SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ co જિનમહત્ત્વદ્રાસિંશિકા/શ્લોક-૧૨-૧૩ નાશ કર્યો છે, માટે ઈશ્વર મહાન છે; કેમ કે ઈશ્વરે સર્વ દોષોનો નાશ કર્યો ત્યારથી માંડીને શાશ્વતકાળ તેમનામાં જ્ઞાન છે અને શાશ્વતકાળ સુધી તેમને સુખ છે. તેથી જે સાધક દોષોનો ધ્વંસ કરે તેને નિત્યજ્ઞાન અને નિત્યસુખની પ્રાપ્તિ થાય છે, માટે તે મહાન છે, આ પ્રકારનો બોધ નિત્યવિજ્ઞાન અને નિત્ય આનંદને બતાવનાર શ્રુતિથી થાય છે. ધૃતિ આદિના બળથી જગતના કર્તા ઈશ્વર સિદ્ધ કરી શકાય નહીં, તેનો વિચાર ‘સ્યાદ્વાદકલ્પલતાદિમાં ઘણો છે. અહીં તો દિશા બતાવવા પૂરતું થોડું કથન છે. I૧રના અવતરણિકા : શ્લોક-૧ થી ૬ સુધીમાં યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાનનું અંતરંગ ગુણસંપત્તિથી મહાતપણું છે, વિશિષ્ટ બાહ્ય સંપદાથી મહાનપણું છે અને સ્વભાવભેદને કારણે પણ મહાતપણું છે. ત્યાં તૈયાયિકે શંકા કરી કે ‘ભગવાનમાં નિત્યનિર્દોષતા નથી, માટે ભગવાન મહાન નથી' તેનું નિરાકરણ શ્લોક-૭ થી ૯ સુધી કરીને સ્થાપન કર્યું કે ભગવાને સાધના કરીને દોષોનો નાશ કર્યો છે, માટે ભગવાન મહાન છે. વળી તૈયાયિક ઈશ્વરને જગત્કર્તા માને છે અને વીતરાગ જગત્કર્તા નથી માટે મહાન નથી,' એમ કહે છે. તેનું નિરાકરણ શ્લોક-૧૦ થી ૧૨ સુધી કરીને સ્થાપન કર્યું કે ‘ભગવાન જગતના કર્તા નથી અને વીતરાગ છે માટે મહાન છે.” વળી ‘ભગવાનના પરિમિત દાનના કારણે ભગવાન મહાન નથી' તેમ બોદ્ધ કહે છે. ગ્રંથકારશ્રી શ્લોક-૧૩-૧૪ થી તે બતાવવાપૂર્વક તેનું નિરાકરણ કરે છે - શ્લોક : अन्ये त्वाहुमहत्त्वं हि सङ्ख्यावद्दानतोऽस्य न । शास्त्रे नो गीयते ह्येतदसङ्ख्यं त्रिजगद्गुरोः ।।१३।। અન્વયાર્થ: અને તુ=અન્ય વળી બોદ્ધ વળી નાદુ =કહે છે સહ્યાવિદ્દાનત =સંખ્યાવાળું દાન હોવાને કારણે આમનું ભગવાનનું મહત્ત્વ ન=મહત્ત્વ નથી, દિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004664
Book TitleJina Mahattva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy