ્ધ ન હોવા છતાં જે દૃષ્ટાંતમાં સાધ્યનો અભાવ અને હેતુનો અભાવ ઉભયવાદીને માન્ય હોય તે વ્યતિરેકી દૃષ્ટાંત સ્વીકારી શકાય. પ્રસ્તુતમાં ફૅશ્વરવત્ એ દૃષ્ટાંત તૈયાયિકને માન્ય છે, જેનોને માન્ય નથી. માટે તે વ્યતિરેકી દૃષ્ટાંતના બળથી સાધ્યની સિદ્ધિ થઈ શકે નહીં. તેથી તૈયાયિકે કરેલું અનુમાન વીતરા ને મહાન' એ સિદ્ધ થતું નથી; કેમ કે વ્યતિરેકી દૃષ્ટાંત ઉભયવાદીને સંમત નથી. વળી ગ્રંથકારશ્રી નૈયાયિકનું કરેલું અનુમાન યુક્તિ વગરનું છે, તે બતાવવા અર્થે કહે છે - Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૭-૮ નૈયાયિકને ગ્રંથકારશ્રી પૂછે છે કે – “વીતરાગ મહાન નથી' એ પ્રકારના કરાયેલા અનુમાનમાં વીતરાગ પક્ષ છે, અને તે વીતરાગ તમને માન્ય છે કે નહીં ? અને જો નૈયાયિક કહે કે “વીતરાગ અમને માન્ય નથી અર્થાત્ જગતમાં કોઈ વીતરાગ નથી', તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે “જગતમાં કોઈ વીતરાગ ન હોય તો વીતરાગની અસિદ્ધિની પ્રાપ્તિ થાય અને વીતરાગ અસિદ્ધ હોય ત્યારે વીતરા ની મહા નિત્યનિષત્વબાવા' એ પ્રકારના અનુમાનમાં હેતુના આશ્રયની અસિદ્ધિ પ્રાપ્ત થાય. તેથી નૈયાયિકને આશ્રયાસિદ્ધિ નામનો દોષ પ્રાપ્ત થાય. માટે આ અનુમાન થઈ શકે નહીં. તેથી આ આશ્રયાસિદ્ધિ દોષને ટાળવા માટે નિયાયિક કહે કે “વીતરાગ અમને માન્ય છે, પરંતુ વીતરાગ મહાન નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે “વીતરાગની સિદ્ધિ થયે છતે ધર્મીગ્રાહકપ્રમાણથી વીતરાગમાં મહત્ત્વ સિદ્ધ થશે.' આશય એ છે કે જગતના અન્ય જીવો વીતરાગ નથી, અને આ પુરુષ અન્ય જીવો કરતાં મહાન છે; કેમ કે વીતરાગ છે, એ પ્રકારની બુદ્ધિથી વીતરાગનો સ્વીકાર થાય છે, એ વીતરાગને સ્વીકારવાનું પ્રમાણ છે, અને આ ધર્મીગ્રાહકમાન છે. તેથી જે પ્રમાણથી વીતરાગને સ્વીકાર્યા તે પ્રમાણથી વીતરાગમાં મહત્ત્વ સિદ્ધ થાય છે; કેમ કે સર્વ સંસારી જીવો કરતાં વીતરાગ વિશેષ છે, તેથી મહાન છે; અને વીતરાગમાં ધર્મીગ્રાહકપ્રમાણથી મહત્ત્વ સિદ્ધ થયા પછી તે વીતરાગને પક્ષરૂપે સ્વીકારીને વીતરાગ મહાન નથી' એ પ્રકારના અનુમાનમાં બાધ દોષ છે; કેમ કે સાધ્યની સિદ્ધિ થયા પછી “સાધ્ય નથી' તેમ કહી શકાય નહીં. માટે નિયાયિકે કરેલું અનુમાન સંગત નથી. તેથી એ ફલિત થયું કે વીતરાગ મહાન છે અને વીતરાગની મહાનતા પૂર્વમાં બતાવેલ (૧) બાહ્ય સંપદા, (૨) અંતરંગ સંપદા અને (૩) સ્વભાવભેદ એ ત્રણ હેતુથી સિદ્ધ થાય છે. IIછા અવતરણિકા : ‘વીતરાગ મહાન નથી; કેમ કે નિત્યનિર્દોષતાનો અભાવ છે. એ પ્રકારના પૂર્વશ્લોક-૭માં તૈયાયિકે કરેલા અનુમાનમાં ઘટરૂપ અવયી દષ્ટાંત બનાવીને ગ્રંથકારશ્રીએ હેતુની વિકલતા બતાવી. તેથી તૈયાયિક હેતુનો પરિષ્કાર Page #63 -------------------------------------------------------------------------- ________________ ४० જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૮ કરીને દોષ દૂર કરે, તે બતાવીને, તે પરિષ્કાર પણ સંગત નથી, તે બતાવતાં ग्रंथारश्रीहेछ Reोs : सात्मन्येव महत्त्वाङ्गमिति चेत्तत्र का प्रमा । पुमन्तरस्य कल्प्यत्वाद्ध्वस्तदोषो वरं पुमान् ।।८।। मन्वयार्थ :आत्मन्येव-मात्मामा रहेदी ०४ सा=नित्यनिषता महत्त्वाङ्गमत्यर्बु छे, इति चेत् मे प्रमाणे ने यायि तो तत्र-तेमां-नेयाविना थनमा का प्रमा-शुं प्रमाग छ ? अर्थात् जो प्रमाएनथी. पुमन्तरस्य कल्प्यत्वाद्=पुरुषांतर प्यपगुंडोवाथी अन्य पुरुषनी se4ना ६२वी ५ती डोवाथी ध्वस्तदोषः पुमान् वरंध्यस्तोषवाको पुरुष श्रेष्ठ छ=महत्वना અંગરૂપે સ્વીકારવો શ્રેષ્ઠ છે. દા. दोहार्थ: આત્મામાં રહેલી જ નિત્યનિર્દોષતા મહત્ત્વનું અંગ છે, એ પ્રમાણે જો નૈયાયિક કહે, તો તેમાં તૈયાયિકના કથનમાં, શું પ્રમાણ છે? અર્થાત્ કોઈ પ્રમાણ નથી. અન્ય પુરુષની કલ્પના કરવી પડતી હોવાથી ધ્વસ્તદોષવાળો પુરુષ શ્રેષ્ઠ છે મહત્ત્વના અંગરૂપે સ્વીકારવો શ્રેષ્ઠ છે. llcil टी : सेति-सा=नित्यनिर्दोषता, आत्मन्येव-आत्मनिष्ठेव, महत्त्वाङ्गम्, इत्थं च नित्यनिर्दोषात्मत्वाभावस्य हेतुत्वान्न दृष्टान्ते साधनवैकल्यमिति भावः । अत्राह - इति चेत् ? तत्र आत्मनि नित्यनिर्दोषत्वे, का प्रमा=किं प्रमाणम् ? तथा च प्रतियोग्यप्रसिद्ध्याऽभावाप्रसिद्धेहेंतुरेवासिद्ध इति भावः । महत्पदप्रवृत्तिनिमित्ततयैव नित्यनिर्दोषात्मत्वं सेत्स्यतीत्यत आह-पुमन्तरस्य नित्यनिर्दोषस्य पुंसः, कल्प्यत्वाद् वरं ध्वस्तदोषः पुमान् कल्पनीयः, तथा च दोषात्यन्ताभाववदात्मत्वापेक्षया लघौ दोषध्वंस एव महत्पदप्रवृत्तिनिमित्तत्वकल्पनं न्याय्यमिति भावः । वस्तुत: पदप्रवृत्तिनिमित्तमात्रं न पदार्थान्तरकल्पनक्षममिति द्रष्टव्यम् ।।८।। Page #64 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/બ્લોક-૮ ટીકાર્ય : सा नित्यनिर्दोषता દ્રષ્ટવ્યમ્ ।। આત્મચેવ=આત્મામાં રહેલી જ સા તે= નિત્યનિર્દોષતા, મહત્ત્વનું અંગ છે, અને આ રીતે=આત્મામાં રહેલી જ નિત્યનિર્દોષતા મહત્ત્વનું અંગ છે એ રીતે, નિત્યનિર્દોષાત્મત્વાભાવનું હેતુપણું હોવાથી દૃષ્ટાંતમાં=‘વીતરાગ મહાન નથી' એને સાધવા માટે અન્વયી દૃષ્ટાંતમાં, સાધનનું વિકલપણું નથી, એ પ્રકારનો તૈયાયિકનો આશય છે. अत्राह અહીં=નૈયાયિકે કરેલ પરિષ્કારમાં ગ્રંથકારશ્રી કહે છે ..... ..... આ પ્રમાણે તૈયાયિક કહે તો તેમાં=આત્મામાં, નિત્યનિર્દોષતા સ્વીકારવામાં શું પ્રમાણ છે ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી; અને તે રીતે=આત્મામાં નિત્યનિર્દોષતા સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી તે રીતે, પ્રતિયોગીની અપ્રસિદ્ધિ હોવાને કારણે=નિત્યનિર્દોષાત્મત્વરૂપ પ્રતિયોગીની અપ્રસિદ્ધિ હોવાને કારણે, અભાવની અપ્રસિદ્ધિ હોવાથી=નિત્યનિર્દોષાત્મત્વાભાવની અપ્રસિદ્ધિ હોવાથી, હેતુ જ અસિદ્ધ છે=ભૈયાયિકના કરાયેલા અનુમાનમાં હેતુ જ અસિદ્ધ છે, એ પ્રકારનો ભાવ છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે નૈયાયિક કરેલા અનુમાનમાં પ્રતિયોગીની અપ્રસિદ્ધિ હોવાને કારણે અભાવની અપ્રસિદ્ધિ પ્રાપ્ત થાય, તેથી હેતુની અસિદ્ધિ પ્રાપ્ત થાય. તેથી હેતુની સિદ્ધિ કરવા અર્થે નૈયાયિક કહે છે ૪૧ મહત્પદની પ્રવૃત્તિના નિમિત્તપણા વડે જ નિત્યનિર્દોષાત્મત્વ સિદ્ધ થશે. એથી ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે — નિત્યનિર્દોષ એવા અન્ય પુરુષની કલ્પના કરવી પડતી હોવાથી ધ્વસ્તદોષવાળો પુરુષ કલ્પવો ઉચિત છે, અને તે રીતે=મહત્પદની પ્રવૃત્તિના આશ્રયરૂપે ધ્વસ્તદોષવાળા પુરુષની કલ્પના કરવી ઉચિત છે તે રીતે, દોષતા અત્યન્નાભાવવાળા આત્મત્વની અપેક્ષાએ લઘુ એવા દોષધ્વંસમાં જ મહત્ત્પદપ્રવૃત્તિનિમિત્તપણું કલ્પવું ન્યાય્ય છે=યુક્ત છે, એ પ્રમાણે ભાવ છે. વસ્તુતઃ પદપ્રવૃત્તિનિમિત્તમાત્ર પદાર્થાન્તરની કલ્પના કરવા સમર્થ નથી, એ પ્રમાણે જાણવું. ॥૮॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૮ ભાવાર્થ : પૂર્વ શ્લોક-૭માં નૈયાયિકે અનુમાન કરેલ કે ‘વીતરાગ મહાન નથી; કેમ કે વીતરાગમાં નિત્યનિર્દોષતાનો અભાવ છે; અને તેમાં આપેલ અન્વયી ઘટાદિ દૃષ્ટાંતમાં તૈયાયિકને હેતુની વિકલતાની પ્રાપ્તિ થઈ. તેથી તૈયાયિક હેતુનો પરિષ્કાર કરતાં કહે છે કે ઘટાદિ પદાર્થો જડ છે. તેમાં રહેલી નિત્યનિર્દોષતા મહત્ત્વનું અંગ નથી, પરંતુ આત્મામાં જ રહેલી નિત્યનિર્દોષતા મહત્ત્વનું અંગ છે. તેથી પૂર્વના શ્લોક-૭માં ‘વીતરાગ મહાન નથી' તેની સિદ્ધિ કરવા માટે ‘નિત્યનિર્દોષતાઽ માવાત્’ હેતુ કહેલ, તે હેતુમાં પરિષ્કાર પ્રાપ્ત થાય છે, અને ‘નિત્યનિર્વેષાત્મા ખાવાત્' એ હેતુ બને છે. આ પરિષ્કારથી હેતુમાં ‘આત્મત્વ’ શબ્દનો પ્રવેશ થવાથી અન્વયી એવા ઘટાદિ દષ્ટાંતમાં ‘મહૃત્ત્વ ન' એ સાધ્ય પણ પ્રાપ્ત થશે અને નિત્યનિર્દોષાત્મત્વાભાવરૂપ હેતુ પણ પ્રાપ્ત થશે. તેથી અન્વયી ઘટાદિ દૃષ્ટાંતમાં હેતુવિકલતાની પ્રાપ્તિરૂપ જે દોષ હતો તે દૂર થાય છે. તેથી નૈયાયિકના મત પ્રમાણે અનુમાન આ રીતે પ્રાપ્ત થાય : ‘વીતરાગ મહાન નથી’; કેમ કે ‘વીતરાગમાં નિત્યનિર્દોષાત્મત્વાભાવ છે' અને તેમાં અન્વયી ઘટાદિ દ્દષ્ટાંત છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ ઘટાદિમાં નિત્યનિર્દોષાત્મત્વાભાવરૂપ હેતુ છે અને ‘મહત્ત્વ ન’ એ સાધ્ય છે, તેમ વીતરાગમાં પણ નિત્યનિર્દોષાત્મત્વાભાવરૂપ હેતુ હોવાથી ‘મહત્ત્વ ન’ એ સિદ્ધ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે આત્મામાં નિત્યનિર્દોષતા છે, તેમાં શું પ્રમાણ ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી. તેથી એ ફલિત થાય કે આત્મામાં નિનિર્દોષતા સિદ્ધ ન થાય તો નિત્યનિર્દોષતાનો અભાવ આત્મામાં છે તેમ કહી શકાય નહીં. જેમ જગતમાં ઘટ પ્રસિદ્ધ ન હોય તો ઘટનો અભાવ છે, તેમ કહી શકાય નહીં; પરંતુ ઘટ પ્રસિદ્ધ છે માટે ઘટનો અભાવ કહેવાય છે, અને શશશૃંગ પ્રસિદ્ધ નથી માટે શશશૃંગનો અભાવ છે તેમ કહેવાય નહીં. તે રીતે નિત્યનિર્દોષાત્મત્વ પ્રસિદ્ધ ન હોય તો નિત્યનિર્દોષાત્મત્વનો અભાવ છે, તેમ કહી શકાય નહીં. માટે નૈયાયિકે કરેલ અનુમાનમાં હેતુ અસિદ્ધ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શ્લોક-૭માં નૈયાયિકે હેતુ આપેલ તે હેતુ અન્વયી ઘટાદિ દુષ્ટાંતમાં પ્રાપ્ત થતો ન હતો; કેમ કે ઘટાદિમાં ‘મહૃત્ત્વ ન એ સાધ્ય હતું Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૮ અને નિત્યનિર્દોષતાના અભાવરૂપ હેતુની અપ્રાપ્તિ હતી. તેથી અન્વયી દૃષ્ટાંતમાં હેતુની વિકલતાની પ્રાપ્તિ થઈ. તે હેતુની વિકલતાને દૂર કરવા માટે તૈયાયિકે હેતુનો પરિષ્કાર કર્યો, જેથી દૃષ્ટાંતમાં હેતુની વિકલતારૂપ દોષ દૂર થયો, પરંતુ તેમ કરવા જતાં હેતુની અસિદ્ધિરૂપ દોષ પ્રાપ્ત થયો. હવે હેતુની અસિદ્ધિરૂપ દોષ દૂર કરવા માટે તૈયાયિક કહે છે – મહતુ પદની પ્રવૃત્તિના નિમિત્તપણા વડે નિત્યનિર્દોષાત્મતા સિદ્ધ થશે. નિયાયિકનો આશય એ છે કે જે મહાન છે તે નિત્યનિર્દોષ છે. માટે મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત મહાન પુરુષમાં રહેલ નિત્યનિષાત્મત્વ છે. આ રીતે તૈયાયિક હેતુની અસિદ્ધિનું નિવારણ કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે - મહત્પદની પ્રવૃત્તિના નિમિત્તપણા વડે નિત્યનિર્દોષ એવા પુરુષાંતરની કલ્પના કરવા કરતાં ધ્વસ્તદોષવાળા પુરુષની કલ્પના કરવી ઉચિત છે. ગ્રંથકારશ્રીનો આશય એ છે કે મહત્પદની પ્રવૃત્તિના નિમિત્તરૂપે નવા પુરુષની કલ્પના કરવા કરતાં સંસારી જીવોમાં જેણે દોષોનો નાશ કર્યો છે, તેને મહાન કહેવો એ ઉચિત છે. પુરુષાંતરની કલ્પનાની અપેક્ષાએ ધ્વસ્તદોષવાળાને મહાન કહેવો કેમ ઉચિત છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે – દોષઅત્યંતાભાવ કરતાં દોષધ્વંસ સ્વીકારવામાં લાઘવ - દોષના અત્યંતભાવવાળા આત્મત્વની અપેક્ષાએ લઘુભૂત એવા દોષધ્વસમાં જ મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્તપણે કલ્પવું યુક્ત છે અર્થાત્ મહત્પદની પ્રવૃત્તિના નિમિત્તરૂપે દોષના અત્યંતભાવવાળા આત્મત્વની કલ્પનામાં ગૌરવ દોષ આવે છે, અને દોષઘ્નસમાં મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત સ્વીકારવામાં ઉપસ્થિતિકૃત લાઘવ પ્રાપ્ત થાય છે. માટે મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત દોષધ્વંસ સ્વીકારી શકાય, પરંતુ દોષઅત્યંતભાવવાળા આત્મત્વને સ્વીકારી શકાય નહીં. અહીં દોષઅત્યંતભાવવાળા આત્મત્વને મહત્પદપ્રવૃત્તિના નિમિત્તરૂપે કલ્પના કરવામાં ઉપસ્થિતિકૃત અને શરીરકૃત ગૌરવની પ્રાપ્તિ છે, અને સંસારી આત્મામાં દોષ પ્રસિદ્ધ છે અને તેના ધ્વંસમાં મહત્પદની પ્રવૃત્તિ સ્વીકારવામાં ઉપસ્થિતિકૃત લાઘવ છે, અને શરીર પણ દોષધ્વસનું લઘુભૂત છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ४४ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ આ રીતે મહત્પદની પ્રવૃત્તિના નિમિત્તપણારૂપે નવા પુરુષની કલ્પના કરવામાં ગૌરવદોષ છે. માટે દોષધ્વંસમાં મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્તપણું કલ્પવું ઉચિત છે તેમ બતાવ્યું. આમ છતાં નૈયાયિક કહે કે ઈશ્વરને સિદ્ધ કરવા માટે અન્ય કોઈ ઉપાય નથી, તેથી ગૌરવદોષ પણ ફલમુખ છે અને ફલમુખ હોવાથી ઇષ્ટ છે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – વસ્તુત: ..... વસ્તુતઃ પદની પ્રવૃત્તિનું નિમિત્ત માત્ર પદાર્થાન્તરની કલ્પના કરવા સમર્થ નથી. આશય એ છે કે જગતમાં મહાન કોણ છે ? તે બતાવવા માટે મહત્વની પ્રવૃત્તિ છે, અને તે પ્રવૃત્તિ કરવા અર્થે એક નવા પ્રકારના પુરુષની કલ્પના કરવી તે ઉચિત નથી; પરંતુ જગતમાં જે જીવો છે તે જીવોમાંથી જે જીવો દોષોનો નાશ કરી શક્યા નથી, તે મહાન નથી, અને જે જીવોએ દોષોનો નાશ કર્યો છે તે જીવો મહાન છે, તેમ કલ્પના કરવી ઉચિત ગણાય. પરંતુ મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત કોણ છે ? એવી વિચારણાનો પ્રસંગ હોય ત્યારે દેખાતા સર્વ પદાર્થોને છોડીને એક નવા પદાર્થની કલ્પના કરવી અને તેને મહાન કહેવો તે ઉચિત ગણાય નહીં. તેથી સર્વ સંસારી જીવો કરતાં વિલક્ષણ એવા અનાદિશુદ્ધ આત્માની કલ્પના કરીને તેને મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત સ્વીકારવું તે ઉચિત કહેવાય નહીં. III અવતરણિકા : ध्वस्तदोषत्वे भगवतः समंतभद्रोक्तं मानमनुवदति - અવતરણિકાર્ચ - ભગવાનના ધ્વસ્તદોષપણામાં સમંતભદ્ર વડે કહેવાયેલ માનને પ્રમાણને, અનુવાદન કરે છે ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : પૂર્વ શ્લોક-૮માં કહ્યું કે મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત ધ્વસ્તદોષવાળો પુરુષ સ્વીકારી શકાય. ત્યાં પ્રશ્ન થાય કે આત્મામાં વર્તતા સર્વ દોષો ધ્વંસ થાય છે તેમાં પ્રમાણ શું? તેથી ભગવાનના ધ્વસ્તદોષપણામાં સમતભદ્ર નામના દિગંબરાચાર્યએ જે અનુમાન કરેલ છે, તે ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪પ જિનમહત્ત્વતાવિંશિકા/બ્લોક-૯ શ્લોક : दोषावरणयोर्हानिनि:शेषास्त्यतिशायनात् । क्वचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ।।९।। અન્વયાર્થ: =કોઈક આત્મામાં રોપાવરપયો:=દોષ અને આવરણની નિ:શેષા નિસ્તિપૂર્ણ હાનિ થાય છે; કેમ કે ગતિશાયના–તારતમ્ય છે, થા=જે પ્રમાણે સ્વદેતુ=મલક્ષયના હેતુઓથી (સુવર્ણના) વદિરન્તર્મનક્ષય =બાહ્ય અને અંતર મળનો ક્ષય થાય છે. શ્લોકાર્થ : કોઈક આત્મામાં દોષ અને આવરણની સંપૂર્ણ હાનિ થાય છે; કેમ કે તારતમ્ય છે, જે પ્રમાણે સ્વહેતુઓથી (સુવર્ણના) બાહ્ય અને અંતર મળનો ક્ષય થાય છે. III ટીકા - दोषेति-क्वचिद्दोषावरणयोनिःशेषा हानिरस्ति, अतिशायनात्=तारतम्यात्, यथा स्वहेतुभ्यो मलक्षयहेतुभ्यः, स्वर्णादेर्बहिरन्तश्च मलक्षयः । ટીકાર્ય - વવિદોષવિર ... મનક્ષય: I ક્યાંક કોઈક આત્મામાં, દોષ અને આવરણની સંપૂર્ણ હાનિ થાય છે, કેમ કે તારતમ્ય છે અર્થાત્ દોષ અને આવરણનું તારતમ્યપણું જોવા મળે છે, જે પ્રમાણે સ્વહેતુથી=મલક્ષયના હેતુથી, સુવર્ણાદિના બાહ્ય અને આંતરિક મિલનો ક્ષય થાય છે. ભાવાર્થ : ભગવાનના ધ્વસ્તદોષપણામાં સમંતભદ્ર નામના દિગંબરાચાર્યએ આ પ્રમાણે અનુમાન કરેલ છે -- ‘ર્વાવ'=કોઈક આત્મામાં - એ પક્ષ છે. ‘પાવર શેષા હન:' - એ સાધન છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૯ ‘મતિશાયના—તારતમ્યાત્' - એ હેતુ છે. વથ સ્વદેતુ: સ્વ ર્ગન્નક્ષય:' - એ દૃષ્ટાંત છે. અહીં દોષ એટલે મોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી આત્માની વિકૃતિ, અને આવરણ એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયરૂપ ઘાતિકર્મોના ઉદયથી જ્ઞાનાદિ શક્તિઓનું આવરણ=આવારક એવું કર્મ. અનુમાનમાં આપેલ સુવર્ણના દૃષ્ટાંતમાં બાહ્ય અને અંતર્મલ એટલા માટે ગ્રહણ કરેલ છે કે સુવર્ણ સાથે એકમેક થઈ ગયેલો મળ તે દોષસ્થાનીય છે અને તે અંતરમળરૂપ છે, અને સુવર્ણની ઉપર લાગેલો મળ તે આવરણસ્થાનીય છે અને તે બહિર્મળરૂપ છે. જેમ સુવર્ણના બાહ્ય અને અંતર્મળનો નાશ તેના સ્વહેતુઓથી થાય છે, તેમ આત્મામાં રહેલ અંતરંગમળરૂપ દોષો અને બહિર્મળરૂપ આવરણ તે બંનેનો નાશ તેના નાશના હેતુઓથી થાય છે, કેમ કે જેમ શુદ્ધિની પ્રક્રિયા દરમ્યાન સુવર્ણાદિમાં બાહ્યમાનો અને અંતર્મળનો અપગમ તારતમ્યરૂપે પ્રત્યક્ષ દેખાય છે, તેમ આત્મામાં પણ રાગાદિપ્રતિપક્ષભાવન આદિ ક્રિયાઓથી રાગાદિ દોષોનો તારતમ્યરૂપે અપગમ અને જ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્નથી તારતમ્યરૂપે જ્ઞાનના આવરણનો અપગમ પ્રત્યક્ષ દેખાય છે. વળી, સુવર્ણની શુદ્ધિની પ્રક્રિયા દરમ્યાન મલની તારતમ્ય હાનિ દેખાય છે અને પરિપૂર્ણ પ્રક્રિયાથી પરિપૂર્ણ હાનિ પણ દેખાય છે, તે રીતે આત્મામાં પણ દોષ અને આવરણની હાનિના તારતમ્યપણાના બળથી પરિપૂર્ણ હાનિ અનુમય બને છે. ક્યાંક દોષ અને આવરણની નિઃશેષ હાનિ છે, તેમ કહ્યું, તેનો ભાવ એ છે કે સાક્ષાત્ વીતરાગ કે સર્વજ્ઞ કોઈ દેખતું નથી; આમ છતાં અનુમાનથી એ સ્થાપન કરવું છે કે કોઈક સ્થાનમાં=કોઈક જીવરૂપ સ્થાનમાં, દોષ અને આવરણોની નિઃશેષ હાનિ છે. તેથી જેનામાં નિઃશેષ હાનિ સિદ્ધ થાય તે વીતરાગ અને સર્વજ્ઞ છે એમ સિદ્ધ થાય. યદ્યપિ “ક્વચિત્ થી ગ્રહણયોગ્ય સ્થાન સિદ્ધ ભગવંતના જીવો છે, અને વર્તમાનમાં મહાવિદેહમાં વર્તતા સર્વજ્ઞ અને વીતરાગ ભગવંતો છે, તોપણ જેમ પર્વત ઉપર વહ્નિ છે કે નહીં, તેવી શંકા હોય ત્યારે ધૂમના બળથી વહ્નિની અનુમિતિ થાય છે, તેમ વર્તમાનમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ દોષરહિત કે આવરણ Page #70 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૯ રહિત દેખાતી નથી, તેથી શંકા થાય કે દોષ અને આવરણનો સંપૂર્ણ નાશ થાય કે નહીં ? તેને અનુમાનથી બતાવતાં કહે છે કે- “કોઈક સ્થાનમાં દોષ અને આવરણની સંપૂર્ણ હાનિ છે અને તેમાં હેતુ તારતમ્યહાનિ કહેલ છે. તે હેતુથી સર્વ જીવોવર્તી તારતમ્યહાનિ ગ્રહણ કરવાની નથી, પરંતુ જે સાધક યોગી છે તેમાં પ્રથમ=આદ્ય ભૂમિકામાં, દોષ અને આવરણ ઘણા દેખાય છે, અને જેમ જેમ સાધના કરે છે તેમ તેમ ક્રમશઃ દોષ અને આવરણ ઘટતા દેખાય છે. તેથી તે હાનિરૂપ તરતમતાથી અનુમાન થઈ શકે છે કે સંપૂર્ણ દોષહાનિ પણ ક્યાંક હોવી જોઈએ; અને તેમાં જે દૃષ્ટાંત બતાવેલ છે, ત્યાં શુદ્ધ થયેલા સુવર્ણમાં સંપૂર્ણ મળhય પ્રત્યક્ષ છે, અને શુદ્ધિની પ્રક્રિયામાં વર્તતા સુવર્ણમાં તરતમતાની હાનિ પ્રત્યક્ષ છે. તેનાથી એ બતાવવું છે કે જેમ પ્રયત્નથી સુવર્ણના બહિરંગ અને અંતરંગ પળક્ષયની તરતમતારૂપે પ્રાપ્તિ થાય છે, અને પૂર્ણ હેતુની પ્રાપ્તિથી બહિરંગ અને અંતરંગ પૂર્ણ મળશયની પ્રાપ્તિ થાય છે, તેમ સાધનાની પૂર્ણતાથી કોઈક વ્યક્તિના દોષ અને આવરણની સંપૂર્ણ હાનિ પણ પ્રાપ્ત થાય છે. ઉત્થાન : ભગવાનમાં દોષોની સંપૂર્ણ હાનિને સિદ્ધ કરવા માટે સમંતભદ્રાચાર્ય વડે કહેવાયેલ અનુમાન બતાવ્યું, તેમાં ‘વિત્' એ પક્ષ છે, “રોપાવરયોનિ:શેષહાનિ' એ સાધ્ય છે અને તિરાયનાન્' એ હેતુ છે, અને ‘વથા સ્વદેતુચ્ચો વહિરન્તનક્ષય' એ દૃષ્ટાંત છે. તેથી એ પ્રાપ્ત થાય કે ‘વ’ એ પક્ષમાં=સર્વજ્ઞ વીતરાગરૂપ પક્ષમાં, ફોષાવરણન:શેષન' એ સાધ્ય પ્રાપ્ત થાય, તોપણ ‘વવિ' રૂપ પક્ષમાં ‘તિશાયનાત્' એ હેતુ પ્રાપ્ત થતો નથી, પણ દોષ અને આવરણના ક્ષય માટે સાધના કરી રહ્યા છે તેવા યોગીઓમાં દોષની અને આવરણની હાનિની તરતમતા પ્રાપ્ત થાય છે, અને નિઃશેષ હાનિરૂપ સાધ્ય વીતરાગરૂપ અધિકરણમાં પ્રાપ્ત થાય છે. માટે સાધ્ય અને હેતુ ભિન્ન અધિકરણમાં પ્રાપ્ત થાય છે. તેને એકાધિકરણ કરવા માટે અનુમાનનો આકાર કઈ રીતે ગોઠવવો યુક્ત છે તે યદ્યપિ'થી ગ્રંથકારશ્રી બતાવે છે, અને તે અનુમાનના આકારમાં શું શું દોષ આવે છે, તે બતાવીને તેનું નિરાકરણ કરવા અર્થે અને કઈ રીતે અનુમાનનો આકાર કરવાથી દોષ ન આવે, તે બતાવવા અર્થે કહે છે – Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૯ ટીકા :__ यद्यप्यत्र 'दोषावरणे निःशेषहानिप्रतियोगिनी, तारतम्यवद्धानिप्रतियोगित्वाद' इत्यनुमाने पक्षविवेचने बाधासिद्धी न 'क्वचि'त्पदग्रहणमात्रनिवत्ये, साध्याश्रयतया पृथक्कृतां व्यक्तिमनुपादायापादनाच्च न दिग्नागमतप्रवेशः । न च निःशेषहानिप्रतियोगिजातीयत्वस्य साध्यत्वे संप्रतिपन्नस्वर्णमलस्य दृष्टान्तत्वे च न कोऽपि दोष इति वाच्यं, निःशेषक्षीयमाणस्वर्णमलवृत्तिदोषावरणसाधारणौपाधिकत्वजातिसिद्ध्याऽर्थान्तरापत्तेः, दोषत्वादिजातिग्रहे च दृष्टान्तस्य साध्यविकलत्वात्, तथापि दोषत्वमावरणत्वं च निःशेषक्षीयमाणवृत्ति देशतः क्षीयमाणवृत्तिजातित्वात् स्वर्णमलत्ववदित्यत्र तात्पर्यम् ।।९।। ટીકાર્ય : યદ્યવ્યત્ર ..... તાત્પર્યમ્ ! જોકે અહીં “દોષ અને આવરણ, વિશેષ હાનિના પ્રતિયોગી છે; કેમ કે તારતમ્યવાળી હાનિનું પ્રતિયોગિપણું છે” એ પ્રકારના અનુમાનમાં પક્ષનું વિવેચન કરવામાં-પક્ષના કયા દેશમાં સાધ્ય છે? અને કયા દેશમાં હેતુ છે ? તેનું વિવેચન કરવામાં, બાધ અને અસિદ્ધિ દોષ આવે છે. તે બાધ અને અસિદ્ધિ દોષ શ્લોકમાં ‘વિત્ પદથી ગ્રહણ કરેલ છે, તેટલા માત્રથી તિવર્તન પામતા નથી. આ રીતે અનુમાનમાં ક્વચિત્ પદથી બાધ અને અસિદ્ધિ દોષ નિવર્તન પામતા નથી, એમ કોઈ બતાવે, ત્યાં ગ્રંથકારશ્રી કહે છે કે પક્ષનું વિવેચન કર્યું તેથી બાધ અને અસિદ્ધિ દોષ આવે છે, પરંતુ પક્ષનું વિવેચન ન કરવામાં આવે તો બાધ અને અસિદ્ધિ દોષ પ્રાપ્ત થાય નહીં. વસ્તુતઃ પક્ષનું વિવેચન બૌદ્ધ મત પ્રમાણે થઈ શકે, સાદાદ મત પ્રમાણે પક્ષનું વિવેચન થાય નહીં, અને તેથી દોષ આપનાર કોઈ કહે છે – સાથ્થાશ્રયતા .... અને સાધ્યાશ્રયપણા વડે પૃથફકૃત વ્યક્તિને ઉપાદાન કર્યા વગર આપાદન હોવાથી દિગ્ગાગમતમાં પ્રવેશ થશે નહીં અર્થાત્ પક્ષનું વિવેચન કરવામાં દિગ્ગાગમતમાં પ્રવેશ થશે નહીં. માટે સાધ્ય અને હેતુના આશ્રયનું જ્ઞાન કરવા અર્થે પક્ષનું વિવેચન આવશ્યક છે અને પક્ષનું Page #72 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વાત્રિશિકા/શ્લોક-૯ વિવેચન કરો તો બાધ અને અસિદ્ધિ દોષ રહેશે. માટે આ પ્રકારે અનુમાન થઈ શકે નહીં. આ રીતે પૂર્વના અનુમાનમાં પક્ષના વિવેચનની આવશ્યકતા ઊભી થવાથી બાધ અને અસિદ્ધિ દોષ આવે છે. તેથી તેના નિવારણ માટે કોઈ વ્યક્તિ અનુમાનનો આકાર બીજી રીતે કરે, તે બતાવીને તેમાં પણ દોષ કઈ રીતે આવે છે, તે બતાવે છે – ન નિઃશેષ . અને નિઃશેષહાનિપ્રતિયોગીજાતીયવતું સાધ્યપણું હોતે છતે અને સંપ્રતિપન્ન સુવર્ણમાળનું દષ્ટાંતપણું હોતે છતે, કોઈપણ દોષ નથી એમ ન કહેવું; કેમ કે વિશેષ ક્ષીયમાણ=સંપૂર્ણ ક્ષય પામતા એવા, સુવર્ણમળમાં વૃત્તિદોષ આવરણસાધારણ એવી રાગાદિ દોષ અને જ્ઞાનાવરણીયાદિ આવરણમાં સાધારણ એવી, પાધિકત્વ જાતિ સિદ્ધ થવાથી અર્થાન્તરતી આપત્તિ છે=સુવર્ણમળ, દોષ અને આવરણ, એ ત્રણમાં વૃત્તિ એક નવી જાતિ સિદ્ધ થવાની આપત્તિ છે, અને દોષત્વાદિ જાતિના ગ્રહમાં દષ્ટાંતનું સાધ્યવિકલપણું છે, તોપણ આ રીતે અનુમાન કરવામાં ઉક્ત દોષો આવે છે તોપણ, “દોષત્વ અને આવરણત્વ નિઃશેષ ક્ષીયમાણ વૃત્તિ છે; કેમ કે દેશથી ક્ષીયમાણ વૃત્તિ જાતિપણું છે. સુવર્ણમળત્વની જેમ.” એ પ્રમાણે આમાં=સમંતભદ્ર વડે કરાયેલા અનુમાનમાં, તાત્પર્ય છે=આવું તાત્પર્ય હોવાથી અનુમાનમાં ઉપરોક્ત કોઈ દોષોની પ્રાપ્તિ નથી અને આ અનુમાનથી ભગવાનમાં સંપૂર્ણ દોષ અને આવરણના નાશની સિદ્ધિ થાય છે. I. ભાવાર્થ : મૂળ શ્લોકમાં સમંતભદ્રાચાર્યનું જે કથન છે તેને અનુમાનના આકારરૂપે કઈ રીતે ગોઠવવું ઉચિત છે, તેની વિચારણા ગ્રંથકારશ્રી યદ્યપિ' થી કરે છે, અને તેમાં પ્રથમ સામાન્યથી જોતાં જે અનુમાન દેખાય છે તે બતાવે છે, અને તેમાં કઈ રીતે દોષ આવે છે તે બતાવે છે. ત્યાર પછી ટીકામાં છેલ્લે તથાપિ'થી કયા પ્રકારે અનુમાન કરવામાં આવે તો દોષ ન આવે, તે બતાવે છે – Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૦ જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૯ અહીં અનુમાનમાં કોઈ વ્યક્તિના દોષ અને આવરણને ગ્રહણ કર્યા નથી, પરંતુ જગતના તમામ જીવોવર્તી દોષ અને આવરણને પક્ષરૂપે ગ્રહણ કર્યા છે, અને તેમાં નિઃશેષ-હાનિ-પ્રતિયોગિત્યને સાધ્ય બનાવ્યું છે અને તારતમ્યવાળી હાનિપ્રતિયોગિત્વને હેતુરૂપે ગ્રહણ કરેલ છે. તેથી દોષ અને આવરણરૂપ પક્ષમાં સાધ્ય અને હેતુ પ્રાપ્ત થાય છે. માટે સાધ્ય અને હેતુના એકાધિકરણની પ્રાપ્તિ છે. સામાન્ય રીતે હેતુ અને સાધ્ય પક્ષરૂપ દેશમાં એક જ સ્થાને પ્રાપ્ત થાય છે, પરંતુ પક્ષના એક દેશમાં સાથે રહેવામાં તેમનો પરસ્પર વિરોધ હોતો નથી, જેમ ધૂમ અને વહ્નિનો પક્ષના એક દેશમાં સાથે રહેવામાં પરસ્પર વિરોધ નથી. તેથી પર્વતના જે દેશમાં વહ્નિ છે, તે જ દેશમાં ધૂમની પ્રાપ્તિ છે, પરંતુ વહ્નિ ઉત્તર દિશામાં હોય, અને ધૂમ દક્ષિણ દિશામાં હોય તેવું હોતું નથી. આથી જે દેશમાં ધૂમ દેખાય છે, તે દેશમાં વહ્નિરૂપ સાધ્યની અનુમિતિ કરાય છે, અન્ય દેશમાં નહીં. પરંતુ પ્રસ્તુત અનુમાનમાં પક્ષના જે દેશમાં નિઃશેષહાનિપ્રતિયોગિત્વ પ્રાપ્ત થાય છે, તે દેશમાં તારતમ્યવાળી હાનિનું પ્રતિયોગિત્વ પ્રાપ્ત થતું નથી; અને પક્ષના જે દેશમાં તારતમ્યવાળી હાનિનું પ્રતિયોગિત્વ પ્રાપ્ત થાય છે, તે દેશમાં નિઃશેષહાનિપ્રતિયોગિત્વ પ્રાપ્ત થતું નથી. તેથી સાધ્ય અને હેતુ એક સ્થાનમાં સાથે રહી શકતા નહીં હોવાથી, પક્ષના કયા સ્થાનમાં સાધ્ય છે અને ક્યા સ્થાનમાં હેતુ છે, તેનું વિવેચન કરવું આવશ્યક બને છે; અને તે રીતે પક્ષના દેશનું વિવેચન કરીએ તો જે દેશમાં હેતુ રહે છે તે દેશમાં સાધ્યનો બાધ પ્રાપ્ત થશે, અને જે દેશમાં સાધ્ય રહે છે ત્યાં હેતુની અસિદ્ધિ પ્રાપ્ત થશે. તે બાધ અને અસિદ્ધિદોષ પ્રસ્તુતમાં આ પ્રમાણે છે -- જેમના દોષ અને આવરણનો સંપૂર્ણ નાશ થયો છે તેમના દોષ અને આવરણ અને સાધક જીવના દોષ અને આવરણ બંનેને સામાન્યથી ગ્રહણ કરીને પક્ષ બતાવેલ છે. તેમાં જેમના દોષ અને આવરણનો સંપૂર્ણ નાશ થયો છે એ પક્ષના અંશને પૃથક કરીએ ત્યારે નિઃશેષહાનિપ્રતિયોગિત્વરૂપ સાધ્ય ત્યાં સિદ્ધ હોવાથી તારતમ્યવાળી હાનિનું પ્રતિયોગીપણું ત્યાં અસિદ્ધ છે. તેથી પક્ષના એ અંશમાં હેતુની અસિદ્ધિ થતાં સ્વરૂપાસિદ્ધિ નામનો દોષ આવશે, Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૧ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૯ અને તે જ પક્ષનો ઇતરાંશ એટલે સાધક જીવમાં વર્તતા દોષ અને આવરણને લઈને અનુમાન કરીશું તો નિઃશેષહાનિપ્રતિયોગિતરૂપ સાધ્યથી વિપરીત તારતમ્યવતુહાનિપ્રતિયોગિત્વનો ત્યાં પ્રત્યક્ષથી ઉપલંભ હોવાને કારણે પક્ષના એ અંશમાં નિઃશેષહાનિપ્રતિયોગિત્વરૂપ સાધ્યનો બાધ થશે. આ રીતે પક્ષનું વિવેચન કરવામાં બાધ અને અસિદ્ધિદોષ આવે છે, અને શ્લોકમાં “ક્વચિત્ પદ ગ્રહણ કરેલ છે, તેનાથી તે બાધ અને અસિદ્ધિદોષ નિવર્તન થઈ શકે નહીં, કેમ કે “ક્વચિત્ પદથી કોઈક આત્મામાં સંપૂર્ણ દોષ અને આવરણની હાનિ છે, એમ પ્રાપ્ત થાય, અને સાધક આત્મામાં રહેલા દોષ અને આવરણમાં તરતમતા છે, એમ પ્રાપ્ત થાય. તેથી ભિન્ન વ્યક્તિના દોષ અને આવરણ સંપૂર્ણ ક્ષય થયા છે અને ભિન્ન વ્યક્તિના દોષ અને આવરણમાં તરતમતા પ્રાપ્ત થાય છે, એવો અર્થ પ્રાપ્ત થાય. તેથી બાધ અને અસિદ્ધિદોષ ન આવે તે માટે પક્ષનું વિવેચન કરવું પક્ષના વિભાગો કરવા, ઉચિત નથી. અહીં પ્રશ્ન થાય કે પક્ષનું વિવેચન ન કરીએ તો પક્ષના જે દેશમાં સાધ્ય છે, ત્યાં હેતુ નથી, પરંતુ અન્ય દેશમાં હેતુ છે. માટે સાધ્ય અને હેતુ પરસ્પર સ્થાને પ્રાપ્ત થતા હોય તો તે હેતુથી અનુમાન કઈ રીતે થઈ શકે ? તેની વિચારણા કરવા માટે પક્ષનો વિભાગ કરવો આવશ્યક છે. તેથી પક્ષનું વિવેચન કરવું ઉચિત નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – પક્ષનું વિવેચન કરીએ તો બૌદ્ધમતનો સ્વીકાર થાય, અને આ અનુમાન કરનાર વ્યક્તિ સ્યાદ્વાદી છે. તેથી બૌદ્ધ માને છે તે રીતે એક જ પક્ષના બે વિભાગ કરે નહીં માટે સ્યાદ્વાદીને બૌદ્ધમત પ્રમાણે પક્ષનો વિભાગ કરીને બાધ-અસિદ્ધિદોષ આપી શકાય નહીં. પક્ષના વિવેચનમાં બૌદ્ધમતનો સ્વીકાર આ રીતે પ્રાપ્ત થાય છે – બૌદ્ધમત ધર્મના ભેદથી ધર્મીનો ભેદ માને છે. આથી એક એવા બીજને પણ કુર્ઘદ્રપત્ર અને અકુર્વકૂપવરૂપે તે જુદા કરે છે. તે રીતે એક જ દોષઆવરણરૂપ પક્ષને નિઃશેષતાનિપ્રતિયોગિત્વ અને તારતમ્યવદૂહાનિપ્રતિયોગિત રૂપે જુદા કરવામાં આવે તો બૌદ્ધમતનો સ્વીકાર થાય. તેથી પક્ષનું વિવેચન કરવું ઉચિત નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ પર જિનમહત્ત્વવાત્રિશિકા/શ્લોક-૯ આમ પક્ષનું વિવેચન કરવાથી બૌદ્ધમતમાં પ્રવેશની આપત્તિ હોવાથી પક્ષનું વિવેચન સ્યાદ્વાદી કરે નહીં. તેથી બાધ અને અસિદ્ધિદોષ આવે નહિ. અહીં ગ્રંથકાર વડે કરાયેલા અનુમાનમાં પક્ષનું વિવેચન કરવા છતાં “સ્યાદ્વાદીનો બૌદ્ધમતમાં પ્રવેશ નહિ થાય” એમ યુક્તિથી બતાવીને પક્ષનું વિવેચન આવશ્યક છે, તેમ બતાવવાપૂર્વક, આ પ્રકારનું અનુમાન બાધ અને અસિદ્ધિદોષવાળું છે. માટે આ પ્રકારનું અનુમાન થઈ શકશે નહિ, એ પ્રમાણે કોઈક કહે છે. તે આ રીતે -- સાધ્યના આશ્રયપણારૂપે પૃથકૃત વ્યક્તિનું ઉપાદાન કરેલ નથી=પ્રસ્તુતમાં નિઃશેષતાનિપ્રતિયોગિત્વરૂપ જે સાધ્ય છે, તેનો આશ્રય જે દોષઆવરણરૂપ પક્ષ છે, તેમાં સાધ્યાશ્રયતા રહેલ છે, અને તે સાધ્યાશ્રયપણા વડે હેતુના આશ્રયથી પક્ષરૂપ વ્યક્તિને પૃથ ગ્રહણ કરેલ નથી અર્થાત્ પૃથ ગ્રહણ કર્યા વગર જ અમે પક્ષમાં બાધ અને અસિદ્ધિદોષનું આપાદન કરેલ છે. તેથી દિગ્નાગમતમાં બૌદ્ધમતમાં, પ્રવેશ નથી. કહેવાનો આશય એ છે કે સાધ્યનો આશ્રયપક્ષ અને હેતુનો આશ્રયપક્ષ પૃથક રૂપે ગ્રહણ કરીને જો બાધ અને અસિદ્ધિદોષ આપાદન કરવામાં આવે તો દિગ્નાગમતમાં પ્રવેશ થાય. પરંતુ અમે તો=આ પ્રકારનો અનુમાન કરનાર સ્યાદ્વાદીએ તો, સાધ્યનો આશ્રય અને હેતુનો આશ્રય એક જ પક્ષ ગ્રહણ કરેલ છે, અને તે એક જ પક્ષના દેશનો વિભાગ કરીને બાધ અને અસિદ્ધિનું આપાદન કરેલ છે, તેથી સ્યાદ્વાદીનો દિગ્નાગમતમાં પ્રવેશ નહીં થાય. અહીં વિશેષ એ છે કે પર્વતરૂપ પક્ષને ગ્રહણ કરીને પર્વતની પૂર્વ દિશામાં ધૂમાડો જોઈને કોઈ પશ્ચિમ દિશામાં વહ્નિનું અનુમાન કરે, ત્યારે તે અનુમાન સાચું નથી, તે બતાવવા માટે પર્વતરૂપ પક્ષનું વિવેચન કરીને કહેવું પડે કે જે દેશમાં ધૂમરૂપ હેતુ છે તે દેશમાં વહ્નિની સિદ્ધિ થઈ શકે, પરંતુ જે દેશમાં ધૂમાડો નથી, તે દેશમાં વહ્નિની સિદ્ધિ થઈ શકે નહીં. તેમ પ્રસ્તુતમાં દોષ અને આવરણરૂપ પક્ષને ગ્રહણ કરીને જેના દોષ અને આવરણમાં નિઃશેષ હાનિનું પ્રતિયોગિત્વ છે, તેના દોષ અને આવરણમાં તારતમ્યતાવાળી હાનિનું પ્રતિયોગિત પ્રાપ્ત થતું હોય તો સાધ્યની સિદ્ધિ થઈ શકે; પણ જેના દોષ અને આવરણમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/મ્લોક-૯ ૫૩ તારતમ્યતાવાળી હાનિનું પ્રતિયોગિત્વ છે, તેના દોષ અને આવરણમાં નિઃશેષ હાનિનું પ્રતિયોગિત્વ નથી, પરંતુ અન્યના દોષ અને આવરણમાં તારતમ્યતાવાળી હાનિનું પ્રતિયોગિત્વ છે. તેથી સાધ્ય અને હેતુની એક દેશમાં અપ્રાપ્તિ છે. માટે જેમ પૂર્વ દિશામાં દેખાતા ધૂમથી પશ્ચિમ દિશામાં વહ્નિની અનુમિતિ થઈ શકે નહીં, તેમ તારતમ્યહાનિપ્રતિયોગિત્વરૂપ હેતુથી નિઃશેષહાનિપ્રતિયોગિત્વની સિદ્ધિ થઈ શકે નહીં, તે બતાવવા માટે પક્ષનું વિવેચન કરીને બાધ અને અસિદ્ધિદોષ બતાવેલ છે. આ રીતે પૂર્વના અનુમાનમાં પક્ષના વિવેચનની આવશ્યકતા ઊભી થવાથી બાધ અને અસિદ્ધિદોષ આવે છે, જેના નિવારણ માટે કોઈ વ્યક્તિ અનુમાનનો આકાર બીજી રીતે કરે છે. તેને બતાવીને તેમાં પણ દોષ કઈ રીતે આવે છે, તે બતાવે છે. - ન ધ વાચ્યું કોઈ આ રીતે અનુમાન કરે કે વર્તમાનમાં કોઈક સાધક વ્યક્તિ છે, તેના દોષ અને આવરણને અમે પક્ષ કરીશું, અને તેમાં નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વને સાધ્ય બનાવીશું, અને તારતમ્યવાળી હાતિપ્રતિયોગિત્વને હેતુ કરીશું અને સંપ્રતિપક્ષ સુવર્ણમળને દૃષ્ટાંત કરીશું, તેથી કોઈ દોષ આવશે નહીં. તે આ રીતે - સર્વજ્ઞ અને વીતરાગના દોષ અને આવરણની નિઃશેષ હાનિ છે. તેના પ્રતિયોગી સર્વજ્ઞ અને વીતરાગના દોષો અને આવરણો છે, અને તેમાં રહેલી જે દોષત્વ અને આવરણત્વ જાતિ છે, તદ્નાતિય જ સાધક આત્મામાં રહેલા દોષો અને આવરણો છે. તેથી સાધક આત્મામાં રહેલ દોષ અને આવરણમાં નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વરૂપ સાધ્યને સ્વીકારવામાં હેતુ અને સાધ્ય એકાધિકરણ પ્રાપ્ત થશે; કેમ કે સાધક વ્યક્તિમાં સાધનાથી દોષ અને આવરણની તારતમ્યતાથી હાનિ પ્રાપ્ત થાય છે. તેથી તેઓના દોષ અને આવરણ ‘તારતમ્યવદ્’ હાનિના પ્રતિયોગી છે. તેથી સાધક આત્મામાં રહેલા દોષ અને આવરણમાં તારતમ્યહાનિપ્રતિયોગિત્વરૂપ હેતુની પ્રત્યક્ષથી સિદ્ધિ છે અને તેના દ્વારા સાધક આત્મામાં રહેલા દોષ અને આવરણમાં નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વની અનુમાનથી સિદ્ધિ થશે; અને આ અનુમાનની સંગતિ કરવા માટે સુવર્ણમળના Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૪ જિનમહત્ત્વહાવિંશિકા/શ્લોક-૯ ક્ષયરૂપ દૃષ્ટાંતને બદલે સંપ્રતિપન્ન સુવર્ણમળને દૃષ્ટાંત તરીકે ગ્રહણ કરીશું. સંપ્રતિપન્ન સુવર્ણમળ=સમ્યક પ્રકારે પ્રતિપન્ન અર્થાત્ સુવર્ણની સાથે એકમેક ભાવવાળો મળ, અહીં દૃષ્ટાંત તરીકે ગ્રહણ કરીશું, અને તેવા સુવર્ણમળમાં પ્રક્રિયાથી સાક્ષાત્ શુદ્ધિ થતી દેખાય છે, તેથી તારતમ્યહાનિપ્રતિયોગિતરૂપ હતુ સાક્ષાત્ દેખાય છે, અને તે સુવર્ણમળમાં નિઃશેષતાનિપ્રતિયોગિજાતિયત્વરૂપ સાધ્ય પણ લોકઅનુભવથી સિદ્ધ છે; કેમ કે શુદ્ધિની પ્રક્રિયા દ્વારા પૂર્ણ શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. તેથી શુદ્ધ થતા સુવર્ણમાં નિઃશેષહાનિપ્રતિયોગિજાતિય આ તારતમ્યહાનિપ્રતિયોગિજાતિ છે, એમ સિદ્ધ થાય છે. પૂર્વના અનુમાનમાં જેમ પક્ષના એક દેશમાં સાધ્ય રહેતું હતું અને પક્ષના અન્ય દેશમાં હેતુ રહેતો હતો, તેવું આ પ્રકારના અનુમાનમાં નથી, પરંતુ સાધ્ય અને હેતુનું એક અધિકરણ પ્રાપ્ત થાય છે, અને જ્યાં હેતુ રહે છે ત્યાં સાધ્યની સિદ્ધિ થાય છે. તેથી પૂર્વના અનુમાનમાં જે બાધ અને અસિદ્ધિદોષ આવતા હતા, તે દોષો આ પ્રકારના અનુમાનમાં આવતા નથી. આ રીતે ‘ન વ વાર્થ' ના અંતર્ગત કથનથી બાધ અને અસિદ્ધિદોષ દૂર થયા; પરંતુ આ અનુમાનમાં અન્ય દોષો આવે છે. તે બતાવવા માટે કહે છે કે “આ પ્રકારે અનુમાન ન કરવું;' કેમ કે આ રીતે દોષનું વારણ કરશો તોપણ અન્ય આપત્તિ આવશે. તે અન્ય આપત્તિ કઈ છે, તે બતાવે છે – નિઃશેષ ક્ષીયમાણ=નિઃશેષ ક્ષય પામતા, એવા સુવર્ણમળમાં વૃત્તિ અને રાગાદિ દોષ, અને જ્ઞાનાવરણીયાદિ આવરણમાં સાધારણ એવી ઔપાધિકત્વ જાતિ સિદ્ધ થવાથી અર્થાન્તરની આપત્તિ આવશે, અને દોષત્વાદિ જાતિના ગ્રહમાં દષ્ટાંતનું સાધ્યવિકલપણું થશે. તાત્પર્ય એ છે કે નિઃશેષતાનિપ્રતિયોગિજાતિય નિઃશેષ ક્ષય પામતો સુવર્ણમળ છે, અને જે સાધક આત્માઓ દોષ અને આવરણની હાનિ નાશ કરી રહ્યા છે, તેઓમાં પણ નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વ છે. તેથી સુવર્ણમળ, દોષ અને આવરણ, એ ત્રણેમાં નિઃશેષતાનિપ્રતિયોગિજાતિયત્વ છે. તેથી એ ફલિત થાય કે ત્રણમાં એક નવી ઔપાધિક જાતિની સિદ્ધિ થઈ. તેથી જે નિઃશેષહાનિપ્રતિયોગિત્વ અને તારતમ્યહાનિપ્રતિયોગિત્વને એકાધિકરણ કરવાનો આશય હતો તે સિદ્ધ Page #78 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/બ્લોક-૯ ૫૫ થયો; પરંતુ તારતમ્યહાનિપ્રતિયોગિત્વના અધિકરણમાં=સાધક જીવના દોષાવરણરૂપ અધિકરણમાં અને સ્વર્ણમળરૂપ અધિકરણમાં, વૃત્તિ એવી નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વરૂપ ભિન્ન જાતિની સિદ્ધિ થવા રૂપ અર્થાન્તરની પ્રાપ્તિ થઈ, અને તેના વારણ માટે તમે દોષત્વાદિ જાતિનું ગ્રહણ કરશો તો દૃષ્ટાંત સાધ્યવિકલ પ્રાપ્ત થશે. તે આ રીતે અર્થાતરની પ્રાપ્તિરૂપ દોષના નિવારણ માટે જો તમે નિઃશેષહાનિપ્રતિયોગિવૃત્તિદોષત્વ અને આવરણત્વજાતિ ગ્રહણ કરશો અને તજાતિયને સાધ્ય બનાવશો તો નિઃશેષહાનિપ્રતિયોગિત્વ અને તારતમ્યહાનિપ્રતિયોગિત્વ એકાધિકરણ થઈ જશે; કેમ કે નિઃશેષહાનિના પ્રતિયોગી દોષ અને આવરણ છે, અને તેમાં વૃત્તિ દોષત્વ અને આવરણત્વ જાતિ છે, તજાતિય તારતમ્યહાનિવાળા સાધક યોગીના દોષ અને આવરણ થશે, અને આ પ્રમાણે ક૨વા જતાં સુવર્ણમળરૂપ દૃષ્ટાંતમાં સાધ્યના વિકલપણાથી પ્રાપ્તિ થશે; કેમ કે સુવર્ણમળમાં દોષત્વ જાતિ અને આવરણત્વ જાતિ જ નથી, પરંતુ બાહ્ય અને અંતર મળ જ છે. તેથી દૃષ્ટાંત સાધ્યશૂન્ય હોવાનો દોષ આવશે. માટે આ અનુમાનમાં સંપ્રતિપક્ષ સુવર્ણમળ દૃષ્ટાંત બનશે નહીં. तथापि આ રીતે અનુમાન કરવામાં ઉક્ત દોષો આવે છે, તોપણ “દોષત્વ અને આવરણત્વ નિઃશેષક્ષીયમાણવૃત્તિ છે; કેમ કે દેશથી ક્ષીયમાણવૃત્તિજાતિપણું છે, સુવર્ણમળત્વની જેમ” એ પ્રકારના આમાં=અનુમાનમાં, તાત્પર્ય છે=સમંતભદ્રે કરેલા અનુમાનનું તાત્પર્ય છે, એમ ગ્રંથકારશ્રી કહે છે. ગ્રંથકારનું તાત્પર્ય એ છે કે દોષત્વ અને આવરણત્વને પક્ષ કરીને નિઃશેક્ષીયમાણવૃત્તિત્વને સાધ્ય બનાવીશું અને દેશથી ક્ષીયમાણવૃત્તિજાતિત્વને હેતુ બનાવીશું અને સુવર્ણમળત્વને દૃષ્ટાંત બનાવીશું, એટલે કોઈ દોષ નહીં આવે. તે આ રીતે – દોષ અને આવરણ અનેક વ્યક્તિમાં આશ્રયવાળા હોવાથી પક્ષનુ વિવેચન કરવાનો જે પ્રશ્ન ઊભો થતો હતો, તે દોષત્વ અને આવરણત્વને પક્ષ કરવાથી થશે નહીં; કેમ કે દોષત્વ અને આવરણત્વ જાતિ છે, તેથી તેના દેશનો વિભાગ થશે નહીં. માટે પક્ષના વિવેચનને કારણે જે બાધ અને અસિદ્ધિદોષ આવતો હતો તે આવશે નહીં; વળી દોષત્વ અને આવરણત્વરૂપ પક્ષમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ પક જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૯ નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વ પ્રાપ્ત થાય છે અને દેશતઃક્ષીયમાણવૃત્તિજાતિત્વ પણ પ્રાપ્ત થાય છે. તે આ રીતે -- જેમના દોષો અને આવરણો સંપૂર્ણ ક્ષય પામી રહ્યા છે, તેમના દોષો અને આવરણો નિ:શેષ ક્ષીયમાણ છે અને તેમાં વૃત્તિ દોષત્વ અને આવરણત્વ છે. તેથી દોષત્વ અને આવરણત્વ જાતિમાં નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વ પ્રાપ્ત થશે, તથા સાધક એવા છમ0ના દોષો અને આવરણો દેશથી ક્ષીયમાણ દેખાય છે, તેમાં પણ દોષત્વજાતિ અને આવરણત્વજાતિ વૃત્તિ છે. માટે દોષત્વજાતિમાં અને આવરણત્વજાતિમાં દેશથી ક્ષીયમાણવૃત્તિજાતિત્વરૂપ હેતુની પ્રાપ્તિ થશે. તેથી દોષત્વ અને આવરણત્વરૂપ પક્ષમાં સાધ્ય અને હેતુ બંને પ્રાપ્ત થશે, અને તેની વ્યાપ્તિનો ગ્રહ સુવર્ણમળત્વજાતિરૂપ દૃષ્ટાંતમાં પ્રાપ્ત થશે. તે આ રીતે - જે સુવર્ણમળ નિઃશેષ ક્ષીયમાણ છે, તેમાં સુવર્ણમળત્વ જાતિ છે, અને જે દેશથી ક્ષીયમાણ છે, તેમાં પણ સુવર્ણમળત્વ જાતિ છે. તેથી જ્યાં જ્યાં દેશથી ક્ષીયમાણવૃત્તિજાતિત્વ હોય ત્યાં ત્યાં નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વ હોય, એ પ્રમાણે અહીં=પ્રસ્તુત અનુમાનમાં, વ્યાપ્તિ છે. સારાંશ - સમંતભદ્રાચાર્યએ અનુમાન કર્યું કે – “વવત્' ‘ોષાવરનિ:શેષના' ‘તશીયન' “યથા સ્વહેતુચ્ચો સ્વર્વાદરન્તર્મનક્ષય:'=કોઈક પુરુષમાં સંપૂર્ણ દોષ અને આવરણની હાનિ છે; કેમ કે સાધક આત્મામાં તરતમતાની હાનિ દેખાય છે; અને તેમાં દૃષ્ટાંત બતાવ્યું કે સુવર્ણમાના ક્ષયના હેતુથી જેમ બાહ્ય અને અંતર્મળનો ક્ષય થાય છે, તેમ દોષ આવરણનો ક્ષય થાય છે. આ અનુમાનમાં ‘ર્વાવત્' રૂપ પક્ષમાં સાધ્ય અને હેતુનું એકાધિકરણ નથી. તેથી સાધ્ય અને હેતુનું એકાધિકરણ કરવા માટે પ્રથમ અનુમાનનો આકાર આ પ્રમાણે આપ્યો : દોષ અને આવરણ નિઃશેષહાનિપ્રતિયોગિ છે; કેમ કે તારતમ્યવાળી હાનિનું પ્રતિયોગિપણું છે. આ અનુમાનથી સાધ્ય અને હેતુ દોષ અને આવરણરૂપ એક પક્ષમાં પ્રાપ્ત થયા, તોપણ અનુમાનના એક દેશમાં સાધ્યની પ્રાપ્તિ થઈ અને અન્ય દેશમાં હેતુની પ્રાપ્તિ થઈ. તેથી બાધ અને અસિદ્ધિદોષની પ્રાપ્તિ થઈ. તેના નિવારણ Page #80 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૯-૧૦ પ૭ માટે અનુમાનનો આકાર અન્ય રીતે કર્યો કે જેથી સાધ્ય અને હેતુ એક સ્થાનમાં પ્રાપ્ત થાય, અને તે અનુમાન આ પ્રમાણે છે – દોષ અને આવરણને પક્ષ કરીને નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વને સાધ્ય બનાવ્યું અને તેમાં દૃષ્ટાંત પણ સુવર્ણમાળના ક્ષયને બદલે સંપ્રતિપન્ન સુવર્ણમળને બનાવ્યું. આ પ્રકારના અનુમાનથી સાધ્ય અને હેતુ એકાધિકરણ પણ પ્રાપ્ત થાય છે અને એક સ્થાનમાં પણ પ્રાપ્ત થયા. તેથી હેતુ સાધ્યનો ગમક બને છે અને દૃષ્ટાંતમાં પણ સાધ્ય અને હેતુની વ્યાપ્તિ મળે છે. આમ છતાં ‘હમતવૃત્તિ પાવરસધારોધિગતિ' રૂપ નવી જાતિની સિદ્ધિ થઈ, જે જાતિ સ્વીકારી શકાય નહીં. જેમ ઘટત્વજાતિ કે પટવજાતિ સ્વીકારાય, પરંતુ ઘટપટઉભયવૃત્તિ નવી જાતિ સ્વીકારાતી નથી; તેમ સુવર્ણમળવૃત્તિદોષઆવરણ સાધારણ જાતિ સ્વીકારી શકાય નહીં. તેથી આ પ્રકારનું અનુમાન પણ ગ્રંથકારને ઇષ્ટ નથી. તેથી ગ્રંથકારશ્રી અન્ય પ્રકારનું અનુમાન આ પ્રમાણે કરે છે – અહીં દોષ અને આવરણરૂપ પક્ષના બદલે દોષત્વ અને આવરણત્વ જાતિને પક્ષ કર્યા અને નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વને સાધ્ય બનાવ્યું અને દેશથી ક્ષીયમાણવૃત્તિજાતિત્વને હેતુ બનાવ્યો અને સુવર્ણ મળત્વજાતિને દષ્ટાંત બનાવ્યું. તેથી આ અનુમાનના આકારમાં કોઈ દોષ નથી. આ અનુમાનથી સિદ્ધ થાય છે કે કોઈક વ્યક્તિમાં સંપૂર્ણ દોષ અને આવરણની હાનિ છે, અને જેનામાં સંપૂર્ણ દોષ અને આવરણની હાનિ છે, તે મહાન છે. lલા અવતરણિકા - આ રીતે ધ્વસ્તદોષત્વ વડે જ મહત્વ સિદ્ધ થઈ જવાથી અવ્ય શંકાનું પણ નિરાકરણ થાય છે. તે દર્શાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - इत्थं जगदकर्तृत्वेऽप्यमहत्त्वं निराकृतम् । कार्ये कर्तृप्रयोज्यस्य विशेषस्यैव दर्शनात् ।।१०।। Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૮ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૦ અન્વયાર્થ : રૂક્ષ્ય આ રીતે ધ્વસ્તદોષત્વ વડે જ મહત્ત્વની સિદ્ધિમાં નરર્ઝડપિક જગતનું અકર્તાપણું હોતે છતે પણ મહત્ત્વ ભગવાનનું અમહત્ત્વ નિરાવૃત નિરાકરણ કરાયું; કેમ કે વાર્થે કાર્યમાં તૃપ્રયોથી વિશેષચૈવ કપ્રયોજ્ય એવા વિશેષનું જ વર્ણનાત્રદર્શન થાય છે. ૧૦. શ્લોકાર્થ : ધ્વસ્તદોષપણા વડે જ મહત્ત્વની સિદ્ધિમાં, જગતનું અકર્તાપણું હોત છતે પણ ભગવાનનું અમહત્ત્વ નિરાકરણ કરાયું; કેમ કે કાર્યમાં કર્તપ્રયોજ્ય એવા વિશેષનું જ દર્શન છે. [૧ +‘નાતૃત્વડ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે નિત્યનિર્દોષતા નહીં હોવાને કારણે તો ભગવાનનું અમહત્ત્વ નિરાકૃત થયું, પરંતુ જગતના અકર્તા હોવાને કારણે પણ ભગવાનનું અમહત્ત્વ નિરાકૃત થયું. ટીકા : इत्थमिति-इत्थं ध्वस्तदोषत्वेनैव महत्त्वसिद्धौ जगदकर्तृत्वेऽपि सति, भगवतोऽमहत्त्वं निराकृतं, जगत्कर्तृत्वस्य क्वचिदप्यसिद्धेश्च । न च “क्षित्यादिकं सकर्तृकं कार्यत्वात् घटादिवत्" इत्यनुमानात्तत्सिद्धिः, अप्रयोजकत्वात् । कार्यत्वेन कर्तृत्वेन च कार्यकारणभावस्य विपक्षबाधकस्य तर्कस्य सत्त्वात् नाप्रयोजकत्वमिति चेन्न, कार्यत्वावच्छिन्नं प्रति कर्तृत्वेन हेतुत्वे प्रमाणाभावात्, कार्ये घटादौ कर्तृप्रयोज्यस्य कर्तृजन्यतावच्छेदकस्य विशेषस्यैव क्षितिमेदिव्यावृत्तजातिविशेषस्यैव दर्शनाद् ‘इदं सकर्तृकमिदं च न' इति व्युत्पन्नव्यवहारेण ग्रहणाद्, व्याप्यधर्मेण व्यापकधर्मान्यथासिद्धस्तदवच्छिन्न एव कर्तृत्वेन हेतुत्वात् । ટીકાર્ય : આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, ધ્વસ્તદોષપણા વડે જ મહત્વની સિદ્ધિમાં, જગતનું અકર્તાપણું પણ હોતે છતે ભગવાનનું અમહત્ત્વ નિરાકરણ કરાયું. Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૯ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અહીં શંકા થાય કે નિત્યનિર્દોષરૂપે ઈશ્વરની સિદ્ધિ ભલે ન થાય, પણ જગતનો કર્તા માનવામાં શું વાંધો છે ? તેથી કહે છે – અને જગતના કર્તાપણાની ક્યાંય પણ સર્વત્ર જ, અસિદ્ધિ છે. પૂર્વમાં કહ્યું કે જગતના કર્તાપણાની ક્યાંય પણ=સર્વત્ર જ, અસિદ્ધિ છે. તેથી તૈયાયિક જગતના કર્તા એવા ઈશ્વરની સિદ્ધિ કરવા જે અનુમાન બતાવે છે. તે બતાવીને ગ્રંથકારશ્રી તેનું નિરાકરણ કરે છે – ફિત્યાદિ સકર્તક છે; કેમ કે કાર્યપણું છે ઘટાદિની જેમ.” આ પ્રકારના અનુમાનથી તેની સિદ્ધિ છે=જગત્કર્તાની સિદ્ધિ છે, એ પ્રમાણે ન કહેવું; કેમ કે અપ્રયોજકપણું છે હેતુનું અપ્રયોજકપણું છે; અને કાર્યપણા વડે અને કર્તાપણા વડે કાર્યકારણભાવરૂપ વિપક્ષબાધક તર્કનું વિદ્યમાનપણું હોવાથી અપ્રયોજકપણું નથી=હેતુનું અપ્રયોજકપણું નથી, એ પ્રમાણે જો તૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું. તેમાં હેતુ બતાવે છે – વાર્યત્વવચ્છિન્ન પ્રતિકાર્યમાત્ર પ્રતિ, નૃત્યેન-કર્તાપણાથી, હેતુપણામાં પ્રમાણનો અભાવ છે. કાર્યત્નાવચ્છિન્ન પ્રતિ કર્રપણાથી હેતુપણામાં પ્રમાણનો અભાવ કેમ છે ? તેમાં હેતુ કહે છે – કાર્ય એવા ઘટાદિમાં કર્તૃપ્રયોજ્યના વિશેષનું જ કર્તવ્યના અવચ્છેદક એવા વિશેષનું જ અર્થાત્ ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃતજાતિવિશેષનું જ, દર્શન છે; કેમ કે આ સકર્તક છે અને આ નથી આ સકતૃક નથી' એ પ્રકારના વ્યુત્પન્ન વ્યવહારથી ગ્રહણ થાય છે કજચતાવચ્છેદક ક્ષિતિમેરુ આદિ વ્યાવૃત જાતિવિશેષનું ગ્રહણ થાય છે. અહીં કોઈ કહે કે “આ સકર્તક છે અને આ સકર્તક નથી' એવો વિભાગ ન કરતાં, કેટલાંક કાર્યો સકર્તક દેખાય છે તેના ઉપરથી અન્ય કાર્યને પણ સકર્તક સ્વીકારીને, તેના કર્તા તરીકે ઈશ્વરને સ્વીકારવામાં આવે તો પર્યત્વેન નૃત્વેન કાર્યકારણભાવ સ્વીકારી શકાય, અને તેમ સ્વીકારવામાં લાઘવની પ્રાપ્તિ છે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉo જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૦ વ્યાપ્ય ધર્મથી વ્યાપક ધર્મની અવ્યથાસિદ્ધિ હોવાથી તદ્અવચ્છિન્નમાં જ વ્યાપ્યધર્મઅવચ્છિન્નમાં જ ક્ષિતિમરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષમાં જ, કર્તુત્વેન હેતુપણું છે. ભાવાર્થ :(૧) જગત્કર્તુત્વ મીમાંસા : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ધ્વસ્તદોષપણા વડે ભગવાનનું મહત્ત્વ છે, અને તેમ સિદ્ધ થવાથી, “ભગવાન જગતના કર્તા નથી માટે ભગવાનમાં મહત્ત્વ નથી” એ પ્રમાણે જે તૈયાયિક કહે છે તેનું નિરાકરણ પણ થાય છે, કેમ કે ભગવાનના દોષો નાશ થયા છે માટે ભગવાન વીતરાગ છે, અને વીતરાગ હોવાથી તેમને જગતનું સર્જન કરવાનું કોઈ પ્રયોજન નથી. માટે ‘ભગવાન જગતના કર્તા નથી તેથી મહાન નથી,’ એ પ્રકારનું નૈયાયિકનું વચન અસંગત છે. વળી, બીજી પણ યુક્તિ બતાવે છે કે જગતના કર્તા તરીકે કોઈ પુરુષની ક્યાંય સિદ્ધિ નથી અર્થાતુ આખા જગતના કોઈ કર્યા છે તેવું માનવામાં કોઈ પ્રમાણ નથી, માટે પણ ભગવાન જગતના કર્તા નથી. તેથી “જગતના કર્તા હોય તે મહાન છે,” એ પ્રકારનું નિયાયિકનું વચન દુર્વચન છે, આ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે, તેને સામે રાખીને તૈયાયિક અનુમાન દ્વારા જગતના કર્તાની સિદ્ધિ કરવા પ્રયત્ન કરે છે, અને અનુમાન કરે છે કે “ક્ષિતિ આદિ સકર્તક છે કાર્યત્વ હોવાથી=ક્ષિતિ આદિમાં કાર્યપણું હોવાથી, ઘટાદિની જેમ.” આ અનુમાનથી એ ફલિત થાય કે ક્ષિતિ આદિ તેના અવયવોનું કાર્ય છે, અને જે કાર્ય હોય તેનો કોઈક કર્તા હોય. જેમ ઘટાદિ કાર્ય છે, તેનો કર્તા કુંભારાદિ છે; તેમ ક્ષિતિ આદિ પણ કાર્ય છે, માટે તેનો કોઈ કર્તા છે. તેનો કર્તા કોઈ દેખાતો નથી, માટે અનન્ય ગતિથી તેનો કર્તા ઈશ્વર છે, તેમ માનવું જોઈએ. આ રીતે યુક્તિ આપીને તૈયાયિક જગતના કર્તારૂપે ઈશ્વરની સિદ્ધિ કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે નૈયાયિકના કરાયેલા અનુમાનમાં હેતુ અપ્રયોજક છે અર્થાત્ હેતુ સાધ્યનો ગમક નથી. જેમ કોઈક કહે કે “પર્વત અગ્નિવાળો છે, રાસભ=ગધેડ, હોવાથી.” ત્યાં રામભરૂપ હેતુ અગ્નિને સિદ્ધ કરવા માટે Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉ૧ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અપ્રયોજક છે. તેમ પ્રસ્તુતમાં કાર્યસ્વરૂપ હેતુ ક્ષિતિ આદિને સકર્તક માનવા માટે અપ્રયોજક છે. તેથી ક્ષિતિ આદિ તેના અવયવોનું કાર્ય છે, તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી; પરંતુ તેને કરનાર કોઈ પુરુષ છે, તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે જગતનાં સર્વ કાર્યો કોઈ પુરુષના પ્રયત્નથી થાય છે, તેવી વ્યાપ્તિ નથી. માટે જે જે કાર્ય હોય તે તે કાર્ય પ્રતિ પુરુષનો પ્રયત્ન હોય તેવી વ્યાપ્તિ માનવામાં કોઈ પ્રમાણ નથી. આ રીતે ગ્રંથકારશ્રીએ હેતુને અપ્રયોજક સ્થાપન કર્યો. ત્યાં તૈયાયિક હેતુ અપ્રયોજક નથી, તેમ તર્ક કરીને બતાવે છે – જેમ કોઈ અનુમાન કરે કે “પર્વત વહ્નિવાળો છે, ધૂમ હોવાથી.' ત્યાં કોઈ કહે કે ધૂમરૂપ હેતુ વહ્નિનો સાધક નથી, ત્યારે ધૂમરૂપ હેતુ વહ્નિનો સાધક છે, તે બતાવવા માટે તર્ક કરવામાં આવે છે, અને સુતર્કથી પોતાનો હેતુ અપ્રયોજક નથી, તેમ સિદ્ધ થાય છે. તે રીતે પ્રસ્તુતમાં તૈયાયિક પોતાનો કાર્યવરૂપ હેતુ સાધ્યનો ગમક છે, તે બતાવવા માટે તર્ક કરે છે – કાર્યપણા વડે અને કર્તુપણા વડે કાર્યકારણભાવરૂપ વિપક્ષબાધક તર્ક વિદ્યમાન છે, માટે કાર્યત્વરૂપ હેતુ ક્ષિતિ આદિને સકર્તા સ્વીકારવામાં અપ્રયોજક નથી. આશય એ છે કે “જે જે કાર્ય હોય તે તે કર્તાથી થાય છે' આ પ્રમાણે કાર્યકારણભાવ છે. તેથી એ ફલિત થાય કે ક્ષિતિ આદિ પણ કાર્ય છે, માટે તેનો કોઈ કર્તા છે, અને આ પ્રકારનો તર્ક વિપક્ષનો બાધક છે અર્થાત્ ક્ષિતિ આદિ કાર્ય હોવા છતાં તેનો કોઈ કર્તા નથી, એ પ્રકારના વિપક્ષનો બાધક તર્ક છે. તેથી કાર્યવરૂપ હેતુ ક્ષિતિ આદિને સકર્તક સ્વીકારવામાં અપ્રયોજક નથી. આ પ્રમાણે તૈયાયિક તર્ક દ્વારા કાર્યસ્વરૂપ હેતુને સાધ્યનો ગમક છે, તેમ સ્થાપન કર્યું. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – કાર્યવાવચ્છિન્ન પ્રતિ કપણા વડે હેતુપણું સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી અર્થાત્ સર્વ કાર્ય પ્રત્યે કોઈ કર્તા હોય તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. આનાથી એ ફલિત થાય કે નૈયાયિકે સર્વ કાર્ય પ્રત્યે કર્તા હેતુ છે, તેવી વ્યાપ્તિ બાંધીને “જે જે કાર્ય હોય તે કર્તાથી થાય છે તેમ નિયમ બાંધ્યો, અને Page #85 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૦ તેના બળથી ક્ષિતિ આદિનો કર્તા બીજો કોઈ દેખાતો નથી, માટે તેનો કર્તા ઈશ્વર છે, એમ કહીને ઈશ્વરને જગતના કર્તા તરીકે સ્વીકારે છે. વસ્તુતઃ સર્વ કાર્ય પ્રત્યે કર્તા હેતુ છે, તેમ માનવામાં કોઈ પ્રમાણ નથી. કેમ પ્રમાણ નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે -- કાર્યરૂપ ઘટાદિમાં કર્તાથી પ્રયોજ્ય એવી જાતિવિશેષ જ દેખાય છે. તે જાતિવિશેષ ક્ષિતિ-મેરુ આદિમાં રહેતી નથી અને ઘટાદિમાં રહે છે, અને આ જાતિવિશેષ કર્તુજન્યતાવચ્છેદક છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કુંભારાદિ ઘટાદિ કાર્યો કરે છે, તે ઘટાદિ કાર્યો કર્તુજન્ય છે, અને તે સર્વ કાર્યોમાં કજન્યતા છે; અને આ કર્તુજન્યતા જ્યાં જ્યાં કોઈ કરનાર દેખાય છે, તેવા ઘટ, પટ, મઠ આદિ પદાર્થોમાં છે, પરંતુ ક્ષિતિ-મેરુ આદિ પદાર્થોમાં કર્તુજન્યતા નથી. તેથી અનુભવથી જે જે કાર્યો કર્તુજન્ય છે, તે સર્વમાં કર્તુજન્યતા છે; અને જે જે ક્ષિતિ-મેરુ આદિ કાર્યો કજન્ય નથી તેમ દેખાય છે, તે સ્થાનમાં કણ્વજન્યતા નથી. તેથી એ ફલિત થાય કે ક્ષિતિ-મેરુ આદિ પદાર્થોને છોડીને જેટલાં કાર્યો કોઈક પુરુષના પ્રયત્નથી જન્ય છે, તે સર્વમાં કર્નજન્યતા છે, અને તેની અવચ્છેદક એવી જાતિવિશેષ કર્તુજન્ય પદાર્થોમાં દેખાય છે, અન્યત્ર દેખાતી નથી. તેને જ આશ્રયીને “આ કાર્ય સકર્તક છે અને આ કાર્ય સકર્તક નથી,’ એ પ્રકારનો વ્યવહાર વ્યુત્પન્ન પુરુષ કરે છે. તેથી વ્યુત્પન્ન પુરુષના વ્યવહારથી એ નક્કી થાય છે કે ઘટાદિ કેટલાંક કાર્યો કર્તુજન્ય છે અને ક્ષિતિ-મેરુ આદિ કેટલાંક કાર્યો કર્તુજન્ય નથી. અહીં પ્રશ્ન થાય કે કાર્યસામાન્ય પ્રતિ કર્તાને કારણ માનવામાં કોઈ દોષ ન હોય તો તે માનવું ઉચિત ગણાય; કેમ કે સામાન્ય કાર્યકારણભાવ માનવામાં લાઘવ છે, પરંતુ સામાન્ય કાર્યકારણભાવ માનતાં કોઈ દોષ જણાય તો જ વિશેષ કાર્યકારણભાવ માનવો ઉચિત ગણાય. તેથી પ્રસ્તુતમાં કાર્યસામાન્ય પ્રતિ કર્તા સામાન્ય કારણ માનવું સંગત બનશે. એ પ્રકારની તૈયાયિકની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – વ્યાપ્યધર્મ વડે વ્યાપકધર્મની અન્યથાસિદ્ધિ હોવાને કારણે તદવચ્છિન્નમાં જ=વ્યાપ્ય ધર્માવચ્છિન્નમાં જ, કર્તુત્વેન કર્તાનું હેતુપણું છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૩ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૦ આશય એ છે કે દંડત્વેન ઘટવેન કાર્યકારણભાવ મનાય છે, તે સ્થાનમાં, જો કોઈ કહે કે ઘટના કારણરૂપ જે દંડ છે, તે સર્વ દંડોમાં જેમ દંડત્વ છે, તેમ દ્રવ્યત્વ પણ છે. તેથી સર્વ દંડનિષ્ઠદ્રવ્યત્વેન ઘટવૅન કાર્યકારણભાવ માનીએ તો કોઈ દોષ નથી; તે સ્થાનમાં વિચારકો યુક્તિ આપીને કહે કે આ રીતે દંડનિષ્ઠદ્રવ્યત્વેન ઘટવૅન કાર્યકારણભાવ સ્વીકારવામાં આવે તો કાર્યનિયતપૂર્વવર્તી દ્રવ્યત્વરૂપે દંડ પ્રાપ્ત થાય છે, તોપણ દ્રવ્યત્વેને દંડને ઘટ પ્રત્યે કારણ સ્વીકારવામાં આવતો નથી, પરંતુ દંડત્વરૂપ વ્યાપ્યધર્મ દ્વારા દ્રવ્યત્વરૂપ વ્યાપકધર્મને અન્યથાસિદ્ધ સ્વીકારવામાં આવે છે. તેથી દંડવાવચ્છિન્ન દંડની ઘટ પ્રતિ કારણતા સ્વીકારવામાં આવે છે, પરંતુ દ્રવ્યવાવચ્છિન્ન દંડની ઘટ પ્રતિ કારણતા સ્વીકારવામાં આવતી નથી. માટે ઘટરૂપ કાર્ય પ્રત્યે દ્રવ્યત્વેન દંડ અન્યથાસિદ્ધ છે. માટે દંડમાં રહેલ દ્રવ્યત્વરૂપ વ્યાપકધર્મ કારણતા અવચ્છેદક નથી. તેમ પ્રસ્તુતમાં પણ ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્ત એવી વ્યાપ્ય જાતિરૂપ ધર્મ વડે કાર્યમાત્રમાં રહેલ એવા વ્યાપકધર્મને અન્યથાસિદ્ધ સ્વીકારવામાં આવે છે. માટે કાર્યમાત્રમાં રહેલ કાર્યત્વજાતિ કર્તુજન્યતા અવચ્છેદક નથી. તેથી તદવચ્છિન્નમાં જ=વ્યાપ્ય જાતિ અવચ્છિન્નમાં જ=ક્ષિતિમેરુ આદિથી વ્યાવૃત્ત એવી જાતિવિશેષથી અવચ્છિન્ન એવા કાર્યવિશેષમાં જ, કર્તુપણા વડે હેતુપણું છે. ટીકા : पृथिवीत्वादिना सांकर्यानायं विशेष इति चेन्न, उपाधिसांकर्यस्येव जातिसांकर्यस्याप्यदूषणत्वस्य त्वदीयैरेव व्यवस्थापितत्वात्, कार्यत्वस्य कालिकसंबन्धेन घटत्वपटत्वादिमत्त्वरूपस्य नानात्वात् कृत्यव्यवहितोत्तरत्वस्य परंपरासंबन्धेन कृतित्वस्यैव वा कर्तृजन्यतावच्छेदकत्वौचित्याच्च ।।१०।। ટીકાર્ય : પૃથિવીત્યાદ્ધિના ... વોધિત્વીષ્ય | પૃથિવીવાદિની સાથે સાંકર્યું હોવાને કારણે આ વિશેષ નથી ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ નથી, એ પ્રમાણે તૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી કહે છે ને તારી વાત બરાબર નથી; કેમ કે ઉપાધિસાંકર્ષની જેમ જાતિસાંકર્યતા પણ અદૂષણપણાનું તમારા એવા નવ્યયાયિકો વડે વ્યવસ્થાપિતપણું છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ જિનમહત્ત્વાત્રિશિકા/શ્લોક-૧૦ અહીં પૂર્વપક્ષી કહે કે જે મતમાં જાતિસાર્થ દોષ છે, તે મત પ્રમાણે ક્ષિતિમેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ સિદ્ધ થશે નહીં. તેથી કાર્યત્વેન કર્તુત્વેન કાર્યકારણભાવ માનવો પડશે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે -- કાલિક સંબંધથી ઘટત્વપટવાદિમસ્વરૂપ કાર્યત્વનું નાનાપણું હોવાથી અનેકપણું હોવાથી, કૃતિઅવ્યવહિત ઉત્તરત્વનું અથવા પરંપરા સંબંધથી કૃતિત્વનું જ કર્તુજન્યતાવચ્છેદકપણાનું ઉચિતપણું હોવાથી ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ સિદ્ધ થશે, એમ અવય છે. ૧૦ || ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે વ્યાપ્યધર્મ દ્વારા વ્યાપકધર્મની અન્યથાસિદ્ધિ હોવાને કારણે ક્ષિતિ-મેરુ આદિથી વ્યાવૃત્ત એવી જાતિવિશેષથી અવચ્છિન્ન એવા કાર્યવિશેષમાં જ કર્તુત્વેન કર્તાનું હેતુપણું માનવું ઉચિત છે. ત્યાં તૈયાયિક શંકા કરતાં કહે છે કે આ રીતે ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્ત કર્તુત્વ જાતિ માનવાથી પૃથિવીત્યાદિની સાથે સાંકર્ય દોષ આવશે. તેથી આ વિશેષ જાતિ માની શકાશે નહીં. તે સાંકર્ય આ રીતે છે – પાર્થિવ પરમાણુમાં અને સિત્યાદિમાં પૃથ્વીત્વ છે, પણ ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ નથી, અને પૃથ્વી ભિન્ન જલાદિ કાર્યમાં ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ છે, પણ પૃથ્વીત્વ નથી, અને ઘટમાં પૃથ્વીત્વ છે અને ક્ષિતિમેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ પણ છે. તેથી ઘટરૂપ કાર્ય પૃથ્વીત્વ અને ક્ષિતિમેરૂ આદિ વ્યાવૃત્તજાતિવિશેષનું એકાધિકરણ થશે. આથી ભિન્નાધિકરણવૃત્તિ એવા ધર્મોનું એકાધિકરણવૃત્તિત્વરૂપ સાંકર્ય દોષ આવશે. તેથી પૃથિવીત્વાદિની સાથે ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષમાં આવતા સાંકર્યદોષને કારણે ક્ષિતિમેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ સ્વીકારી શકાશે નહીં. ૩..... આ પ્રકારની તૈયાયિકની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું, કેમ કે ઉપાધિસાંર્ષની જેમ જાતિસાકર્થના પણ અદૂષણત્વનું તમારા નવ્યર્નયાયિક વડે જ વ્યવસ્થાપિતપણું છે. તાત્પર્ય એ છે કે જેમ ઉપાધિસાંકર્ય એ દોષરૂપ નથી અર્થાત્ બે ઉપાધિરૂપ ધર્મમાં પરસ્પર સકિર્ય પ્રાપ્ત થાય તો તે ઉપાધિનું બાધક બનતું નથી, તેમ Page #88 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૦ ઉપ જાતિસાંકર્ય પણ જાતિબાધક નથી, એ વાત તમારા જ નવ્યર્નયાયિકોએ જણાવી છે, અને નયની દૃષ્ટિથી તે વાત ગ્રંથકારશ્રીને પણ માન્ય છે. માટે જાતિસાંકર્ય જાતિબાધક ન હોવાથી ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ માનવામાં કોઈ દોષ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે જે નૈયાયિકો જાતિમાં કર્યને દોષરૂપ માને છે. તેમના મતમાં આ ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ સિદ્ધ થશે નહીં, અને તે નથી આપણે પણ જોઈએ તો ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ સિદ્ધ થાય નહીં. તેથી કર્તજ તાવચ્છેદક સામાન્ય માનવું પડે અર્થાત્ કાર્ય–ાવચ્છિન્ન પ્રતિ કર્તુત્વેન સામાન્ય કાર્યકારણભાવ માનવો પડે. તેથી ઈશ્વરની સિદ્ધિ થઈ જશે. તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે – ‘ઝાનિક'..... અને કાલિક સંબંધથી ઘટત્વપટવાદિમસ્વરૂપ કાર્યત્વનું નાનાપણું હોવાથી તે કાર્યત્વ કર્તુજન્યતાવચ્છેદક બની શકશે નહિ. આથી કૃતિઅવ્યહિતઉત્તરત્વનું અથવા પરંપરા સંબંધથી કૃતિત્વનું જ કર્તુજન્યતા-વચ્છેદકપણાનું ઉચિતપણું છે. તાત્પર્ય એ છે કે નૈયાયિકો કાર્યત્વને જાતિ તરીકે માનતા નથી; કેમ કે તેમના મતમાં કાર્યત્વને જાતિ માનવામાં જાતિબાધક કોઈક છે. તેથી તેઓ કાર્યત્વને કાલિક સંબંધથી ઘટત્વપટવાદિમસ્વરૂપ માને છે=જે કાળમાં ઘટ ઉત્પન્ન થાય છે, તે કાળમાં સમવાય સંબંધથી ઘટમાં ઘટત્વ સંબદ્ધ થાય છે. તેથી તે ઘટ કાલિક સંબંધથી ઘટતવાન બને છે, અને આવો ઘટત્વવત્ ઘટ કાર્ય છે. માટે તેમાં રહેલું ઘટત્વવત્ત્વ એ કાર્યત્વ છે, અને આવાં કાર્યો જગતમાં અનેક છે. માટે આવું કાર્યત્વ અનેકરૂપે થશે. તેથી તે કજન્યતાનો અવચ્છેદક માની શકાશે નહીં. પરંતુ કૃતિના અવ્યવહિત ઉત્તરમાં કાર્ય ઉત્પન્ન થાય છે, તેથી કાર્ય કૃતિ અવ્યવહિત ઉત્તરવર્તી હોય છે અર્થાત્ કુંભાર કૃતિ કરે તે ઉત્તરકાળમાં ઘટ કાર્ય ઉત્પન્ન થાય છે, વણકર કૃતિ કરે તે ઉત્તરકાળમાં પટ કાર્ય ઉત્પન્ન થાય છે. આમ ઘટ-પટ વગેરે કાર્ય કૃતિઅવ્યવહિતોત્તર હોય છે. તેથી ઘટાદિમાં રહેલું કૃતિઅવ્યવહિતોત્તરત્વ કર્તજ તાવચ્છેદક બની શકે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૦ અહીં પ્રશ્ન થાય કે કૃતિઅવ્યવહિતોત્તરત એ જાતિરૂપ ધર્મ નથી. તેથી તે કર્તુજન્યતાની સાથે સમનિયત કેવી રીતે બનશે ? તેનું સમાધાન એ છે કે કૃતિત્વ એ જાતિરૂપ ધર્મ છે, તેના દ્વારા સર્વ કૃતિનો સામાન્યથી ગ્રહ થશે, અને તિઅવ્યવહિતોત્તર જે કોઈપણ કાર્ય છે તેમાં કૃતિઅવ્યવહિતોત્તરત્વ ધર્મ કૃતિત્વના બળથી ઉપસ્થિત થશે. માટે કોઈ દોષ નહીં આવે. આ રીતે કૃતિઅવ્યવહિતોત્તરવરૂપે અને કર્તુત્વરૂપે કાર્યકારણભાવ સ્થાપન કર્યો. આમ છતાં કૃતિઅવ્યવહિત ઉત્તરત્વ જાતિ નહીં હોવાથી કાર્યકારણભાવની ઉપસ્થિતિમાં પ્રથમ કૃતિત્વ જાતિ દ્વારા સર્વ કૃતિઓની ઉપસ્થિતિ કરવી પડશે, અને ત્યાર પછી કૃતિના અવ્યવહિત ઉત્તર જે કોઈ કાર્યો છે, તેની ઉપસ્થિતિ કરવી પડશે, અને ત્યાર પછી કૃતિઅવ્યવહિતોત્તરત્વેન અને કર્તુત્વન કાર્યકારણભાવનો બોધ થશે. તેથી ઉપસ્થિતિકૃત ગૌરવ ટાળવા માટે સંબંધની કુક્ષિમાં ગૌરવનો પ્રવેશ કરાવીને કાર્યકારણભાવ બતાવે છે. અથવા તો પરંપરા સંબંધથી કૃતિત્વને કર્તુજન્યતાવચ્છેદક માની લેવાથી કોઈ દોષ આવશે નહીં. આશય એ છે કે કૃતિ=કાર્યાનુકૂળ વ્યાપાર, સમવાય સંબંધથી કર્તામાં રહે છે, અને કૃતિત્વ સમવાય સંબંધથી કૃતિમાં રહે છે અને પરંપરા સંબંધથી કાર્યમાં રહે છે; અને કાર્ય કર્તુજન્ય છે, માટે કાર્યમાં કર્તુજન્યતા રહે છે, અને પરંપરા સંબંધથી સ્વસમવાયીજન્યતા સંબંધથી અર્થાત્ સ્વકૃતિત્વ, એનો સમવાયી કૃતિ છે અને કૃતિથી જન્ય કાર્ય છે, માટે કૃતિજન્ય કાર્યમાં કૃતિજન્યતા છે. તેથી કૃતિથી અન્ય કાર્યમાં પ્રસ્તુત સંબંધથી કૃતિત્વ રહે છે અને તે કર્તુજન્યતાવચ્છેદક બને છે, અને આમ માનવાથી ક્ષિતિ આદિમાં કૃતિત્વની ઉપલબ્ધિ નહીં થવાથી ઈશ્વરની સિદ્ધિ થશે નહિ. સંક્ષેપ - (૧) ધ્વસ્તદોષથી મહત્ત્વ સિદ્ધ થવાથી ઈશ્વર કર્તા નથી. (૨) જગત્કર્તાની ક્યાંય સિદ્ધિ નથી. (૩) અનુમાનથી પણ જગત્કર્તા એવા ઈશ્વરની સિદ્ધિ નથી. પ૧ ના Page #90 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ અવતરણિકા : द्रव्यजन्यतावच्छेदकतया सिद्धं जन्यसत्त्वमेव कर्तृकार्यतावच्छेदकं भविष्यतीत्यत आह - અવતરણિકાર્ય : નૈયાયિક કહે છે કે દ્રવ્યજન્યતાવચ્છેદકપણા વડે સિદ્ધ એવું જન્મસત્ત્વ જ કર્તૃનિરૂપિત કાર્યતાનો અવચ્છેદક થશે. એથી ગ્રંથકારશ્રી કહે છે ભાવાર્થ: જગતમાં કાર્યો દ્રવ્યરૂપ, ગુણરૂપ અને ક્રિયારૂપ છે, અને આ ત્રણેનું સમવાયી કારણ દ્રવ્ય છે, માટે એ બધાં કાર્યો દ્રવ્યથી જન્ય છે. તેથી એ બધાં કાર્યોમાં દ્રવ્યજન્યતા છે. તે દ્રવ્યજન્યતાના અવચ્છેદકપણા વડે જન્યસત્ત્વ સિદ્ધ છે; કેમ કે જન્યસત્ત્વ કાર્યમાત્રમાં છે, અને કાર્યમાત્ર દ્રવ્યથી જન્ય છે, માટે દ્રવ્યજન્યતા અને જન્યસત્ત્વ સમનિયત છે. તેથી દ્રવ્યજન્યતાના અવચ્છેદકપણાથી જન્યસત્ત્વ સિદ્ધ છે. આથી કર્તૃજન્યતાઅવચ્છેદક=કર્તૃકાર્યતાવચ્છેદક, ક્ષિતિમેર્વાદિવ્યાવૃત્તજાતિવિશેષને બદલે જન્યસત્ત્વને માનીએ તો નવા પદાર્થની કલ્પનાનો પ્રસંગ આવતો નથી અર્થાત્ ક્ષિતિમેર્વાદિવ્યાવૃત્તજાતિવિશેષરૂપ નવા પદાર્થની કલ્પનાનો પ્રસંગ આવતો નથી. તેથી કલ્પનાકૃત ગૌરવદોષ પ્રાપ્ત થતો નથી, પરંતુ લાઘવની પ્રાપ્તિ છે. માટે જન્યસત્ત્વને કર્તૃકાર્યતાવચ્છેદક માનવું ઉચિત છે; અને તેમ માનવાથી સર્વ કાર્યોમાં જન્મસત્ત્વ છે, તે જ કર્તૃકાર્યતાવચ્છેદક બનશે. તેથી બધાં જ કાર્યો કર્તુજન્ય છે, તેમ સિદ્ધ થઈ શકશે; અને સર્વ કાર્ય કર્તુજન્ય છે તેમ સિદ્ધ થાય તો, ક્ષિતિ આદિ કાર્યોનો કર્તા કોઈ દેખાતો નથી માટે ક્ષિતિ આદિ કાર્યો પ્રત્યે ઈશ્વર કર્તા સિદ્ધ થશે, એમ નૈયાયિક કહે છે. તેના નિવારણ માટે કાર્યમાત્ર પ્રત્યે કર્તૃત્વેન કર્તાનું હેતુપણું અસંગત છે, તેમ પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારશ્રી બતાવે છે ૬૭ -- અથવા શ્લોક-૧૦માં કૃતિત્વને કર્તુજન્યતાવચ્છેદક તરીકે માનવું ઉચિત છે, તેમ સિદ્ધ કર્યું, તે વાતને પુષ્ટ કરતાં જન્યસત્ત્વને કર્યુજન્યતાવચ્છેદક માનવામાં શું દોષ છે ? તે પ્રસ્તુત શ્લોકમાં કહે છે. તેથી એ સિદ્ધ થશે કે કર્તૃનિરૂપિત કાર્યતાનું અવચ્છેદક જન્યસત્ત્વ માની શકાશે નહિ, પરંતુ કૃતિત્વને અવચ્છેદક માનવું યુક્તિયુક્ત છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૧ બ્લોક – कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनापि तद् भवेत् । ज्ञानस्यैव च हेतुत्वे सिद्धे न: सिद्धसाधनम् ।।११।। અન્વયાર્થ : નૃત્વે ર હેતુત્વે અને કર્તપણા વડે કર્તાનું હેતુપણું માને છતે કર્તાનું કાર્ય પ્રતિ હેતુપણું માને છતે જ્ઞાતૃત્વેનાપિ જ્ઞાતૃત્વથી પણ તલ્ ભવે–તે થાયaહેતુપણું થાયઃકર્તાનું હેતુપણું માનવું પડે. જ્ઞાનાયે ૨ હેતુત્વે સિદ્ધ= અને જ્ઞાનનું જ હેતુપણું સિદ્ધ થયે છતે નઃ સિદ્ધનાથનઅમને સિદ્ધ સાધન છે અમને માન્ય એવા પદાર્થની જ સિદ્ધિ થશે. ૧૧ા. શ્લોકાર્ચ - અને કર્તુત્વથી કર્તાનું હેતુપણું માને છતે જ્ઞાતૃત્વથી પણ કર્તા પ્રતિ કાર્યનું હેતુપણું થાય, અને જ્ઞાનનું જ હેતુપણું સિદ્ધ થયે છતે અમને સિદ્ધ સાધન છે. ||૧૧|| અહીં અવતરણિકાના કથનથી એ પ્રશ્ન થાય કે જન્યસત્ત્વને જ કર્તૃકાર્યતાવચ્છેદક માનવું ઉચિત છે, એમ જે કહ્યું, તેના નિરાકરણરૂપે જો આ બ્લોક કહેવામાં આવ્યો છે, તો જન્યસત્ત્વ કર્તૃકાર્યતાવચ્છેદક નથી, તેમ સિદ્ધ કરવું જોઈએ. તેના બદલે “કર્તુત્વથી કર્તાને હેતુ માનશો તો જ્ઞાતૃત્વથી પણ કર્તાનું હેતુપણું થશે.” એમ શ્લોકમાં કહ્યું. તેથી અવતરણિકાનું કથન અને શ્લોકનું કથન કેવી રીતે સંગત થશે ? એમ સામાન્યથી જોતાં લાગે. પણ વિશેષ વિચાર કરતાં એ જણાય છે કે જ્યારે જન્યસત્ત્વને કર્તૃકાર્યતાવચ્છેદક માનીએ તો જન્યકાર્ય પ્રતિ કર્તુત્વથી કર્તાહેતુ પ્રાપ્ત થાય છે, કેમ કે જન્યસત્ત્વ અને કર્તૃકાર્યતા સમનિયત છે. તેથી કાર્યમાત્ર પ્રતિ કર્તુત્વથી હેતુપણું સિદ્ધ થશે; અને કર્તુત્વથી કાર્યમાત્ર પ્રત્યે કર્તાને હેતુ સ્વીકારીએ તો ઈશ્વરની સિદ્ધિ થાય, અને તે ઉચિત નથી. તે બતાવવા માટે શ્લોકમાં બતાવ્યું કે જો કાર્યમાત્ર પ્રત્યે કર્તીપણાથી કર્તાને હેતુ માનશો તો જ્ઞાતૃપણાથી પણ કર્તાને હેતુ માનવો પડે, અને તેમ સ્વીકારી શકાય નહીં. માટે ઈશ્વરની જગતુકર્તા તરીકે સિદ્ધિ નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જિનમહત્ત્વહાવિંશિકા/બ્લોક-૧૧ * “જ્ઞાતૃત્વેનાપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે કર્તુત્વપણાથી તો કર્તાનું હેતુપણું થાય, પરંતુ જ્ઞાતૃત્વથી પણ કર્તાનું હેતુપણું થાય. ટીકા : कर्तृत्वेनेति-कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनापि तद्-हेतुत्वं भवेत् तथा चानेककार्यकारणभावकल्पनम्, इत्थमप्रामाणिकमिति भावः । घटतदुपादानप्रत्यक्षयोः कार्यकारण-भावः कल्प्यमान: सामान्यव्यभिचारानुपस्थितिलाघवाभ्यां सामान्यत एव सिध्यतीति व्यणुकाधुपादानप्रत्यक्षाश्रयतया जगत्कर्तृत्वं सेत्स्यतीत्यत आह - ज्ञानस्यैव च हेतुत्वे सिद्ध अभ्युपगम्यमाने ना अस्माकं सिद्धसाधनं, प्रवाहतस्तेषामनादित्वात्, तदिदमुच्यते - “जं जहा भगवया दिळें तं तहा विपरिणमइ” (व्याख्याप्रज्ञप्ति-१-४-४१) त्ति । अपि चैवमुपादानप्रत्यक्षं निराश्रयमेव सिध्यतु, गुणस्य साश्रयकत्वव्याप्तौ मानाभावात्, क्षणमात्रमिव सदापि कस्यचिद् गुणस्यानाश्रयस्यावस्थितेर्वक्तुं शक्यत्वात् ।।११।। ટીકાર્ય - નૃત્વે ઘ ..... શયત્વાન્ II અને કપણાથી હેતુપણું હોતે છતે= કર્તીપણાથી કર્તાનું કાર્યમાત્ર પ્રત્યે હેતુપણું હોતે છત, જ્ઞાતૃપણાથી પણ તેaહેતુપણું, થાય કાર્યમાત્ર પ્રત્યે કર્તાનું હેતુપણું થાય, અને તે રીતે કાર્યમાત્ર પ્રતિ કર્રપણાથી અને જ્ઞાતૃપણાથી કર્તાનું હેતુપણું સ્વીકારવામાં આવે તે રીતે, અનેક કાર્યકારણભાવની કલ્પના કરવી પડે. આ રીતે કાર્યમાત્ર પ્રત્યે કર્તીપણાથી અને જ્ઞાતૃપણાથી કર્તાને હેતુ માનવો એ રીતે, અપ્રામાણિક છે=કાર્યકારણભાવ સ્વીકારવો અપ્રામાણિક છે. શ્લોકના પૂર્વાર્ધથી કર્તુત્વેન-કાર્યત્વેન કાર્યકારણભાવ સ્વીકારી ન શકાય, તેની યુક્તિ બતાવીને, ઈશ્વરના જગતુકર્તુત્વનું નિરાકરણ કર્યું. તેથી તૈયાયિક ઈશ્વરના જગત્કર્તુત્વની સિદ્ધિ અન્ય પ્રકારે કરે છે, તે બતાવીને શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે – ઘટ અને તેના ઉપાદાનપ્રત્યક્ષનો-ઘટ અને ઘટના ઉપાદાનકારણ કપાલ દ્વયતા પ્રત્યક્ષનો, કલ્પના કરાતો કાર્યકારણભાવ સામાન્ય વ્યભિચારની Page #93 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૧ અનુપસ્થિતિ અને લાઘવ દ્વારા સામાન્યથી કાર્યકારણભાવ સ્વીકારવામાં વ્યભિચારની અનુપસ્થિતિ અને લાઘવ દ્વારા, સામાન્યથી જ સિદ્ધ થાય છે–સામાન્યથી જ કાર્યકારણભાવ સિદ્ધ થાય છે સર્વ કાર્ય અને તેના ઉપાદાનના પ્રત્યક્ષ વચ્ચે કાર્યકારણભાવ સિદ્ધ થાય છે. એથી યમુકાદિના ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયપણાથી જગત્કર્તાપણું ઈશ્વરનું જગત્કર્તાપણું, સિદ્ધ થશે. એથી ગ્રંથકારશ્રી કહે છે – જ્ઞાનનું જ હેતુપણું સિદ્ધ થયે છ0= જ્ઞાનનું જ હતુપણું સ્વીકારાયે છતે. અમને સિદ્ધસાધન છે; કેમ કે પ્રવાહથી તેઓનું ભગવાનનું, અતાદિપણું છે. તે આ કહેવાય છે=ભગવાનનું જ્ઞાન સર્વ કાર્ય પ્રત્યે હેતુ છે, તે આ ‘ભગવતી સૂત્ર-૧-૪-૪૧માં કહેવાય છે. “જે પ્રમાણે ભગવાન વડે જે જોવાયું છે. તે પ્રમાણે તે પરિણમન પામે છે.” (ભગવતી સૂત્ર-૧-૪-૪૧) ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. પૂર્વમાં નૈયાયિકે કહ્યું કે ત્યણુકાદિના ઉપાદાનના પ્રત્યક્ષના આશ્રયપણા વડે જગતના કર્તાની સિદ્ધિ થશે. તેને ગ્રંથકારશ્રીએ કહ્યું કે “તમે જ્ઞાનને કાર્યમાત્ર પ્રત્યે હેતુ સ્વીકારશો તો અમને તે માન્ય છે. તેથી એ ફલિત થાય કે જગતમાત્રના કાર્યોના ઉપાદાનનું જ્ઞાન ઈશ્વરને છે, અને જે પ્રમાણે ઈશ્વરને જ્ઞાન છે, તે પ્રમાણે કાર્ય થાય છે, તેમ સ્વીકારવામાં જૈનોને કોઈ દોષ નથી; પરંતુ નૈયાયિકને તો ઘટરૂપ કાર્ય કરવા માટે કુંભારને તેના ઉપાદાનપ્રત્યક્ષનું જ્ઞાન આવશ્યક છે, તેમ ચણુક અને વ્યણુકાદિ કાર્ય કરવા માટે તેના ઉપાદાનનું પ્રત્યક્ષ કોઈકને આવશ્યક છે, અને તે ઉપાદાનનું પ્રત્યક્ષ ઈશ્વરને છે, અને તે જ્ઞાનવાળો ઈશ્વર યણુક ચણક આદિને કરે છે, તે પ્રમાણે અભિમત છે, અને તેના બળથી જગતના કર્તારૂપે ઈશ્વરની સિદ્ધિ કરે છે. તેનું નિવારણ કરવા માટે તૈયાયિકને બીજો દોષ આપવા અર્થે ‘પ ઘ' થી કહે છે – વળી આ રીતે ક્યણુક આદિના ઉપાદાનના પ્રત્યક્ષના આશ્રયપણા વડે જગત્કર્તાની તૈયાયિકે સિદ્ધિ કરી એ રીતે, ઉપાદાનપ્રત્યક્ષ નિરાશ્રય જ સિદ્ધ થાઓ; કેમ કે ગુણના સાશ્રયપણાની વ્યાપ્તિમાં પ્રમાણનો અભાવ Page #94 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૧ ૭૧ છે અર્થાત્ તૈયાયિકના મત પ્રમાણે ગુણ સાશ્રય હોય તેવી વ્યાપ્તિમાં કોઈ પ્રમાણ નથી; કેમ કે ક્ષણમાત્રની જેમ સદા પણ કોઈ ગુણના અનાશ્રયની અવસ્થિતિનું કહેવું શક્ય છે. [૧૧] ભાવાર્થ - કાર્ય પ્રત્યે કર્તપણાથી કર્તાને હેતુરૂપે તૈયાયિક સ્વીકારે છે. તે પ્રમાણે સ્વીકારવામાં આવે તો કાર્ય પ્રત્યે જ્ઞાતૃપણાથી પણ કર્તાને હેતુ માનવો પડે; કેમ કે કર્તા જેમ કૃતિ દ્વારા કાર્ય કરે છે, માટે કાર્ય પ્રત્યે કર્તાને હેતુ સ્વીકારવામાં આવે છે; તેમ કાર્ય કરનાર વ્યક્તિને કાર્ય કેમ કરવું તેનું જ્ઞાન છે તેથી તે કાર્ય કરી શકે છે, માટે કાર્ય કરનાર વ્યક્તિ જ્ઞાતૃપણાથી કાર્ય પ્રત્યે હેતુ છે, તેમ માનવું પડે. તેથી એ ફલિત થાય કે કાર્ય પ્રત્યે કર્તા કર્તુત્વથી હેતુ છે અને કાર્ય પ્રત્યે કર્તા જ્ઞાતૃત્વથી પણ હેતુ છે; અને તેમ સ્વીકારીએ તો અનેક કાર્યકારણભાવની કલ્પના કરવી પડે, અને તે કલ્પના પ્રામાણિક નથી. વસ્તુતઃ કાર્ય પ્રત્યે કર્તાની કૃતિ હેતુ છે, પરંતુ કર્તુત્વથી કર્તા હેતુ નથી; અને કાર્ય પ્રત્યે કૃતિને હેતુ સ્વીકારીએ તો એ ફલિત થાય કે જ્યાં જ્યાં કર્તાની કાર્યને અનુકૂળ કૃતિ દેખાય છે ત્યાં ત્યાં કાર્ય થાય છે. માટે જે સ્થાનમાં કૃતિથી કાર્ય થાય છે, તે સ્થાનમાં કાર્ય પ્રત્યે કૃતિને હેતુ માની શકાય, અને જે સ્થાનમાં કોઈની કૃતિ વગર કાર્ય થતું દેખાય છે, તે સ્થાનમાં કોઈની કૃતિ કારણ નથી, પરંતુ નૈસર્ગિક રીતે કાર્ય થાય છે, તેમ સ્વીકારી શકાય. તેના બદલે કાર્ય પ્રત્યે કર્તાને કર્તુત્વરૂપે હેતુ સ્વીકારીને સર્વ કાર્ય પ્રત્યે કોઈ કર્તા છે, તેમ માનીને, જ્યાં કોઈ કર્તા દેખાતો નથી, એ સ્થાનમાં ઈશ્વરને કર્તા માનવો તે ઉચિત નથી; પરંતુ જે સ્થાનમાં કૃતિથી કાર્ય થાય છે તે સ્થાનમાં કર્તાની કૃતિ કારણ છે, અને જે સ્થાનમાં કોઈની કૃતિ વગર કાર્ય થાય છે, ત્યાં નૈસર્ગિક કાર્ય છે, તેમ માનવું ઉચિત છે. આ પ્રકારે કર્તુત્વેન કર્તાને કાર્ય પ્રત્યે હેતુ સ્વીકારવામાં દોષ બતાવ્યો. તેથી નૈયાયિક કહે કે ઘટરૂપ કાર્ય અને ઘટના ઉપાદાનનું પ્રત્યક્ષ એ બે વચ્ચે કાર્યકારણભાવ દેખાય છે, અને તે પ્રમાણે સામાન્યથી કાર્યકારણભાવ સ્વીકારીએ તો કોઈ વ્યભિચારની ઉપસ્થિતિ નથી અર્થાત્ જેમ ઘટ બનાવનારને ઘટકાર્ય Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૧ કરવા માટે ઘટના ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક છે, તેમ પટાદિ સર્વ કાર્યો કરનારને તેના ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક છે. આ રીતે સર્વ કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ એ કારણ છે, તેમ સામાન્યથી કાર્યકારણભાવ સ્વીકારવામાં કોઈ વ્યભિચારની ઉપસ્થિતિ થતી નથી અને લાઘવની પ્રાપ્તિ થાય છે. તેના બદલે અમુક કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક છે અને અમુક કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક નથી, તેમ માનવામાં ગૌરવદોષ પ્રાપ્ત થાય છે; કારણ કે, કયાં કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક છે અને કયાં કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક નથી, તેની ઉપસ્થિતિ કરવામાં ગૌરવની પ્રાપ્તિ છે; અને તેના બદલે તે સર્વ કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક છે, તેમ સ્વીકારવામાં ઉપસ્થિતિકૃત લાઘવ છે. તેથી સામાન્યથી કાર્યકારણભાવ સ્વીકારવામાં વ્યભિચારની અનુપસ્થિતિ છે અને લાઘવ પણ છે. માટે કાર્ય અને કાર્યના ઉપાદાનનું પ્રત્યક્ષ એ બે વચ્ચે સામાન્યથી કાર્યકારણભાવ સિદ્ધ થાય છે; અને કાર્ય અને ઉપાદાનના પ્રત્યક્ષ વચ્ચે સામાન્યથી કાર્યકારણભાવ સ્વીકારવામાં આવે, તો એ પ્રાપ્ત થાય કે જેમ ઘટાદિ કાર્ય છે, તેમ કયણુક પણ કાર્ય છે અને ચણુક પણ કાર્ય છે, અને ચણકનું ઉપાદાનકારણ પરમાણુ છે અને ચણકનું ઉપાદાનકારણ ચણક છે, અને ત્યણુકના ઉપાદાનકારણનું પ્રત્યક્ષ અને સણુકના ઉપાદાનકારણનું પ્રત્યક્ષ ઈશ્વર સિવાય અન્યને નથી, અને કયણુકરૂપ કાર્ય અને aણુકરૂપ કાર્ય જગતમાં થાય છે, તેથી ચણકરૂપ અને ચણુકરૂપ કાર્યના ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયપણાથી જગત્કર્તા એવા ઈશ્વરની સિદ્ધિ થશે. આ પ્રકારે તૈયાયિક કહે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે -- જ્ઞાનને જ કાર્યમાત્ર પ્રત્યે હેતુ સ્વીકારવામાં આવે તો અમને સિદ્ધસાધન છે. આશય એ છે કે નૈયાયિકે કાર્ય અને તેના ઉપાદાનના પ્રત્યક્ષ વચ્ચે કાર્યકારણભાવ સ્વીકારીને ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયરૂપે જગતના કર્તાને સિદ્ધ કર્યો. તેનો અર્થ એ કરીએ કે ઈશ્વરનું જ્ઞાન કાર્યમાત્ર પ્રત્યે કારણ છે, તો જૈનોને તે સિદ્ધાંત માન્ય છે. તેથી જૈનોને જે માન્ય છે, તેની જ નૈયાયિક સિદ્ધિ કરી. તેથી તૈયાયિકના અનુમાનથી જૈનોને જે સિદ્ધ છે, તેની સિદ્ધિ થવાથી, જૈનોને અભિમત ઈશ્વર જગતના કર્તા નથી તેમ સ્થાપન કરવા અર્થે તૈયાયિક Page #96 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૧ જે અનુમાન કરે છે, તે અનુમાનથી તો જૈનોને અભિમત ભગવાન જ્ઞાનરૂપે જગતના કર્તા સિદ્ધ થાય છે. માટે તૈયાયિકને જે ઇષ્ટ હતું કે જૈનોને અભિમત ઈશ્વર જગતના કર્તા નથી, માટે મહાન નથી, તે સિદ્ધ ન થયું, પરંતુ જ્ઞાનને કાર્યમાત્ર પ્રત્યે હેતુરૂપે સ્વીકાર્યું, અને તે નિયમ પ્રમાણે જૈનોના ઈશ્વર પણ જગત્કર્તારૂપે સિદ્ધ થાય છે, જે જૈનોને પણ માન્ય છે. અહીં નૈયાયિક કહે કે તમારા ભગવાન કોઈ અનાદિશુદ્ધ નથી, તેથી તેઓનું જ્ઞાન કઈ રીતે કાર્યમાત્ર પ્રત્યે હેતુ બની શકે ? તેના નિરાકરણરૂપે ગ્રંથકારશ્રી કહે છે -- જેનોને અભિમત ભગવાન પણ પ્રવાહથી અનાદિ છે. તેથી જૈનોને અભિમત કોઈ તીર્થકરો વ્યક્તિગત અનાદિ નહીં હોવા છતાં તીર્થકરોનો પ્રવાહ અનાદિનો છે. તેથી એ ફલિત થયું કે જૈનોને અભિમત ભગવાન સદા પ્રવાહરૂપે પ્રાપ્ત થાય છે અને પ્રવાહથી પ્રાપ્ત થતા ભગવાનનું જગતના કાર્યમાત્ર પ્રત્યે હેતુપણું છે. માટે જ્ઞાનને કાર્યમાત્ર પ્રત્યે હેતુ સ્વીકારીને જૈનોના ભગવાનને નૈયાયિકે જગતના કર્તારૂપે સ્થાપન કર્યા, તેમ સિદ્ધ થાય છે. અહીં પ્રશ્ન થાય કે ભગવાનનું જ્ઞાન જગતના કાર્યમાત્ર પ્રત્યે કારણ છે, તેમ જૈનોને ક્યાં અભિમત છે ? તેની સાક્ષીરૂપે બતાવે છે – આગમમાં કહ્યું છે કે “જે પ્રમાણે ભગવાને જે જોયું છે, તે પ્રમાણે તે પરિણમન પામે છે.” તેથી એ ફલિત થયું કે ભગવાનના જ્ઞાનમાં જે પ્રમાણે બોધ છે, તે પ્રમાણે સર્વ કાર્યો થાય છે, પરંતુ ભગવાનના જ્ઞાનનું ઉલ્લંઘન કરીને કોઈ કાર્ય થતું નથી. માટે કાર્યમાત્ર પ્રત્યે જ્ઞાનને હેતુ કહીએ અને તે જ્ઞાનના આશ્રયરૂપે જગત્કર્તાને સ્વીકારીએ, તો જૈનોના ભગવાન પણ જગતના કર્યા છે, તેથી મહાન છે, તેમ સિદ્ધ થાય છે. આ રીતે તૈયાયિકે જેનોના ભગવાન મહાન નથી, તેમ સ્થાપન કરવા માટે, પોતાના ભગવાન જગતના કર્તા કઈ રીતે છે, તેનું સ્થાપન કરવા યત્ન કર્યો; પરંતુ તૈયાયિકના તે યત્નથી તો જૈનોના ભગવાન જગત્કર્તા સિદ્ધ થયા, અને તે મહાન છે, તેમ સિદ્ધ થયું. તેથી ગ્રંથકારશ્રીએ નૈયાયિકના અનુમાનમાં સિદ્ધસાધન દોષ બતાવ્યો. અર્થાત્ જૈનોને જે સિદ્ધ છે તેની જ નૈયાયિકે સિદ્ધિ કરી તેમ બતાવ્યું. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જિનમહત્ત્વદ્વાઢિશિકા/શ્લોક-૧૧ હવે તૈયાયિક પોતાના ઈશ્વરને જગતના કર્તારૂપે બતાવવા માટે જે અનુમાન કરે છે, ત્યાં જેમ કુંભાર ઘટના ઉપાદાનના પ્રત્યક્ષ દ્વારા ઘટરૂપ કાર્ય કરે છે, તેમ ઈશ્વર પણ ચણુક આદિના ઉપાદાનના પ્રત્યક્ષ દ્વારા વ્યણુક આદિરૂપ કાર્ય કરે છે, અને તેવું કાર્ય જૈનોના ઈશ્વર કરતા નથી, તેમ માને છે. તેથી તૈયાયિકને અભિમત ઈશ્વરને ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયરૂપે કર્તા સ્વીકારવામાં તેના મત પ્રમાણે શું દોષ આવે છે, તે ગ્રંથકારશ્રી ‘પ ઘ' થી બતાવે છે – વળી ઉપાદાનપ્રત્યક્ષ નિરાશ્રય જ તારા મતમાં સિદ્ધ થાઓ; કેમ કે ગુણને સ્વાશ્રય સ્વીકારવા માટેની વ્યાપ્તિમાં તારા મત પ્રમાણે પ્રમાણ નથી. આશય એ છે કે નયાયિક ઘટાદિ પદાર્થોમાં વર્તતા ગુણનાશ પ્રત્યે ઘટાદિ પદાર્થના નાશને કારણ કહે છે, અને કહે છે કે પ્રથમ ક્ષણમાં ઘટાદિ પદાર્થોનો નાશ થાય છે અને દ્વિતીય ક્ષણમાં તષ્ઠિ ગુણોનો નાશ થાય છે. તેથી ઘટાદિનો નાશ થાય પછી એક ક્ષણ ગુણ નિરાશ્રય રહી શકે છે, તેમ તૈયાયિકના મત પ્રમાણે સિદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગુણ આશ્રય વગર ન રહી શકે તેવી વ્યાપ્તિ નૈયાયિકના મત પ્રમાણે નથી. તેથી જો એક ક્ષણ આશ્રય વગર ગુણ રહી શકે તો કોઈક ગુણ સદા આશ્રય વગર રહી શકે તેમ કહી શકાય; અને તેમ સ્વીકારીએ તો એમ માનવું પડે કે કોઈક જ્ઞાન સદા આશ્રય વગરનું છે અને તે જ્ઞાન ઉપાદાનનું પ્રત્યક્ષ કરે છે. તેથી જ્યણુક અને વ્યણુકના ઉપાદાનનું પ્રત્યક્ષ કરનારું જ્ઞાન આશ્રય વગરનું છે. માટે તે જ્ઞાનના આશ્રયરૂપે નૈયાયિકને અભિમત ઈશ્વરની સિદ્ધિ થાય નહિ, પરંતુ એ સિદ્ધ થાય કે આશ્રય વગર રહેલું કોઈક જ્ઞાન કાર્યમાત્ર પ્રત્યે કારણ છે. આનાથી એ ફલિત થાય કે ઈશ્વરની સિદ્ધિ માટે કરાયેલ તૈયાયિકના અનુમાનથી ઈશ્વરની સિદ્ધિ તો ન થઈ, પરંતુ પોતાને અનભિમત એવું નિરાશ્રય જ્ઞાન યણુક અને ત્યણુકનું કારણ છે, તેમ સિદ્ધ થયું. તેથી તૈયાયિકના અનુમાનથી નૈયાયિકને અભિમત ઈશ્વર જગત્કર્તારૂપે મહાન સિદ્ધ થતા નથી, પરંતુ કાર્યમાત્ર પ્રત્યે જ્ઞાનને કારણે માનીએ તો જૈનોને અભિમત ભગવાનનું જ્ઞાન કાર્યમાત્ર પ્રત્યે કારણ છે, માટે ભગવાન તેવા જ્ઞાનના આશ્રયરૂપે મહાન સિદ્ધ થાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧-૧૨ ૭૫ અહીં વિશેષ એ છે કે જૈન સિદ્ધાન્ત પ્રમાણે ગુણો આશ્રયમાં રહે છે, પરંતુ નિરાશ્રય ગુણ રહેતા નથી. તેથી જ્ઞાનને કાર્યમાત્ર પ્રત્યે હેતુ માનીએ તો ભગવાનનું જ્ઞાન કાર્યમાત્ર પ્રત્યે હેતુ છે, તેમ સ્વીકારી શકાય; કેમ કે જ્ઞાન ભગવાનરૂપ આશ્રયમાં રહે છે, પરંતુ નિરાશ્રય રહેતું નથી; અને નૈયાયિકના મત પ્રમાણે આશ્રય વગર પણ ગુણ રહી શકે છે, તેથી કાર્યમાત્ર પ્રત્યે હેતુ બને એવું જ્ઞાન નિરાશ્રય પણ નૈયાયિક મતાનુસાર સિદ્ધ થઈ શકે. માટે જ્ઞાનના આશ્રયરૂપે પણ ઈશ્વરની જગતના કર્તારૂપે સિદ્ધિ તેમના મત પ્રમાણે થાય નહીં. [૧૧] અવતરણિકા : "ब्रह्मांडादिधृतिः प्रयत्नजन्या धृतित्वात् घटादिधृतिवत्" इत्यनुमानाद् ब्रह्मांडादिधारकप्रयत्नाश्रयतया जगत्कर्तृत्वसिद्धि:, तथा च श्रुतिः- “ एतस्य चाक्षरस्य प्रशासने गार्गी (गार्गि ! ) द्यावापृथिवी विधृते तिष्ठतः" (बृहदाख्यक-८/३/९) इत्यत आह - અવતરણિકાર્ય : ‘બ્રહ્માંડાદિની ધૃતિ પ્રયત્નજન્ય છે, ધૃતિપણું હોવાથી, ઘટાદિની કૃતિની જેમ', એ પ્રકારના અનુમાનથી બ્રહ્માંડાદિતા ધારક એવા પ્રયત્નના આશ્રયપણાથી જગતના કર્તાપણાની સિદ્ધિ છે, અને તે રીતે=બ્રહ્માંડાદિની ધૃતિના આશ્રય ઈશ્વર છે તે રીતે, શ્રુતિ છે “હે ગાર્ગી ! આ અક્ષરના પ્રશાસનમાં=આ ઈશ્વરના પ્રયત્નમાં, આકાશ અને પૃથ્વી ધારણ કરાયેલાં રહે છે.” (બૃદવા-૮/૩/૧) આથી=નૈયાયિક પ્રસ્તુત અનુમાનથી જગત્કર્તાની સિદ્ધિ કરે છે; આથી, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે નોંધ :- અહીં ‘’ ના સ્થાને ‘!’ એ પ્રકારનું સંબોધન ભાસે છે. ભાવાર્થ :-- ‘ન્યાયકુસુમાંજલિ’ ગ્રંથના પાંચમા સ્તબકમાં ઉદયનાચાર્યે ઈશ્વરને જગતના કર્તા તરીકે સિદ્ધ કરવા માટે અનુમાન કરેલ છે કે ‘બ્રહ્માંડાદિની કૃતિ પ્રયત્નજન્ય - Page #99 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૨ છે.' અહીં “બ્રહ્માંડાદિની વૃતિ એ પક્ષ છે, પ્રયત્નજન્યત્વ એ સાધ્ય છે અને “વૃતિત્વ' એ હેતુ છે અને “ઘટાદિની વૃતિની જેમ' - એ દષ્ટાંત છે; અને બ્રહ્માંડાદિના ધારક એવા પ્રયત્નના આશ્રયરૂપે જગતના કર્તા એવા ઈશ્વરની સિદ્ધિ કરી, અને પોતાની વાતની પુષ્ટિ માટે શ્રુતિનું ઉદ્ધરણ આપ્યું અને બતાવ્યું કે જે અક્ષર છે=ક્ષય ન પામે એવા ઈશ્વર છે, તેના પ્રશાસનમાંeતેના પ્રયત્નમાં, આકાશ અને પૃથ્વી ધારણ કરાયેલી રહે છે, તેમ ગર્ગઋષિ પોતાની પુત્રી ગાર્ગીને સંબોધીને કહે છે. આ પ્રકારના અનુમાન દ્વારા ઈશ્વરને જગત્કર્તા માનવો ઉચિત નથી, એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - धृत्यादेरपि धर्मादिजन्यत्वान्नात्र मानता । कृतित्वेनापि जन्यत्वाच्चेत्यन्यत्रैष विस्तरः ।।१२।। અન્વયાર્થ : શ્લોકના પૃત્યાપિ' શબ્દનો ષષ્ઠી વિભક્તિથી અને પંચમી વિભક્તિથી અર્થ થાય છે. પ્રથમ ષષ્ઠી વિભક્તિથી આ પ્રમાણે અર્થ થાય છે – ૩ ત્ર=અહીં=જગતના કર્તાપણામાં માનતા ન=પ્રમાણ નથી, ધૃત્યારપ ઘર્માનિજત્વા=કેમ કે ધૃતિ આદિનું પણ ધમદિજાન્યપણું છે, અને કૃતિત્વેનાપનચત્રકૃતિપણાથી પણ જરાપણું હોવાથી=બ્રહ્માંડના ધારણ અનુકૂળ એવી કૃતિનું જન્યપણું હોવાથી, જગત્કપણામાં પ્રમાણ નથી, એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે. રૂપ વિસ્તરી અન્યત્ર આ વિસ્તાર અન્યત્ર છેબ્રહ્માંડાદિની વૃતિ દ્વારા ઈશ્વરને જગત્કર્તા સિદ્ધ કરવા તે ઉચિત નથી, તેને બતાવનાર આ વિસ્તાર અન્યત્ર છે. અથવા ‘કૃત્યારપ' શબ્દનો પંચમી વિભક્તિથી આ પ્રમાણે અર્થ થાય છે. અત્ર=અહીં=જગતના કર્તાપણામાં ધૃત્યાર=ધૃતિ આદિથી પણ ન માનતા પ્રમાણતા નથી, ઘMવિનીત્વા–કેમ કે ધમદિજાન્યપણું છે ધૃતિ Page #100 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાબિંશિકા/બ્લોક-૧૨ આદિનું ધર્માદિજન્યપણું છે અને કૃતિત્વેના પત્રકૃતિપણાથી પણ નચત્વા= જન્યપણું હોવાથી=કૃતિનું જન્યપણું હોવાથી જગત્કર્તીપણામાં પ્રમાણતા નથી, એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે. રૂતિએ પ્રકારનો અત્રેપ વિસ્તર:=આ વિસ્તાર અન્યત્ર છે=બ્રહ્માંડાદિની વૃતિ દ્વારા ઈશ્વરને જગત્કર્તા સિદ્ધ કરવા તે ઉચિત નથી, તેને બતાવનાર આ વિસ્તાર અન્યત્ર છે. ૧૨ા. શ્લોકાર્ચ - અહીં જગતના કર્તાપણામાં, પ્રમાણતા નથી; કેમ કે ધૃતિ આદિનું પણ ધર્માદિજન્યપણું છે, અને કૃતિપણાથી પણ કૃતિનું જન્યપણું હોવાથી જગત્કર્ટુપણામાં પ્રમાણતા નથી, એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે, એ પ્રકારનો આ વિસ્તાર અન્યત્ર છે. II૧૨ા. અથવા અહીં=જગતના કર્તાપણામાં ધૃતિ આદિથી પણ પ્રમાણતા નથી; કેમ કે ધૃતિ આદિનું પણ ધર્માદિજન્યપણું છે, અને કૃતિપણાથી પણ કૃતિનું જન્યપણું હોવાથી જગત્કર્ણપણામાં પ્રમાણતા નથી, એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે, એ પ્રકારનો વિસ્તાર અન્યત્ર છે. ll૧૨ાા નોંધ :- શ્લોકનો ‘તિ' શબ્દ ધૃત્યાદિથી જગત્કર્તામાં પ્રમાણ નથી, તે કથનની સમાપ્તિમાં છે. ‘ધૃત્યારેરા' અહીં ‘દિ' થી સ્થિતિનું ગ્રહણ કરવું, અને 'પ' થી એ કહેવું છે કે સંસારી જીવોને પ્રાપ્ત થતાં ફળો તો ધર્માદિજન્ય છે, પરંતુ ધૃતિ આદિનું પણ ધર્માદિજન્યપણું છે. » ‘ધર્માવિગત્વા' અહીં ‘વ’ થી સ્વભાવાદિનું ગ્રહણ કરવું. ટીકા - धृत्यादेरिति-धृतिः पतनप्रतिबन्धकः संयोगः, आदिना स्थितिग्रहः, धर्मादिजन्यत्वात्, आदिना स्वभावादिग्रहः, नाऽत्र-जगत्कर्तृत्वे मानता प्रमाणता । उक्तश्रुतावक्षरप्रशासनपदयोः संग्रहाभिमतैकात्मतद्धर्मपरतया नानुपपत्तिः । Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૨ ટીકાર્ચ - વૃતિ:.... નાનુપત્તિ: | શ્લોકમાં ધૃત્યાદિનું ધર્મજન્યપણું છે, એમ કહ્યું ત્યાં ધૃતિનો અર્થ કરે છે – વૃતિઃપતન પ્રતિબંધક સંયોગ. “વૃદ્ધિ માં “સહિ' શબ્દથી સ્થિતિનું ગ્રહણ કરવું. ધૃતિ આદિનું ધર્માદિજન્યપણું છે એ પ્રમાણે જે હેતુ કહ્યો, તેમાં ‘ગરિ' શબ્દથી સ્વભાવાદિનું ગ્રહણ કરવું. અહીં=જગત્કર્તાપણામાં, માનતા=પ્રમાણતા, નથી, અને તેમાં હેતુ તરીકે ધૃત્યાદિનું ધર્માદિજચપણું છે, એમ સંબંધ કરવો. અહીં પ્રશ્ન થાય કે ધૃતિ આદિનું ધર્માદિજન્યપણું સ્વીકારીને ઈશ્વરને જગતના કર્તા સ્વીકારવામાં પ્રમાણતા નથી, તેમ કહેવામાં આવે તો, અવતરણિકામાં કહેલ શ્રુતિની કઈ રીતે સંગતિ થઈ શકે ? તેથી કહે છે -- ઉક્ત શ્રુતિમાં અક્ષરપદ અને પ્રશાસનપદનું સંગ્રહઅભિમત એકાત્મતાદ્ધર્મપરતયા અક્ષરપદનું સંગ્રહઅભિમત એકાત્મપરપણું હોવાથી અને પ્રશાસનપદનું એક આત્માનું ધર્મપરપણું હોવાથી, અનુપમતિ નથી=શ્રુતિની અસંગતિ નથી. * સ્વભાવઃ' અહીં ર’ થી નિયતિનું ગ્રહણ કરવું. ભાવાર્થ – (૧) બ્રહ્માંડાદિ ધૃતિમીમાંસા – અવતરણિકામાં અનુમાન કરીને સ્થાપન કરેલ કે બ્રહ્માંડાદિના ધારક એવા પ્રયત્નના આશ્રયપણા વડે જગત્કર્તાપણાની સિદ્ધિ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જગત્કર્તા સ્વીકારવામાં પ્રમાણતા નથી; કેમ કે ધૃતિ આદિ ઈશ્વરના પ્રયત્નજન્ય નથી, પરંતુ પુણ્યરૂપ ધર્મથી જન્ય છે, અને લોકસ્થિતિરૂપ પદાર્થના સ્વભાવથી જન્ય છે. માટે ધૃતિ આદિના બળથી જગકર્તારૂપે ઈશ્વરને માનવા ઉચિત નથી. આશય એ છે કે જગન્ધર્તી જીવોનું તેવા પ્રકારનું પુણ્ય છે કે જેથી પૃથ્વી પડતી નથી પરંતુ સ્થિર રહે છે. વળી લોકસ્થિતિ છે કે જેથી જગવર્તી Page #102 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/મ્લોક-૧૨ ૭૯ પદાર્થોના સ્વભાવ પ્રમાણે પૃથ્વી પણ સ્વસ્વભાવે સ્થિર રહે છે પણ પાત પામતી નથી. અહીં પ્રશ્ન થાય કે આ રીતે પુણ્ય અને સ્વભાવાદિને કા૨ણે બ્રહ્માંડની કૃતિ આદિ સ્વીકારવામાં આવે તો અવતરણિકામાં બતાવેલ શ્રુતિની સંગતિ કઈ રીતે થાય ? તેથી કહે છે. -- સંગ્રહનયની દૃષ્ટિથી વિચારીએ તો જગત્વર્તી સર્વ આત્માઓ એક આત્મા છે, અને તે સર્વ આત્માઓનું એવું પુણ્ય છે કે જેથી તે પુણ્યના પ્રશાસનથી=પુણ્યના પ્રભાવથી, પૃથ્વી સ્થિર રહે છે. માટે અવતરણિકામાં બતાવેલ શ્રુતિની સંગતિ થશે, અને શ્રુતિની સંગતિ કરવા અર્થે ઈશ્વરને બ્રહ્માંડાદિના ધારક માનવાની જરૂર રહેતી નથી. ઉત્થાન : અવતરણિકામાં ઉદયનાચાર્યે કહેલ અનુમાનથી બ્રહ્માંડાદિના ધારક પ્રયત્નના આશ્રયપણાથી જગત્કર્તાની સિદ્ધિ બતાવી, અને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે ધૃતિ આદિ ધર્માદિજન્ય છે, માટે ધૃતિ આદિના આશ્રયપણાથી ઈશ્વરને જગત્કર્તા માનવાની જરૂર નથી. ત્યાં પ્રશ્ન થાય કે બ્રહ્માંડાદિની કૃતિ પ્રસિદ્ધ છે. તે ઈશ્વરના પ્રયત્નથી જન્ય છે કે ધર્માદિથી જન્ય છે, તે કેમ નક્કી થાય ? તેથી ઈશ્વરના પ્રયત્નથી બ્રહ્માંડાદિની ધૃતિ સ્વીકારવામાં શું દોષો આવે છે, તે બતાવીને લાધવથી ધર્માદિને બ્રહ્માંડાદિના ધારક સ્વીકારવા ઉચિત છે, તે બતાવે છે ટીકા : किञ्च प्रयत्नवदीश्वरसंयोगमात्रस्य धारकत्वेऽतिप्रसंगः, धारणानुकूलप्रयत्नवदीश्वरसंयोगस्य धारणावच्छित्रेश्वरप्रयत्नस्यैव वा तत्त्वे स एव दोषः । यदि च स्वजनकवृत्तिधारणावच्छिन्नविशेष्यताया धारणाऽवच्छिन्नविशेष्यताया एव वा धारकतावच्छेदकसंबन्धत्वमभ्युपगम्यते तदभ्युपगमे च तद्ज्ञानेच्छयोरपि धारकत्वापत्तौ गौरवात् लाघवाद्धर्मस्यैव धारकत्वौचित्यम् । तदिदमुच्यते “निरालंबा निराधारा विश्वाधारा वसुन्धरा । યવ્વાવતિષ્ઠતે તત્ર ધર્માવન્યત્ર ારગમ્” ।। (થોળશાસ્ત્ર-૪/૮) કૃતિ । - Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જિનમહત્ત્વદ્વાáિશિકા/શ્લોક-૧૨ ટીકાર્ય : વિશ્વ .... / રૂતિ | અને વળી પ્રયત્નવાળા ઈશ્વરના સંયોગમાત્રનું ધારકપણું હોતે છતે બ્રહ્માંડાદિ, ધારકપણું હોતે છતે, અતિપ્રસંગ છે અન્ય પડતી વસ્તુની પણ ધૃતિ સ્વીકારવાનો અતિપ્રસંગ છે. અહીં કોઈ કહે કે પ્રયત્નવાળા ઈશ્વરના સંયોગમાત્રને ધારક માનવામાં અતિપ્રસંગના વારણ માટે અમે ધારણાનુકૂળ પ્રયત્નવાળા ઈશ્વરસંયોગને ધારક સ્વીકારીશું, માટે દોષ આવશે નહીં. તેથી કહે છે – ઘારVIIનુવૃત્ત..... ધારણાનુકૂળ પ્રયત્નવાળા ઈશ્વરસંયોગનું તત્ત્વ=તત્પણું હોતે છતે=ધૃતિપણું હોતે છતે, તે જ દોષ છે અતિપ્રસંગ દોષ છે. અહીં પૂર્વપક્ષી કહે કે ધારણાનુકૂળ પ્રયત્નવાળા ઈશ્વરસંયોગને ધારક સ્વીકારવામાં અતિપ્રસંગ દોષ છે, તે નિવારવા માટે અમે ધારણાવચ્છિન્ન ઈશ્વરના પ્રયત્નને ધારક સ્વીકારીશું, માટે અતિપ્રસંગ દોષ નહીં આવે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ધારVIRવચ્છિન્ને ..... =અને ધારણાવચ્છિન્ન ઈશ્વરપ્રયત્નનું જ તત્પણું હોતે છતે જ=ધૃતિપણું હોતે છતે જ, તે જ દોષ છે=અતિપ્રસંગ દોષ છે. અહીં પૂર્વપક્ષી ઈશ્વરને બ્રહ્માંડાદિના ધારક સ્વીકારવામાં આવતા અતિપ્રસંગ દોષના વારણ માટે સંબંધવિશેષને સ્વીકારીને અતિપ્રસંગ દોષનું વારણ કરે તે બતાવીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – વરિ .. અને જો સ્વજનકવૃત્તિધારણાવચ્છિાવિશેષતાનું અથવા ધારણાવચ્છિન્નવિશેષતાનું જ ધારકતાઅવચ્છેદકસંબંધપણું સ્વીકારાય છે, અને તેના અભ્યપગમમાં પૂર્વમાં બતાવ્યું એવા વિશેષ પ્રકારના ધારકતાઅવચ્છેદકસંબંધથી ઈશ્વરને બ્રહ્માંડના ધારક સ્વીકારવામાં, તેનાં જ્ઞાન અને ઈચ્છાતા પણ ધારકપણાની આપત્તિ હોવાને કારણે=ઈશ્વરનું જ્ઞાન અને ઈશ્વરની ઇચ્છાના પણ ધારકપણાની આપત્તિ હોવાને કારણે, ગૌરવ હોવાથી લાઘવથી ધર્મનું જ ધારકપણું ઉચિત છે. તે આ લાઘવથી ધર્મનું જ ધારકપણું ઉચિત છે, એમ જે પૂર્વમાં કહ્યું તે આ, “યોગશાસ્ત્ર'-૪-૧૮માં કહેવાય છે – Page #104 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વવાલિંશિકા/શ્લોક-૧૨ “આલંબન વગરની, આધાર વિનાની, વિશ્વનો આધાર એવી પૃથ્વી જે રહે છે, તેમાં ધર્મથી અન્ય કારણ નથી.” (યોગશાસ્ત્ર-૪-૧૮) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ‘તત્જ્ઞાનેચ્છયોરપિ' અહીં ‘પિ' થી એ કહેવું છે કે ઈશ્વરની વૃતિ તો બ્રહ્માંડાદિની ધારક છે, પરંતુ જ્ઞાન અને ઇચ્છાને પણ બ્રહ્માંડાદિના ધારક સ્વીકારવાની આપત્તિ છે. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ઉદયનાચાર્યના અનુમાનનું નિરાકરણ કરતાં કહ્યું કે ધૃતિ આદિ ધર્માદિજન્ય છે, માટે ધૃતિ આદિના આશ્રયપણાથી ઈશ્વરને જગકર્તા માનવામાં કોઈ પ્રમાણ નથી. ત્યાં વિચારકને જિજ્ઞાસા થાય કે બ્રહ્માંડાદિની ધૃતિ દેખાય છે, અને તેના ધારક ઈશ્વર નથી, તેમ કઈ રીતે નક્કી થાય ? તેથી નૈયાયિક જે બ્રહ્માંડાદિના ધારક ઈશ્વરને માને છે, તેની માન્યતાને સામે રાખીને તેની માન્યતા પ્રમાણે ઈશ્વરને બ્રહ્માંડાદિના ધારક સ્વીકારવામાં કઈ રીતે અતિપ્રસંગ આવે છે, તે બતાવે છે – નૈયાયિક ઈશ્વરને સર્વવ્યાપી માને છે, તેથી ઈશ્વરનો સંયોગ જગતના સર્વ પદાર્થો સાથે છે. જો પ્રયત્નવાળા ઈશ્વરનો સંયોગમાત્ર બ્રહ્માંડાદિનો ધારક છે, તેમ માનીએ, તો પ્રયત્નવાળા ઈશ્વરનો સંયોગ જેમ બ્રહ્માંડાદિ સાથે છે, તેમ જગતના તમામ પદાર્થો સાથે છે. તેથી જેમ બ્રહ્માંડાદિ પડતા નથી, તેમ અન્ય કોઈપણ પદાર્થ પડવો જોઈએ નહિ. વસ્તુતઃ જગતમાં કેટલાક પદાર્થો ઉપરથી નીચે પડતા દેખાય છે, તે સર્વની સાથે ધારણ કરનાર ઈશ્વરનો સંયોગ છે, તેમ તૈયાયિકના મતે સિદ્ધ છે. માટે “જે પદાર્થ ઉપરથી નીચે પડે છે, તે પડવા જોઈએ નહીં,” એ પ્રકારનો અતિપ્રસંગ દોષ છે. આ રીતે પ્રયત્નવાળા ઈશ્વરના સંયોગમાત્રને બ્રહ્માંડાદિના ધારક સ્વીકારવામાં અતિપ્રસંગ દોષ છે. તે દોષના નિવારણ માટે તૈયાયિક કહે કે – ઈશ્વરનો ધારણાનુકૂળ પ્રયત્ન બ્રહ્માંડાદિમાં છે, પરંતુ અન્ય પડતા પદાર્થો સાથે નથી. તેથી પ્રયત્નવાળા ઈશ્વરના સંયોગથી બ્રહ્માંડાદિનું ધારણ થાય છે, અને અન્ય પડતા પદાર્થોનું ધારણ થતું નથી. તેથી બ્રહ્માંડાદિના ધારક ઈશ્વરને સ્વીકારવામાં અતિપ્રસંગ દોષ નથી. તેનું નિવારણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – Page #105 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૨ બ્રહ્માંડાદિના ધારણાનુકૂળ પ્રયત્નવાળા ઈશ્વર છે અને તે ઈશ્વરનો સંયોગ જગતના તમામ પદાર્થો સાથે છે. તેથી ઈશ્વરબ્રહ્માંડાદિના ધારણાનુકૂળ પ્રયત્નવાળા હોવા છતાં અન્ય પદાર્થોની પણ ધૃતિ માનવાનો અતિપ્રસંગ આવે છે. જેમ કોઈ પુરુષ હસ્તાદિથી ઘટને ધારણ કરવા યત્ન કરતો હોય ત્યારે તે પુરુષનો ઘટને ધારણ કરવાને અનુકૂળ પ્રયત્ન છે, પરંતુ પટાદિને ધારણ કરવાને અનુકૂળ પ્રયત્ન નથી; આમ છતાં તે હસ્ત ઉપર પટ આવીને પડે તો તે પટનું પણ ધારણ થાય છે. તેમ ઈશ્વરનો ધારણાનુકૂળ પ્રયત્ન બ્રહ્માંડાદિવિષયક હોવા છતાં તે ઈશ્વર સાથે અન્ય સર્વ પદાર્થોનો સંયોગ હોવાથી અન્ય પતન પામતા પદાર્થોનો પણ ઈશ્વરના સંયોગથી ધારણ થવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થશે. અહીં પૂર્વપક્ષી કહે કે ઈશ્વરનો સંયોગ સર્વવ્યાપી છે, તેથી અન્ય પદાર્થોના ધારક ઈશ્વરને સ્વીકારવાનો અતિપ્રસંગ તમે આપ્યો; પરંતુ અમે ઈશ્વરના સંયોગને ધારક સ્વીકારતા નથી, પરંતુ ધારણાવચ્છિન્ન ઈશ્વરના પ્રયત્નને જ ધારક સ્વીકારીએ છીએ. તેથી ઈશ્વરના અનેક પ્રકારના પ્રયત્નો છે, તેમાંથી જે ધારણાવચ્છિન્ન પ્રયત્ન છે, તે પ્રયત્નથી બ્રહ્માંડાદિની વૃતિ થાય છે, પરંતુ અન્ય પદાર્થોની વૃતિ થતી નથી. તેથી ઈશ્વરનો સંયોગ સર્વ પદાર્થો સાથે હોવા છતાં બ્રહ્માંડાદિ સિવાય અન્ય પદાર્થોની ધૃતિ સ્વીકારવાની આપત્તિ આવશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ધારણાવચ્છિન્ન ઈશ્વરના પ્રયત્નનું ધારકપણું સ્વીકારવામાં પણ અતિપ્રસંગદોષનું નિવારણ થતું નથી. આશય એ છે કે ઈશ્વર બ્રહ્માંડાદિને ધારણ કરવા માટે પ્રયત્ન કરે છે અને ઘટાદિ કાર્યો કરવા માટે પણ પ્રયત્ન કરે છે, તે સર્વ પ્રયત્નોમાંથી ધારણાવચ્છિન્ન પ્રયત્ન ધારણાને અનુકૂળ ક્રિયારૂપ છે. તેથી ધારણાવચ્છિન્ન પ્રયત્ન કહેવાથી ઘટાદિ કાર્યવિષયક અન્ય પ્રયત્ન કરતાં ધારણાને અનુકૂળ ક્રિયારૂપ પ્રયત્ન જુદો પડશે, અને ઈશ્વર જ્યારે ધારણાવચ્છિન્ન પ્રયત્નવાળા હશે, ત્યારે તે પ્રયત્નથી સર્વ પદાર્થોની ધૃતિ પ્રાપ્ત થશે; કેમ કે નૈયાયિકને માન્ય ઈશ્વર સર્વવ્યાપી હોવાથી ધારણાનુકૂળ પ્રયત્નવાળા સાથે જે પદાર્થનો સંયોગ થયો તે સર્વ પદાર્થો ઈશ્વરના પ્રયત્નથી ધારણ થવા જોઈએ. જેમ કોઈ પુરુષ બોલવાને અનુકૂળ પ્રયત્નવાળો હોય ત્યારે તે બોલવાના પ્રયત્નથી ઘટનું ધારણ થતું નથી, પરંતુ જ્યારે ઘટના ધારણને અનુકૂળ પ્રયત્નવાળો Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૩ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૨ હોય ત્યારે તેનો ધારણાવચ્છિન્ન પ્રયત્ન ધટને ધારણ કરવાનું કારણ બને છે. આમ છતાં ઘટને ધારણ કરવાના પ્રયત્નવાળા હસ્તાદિ સાથે પટનો સંયોગ થાય તો તે ધારણાવચ્છિન્ન પ્રયત્નથી પટની પણ ધૃતિ પ્રાપ્ત થાય, તેમ જ્યારે ઈશ્વર ધારણાવચ્છિન્ન પ્રયત્ન કરે છે, ત્યારે તેની સાથે સંબંધવાળા સર્વ પદાર્થોની ધૃતિ થવી જોઈએ; અને ઈશ્વરનો બ્રહ્માંડાદિને ધારવા માટેનો પ્રયત્ન કોઈક કાળમાં છે અને કોઈક કાળમાં નથી, એવું નથી, પરંતુ સદા છે. તેથી ધારણાવચ્છિન્ન એવો ઈશ્વરનો પ્રયત્ન સદા છે, માટે સદા માટે ઈશ્વરના ધારણાવચ્છિન્ન પ્રયત્નથી સર્વ પદાર્થોની વૃતિને માનવાનો પ્રસંગ આવશે. ઈશ્વરના પ્રયત્નને બ્રહ્માંડાદિનો ધારક સ્વીકારવામાં પડતા એવા અન્ય પદાર્થોની પણ ધારણા સ્વીકારવાની આપત્તિ આવે, તેથી તેના નિવારણ માટે નૈયાયિક કહે કે સ્વજનકવૃત્તિધારણાવચ્છિન્નવિશેષ્યતાનું અથવા ધારણાવચ્છિન્નવિશેષતાનું જ ધારકતાઅવચ્છેદકસંબંધપણું અમે સ્વીકારીશું. તેથી આ સંબંધવિશેષથી બ્રહ્માંડાદિની વૃતિ થાય છે અને પડતા એવા અન્ય પદાર્થોની ધૃતિ માનવાનો અતિપ્રસંગ આવશે નહીં. તે આ રીતે – સ્વ=બ્રહ્માંડાદિનો ધારક પ્રયત્ન, તેનો જનક ઈશ્વર, એ ઈશ્વરમાં વૃત્તિ ધારણા=બ્રહ્માંડાદિને ધારણ કરવાને અનુકૂળ એવી ધારણક્રિયા, એ ક્રિયાથી અવચ્છિન્ન વિશેષ્યતાનું અથવા ઈશ્વરમાં રહેલી ધારણા, તેનાથી અવચ્છિન્ન વિશેષ્યતાનું ધારકતાવચ્છેદકસંબંધપણું સ્વીકાર કરાય તો કોઈ દોષ આવતો નથી. અહીં વિશેષ એ છે કે ઈશ્વરમાં રહેલી ધારણા વિષયતાસંબંધથી બ્રહ્માંડાદિમાં રહે છે. તેથી બ્રહ્માંડાદિ ધારણાવિશિષ્ટ બને છે. માટે ધારણા વિશેષણ બને છે અને બ્રહ્માંડાદિ વિશેષ્ય બને છે અને બ્રહ્માંડાદિમાં વિશેષ્યતા પ્રાપ્ત થાય છે. વળી જેમ બ્રહ્માંડાદિમાં વિષયતાસંબંધથી ધારણા રહે છે, તેમ સમવાયસંબંધથી રૂપ પણ રહે છે. તેથી રૂપવિશિષ્ટ પણ બ્રહ્માંડાદિ છે. અહીં રૂપ વિશેષણ છે અને બ્રહ્માંડાદિ વિશેષ્ય છે અને બ્રહ્માંડાદિમાં રહેલી વિશેષ્યતા રૂપાવચ્છિન્ન છે, અને રૂપાવચ્છિન્ન વિશેષ્યતા જુદા પ્રકારની છે અને ધારણાવચ્છિન્ન વિશેષ્યતા જુદા પ્રકારની છે, અને રૂપાવચ્છિન્ન વિશેષ્યતાનું નિવારણ કરવા અર્થે ધારણાવચ્છિન્નવિશેષ્યતાધારકતાઅવચ્છેદકસંબંધ છે, એમ કહેલ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જિનમહત્ત્વાત્રિશિકા/શ્લોક-૧૨ તેથી એ પ્રાપ્ત થાય કે ઈશ્વરમાં રહેલ ધારક પ્રયત્ન ધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી બ્રહ્માંડાદિમાં રહે છે. તેથી ધારક એવો પ્રયત્ન સ્વજનકવૃત્તિધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી અથવા ધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી બ્રહ્માંડાદિમાં પ્રાપ્ત થાય છે, પરંતુ પડતા એવા અન્ય પદાર્થોમાં પ્રાપ્ત થતો નથી; કેમ કે ઈશ્વરની ધારણાની ક્રિયાનો વિષય બ્રહ્માંડાદિ છે, પરંતુ પડતા એવા અન્ય પદાર્થો નથી. તેથી વિષમતાસંબંધથી ધારણા બ્રહ્માંડાદિમાં રહે છે, પડતા એવા અન્ય પદાર્થોમાં નહીં. માટે આ સંબંધથી ઈશ્વરમાં વર્તતો ધારકપ્રયત્ન બ્રહ્માંડાદિમાં પ્રાપ્ત થાય છે, અન્યમાં નહીં. તેથી ઈશ્વરના પ્રયત્નથી અન્ય પદાર્થોની ધૃતિ માનવાનો અતિપ્રસંગ આવશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે -- આ પ્રકારના સંબંધવિશેષથી ઈશ્વરના ધારક પ્રયત્નને બ્રહ્માંડાદિમાં રાખવામાં આવે તો અન્ય પદાર્થોની ધૃતિનો અતિપ્રસંગ આવે નહીં, પરંતુ ઈશ્વરનું જ્ઞાન અને ઈશ્વરની ઇચ્છાને પણ બ્રહ્માંડાદિનાં ધારક સ્વીકારવાં પડે; કેમ કે બ્રહ્માંડાદિને ધારણ કરવા જોઈએ' એ પ્રકારનું ઈશ્વરને જ્ઞાન થયું, ત્યાર પછી બ્રહ્માંડ દિને ધારણ કરવાની ઈશ્વરને ઇચ્છા થઈ, અને ત્યાર પછી બ્રહ્માંડાદિને ધારણ કરવાને અનુકૂળ એવો ધારકપ્રયત્ન ઈશ્વરે કર્યો; અને આ જ્ઞાન, ઇચ્છા અને ધારકપ્રયત્ન, એ ત્રણે વિષયતાસંબંધથી બ્રહ્માંડાદિમાં પ્રાપ્ત થશે, અને તે ત્રણેને બ્રહ્માંડાદિના ધારણ પ્રત્યે કારણ માનવાં પડશે. તેથી બ્રહ્માંડાદિના ધારણ પ્રત્યે ત્રણને કારણ માનવામાં ગૌરવ છે. માટે લાઘવથી જગત્વર્તી જીવોના પુણ્યરૂપ ધર્મને બ્રહ્માંડાદિનો ધારક માનવો ઉચિત છે. અહીં વિશેષ એ છે કે પૂર્વે ત્રણ વિકલ્પો પાડીને તે ત્રણેમાં અતિપ્રસંગ બતાવ્યો. ત્યાં ત્રીજો વિકલ્પ ધારણાવચ્છિન્ન ઈશ્વરના પ્રયત્નને બ્રહ્માંડાદિનો ધારક સ્વીકારીએ તો અતિપ્રસંગદોષ પ્રાપ્ત થાય છે, તેમ કહ્યું, કેમ કે ધારણાની ક્રિયાથી અવચ્છિન્ન એવો ઈશ્વરનો પ્રયત્ન ઈશ્વરના આત્મામાં છે, અને ઈશ્વર સર્વવ્યાપી છે, તેથી ધારણાવચ્છિન્ન એવો ઈશ્વરનો પ્રયત્ન સર્વ પદાર્થોનો ધારક બને તેમ સ્વીકારવું પડે; અને જ્યારે સ્વજનવૃત્તિધારણાવચ્છિન્ન- વિશેષ્યતાસંબંધથી ધારક પ્રયત્નને ઈશ્વરના ધારકપ્રયત્નને, બ્રહ્માંડાદિમાં રાખ્યો ત્યારે ઈશ્વરનો પ્રયત્ન સમવાયસંબંધથી ઈશ્વરમાં હોવા છતાં ધારણાનો વિષય બ્રહ્માંડાદિ હોવાથી વિષમતાસંબંધથી ઈશ્વરનો ધારકપ્રયત્ન બ્રહ્માંડાદિમાં પ્રાપ્ત થયો. માટે Page #108 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૨ બ્રહ્માંડાદિનું ધારણ થયું નથી. અને જે પદાર્થને ધારણ કરવા ઈશ્વર પ્રયત્ન કરતા નથી, ત્યાં વિષયતાસંબંધથી ઈશ્વરનો પ્રયત્ન નથી. માટે અન્ય પડતા પદાર્થોનું ધારણ થયું નથી. તેથી તૈયાયિકને અતિપ્રસંગદોષ આવે નહીં. છતાં પૃથ્વીને ઈશ્વર ધારણ કરે છે, તેમ માનવામાં ગૌરવ છે. માટે લાઘવથી ધર્મને જ બ્રહ્માંડનો ધારક સ્વીકારવો ઉચિત છે, એમ ગ્રંથકારશ્રીએ કહેલ છે. ઉત્થાન : પૂર્વમાં બતાવ્યું કે બ્રહ્માંડાદિની વૃતિ આદિના બળથી ઈશ્વરને જગત્કર્તા સ્વીકારી શકાય નહીં, પરંતુ લાઘવથી ધર્મથી બ્રહ્માંડાદિની વૃતિ સ્વીકારી શકાય. હવે અન્ય રીતે પણ બ્રહ્માંડાદિની વૃતિના બળથી ઈશ્વરને જગત્કર્તા સ્વીકારી શકાય નહીં, એ બતાવવા અર્થે કહે છે -- ટીકા : तथा कृतित्वेनापि जन्यत्वाच्च न जगत्कर्तृत्वसिद्धिः, कृतित्वाद्यवच्छिन्ने इच्छादेहेतुत्वानित्यकृत्यादौ मानाभावात् जन्यत्वस्य कार्यतावच्छेदककोटौ प्रवेशे गौरवात्, फलमुखस्यापि तस्य क्वचिद्दोषत्वात्, “नित्यविज्ञानमानन्दं ब्रह्म” (बृ. आ. उ. ३/९/२८) इति श्रुतेनित्यज्ञानसिद्धावपि नित्येच्छाकृत्योरसिद्धेः, अत एव नित्यसुखस्यापीश्वरे सिद्धिप्रसङ्गाच्च । तस्मादुक्तश्रुतिरपि नित्यज्ञानसुखाश्रयतया ध्वस्तदोषत्वेनैव महत्त्वमीश्वरस्य बोधयतीति स्थितमिति । एष विस्तरोऽन्यत्र-स्याद्वादकल्पलतादौ, दिग्मात्रप्रदर्शनं पुनरेतदिति बोध्यम् ।।१२।। ટીકાર્ચ - તથા કૃતિત્વેના ..... શોધ્યમ્ II અને કૃતિપણા વડે પણ જન્યપણું હોવાથી=કૃતિપણા વડે ધૃતિ આદિનું જવ્યપણું હોવાથી, જગત્કર્તુત્વની સિદ્ધિ નથી=બ્રહ્માંડાદિની વૃતિ આદિના બળથી જગત્કર્તુત્વની સિદ્ધિ નથી. અહીં પૂર્વપક્ષી કહે કે અમે નિત્યકૃતિ આદિને માનીશું. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – કૃતિત્વાદિ અવચ્છિન્નમાં ઈચ્છાદિનું હેતુપણું હોવાના કારણે નિત્યકૃતિ આદિમાં નાનામાવા=પ્રમાણનો અભાવ છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૨ અહીં પૂર્વપક્ષી કહે કે અન્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં પ્રવેશ કરાવીશું તો નિત્યકૃતિ સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે - જવ્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં પ્રવેશ કરવામાં ગૌરવ છે. અહીં પૂર્વપક્ષી કહે કે અન્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં પ્રવેશ કરાવવામાં જે ગૌરવની પ્રાપ્તિ છે તે ફલમુખ છે માટે દોષરૂપ નથી. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ જણાવે છે – ફલમુખ એવા પણ તેનું ગૌરવદોષનું, કોઈક સ્થાનમાં દોષપણું છે=જે સ્થાનમાં વિરોધી વચનોની પ્રાપ્તિ હોય તે સ્થાનમાં દોષપણું છે. અહીં પ્રશ્ન થાય કે જે ગૌરવ ફલમુખ હોય તેને દોષરૂપ કેમ સ્વીકારી શકાય ? તેથી તે ગૌરવને દોષરૂપે સ્વીકારવામાં વિરોધી શ્રુતિના વચનને બતાવે છે – નિત્યવિજ્ઞાનમાનન્દ ત્રા” (. મા. ૩. ૩/૧/૨૮) એ પ્રકારની શ્રુતિથી નિત્યજ્ઞાનની સિદ્ધિ થવા છતાં પણ નિત્ય ઈચ્છા અને નિત્યકૃતિની અસિદ્ધિ છે, તેથી ફલમુખ ગૌરવ દોષરૂપ છે, એમ અવય છે. આથી જ= નિત્યવિજ્ઞાન માનવં બ્રહ્મ” એ પ્રકારની શ્રુતિથી જ, ઈશ્વરમાં નિત્યસુખની સિદ્ધિનો પ્રસંગ હોવાથી, અને “ઘ' શબ્દથી ‘ઈશ્વરમાં નિત્યજ્ઞાનની સિદ્ધિનો પ્રસંગ હોવાથી, નિત્યવિજ્ઞાનવાળા અને નિત્ય આનંદવાળા ઈશ્વર છે. એ અર્થ પ્રાપ્ત થાય છે. તેથી ટીકામાં ‘સિદ્ધિપ્રસાત્િ' પછી 'નિત્યવિજ્ઞાન અને નિત્ય આનંદવાળા ઈશ્વર છે' એ અધ્યાહાર છે. આનાથી શું ફલિત થાય છે ? તે બતાવે છે – તે કારણથી “નિત્યવિજ્ઞાનમાર્જ ત્રા” એ પ્રકારની કૃતિથી ઈશ્વરમાં નિત્યજ્ઞાન અને નિત્યસુખ સિદ્ધ થાય છે, તે કારણથી, ઉક્ત શ્રુતિ પણ “નિત્યવિજ્ઞાનમાનન્દ ” એ પ્રકારની ઉક્ત શ્રુતિ પણ, નિત્યજ્ઞાન અને નિત્યસુખના આશ્રયપણાથી ધ્વસ્તદોષરૂપે જ ઈશ્વરના મહત્ત્વને જણાવે છે, એ પ્રમાણે સ્થિત છે એ પ્રમાણે પદાર્થ વ્યવસ્થિત છે. તિ=મૂળ શ્લોકમાં રહેલ “તિ' શબ્દ કૃત્યાદિ જગત્કર્તામાં પ્રમાણ નથી, તે કથનની સમાપ્તિ સૂચક છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨ ૮૭ ષ વિસ્તર:=આ વિસ્તાર=બ્રહ્માંડાદિની કૃતિ જગત્કર્તાની સિદ્ધિ કરનાર નથી એ વિસ્તાર, અન્યત્ર=સ્યાદ્વાદ કલ્પલતાદિમાં છે. વળી દિગ્માત્ર પ્રદર્શન આ=પ્રસ્તુત શ્લોકમાં બતાવ્યું એ છે, એ પ્રમાણે જાણવું. ।।૧૨।। • ‘કૃતિત્વાદ્યવચ્છિન્ને’ અહીં ‘વિ’ થી ઇચ્છાનું ગ્રહણ કરવું. ‘રૂવ્ઝાવેર્હતુત્વાત્’ અહીં ‘વિ’ થી જ્ઞાનનું ગ્રહણ કરવું. * 'નિત્યનૃત્યાને' અહીં ‘વિ' થી નિત્યઇચ્છાનું ગ્રહણ કરવું. ‘તમુહસ્થાપિ’ અહીં ‘પ’ થી એ કહેવું છે કે ફલમુખ ન હોય તેવું ગૌરવ તો દોષરૂપ છે, પરંતુ ફલમુખ એવું પણ ગૌરવ કોઈક સ્થાને દોષરૂપ છે. ‘નિત્યજ્ઞાનસિદ્ધાર્વાપ’. અહીં ‘પિ’ થી એ કહેવું છે કે નિત્યજ્ઞાનની સિદ્ધિ ન હોય તોપણ નિત્યઇચ્છા અને નિત્યકૃતિની અસિદ્ધિ છે, પરંતુ પ્રસ્તુત શ્રુતિથી નિત્યજ્ઞાનની સિદ્ધિ હોવા છતાં પણ નિત્યઇચ્છા અને નિત્યકૃતિની અસિદ્ધિ છે. ‘નિત્યસુવાપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ઉક્ત શ્રુતિથી નિત્યજ્ઞાનની સિદ્ધિ તો ઈશ્વરમાં છે, પરંતુ નિત્યસુખની પણ ઈશ્વરમાં સિદ્ધિ થાય છે. ‘૩ક્તશ્રુતિરપિ’ અહીં પિ' થી એ કહેવું છે કે સર્વજ્ઞનું વચન તો નિત્યજ્ઞાન અને નિત્યસુખના આશ્રયપણા વડે ધ્વસ્તદોષરૂપે ઈશ્વરનું મહત્ત્વ જણાવે છે, પરંતુ ઉક્ત શ્રુતિ પણ નિત્યજ્ઞાન અને નિત્યસુખના આશ્રયપણા વડે સ્તદોષરૂપે ઈશ્વરનું મહત્ત્વ બતાવે છે. નોંધ :- અહીં ધૃતિ શબ્દથી પડતા પદાર્થોને પડતાં અટકાવે તેવો સંયોગ ગ્રહણ કરવો, ‘ધારણા’ શબ્દથી ધારણ કરનાર વ્યક્તિમાં વર્તતી ક્રિયા ગ્રહણ કરવી અને ‘ધારકપ્રયત્ન’ શબ્દથી ધારણા કરનાર ઈશ્વરમાં વર્તતો વીર્યવ્યાપાર ગ્રહણ કરવો. ભાવાર્થ : બ્રહ્માંડાદિની ધૃતિ આદિને કા૨ણે ઈશ્વર જગતના કર્તા છે એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, તેમ પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું. તેને દઢ કરવા માટે અન્ય રીતે પણ ધૃતિ આદિથી ઈશ્વરને જગતના કર્તા સ્વીકારી શકાય નહીં, તે બતાવે છે. કૃતિપણાથી કૃતિ જન્ય છે અર્થાત્ ધૃતિ એ કૃતિ હોવાથી જન્ય છે, તેથી નિત્ય નથી. માટે બ્રહ્માંડાદિને ધારણ કરનાર નિત્ય એવા ઈશ્વરને બ્રહ્માંડાદિની ધૃતિ આદિના બળથી જગતના કર્તા સ્વીકારી શકાય નહિ; કેમ કે કૃતિ જ Page #111 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૨ જ્યારે અનિત્ય હોય તો તે કૃતિના આશ્રયરૂપે અનિત્ય ઈશ્વર માની શકાય, પણ અનિત્ય કૃતિના આશ્રયપણારૂપે નિત્ય એવા ઈશ્વર છે, તે સ્થાપન કરી શકાય નહીં. અહીં પૂર્વપક્ષી કહે કે અમે નિત્યકૃતિ માનીશું, તેથી નિત્ય બ્રહ્માંડાદિની ધારણાને અનુકૂળ કૃતિના આશ્રય તરીકે નિત્ય ઈશ્વરની સિદ્ધિ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – કૃતિત્વાદિ અવચ્છિન્નમાં ઇચ્છાદિનું હેતુપણું હોવાથી નિત્યકૃતિ આદિ સ્વીકારવામાં પ્રમાણ નથી. આશય એ છે કે જે કંઈ કૃતિઆદિ હોય તે સર્વ પ્રત્યે ઇચ્છાદિ હેતુ છે. તેથી જે ઇચ્છાદિ હેતુથી જન્ય હોય તે નિત્ય હોઈ શકે નહિ, માટે નિત્યકૃતિ આદિને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. તેથી નિત્યકૃતિ આદિ સ્વીકારીને બ્રહ્માંડાદિને ધારણ કરવાની નિત્યકૃતિ આદિ ઈશ્વરમાં છે, તેમ બતાવવાપૂર્વક ઈશ્વરની સિદ્ધિ કરીને તે ઈશ્વર જગતના કર્યા છે, તેમ કહી શકાય નહીં. અહીં પૂર્વપક્ષી કહે કે અમે જન્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં મૂકીને નિત્યકૃતિ આદિને સ્વીકારીશું, જેથી નિત્યકૃતિના આશ્રય એવા ઈશ્વરની સિદ્ધિ થશે. તે આ રીતે -- જે જે જ કૃતિઆદિરૂપ કાર્ય છે, તેના પ્રત્યે ઇચ્છાદિ હેતુ છે, પરંતુ સર્વ કૃતિ આદિ પ્રત્યે ઇચ્છા હેતુ નથી. તેથી જન્યત્વ કૃતિનિષ્ઠકાર્યતાનું અવચ્છેદક બનશે અને ઈશ્વરમાં જન્યકૃતિ નથી, માટે ઈશ્વરની કૃતિ પ્રત્યે ઇચ્છાદિ હેતુ નથી, એમ માની શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે -- જન્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં પ્રવેશ કરાવવામાં ગૌરવદોષ છે. તે આ રીત - સર્વ કૃતિઆદિ પ્રત્યે ઇચ્છાદિને હેતુ સ્વીકારવામાં સામાન્ય કાર્યકારણભાવની પ્રાપ્તિ થાય છે, તેથી લાઘવ છે; અને કેટલીક કૃતિઓને અન્ય સ્વીકારવી અને કેટલીક કૃતિઓને નિત્ય સ્વીકારવી અને ત્યાર પછી જન્યકૃતિ આદિ પ્રત્યે ઇચ્છાદિને હેતુ સ્વીકારવામાં ઉપસ્થિતિકૃત ગૌરવદોષની પ્રાપ્તિ છે. માટે કાર્યતાઅવચ્છેદક કોટીમાં જન્યત્વને પ્રવેશ કરાવીને નિત્યકૃતિ આદિ સ્થાપન કરી શકાય નહીં. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૯ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૨ ત્યાં પૂર્વપક્ષી કહે કે અન્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં પ્રવેશ કરાવવામાં ગૌરવદોષ છે, તોપણ ફલમુખ છેઃનિત્ય એવા ઈશ્વરની સંગતિ કરવારૂપ ફલને સાધનાર છે. માટે ફલમુખ એવો ગૌરવદોષ નિત્યકૃતિ આદિને સ્વીકારવામાં બાધક નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – ફલમુખ એવો પણ ગૌરવદોષ કોઈક ઠેકાણે દોષરૂપ છે. આશય એ છે કે જે સ્થાનમાં ગૌરવદોષ પ્રાપ્ત થતો હોય અને તેને પુષ્ટ કરનારી શ્રુતિ ન મળતી હોય, પરંતુ તેને અસિદ્ધ કરનારી શ્રુતિ પ્રાપ્ત થતી હોય, તો તે ફલમુખ એવો પણ ગૌરવદોષ બાધક છે. વસ્તુતઃ ઈશ્વરની જગકર્તુત્વની સિદ્ધિ કરવાના ઉપાયરૂપે પૂર્વપક્ષી એવા નૈયાયિકને નિત્યકૃતિ આદિ સ્વીકારવી છે, અને તેના સ્વીકારમાં તેને ગૌરવદોષ આવ્યો, તેને નૈયાયિક ફલમુખ કહે છે; પરંતુ જ્યાં સુધી ઈશ્વરનું જગકર્તુત્વ સિદ્ધ ન થાય ત્યાં સુધી નિત્યકૃતિને સ્વીકારીને આવતા ગૌરવદોષને ફલમુખ કહી શકાય નહીં. વળી શ્રુતિથી પણ ગૌરવદોષ ફલમુખ છે તેની પુષ્ટિ થતી નથી. માટે પૂર્વપક્ષીએ સ્વીકારેલ ફલમુખ પણ ગૌરવ દોષરૂપ છે. તેમાં શ્રુતિની સાક્ષી આપે છે : શ્રુતિ કહે કે “નિત્યવિજ્ઞાન અને નિત્ય આનંદમય બ્રહ્મ છે.” આ શ્રુતિથી નિત્યજ્ઞાનની સિદ્ધિ થવા છતાં પણ નિત્ય ઇચ્છા અને નિત્યકૃતિની અસિદ્ધિ છે. માટે નિત્યઇચ્છા અને નિત્યકૃતિના આશ્રય તરીકે ઈશ્વરને સ્વીકારીને ઈશ્વરને જગતના કર્તા સ્થાપન કરી શકાય નહિ. જો ઈશ્વરમાં નિત્યઇચ્છા અને નિત્યકૃતિ માન્ય હોય તો નિત્યવિજ્ઞાન, આનંદ, ઇચ્છા અને કૃતિરૂપ બ્રહ્મ છે” એ પ્રમાણે શ્રુતિ હોવી જોઈએ, પરંતુ એવી શ્રુતિ નથી. આ રીતે ધૃતિ આદિ કૃતિ હોવાને કારણે પણ ઈશ્વરના જગત્કર્તુત્વની સિદ્ધિ થઈ શકતી નથી, એમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે નિત્યવિજ્ઞાન અને નિત્યઆનંદરૂપ બ્રહ્મ છે, એ શ્રુતિમાં નિત્યઆનંદ શબ્દથી નિત્યસુખનું ગ્રહણ થાય છે. તેથી ઈશ્વરમાં નિત્યસુખની પણ સિદ્ધિ થાય છે અને નિત્યજ્ઞાનની પણ સિદ્ધિ થાય છે. તેથી તે શ્રુતિ બતાવે છે કે નિત્યજ્ઞાન અને નિત્યસુખના આશ્રય ઈશ્વર છે; અને તેનાથી અર્થથી ઉક્ત શ્રુતિથી પણ એ પ્રાપ્ત થાય કે ઈશ્વરે સર્વ દોષોનો Page #113 -------------------------------------------------------------------------- ________________ co જિનમહત્ત્વદ્રાસિંશિકા/શ્લોક-૧૨-૧૩ નાશ કર્યો છે, માટે ઈશ્વર મહાન છે; કેમ કે ઈશ્વરે સર્વ દોષોનો નાશ કર્યો ત્યારથી માંડીને શાશ્વતકાળ તેમનામાં જ્ઞાન છે અને શાશ્વતકાળ સુધી તેમને સુખ છે. તેથી જે સાધક દોષોનો ધ્વંસ કરે તેને નિત્યજ્ઞાન અને નિત્યસુખની પ્રાપ્તિ થાય છે, માટે તે મહાન છે, આ પ્રકારનો બોધ નિત્યવિજ્ઞાન અને નિત્ય આનંદને બતાવનાર શ્રુતિથી થાય છે. ધૃતિ આદિના બળથી જગતના કર્તા ઈશ્વર સિદ્ધ કરી શકાય નહીં, તેનો વિચાર ‘સ્યાદ્વાદકલ્પલતાદિમાં ઘણો છે. અહીં તો દિશા બતાવવા પૂરતું થોડું કથન છે. I૧રના અવતરણિકા : શ્લોક-૧ થી ૬ સુધીમાં યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાનનું અંતરંગ ગુણસંપત્તિથી મહાતપણું છે, વિશિષ્ટ બાહ્ય સંપદાથી મહાનપણું છે અને સ્વભાવભેદને કારણે પણ મહાતપણું છે. ત્યાં તૈયાયિકે શંકા કરી કે ‘ભગવાનમાં નિત્યનિર્દોષતા નથી, માટે ભગવાન મહાન નથી' તેનું નિરાકરણ શ્લોક-૭ થી ૯ સુધી કરીને સ્થાપન કર્યું કે ભગવાને સાધના કરીને દોષોનો નાશ કર્યો છે, માટે ભગવાન મહાન છે. વળી તૈયાયિક ઈશ્વરને જગત્કર્તા માને છે અને વીતરાગ જગત્કર્તા નથી માટે મહાન નથી,' એમ કહે છે. તેનું નિરાકરણ શ્લોક-૧૦ થી ૧૨ સુધી કરીને સ્થાપન કર્યું કે ‘ભગવાન જગતના કર્તા નથી અને વીતરાગ છે માટે મહાન છે.” વળી ‘ભગવાનના પરિમિત દાનના કારણે ભગવાન મહાન નથી' તેમ બોદ્ધ કહે છે. ગ્રંથકારશ્રી શ્લોક-૧૩-૧૪ થી તે બતાવવાપૂર્વક તેનું નિરાકરણ કરે છે - શ્લોક : अन्ये त्वाहुमहत्त्वं हि सङ्ख्यावद्दानतोऽस्य न । शास्त्रे नो गीयते ह्येतदसङ्ख्यं त्रिजगद्गुरोः ।।१३।। અન્વયાર્થ: અને તુ=અન્ય વળી બોદ્ધ વળી નાદુ =કહે છે સહ્યાવિદ્દાનત =સંખ્યાવાળું દાન હોવાને કારણે આમનું ભગવાનનું મહત્ત્વ ન=મહત્ત્વ નથી, દિન Page #114 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૩ જે કારણથી ત: શા=અમારા શાસ્ત્રમાં ત્રિનારો: ત્રણ જગતના ગુરુનું આ=દાન અર્થ તે અસંખ્ય સંભળાય છે. ૧૩ શ્લોકાર્ચ - બૌદ્ધ વળી કહે છે – સંખ્યાવાળું દાન હોવાને કારણે ભગવાનનું મહત્ત્વ નથી, જે કારણથી અમારા શાસ્ત્રમાં ત્રણ જગતના ગુરુનું આગદાન અસંખ્ય સંભળાય છે. ll૧૩. શ્લોકના પૂર્વાર્ધમાં દિ' શબ્દ પાદપૂર્તિમાં છે. ટીકા : अन्ये त्विति - अन्ये तु-बौद्धास्तु आहुः-अस्य-जिनस्य हि सङ्ख्यावद्दानतो न महत्त्वम् । श्रूयते हि जिनदानस्य सङ्ख्यावत्त्वं - “तिन्नेव य कोडिसया अट्ठासीअं च हुंति कोडिओ । સર્વ વ સયસહસા યં સંવછરે વિન્ન” II (ગા.ન. રર૦) ફત્યાદિના પારા नः अस्माकं शास्त्रे च एतद्-दानं, असङ्ख्यं त्रिजगद्गुरो:-बोधिसत्त्वस्य નીયતે I ત૬ – "एते हाटकराशयः प्रवितताः शैलप्रतिस्पर्खिनो, रत्नानां निचयाः स्फुरन्ति किरणैराक्रम्य भानोः प्रभाः । हारा: पीवरमौक्तिकौघरचितास्तारावलीभासुरा, यानादाय निजानिव स्वगृहतः स्वैरं जनो गच्छति" ।।१।। इत्यादि ।।१३।। ટીકાર્ય : અને તું ... રૂરિ | અન્ય વળી=બૌદ્ધ વળી, કહે છે – આમનું જિનનું, સંખ્યાવાળું દાન હોવાને કારણે મહત્ત્વ નથી, જે કારણથી “ત્રણસો અને અઠ્યાસી ક્રોડ અને ૮૦ લાખ=૩૮૮ ક્રોડ ૮૦ લાખ, આત્રદાન, સંવત્સરમાંક વર્ષમાં, અપાયું.” (આવશ્યકનિર્યુક્તિ શ્લોક-૨૨૦) ઈત્યાદિ ગાથા દ્વારા જિનના દાનનું પરિમિતપણું સંભળાય છે, અને ના=અમારા, શાસ્ત્રમાં ત્રણ જગતના ગુરુનું બોધિસત્વનું, આ=દાન અસંખ્ય સંભળાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૧૩-૧૪ તે કહેવાયું છે=ત્રણ જગતના ગુરુ એવા બોધિસત્ત્વનું અસંખ્ય દાન પૂર્વમાં કહ્યું તે કહેવાયું છે . “શપ્રતિદ્ધિન =પર્વતની સાથે સ્પર્ધા કરનારા, પ્રવિતતા:–વિસ્તૃત એવા તે હાટરાણય:=આ સુવર્ણના ઢગલાઓ છે–બોધિસત્ત્વો વડે દાનમાં અપાયેલા એવા આ સુવર્ણના ઢગલાઓ છે, (અને) સૂર્યની પ્રભાને કિરણો વડે આક્રમણ કરીને રત્નાનાં નિષયા:=રત્નોના સમુદાયો સ્ફુરી રહ્યા છે, અને પૌવર=પુષ્ટ=ઘન, મોતીઓના સમૂહથી રચાયેલા તારાની શ્રેણી જેવા દેદીપ્યમાન હારો છે, યા—જેઓને સ્વગૃહત: નિનિવ=સ્વગૃહથી જાણે પોતાનું ન હોય તેમ, આવવ=ગ્રહણ કરીને, લોકો ઇચ્છાપૂર્વક જાય છે.” ઇત્યાદિ ।।૧૩।। ભાવાર્થ: જૈનદર્શનનાં શાસ્ત્રોમાં ભગવાને વર્ષીદાનમાં આપેલ દાનનું પ્રમાણ વાંચીને બૌદ્ધદર્શનવાળા કહે છે કે તમારાં શાસ્ત્રો પ્રમાણે તમારા ભગવાને પરિમિત દાન કર્યું છે, તેથી તમારા ભગવાન ઉદાર આશયવાળા નથી; અને અમારા ભગવાને અમારાં શાસ્ત્રો પ્રમાણે અપરિમિત દાન કર્યું છે, તેથી અમારા ભગવાન ઉદાર આશયવાળા છે. આમ કહીને બૌદ્ધ જૈનોના ભગવાન મહાન નથી, પરંતુ બોધિસત્ત્વ મહાન છે, તેમ સ્થાપન કરે છે. અહીં ‘અસ’ શબ્દ અપરિમિતતાનો વાચક છે. તેથી બોધિસત્ત્વએ આપેલ ધનને કોઈ ચોક્કસ સંખ્યાથી બતાવેલ નથી, પરંતુ પર્વતોની સાથે સ્પર્ધા કરનાર એવા સુવર્ણના ઢગલાઓ, રત્નના ઢગલાઓ અને મોતીના ઢગલાઓ લોકો લઈને જાય છે, તેમ બતાવીને, બોધિસત્ત્વનું દાન અપરિમિત છે તેમ સ્થાપન કરેલ છે. ૧૩ અવતરણિફા : असङ्ख्यदानदातृत्वेन हि बोधिसत्त्वस्य बहुविभूतिमत्त्वकार्पण्याभावादिना परेण महत्त्वं व्यवस्थाप्यते सङ्ख्यावद्दानदातृत्वेन च जिनस्य तद्विपर्ययान्न महत्त्वमिति, तच्चाऽयुक्तं, संख्यावत्त्वस्याऽन्यप्रयुक्तत्वादित्याशयेन समाधत्ते અવતરણિકાર્થ - . અસંખ્ય=અપરિમિત દાન આપવા વડે બહુવિભૂતિમાનપણાથી અને કૃપણતાના અભાવ આદિથી, પર વડે=બૌદ્ધ વડે, બોધિસત્ત્વનું મહત્ત્વ મ Page #116 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૪ ૯૩ વ્યવસ્થાપન કરાય છે, અને સંખ્યાવાળું દાન આપવા વડે જિનનું તવિપર્યય હોવાથી=બહુવિભૂતિમાનપણાનો અભાવ હોવાથી અને કૃપણતા હોવાથી, મહત્ત્વ નથી, એ પ્રમાણે વ્યવસ્થાપન કરાય છે, તે અયુક્ત છે; કેમ કે સંખ્યાવત્વનું પરિમિત દાનનું અચપ્રયુક્તપણું છે=ભગવાનના પરિમિત દાનનું વિભૂતિના અભાવ અને કૃપણતાદિ પ્રયુક્તપણું નથી, પરંતુ અન્ય પ્રયુક્તપણું છે, એ પ્રકારના આશયથી ગ્રંથકારશ્રી સમાધાન કરે છે. ‘શાળામાવદિના' – અહીં ‘’ થી પરોપકાર કરવાની વૃત્તિનું ગ્રહણ કરવું. શ્લોક : अत्रोच्यते न सङ्ख्यावद्दानमर्थाद्यभावतः । सूत्रे वरवरिकायाः श्रुतेः किं त्वर्थ्यभावतः ।।१४।। અન્વયાર્થ - અત્ર=અહીં ભગવાનનું પરિમિત દાન કેમ છે ? એમાં, ઉચ્ચત્તે જવાબ અપાય છે=સવિદ્દીન—ભગવાનનું સંખ્યાવાળું પરિમિત, દાન અર્થાથમાવત: ર=ધનાદિના અભાવથી નથી, વિજુ=પરંતુ મáમાવત =અર્થીના અભાવથી છે; કેમ કે સૂત્રે સૂત્રમાં વરવરિયાવરવરિકાનું ઉદ્ઘોષણાનું મૃત: શ્રવણ છે. I૧૪. શ્લોકાર્થ : અહીં ભગવાનનું પરિમિત દાન કેમ છે? એમાં, જવાબ અપાય છે - ભગવાનનું પરિમિત દાન ધનાદિના અભાવથી નથી, પરંતુ અર્થીના અભાવથી છે; કેમ કે સૂત્રમાં વરવરિકાનું શ્રવણ છે. ll૧૪ll ટીકા : अत्रोच्यत इति - अत्र-भगवद्दानस्य सङ्ख्यावत्त्वे, उच्यते - न सङ्ख्यावद्दानं अर्थाद्यभावतः, आदिना उदारत्वग्रहः । अत्रैव किं मानमित्यत आहसूत्रे आवश्यकनियुक्त्यादिरूपे, वरवरिकायाः='वृणुत वरं वृणुत वरमि'त्युद्घोषणारूपाया: श्रुतेः, तस्याश्चार्थाद्यभावविरोधात्, किं तु अर्थ्यभावत: अन्यादृशयाचकाभावात् । तदिदमुक्तं - Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૧૪ “महादानं हि सङ्ख्यावदर्थ्यभावाज्जगद्गुरोः। સિદ્ધવરવરિશ્ચાતર્તી સૂત્રવિધાન: ”(કષ્ટપ્રવરપ-ર૬/૬)તિ ૨૪ ટીકાર્ય : સત્ર માવદાનસ્થ .. વિધાનત: ત અહીં=ભગવાનના દાનના પરિમિતપણામાં, કહેવાય છે – 'ભગવાનનું સંખ્યાવાળું દાન=પરિમિત દાન, અર્યાદિના અભાવથી=ધનાદિના અભાવથી, નથી.' ‘ગારિ' થી “સ્થતિ માં રહેલા “સલિ' શબ્દથી, ઉદારપણું ગ્રહણ કરવું=ઉદારતાના અભાવે પરિમિત દાન નથી, એમ ગ્રહણ કરવું. આમાં જ શું પ્રમાણ છે? એથી કહે છે અર્થાદિના અભાવથી ભગવાનનું સંખ્યાવાળું દાન નથી, એમાં જ શું પ્રમાણ છે ? એથી કહે છે – સૂત્રમાંકઆવશ્યકતિયુક્તિ આદિરૂપ સૂત્રમાં, વરવરિકા ઈષ્ટને માંગો, ઈષ્ટતે માંગો' એ પ્રકારની ઉદ્ઘોષણારૂપ વરવરિકાનું, શ્રવણ હોવાથી ભગવાનનું સંખ્યાવાળું દાન અર્યાદિના અભાવથી નથી; કેમ કે તેનોન વરવારિકાનો, અર્યાદિના અભાવ સાથે વિરોધ છે. અહીં પ્રશ્ન થાય કે જો અર્યાદિના અભાવને કારણે ભગવાનનું પરિમિત દાન નથી, તો કોના કારણે પરિમિત દાન છે ? તેથી કહે છે – પરંતુ અર્થીના અભાવને કારણે અન્યાદશ યાચકના અભાવને કારણે= પરિમિત માંગે તેના કરતાં જુદા પ્રકારના યાચકના અભાવને કારણે, ભગવાનનું પરિમિત દાન છે. તે આ કહેવાયું છેઃઅર્થીના અભાવને કારણે ભગવાનનું પરિમિત દાન છે, તે આ “અષ્ટક પ્રકરણ ૨૬/પમાં કહેવાયું છે. “અર્થીના અભાવથી જગદ્ગુરુનું સંખ્યાવાળું મહાદાન વરવરિકાથી સિદ્ધ છે; કેમ કે તેનું વરવરિકાનું, સૂત્રમાં વિધાન છે.” (અષ્ટક પ્રકરણ-૨૬/૫) “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. I૧૪તા. ભાવાર્થ :પૂર્વ શ્લોક-૧૩માં બતાવ્યા પ્રમાણે બૌદ્ધે કહેલ કે “તમારા ભગવાને પરિમિત Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧પ દાન કર્યું છે, માટે ભગવાન મહાન નથી.” તેને ગ્રંથકારશ્રી ભગવાનનું દાન પરિમિત કેમ છે ? તે બતાવવા અર્થે કહે છે -- ભગવાન પાસે અર્થ=ધન, ન હતું, ઉદારતા ન હતી, માટે ભગવાનનું પરિમિત દાન છે, એમ નથી; પરંતુ અર્થીના અભાવને કારણે ભગવાનનું પરિમિત દાન છે અર્થાતુ જેવા યાચકો બોધિસત્ત્વ પાસે હતા, તેવા યાચકો ભગવાન પાસે ન હતા, માટે ભગવાનનું પરિમિત દાન છે. “આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે “ઇષ્ટને માંગો, ઇષ્ટને માંગો' એ પ્રકારની ઉદ્ઘોષણાપૂર્વક ભગવાને દાન આપેલ છે. તેથી જો અર્થાદિનો અભાવ હોય તો આવી ઉદ્ઘોષણા કરાવી શકે નહીં, વળી ઉદારતા ન હોય તોપણ આવી ઉદ્ઘોષણા કરાવી શકે નહીં. તેથી અર્થથી ફલિત થાય છે કે ભગવાનની પાસે વિપુલ ધન હતું અને ઉદારતા પણ હતી; આમ છતાં ઘણું ધન માંગે તેવા પ્રકારના વાચકોના અભાવને કારણે બોધિસત્ત્વ જેવું અસંખ્ય =અપરિમિત દાન ભગવાનનું નથી, પરંતુ પરિમિત દાન છે. II૧૪ના. અવતરણિકા : પૂર્વ શ્લોક-૧૪માં કહ્યું કે અર્થીના અભાવને કારણે ભગવાનનું પરિમિત દાન છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જ્યારે ઉદ્દઘોષણાપૂર્વક ભગવાન દાત કરતા હોય ત્યારે ધનના અર્થી જીવો પરિમિત દાન માંગે, તે કઈ રીતે સંભવે ? તેથી કહે છે – શ્લોક : स च स्वाम्यनुभावेन सन्तोषसुखयोगतः । धर्मेऽप्युग्रोद्यमात्तत्त्वदृष्ट्येत्येतदनाविलम् ।।१५।। અન્વયાર્થ : ઘ=અને સ્વાસ્થનુમાન સ્વામીના અનુભાવથી પ્રભાવથી સન્તોષસુયોતિ =સંતોષસુખનો યોગ હોવાથી=સંતોષસુખનો સંભવ હોવાથી (અ) તત્ત્વચા થર્નેડથુદામ–સ્વામીના અનુભાવથી જ તત્વદૃષ્ટિને કારણે=તત્ત્વદૃષ્ટિ પ્રગટ થવાને કારણે, ધર્મમાં પણ ઉગ્ર ઉદ્યમ થવાથી Page #119 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫ સ=તે=અર્થીનો અભાવ છે. કૃતિ=એથી ત=આ=પરિમિત દાન અવિત= નિર્દોષ છે. ।।૧૫।। ૯૬ શ્લોકાર્થ : અને સ્વામીના પ્રભાવથી સંતોષસુખનો સંભવ હોવાથી, (અને) સ્વામીના અનુભાવથી તત્ત્વદૃષ્ટિ પ્રગટ થવાને કારણે, ધર્મમાં પણ ઉગ્ર ઉધમ થવાથી તે અર્થીનો અભાવ છે. એથી આ=પરિમિત દાન, નિર્દોષ છે. ।।૧૫।। ટીકા स चेति स चार्थ्यभावश्च, स्वाम्यनुभावेन = भगवतः सिद्धयोगफलभाज: प्रभावेण सोपक्रमनिरुपक्रमधनादानवाञ्छाजनककर्मणां संतोषसुखस्यानिच्छामितेच्छालक्षणस्य योगतः संभवात् । तथा स्वाम्यनुभावेनैव प्राणिनां धर्मेऽपि कुशलानुष्ठानरूपे, उग्रोद्यमात् अतिशयितप्रयत्नात् तत्त्वदृष्ट्या संसारासारतापरिज्ञानेन इत्येतत् सङ्ख्यावद्दानम्, अनाविलं= निर्दोषम् । तदिदमुक्तं : * -- "महानुभावताप्येषा तदभावे न यदर्थिनः । विशिष्टसुखयुक्तत्वात् सन्ति प्रायेण देहिनः ।। धर्मोद्यताश्च तद्योगात्ते तदा तत्त्वदर्शिनः । महन्महत्त्वमस्यैवमयमेव जगद्गुरुः " ।। '' . ટીકાર્ય : स चार्ध्यभावश्च નગુરુ: ।। ત ==અને, સ્વામીના અનુભાવથી= સિદ્ધયોગના ફળવાળા અર્થાત્ સંતોષગુણરૂપ જે સિદ્ધયોગ તેનું ફ્ળ અન્યને સંતોષ ઉત્પન્ન કરાવવો તે ફળવાળા એવા ભગવાનના પ્રભાવથી, ધનના ગ્રહણના વાંછાજનક સોપક્રમ અને નિરુપક્રમ એવા કર્મવાળા જીવોને સંતોષસુખનો=અનિચ્છા-મિતેચ્છાસ્વરૂપ સંતોષસુખનો, સંભવ હોવાથી F=તે=અર્થીનો અભાવ છે, અને સ્વામીના અનુભાવથી જ પ્રાણીઓને ***** (અષ્ટપ્ર૨૫-૨૬/૭-૮) વૃત્તિ ।। || Page #120 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિશિકા/શ્લોક-૧૫ ૯૭ તત્વદૃષ્ટિ પ્રગટ થવાને કારણે=સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાને કારણે, કુશળ અનુષ્ઠાનરૂપ ધર્મમાં પણ ઉગ્ર ઉદ્યમ થતો હોવાથી= અતિશય પ્રયત્ન થતો હોવાથી અર્થીનો અભાવ છે, એમ અવય છે. તિ=એથી આગપરિમિત દાન, નવિન—નિર્દોષ છે. તે આ કહેવાયું છે ભગવાનના પ્રભાવથી સંતોષસુખયોગ આદિના કારણે અર્થીનો અભાવ છે, તે આ ‘અષ્ટક પ્રકરણ'-૨૬ શ્લોક-૭-૮માં કહેવાયું છે – તદ્માવે તેના ભાવમાં=જગદ્ગુરુના સર્ભાવમાં વિશિષ્ટસુવયુવતત્વ=વિશિષ્ટ સુખયુક્તપણું હોવાને કારણે પ્રાગ=બહુલતાએ વેઢના=પ્રાણીઓ જે મર્થન: નિત્ત યાચના કરવાના સ્વભાવવાળા નથી, પણ=આ=મહાનુમાવતા =મહાનુભાવતા પણ છે.” (અષ્ટક પ્રકરણ-૨૬ શ્લો. ૭) + અષ્ટક પ્રકરણ-૨૯ શ્લોક-૭ની ટીકામાં તિ તત્ એ પ્રમાણે સંબંધ બતાવ્યો છે, અને તદ્' નું ઉષા' રૂપ છે. “=અને તદ્યોIT–તેમના યોગથી=જગદ્ગુરુના સંબંધથી તે–તેઓ=પ્રાણીઓ તા–ત્યારે જગદ્ગુરુના કાળમાં તત્ત્વશિના તત્વદર્શી છે, તેથી ધર્મોદ્યતા:=ધર્મમાં ઉઘત છે.” જગદ્ગુરુ આવા છે, તેનાથી શું ? તેથી કહે છે – સ્થ આમનું જિનનું મહત્મહત્ત્વ—મહાન અતિશય મહત્ત્વ છે. વ—આ રીતે= અષ્ટક પ્રકરણ શ્લોક-૭-૮માં કહ્યું એ રીતે, અમે આ જ=જિનપતિ જ નાગુરુ:= જગદ્ગર છે.” (અષ્ટક પ્રકરણ-૨૬ શ્લો. ૮) ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. I૧૫ + 'ધર્મેપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે ભગવાનના સાંનિધ્યથી ધનના અગ્રહણની તો ઇચ્છા થાય છે, પરંતુ ધર્મમાં પણ ઉગ્ર ઉદ્યમ થાય છે. ભાવાર્થ :ભગવાનનું પરિમિત દાન હોવાથી જ ભગવાનનું મહત્ત્વ : ભગવાન ઉદ્ઘોષણાપૂર્વક વર્ષીદાન આપતા હતા, છતાં પરિમિત દાન કેમ થયું ? તેમાં યુક્તિ બતાવે છે કે ભગવાન સંતોષ ગુણને ધારણ કરવામાં સિદ્ધયોગી હતા. તેના ફળરૂપે તેમના સાંનિધ્યમાં આવનારા જીવોને સંતોષ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૫ ગુણ પ્રગટ થતો હતો. તેથી જેમનાં સોપક્રમકર્મ હતાં, તેઓને ધન ગ્રહણ કરવાની ઇચ્છા શાંત થઈ જતી હતી, અને જેમનાં નિરુપક્રમકર્મ હતાં, તેમની પણ નિરુપક્રમકર્મસહવર્તી સોપક્રમ કર્મનું શમન થવાથી પરિમિત ગ્રહણ કરવાની ઇચ્છા થતી હતી, અને તેના કારણે અધિક ધન યાચના કરનારા અર્થીઓનો અભાવ હતો. માટે ભગવાનનું પરિમિત દાન હતું. વળી ભગવાનનો વૈરાગ્ય પણ સિદ્ધયોગી પુરુષનો હતો. તેથી તેમના સાંનિધ્યમાં આવનારા જીવોને સંસારની અસારતાનું પરિજ્ઞાન થતું હતું, તેથી તેવા જીવો કુશળ અનુષ્ઠાનરૂપ ધર્મમાં ઉદ્યમ કરનારા હતા, માટે ભગવાનની પાસે યાચના કરવાનો પરિણામ તેઓને વર્તતો ન હતો. તેથી પણ ભગવાનનું પરિમિત દાન હતું. આ બે કારણથી ભગવાનનું દાન પરિમિત સંખ્યાવાળું થયું. માટે ભગવાનનું પરિમિત દાન છે એ દોષરૂપ નથી, પરંતુ ભગવાનના ગુણને બતાવે છે. ટીકા : यत्तु संतोषजनकत्वे मितमपि दानं न स्यादिति के नचिदुच्यते, तत्तूक्तसंतोषव्यवस्थाऽपरिज्ञानविजूंभितम् । तदिदमाहाष्टकवृत्तिकृत् - "ननु यदि तीर्थंकरानुभावादशेषदेहिनां संतोषभावादर्थ्यभावः स्यात्तदा सङ्ख्याकरणमप्ययुक्तं, अल्पस्यापि दानस्यासंभवात्, इत्यत्रोच्यते - देवताशेषाया इव संवत्सरमात्रेण प्रभूतप्राणिग्राह्यत्वाद्युक्तमेव सङ्ख्यावत्त्वम्” इति ।।१५।। ટીકાર્ય : યg ..... સંધ્યવર્ત' તિ | વળી સંતોષજનકપણું હોવાને કારણે=ભગવાનના સિદ્ધયોગગુણનું સંતોષજનકપણું હોવાને કારણે, મિતદાન પણ=પરિમિત દાન પણ, નહીં થાય, એ પ્રમાણે કોઈના વડે જે કહેવાય છે, તે ઉક્ત સંતોષવ્યવસ્થાના અપરિજ્ઞાનનું વિજૈભિત છેઃસિદ્ધયોગી એવા ભગવાનના સિદ્ધયોગરૂપ સંતોષગુણની વ્યવસ્થાના અપરિજ્ઞાનનો વિલાસ છે. તે આપૂર્વમાં ગ્રંથકારશ્રીએ “રા' થી જે કહ્યું, તે આ, અષ્ટકવૃત્તિકાર કહે છે – Page #122 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫ ૯૯ “જો તીર્થંકરના અનુભાવથી સર્વ જીવોના સંતોષના ભાવને કારણે અર્થીનો અભાવ હોય તો સંખ્યાકરણ પણ અયુક્ત છે=તીર્થંકરના દાનનું પરિમિત સંખ્યાકરણ પણ અયુક્ત છે; કેમ કે અલ્પ પણ દાનનો અસંભવ છે. ચત્ર=એ પ્રકારની શંકામાં, કહેવાય છે - દેવતાશેષની જેમ સંવત્સરમાત્રથી ઘણા જીવો વડે ગ્રાહ્યપણું હોવાથી સંખ્યાવત્ત્વ યુક્ત જ છે=પરિમિત ધન યુક્ત જ છે.” ‘કૃતિ’ શબ્દ અષ્ટકવૃત્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ।।૧૫।। ♦ ‘મિતવિ’ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ઘણા દાનનો તો અસંભવ છે, પરંતુ અલ્પ પણ દાનનો અસંભવ છે. ભાવાર્થ: પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાન સિદ્ધયોગી હોવાને કારણે તેમના સાંનિધ્યમાં આવનાર જીવોને સંતોષ ઉત્પન્ન થાય છે, માટે ભગવાનનું પરિમિત દાન છે; પરંતુ ભગવાન પાસે ધનાદિનો અભાવ છે, માટે પરિમિત દાન છે, તેવું નથી. ત્યાં કોઈ શંકા કરે છે કે જો ભગવાનનું સાંનિધ્ય સર્વ જીવોમાં સંતોષ ઉત્પન્ન કરાવી શકતું હોય તો ભગવાનનું પરિમિત દાન પણ થવું જોઈએ નહિ; કેમ કે ભગવાનના સાંનિધ્યથી બધા જીવોને સંતોષ થઈ જવાથી ધનની યાચના કરનાર કોઈ રહે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વપક્ષીને સિદ્ધયોગીના સંતોષગુણથી થતા સંતોષની વ્યવસ્થાનું અપરિજ્ઞાન છે, તેથી પૂર્વપક્ષી આ પ્રકારની શંકા કરે છે. તેનાથી અર્થથી એ ફલિત થયું કે ભગવાન સિદ્ધયોગી હોવાને કારણે જેમનાં સોપક્રમકર્મ હતાં, તેઓને ધન ગ્રહણ કરવાની ઇચ્છા થઈ નહીં, પરંતુ ધર્મમાં ઉદ્યમ કરવાનો પરિણામ થયો; અને જેઓનાં નિરુપક્રમકર્મ હતાં, તેઓને પણ તત્સહવર્તી જે સોપક્રમકર્મ હતાં, તેના ઉપર ભગવાનના સાંનિધ્યથી ઉપક્રમ લાગવાના કારણે, નિરુપક્રમકર્મમાત્રજનિત પરિમિત દાન લેવાની ઇચ્છા થાય છે. તેથી ભગવાન પાસે ધનની યાચના કરનારા પણ પરિમિત ધનની યાચના કરે છે, અને તેવા ઘણા જીવો વર્ષ સુધી દેવતાના શેષ=પ્રસાદીની જેમ ભગવાન પાસેથી ધન ગ્રહણ કરે છે. માટે ભગવાનનું પરિમિત દાન થયેલ છે. ૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૬ અવતરણિકા : પૂર્વશ્લોક-૧૫માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભગવાનનું પરિમિત દાન હોવાને કારણે ભગવાન મહાન છે. ત્યાં કોઈકની શંકા બતાવીને ઉત્તર આપે છે – શ્લોક : दानादेवाकृतार्थत्वान्महत्त्वं नेति मन्दधीः । तस्योत्तरमिदं पुण्यमित्थमेव विपच्यते ।।१६।। અન્વયાર્થ : વાતાવ-દાનના કારણે જ અવૃત્તાર્થત્વા–અકૃતાર્થપણું હોવાથી ભગવાનનું અકૃતાર્થપણું હોવાથી મહત્ત્વ ન=મહત્ત્વ નથી=ભગવાનનું મહત્ત્વ નથી, તિ=એ પ્રમાણે મનથી =મંદબુદ્ધિવાળો કહે છે. તeતેનો દંઆ ઉત્તરzજવાબ છે – રૂત્યુને આ રીતે જ=સંયમ ગ્રહણ કરતી વખતે દાન આપીને ભગવાન સંયમ ગ્રહણ કરે છે એ રીતે જ, પુખ્ય વિપશ્ચતે પુગ્ય વિપાકને પામે છેતીર્થકરનું પુણ્ય ફળ આપે છે. II૧૬L. શ્લોકાર્ચ - ‘દાનના કારણે જ ભગવાનનું અકૃતાર્થપણું હોવાથી મહત્ત્વ નથી” એ પ્રમાણે મંદબુદ્ધિવાળો કહે છે. તેને આ જવાબ છે કે આ રીતે જ તીર્થકરનું પુણ્ય ફળ આપે છે. ll૧૬ો ટીકા : दानादिति-दानादेव हेतोः, अकृतार्थत्वात् फलविशेषप्रत्याशावश्यकत्वेनासिद्धप्रयोजनत्वात्, महत्त्वं नार्हतः, इति मंदधी: कश्चिदाह । तस्येदमुत्तरं - यदुत पुण्यं तीर्थंकरत्वनिबन्धनम्, इत्थमेव दानादिप्रक्रमेणैव, विपच्यते स्वविपाकं प्रदर्शयति । तथा च स्वकल्पादेव भगवतो दानं न तु फलप्रत्याशयेति नाकृतार्थत्वमिति ध्वन्यते । तदिदमाह - “उच्यते कल्प एवास्य तीर्थकृन्नामकर्मणः । उदयात् सर्वसत्त्वानां हित एव प्रवर्तते" (अष्टकप्रकरण-२७/२) इति । Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ ટીકાર્ય : રાનવેવ ..... પ્રવર્તત 1 રૂત્તિ દાનના જ કારણે અકૃતાર્થપણું હોવાથી ફળવિશેષ પ્રતિ આશાનું આવશ્યકપણું હોવાને કારણે અસિદ્ધપ્રયોજનપણું હોવાથી, અરિહંતનું મહત્ત્વ નથી, એ પ્રમાણે મંદબુદ્ધિવાળો કોઈ કહે છે. તેને આ ઉત્તર છે. તે ઉત્તર “ઉત' થી બતાવે છે – તીર્થંકરપણાની પ્રાપ્તિનું કારણ એવું પુણ્ય આ રીતે જEદાનાદિના પ્રક્રમથી જ=દાનાદિના પ્રારંભથી જ, વિપ=વિપાકને પામે છે= સ્વવિપાકને બતાવે છે, અને તે રીતે=ભગવાનનું પુણ્ય દાનાદિના પ્રક્રમથી વિપાકને પામે છે, તે રીતે, સ્વકલ્પથી જ ભગવાનનું દાન છે, પરંતુ ફળ પ્રતિ આશાથી નથી; એથી અકૃતાર્થપણું નથી=ભગવાનનું અકૃતાર્થપણું નથી, એ પ્રમાણે ધ્વનિત થાય છે ભગવાને આપેલા દાનની સંખ્યાને કહેનારા શાસ્ત્રવચનથી આ અર્થ જણાય છે. તે આ=ભગવાન સ્વકલ્પથી જ દાન આપે છે, પરંતુ ફળની આશાથી આપતા નથી, એમ જે પૂર્વમાં કહ્યું તે આ, અષ્ટક પ્રકરણ-૨૭ શ્લોક-રથી કહે છે. “તે પૂર્વપક્ષીની શંકામાં જવાબ અપાય છે – તીર્થંકર નામકર્મના ઉદયથી સર્વ જીવોના હિતમાં જ ભગવાન પ્રવર્તે છે, એ મ= એમનો=જગદ્ગુરુનો, કલ્પ છે.” (અષ્ટક પ્રકરણ-૨૭-૨) તિ' શબ્દ અષ્ટક પ્રકરણના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભગવાને પરિમિત દાન આપ્યું છે, તે અર્થીના અભાવને કારણે આપ્યું છે, પરંતુ કૃપણતાદિ ભાવને કારણે પરિમિત દાન આપ્યું નથી, માટે ભગવાન મહાન છે. ત્યાં કોઈક શંકા કરતાં કહે છે કે ભગવાને દાન આપ્યું છે, તે વચનથી જ સિદ્ધ થાય છે કે ભગવાન અકૃતાર્થ હતા; કેમ કે ફળવિશેષની આશાથી ભગવાને દાન આપ્યું છે. માટે ભગવાન સિદ્ધપ્રયોજનવાળા નથી, એથી ભગવાન મહાન નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ આશય એ છે કે દાન-શીલાદિ ચાર પ્રકારના ધર્મમાંથી દાનધર્મ સામાન્ય રીતે શીલાદિનાં પ્રતિબંધક કર્મોના નાશ અર્થે કરવામાં આવે છે. આથી લોકોને બીજાધાનાદિની પ્રાપ્તિ થાય, તે માટે ઉચિત કાળે શ્રાવક અનુકંપાદાન કરે છે, જેમ સંપ્રતિમહારાજાએ લોકોના બીજાધાનના અર્થે દાનશાળાઓ આદિ કાર્યો કર્યા. આનાથી એ ફલિત થાય કે સંયમપ્રાપ્તિના અર્થી એવા જે વિવેકી શ્રાવકો સંયમ ગ્રહણ કરીને આત્મહિત સાધી શકે તેમ નથી, તેઓ પોતાના સંયમની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મોનો નાશ કરવા માટે દાન કરે છે, જેથી દાન કરીને લોકોના બીજાધાનાદિનું પોતે નિમિત્ત બને તો તેઓને બીજાધાનાદિની પ્રાપ્તિ કરાવવા દ્વારા તેઓને સંયમની પ્રાપ્તિનું કારણ પોતાનું દાન બનવાથી, પોતાને પણ સંયમની પ્રાપ્તિમાં અંતરાયભૂત કર્મોનો નાશ થાય, અને પોતાને સંયમની પ્રાપ્તિ થાય. માટે સંયમપ્રાપ્તિના અર્થી આવા વિવેકી શ્રાવકો દાનધર્મમાં યત્ન કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે શ્રાવકો કૃતાર્થ નથી અર્થાતુ અસિદ્ધપ્રયોજનવાળા છે, તેઓ પોતાના તે પ્રયોજનને સાધવા માટે દાન આપે છે, જેથી દાન આપવા દ્વારા પોતાનું ચારિત્રમોહનીય કર્મ તૂટે અને પોતાને સંયમનું પ્રયોજન સિદ્ધ થાય. આમ કહીને પૂર્વપક્ષી કહે છે કે ભગવાન પણ અસિદ્ધપ્રયોજનવાળા છે, તેથી દાન આપીને તે દાનથી ફળવિશેષની આશા રાખે છે, માટે ભગવાન કૃતાર્થ નથી. તેથી ભગવાને દાન આપ્યું છે તે વચનથી જ ભગવાન મહાન નથી, તે સિદ્ધ થાય છે. ઉપર્યુક્ત પૂર્વપક્ષીના કથનનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે- તીર્થંકરનામકર્મના કારણભૂત એવું ભગવાનનું પુણ્ય વર્ષાદાનાદિના પ્રારંભથી જ ઉદયમાં આવે છે. તેથી તેવા પુણ્યના ઉદયે ભગવાને દાન આપ્યું છે, પરંતુ વિવેકી શ્રાવકોની જેમ ફળ પ્રત્યેની આશાથી દાન આપ્યું નથી. આશય એ છે કે જેમ શ્રાવકો સંયમ માટે અસમર્થ હોય ત્યારે સંયમનાં પ્રતિબંધક કર્મોના નાશ અર્થે દાન કરે છે, તેમ ભગવાન સંયમનાં પ્રતિબંધક કર્મોના નાશ કરવા અસમર્થ છે માટે દાન કરતા નથી. પરંતુ ભગવાન સંયમ ગ્રહણ કરીને સાધના કરવા સમર્થ છે, તોપણ તેઓએ જે તીર્થકર નામકર્મ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૧૬ બાંધ્યું છે, તે તીર્થકર નામકર્મ સર્વ જીવોના હિતમાં જ પ્રવૃત્તિ કરાવે તેવા ફળવાળું છે. તેથી સંયમ ગ્રહણ કરવાના સમયે દાન આપીને યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય તે માટે ભગવાન દાન આપે છે, વળી જેમ વિવેકી શ્રાવકોના પણ ચારિત્રમોહનીય કર્મ બળવાન છે તેઓ સર્વવિરતિની શક્તિના સંચય માટે દાન આપે છે માટે તેઓ જેમ અકૃતાર્થ છે, તેમ ભગવાન અકૃતાર્થ નથી, પરંતુ ચારિત્રમોહનીય કર્મને સ્થિર કરવારૂપ કતઅર્થવાળા છે, આમ છતાં લોકોના ઉપકાર અર્થે દાન આપે છે. તેથી ભગવાન દાન આપે છે એ વચનથી ભગવાન અકૃતાર્થ છે તેમ સિદ્ધ થતું નથી, પરંતુ જગતના જીવોના હિતના અર્થે ભગવાન દાન આપે છે, એમ સિદ્ધ થાય છે. માટે કૃતાર્થ એવા પણ ભગવાન બીજાના હિતને માટે દાન આપે છે, તેથી ભગવાન મહાન છે. વસ્તુતઃ દીક્ષા પહેલાં ભગવાન કૃતાર્થ નથી, આથી જ સાધના માટે દીક્ષા ગ્રહણ કરે છે; તોપણ પૂર્વમાં કહ્યું તેવી સંયમના અથ એવા શ્રાવક જેવી અકૃતાર્થતા ભગવાનમાં નથી. તે અપેક્ષાએ જ અહીં ભગવાનને અકૃતાર્થ નથી, એમ સ્થાપન કરેલ છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે ભગવાનનું પુણ્ય આ રીતે જ વિપાકને પામે છે. તેથી પ્રશ્ન થાય કે પુણ્ય કેટલા પ્રકારનું છે ? અને ભગવાનનું આવા પ્રકારના વિપાકવાળું પુણ્ય કઈ રીતે દાનમાં પ્રવૃત્તિ કરાવે છે ? તે સ્પષ્ટ કરવા માટે પુણ્ય-પાપના ચાર ભાંગા બતાવે છે – ટીકા : चत्वारो हि भगाः पुण्यपापयोः संभवन्ति-पुण्यानुबन्धिपुण्यमित्येकः । पापानुबन्धिपुण्यमिति द्वितीयः । पापानुबन्धिपापमिति तृतीयः । पुण्यानुबन्धिपापमिति चतुर्थः । तत्राद्यं मनुष्यादेः पूर्वभवप्रचितं मानुषत्वादिशुभभावानुभवहेतु, अनन्तरं देवादिगतिपरम्पराकारणम् । अनन्तरं नारकादिभवपरम्पराकारणं चैतद् द्वितीयम् । यच्च तिर्यगादेः प्राग्जन्मोपात्तं तिर्यक्त्वाद्यशुभभावानुभवननिमित्तमनन्तरं च नरकादिहेतु तत्तृतीयम् । तदनन्तरं देवादिगतिपरम्परानिमित्तं चैतच्चतुर्थमिति । यदाह - Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ “गेहाद्गेहान्तरं कश्चिच्छोभनादधिकं नरः । याति यद्वत्सुधर्मेण तद्वदेव भवाद्भवम् ।। (अष्टकप्रकरणम् - २४/१) गेहाद्गेहान्तरं कश्चिच्छोभनादितरन्नरः । याति यद्वदसद्धर्मात्तद्वदेव भवाद्भवम् ।। (अष्टकप्रकरणम्-२४/२) गेहाद्गेहान्तरं कश्चिदशुभादधिकं नरः । याति यद्वन्महापापात्तद्वदेव भवाद्भवम् ।। (अष्टकप्रकरणम् - २४/३) गेहाद्गेहान्तरं कश्चिदशुभादितरन्नरः । याति यद्वत्सुधर्मेण तद्वदेव भवाद्भवम् ।।" (अष्टकप्रकरणम्-२४/४) अत्र चाद्यभङ्गवर्तिभगवत्पुण्यमनुभूतावशिष्टमप्युचितक्रियाप्रगुणमेवेति न दानादतततार्थत्वमिति भावनीयम् ।।१६।। જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬ ટીકાર્થ ઃ चत्वारो हि ભાવનીયમ્ ।। પુણ્ય-પાપના ચાર ભાંગાઓ સંભવે છે : (૧) ‘પુણ્યાનુબંધીપુણ્ય' - એ પ્રથમ ભાંગો, (૨) ‘પાપાનુબંધીપુણ્ય’ - એ બીજો ભાંગો, (૩) ‘પાપાનુબંધીપાપ’ એ ત્રીજો ભાંગો અને (૪) ‘પુણ્યાનુબંધીપાપ' એ ચોથો ભાંગો છે. (૧) પુણ્યાનુબંધીપુણ્ય : ***** તત્ર=ત્યાં=ચાર ભાંગામાં, મનુળાવે =મનુષ્યાદિનું પૂર્વમવચિતં=પૂર્વ ભવમાં પ્રચિત એવું=પૂર્વભવમાં ઉપાર્જન કરાયેલું એવું, માનુષત્વાદિ શુભભાવના અનુભવનો હેતુ, અનંતર દેવાદિગતિની પરંપરાનું કારણ, આણં=પ્રથમ છે= પુણ્યાનુબંધીપુણ્ય છે. (૨) પાપાનુબંધીપુણ્ય : અનંતર નારકાદિ ભવપરંપરાનું કારણ એવું આ=પૂર્વ ભવમાં ઉપાર્જન કરાયેલું માનુષત્વાદિ શુભભાવના અનુભવનો હેતુ એવું પુણ્ય, બીજું છે= પાપાનુબંધીપુણ્ય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૬ (૩) પાપાનુબંધી પાપ : અને તિર્યંચાદિનું પૂર્વજન્મમાં ઉપાર્જન કરાયેલું તિર્યંચવાદિ અશુભભાવના અનુભવનું નિમિત્ત અને અનંતર નરકાદિનો હેતુ એવું, ચ=જે= તિર્યંચાદિ ભવની પ્રાપ્તિનું કારણ બને એવું જે પાપ, ત—તે ત્રીજું છેઃ પાપાનુબંધી પાપ છે. (૪) પુણ્યાનુબંધીપા૫ - અને તદનંતર તિર્યંચાદિના ભવની પ્રાપ્તિ પછી, દેવાદિગતિની પરંપરાનું નિમિત એવું આ તિર્યંચાદિ અશુભભાવના અનુભવનું નિમિત્ત પાપ, ચોથું છે પુણ્યાનુબંધી પાપ છે. ત્તિ' શબ્દ ચાર ભાંગાના વર્ણનની સમાપ્તિમાં છે. જે કારણથી કહે છેઃઅષ્ટક પ્રકરણ-૨૪ શ્લોક-૧ થી ૪ માં કહે છે - (૧) પુણ્યાનુબંધી પુણ્ય : “જેમ કોઈ મનુષ્ય સુંદર ઘરથી અધિક સુંદર અન્ય ઘરમાં જાય છે, તેની જેમ જ સુધર્મથી પુણ્યાનુબંધી પુણ્યને ઉત્પન્ન કરે એવા અનુષ્ઠાનથી, મનુષ્ય એક ભવથી બીજા ભવમાં જાય છે અર્થાત્ એક સુંદર ભવથી બીજા સુંદર ભવમાં જાય છે.” (અષ્ટક પ્રકરણ-૨૪ શ્લોક-૧) (૨) પાપાનુબંધી પુણ્ય : જેમ કોઈક મનુષ્ય સુંદર ઘરથી ઈતર અસુંદર ઘરમાં જાય છે, તેની જેમ જ અસધર્મથી=પાપના અનુબંધવાળા એવા દયાદિ ધર્મથી=અતત્વના અભિનિવેશવાળા ધર્મના અનુષ્ઠાનથી, મનુષ્ય એક ભવથી બીજા ભવમાં જાય છે અર્થાત્ એક સુંદર ભવથી અન્ય અસુંદર ભવમાં જાય છે.” (અષ્ટક પ્રકરણ-૨૪ શ્લોક-૨) (૩) પાપાનુબંધી પાપ : “જેમ કોઈક મનુષ્ય અસુંદર ઘરથી અધિક અસુંદર ઘરમાં જાય છે, તેની જેમ જ મહાપાપથી=અતત્વના અભિનિવેશવાળા પ્રાણાતિપાતાદિ મહાપાપથી, મનુષ્ય એક ભવથી બીજા ભવમાં જાય છે અર્થાત્ એક અસુંદર ભવથી બીજા અસુંદર ભવમાં જાય છે.” (અષ્ટક પ્રકરણ-૨૪ શ્લોક-૩) Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૧૬ (૪) પુણ્યાનુબંધીપાપ : “જેમ કોઈ મનુષ્ય અસુંદર ઘરથી ઇતર એવા સુંદર ઘરમાં જાય છે, તેની જેમ જ સુધર્મથી=અકુશળ અનુષ્ઠાનથી મિશ્ર નિનિંદાનાદિ કુશળ અનુષ્ઠાનરૂપ સુધર્મથી, મનુષ્ય એક ભવથી બીજા ભવમાં જાય છે અર્થાત્ એક અસુંદર ભવથી બીજા સુંદર ભવમાં જાય છે.” (અષ્ટક પ્રકરણ-૨૪ શ્લોક-૪) અને અહીં=આ ચાર ભાંગામાં, આદ્યભંગવર્તી ભગવાનનું પુણ્ય અનુભૂત અવશિષ્ટ પણ ઉચિતક્રિયાપ્રગુણ જછે=ઉચિત ક્રિયાથી યુક્ત જ છે. એથી દાનને કારણે ભગવાનનું અકૃતાર્થપણું નથી, એ પ્રમાણે ભાવન કરવું. ।।૧૬।। ♦ ‘મનુષ્યાવે.’ અહીં ‘વિ’ થી દેવભવનું ગ્રહણ કરવું. • 'માનુષત્વવિશુમાવાનુમવહેતુ’ અહીં ‘વિ’ થી દેવત્વનું ગ્રહણ કરવું. ‘લેવિનતપરમ્પરાળાર ં’ અહીં ‘વિ’ થી સુમનુષ્યગતિનું ગ્રહણ કરવું. + ‘નારવિમવપરમ્પરાારખું' અહીં ‘વિ’ થી તિર્યંચનું ગ્રહણ કરવું. ‘તિર્થવે:’ અહીં ‘વિ’ થી નરકનું ગ્રહણ કરવું. ‘તિર્યવત્ત્વાદ્યનુમમાવાનુમવનમત્તમ્’ અહીં ‘વિ’ થી નરકત્વનું ગ્રહણ કરવું. ‘નરવિહેતુ’ અહીં ‘વિ’ થી તિર્યંચનું ગ્રહણ કરવું. ‘વાિિતપરમ્પરાર્તિમત્ત’ અહીં ‘વિ' થી સુમનુષ્યગતિનું ગ્રહણ કરવું. •‘અનુમૃતાશિષ્ટમર્યાવર્તાવાપ્રમુળમેતિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ભગવાનનું અનુભૂત પુણ્ય તો ઉચિતક્રિયાપ્રગુણ હતું, પરંતુ અનુભૂત અવશિષ્ટ પણ પુણ્ય ઉચિતક્રિયાપ્રગુણ છે. ભાવાર્થ : પુણ્ય-પાપની ચતુર્થંગી : પૂર્વમાં સ્થાપન કર્યું કે તીર્થંકરપણાનું કારણ એવું પુણ્ય દાનાદિની પ્રવૃત્તિથી જ વિપાકમાં આવે છે. તે પદાર્થને સ્પષ્ટ કરવા માટે પ્રથમ પુણ્ય-પાપની ચતુર્થંગી બતાવે છે -- (૧) પુણ્યાનુબંધીપુણ્ય :- તત્ત્વના રાગપૂર્વક સદનુષ્ઠાનના સેવનથી પુણ્યાનુબંધીપુણ્ય બંધાય છે. જેમ કોઈ પુરુષ સુંદર ઘરથી અધિક સુંદર ઘરમાં જાય છે, તેમ તત્ત્વના રાગથી યુક્ત સુંદર ધર્મના સેવનને કારણે બંધાયેલું પુણ્ય Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ સુંદર ભવની પ્રાપ્તિ કરાવીને અધિક સુંદર ભવની પ્રાપ્તિનું કારણ બને છે, તે પુણ્યાનુબંધી પુણ્ય છે. જેમ મેઘકુમારના જીવે હાથીના ભાવમાં દયા કરીને પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું, જે મનુષ્યભવની પ્રાપ્તિ કરાવીને તેનાથી અધિક સુંદર એવા દેવભવની પ્રાપ્તિનું કારણ બન્યું. આનાથી એ ફલિત થાય કે કોઈપણ ગતિમાં રહેલો જીવ તે ભવમાં ધર્મની સામગ્રી પામીને તત્ત્વની રુચિવાળો થાય અને પોતાની ભૂમિકા પ્રમાણે કોઈપણ સધર્મના અનુષ્ઠાનનું સેવન કરે, તો તેનાથી તેને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તે પુણ્ય તેને ઉત્તરના મનુષ્યાદિ શુભ ભવનું કારણ બને છે, અને ત્યાં પણ શુભભાવની પ્રાપ્તિ કરાવીને ફરી ધર્મની વૃત્તિ ઉત્પન્ન કરે છે, તેથી પૂર્વ કરતાં અધિક સુંદર એવા દેવાદિ ભવની પ્રાપ્તિ થાય છે. જેમ મેઘકુમારના જીવે પૂર્વના હાથીના ભાવમાં યુવતેષ યાત્યન્ત' ઇત્યાદિ વચનથી સિદ્ધ એવા યોગબીજને ગ્રહણ કર્યું અને તે વખતે યોગબીજને અનુકૂળ શુભ અધ્યવસાયથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થઈ. તે પુણ્યાનુબંધી પુણ્ય મનુષ્યભવની પ્રાપ્તિ કરાવીને અધિક ધર્મના સેવનનું કારણ બન્યું, અને તેનાથી પછીના ભાવમાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવ થયા. (૨) પાપાનુબંધી પુણ્ય :- અસધર્મના સેવનથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે અર્થાત્ અતત્ત્વના અભિનિવેશપૂર્વક ધર્મના અનુષ્ઠાનના સેવનથી બંધાતું પુણ્ય પાપાનુબંધી પુણ્ય છે. જેમ જમાલીને ભગવાનના વચનથી વિપરીત અતત્ત્વનો અભિનિવેશ હતો અને સંયમની શુદ્ધ આચરણાનું પાલન હતું, તેથી તેમનો સેવાયેલો ધર્મ અસદુધર્મ હતો અને તેનાથી બંધાયેલું પુણ્ય પાપાનુબંધી પુણ્ય હતું. તે પાપાનુબંધી પુણ્ય વિપાકમાં આવે ત્યારે પ્રથમ તો મનુષ્યભવ કે દેવભવની પ્રાપ્તિ કરાવે, પરંતુ તે ભાવમાં પણ અતત્ત્વનો અભિનિવેશ ઉત્પન્ન કરાવીને નરકાદિ દુર્ગતિનું કારણ બને. જેમ કોઈ પુરુષ સુંદર ઘરમાંથી અસુંદર ઘરમાં જાય, તેમ પાપાનુબંધી પુણ્યથી જીવ સુંદર એવા મનુષ્યાદિ ભવને પામીને અસુંદર એવા નરકાદિ ભવને પામે. નિદાનપૂર્વક ધર્મ કરનારા બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિ, ઉત્સુત્ર ભાષણ કરનારા જમાલી આદિ અને સ્વમતના આગ્રહી એવા જીવો, ધર્મનું અનુષ્ઠાન સેવન કરે છે, તેનાથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જિનમહત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ (૩) પાપાનુબંધીપાપ:- અતત્ત્વ પ્રત્યેના અભિનિવેશપૂર્વક સેવાતા આરંભસમારંભાદિથી બંધાતું પાપ પાપાનુબંધી પાપ છે. તે પાપ ચારે ગતિના જીવો બાંધે છે. માટે ચાર ગતિમાં અતત્ત્વના અભિનિવેશવાળા જીવો હોય છે, અને અતત્ત્વના અભિનિવેશવાળા જીવો પોતાને ઇષ્ટ એવા વિષયોમાં જે પ્રવૃત્તિ કરે છે, તે સર્વ આરંભ-સમારંભારિરૂપ છે, અને તેનાથી બંધાતું પાપ દુરંત સંસારનું કારણ બને છે. જેમ કોઈ પુરુષ અસુંદર ઘરથી અધિક અસુંદર ઘરમાં જાય, તેમ પાપાનુબંધીપાપથી જીવો અસુંદર ભવને પામીને અધિક અસુંદર ભવને પ્રાપ્ત કરે છે. જેમ કોઈ જીવ મનુષ્યભવમાં પાપાનુબંધી પાપ કરીને તિર્યંચમાં જાય અને ત્યાં ઘણી હિંસા કરીને નરકમાં જાય, તે પાપાનુબંધી પાપ છે. (૪) પુણ્યાનુબંધીપાપ :- અકુશળ અનુષ્ઠાનથી મિશ્ર અને નિદાનાદિથી રહિત એવું કુશળ અનુષ્ઠાનનું સેવન પુણ્યાનુબંધીપાપનું કારણ બને છે. જેમ ચંડકૌશિકના જીવે સાધુના ભવમાં નિદાનાદિ ભાવોથી રહિત સંયમનું પાલન કર્યું, છતાં તે પાલન, ક્ષુલ્લક સાધુ પ્રત્યે ક્રોધ કરીને અકુશળ અનુષ્ઠાનથી મિશ્ર એવું સંયમનું પાલન હતું. તેથી કાળ કરીને જ્યોતિષ વિમાનમાં દેવ થયા, ત્યાર પછી તાપસ થયા અને ત્યાર પછી ચંડકૌશિકના ભવની પ્રાપ્તિ થઈ. આ ચંડકૌશિકના ભવની પ્રાપ્તિનું કારણ પુણ્યાનુબંધીપાપ હતું, જે સાધુના ભવમાં બાંધેલું હતું, પરંતુ તે નિર્નિદાન હતું, તેથી તેના ફળરૂપે ચંડકૌશિકના ભાવમાં વીર ભગવાનને પામીને ધર્મનું સેવન કર્યું, જેથી ઉત્તરમાં દેવભવની પ્રાપ્તિ થઈ. તેથી જેમ કોઈ પુરુષ અસુંદર ઘરથી સુંદર ઘરમાં જાય છે, તેમ પુણ્યાનુબંધીપાપના ઉદયથી અસુંદર એવા ચંડકૌશિકના ભવથી સુંદર એવા દેવભવમાં ગયા. * આ લખાણ અષ્ટક પ્રકરણની ટીકાના આધારે છે. આ ચાર ભાંગામાંથી ભગવાનનું પુણ્ય પ્રથમ ભાંગાવાળું હતું, અને તે પુણ્ય આ ભવમાં ગૃહસ્થ અવસ્થામાં તેમણે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિપૂર્વક અનુકૂળ સંયોગોનો અનુભવ કર્યો તે અનુભૂત પુણ્ય હતું, અને તે અનુભૂત પુણ્યમાંથી અવશિષ્ટ એવું પુણ્ય પણ ઉચિત ક્રિયા કરાવે તેવું હતું. તેથી જેમ ભગવાનનું અનુભૂત પુણ્ય ગર્ભથી માંડીને ઉચિત પ્રવૃત્તિ કરાવે છે, તેમ અવશિષ્ટ પણ પુણ્ય ઉચિત પ્રવૃત્તિ Page #132 -------------------------------------------------------------------------- ________________ '' છે. જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૦-૧૭ ૧૦૯ કરાવનારું છે. તેથી અન્ય જીવોના હિતને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિરૂપે ભગવાને દાન કર્યું છે; પરંતુ પોતે સંયમનું પાલન કરવા માટે અસમર્થ હતા, તેથી સંયમને અનુકૂળ શક્તિના સંચય માટે દાન કર્યું છે, એવું નથી. તેથી ભગવાન દાન કરે છે માટે અકૃતાર્થ છે' તેમ કહી શકાય નહીં, પરંતુ ઉત્તમ જીવોનું પુણ્ય પરના ઉપકારને માટે હોય છે, તેમ તીર્થકરોનું પુણ્ય ઉચિત ક્રિયા કરાવીને અનેક જીવોના હિતનું કારણ બને તેવું છે. માટે ભગવાન અકૃતાર્થ નથી, પરંતુ કૃતાર્થ છે માટે મહાન છે. અહીં વિશેષ એ છે કે સિદ્ધાવસ્થામાં ભગવાન સંપૂર્ણ કૃતાર્થ છે; કેમ કે સર્વ કૃત્યોની સિદ્ધિ સિદ્ધાવસ્થામાં છે; અને સંસાર અવસ્થામાં ભગવાન જ્યારે દીક્ષા લેવા સન્મુખ થયા ત્યારે હજી મોહને જીતવાનો બાકી છે, અને મોહને જીતવા અર્થે સંયમ ગ્રહણ કરવા તત્પર થયા છે તે અપેક્ષાએ ભગવાન કૃતાર્થ નથી; પરંતુ જ્યારે ભગવાને મોહને જીત્યો અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી ત્યારે તેટલા અંશથી ભગવાન કૃતાર્થ છે. આમ છતાં દીક્ષા પૂર્વે વર્ષીદાન આપે છે ત્યારે પણ વર્ષીદાન આપીને સંયમનાં પ્રતિબંધક કર્મોના નાશરૂપ ફળની આશાથી દાન આપતા નથી. તેથી ચારિત્રમોહનીયકર્મને તોડવા માટે તેમનું દાન નથી, પરંતુ જગતના જીવોના હિત માટે દાન આપે છે, તે અપેક્ષાએ ભગવાન સિદ્ધ પ્રયોજનવાળા છે. માટે ભગવાનની દાનની ક્રિયાને આશ્રયીને ભગવાન અકૃતાર્થ નથી, તેમ કહેલ છે. તેથી દીક્ષા પૂર્વે મોહને જીતવાની અપેક્ષાએ અકૃતાર્થ હોવા છતાં દાનની ક્રિયાને આશ્રયીને ભગવાન અકૃતાર્થ નથી, માટે ભગવાન મહાન છે. આવા અવતરણિકા - एतदेव गुणान्तरानुगुणविपाकशालितया स्पष्टयति - અવતરણિકાર્ય : ગુણાંતરઅનુગુણવિપાકશાલીપણાથી ન્યાયપૂર્વકની પ્રવ્રયાની પ્રાપ્તિ રૂપ જે ગુણાંતર એને અનુરૂપ એવા વિપાકશાલીપણાથી આને જ= પુણ્યાનુબંધી પુણ્યને જ સ્પષ્ટ કરે છે – Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જિનમહત્ત્વદ્ધાત્રિશિકાશ્લોક-૧૭ ભાવાર્થ : ભગવાને માતા-પિતાની ભક્તિ અર્થે જે અભિગ્રહ ગ્રહણ કર્યો તે ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી ગુણરૂપ છે, અને તે ઉચિત પ્રવૃત્તિરૂપ અભિગ્રહ ન્યાયપૂર્વકની પ્રવ્રજ્યાની પ્રાપ્તિનું કારણ બન્યું. તેથી માતા-પિતાની ભક્તિરૂપ ગુણ કરતાં ન્યાયપૂર્વકની પ્રવ્રજ્યાની પ્રાપ્તિરૂપ જે ગુણાંતર તેને અનુરૂપ વિપાકવાળું ભગવાનનું પુણ્ય હતું, જેને ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – શ્લોક : गर्भादारभ्य सत्पुण्याद् भवेत्तस्योचिता क्रिया । तत्राप्यभिग्रहो न्याय्यः श्रूयते स्वामिनस्ततः ।।१७।। અન્વયા - જલારખ્ય ગર્ભથી માંડીને સત્પન્થસત્પગ્યથી તયે તેમની-તીર્થકરની વિતા ક્રિય ઉચિત ક્રિયા મ7થાય છે; તતeતે કારણથી તત્રાપ ત્યાં પણ=ગર્ભમાં પણ સ્વામિન:સ્વામીનો મિહી=અભિગ્રહ વા=વ્યાયથી યુક્ત મૈયતેસંભળાય છે. [૧૭ના શ્લોકાર્ચ - ગર્ભથી માંડીને સત્પયથી તેમની તીર્થકરની, ઉચિત ક્રિયા થાય છે; તે કારણથી ત્યાં પણ ગર્ભમાં પણ, સ્વામીનો અભિગ્રહ ન્યાયથી યુક્ત સંભળાય છે. II૧૭ના ટીકા : गर्भादिति-गर्भादारभ्य, सत्पुण्यानुबन्धिपुण्यात् भवेत्, तस्य-तीर्थकृतः, उचिता क्रिया, “तीर्थकृत्त्वं सदौचित्यप्रवृत्त्या मोक्षसाधकम्” (अष्टकप्रकरण-२५/१) इति वचनात् उचितप्रवृत्तिद्वारा तीर्थकृत्त्वस्य मोक्षसाधकत्वात् । ततः तस्मात्, तत्रापि गर्भेऽपि, स्वामिनः श्रीवर्धमानस्य, अभिग्रहः प्रतिज्ञाविशेषः “जीवतो गृहवासेऽस्मिन् यावन्मे पितराविमौ । तावदेवाधिवत्स्यामि गृहानहमपीष्टतः" ।।१।। इत्येवमुक्तस्वरूपः, न्याय्योन्यायादनपेतः श्रूयते ।।१७।। Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૧૭-૧૮ ટીકાર્ય : જર્માતામ્ય .... મૂયતે I ગર્ભથી માંડીને સત્પણ્યાનુબંધી પુણ્યથી તેમની તીર્થંકરની, ઉચિત ક્રિયા થાય છે, કેમ કે “તીર્થંકરપણું સઘ ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિથી મોક્ષનું સાધન છે એ પ્રમાણેનું વચન હોવાને કારણે=એ પ્રમાણેનું અષ્ટક પ્રકરણ-૨૫ શ્લોક-૧નું વચન હોવાને કારણે, ઉચિત પ્રવૃત્તિ દ્વારા તીર્થંકરપણાનું મોક્ષસાધકપણું છે; તત: તે કારણથી તીર્થંકરનું ઉચિત પ્રવૃત્તિ દ્વારા મોક્ષસાધકપણું છે તે કારણથી, ત્યાં પણ=ગર્ભમાં પણ, સ્વામીનો વર્ધમાનસ્વામીનો, “આ ગૃહવાસમાં જ્યાં સુધી માતા-પિતા જીવે ત્યાં સુધી જ હું પણ ઈચ્છાથી ઘરમાં રહીશ" (અષ્ટક પ્રકરણ-૨૫/૧) એ પ્રકારનો કહેવાયેલા સ્વરૂપવાળો અભિગ્રહ=પ્રતિજ્ઞાવિશેષ ચા =વ્યાયથી યુક્ત સંભળાય છે. I૧૭ ભાવાર્થ : ભગવાનનું પુણ્ય પુણ્યાનુબંધી પુણ્યમાં પણ વિશિષ્ટ કોટિનું છે, તેથી સપુણ્યાનુબંધી પુણ્ય છે; અને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય તીર્થકરોના જીવોને ગર્ભથી માંડીને સદા ઉચિત પ્રવૃત્તિ કરાવીને મોક્ષનો સાધક છે. તેથી ભગવાને સંયમ ગ્રહણ કરતી વખતે વર્ષીદાન પણ ઉચિત પ્રવૃત્તિરૂપે આપેલ છે, પરંતુ પોતાનાં સંયમનાં પ્રતિબંધક કર્મોને તોડવા માટે આપેલ નથી, એ પ્રકારનો પૂર્વ શ્લોક સાથે પ્રસ્તુત શ્લોકનો સંબંધ છે; અને ભગવાનનું સપુણ્ય સદા ઉચિત પ્રવૃત્તિ દ્વારા મોક્ષનું સાધક છે, તે કારણથી, ભગવાને ગર્ભમાં પણ અભિગ્રહ કરેલો કે “જ્યાં સુધી મારાં માતા-પિતા જીવે ત્યાં સુધી હું ઇચ્છાથી ઘરમાં રહીશ.” આ પ્રકારનો ભગવાનનો અભિગ્રહ ન્યાયથી યુક્ત છે; કેમ કે ઉચિત પ્રવૃત્તિરૂપ છે, અને તે ઉચિતપ્રવૃત્તિરૂપ કેમ છે ? તે ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. ll૧૭ના અવતરણિકા - પૂર્વ શ્લોક-૧૭માં કહ્યું કે ગર્ભમાં કરાયેલો ભગવાનનો અભિગ્રહ વ્યાયથી યુક્ત છે. હવે તે અભિગ્રહ વ્યાયથી યુક્ત કેમ છે ? તે સ્પષ્ટ કરે છે - Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૮ શ્લોક : न्याय्यता चेष्टसंसिद्धेः पित्रुद्वेगनिरासतः । प्रारम्भमङ्गलं ह्येतद्गुरुशुश्रूषणं हि तत् ।।१८।। અન્વયાર્થ : ર=અને પિત્રુદ્ધવિરાસત =માતા-પિતાના ઉદ્વેગના નિરાસથી સુરસિદ્ધ ઈષ્ટની સંસિદ્ધિ હોવાને કારણે મોક્ષની સંસિદ્ધિ હોવાને કારણે ચાવ્યતા= વ્યાપ્યતા છે ભગવાનના અભિગ્રહની ચાટ્યતા છે, દિ=જે કારણથી તિઆ શુભ્રષvieગુરુશુશ્રુષા છે ત હ તે જ પ્રામમાત્ર—પ્રારંભ મંગલ છે. JI૧૮ શ્લોકાર્થ : અને માતાપિતાના ઉદ્વેગના નિરાસથી ઈષ્ટની મોક્ષની સંસિદ્ધિ હોવાને કારણે, ભગવાનના અભિગ્રહની વ્યાપ્યતા છે; જે કારણથી આ ગુરુશુશ્રુષા છે, તે જ પ્રારંભ મંગલ છે. II૧૮II ટીકા - __ न्याय्येति-न्याय्यता चोक्ताभिग्रहस्य, पित्रोर्दुःप्रतिकारयोरुद्वेगस्य वियोगनिमित्तकशोकरूपस्य निरासतोऽन्येषामप्येवंविधस्थितिप्रदर्शनाद्, इष्टस्य-मोक्षस्य संसिद्धेः, उचितप्रवृत्तिर्हि तदुपायोऽनुचितप्रवृत्तिश्च तद्विघ्न इति । तदिदमुक्तं"पित्रुद्वेगनिरासाय महतां स्थितिसिद्धये । રષ્ટિવાર્યસમૃધ્યર્થવપૂતો નિનામ” || ( વર-ર૧/૩) કૃતિ ! ટીકાર્ચ - ચાતા ...... નિનામે I અને ઉક્ત અભિગ્રહની–ભગવાને ગર્ભમાં કરેલા અભિગ્રહની, વ્યાપ્યતા છે; કેમ કે જેમનો પ્રતિકાર ઉચિત નથી એવા=જેમની આજ્ઞા ઉલ્લંઘન કરવી ઉચિત નથી એવા માતાપિતાના ઉદ્વેગના વિયોગ નિમિત્તક શોકરૂપ ઉદ્વેગના, નિરાસથી બીજાઓને પણ આવા પ્રકારની સ્થિતિનું પ્રદર્શન થવાને કારણે ઈષ્ટની=ઈષ્ટ એવા મોક્ષની, સંસિદ્ધિ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૮ ૧૧૩ અહીં પ્રશ્ન થાય કે મોક્ષનું કારણ તો સંયમની પ્રવૃત્તિ છે. તેથી ભગવાને માતાપિતાના ઉદ્ધગનો નિરાસ કર્યો, તેનાથી મોક્ષની સિદ્ધિ છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – જે કારણથી ઉચિત પ્રવૃત્તિ તેનો ઉપાય છે=મોક્ષનો ઉપાય છે, અને અનુચિત પ્રવૃત્તિ તેનું વિધ્ધ છે=મોક્ષનું વિધ્ય છે. “તિ' શબ્દ ઉપર્યુક્ત કથનની સમાપ્તિમાં છે. તે આ કહેવાયું છે–પૂર્વમાં કહ્યું કે માતાપિતાના ઉદ્વેગના નિરાસથી ઉક્ત અભિગ્રહની વ્યાપ્યતા છે તે આ, અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-૩માં કહેવાયું છે – માતાપિતાના ઉદ્વેગના નિરાસ માટે, મોટા પુરુષોની મર્યાદાની પ્રસિદ્ધિ માટે, ઈષ્ટકાર્યની સમૃદ્ધિ માટે, આવા પ્રકારનો અભિગ્રહ=વીર ભગવાને ગર્ભમાં કર્યો એવા પ્રકારનો અભિગ્રહ, જિનાગમમાં સંભળાય છે." (અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-૩) ભાવાર્થ - ભગવાને પોતાના વિયોગના નિમિત્તના માતાપિતાના શોકના પરિવાર માટે ગર્ભમાં અભિગ્રહ કર્યો કે “જ્યાં સુધી માતાપિતા જીવે ત્યાં સુધી હું સંયમ ગ્રહણ કરીશ નહિ.” આ પ્રકારના અભિગ્રહથી ભગવાને માતાપિતાના શોકનો પરિહાર કર્યો, અને બીજાઓને પણ આ પ્રકારની મર્યાદા બતાવી અર્થાત્ માતાપિતાના શોકના પરિવાર માટે ઉચિત પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રકારની મર્યાદા બતાવી, અને તેના દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરી. માટે ભગવાનનો અભિગ્રહ ન્યાયયુક્ત છે. અહીં પ્રશ્ન થાય કે મોક્ષનો ઉપાય તો સંયમપાલનની ક્રિયા છે. તેથી માતાપિતાના શોકનો પરિહાર મોક્ષનું કારણ છે માટે ન્યાયયુક્ત છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – “ઉચિત પ્રવૃત્તિ જ મોક્ષનો ઉપાય છે અને અનુચિત પ્રવૃત્તિ મોક્ષમાં વિઘ્ન છે.” આનાથી એ ફલિત થાય કે માતાપિતાના શોકના પરિહાર માટે જો ભગવાને અભિગ્રહ ન ગ્રહણ કર્યો હોત તો તે અનુચિત પ્રવૃત્તિ બનત, અને તે અનુચિત પ્રવૃત્તિ મોક્ષમાં વિઘ્ન છે. તેથી તેવી અનુચિત પ્રવૃત્તિ કરીને સંયમ ગ્રહણ કર્યું Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જિનમહત્ત્વદ્વત્રિશિકા/શ્લોક-૧૮ હોત તો ભગવાન માટે તે પ્રવૃત્તિ મોક્ષમાં વિષ્ણભૂત બનત, અને ભગવાને ઉચિત પ્રવૃત્તિ કરી, તેથી એ ઉચિત પ્રવૃત્તિથી મોક્ષના પ્રતિબંધક એવા કર્મનો નાશ થયો, જેથી આગળની પ્રવજ્યા પણ ઉચિત પ્રવૃત્તિપૂર્વક બનવાને કારણે મોક્ષનું કારણ બની. ટીકા :__ ननु भगवतो नियतकालीनचारित्रमोहनीयकर्मविपाकोदयेनैव गृहावस्थानमिति नाभिग्रहन्याय्यतेति चेत्र, सोपक्रमस्य तस्य पित्रुद्वेगनिरासाद्यवलंबनकाभिग्रहग्रहणमन्तरा विरतिपरिणामविनाश्यत्वात् । तथापि प्रव्रज्याविरोधिगृहावस्थानकारिणोऽस्य कथं न्याय्यत्वमिति चेन, आनुपूर्वेण न्याय्यप्रव्रज्यासंपादकत्वेनैव तस्य न्याय्यत्वात्, कालान्तरे बहुफलस्य कार्यस्य क्वचित्काले निषेधेऽपि न्याय्यत्वव्यवहारस्य सार्वजनीनत्वात् । तदिदमुक्तं - “इमौ शुश्रूषमाणस्य गृहानावसतो गुरू । प्रव्रज्याप्यानुपूर्येण न्याय्यान्ते मे भविष्यति ।। सर्वपापनिवृत्तिर्यत् सर्वथेषा सतां मता । गुरूद्वेगकृतोऽत्यन्तं नेयं न्याय्योपपद्यते" ।। (અષ્ટપ્રરા -૨૬/-૬) કૃતિ ટીકાર્ય - નનુ માવતો ..... ચાવ્યો"પદ્યતે II રૂતિ નિયતકાલીન ચારિત્રમોહનીયકર્મના વિપાકના ઉદયથી જ ભગવાનનું ઘરમાં અવસ્થાન થાય છે. એથી અભિગ્રહની વ્યાપ્યતા નથી, એમ જો પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે ન તારી વાત બરાબર નથી; કેમ કે સોપક્રમ એવા તેનું ભગવાનના ચારિત્રમોહનીયકર્મનું, માતાપિતાના ઉદ્વેગના વિરાસાદિ અવલંબનવાળા અભિગ્રહના ગ્રહણ વિના વિરતિપરિણામથી વિનાશ્યપણું છે, માટે ભગવાનનો અભિગ્રહ વ્યાયયુક્ત છે; તોપણ=ભગવાનનું સોપક્રમ કર્મ અભિગ્રહના ગ્રહણ વિતા નાશ પામે તેવું હતું તોપણ, પ્રવ્રજ્યાના વિરોધી એવું ઘરમાં અવસ્થાન Page #138 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૧૮ ૧૧૫ કરાવનાર એવા આનું અભિગ્રહનું, કેવી રીતે વ્યાપ્યપણું છે ? અર્થાત્ વ્યાધ્યપણું નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે તારી વાત બરાબર નથી; કેમ કે આનુપૂર્વીથી ન્યાયયુક્ત પ્રવ્રજ્યાનું સંપાદકપણું હોવાને કારણે જ તેનું અભિગ્રહનું, ચાટ્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે ભગવાનનો અભિગ્રહ આનુપૂર્વીથી ન્યાયપૂર્વક પ્રવ્રજ્યાનો સંપાદક હોવા છતાં પણ વિરતિની વિરોધી એવી ગૃહવાસની પ્રવૃત્તિ કરવા માટેનો અભિગ્રહ કેવી રીતે વાપ્ય બની શકે ? અર્થાત્ ન્યાધ્ય બને નહીં, એ પ્રકારની શંકામાં કહે છે – કાલાન્તરમાં બહુફળવાળા કાર્યનો કેટલોક કાળ નિષેધ હોવા છતાં પણ વ્યાધ્યત્વના વ્યવહારનું સાર્વજનીનપણું છે=સર્વ જનોને પ્રતીત છે. તે આ કહેવાયું છે=ભગવાને ગ્રહણ કરેલો અભિગ્રહ આનુપૂર્વીથી વ્યાધ્ય-પ્રવ્રયા-સંપાદક હોવાને કારણે ઉચિત છે, એમ જે પૂર્વમાં કહ્યું, તે આ અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-પ-૬માં કહેવાયું છે – આ માતાપિતાની શુશ્રુષા કરતા અને ગૃહવાસમાં રહેતા એવા મારી પ્રવ્રજ્યા પણ અંતે આનુપૂર્વીથી ન્યાયયુક્ત થશે; =જે કારણથી, સર્વથા સર્વ પાપની નિવૃત્તિવાળી આ=પ્રવ્રજ્યા, સંતોને માન્ય છે, તે કારણથી, ગુરુના ઉદ્વેગને કરનારાની=માતાપિતાના ઉદ્વેગને કરનારાની, આ=પ્રવ્રજ્યા અત્યંત ન્યાયયુક્ત ઘટતી નથી.” (અષ્ટક પ્રકરણ૨૫, શ્લોક-પ-૬) તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે ભગવાને માતાપિતાના શોકના પરિવાર માટે ગૃહવાસમાં રહેવાનો અભિગ્રહ કર્યો તે ઉચિત છે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે નિયતકાળવાળા ચારિત્રમોહનીયકર્મના વિપાકથી જ તીર્થકરો ઘરમાં વસે છે. તેથી જેટલો કાળ વીર પરમાત્મા ઘરમાં વસ્યા એટલો કાળ ચારિત્રમોહનીયકર્મનો વિપાક જ હતો, એવો અર્થ ફલિત થાય છે. માટે ભગવાને ગ્રહણ કરેલા અભિગ્રહને ન્યાયયુક્ત કહી શકાય નહિ; કેમ કે ભગવાનનું કર્મના ઉદયથી ઘરમાં અવસ્થાન છે. માટે પ્રસ્તુત અભિગ્રહ કોઈ પ્રયોજનવાળો નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૮ વીર પરમાત્માનું ચારિત્રમોહનીયકર્મ સોપમ હતું. તેથી વિરતિના પરિણામથી= સંયમ ગ્રહણને અભિમુખ ભાવ થવાથી, તે વિનાશ પામે તેવું હતું, પરંતુ ભગવાને માતાપિતાના ઉદ્ધગના નિરાસ માટે અભિગ્રહ ગ્રહણ કર્યો, તેથી માતાપિતા જીવ્યા ત્યાં સુધી તે સોપક્રમ કર્મ પણ નાશ પામ્યું નહીં, જેથી ભગવાનની વિરતિની પ્રવૃત્તિ વિલંબથી થઈ અને માતાપિતાના શોકનો પરિહાર થયો, માટે અભિગ્રહ ન્યાયયુક્ત છે. ફરી પૂર્વપક્ષી શંકા કરે છે કે જો ભગવાનના અભિગ્રહથી ભગવાનનું સોયક્રમ ચારિત્રમોહનીયકર્મ તૂટ્યું નહીં અને તેના કારણે ભગવાન ઘરમાં વસ્યા, તો ભગવાનનો અભિગ્રહ પ્રવ્રજ્યાના વિરોધી એવા ગૃહમાં અવસ્થાનનું કારણ બન્યો. તેથી તે અભિગ્રહ ન્યાયયુક્ત છે, તેમ કેવી રીતે કહી શકાય ? તેને ગ્રંથકારશ્રી કહે છે – માતાપિતાની શુશ્રુષા આદિ પ્રવૃત્તિની પરિપાટીથી ભગવાનનો અભિગ્રહ ન્યાયપૂર્વકની પ્રવજ્યાનો સંપાદક હતો, તેથી ભગવાનનો અભિગ્રહ ન્યાયયુક્ત છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે માતાપિતાની સેવા આદિ દ્વારા ન્યાય પ્રવ્રજ્યા ભલે ભગવાનને પ્રાપ્ત થઈ, પરંતુ જેટલો કાળ ભગવાન ઘરમાં રહ્યા તેટલો કાળ ભગવાનની અવિરતિની પ્રવૃત્તિ થઈ. તેથી અવિરતિની પ્રવૃત્તિનું કારણ એવો અભિગ્રહ કેવી રીતે ન્યાયયુક્ત કહેવાય ? તેથી કહે છે – જે પ્રવૃત્તિનું કાલાંતરમાં બહુ ફળ થતું હોય તે પ્રવૃત્તિ કેટલોક કાળ વિલંબથી કરવામાં આવે તોપણ તે પ્રવૃત્તિ ન્યાયયુક્ત છે, તેવો વ્યવહાર સર્વ જનને પ્રતીત છે. આશય એ છે કે ભગવાને અભિગ્રહ કરીને ગૃહમાં વાસ કર્યો તેટલા કાળ સુધી અવિરતિમાં પ્રવૃત્તિ થઈ, તેથી સંયમની સાધના દ્વારા જે વિશેષ નિર્જરા થવાની હતી, તે થઈ નહિ; તોપણ ન્યાયપૂર્વકની પ્રવજ્યાથી જે વિશેષ નિર્જરા સંયમ ગ્રહણ કર્યા પછી થઈ, તેવી વિશેષ નિર્જરા અન્યાયપૂર્વકની પ્રવજ્યાથી થાય નહિ; કેમ કે અન્યાયપૂર્વકની પ્રવ્રજ્યામાં અનુચિત પ્રવૃત્તિ કરવાનો અધ્યવસાય વિદ્યમાન છે, અને જ્યાં સુધી તે અધ્યવસાયનું નિવર્તન થાય નહીં ત્યાં સુધી તે સંયમની ક્રિયા પણ વિશિષ્ટ નિર્જરાનું કારણ બની શકે નહીં. જેમ બાહુબલિ Page #140 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્રાસિંશિકા/શ્લોક-૧૮ ૧૧૭ મુનિને પોતાના નાના ભાઈઓને વંદન નહીં કરવાનો અધ્યવસાય હતો. તેથી ધ્યાનમાં સુદઢ યત્ન હોવા છતાં કેવળજ્ઞાન પ્રગટ થતું ન હતુંપરંતુ જ્યારે બહેન સાધ્વીજીઓના વચનથી તે અધ્યવસાય નિવર્તન પામ્યો ત્યારે વિશિષ્ટ નિર્જરાની પ્રાપ્તિ થઈ અને કેવળજ્ઞાન પ્રગટ થયું. તેથી અનુચિત પ્રવૃત્તિનો અધ્યવસાય જ્યાં સુધી નિવર્તન પામે નહીં, ત્યાં સુધી પ્રવજ્યા પણ વિશિષ્ટ નિર્જરાનું કારણ બને નહીં. તેથી ભગવાને અનુચિત પ્રવૃત્તિના અધ્યવસાયના નિવર્તનપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવા અર્થે અભિગ્રહને ગ્રહણ કર્યો, જેથી તેમની પ્રવ્રજ્યા ન્યાયપૂર્વકની થવાને કારણે મહાનિર્જરાનું કારણ બની. માટે ભગવાનનો અભિગ્રહ સંગત છે. “અષ્ટક પ્રકરણના ઉદ્ધરણના સાક્ષીપાઠમાં કહ્યું કે સર્વથા સર્વપાપની નિવૃત્તિવાળી પ્રવ્રજ્યા સંતોને માન્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વવિરતિ ગ્રહણ કરતી વખતે સર્વ સાવદ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ કરવામાં આવે છે, અને તે સર્વ પાપની નિવૃત્તિ પણ કરણ, કરાવણ અને અનુમોદનથી કરવાની છે; અને જો ભગવાન દીક્ષા લેતી વખતે માતાપિતાના ઉદ્વેગની ઉપેક્ષા કરીને સંયમ ગ્રહણ કરત, તો માતાપિતાને ઉગ કરવામાં નિમિત્તભાવરૂપ પાપની નિવૃત્તિ થાય નહીં. તેથી સર્વથા સર્વ પાપની નિવૃત્તિનો અર્થી કોઈના પણ ઉગમાં પોતે નિમિત્ત ન બને, અને તેમાં નિમિત્તનો પરિહાર શક્ય હોય તો પરિહાર કરીને પ્રવ્રજ્યા ગ્રહણ કરે, તો જ સર્વથા સર્વ પાપની નિવૃત્તિ થાય; પરંતુ કોઈના પણ ઉદ્વેગ પ્રત્યે ઉપેક્ષા વર્તતી હોય તો સર્વથા સર્વ પાપની નિવૃત્તિ થાય નહીં. માટે ભગવાને અભિગ્રહ ગ્રહણ કર્યો તે યોગ્ય છે. ઉત્થાન : શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ કરે છે – ટીકા : तथा यद् गुर्वोर्मातापित्रोः शुश्रूषणं परिचरणं, तद्धि प्रारम्भमङ्गलमादिमङ्गलं प्रव्रज्यालक्षणशुभकार्यस्येति । नैतद्विना प्रव्रज्यासिद्धिरित्यस्मादेव तस्या न्याय्यत्वम् । तदिदमाह - Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૧૮ 'प्रारम्भमङ्गलं ह्यस्या गुरुशुश्रूषणं परम् । હતો ધર્મપ્રવૃત્તાનાં નૃri પૂનારૂવંગતુ" || (દ ર-ર૬/૭)તિ ારા ટીકાર્ય : તથા ન્ ... તિ છે અને ગુરુનું માતાપિતાનું, જે આ શુભૂષણ છે–પરિચરણ છે, તે પ્રવજ્યાલક્ષણ શુભ કાર્યનું પ્રારંભમંગલ છે=આદિમંગલ છે. “તિ' શબ્દ શ્લોક સ્પર્શી ટીકાની સમાપ્તિમાં છે. આના વગર= ગુરુશુશ્રુષારૂપ પ્રારંભમંગલ વિના, પ્રવ્રયાની સિદ્ધિ નથી. એથી આનાથી જ=અભિગ્રહથી જ, તેનું પ્રવ્રજ્યાનું, વ્યાધ્યપણું છે. તે આ કહે છે - પ્રવ્રજ્યાલક્ષણ શુભ કાર્યનું ગુરુશુશ્રષણ આદિમંગલ છે' - એમ જે પૂર્વમાં કહ્યું, તે આ અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-૭માં કહે છે - આનું પ્રવ્રજ્યાનું ગુરુશુશ્રુષણ શ્રેષ્ઠ પ્રારંભમંગલ છે. આ માતાપિતા, ઘર્મમાં પ્રવૃત્ત એવા પુરુષને મહાન પૂજાનું સ્થાન છે.” (અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-૭) ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૮ ભાવાર્થ – પૂર્વમાં કહેલું કે માતાપિતાના ઉદ્વેગના નિરાસને કારણે ભગવાનનો અભિગ્રહ ન્યાયયુક્ત છે. વળી અન્ય રીતે પણ ભગવાનનો અભિગ્રહ ન્યાયયુક્ત કેમ છે ? તે સ્પષ્ટ કરે છે – માતાપિતાની શુશ્રુષા કરવી તે પ્રવ્રજ્યાલક્ષણ શુભ કાર્યનું પ્રથમ મંગલ છે. માટે ભગવાને અભિગ્રહ ગ્રહણ કરીને માતાપિતાની સેવા કરી તે સંયમ ગ્રહણ કરતાં પૂર્વે પ્રારંભ મંગલ કર્યું. તેથી તેમનું સંયમ મોક્ષરૂપ ફળ પ્રાપ્ત કરવામાં પ્રબળ કારણ બન્યું; અને આ પ્રારંભ મંગલ વગર પ્રવજ્યા ગ્રહણ કરવામાં આવે તો ભાવથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ થાય નહીં. આથી ભાવથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિનું કારણ ભગવાનનો અભિગ્રહ હતો, તેથી ભગવાનનો અભિગ્રહ ન્યાયયુક્ત છે. II૧૮મા Page #142 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૯ ૧૧૯ અવતરણિકા : ननु पित्रुकेंगे परिणामस्तावन्नास्त्येव मुमुक्षोरनिष्टनिमित्ततापरिहारस्तु सर्वत्र दुःशक इत्यत आह - અવતરણિકાર્ચ - નનુ' થી શંકા કરતાં કહે છે – મુમુક્ષુને=સંયમ લેનારને, માતાપિતાના ઉગમાં=માતાપિતાને ઉદ્વેગ કરાવવામાં, પરિણામ નથી જ. વળી અનિષ્ટ નિમિત્તતાનો પરિહાર=માતાપિતાને ઉદ્વેગ થાય એ રૂપ અનિષ્ટમાં પોતાની પ્રવ્રયા નિમિત્ત બને તેનો પરિહાર, સર્વત્ર=સર્વ પ્રવ્રજ્યા લેનારમાં, દુશક છે અશક્ય છે. આથી ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે ભગવાને અભિગ્રહ ગ્રહણ કરીને બીજાઓને પણ માતાપિતાના ઉદ્વેગના પરિહાર માટેની મર્યાદા બતાવી છે. ત્યાં શંકા કરતાં કહે છે કે દીક્ષા લેનારને માતાપિતાને ઉદ્દેગ ઉત્પન્ન કરાવવાનો પરિણામ નથી, પરંતુ “સંયમ ગ્રહણ કરીને હું મોહનો ઉચ્છેદ કરું' એવો અધ્યવસાય છે; છતાં પોતાના સંયમના નિમિત્તને પામીને માતાપિતાને ઉદ્વેગ થતો હોય, તેમાં પોતાની સંયમની પ્રવૃત્તિ નિમિત્ત બનતી હોય, તો તેનો પરિહાર કરવો સર્વત્ર દુષ્કર છે. તેથી જો તેના પરિવાર માટે મુમુક્ષુ સંયમ ગ્રહણ ન કરે તો આત્મકલ્યાણ સાધી શકે નહીં. તેથી સંયમ ગ્રહણ કરનારને શું કરવું ઉચિત છે કે જેથી તેની આત્મકલ્યાણની પ્રવૃત્તિને બાધ થાય નહીં ? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : तत्खेदरक्षणोपायाप्रवृत्तौ न कृतज्ञता । त्यागोऽप्यबोधे न त्यागो यथा ग्लानौषधार्थिनः ।।१९।। અન્વયાર્થ: તવે રક્ષrોપાયાપ્રવૃત્તો તેમના ખેદરક્ષણના ઉપાયની અપ્રવૃત્તિમાં= માતાપિતાના ખેદરક્ષણના ઉપાયની અપ્રવૃત્તિમાં કૃતજ્ઞતા ર= કૃતજ્ઞતા નથી. વો=અબોધ હોતે છતે=માતાપિતાના ખેદરક્ષણ માટે દીક્ષાર્થી દ્વારા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૧૯ માતાપિતાને પ્રવ્રજ્યાને અભિમુખ પરિણામ થાય એવો બોધ કરાવવા છતાં માતાપિતાને સંયમને અભિમુખ પરિણામ થાય તેવો બોધ ન થયે छते, यथा = ४५ ग्लानौषधार्थिनः = ग्लानना औषधना अर्थीनो ग्लान सेवा માતાપિતાના ઔષધના અર્થીનો, જંગલમાં માતાપિતાનો ત્યાગ, ત્યાગ नथी, तेम त्यागोऽपि = त्याग पाएग = मुमुक्षुखे उरेल भातापितानो त्याग भाग, त्यागः न =त्याग नथी ||१८|| શ્લોકાર્થ -: માતાપિતાના ખેદરક્ષણના ઉપાયની અપ્રવૃત્તિમાં કૃતજ્ઞતા નથી. અબોધમાં જેમ ગ્લાન એવા માતાપિતાના ઔષધના અર્થીનો જંગલમાં માતાપિતાનો ત્યાગ પણ અત્યાગ છે, તેમ મુમુક્ષુનો માતાપિતાનો ત્યાગ પણ ત્યાગ નથી. • 'त्यागोऽपि' नहीं 'अपि' थी से उहेवु छे हे मातापितानो त्याग ते त्याग નથી, પરંતુ ત્યાગ પણ ત્યાગ નથી. टीडा : तदिति तयो: पित्रोः खेदस्य यद् रक्षणं तदुपायेऽप्रवृतौ न कृतज्ञता । सा हि तत्प्रतिपत्तिसाध्यैव । यदाह * “स कृतज्ञः पुमाँल्लोके स धर्मगुरुपूजकः । स शुद्धधर्मभाक् चैव य एतौ प्रतिपद्यते " ।। (अष्टकप्रकरण-२५/८) इति । तथा च सर्वश्रेयोमूलभूतस्य स्वेष्टस्य कृतज्ञतागुणस्य प्रतिपक्षः पितृखेदः सर्वथैव वर्जनीय इति भावः । यदाह - "अप्पडिबुज्झमाणे कहिंचि पडिबोहिज्जा अम्मापियरौ ।” प्रव्रज्याभिमुखीकुर्वीतेत्यर्थः । " अप्पडिबुज्झमाणेसु य कम्मपरिणइए विहेज्जा जहासत्ति तदुवगरणं तओ अणुणाए पडिवज्जेज्जा धम्मं ।" अथ नानुजानीतस्तदा " अणुवहे चेव उवहिजुत्ते सिया ।" (पंचसूत्र - ३) अल्पायुरहमित्यादिकां मायां कुर्यादित्यर्थः । एवमुपायप्रवृत्तावपि तयोरबोधे त्यागोऽपि मुमुक्षोस्तत्त्वतो न त्यागः यथा ग्लानयोरध्वनि ग्लानीभूतयोः पित्रोरौषधार्थिनस्तदुपकारकौषधानयनार्थं कथंचित्तौ विमुच्यापि गच्छतः पुत्रस्य, प्रव्रज्यायास्तयो: स्वस्यान्येषां Page #144 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૯ ૧૨૧ चोपकारहेतुत्वात् । तदिदमाह - “सव्वहा अपडिबुज्झमाणे चएज्जा अद्धाणगिलाणગોસહત્યવાIIU” TRIો ટીકાર્ય : તયો .. વાTTIO” !ા માતાપિતાના ખેદનું જે રક્ષણ, તેના ઉપાયમાં અપ્રવૃત્તિ હોતે છતે કૃતજ્ઞતા નથી. તે કૃતજ્ઞતા, તત્પતિપતિસાધ્ય જ છેમાતાપિતાની પરિચર્યાસાધ્ય જ છે. જે કારણથી કહે છે જે કારણથી અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-૮માં કહે છે - લોકમાં તે પુરુષ કૃતજ્ઞ છે, તે ધર્મગુરુનો પૂજક છે અને તે શુદ્ધ ધર્મને સેવનારો છે, જે માતાપિતાની પરિચર્યા કરે છે.” (અષ્ટક પ્રકરણ-૨૫/૮) ‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને તે રીતે માતાપિતાના ઉદ્વેગના તિરાસની પ્રવૃત્તિ ન કરવામાં આવે તો કૃતજ્ઞતા નથી તે રીતે, સર્વ શ્રેયના મૂળભૂત અને સ્વને ઈષ્ટ એવા કૃતજ્ઞતા ગુણનો પ્રતિપક્ષ એવો માતાપિતાનો ખેદ સર્વથા જ વર્જન કરવો જોઈએ, એ પ્રકારનો ભાવ છે. જે કારણથી કહે છે=જે કારણથી પંચસૂત્ર-૩માં કહે છે – કોઈક રીતે અપ્રતિબોધ પામેલા માતાપિતા હોતે છતે પ્રતિબોધ કરે”=માતાપિતાને પ્રવજ્યાની અભિમુખ કરે, એ પ્રમાણે અર્થ છે. “અને કર્મપરિણતિના દોષથી અપ્રતિબોધ પામેલા માતાપિતા હોતે છતે યથાશક્તિ તેમના ઉપકરણને તેમના નિર્વાહની સામગ્રીને કરે, ત્યાર પછી અનુજ્ઞાથી=માતાપિતાની અનુજ્ઞાથી, ધર્મ=ચારિત્રધર્મને, સ્વીકારે.” હવે જો માતાપિતા અનુજ્ઞા ન આપે તો “જુવહે વેવ માયા વગરનો જ=ભાવથી માયા વગરનો જ, ૩દિનુૉ=માયાયુક્ત, થાય” (પંચમૂત્ર-૩) ‘અલ્પ આયુષ્યવાળો હું છું ઈત્યાદિક માયાને કરે, એ પ્રમાણે અર્થ છે. આ રીતે ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છતે પણ પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે માતાપિતાના ખેદના પરિવારના ઉપાયમાં પ્રવૃત્તિ કરાયે છતે પણ, તેમના અબોધમાં માતાપિતાના અબોધમાં, જે પ્રમાણે માર્ગમાં ગ્લાનનો ગ્લાનીભૂત એવા માતાપિતાનો, ઓષધના અર્થીનો-તેમને ઉપકારક એવું ઔષધ લાવવા માટે કોઈક રીતે તેમને છોડીને જતારા પુત્રનો, ત્યાગ પણ તત્વથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૯ ત્યાગ નથી; તેમ મુમુક્ષનો ત્યાગ પણ=દીક્ષાર્થીના માતાપિતાનો ત્યાગ પણ, તત્ત્વથી ત્યાગ નથી; કેમ કે પ્રવજ્યાનું, તેઓને માતાપિતાને, સ્વપ્રવ્રયા લેનારને, અને અન્યોને દીક્ષા લેનારની ઉચિત પ્રવૃત્તિની અનુમોદના કરનારાઓને, ઉપકારનું હેતુપણું છે. તે આ કહે છે=સર્વથા માતાપિતાનો અબોધ થયે છતે મુમુક્ષનો પ્રવ્રયા સમયે માતાપિતાનો ત્યાગ પણ તત્વથી ત્યાગ નથી, એમ જે પૂર્વમાં કહ્યું તે આ, પંચસૂત્ર-૩માં કહે છે – માર્ગમાં ગ્લાન એવા માતાપિતાના ઔષધ માટે ત્યાગના માતાપિતાના ત્યાગના, દાંતથી, સર્વથા અપ્રતિબોધ પામે છતે માતાપિતા કોઈ રીતે પ્રતિબોધ ન પામે છતે, માતાપિતાનો ત્યાગ કરે.” (પંચસૂત્ર-૩) in૧૯I ભાવાર્થ - પૂર્વ શ્લોક-૧૮માં કહ્યું કે અન્ય જીવોએ માતાપિતાના શોકના પરિહાર માટે પોતાની જેમ પ્રવૃત્તિ કરવી જોઈએ, એવા પ્રકારની ભગવાને મર્યાદા બતાવી. ત્યાં વિચારકને શંકા થાય કે દીક્ષા લેનારને માતાપિતાને ઉગ કરાવવાનો પરિણામ નથી, પરંતુ આત્મકલ્યાણ કરવાનો પરિણામ છે; છતાં માતાપિતાને પોતાના દીક્ષાના નિમિત્તથી ઉદ્વેગ થતો હોય અને ઉદ્ધગનો પરિવાર દુઃશક્ય હોય તો શું કરવું જોઈએ ? તે બતાવવા માટે કહે છે – દીક્ષા લેનાર મુમુક્ષુ, માતાપિતાના ખેદના નિવારણ માટે જે ઉપાય વિદ્યમાન છે તેમાં કોઈ પ્રવૃત્તિ ન કરે, અને “મારે આત્મકલ્યાણ કરવું છે' તેવો સંકલ્પ કરીને દીક્ષા ગ્રહણ કરે તો કૃતજ્ઞતા ગુણ નથી અર્થાત્ માતાપિતાએ બાલ્યકાળથી ઉછેરીને તેને મોટો કર્યો અને માતાપિતાનો તેના ઉપર જે ઉપકાર છે તે ઉપકારને તે જાણતો નથી, પરંતુ તેમના કરાયેલા ઉપકારને સ્વાર્થથી ભૂલી જાય, તો તે કૃતજ્ઞતા ગુણ નથી. એથી મુમુક્ષુએ કૃતજ્ઞતા ગુણ જિવાડવો હોય તો માતાપિતાની ભક્તિ કરીને કૃતજ્ઞતા ગુણ જિવાડી શકે. તેમાં સાક્ષી આપી અને કહ્યું કે “તે કૃતજ્ઞ પુરુષ છે, તે ધર્મગુરુનો પૂજક થાય છે અને તે શુદ્ધ ધર્મને સેવનારો થાય છે, જે માતાપિતાની પરિચર્યા કરે છે.” Page #146 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/મ્લોક-૧૯ ૧૨૩ તેનાથી એ પ્રાપ્ત થાય કે જે મુમુક્ષુ માતાપિતાના ઉપકારનો વિચાર કર્યા વગર માત્ર કલ્યાણના આશયથી સંયમ ગ્રહણ કરે છે અને તેમના ખેદના નિવારણ માટે ઉચિત પ્રયત્ન કરતો નથી, તે કૃતજ્ઞ નથી; અને જેનામાં આવો કૃતજ્ઞતા ગુણ નથી, તે જેમ માતાપિતાના ઉપકારને ભૂલી જાય છે, તેમ ધર્મગુરુના ઉપકારને પણ ભૂલી જાય. માટે તે ધર્મગુરુનો પણ પૂજક નથી; અને સંયમ ગ્રહણ કરીને ધર્મનું સેવન કરતો હોય તોપણ શુદ્ધ ધર્મને સેવનારો નથી; કેમ કે જેનામાં માતાપિતાના કરાયેલા ઉપકારને યાદ કરાવે તેવો કૃતજ્ઞતા ગુણ ન હોય તેવો જીવ જે કંઈ ધર્મ સેવે તે શુદ્ધ ધર્મ બને નહીં. માટે શુદ્ધ ધર્મના અર્થીએ માતાપિતાના ખેદના પરિહાર માટે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. ઉપર્યુક્ત કથનને સ્પષ્ટ ક૨વા માટે ટીકામાં કહ્યું કે સર્વ કલ્યાણનો મૂળભૂત ગુણ કૃતજ્ઞતા ગુણ છે, અને તે કૃતજ્ઞતા ગુણનો પ્રતિપક્ષ માતાપિતાનો ખેદ છે. માટે દીક્ષા લેનારે સર્વ પ્રકારે માતાપિતાના ખેદનો પરિહાર કરવો જોઈએ. વળી, માતાપિતાના ખેદનો પરિહાર કઈ રીતે થઈ શકે તે બતાવવા માટે પંચસૂત્રની સાક્ષી આપી. તેનાથી એ ફલિત થાય કે દીક્ષા લેનાર મુમુક્ષુએ માતાપિતાનો ત્યાગ કરીને દીક્ષા લેવી ઉચિત નથી, પરંતુ માતાપિતા પોતાના સંયમના પરિણામને જાણીને પણ બોધ ન પામ્યા હોય, તો કોઈક રીતે પણ તેઓને સંસારનું સ્વરૂપ તે રીતે બતાવીને પ્રતિબોધ કરવો જોઈએ, જેથી તેઓ પણ મુમુક્ષુની સાથે સંયમ લેવા તત્પર થાય. આમ કરવાથી માતાપિતાને પોતાના સંયમ નિમિત્તે ખેદ થતો નથી, પરંતુ તેઓ પણ ઉત્સાહિત થઈને સંયમ ગ્રહણ કરે છે. હવે કદાચ મુમુક્ષુના ઉપદેશથી પણ માતાપિતા પ્રવ્રજ્યા ગ્રહણ કરવાને અભિમુખ ન બને, તો મુમુક્ષુ તેમના જીવનની વ્યવસ્થા માટે જીવન જરૂરિયાતની સામગ્રી એકઠી કરે. કદાચ તે માટે ધનસંચયની આવશ્યકતા હોય તો દીક્ષાનો વિલંબ કરીને પણ ધનસંચય કરીને, તેઓની જીવનવ્યવસ્થા સહજ રીતે ચાલી શકે તે પ્રમાણે કરીને, તેઓની અનુજ્ઞાથી સંયમ ગ્રહણ કરે. આમ કરવાથી માતાપિતાના ખેદનો પ્રસંગ આવે નહીં. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૯ હવે કોઈ મુમુક્ષુ આ પ્રમાણે માતાપિતાના ખેદના નિવારણ માટેનો સર્વ પ્રયત્ન કરે અને તેમના જીવનની વ્યવસ્થાની પણ ઉચિત સામગ્રી એકઠી કરી આપે, આમ છતાં મોહવશ માતાપિતા દીક્ષા માટે રજા ન આપે તો ભાવથી માયા વગરનો પણ દ્રવ્યથી માયાવાળો થાય, અને હું અલ્પ આયુષ્યવાળો છું, એવું મને સ્વપ્ન આવ્યું છે' ઇત્યાદિ કહીને પણ માતાપિતાની રજા મેળવવા પ્રયત્ન કરે. આ પ્રકારે પ્રયત્ન કરવાથી જો માતાપિતા મુમુક્ષુને રજા આપે તો તેમને ખેદ થાય નહીં, અને મુમુક્ષુએ પણ સર્વ ઉચિત પ્રયત્નો દ્વારા માતાપિતાના ખેદના નિવારણ માટે યત્ન કર્યો, તેથી તેનો કૃતજ્ઞતા ગુણ પણ નાશ પામે નહીં. આમ છતાં માતાપિતા મુમુક્ષુને દીક્ષા માટે અનુજ્ઞા ન આપે, અને તેથી મુમુક્ષુ માતાપિતાનો ત્યાગ કરે, તોપણ તત્ત્વથી તે ત્યાગ નથી. જેમ મુસાફરી કરતાં જંગલમાં માતાપિતાને કોઈ રોગ લાગુ પડ્યો હોય, અને પુત્ર તેમને ત્યાં છોડીને રોગથી રક્ષણ કરવા ઔષધ લેવા અર્થે નગરમાં જાય, તે વખતે તેણે કરેલો માતાપિતાનો ત્યાગ તે વાસ્તવિક રીતે ત્યાગ નથી, પરંતુ તેમને જિવાડવાનો ઉપાય છે; તેમ જે મુમુક્ષુ માતાપિતાના ખેદના પરિવાર માટેના સર્વ ઉચિત પ્રયત્નો કરે, છતાં માતાપિતા રજા ન આપે, તો તેમના હિત અર્થે તેમનો ત્યાગ કરીને પણ સંયમ ગ્રહણ કરે તે ઉચિત છે; કેમ કે સંયમ ગ્રહણ કરીને તે મુમુક્ષુ શાસ્ત્રો ભણશે, ગીતાર્થ થશે અને માતાપિતાને પ્રતિબોધ કરશે, અને અંતે પુત્રના ઉપદેશને પામીને સંયમ ગ્રહણ કરે તો પુત્રની પ્રવ્રજ્યા તેમના ઉપકારનું કારણ બનશે. વળી, પ્રવ્રજ્યા ગ્રહણ કરીને મુમુક્ષુએ પણ સંયમપાલનથી જે આત્મહિત કર્યું, તેમાં પ્રવ્રજ્યા કારણ બની, અને પ્રવજ્યા લેનારની આવી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ જઈને જે લોકો તેની પ્રવજ્યાની અનુમોદના કરે, તેઓને પણ પ્રવ્રજ્યા લેનારની પ્રવ્રજ્યા ઉપકારક થાય. આ રીતે પ્રવજ્યા માતાપિતાને, પોતાને અને અન્ય યોગ્ય જીવોને ઉપકારનું કારણ છે. તેથી આવા સમયે માતાપિતાનો ત્યાગ કરે તે પણ પરમાર્થથી ત્યાગ નથી. તેથી એ ફલિત થયું કે કૃતજ્ઞતા ગુણવાળા એવા મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરીને પણ માતાપિતાના ખેદનો પરિહાર કર્યો, માટે સર્વ કલ્યાણનું કારણ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૨૦ એવી તેની પ્રવજ્યા બની. જેઓ આ પ્રકારના સર્વ ઉચિત પ્રયત્નો કરતા નથી, તેઓની પ્રવ્રજ્યા કૃતજ્ઞતા ગુણથી યુક્ત નહીં હોવાથી ઉચિત પ્રવૃત્તિરૂપ નથી. ll૧૯I. અવતરણિકા - શ્લોક-૧ થી ૬ સુધીમાં યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાનનું અંતરંગ ગુણસંપત્તિથી મહાપણું છે, વિશિષ્ટ સંપદાથી મહાતપણું છે અને સ્વભાવભેદને કારણે પણ મહાનપણું છે. ત્યાં તેયાયિકે શંકા કરી કે ભગવાનમાં નિત્યનિર્દોષતા નથી, માટે ભગવાન મહાન નથી. તેનું નિરાકરણ શ્લોક-૭ થી ૯ સુધી કરીને સ્થાપન કર્યું કે “ભગવાને સાધના કરીને દોષોનો નાશ કર્યો છે, માટે ભગવાન મહાન છે.” વળી, તૈયાયિક ઈશ્વરને જગત્કર્તા માને છે અને વીતરાગ જગત્કર્તા નથી, માટે મહાન નથી, એમ કહે છે. તેનું નિરાકરણ શ્લોક-૧૦ થી ૧૨ સુધી કરીને સ્થાપત કર્યું કે “ભગવાન જગતના કર્તા નહીં હોવા છતાં વીતરાગ હોવાને કારણે મહાન છે.' વળી ભગવાને પરિમિત દાન કર્યું હોવાને કારણે ઉદાર આશયવાળા નહીં હોવાથી ભગવાન મહાત નથી, પરંતુ બોધિસત્વએ અપરિમિત દાન કર્યું છે, તેથી મહાન છે, તેમ શ્લોક-૧૩માં બૌદ્ધની યુક્તિ સ્થાપન કરીને, તેનું નિરાકરણ યુક્તિથી શ્લોક-૧૪-૧૫માં કરીને સ્થાપન કર્યું કે ભગવાને પરિમિત દાન કર્યું છે, આથી જ ભગવાન મહાન છે' ત્યારપછી દાન આપવાને કારણે ભગવાન અકૃતાર્થ છે, એમ કોઈ શંકા કરે છે. તેનું નિરાકરણ કરીને ભગવાન કઈ રીતે કૃતાર્થ છે, તે યુક્તિથી શ્લોક-૧૬ થી ૧૯માં સ્થાપન કર્યું. હવે ભગવાને પુત્રાદિને રાજયાદિ આપ્યું, માટે ભગવાન મહાન નથી, એમ કોઈ કહે છે. તે બતાવીને તેનું નિરાકરણ કરતાં શ્લોક૨૦થી ૨૨ સુધી ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अपरस्त्वाह राज्यादि महाधिकरणं ददत् । शिल्पादि दर्शयंश्चार्हन्महत्त्वं कथमृच्छति ।।२०।। Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૦-૨૧ અન્વયાર્થ : પર સ્વાદ વળી બીજા કહે છેઃબીજા વાદી કહે છે મદવિ ન્યાદિમહાઅધિકરણ એવા રાજ્યાદિને વ–આપતા શિન્યારિ સર્વશ્વ અને શિલ્પાદિને દેખાડતા ગઈ=અરિહંત મહત્ત્વ=મહત્વને સાથગૃત્તિ કેવી રીતે પ્રાપ્ત કરે ? અર્થાત્ ન પ્રાપ્ત કરે. રા. શ્લોકાર્ચ - વળી બીજા કહે છે – મહાઅધિકરણ એવા રાજ્યાદિને આપતા અને શિલ્પાદિને દેખાડતા અરિહંત, મહત્ત્વને કેવી રીતે પ્રાપ્ત કરે ? અર્થાત્ ન પ્રાપ્ત કરે. [૨૦ + “રા ' - અહીં ‘દ' થી ધનસંપત્તિનું ગ્રહણ કરવું. ‘શિલ્પ' - અહીં ‘ર' થી અન્ય કળાઓનું ગ્રહણ કરવું. ટીકા : अपरस्त्विति-अपरस्तु वादी आह-राज्यादि महाधिकरणं महापापकारणं, ददत् स्वपुत्रादिभ्यः, शिल्पादि दर्शयंश्च लोकानां, अर्हन् कथं महत्त्वं શ્રતિ ? સારા ટીકાર્ચ - પરંતુ .... છતિ || વળી બીજાવાદી કહે છે – સ્વપુત્રાદિને મહાઅધિકરણ એવા મહાપાપના કારણ એવા, રાજયાદિને આપતા અને લોકોને શિલ્પાદિને દેખાડતા એવા અરિહંત કઈ રીતે મહત્વને પામે ? અર્થાત્ ન પામે. ll૨૦. ટીકાર્થ સ્પષ્ટ હોવાથી ભાવાર્થની જરૂરિયાત નથી. શ્લોક : तनेत्थमेव प्रकृताधिकदोषनिवारणात् । शक्तौ सत्यामुपेक्षाया अयुक्तत्वान्महात्मनाम् ।।२१।। Page #150 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૨૧ અન્વયાર્થ: તન્ન=તે યુક્ત નથી=પૂર્વ શ્લોક-૨૦માં વાદીએ જે કહ્યું તે યુક્ત નથી; તે કેમ કે ત્યમેવ=આ રીતે જ=ભગવાને રાજ્યપ્રદાનાદિ કર્યું એ રીતે જ, પ્રકૃતાધિકોષનિવારા=પ્રકૃતથી અધિક દોષનું નિવારણ થાય છે= રાજ્યપ્રદાનાદિથી પુત્રાદિને જે દોષ થાય છે, તેના કરતાં રાજ્યઅપ્રદાનાદિથી જે અધિક દોષ થાત, તેનું નિવારણ રાજ્યપ્રદાનાદિથી થાય છે. ૧૨૭ અહીં પ્રશ્ન થાય કે ભગવાન રાજ્યપ્રદાન ન કરે અને જે અધિક દોષ થાત, તેમાં ભગવાન કારણ નથી, પરંતુ આરંભ-સમારંભરૂપ એવા રાજ્યપ્રદાનમાં ભગવાન નિમિત્તકારણ છે. માટે ભગવાનની રાજ્યપ્રદાનની પ્રવૃત્તિ યુક્ત નથી. તેના નિવારણ માટે બીજો હેતુ કહે છે મહાત્મનામ્=મહાત્માઓને શત્તો સત્યા=શક્તિ હોતે છતે=અધિક દોષનિવારણની શક્તિ હોતે છતે ઉપેક્ષાવાદ અયુવત્તત્ત્તાત્=ઉપેક્ષાનું અયુક્તપણું છે=અધિક દોષનિવારણના ઉપાયભૂત રાજ્યપ્રદાનાદિમાં ઉપેક્ષાનું અયુક્તપણું છે. ।।૨૧।। શ્લોકાર્થ : પૂર્વ શ્લોકમાં પૂર્વપક્ષીએ કહ્યું તે યુક્ત નથી; કેમ કે રાજ્યપ્રદાનાદિથી તે જ પ્રકૃતથી અધિક દોષનું નિવારણ થાય છે. મહાત્માઓને શક્તિ હોતે છતે ઉપેક્ષાનું અયુક્તપણું છે. ।।૨૧।। asi : तदिति यदुक्तमपरेण वादिना तन्त्र, इत्थमेव राज्यप्रदानादिप्रकारेणैव, प्रकृतात् राज्यप्रदानादिदोषादधिको राज्याप्रदानादिकृतमिथःकलहातिरेकप्रसङ्गादिरूपो यो दोषस्तस्य निवारणात्, शक्तौ परेषामधिकदोषनिवारणविषयायां सत्यामुपेक्षाया माध्यस्थ्यरूपाया अयुक्तत्वान्महात्मनां परार्थमात्रप्रवृत्तशुद्धाशयानाम् । तदिदमाह - # “ अप्रदाने हि राज्यस्य नायकाभावतो जनाः । मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ।। Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૧ विनश्यन्त्यधिकं यस्मादिह लोके परत्र च । शक्तो सत्यामुपेक्षा च युज्यते न महात्मनः ।। तस्मात्तदुपकाराय तत्प्रदानं गुणावहम् । परार्थदीक्षितस्यास्य विशेषेण जगद्गुरोः ।। एवं विवाहधर्मादौ तथा शिल्पनिरूपणे । न दोषो ह्युत्तमं पुर्यामत्थमेव विपच्यते ।। किञ्च इहाधिकदोषेभ्यः सत्त्वानां रक्षणं तु यत् । उपकारस्तदेवैषां प्रवृत्त्यङ्गं तथाऽस्य च" ।। (4ષ્ટøપ્રજર-૨૮/૨-૬) તારા ટીકાર્ય : યદુત્તમપરે ! .. ડચ ઘ” | બીજા વાદી વડે જે કહેવાયું=પૂર્વ શ્લોક-૨૦માં કહેવાયું, તે ઉચિત નથી; કેમ કે આ રીતે જ=રાજયપ્રદાનાદિ પ્રકારથી જ, પ્રકૃત એવા રાજયપ્રદાનાદિ દોષથી, રાજયઅમદાનાદિકૃત પરસ્પર કલહના અતિરેકપ્રસંગાદિરૂપ જે અધિક દોષ, તેનું નિવારણ થાય છે. અહીં શંકા થાય કે ભગવાન રાજ્યપ્રદાન ન કરે અને લોકો પરસ્પર કલહ કરે, તેમાં ભગવાન નિમિત્ત નથી; પરંતુ ભગવાન રાજ્યપ્રદાનાદિ કરે અને તેનાથી જે આરંભ-સમારંભ થાય, તેમાં ભગવાન નિમિત્ત છે. માટે રાજ્યપ્રદાનાદિ કરવું ભગવાનને ઉચિત નથી. તેથી બીજો હેતુ કહે છે – પરતા અધિક દોષના નિવારણવિષયક શક્તિ હોતે છતે મહાત્માઓને પરાર્થમાત્રપ્રવૃત્ત શુદ્ધ આશયવાળાઓને, માધ્યય્યરૂપ ઉપેક્ષાનું અયુક્તપણું છે. તે આ કહે છેeગ્રંથકારશ્રીએ શ્લોકમાં જે કહ્યું કે આ અષ્ટક પ્રકરણ૨૮ શ્લોક-૨ થી ૬માં કહે છે – “રાજ્યના અપ્રદાનમાં પુત્રોને રાજ્યના અપ્રદાનમાં, નાયકનો અભાવ હોવાથી કાળદોષને કારણે પરસ્પર મર્યાદાભેદ કરનારા લોકો, જે કારણથી આલોકમાં અને પરલોકમાં અધિક વિનાશને પામે છે, અને શક્તિ હોતે છતે મહાત્માને ઉપેક્ષા યોગ્ય નથી;" (અષ્ટક પ્રકરણ શ્લોક-૨-૩) “તે કારણથી તેમના ઉપકાર માટે=પરસ્પર Page #152 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૧ ૧૨૯ વિનાશ પામતા એવા તે પુરુષોના ઉપકાર માટે, પરાર્થદીક્ષિત એવા આમનું=પર માટે કૃતનિશ્ચયવાળા એવા જગરુનું, વિશેષથી તેનું પ્રદાન =રાજ્યનું પ્રદાન, ગુણાવહ છે.” (અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૪). એ પ્રમાણે=પૂર્વ શ્લોકમાં કહ્યું કે રાજ્યાદિના દાનમાં મહાઅધિકરણપણાનો અભાવ છે અને ગુણાવહ છે, એથી રાજ્યાદિનું પ્રદાન દોષ નથી, એ પ્રમાણે, વિવાહધર્માદિમાં અને શિલ્પનિરૂપણમાં દોષ નથી; જે કારણથી ઉત્તમ પુણ્ય આ પ્રકારે જ વિવાહશિલ્પાદિનિરૂપણરૂપે જ, વિપાક પામે છે=ભ્યફળને આપે છે.” (અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૫). વળી અહીં=વળી રાજ્યદાન, વિવાહધર્મ અને શિલ્પાદિનિરૂપણમાં, અધિક દોષોથી જે જીવોનું રક્ષણ છે. તે જ એમનોકજીવોનો, ઉપકાર છે અને આમની=જગદ્ગુરુની, પ્રવૃત્તિનું અંગ છે.” (અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૬) ૨૧ાા ભાવાર્થ : વળી અન્ય વાદી કહે છે કે ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને મહાપાપના કારણભૂત રાજ્ય આપ્યું અને લોકોને રાગના ઉપાયભૂત એવાં શિલ્પાદિ શીખવ્યાં માટે ભગવાન મહાન નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – આવું કહેનાર વાદીનું કથન યુક્ત નથી; કેમ કે ભગવાન પરના હિત માટે પ્રવૃત્તિ કરે તેવા શુદ્ધ આશયવાળા છે, અને તેઓ આ રીતે રાજ્યપ્રદાનાદિ કરે તો તે પ્રવૃત્તિથી રાજ્યઅપ્રદાનને કારણે જે દોષ થવાનો સંભવ હતો તેનું નિવારણ થાય છે; અને પરોપકાર કરવામાં તત્પર એવા ભગવાને બીજાના દોષનિવારણની શક્તિ હોય તો ઉપેક્ષા કરવી યુક્ત નથી, તેથી ભગવાને કેવળ યોગ્ય જીવોના ઉપકાર અર્થે રાજ્યપ્રદાનાદિ કરેલ છે; પરંતુ “આ મારા પુત્રો છે કે આ મારી પ્રજા છે એ પ્રકારે તેમના પ્રત્યેના મમત્વથી રાજ્યપ્રદાનાદિ કરેલ નથી. તેથી જેઓ પોતાના પુત્રના મમત્વથી કે પ્રજા પ્રત્યેની પ્રીતિથી પ્રજાના માત્ર ભૌતિક હિત માટે પ્રવૃત્તિ કરતા હોય તેઓને રાજ્યપ્રદાનાદિમાં થતા આરંભ-સમારંભનો દોષ લાગે, પરંતુ ભગવાન તો પુત્રાદિ પ્રત્યે કે પ્રજા પ્રત્યે મમત્વબુદ્ધિવાળા ન હતા, માત્ર તેઓને ક્લેશ પ્રાપ્ત ન થાય એ પ્રકારના હિતના આશયથી રાજ્યપ્રદાનાદિ કરેલ છે, માટે ભગવાન મહાન છે. ૨૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૨ અવતરણિકા : પૂર્વ શ્લોક-૨૧માં યુક્તિથી સ્થાપન કર્યું કે અધિક દોષના નિવારણ માટે ભગવાને પોતાના પુત્રાદિને રાજયાદિ આપેલ છે, માટે તે દોષરૂપ નથી. તે વાતને દઢ કરવા અન્ય યુક્તિ આપે છે – શ્લોક : नागादे रक्षणायेव गांद्याकर्षणेऽत्र न । दोषोऽन्यथोपदेशेऽपि स स्यात्परनयोद्भवात् ।।२२।। અન્વયાર્થ : ના=લાગ આદિથી રક્ષાયરક્ષણ માટે પોતાના પુત્રના રક્ષણ માટે અર્વાદ્યાર્ષિv=ખાડા આદિમાંથી ખેંચવામાં=ખાડા આદિમાંથી પોતાના પુત્રને ખેંચવામાં રૂવ-જેમ નવો:=દોષ નથી, તેમ ત્ર=અહીં=ભગવાનના રાજ્યપ્રદાનાદિમાં દોષ નથી. અન્યથા એવું ન માનો અને ભગવાનના રાજ્યપ્રદાનાદિમાં દોષ સ્વીકારો તો સકતે દોષ ૩૫ડપsઉપદેશ આપવાની પણ=ભગવાનના ઉપદેશમાં પણ સ્થા~િથાય; કેમ કે પરનોમવા=પરનયનો ઉદ્દભવ છે ભગવાનના ઉપદેશમાંથી પરદર્શનનો ઉદ્દભવ છે. પરરા શ્લોકાર્ચ - નાગ આદિથી રક્ષણ માટે ખાડા આદિમાંથી પોતાના પુત્રને ખેંચવામાં જેમ દોષ નથી, તેમ ભગવાનના રાજ્યપ્રદાનાદિમાં દોષ નથી. અન્યથા ઉપદેશમાં પણ તે દોષ થાય; કેમ કે પરનયનો ઉદ્ભવ છે. રિચા + બનાવે:' - અહીં ‘વિ' થી વીંછી, સિહ વગેરેનું ગ્રહણ કરવું. ‘પદ્યાવર્ષને" - અહીં ‘રિ' થી એવાં અન્ય સ્થાનોનું ગ્રહણ કરવું. ‘પશપિ' – અહીં ‘૩પ' થી એ કહેવું છે કે ભગવાનને રાજ્યપ્રદાનાદિમાં તો દોષ છે, પણ ઉપદેશ આપવામાં પણ દોષ પ્રાપ્ત થશે. ટીકા : नागादेरिति-नागादेः सकाशात, रक्षणाय रक्षणार्थं, जनन्या: स्वपुत्रस्य गर्तादेराकर्षणे हनुजानुप्रभृत्यङ्गघर्षणकारिकर्मणीव, अत्र भगवतो राज्यप्रदानादौ Page #154 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/બ્લોક-૨૨ ૧૩૧ न दोष:, अन्यथा = असंभविवारणदोषनिमित्तकस्यापि बहुगुणकर्मणो दुष्टत्वे, उपदेशेऽपि-भगवतो धर्मव्याख्यानेऽपि स = दोषः स्यात् परेषां बौद्धादीनां नयानां मिथ्यात्वमूलभूतानां दर्शनानामुद्भवात् तत एवोपपत्तेः ( उत्पत्तेः) । " जावइया वाया तावइया चेव परसमया" इति वचनात् । तदिदमाह “नागादे रक्षणं यद्वद्गर्ताद्याकर्षणेन तु । कुर्वन्नदौषवांस्तद्वदन्यथासंभवादयम् ।। इत्थं चैतदिहैष्टव्यमन्यथा देशनाप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद्दोषायैव प्रसज्यते " ।। ..... ટીકાર્થ ઃ नागादेः પ્રશ્ન—તે’ ।। ।। સ્વપુત્રને નાગ આદિથી રક્ષણ માટે ખાડા આદિથી હડપચી, જાનુ આદિ અંગ ઘર્ષણ કરે એવી ક્રિયારૂપ માતાના આકર્ષણમાં જેમ દોષ નથી, તેમ અહીં=ભગવાનના રાજ્યપ્રદાનાદિમાં, દોષ નથી. અન્યથા=આમ ન માનો તો=અસંભવિવારણ એવી દોષનિમિત્તક પણ બહુગુણવાળી ક્રિયાનું દુષ્ટપણું માનો તો, ઉપદેશમાં પણ=ભગવાનના ધર્મવ્યાખ્યાનમાં પણ, તે=દોષ, થાય; કેમ કે પરના નયોનો=મિથ્યાત્વના મૂળભૂત એવા બૌદ્ધાદિનાં દર્શનોનો, ઉદ્ભવ છે અર્થાત્ તેનાથી જ=ભગવાનના ઉપદેશથી જ ઉપપત્તિ છે–સર્વ મિથ્યાદર્શનોની ઉત્પત્તિ છે. - (અષ્ટપ્રજ૨૬-૨૮, શ્લો-૭-૮) રા અહીં પ્રશ્ન થાય કે ભગવાનના ઉપદેશમાંથી સર્વ મિથ્યાદર્શનો ઉત્પન્ન થાય છે તે કેમ નક્કી થાય ? તે બતાવવા બીજો હેતુ કહે છે “જેટલા નયવાદો તેટલા જ પરસમયો છે—અન્યદર્શનો છે.” એ પ્રમાણેનું વચન છે. તે આ કહે છે=જે શ્લોકમાં કહ્યું તે આ અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૭૮માં કહે છે “ગર્તાદિથી ખેંચવા વડે નાગ આદિથી રક્ષણને કરતો જેમ દોષવાળો નથી, તદ્દતેની જેમ રાજ્યાદિને આપતા ગય=આ=જગદ્ગુરુ દોષવાળા નથી.” Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જિનમહત્ત્વાગિંશિકા/શ્લોક-૨૨-૨૩ જે વળી કોઈ કહે છે કે આ જગદ્ગુરુ સર્વથા દોષના અભાવપૂર્વક કેમ રક્ષણ કરતા નથી ? તેથી કહે છે – અન્યથા=અન્ય પ્રકાર=અલ્પ પણ અનર્થનો આશ્રય કર્યા વગર, મમવાઅસંભવ છે રક્ષણનો અસંભવ છે.” (અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૭) અને આ પ્રકારે=અનંતર કહેલા પ્રકાર=ગુરુતર અનર્થ નિવારકત્વ પ્રકારે, આ= રાજ્યપ્રદાનાદિ, અહીં=પ્રકમમાં અષ્ટચસ્વીકારવાં જોઈએ. અન્યથા આ રીતે ન સ્વીકારો તો, કુધર્માદિનું નિમિત્તપણું હોવાથી દેશના પણ અત્યંત દોષ માટે જ=અનર્થને માટે જ, પ્રાપ્ત થાય.” (અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૮) ૨૨ા ભાવાર્થ: કોઈક માતાનો પુત્ર ખાડા આદિમાં રમતો હોય અને ત્યાં તેની સન્મુખ નાગને આવતો જોઈને તેની માતા ખાડામાંથી પુત્રને ખેંચે, તે વખતે માતાની પુત્રને ખેંચવાની ક્રિયા પુત્રનાં અંગોને જમીન સાથે ઘર્ષણ કરીને ઉઝરડા પડવાનું કારણ બને છે, આમ છતાં તે દોષરૂપ નથી; કેમ કે તે ઉઝરડાથી પુત્રને જે નુકસાન થાય છે, તેના કરતાં નાગાદિથી રક્ષણના કારણે અધિક ગુણ થાય છે. તેમ ભગવાનનું પુત્રાદિને રાજ્યાદિ પ્રદાન પણ અધિક દોષના નિવારણનું કારણ છે, માટે દોષરૂપ નથી. વળી યુક્તિથી પણ આ વાતને પુષ્ટ કરવા માટે કહે છે કે કોઈક ક્રિયા કરતાં અસંભવી વારણવાળો જેનું નિવારણ શક્ય નથી તેવો, નાનો દોષ થતો હોય, અને તે ક્રિયાથી ઘણા ગુણો થતા હોય, આમ છતાં તે ક્રિયાને દુષ્ટ કહેવામાં આવે તો ભગવાનના ઉપદેશને પણ દુષ્ટ કહેવાનો પ્રસંગ આવે; કેમ કે ભગવાનની દેશનાથી ઘણા જીવોને લાભ થતો હોવા છતાં પણ તે દેશનામાંથી અસંભવિ વારણ એવો મિથ્યાદર્શનોનો પણ ઉદ્ભવ થાય છે. તેથી ભગવાનની દશનામાં પણ અલ્પ દોષ છે, આમ છતાં સન્માર્ગનું સ્થાપન થતું હોવાને કારણે ભગવાનની દેશનાને કોઈ દુષ્ટ કહેતું નથી; તેમ ભગવાનનું પુત્રાદિને રાજ્યપ્રદાનાદિ પણ દુષ્ટ કહી શકાય નહીં. Jરશા અવતરણિકા – કેટલાક બૌદ્ધદર્શનવાળા ભગવાનના દાન કરતાં બોધિસત્વ દાન અધિક હોવાથી બોધિસત્વને મહાન કહે છે અને જેનોના ભગવાન મહાન નથી તેમ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧33. જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨૩ કહે છે, તેનું નિરાકરણ શ્લોક-૧૩ થી ૧૫ સુધી કર્યું. હવે કેટલાક બૌદ્ધ દર્શનવાળા બોધિસત્ત્વના કુશળચિત કરતાં જૈનોના ભગવાનનું ચિત્ત ચૂત છે, માટે જેનોના ભગવાન મહાન નથી, તેમ કહે છે. તે બતાવીને તેનું નિરાકરણ કરવા શ્લોક-૨૩ થી ૨૬ સુધી ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : कश्चित्तु कुशलं चित्तं मुख्यं नास्येति नो महान् । तदयुक्तं यतो मुख्यं नेदं सामायिकादपि ।।२३।। અન્વયાર્થ : સ્થિg=કોઈક બૌદ્ધ વળી કહે છે – =આમાં જેનોના ભગવાનનું jરા ચિત્ત કુશળચિત્ત મુઠ્ઠાં મુખ્ય નથી, તિ=એથી નો મ=મહાન તથી=જેનોના ભગવાન મહાન નથી, તે બૌદ્ધદર્શનવાળાનું તે કથન યુવત્ત અયુક્ત છે; વત: જે કારણથી રૂદં આ બોધિસત્ત્વનું ચિત્ત સામયિદિ=સામાયિકથી પણ મુર્ણ ન=મુખ્ય નથી=અધિક નથી. ૨૩ શ્લોકાર્ય : કોઈક બોદ્ધ વળી કહે છે – આમનું જૈનોના ભગવાનનું, કુશળચિત્ત મુખ્ય નથી, એથી મહાન નથી, તે કથન અયુક્ત છે; જે કારણથી બોધિસત્વનું ચિત્ત સામાયિકથી પણ મુખ્ય નથી. ll૨all » ‘સમય ’ - અહીં ‘' થી એ કહેવું છે કે અન્ય સંસારી જીવોના ચિત્ત કરતાં આવું કુશળચિત્ત મુખ્ય છેઃઉત્તમ છે, પરંતુ સામાયિક કરતાં પણ મુખ્ય નથી. ટીકા : कश्चित्त्विति-कश्चित्तु मायापुत्रीयो, मुख्यं सर्वोत्तमं, कुशलं चित्तं, नास्य= भवदभिमतस्य भगवतः, इति नो महानयमित्याह- तदयुक्तं, यतो नेदं परपरिकल्पितं कुशलं चित्तं समतृणमणिलेष्टुकांचनानां सर्वसावद्ययोगनिवृत्तिलक्षणात्सामायिकादपि मुख्यं, असद्भूतार्थविषयत्वात् ।।२३।। Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જિનમહત્ત્વદ્વાાિંશિકા/શ્લોક-૨૩-૨૪ ટીકાર્ય : અશ્વિનું.... વિષયત્વીત્ ! આમનું જૈનોને અભિમત એવા ભગવાનનું કુશળચિત્ત મુખ્ય નથી=સર્વોત્તમ નથી, એથી મહાન નથી=ભગવાન મહાત નથી, એ પ્રમાણે કોઈક માયાપુત્રીય=બોદ્ધદર્શનવાળા, કહે છે, તે અયુક્ત છે; જે કારણથી પરપરિકલ્પિત કુશળચિત સમતૃણમણિલેણુ-કાંચતવાળા એવા ભગવાનના સર્વસાવધ યોગની નિવૃત્તિરૂપ સામાયિકથી પણ મુખ્ય નથી=અધિક નથી; કેમ કે અસદ્દભૂતાર્થવિષયપણું છે=પરસ્પરિકલ્પિત એવા કુશળચિત્તનું અસલૂતાર્થવિષયપણું છે. ૨૩ - “સમય માં “પ' થી એ કહેવું છે કે બુદ્ધનું કુશળચિત્ત સંસારી જીવોના ચિત્ત કરતાં તો મુખ્ય છે, પરંતુ સામાયિક કરતા પણ મુખ્ય નથી અર્થાત્ ઉત્તમ નથી. ભાવાર્થ : બૌદ્ધદર્શનના કેટલાક અનુયાયીઓ તેમનાં શાસ્ત્રો પ્રમાણે બોધિસત્ત્વોનું જે ચિત્ત બતાવ્યું છે, તેને સામે રાખીને કહે છે કે જૈનદર્શનને અભિમત ભગવાનનું જૈનદર્શનની માન્યતા પ્રમાણે બોધિસત્ત્વ જેવું કુશળચિત્ત નથી. માટે જૈનદર્શનને માન્ય એવા ભગવાન કરતાં બુદ્ધ મહાન છે, જૈનોના ભગવાન મહાન નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે – બૌદ્ધદર્શનવાળાનું આ વચન યુક્ત નથી; કેમ કે ભગવાન સંયમ ગ્રહણ કરે છે ત્યારે સંસારના સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળા હોય છે, અને સર્વ સાવદ્યયોગની નિવૃત્તિરૂપ સામાયિકના પરિણામવાળા હોય છે, અને સામાયિકના પરિણામ કરતાં પણ બોધિસત્ત્વનું કુશળચિત્ત ઉત્તમ નથી અર્થાત્ બોધિસત્ત્વનું જે કુશળચિત્ત પરદર્શનવાળા માને છે તે ચિત્ત ભગવાનના સામાયિકના પરિણામ કરતાં પણ ઉત્તમ નથી; કેમ કે અસભૂત અર્થવિષયવાળું બોધિસત્ત્વનું ચિત્ત છે અર્થાત્ તત્ત્વને સ્પર્શનારું તે ચિત્ત નથી. માટે બોધિસત્ત્વ કરતાં જૈનોના ભગવાન મહાન છે. ૨૩ અવતરણિકા - તથાદિ – અવતરણિકાર્ચ - તે આ પ્રમાણે છે – Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ જિનમહત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૨૪ ભાવાર્થ : પૂર્વશ્લોક-૨૩માં કહ્યું કે ભગવાનના સામાયિકના પરિણામથી પણ બોધિસત્ત્વનું કુશળચિત્ત ઉત્તમ નથી; કેમ કે બોધિસત્ત્વનું કુશળચિત્ત અભૂતાર્થ વિષયવાળું છે. તેથી હવે બોધિસત્ત્વનું કુશળચિત્ત અસભૃતાર્થ વિષયવાળું કેમ છે ? તે તથદિ' થી સ્પષ્ટ કરે છે – બ્લોક - स्वधर्मादन्यमुक्त्याशा तदधर्मसहिष्णुता । यद्वयं कुशले चित्ते तदसंभवि तत्त्वतः ।।२४।। અન્વયાર્થ – જે કારણથી વધ=બોધિસત્વ પોતાના ધર્મથી અમુવાર= અન્ય જીવોની મુક્તિની આશા=અન્ય જીવોની મુક્તિની ઈચ્છા, તરાદિષ્ણુતા=તેના અધર્મની સહિષ્ણુતા અન્ય જીવોના અધર્મના ફળની પોતાનામાં પ્રાપ્તિ દ્વારા તેઓનાં દુઃખ દૂર કરવાની ઈચ્છારૂપ તેઓના અધર્મની સહિષ્ણુતા =બંને કુત્તે વિરે કુશળચિત્તમાં છે, તતે કારણથી તત્ત્વતઃ–પરમાર્થથી સંમવિબોધિસત્વનું કુશળચિત્ત તત્વથી અસંભવ વિષયવાળું છે. ૨૪ શ્લોકાર્ચ - જે કારણથી બોધિસત્વના પોતાના ધર્મથી અન્ય જીવોની મુક્તિની ઈચ્છા અને તેમના અધર્મની સહિષ્ણુતા, બંને બોધિસત્વના કુશળચિતમાં છે, તે કારણથી પરમાર્થથી અસંભવી છે. ૨૪ ટીકા :___ स्वधर्मादिति-स्वधर्मादन्येषां जगत्प्राणिनां, मुक्त्याशा-मुक्तिवांछा, तेषामन्येषां येऽधर्मा दुर्गतिहेतवस्तेषां सहिष्णुता स्वस्मिंस्तत्फलापत्त्या परदुःखपरिजिहीर्षालक्षणा, यदेतद्वयं कुशले चित्ते विषयीभवति तत्तत्त्वतोऽसंभवि, बुद्धानां निर्वृतिप्रतिपादनात्, “गंगावालुकासमा बुद्धा निर्वृता" इति Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨૪ परेषामागमव्यवस्थिते: स्वान्यधर्माधर्मयोः परेषु स्वस्मिंश्चोपसंक्रमे तदयोगात् । यदि चैवमसद्भूतार्थविषयं कुशलचित्तं प्रामाणिकं स्यात्तदा - "मय्येव निपतत्वेतज्जगद्दुश्चरितं यथा । मत्सुचरितयोगाच्च मुक्तिः स्यात्सर्वदेहिनाम्" ।। (अष्टकप्रकरण-२९/४) इतिवत्, “अज्ञानानां यदज्ञानमास्तां मय्येव तत्सदा । નવીયજ્ઞાનયTIષ્ય વેતચં તેડુ સર્વતા” || (અષ્ટપ્રવર-ર૧/૬ વૃત્તિ) इत्यपि परेण पठनीयं स्यात् ।।२४।। ટીકાર્ય : સ્વધર્માદ્રષi .. પનીયં ચર્િ ! સ્વધર્મથી=બોધિસત્વના પોતાના ધર્મથી, અવ્યોની=જગતના જીવોની, મુક્તિની આશા=મુક્તિની ઇચ્છા, તેઓના=અન્યોના, જે દુર્ગતિના હેતુ એવા અધર્મો, તેની સહિષ્ણુતા અર્થાત્ સ્વમાં તેના ફળની પ્રાપ્તિ દ્વારા=સ્વમાં પરના પાપના ફળની પ્રાપ્તિ દ્વારા, પરદુ:ખના પરિવારની ઈચ્છારૂપ સહિષ્ણુતા, જે કારણથી આ બંને કુશળચિત્તમાં વિષય બને છે બોધિસત્ત્વના કુશળચિત્તમાં વિષય બને છે, તે કારણથી તત્ત્વથી અસંભવી છે કુશળચિત્તતા વિષયભૂત આ બંને ભાવો અસંભવી છે અર્થાત્ જે પ્રકારે બોધિસત્વ કુશળચિત્ત કરે છે તે પ્રમાણ તે ભાવો થતા નથી; કેમ કે બુદ્ધોની નિવૃતિનું પ્રતિપાદન છે બોધિસત્વ મોક્ષમાં ગયા છે, એ પ્રકારનું તેમનાં શાસ્ત્રોમાં પ્રતિપાદન છે. અહીં પ્રશ્ન થાય કે બોધિસત્ત્વની નિવૃતિનું પ્રતિપાદન હોય એટલામાત્રથી આ બંને કુશળચિત્તના વિષયભૂત ભાવો અસંભવિ કેમ છે ? તે બતાવવા બીજો હેતુ કહે છે -- ગંગાની રેતી જેટલા બુદ્ધો મોક્ષમાં ગયા” એ પ્રકારની પરના આગમની બૌદ્ધદર્શનવાળાઓના આગમની, વ્યવસ્થિતિ હોવાને કારણે, સ્વતા ધર્મનું પરમાં અને અત્યના અધર્મનું સ્વમાં, ઉપસંક્રમણ થયે છતે તેનો અયોગ છેઃબોધિસત્વની નિવૃતિનો અયોગ છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૨૪ ૧૩૭ પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે બોધિસત્ત્વના કુશળચિત્તવિષયક ભાવો તત્ત્વથી અસંભવી છે. હવે તે કથનને દઢ કરવા માટે તર્કથી તેની પુષ્ટિ કરે છે – અને જો આવા પ્રકારનું અસદ્ભૂતાર્થ વિષયવાળું કુશળચિત પ્રામાણિક થાય છે શ્રેષ્ઠ છે એ પ્રમાણે સ્વીકાર થાય, તો “જે પ્રમાણે મારામાં જ જગતનું આ દુશ્ચરિત્ર પડો અને મારા સુચરિત્રના યોગથી સર્વ જીવોની મુક્તિ થાઓ” (અષ્ટક પ્રકરણ-૨૯/૪) એની જેમ “અજ્ઞાની જીવોનું જે અજ્ઞાન છે તે મારામાં જ સદા હો અને મારા જ્ઞાનના યોગથી તેઓમાં સર્વદા ચૈતન્ય હો.” (અષ્ટક પ્રકરણ-૨૯/૬ વૃત્તિ) એ પ્રમાણે પણ પર વડે પઠનીય થાય=એ પ્રમાણે બૌદ્ધ કહેવું જોઈએ.”u૨૪ ભાવાર્થ : બૌદ્ધદર્શનવાળા બોધિસત્ત્વના કુશળચિત્તને સર્વોત્તમ કહે છે, તે બોધિસત્ત્વોનું કુશળચિત્ત તેઓના મત પ્રમાણે કેવું છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – બોધિસત્ત્વો પોતાના ધર્મથી જગતના જીવોની મુક્તિની ઇચ્છા કરે છે, અને અન્ય જીવો દુર્ગતિના હેતુ એવા અધર્મને સેવે છે તે અધર્મનું ફળ પોતાને પ્રાપ્ત થાય, જેથી અન્ય જીવોનાં દુઃખો દૂર થાય, એવી ઇચ્છા કરે છે. આ બંને પરિણામો બોધિસત્ત્વના કુશળચિત્તમાં છે, અને આ બંને પરિણામો પરમાર્થથી અસંભવ વિષયવાળા છે; કેમ કે બોધિસત્ત્વના તેવા કુશળચિત્તથી તેવું કાર્ય થતું હોય તો માત્ર બોધિસત્ત્વની મુક્તિ થાય નહીં, પરંતુ બોધિસત્ત્વોના ધર્મના સેવનથી સર્વ જીવોની મુક્તિ થવી જોઈએ, અને ત્યાર પછી બોધિસત્ત્વની મુક્તિ થઈ શકે; જ્યારે બૌદ્ધદર્શનનાં શાસ્ત્રો કહે છે કે “ગંગાની રેતી જેટલા બુદ્ધો મોક્ષમાં ગયા છે. તેથી એ ફલિત થાય કે બોધિસત્ત્વએ જે ભાવના કરી તે પ્રમાણે “જો પોતાનો ધર્મ અન્યમાં સંક્રમણ પામતો હોય અને બીજાનો અધર્મ પોતાનામાં સંક્રમણ પામતો હોય તો બોધિસત્ત્વની મુક્તિ થાય નહીં; પરંતુ સર્વ જીવોની પ્રથમ મુક્તિ થાય, પછી બોધિસત્ત્વની મુક્તિ થઈ શકે. માટે બોધિસત્ત્વનું આ કુશળચિત્ત અસંભવ વિષયવાળું છે. તેથી ભગવાનના સામાયિકના ચિત્ત કરતાં બોધિસત્ત્વનું ચિત્ત ઉત્તમ નથી, તેમ પૂર્વ શ્લોક સાથે સંબંધ છે. વળી તર્કથી પણ બોધિસત્ત્વનું આ કુશળચિત્ત સર્વોત્તમ નથી, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪-૨૫ જો આવા પ્રકારના અસદ્ભૂતાર્થ વિષયવાળું કુશળચિત્ત પ્રામાણિક છે=સર્વોત્તમ છે, એ પ્રમાણે બૌદ્ધદર્શનવાળાને માન્ય હોય, તો જેમ ‘જગતનું આ દુષ્ચરિત્ર મારા આત્મામાં પડો અને મારા સુચરિત્રના યોગથી સર્વ જીવોની મુક્તિ થાઓ’ એમ બોધિસત્ત્વ ભાવના કરે છે; તેમ ‘અજ્ઞાની જીવોનું જે અજ્ઞાન છે તે મારામાં સદા પડો અને મારા જ્ઞાનના યોગથી તેઓ સદા ચૈતન્યવાળા થાઓ' એ પ્રમાણે પણ બોધિસત્ત્વએ કહેવું જોઈએ અર્થાત્ બોધિસત્ત્વએ આવી ભાવના પણ કરવી જોઈએ. વસ્તુતઃ અજ્ઞાનીનું અજ્ઞાન પોતાનામાં પડે એવી ભાવના બોધિસત્ત્વ કરતા નથી; કેમ કે બીજાનું અજ્ઞાન પોતાને પ્રાપ્ત થાય તેમ તેઓને પણ ઇષ્ટ નથી. ‘બીજાનું અજ્ઞાન પોતાને પ્રાપ્ત થાઓ' તેનો અર્થ એ થાય કે બીજા જીવો જે ખરાબ પ્રવૃત્તિ કરે છે, એવી ખરાબ પ્રવૃત્તિઓ કરનારો હું પણ થાઉં; પરંતુ આવી ભાવના સુંદર નથી; તેમ ‘પોતાના ધર્મથી બધાની મુક્તિ થાઓ’ ‘તેમનું પાપ મારામાં પડો' એ પ્રકારની ભાવના પણ સુંદર નથી; પરંતુ જીવનો પારમાર્થિક જે સમભાવનો પરિણામ છે, તે સુંદર છે. માટે બોધિસત્ત્વએ કરેલું કુશળચિત્ત અસંભવ વિષયવાળું છે, એટલું જ નહીં પણ શ્રેષ્ઠ તરીકે પ્રામાણિક પણ નથી. વસ્તુતઃ આત્માનો સમભાવનો પરિણામ જ શ્રેષ્ઠ છે. માટે સામાયિકના પરિણામવાળા હોવાથી ભગવાન મહાન છે, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે. [૨૪ અવતરણિકા : પૂર્વ શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે બોધિસત્ત્વનું જે કુશળચિત્ત છે, તે અસંભવ વિષયવાળું છે, વળી તે શ્રેષ્ઠ તરીકે પ્રામાણિક પણ નથી. તે કેમ શ્રેષ્ઠ તરીકે પ્રામાણિક નથી ? અને સમભાવનો પરિણામ જ શ્રેષ્ઠ તરીકે પ્રામાણિક કેમ છે ? તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે . શ્લોક ઃ अतो मोहानुगं ह्येतन्निर्मोहानामसुन्दरम् । बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु साध्वपि ।। २५ ।। Page #162 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨૫ ૧૩૯ અન્વયા : મત: આથી=પૂર્વ શ્લોક-૨૪માં બતાવેલ કુશળચિત અસંભવી અર્થના વિષયવાળું હોવાથી ત—આ કુશળચિત દિકજ મોદાનુ=મોહને અનુસરનારું છે, નિદાના=નિર્મોહવાળાને વીતરાગને વસુન્દરઅસુંદર છે, સરાત્રે તુ વળી સરાગપણામાં યોધ્યાતિપ્રાર્થનાશવં=બોધિ આદિની પ્રાર્થના જેવું સર્વોપ સુંદર પણ છે કુશળચિત સુંદર પણ છે. પંરપા શ્લોકાર્થ : આથી પૂર્વ શ્લોક-૨૪માં બતાવેલ કુશળચિત્ત અસંભવી અર્થના વિષયવાળું હોવાથી, આ કુશળચિત્ત મોહને જ અનુસરનારું છે, નિર્મોહ એવા વીતરાગને અસુંદર છે, વળી સરાણપણામાં બોધિ આદિની પ્રાર્થના જેવું સુંદર પણ છે. પરપI ‘સાધ્ધપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે વીતરાગને અસુંદર છે, પરંતુ સરાગદશામાં સુંદર પણ છે. ટીકા - __ अत इति-अत उक्तकुशलचित्तस्य तत्त्वतोऽसंभव्यर्थविषयत्वात्, एतद्धि मोहानुगं मोहनीयकर्मोदयानुगतम्, मोहोदयाभावे हि समस्तविकल्पोत्कलिकावर्जितमेव चित्तं स्यादिति निर्मोहानां=वीतरागाणाम्, असुन्दरम् । तथा च कुशलचित्तस्य न मुख्यत्वं निर्मोहत्वविरोधादित्यर्थः, सरागत्वे तु प्रशस्तरागदशायां तु, एतद्बोध्यादिप्रार्थनाकल्पम्, आदिनारोग्योत्तमसमाधिग्रहः, साध्वपि= प्रशस्तमपि, असंभविविषयकयोरपि वाङ्मनसोः प्रशस्तभावोत्कर्षकत्वेन चतुर्थभङ्गान्तःपातित्वसंभवात् । तदुक्तम् - "बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु સાળંપ”. ટીકાર્ચ - ગત ..... સાથ્વપ” આથી=ઉક્ત કુશળચિત્તનું તત્વથી અસંભવી અર્થનું વિષયપણું હોવાથી, આ=કુશળચિત જ, મોહાનુગ છે=મોહનીયકર્મના ઉદયથી અનુગત છે; જે કારણથી મોહના ઉદયના અભાવમાં સમસ્ત વિકલ્પરૂપ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨પ ઉત્કલિકાથી તરંગોથી, વર્જિત જ ચિત્ત થાય, એથી નિર્મોહી-=વીતરાગને, અસુંદર છે; અને તે રીતે કુશળચિત્ત મોહઅનુગત છે અને વીતરાગને અસુંદર છે તે રીતે. કુશળચિત્તનું મુખ્યત્વ નથી; કેમ કે નિમહત્વનો વિરોધ છે, એ પ્રકારે અર્થ છે=એ પ્રકારે અર્થ ફલિત થાય છે. વળી સરાગપણામાં વળી પ્રશસ્તરાગદશામાં, આ=કુશળ ચિત્ત બોધિ આદિની પ્રાર્થના જેવું સાધુ પણ છે=પ્રશસ્ત પણ છે; કેમ કે અસંભવી વિષયવાળા પણ વાણી અને મતનું પ્રશસ્તભાવના ઉત્કર્ષકપણારૂપે ચતુર્થ ભંગ અંતઃપાતિપણાનો, સંભવ છેચોથા ભાંગામાં અંતર્ભાવનો સંભવ છે. વિધ્યાતિપ્રાર્થના” શબ્દના ‘વિ' શબ્દથી આરોગ્ય અને ઉત્તમ સમાધિનું ગ્રહણ કરવું. તે કહેવાયું છે સરાગદશામાં કુશળચિત સુંદર પણ છે, એમ જે કહ્યું તે કહેવાયું છે – વળી બોધિ આદિની પ્રાર્થના જેવું સરાગપણામાં સુંદર પણ છે.” ભાવાર્થ : પૂર્વશ્લોક-૨૪માં કહ્યું કે બોધિસત્ત્વનું કુશળચિત્ત સર્વોત્તમ તરીકે પ્રામાણિક નથી. કેમ સર્વોત્તમ તરીકે પ્રામાણિક નથી ? તે યુક્તિથી બતાવે છે – પૂર્વમાં બતાવેલ બોધિસત્ત્વનું કુશળચિત્ત તત્ત્વથી અસંભવી એવા અર્થના વિષયને કરનારું છે, તેથી મોહનીયકર્મના ઉદયથી થનારું છે; કેમ કે મોહનીયકર્મનો ઉદય ન હોય તો અવાસ્તવિક એવા વિકલ્પોરૂપ ચિત્ત બને નહીં; અને તે કથનને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે મોહના ઉદયનો અભાવ હોય તો બધા વિકલ્પોના તરંગોથી રહિત ચિત્ત થાય. તેથી એ ફલિત થાય કે જે જીવોને મોહ નથી તેઓ નિર્વિકલ્પઉપયોગવાળા હોય છે, અને જે જીવોના ઉપયોગમાં વિકલ્પોના તરંગો હોય છે તેમનું ચિત્ત મોહથી યુક્ત હોય છે. તેથી નિર્મોહી એવા વીતરાગનું ચિત્ત બોધિસત્ત્વ જેવું સ્વીકારવું સુંદર નથી. આનાથી એ પ્રાપ્ત થયું કે કુશળચિત્ત સર્વશ્રેષ્ઠ નથી; કેમ કે નિર્મોહીપણાનો વિરોધ છે. તેથી નિર્મોહીને જેવું ચિત્ત હોય તે ચિત્ત સર્વશ્રેષ્ઠ છે, અને વીતરાગ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ જિનમહત્ત્વધાવિંશિકા/બ્લોક-૨૫ નિર્મોહી છે, તેથી સર્વ વિકલ્પોથી રહિત એવું ઉત્તમ ચિત્ત તેમનું છે. માટે બોધિસત્વ કરતાં ભગવાન મહાન છે. અહીં પ્રશ્ન થાય કે ઉપરમાં બતાવ્યું એવા વિકલ્પોવાળું કુશળચિત્ત સર્વથા અસુંદર છે કે કોઈક અપેક્ષાએ સુંદર પણ છે ? તેથી કહે છે – પ્રશસ્તરાગદશાવાળા જીવોને બોધિ આદિની પ્રાર્થના જેવું આ કુશળચિત્ત સુંદર પણ છે. તેથી એ ફલિત થાય કે નિર્વિકલ્પદશા વગરના=પ્રશસ્તરાગદશાવાળા આરાધક જીવો જેમ ભગવાન પાસે બોધિની પ્રાર્થના કરે છે, આરોગ્યની પ્રાર્થના કરે છે, ઉત્તમ સમાધિની પ્રાર્થના કરે છે, તે ચિત્ત જેમ વિકલ્પાત્મક છે, તેમ બોધિસત્ત્વનું કુશળચિત્ત પણ વિકલ્પાત્મક છે; અને જેમ સરાગદશાવાળા આરાધક જીવોને બોધિ આદિની પ્રાર્થનારૂપ વિકલ્પો સુંદર છે, તેમ સરાગદશાવાળા જીવોને બોધિસત્ત્વના જેવું કુશળચિત્ત પણ સુંદર છે, આમ છતાં વીતરાગ જેવું સુંદર નથી. આશય એ છે કે બોધિસત્ત્વનું કુશળચિત્ત હોવાને કારણે બોધિસત્વ વીતરાગથી મહાન છે, એમ જે બૌદ્ધદર્શનવાળા કહે છે તે વાત ઉચિત નથી; વસ્તુતઃ બોધિસત્ત્વનું કુશળચિત્ત હોવા છતાં મોહથી આકુળ ચિત્ત છે, માટે વીતરાગથી મહાન નથી, પરંતુ વીતરાગથી નીચેની ભૂમિકામાં છે. તેથી બોધિસત્ત્વ કરતાં વીતરાગ મહાન છે. ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે વીતરાગને સમસ્ત વિકલ્પના તરંગોથી રહિત ચિત્ત હોય છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે વીતરાગને પણ ચાર પ્રકારના મનોયોગમાંથી અને ચાર પ્રકારના વચનયોગમાંથી સત્યમનોયોગ અને સત્યવચનયોગરૂપ પ્રથમ, તથા અસત્યઅમૃષામનોયોગ અને અસત્યઅમૃષાવચનયોગરૂપ અંતિમ, એમ બે મનોયોગ અને બે વચનયોગ હોય છે, અને બોધિસત્ત્વનું કુશળચિત્ત પણ અંતિમ મનોયોગમાં અંતર્ભાવ પામે છે, તેથી વીતરાગને પણ એવું કુશળચિત્ત સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. તેમ બતાવીને તેનું નિવારણ કરતાં કહે છે - Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ટીકા ઃ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫ ननु चतुर्थभङ्गस्थवाङ्मनसोर्भगवत्यपि सम्भवात् कथं न कुशलचित्तयोग इति चेत्र, वैकल्पिक भक्तिभावप्रयुक्तस्य चतुर्थभङ्गस्य प्रार्थनारूपस्य भगवत्यनुपपत्तेः, विचित्रवर्गणासद्भावेनैव तत्र तदुपवर्णनादिति बोध्यम् ।। २५ ।। ટીકાર્થ ઃ ननु વોઘ્નમ્ ।। ચોથા ભાંગામાં રહેલા વચનયોગનો અને મનોયોગનો ભગવાનમાં પણ સંભવ હોવાથી=ભગવાન વીતરાગ અને સર્વજ્ઞ થયા પછી પણ ભગવાનમાં સંભવ હોવાથી, કુશળચિત્તનો યોગ કેમ નહીં થાય ? અર્થાત્ ભગવાનમાં કુશળચિત્તનો યોગ કેમ નહીં થાય ? એ પ્રકારે ‘નનુ’ થી પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે ન’=તારી વાત બરાબર નથી; કેમ કે વૈકલ્પિક ભક્તિભાવથી પ્રયુક્ત, પ્રાર્થનારૂપ ચતુર્થ ભંગની ભગવાનમાં અનુપપત્તિ હોવાને કારણે વિચિત્ર વર્ગણાના સદ્ભાવથી જ=વિકલ્પરૂપ પ્રાર્થનારૂપે નહીં, પરંતુ ઉપદેશાદિ વખતે સત્યવચનયોગાદિથી વિલક્ષણ અસત્યઅમૃષાવચનયોગાદિને કહેનારી વિલક્ષણ ભાષા આદિ વર્ગણાના સદ્ભાવથી જ, ત્યાં=શાસ્ત્રમાં, તેનું ઉપવર્ણન છે=ભગવાનના ચોથા મનોયોગનું અને ચોથા વચનયોગનું ઉપવર્ણન છે, એ પ્રમાણે જાણવું. ।।૨૫।। ભાવાર્થ: પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે વીતરાગ-સર્વજ્ઞ થયા પછી ભગવાનને બોધિસત્ત્વ જેવું કુશળચિત્ત હોતું નથી. ત્યાં કોઈક શંકા કરતાં કહે છે કે વીતરાગ અને સર્વજ્ઞ એવા ભગવાનને પણ વાણીના ચાર ભાંગા અને મનના ચાર ભાંગામાંથી બંનેનો ચોથો ભાંગો સંભવે છે અને કુશળચિત્ત ચોથા ભાંગામાં અંતર્ભાવ પામે છે; તેથી વીતરાગને કુશળચિત્ત સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, અને તેમ સ્વીકારીએ તો બોધિસત્ત્વ પણ વીતરાગ છે અને આવા ઉત્તમ કુશળચિત્તવાળા છે, માટે મહાન છે, તેમ સિદ્ધ થઈ શકે. તેને ગ્રંથકારશ્રી કહે છે – વૈકલ્પિક ભક્તિભાવપ્રયુક્ત પ્રાર્થનારૂપ મનોયોગ અને વચનયોગનો ચતુર્થ ભાંગો ભગવાનમાં સંભવિત નથી, અને ઉપલક્ષણથી મોહથી યુક્ત બોધિસત્ત્વ Page #166 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વહાર્નાિશિકા/શ્લોક-૨૫ ૧૪૩ જેવું કુશળચિત્ત પણ ભગવાનમાં સંભવિત નથી; કેમ કે નિર્મોહી એવા ભગવાનને આવો ચોથો ભાંગો સંભવે નહીં, પરંતુ શાસ્ત્રકારોએ મનોયોગ અને વચનયોગનો ચોથો ભાગો ભગવાનમાં છે, તેમ કહ્યું છે, તે વિચિત્ર વર્ગણાના સભાવથી જ છે. આશય એ છે કે સત્યવચનયોગ એટલે તત્ત્વને કહેનારાં વચનો; જેમ કે ભગવાને કહ્યું કે ‘સત્સં ામ વિષે મા' | ભગવાનનો આ ઉપદેશ, સત્યવચનયોગનો પ્રયોગ છે; અને જ્યારે પોતાના માટે ગોચરી લાવવા માટે કોઈ વસ્તુ લાવવાનું કેવળી કહે ત્યારે તે વચનયોગ, સત્યવચનયોગ નથી, પરંતુ વ્યાવહારિક ભાષા છે, અને આ વ્યવહારભાષાનો ભાંગો અસત્યઅમૃષારૂપ ચોથી ભાષામાં અંતર્ભાવ પામે છે. તેથી સત્યવચનયોગ કરતાં વિલક્ષણ એવી વ્યવહારભાષામાં વપરાતા ભાષાવર્ગણાના સદ્ભાવથી જ ભગવાનને ચતુર્થ અસત્યઅમૃષાવચનયોગ સ્વીકારેલ છે. અને જ્યારે ભગવાન અનુત્તરવાસી દેવોના પ્રશ્નોનો જવાબ આપતા હોય, ત્યારે જો તત્ત્વના નિરૂપણરૂપ ઉત્તર હોય તો સત્યમનોયોગમાં અંતર્ભાવ થાય, અને તત્ત્વ સિવાયનો અન્ય કોઈ પ્રકારનો પ્રશ્ન હોય અને ભગવાનને ઉચિત જણાય અને મનોયોગથી તેનો ઉત્તર ભગવાન આપે, ત્યારે તે અસત્યઅમૃષારૂપ મનોયોગનો ચોથો ભાંગો ભગવાનને સંભવે. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તીની થનારી પત્નીના વિદ્યાધર પિતાએ કેવળીને પ્રશ્ન કર્યો કે “આ મારી પુત્રીનો પતિ કોણ થશે ?' અને કેવળીએ જે તેનો પતિ થશે તે બતાવ્યું, તે વચનપ્રયોગ સત્યવચનયોગ નથી, પરંતુ અસત્યઅમૃષારૂપ વચનયોગ છે. તેના જેવો કોઈક પ્રશ્ન અનુત્તરવાસી દેવોએ પૂછેલો હોય અને તેનો ઉત્તર કેવળી મનોયોગ દ્વારા આપે ત્યારે અસત્યઅમૃષામનોયોગ પ્રાપ્ત થાય. આ રીતે ભગવાનમાં ચતુર્થ ભંગ અંતર્ગત વિચિત્ર ભાષાવર્ગણા અને વિચિત્ર મનોવર્ગણાના સદ્ભાવથી જ શાસ્ત્રમાં ભગવાનને ચોથા પ્રકારનો મનોયોગ અને વચનયોગ હોય છે, તેમ કહેલ છે; પરંતુ બોધિ આદિની પ્રાર્થનારૂપ મોહના વિકલ્પસ્વરૂપ અને બોધિસત્ત્વના કુશળચિત્ત જેવા મોહના વિકલ્પસ્વરૂપ, ચોથો ભાંગો ભગવાનને હોતો નથી; કેમ કે ભગવાનનું ચિત્ત સર્વ વિકલ્પોથી પર શુદ્ધ આત્મામાં નિવિષ્ટ છે, એથી વિકલ્પોની પરંપરા તેમના ચિત્તને સ્પર્શતી નથી. ગરપા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૬ અવતરણિકા : यद्यपि व्याघ्रादेः स्वकीयमांसदानादावतिकुशलं चित्तं बुद्धस्येष्यते, न चैतदर्हत । इति नात्र महत्त्वमित्याशक्यते तदप्यसङ्गतं, तच्चित्तस्यैवानतिकुशलत्वेन मोहानुगतत्वाविशेषादित्यभिप्रायवानाह - અવતરણિકાર્ચ - જોકે વાઘ આદિને પોતાના માંસના દાતાદિમાં બુદ્ધનું અતિકુશળચિત્ત ઈચ્છાય છે, અને અરિહંતનું આ=બુદ્ધના જેવું અતિકુશળચિત, નથી, તેથી અહીં અરિહંતમાં, ‘મહત્ત્વ નથી,’ એ પ્રમાણે આશંકા કરાય છે, તે પણ અસંગત છે; કેમ કે તેના ચિત્તનું જ=બોધિસત્વના ચિત્તનું જ, અનતિકુશળપણું હોવાને કારણે મોહઅનુગતપણાનો અવિશેષ છે પૂર્વમાં કહેલા કુશળચિતમાં અને પ્રસ્તુત અતિકુશળચિત્તમાં મોહઅનુગતતા સમાન છે. એ પ્રકારના અભિપ્રાયવાળા ગ્રંથકારશ્રી કહે છે – ‘તપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે શ્લોક-૨૪માં બતાવેલાં બે કુશળચિત્ત ભગવાનમાં નહીં હોવાને કારણે ભગવાન મહાન નથી, તે કથન તો અસંગત છે, પરંતુ વાઘ આદિને માંસદાનાદિ આપવાના પરિણામરૂપ અતિકુશળચિત્ત પણ ભગવાનમાં નથી, માટે ભગવાન મહાન નથી, એ કથન પણ અસંગત છે. ભાવાર્થ : બૌદ્ધદર્શનના કેટલાક અનુયાયીઓ કહે છે કે બોધિસત્ત્વનું ચિત્ત વાઘ આદિને પોતાના માંસદાનાદિ આપવાના પરિણામવાળું હતું. તેથી અતિકુશળચિત્ત હતું; અને આવું અતિકુશળચિત્ત અરિહંતોનું નથી, માટે અરિહંતને મહાન કહી શકાય નહીં. આ પ્રકારનું બૌદ્ધદર્શનનું વચન અસંગત છે; કેમ કે બોધિસત્ત્વનું તે ચિત્ત કુશળ હોવા છતાં અતિકુશળ નથી અર્થાત્ સામાયિકનું જેવું કુશળચિત્ત છે, તેવું કુશળચિત્ત નથી; પરંતુ અસંભવી પદાર્થને કહેનારું મોહથી અનુગત છે. તેથી સામાયિકના પરિણામ જેવું અતિકુશળ નથી; અને ભગવાનનું ચિત્ત સામાયિકના પરિણામવાળું હોવાથી અતિકુશળ છે, માટે ભગવાન મહાન છે. આ બતાવવાના અભિપ્રાયથી બોધિસત્ત્વનું વાઘ આદિને માંસ આપવાના પરિણામવાળું ચિત્ત અનતિકુશળ કેમ છે ? તે બતાવે છે – Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ જિનમહત્ત્વાગિંશિકા/શ્લોક-૨૬ Rels: सत्त्वधीरपि या स्वस्योपकारादपकारिणि । सात्मभरित्वपिशुना परापायानपेक्षिणी ।।२६।। मन्वयार्थ : स्वस्योपकारादपकारिणि स्वना 64रथी अपारीमा यापिठे ५ सत्त्वधी:-सत्यमुछि साते परापायानपेक्षिणी-५२ना सपायने नहीं लेना आत्मभरित्वपिशुना=AlciuNuguने सूयबना छ=स्वार्थीuguने सूया छे. ॥२१॥ दोडार्थ : સ્વના ઉપકારથી અપકારીમાં જે પણ સત્ત્વબુદ્ધિ છે, તે પરના અપાયને નહીં જોનારી આત્મભરીપણાને સૂચવનારી છે. ગારકા • 'सत्त्वधीरपि' - डी ‘अपि' थी मे ३j छ । मसुं६२ बुद्धि तो स्वार्थ५२।यए। છે અને પરના અપાયને નહીં જોનારી છે, પરંતુ બુદ્ધની સુંદર બુદ્ધિ પણ સ્વાર્થપરાયણ છે અને પરના અપાયને નહીં જોનારી છે. टोs: सत्त्वधीरिति-यापि बुद्धस्यापकारिणि स्वमांसभक्षकव्याघ्रादौ, स्वस्योपकारात् कर्मकक्षकर्त्तनसाहाय्यककरणलक्षणात्, सत्त्वधी:, सा आत्मानमेव न परं बिभर्ति पुष्णातीत्यात्मभरिस्तत्त्वं पिशुनयति सूचयतीत्यात्मभरित्वपिशुना, परेषां स्वमांसभक्षक-व्याघ्रादीनामपायान् दुर्गतिगमनादीनापेक्षत इत्येवंशीला । तथा चात्रात्मभरित्वं परापायानपेक्षत्वं च महदूषणमिति भावः । तदुक्तम् - “अपकारिणि सद्बुद्धिर्विशिष्टार्थप्रसाधनात् । आत्मभरित्वपिशुना परापायानपेक्षिणि" ।। (अष्टकप्रकरण-२९/७) इति ।।२६।। शार्थ : यापि ..... इति ।। स्वनी 6481२ पाथीभता समूडने अपवामi સહાય કરવા સ્વરૂપ સ્વનો ઉપકાર હોવાથી, સ્વમાંસભક્ષક અપકારી એવા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જિનમહત્ત્વદ્વાચિંશિકાશ્લોક-૨૬ વાઘ આદિમાં બુદ્ધની જે પણ સત્વબુદ્ધિ છે=સુંદર બુદ્ધિ છે, તે આત્મભરિતપિશુના છે. ‘નાત્મમરિત્વપશુના' શબ્દનો સમાસ સ્પષ્ટ કરે છે – આત્માને જ પોષણ કરે છે, પરને નહીં, એ આત્મભરી, અને તેનો ભાવ તે આત્મભરિત્વ, અને આત્મભરિત્વને જે સૂચવે છે તે આત્મભરિત્વપશુના. આનાથી એ પ્રાપ્ત થયું કે બોધિસત્ત્વની સુંદર બુદ્ધિ સ્વાર્થને સૂચવનારી છે. વળી બોધિસત્વની સત્વબુદ્ધિ કેવી છે ? તે સ્પષ્ટ કરે છે – સ્વમાંસભક્ષક પર એવા વાઘ આદિના અપાયોની દુર્ગતિગમતાદિ અપાયોની, અપેક્ષા રાખતી નથી, એવા સ્વભાવવાળી છે. આનાથી એ પ્રાપ્ત થયું કે બોધિસત્ત્વની સુંદર બુદ્ધિ બીજાના અહિતની ઉપેક્ષાના પરિણામવાળી છે. તેનાથી શું ફલિત થયું, તે કહે છે – અને તે રીતે બોધિસત્વની સુંદર બુદ્ધિ આત્મભરિત્વપિશુના અને પરના અપાયને નહીં જોનારી છે, તે રીતે, અહીંઃબોધિસત્ત્વની સુંદર બુદ્ધિમાં, આત્મભરિત્વપણું અને પરઅપાયઅપેક્ષપણું એ મહાન દૂષણ છે, એ પ્રકારનો ભાવ છે. તે કહેવાયું છે શ્લોકમાં જે કહેવાયું તે અષ્ટક પ્રકરણ-૨૯, શ્લોક-૭માં કહેવાયું છે – વિશિષ્ટ અર્થનું પ્રસાધન કરનાર હોવાથીઃકર્મનાશરૂપ વિશિષ્ટ અર્થને સાધનાર હોવાથી, અપકારી એવા વાઘ વગેરેમાં સુંદર બુદ્ધિ=આ ઉપકારી છે એ પ્રકારની બુદ્ધની સુંદર બુદ્ધિ, આત્મભરિતપિશુના છે સ્વાર્થને સૂચવનારી છે, અને પરના અપાયને નહીં જોનારી છે.” (અષ્ટક પ્રકરણ-૨૯/૭) તિ' શબ્દ અષ્ટક પ્રકરણના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રાજ્ય ભાવાર્થ - બૌદ્ધદર્શનના અનુયાયીઓ કહે છે કે બુદ્ધનું માંસ ખાઈને બુદ્ધને અપકાર કરનારા એવા વાઘ આદિમાં પણ બુદ્ધે ઉત્તમ બુદ્ધિ કરી છે. “આ વાઘ આદિ મારું માંસ ખાઈને મારા કર્મના નાશમાં સહાય કરનારા છે, માટે મારા ઉપકારી Page #170 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ ૧૪૭ છે. પરંતુ આ પ્રકારની બુદ્ધની જે ઉત્તમ બુદ્ધિ છે તે સ્વાર્થને સૂચવનારી છે અને પરના અપાયને નહીં જોનારી છે; કેમ કે બુદ્ધને સ્વમાંસભક્ષક એવા વાઘ આદિ પોતાના કર્મનો નાશ કરે છે તે રૂપ પોતાનો સ્વાર્થ દેખાય છે, પરંતુ માંસભક્ષણ કરીને વાઘ આદિ દુર્ગતિમાં જશે તે દેખાતું નથી. વિકલ્પાત્મક સુંદર બુદ્ધિ કરવામાં પણ બીજાના અહિતની ઉપેક્ષા હોય અને પોતાના સ્વાર્થમાત્રનો વિચાર હોય તો દૂષણરૂપ છે. માટે બુદ્ધની આ સુંદર બુદ્ધિ પણ બે દોષોથી આક્રાંત છે માટે સર્વથા સુંદર નથી; જ્યારે સર્વ ભાવો પ્રત્યે ભગવાનને સમતાનો પરિણામ હોવાને કારણે સર્વ વિકલ્પોથી પર એવું નિર્મળ ચિત્ત છે. માટે બોધિસત્ત્વ કરતાં અરિહંતો મહાન છે, એ ફલિત થાય છે. અહીં વિશેષ એ છે કે પોતાના ઉપર કોઈ અપકાર કરતો હોય અને તેના પ્રત્યે દ્વેષ થાય તેમ હોય તો ટ્રેષના નિવર્તન માટે મહાત્માઓ “આ મારો અપકારી નથી, પણ ઉપકારી છે” એમ ચિંતવન કરીને અપકારી પ્રત્યેના દ્વેષના ઉલ્લેખને દૂર કરવા યત્ન કરે છે, તે વિચારણા સુંદર છે; છતાં સાધક આત્મા નિર્વિકલ્પ ઉપયોગમાં ચિત્તને સ્થિર રાખી શકતો હોય ત્યારે, શત્રુમિત્ર પ્રત્યે સમભાવના પરિણામને વહન કરે એવું ઉત્તમ ચિત્ત હોય છે; તે ભૂમિકામાં “આ મારો ઉપકારી છે તેવા કૃતજ્ઞતાના વિકલ્પરૂપ ચિત્ત દોષરૂપ છે. તેથી સર્વ ભાવો પ્રત્યે સમભાવને વહન કરનારું ચિત્ત શ્રેષ્ઠ છે, અને સર્વ ભાવો પ્રત્યે ભગવાન સમભાવને વહન કરનારા હતા માટે તેમનું ચિત્ત શ્રેષ્ઠ હતું, અને “આ મારા ઉપકારી છે એમ વિચારીને સ્વાર્થપરાયણ અને પરને થતા અપકારને નહીં જોનારું દોષવાળું ચિત્ત બોધિસત્ત્વનું હતું, માટે ભગવાન કરતાં બોધિસત્ત્વનું ચિત્ત શ્રેષ્ઠ નથી. રજા અવતરણિકા : ભગવાનનું મહત્વ કઈ અપેક્ષાએ છે, તે શ્લોક-૧ થી ૨૬ સુધી બતાવ્યું. તે અર્થનું નિગમન કરતાં કહે છે – શ્લોક : परार्थमात्ररसिकस्ततोऽनुपकृतोपकृत् । अमूढलक्षो भगवान् महानित्येष मे मतिः ।।२७।। Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જિનમહત્ત્વવાત્રિશિકા/બ્લોક-૨૭ અન્વયાર્થ : તા: તે કારણથી પૂર્વ શ્લોક-૧ થી ૨૬ સુધી વર્ણન કર્યું તે પ્રમાણે ભગવાન મહાન છે, તે કારણથી, અનુવૃતીપત્રકોઈનો જેમના ઉપર ઉપકાર નથી તેવા જીવોના પણ ઉપકાર કરનારા, પરાર્થમાત્રરસિ પરના અર્થમાત્રને નિષ્પન્ન કરવામાં રસવાળા, સમૂહત્નક્ષ =અમૂઢલક્ષ્યવાળા=લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ક્યાંય મોહ ન પામે તેવા મળવા મદા=જૈનદર્શનને અભિમત એવા આ ભગવાન મહાન છે, રૂતિ એ પ્રકારની જે મતિ =મારી મતિ છે. ૨૬ શ્લોકાર્થ : તે કારણથી અનુપકૃતોપકૃત, પરાર્થમાગરસિક, અમૂઢલક્ષ્યવાળા આ ભગવાન મહાન છે, એ પ્રકારની મારી મતિ છે. રછા પરાર્થેદાર સ્ત્રી કુમાર૭ાા૨૮ાારારૂ પારૂાારૂરી ટીકાર્ય : શ્લોક-૨૭ પવાર્થ માત્રરસિ: થી આરંભી છ શ્લોક-૨૭ થી ૩૨ શ્લોક, સુગમ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. ભાવાર્થ :ભગવાનની મહાનતા એ ભગવાનનું સ્વરૂપ : શ્લોક-૧ થી ૨૬ સુધી ભગવાનનું મહત્ત્વ કઈ અપેક્ષાએ છે તે બતાવ્યું. તેથી ભગવાન કેવા પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – ભગવાન વીતરાગ, સર્વજ્ઞ થાય ત્યારપછી ચાર અતિશયવાળા હોય છે : (૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) વચનાતિશય અને (૪) પૂજાતિશય. અનુવૃતોપવૃત્ :- આ ચાર અતિશયવાળા ભગવાન જગતના જીવોના ઉપકાર અર્થે સન્માર્ગની સ્થાપના કરે છે ત્યારે, જે જીવોએ ભગવાન ઉપર કોઈ ઉપકાર કર્યો નથી, એવા જીવોનો પણ ભગવાન ઉપકાર કરનારા થાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૨૭-૨૮ परार्थमात्ररसिकः : ૧૪૯ વળી ભગવાન પરાર્થમાત્રરસિક છે અર્થાત્ પોતાનાથી ભિન્ન એવા જીવોનું હિતમાત્ર કરવાના રસવાળા છે. અમૂલક્ષ: :- વળી ભગવાન અમૂઢલક્ષ્યવાળા છે. તેથી જે જીવો ઉપર પોતાનાથી ઉપકાર થઈ શકે એમ છે, તેવા જીવો ઉપર ઉપકાર કરવામાં સહેજ પણ મોહ પામતા નથી, પરંતુ તેમનો અવશ્ય ઉપકાર કરે છે. તેથી અનુપકૃતઉપકારી, પરાર્થમાત્રરસિક અને અમૂઢલક્ષવાળા એવા આ ભગવાન મહાન છે, એ પ્રકારની મારી મતિ છે=ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની મતિ છે. ||૨|| અવતરણિકા : શ્લોક-૧ થી ૨૭ સુધી ભગવાન કઈ રીતે મહાન છે, તે સ્પષ્ટ કર્યું. આવા મહાન એવા ભગવાનનું સ્મરણ કરવા માટે, તેમનો વાચક શબ્દ ‘અર્દ’ છે. તેથી જે યોગી ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ જાણીને ‘અ’ એ પ્રકારના અક્ષરોને ચિત્તમાં સ્ફુરણ કરે છે, તે યોગીને શું પ્રાપ્ત થાય ? તે બતાવવા અર્થે કહે છે શ્લોક ઃ - अर्हमित्यक्षरं यस्य चित्ते स्फुरति सर्वदा । परं ब्रह्म ततः शब्दब्रह्मणः सोऽधिगच्छति ।। २८ ।। અન્વયાર્થ : યસ્ય ચિત્તે=જેના ચિત્તમાં અમિત્યક્ષદં=‘અર્દ' એ અક્ષર સર્વવા=સદા રતિ= સ્કુરાયમાન થાય છે, સઃ=તે=‘અર્દ'નું ધ્યાન કરનાર સાધક તતઃ બ્રહ્મ: તે શબ્દબ્રહ્મથી પર ત્રા=પરંબ્રહ્મને અધિīતિ=પ્રાપ્ત કરે છે. 112 211 શ્લોકાર્થ ઃ જેના ચિત્તમાં ‘મ' એ અક્ષર સદા સ્કુરાયમાન થાય છે, તે=‘અર્દ'નું ધ્યાન કરનાર સાધક, તે શબ્દબ્રહ્મથી પરંબ્રહ્મને પ્રાપ્ત કરે છે. ||૨૮ાા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભાવાર્થ : પૂર્વમાં વર્ણન કરાયેલા સ્વરૂપવાળા અરિહંત ભગવંતના સ્વરૂપનો વાચક ‘અહં’ શબ્દ છે. જે યોગી પરમાત્માનું આવું સ્વરૂપ જાણીને, આવા પરમાત્માનો વાચક ‘અર્જુ' શબ્દ છે એ પ્રકારનો બોધ કરીને, જે યોગી અરિહંત પ્રત્યે ભક્તિવાળા થાય છે, તેવા યોગી અરિહંતની પ્રાપ્તિના ઉપાયભૂત તેમના વચનને અવલંબીને યોગમાર્ગમાં પ્રવૃત્ત થતા હોય છે. તેવા યોગીઓ કોઈપણ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે અરિહંતોએ જે કહ્યું છે તેનું સ્મરણ કરીને તેમના વચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેવા યોગીઓના ચિત્તમાં ‘ફ્રેં’ એ પ્રકારનો અક્ષર સર્વદા સ્ફુરાયમાન થતો હોય છે અને તે શબ્દની મર્યાદાથી થતા શાબ્દબોધના બળથી તેઓ પરંબ્રહ્મને પ્રાપ્ત કરે છે. જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/બ્લોક-૨૮-૨૯ આશય એ છે કે અરિહંત શબ્દનો જે પારમાર્થિક અર્થ છે તે અર્થનો ‘ફ્રેં’ શબ્દ વાચક છે; અને તે પારમાર્થિક અર્થનો જેમને ‘અદ્ભુ’ શબ્દથી બોધ થયો છે, તેવા યોગીઓ તે શબ્દબ્રહ્મના જાણનારા છે=શબ્દથી વાચ્ય એવા બ્રહ્મના સ્વરૂપને= અરિહંતના સ્વરૂપને જાણનારા છે. આવા યોગીઓ કર્મથી આવરાયેલું પોતાના આત્મામાં રહેલું જે પરંબ્રહ્મ સ્વરૂપ છે, તેને શબ્દબ્રહ્મના અવલંબનથી ઉધાડ કરીને પ્રગટ કરે છે. તેથી શબ્દબ્રહ્મના અવલંબનથી પોતાના આત્મામાં રહેલા પરંબ્રહ્મને તેઓ પ્રાપ્ત કરે છે. II૨૮ા અવતરણિકા : અરિહંતની ઉપાસના વગર પરંબ્રહ્મની અપ્રાપ્તિ છે, તે સ્પષ્ટ કરે છે - શ્લોક ઃ परः सहस्राः शरदां परे योगमुपासताम् । हन्तार्हन्तमनासेव्य गन्तारो न परं पदम् ।।२९ ।। અન્વયાર્થઃ પરે=અન્યદર્શનવાળા પર; સહસ્રા! શરતાં=હજારો વર્ષો સુધી યોગમુપસતામ્= યોગની ઉપાસના કરો, દત્ત ગર્દન્તમનાસેવ્ય=ખેદની વાત છે કે, અરિહંતને સેવ્યા વગર પરં પવ=પરમપદને ત્તારો ન=પ્રાપ્ત કરનારા નથી. ।।૨૯।। Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૯-૩૦ શ્લોકાર્ય : અન્યદર્શનવાળા હજારો વર્ષો સુધી યોગની ઉપાસના કરો, અરિહંતને સેવ્યા વગર પરમપદને પ્રાપ્ત કરનારા નથી. Il૨૯ll ભાવાર્થ મોક્ષના અર્થી એવા યોગીઓ યોગમાર્ગની હજારો વર્ષો સુધી ઉપાસના કરે તોપણ પૂર્વમાં બતાવ્યું એવા સ્વરૂપવાળા અરિહંતની ઉપાસના કર્યા વગર પરમપદને પ્રાપ્ત કરતા નથી. તેથી પરમપદની પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય અરિહંતની ઉપાસના છે. રિલા અવતરણિકા : અરિહંતના ધ્યાનથી જીવ કેમ મોક્ષપદને પામે છે, તે સ્પષ્ટ કરે છે – શ્લોક : आत्मायमर्हतो ध्यानात्परमात्मत्वमश्नुते । रसविद्धं यथा तानं स्वर्णत्वमधिगच्छति ।।३०।। અન્વયાર્થ: મામ્ માત્મા=આ આત્મા=સંસારી આત્મા, મતો ધ્યાના=અરિહંતના ધ્યાનથી પરમમિત્વ=પરમાત્મપણાને નમ્ન પ્રાપ્ત કરે છે, અથા=જેમ રસવિદ્ધ રસથી વિદ્ધ રસથી એકીભાવને પામેલું તા-તાંબું સ્વત્વસુવર્ણપણાને થાતિ=પામે છે. IT૩૦. શ્લોકાર્ધ : સંસારી આત્મા અરિહંતના ધ્યાનથી પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે, જેમ રસથી એકીભાવને પામેલું તાંબું સુવર્ણપણાને પામે છે. Il3oI ભાવાર્થ : અરિહંતનું પારમાર્થિક સ્વરૂપ જાણીને અરિહંતના વચનાનુસાર મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા યોગીઓ અરિહંતભાવમાં તન્મય થાય છે ત્યારે તેઓનો આત્મા અરિહંતના ધ્યાનથી પરમાત્મભાવને પામે છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – જેમ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૩૦-૩૧ રસવિશેષથી અનુવિદ્ધ એવું તાંબું સુવર્ણભાવને પામે છે, તેમ પરમાત્માના ઉત્તમ ભાવોથી ઉપયોગ દ્વારા એકમેક ભાવ પામેલો આત્મા પરમાત્મભાવને પામે છે. [૩૦]I અવતરણિકા : હવે સર્વ કથનના સારરૂપે કહે છે – શ્લોક : पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् । अस्यैव शासने भक्तिः कार्या चेच्चेतनास्ति वः ।।३१।। અન્વયાર્થ: પૂડલં આ પૂજય છે-અરિહંત પૂજ્ય છે, અરવિચં આ સ્મરણીય છે=અરિહંત સ્મરણ કરવા યોગ્ય છે, સેવનીયડયમરિ—િઆ આદરથી સેવનીય છે-અરિહંત આદરથી સેવવા યોગ્ય છે. વે—જો વ=તમારી ચેતનાસ્તિકચેતના હોય તો ચેવ શાસને આના જ શાસનમાં અરિહંતના જ શાસનમાં વિત્ત:=ભક્તિ =કરવી જોઈએ. ૩૧]. શ્લોકાર્ચ - અરિહંત પૂજનીય છે, અરિહંત સ્મરણ કરવા યોગ્ય છે, અરિહંત આદરપૂર્વક સેવવા યોગ્ય છે. જો તમારી ચેતના હોય તો આના જ શાસનમાં ભક્તિ કરવી જોઈએ. ll૧૧II ભાવાર્થ“જિનમહત્ત્વદ્વાચિંશિકા'નો ફલિતાર્થ : જિનનું મહત્ત્વ બતાવ્યા પછી ગ્રંથકારશ્રી આ કાત્રિશિકાના ફલિતાર્થરૂપે કહે છે -- પૂજ્ય શં - આ અરિહંત પૂજ્ય છે અર્થાત્ અરિહંતને અવલંબીને, અરિહંતના મહત્ત્વને ચિત્તમાં ઉપસાવીને, અરિહંતભાવની પ્રાપ્તિ અર્થે, અરિહંતભાવ તરફ જવા માટે ઉપાસના કરવા યોગ્ય ઉત્તમ પુરુષ અરિહંત છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ જિનમહત્ત્વાગિંશિકા/બ્લોક-૩૧-૩૨ ૧પ૩ રમરીયોડ્યું :- આ અરિહંત સ્મરણીય છે અર્થાત્ અરિહંતના ગુણો સદા સ્મરણ કરવા યોગ્ય છે, જેથી ચેતના સદા અરિહંતભાવને અભિમુખ પ્રવૃત્ત રહે. સેવનીયાડ માર:- આ અરિહંત આદરપૂર્વક સેવનીય છે અર્થાત્ ભગવાનના વચનોનું અવલંબન લઈને, તેમને પરતંત્ર થઈને, યોગમાર્ગમાં આદરપૂર્વક યત્ન કરવા જેવો છે, જેથી પરમાત્માની સેવા થાય. ગયેવ શાસને ભવિત વાર્તા રે વેતનતિ વ::- જો તમારી ચેતના હોય તો આના જ અરિહંતના જ, શાસનમાં ભક્તિ કરવી જોઈએ. જો તમારી ચેતના હોય અર્થાત્ તત્ત્વને જાણી શકે અને પરમાર્થનો વિચાર કરી શકે તેવી તમારી ચેતના હોય, તો આ ભગવાનના શાસનમાં ભક્તિ કરવી જોઈએ અર્થાત્ અરિહંતે બતાવેલા શ્રુતમાર્ગનો બોધ કરીને અને શ્રુતાનુસાર પ્રવૃત્તિ કરીને આ શાસનની ભક્તિ કરવી જોઈએ, જેથી અરિહંતની જેમ આપણો આત્મા પણ પરમાત્મભાવને પામે. ll૩૧મા અવતરણિકા : મોક્ષરૂ૫ ફળની પ્રાપ્તિનો અનન્ય ઉપાય શ્રુતજ્ઞાન છે અને એ શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રમાં પણ ભગવાનની ભક્તિ પરમસાર છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ।।३२।। અન્વયાર્થ: ત્રુતાઘેરવાદના=શ્રુતરૂપી સમુદ્રના અવગાહનથી મળ=મારા વડે હત=આ સારમ્ નથં=સાર પ્રાપ્ત કરાયો, પરમાનન્દસંપામ્ વિનં-પરમાનંદસંપત્તિનું બીજ=કારણ માવતી મવિત્ત: ભગવાન સંબંધી ભક્તિ છે=ભગવાનની ભક્તિ છે. ૩૨ા ભાવાર્થ ભગવાને બતાવેલા શ્રતરૂપી સમુદ્રના અવગાહનથી ગ્રંથકારશ્રીને શું સાર પ્રાપ્ત થયો ? તે બતાવે છે – Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જિનમહત્ત્વદ્ધાત્રિશિકાશ્લોક-૩૨ પૂર્વમાં વર્ણન કરાયેલા એવા ભગવાનની ભક્તિ પરમાનંદરૂપ મોક્ષની સંપત્તિની પ્રાપ્તિનું કારણ છે, અને તે ભગવાનની ભક્તિ શ્રાવકને દ્રવ્યસ્તવરૂપ છે અને સાધુને ભાવરૂવરૂપ છે. તે દ્રવ્યસ્તવ પણ પરમાત્માની ભક્તિ કરીને પરમાત્માની આજ્ઞાનુસાર જીવન જીવવાની શક્તિના સંચયની ક્રિયારૂપ છે; અને ભગવાનના વચનાનુસાર જીવન જીવવાની શક્તિનો સંચયવાળા મુનિઓ નિત્ય ભગવાનના વચનનું સ્મરણ કરીને યોગમાર્ગમાં પ્રવૃત્ત હોય છે, તે ભાવસ્તવરૂપ ભક્તિ છે, અને તે પારમાર્થિક ભક્તિ છે; અને આ પારમાર્થિક ભક્તિ પરમાનંદરૂપ મોક્ષપ્રાપ્તિનું કારણ છે. II3શા | તિ નિર્મદત્ત્વત્રિશિલા III Page #178 -------------------------------------------------------------------------- ________________ ‘પૂmોડથં સ્મરણીયોડ્યું, a સેવનીયો મારાત્ | अस्यैव शासने भक्तिः , વેal ચેન્ચેતનાસ્તિ વ: '' “આ અરિહંત પૂજ્ય છે, મરણ કરવા યોગ્ય છે, પરમ આદરથી સેવવા યોગ્ય છે. જો તમારી ચેતના હોય તો આ અરિહંતના જ શાસનમાં=શ્રુતમાર્ગમાં, ભક્તિ કરવી જોઈએ.” : પ્રકાશક : માતાળ ? પ, જૈન મર્ચન્ટ સોસાયટી, સ્નેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. DESIGN BY ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail: gitarthganga@yahoo.co.in WWW.jainel/9824048680