SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨ ૮૭ ષ વિસ્તર:=આ વિસ્તાર=બ્રહ્માંડાદિની કૃતિ જગત્કર્તાની સિદ્ધિ કરનાર નથી એ વિસ્તાર, અન્યત્ર=સ્યાદ્વાદ કલ્પલતાદિમાં છે. વળી દિગ્માત્ર પ્રદર્શન આ=પ્રસ્તુત શ્લોકમાં બતાવ્યું એ છે, એ પ્રમાણે જાણવું. ।।૧૨।। • ‘કૃતિત્વાદ્યવચ્છિન્ને’ અહીં ‘વિ’ થી ઇચ્છાનું ગ્રહણ કરવું. ‘રૂવ્ઝાવેર્હતુત્વાત્’ અહીં ‘વિ’ થી જ્ઞાનનું ગ્રહણ કરવું. * 'નિત્યનૃત્યાને' અહીં ‘વિ' થી નિત્યઇચ્છાનું ગ્રહણ કરવું. ‘તમુહસ્થાપિ’ અહીં ‘પ’ થી એ કહેવું છે કે ફલમુખ ન હોય તેવું ગૌરવ તો દોષરૂપ છે, પરંતુ ફલમુખ એવું પણ ગૌરવ કોઈક સ્થાને દોષરૂપ છે. ‘નિત્યજ્ઞાનસિદ્ધાર્વાપ’. અહીં ‘પિ’ થી એ કહેવું છે કે નિત્યજ્ઞાનની સિદ્ધિ ન હોય તોપણ નિત્યઇચ્છા અને નિત્યકૃતિની અસિદ્ધિ છે, પરંતુ પ્રસ્તુત શ્રુતિથી નિત્યજ્ઞાનની સિદ્ધિ હોવા છતાં પણ નિત્યઇચ્છા અને નિત્યકૃતિની અસિદ્ધિ છે. ‘નિત્યસુવાપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ઉક્ત શ્રુતિથી નિત્યજ્ઞાનની સિદ્ધિ તો ઈશ્વરમાં છે, પરંતુ નિત્યસુખની પણ ઈશ્વરમાં સિદ્ધિ થાય છે. ‘૩ક્તશ્રુતિરપિ’ અહીં પિ' થી એ કહેવું છે કે સર્વજ્ઞનું વચન તો નિત્યજ્ઞાન અને નિત્યસુખના આશ્રયપણા વડે ધ્વસ્તદોષરૂપે ઈશ્વરનું મહત્ત્વ જણાવે છે, પરંતુ ઉક્ત શ્રુતિ પણ નિત્યજ્ઞાન અને નિત્યસુખના આશ્રયપણા વડે સ્તદોષરૂપે ઈશ્વરનું મહત્ત્વ બતાવે છે. નોંધ :- અહીં ધૃતિ શબ્દથી પડતા પદાર્થોને પડતાં અટકાવે તેવો સંયોગ ગ્રહણ કરવો, ‘ધારણા’ શબ્દથી ધારણ કરનાર વ્યક્તિમાં વર્તતી ક્રિયા ગ્રહણ કરવી અને ‘ધારકપ્રયત્ન’ શબ્દથી ધારણા કરનાર ઈશ્વરમાં વર્તતો વીર્યવ્યાપાર ગ્રહણ કરવો. ભાવાર્થ : બ્રહ્માંડાદિની ધૃતિ આદિને કા૨ણે ઈશ્વર જગતના કર્તા છે એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, તેમ પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું. તેને દઢ કરવા માટે અન્ય રીતે પણ ધૃતિ આદિથી ઈશ્વરને જગતના કર્તા સ્વીકારી શકાય નહીં, તે બતાવે છે. કૃતિપણાથી કૃતિ જન્ય છે અર્થાત્ ધૃતિ એ કૃતિ હોવાથી જન્ય છે, તેથી નિત્ય નથી. માટે બ્રહ્માંડાદિને ધારણ કરનાર નિત્ય એવા ઈશ્વરને બ્રહ્માંડાદિની ધૃતિ આદિના બળથી જગતના કર્તા સ્વીકારી શકાય નહિ; કેમ કે કૃતિ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004664
Book TitleJina Mahattva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy