SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ જિનમહત્ત્વાત્રિશિકા/શ્લોક-૧૨ તેથી એ પ્રાપ્ત થાય કે ઈશ્વરમાં રહેલ ધારક પ્રયત્ન ધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી બ્રહ્માંડાદિમાં રહે છે. તેથી ધારક એવો પ્રયત્ન સ્વજનકવૃત્તિધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી અથવા ધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી બ્રહ્માંડાદિમાં પ્રાપ્ત થાય છે, પરંતુ પડતા એવા અન્ય પદાર્થોમાં પ્રાપ્ત થતો નથી; કેમ કે ઈશ્વરની ધારણાની ક્રિયાનો વિષય બ્રહ્માંડાદિ છે, પરંતુ પડતા એવા અન્ય પદાર્થો નથી. તેથી વિષમતાસંબંધથી ધારણા બ્રહ્માંડાદિમાં રહે છે, પડતા એવા અન્ય પદાર્થોમાં નહીં. માટે આ સંબંધથી ઈશ્વરમાં વર્તતો ધારકપ્રયત્ન બ્રહ્માંડાદિમાં પ્રાપ્ત થાય છે, અન્યમાં નહીં. તેથી ઈશ્વરના પ્રયત્નથી અન્ય પદાર્થોની ધૃતિ માનવાનો અતિપ્રસંગ આવશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે -- આ પ્રકારના સંબંધવિશેષથી ઈશ્વરના ધારક પ્રયત્નને બ્રહ્માંડાદિમાં રાખવામાં આવે તો અન્ય પદાર્થોની ધૃતિનો અતિપ્રસંગ આવે નહીં, પરંતુ ઈશ્વરનું જ્ઞાન અને ઈશ્વરની ઇચ્છાને પણ બ્રહ્માંડાદિનાં ધારક સ્વીકારવાં પડે; કેમ કે બ્રહ્માંડાદિને ધારણ કરવા જોઈએ' એ પ્રકારનું ઈશ્વરને જ્ઞાન થયું, ત્યાર પછી બ્રહ્માંડ દિને ધારણ કરવાની ઈશ્વરને ઇચ્છા થઈ, અને ત્યાર પછી બ્રહ્માંડાદિને ધારણ કરવાને અનુકૂળ એવો ધારકપ્રયત્ન ઈશ્વરે કર્યો; અને આ જ્ઞાન, ઇચ્છા અને ધારકપ્રયત્ન, એ ત્રણે વિષયતાસંબંધથી બ્રહ્માંડાદિમાં પ્રાપ્ત થશે, અને તે ત્રણેને બ્રહ્માંડાદિના ધારણ પ્રત્યે કારણ માનવાં પડશે. તેથી બ્રહ્માંડાદિના ધારણ પ્રત્યે ત્રણને કારણ માનવામાં ગૌરવ છે. માટે લાઘવથી જગત્વર્તી જીવોના પુણ્યરૂપ ધર્મને બ્રહ્માંડાદિનો ધારક માનવો ઉચિત છે. અહીં વિશેષ એ છે કે પૂર્વે ત્રણ વિકલ્પો પાડીને તે ત્રણેમાં અતિપ્રસંગ બતાવ્યો. ત્યાં ત્રીજો વિકલ્પ ધારણાવચ્છિન્ન ઈશ્વરના પ્રયત્નને બ્રહ્માંડાદિનો ધારક સ્વીકારીએ તો અતિપ્રસંગદોષ પ્રાપ્ત થાય છે, તેમ કહ્યું, કેમ કે ધારણાની ક્રિયાથી અવચ્છિન્ન એવો ઈશ્વરનો પ્રયત્ન ઈશ્વરના આત્મામાં છે, અને ઈશ્વર સર્વવ્યાપી છે, તેથી ધારણાવચ્છિન્ન એવો ઈશ્વરનો પ્રયત્ન સર્વ પદાર્થોનો ધારક બને તેમ સ્વીકારવું પડે; અને જ્યારે સ્વજનવૃત્તિધારણાવચ્છિન્ન- વિશેષ્યતાસંબંધથી ધારક પ્રયત્નને ઈશ્વરના ધારકપ્રયત્નને, બ્રહ્માંડાદિમાં રાખ્યો ત્યારે ઈશ્વરનો પ્રયત્ન સમવાયસંબંધથી ઈશ્વરમાં હોવા છતાં ધારણાનો વિષય બ્રહ્માંડાદિ હોવાથી વિષમતાસંબંધથી ઈશ્વરનો ધારકપ્રયત્ન બ્રહ્માંડાદિમાં પ્રાપ્ત થયો. માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004664
Book TitleJina Mahattva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy