SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૦ આશય એ છે કે દંડત્વેન ઘટવેન કાર્યકારણભાવ મનાય છે, તે સ્થાનમાં, જો કોઈ કહે કે ઘટના કારણરૂપ જે દંડ છે, તે સર્વ દંડોમાં જેમ દંડત્વ છે, તેમ દ્રવ્યત્વ પણ છે. તેથી સર્વ દંડનિષ્ઠદ્રવ્યત્વેન ઘટવૅન કાર્યકારણભાવ માનીએ તો કોઈ દોષ નથી; તે સ્થાનમાં વિચારકો યુક્તિ આપીને કહે કે આ રીતે દંડનિષ્ઠદ્રવ્યત્વેન ઘટવૅન કાર્યકારણભાવ સ્વીકારવામાં આવે તો કાર્યનિયતપૂર્વવર્તી દ્રવ્યત્વરૂપે દંડ પ્રાપ્ત થાય છે, તોપણ દ્રવ્યત્વેને દંડને ઘટ પ્રત્યે કારણ સ્વીકારવામાં આવતો નથી, પરંતુ દંડત્વરૂપ વ્યાપ્યધર્મ દ્વારા દ્રવ્યત્વરૂપ વ્યાપકધર્મને અન્યથાસિદ્ધ સ્વીકારવામાં આવે છે. તેથી દંડવાવચ્છિન્ન દંડની ઘટ પ્રતિ કારણતા સ્વીકારવામાં આવે છે, પરંતુ દ્રવ્યવાવચ્છિન્ન દંડની ઘટ પ્રતિ કારણતા સ્વીકારવામાં આવતી નથી. માટે ઘટરૂપ કાર્ય પ્રત્યે દ્રવ્યત્વેન દંડ અન્યથાસિદ્ધ છે. માટે દંડમાં રહેલ દ્રવ્યત્વરૂપ વ્યાપકધર્મ કારણતા અવચ્છેદક નથી. તેમ પ્રસ્તુતમાં પણ ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્ત એવી વ્યાપ્ય જાતિરૂપ ધર્મ વડે કાર્યમાત્રમાં રહેલ એવા વ્યાપકધર્મને અન્યથાસિદ્ધ સ્વીકારવામાં આવે છે. માટે કાર્યમાત્રમાં રહેલ કાર્યત્વજાતિ કર્તુજન્યતા અવચ્છેદક નથી. તેથી તદવચ્છિન્નમાં જ=વ્યાપ્ય જાતિ અવચ્છિન્નમાં જ=ક્ષિતિમેરુ આદિથી વ્યાવૃત્ત એવી જાતિવિશેષથી અવચ્છિન્ન એવા કાર્યવિશેષમાં જ, કર્તુપણા વડે હેતુપણું છે. ટીકા : पृथिवीत्वादिना सांकर्यानायं विशेष इति चेन्न, उपाधिसांकर्यस्येव जातिसांकर्यस्याप्यदूषणत्वस्य त्वदीयैरेव व्यवस्थापितत्वात्, कार्यत्वस्य कालिकसंबन्धेन घटत्वपटत्वादिमत्त्वरूपस्य नानात्वात् कृत्यव्यवहितोत्तरत्वस्य परंपरासंबन्धेन कृतित्वस्यैव वा कर्तृजन्यतावच्छेदकत्वौचित्याच्च ।।१०।। ટીકાર્ય : પૃથિવીત્યાદ્ધિના ... વોધિત્વીષ્ય | પૃથિવીવાદિની સાથે સાંકર્યું હોવાને કારણે આ વિશેષ નથી ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ નથી, એ પ્રમાણે તૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી કહે છે ને તારી વાત બરાબર નથી; કેમ કે ઉપાધિસાંકર્ષની જેમ જાતિસાંકર્યતા પણ અદૂષણપણાનું તમારા એવા નવ્યયાયિકો વડે વ્યવસ્થાપિતપણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004664
Book TitleJina Mahattva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy