SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૯ ૧૧૯ અવતરણિકા : ननु पित्रुकेंगे परिणामस्तावन्नास्त्येव मुमुक्षोरनिष्टनिमित्ततापरिहारस्तु सर्वत्र दुःशक इत्यत आह - અવતરણિકાર્ચ - નનુ' થી શંકા કરતાં કહે છે – મુમુક્ષુને=સંયમ લેનારને, માતાપિતાના ઉગમાં=માતાપિતાને ઉદ્વેગ કરાવવામાં, પરિણામ નથી જ. વળી અનિષ્ટ નિમિત્તતાનો પરિહાર=માતાપિતાને ઉદ્વેગ થાય એ રૂપ અનિષ્ટમાં પોતાની પ્રવ્રયા નિમિત્ત બને તેનો પરિહાર, સર્વત્ર=સર્વ પ્રવ્રજ્યા લેનારમાં, દુશક છે અશક્ય છે. આથી ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે ભગવાને અભિગ્રહ ગ્રહણ કરીને બીજાઓને પણ માતાપિતાના ઉદ્વેગના પરિહાર માટેની મર્યાદા બતાવી છે. ત્યાં શંકા કરતાં કહે છે કે દીક્ષા લેનારને માતાપિતાને ઉદ્દેગ ઉત્પન્ન કરાવવાનો પરિણામ નથી, પરંતુ “સંયમ ગ્રહણ કરીને હું મોહનો ઉચ્છેદ કરું' એવો અધ્યવસાય છે; છતાં પોતાના સંયમના નિમિત્તને પામીને માતાપિતાને ઉદ્વેગ થતો હોય, તેમાં પોતાની સંયમની પ્રવૃત્તિ નિમિત્ત બનતી હોય, તો તેનો પરિહાર કરવો સર્વત્ર દુષ્કર છે. તેથી જો તેના પરિવાર માટે મુમુક્ષુ સંયમ ગ્રહણ ન કરે તો આત્મકલ્યાણ સાધી શકે નહીં. તેથી સંયમ ગ્રહણ કરનારને શું કરવું ઉચિત છે કે જેથી તેની આત્મકલ્યાણની પ્રવૃત્તિને બાધ થાય નહીં ? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : तत्खेदरक्षणोपायाप्रवृत्तौ न कृतज्ञता । त्यागोऽप्यबोधे न त्यागो यथा ग्लानौषधार्थिनः ।।१९।। અન્વયાર્થ: તવે રક્ષrોપાયાપ્રવૃત્તો તેમના ખેદરક્ષણના ઉપાયની અપ્રવૃત્તિમાં= માતાપિતાના ખેદરક્ષણના ઉપાયની અપ્રવૃત્તિમાં કૃતજ્ઞતા ર= કૃતજ્ઞતા નથી. વો=અબોધ હોતે છતે=માતાપિતાના ખેદરક્ષણ માટે દીક્ષાર્થી દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004664
Book TitleJina Mahattva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy