________________
ઉદાર આત્મા, દાન લેનારની જરૂરીઆતને જેટલી અગત્ય આપે છે, તેનાથી અનેક ગણી અધિક અગત્ય પિતાને આપવાની માને છે. દાન નહિ દેવાથી સામાનું કાર્ય બગડી જવાને ભય તેને તેટલો લાગતું નથી, જેટલે ભય દાન નહિ આપવાથી પિતાનું બગડી જવાને ભય તેને લાગે છે.
અથવા આપીને કેટલું આપ્યું, તે ગણવાની વૃત્તિ કરતાં, કેટલું નથી આપ્યું, તે ગણવાની વૃત્તિ જ જેના હૃદયમાં સદા રમ્યા કરતી હોય છે, એ ઔદાર્ય ગુણનું લક્ષણ છે અને એ જાતનું ઔદાર્ય એ ઘમ વૃક્ષને પ્રથમ અંકુરો છે. ધર્મ આત્મામાં પરિણામ પામ્યો છે કે નહિ, તે જાણવાનું એ પ્રથમ લક્ષણ કે ચિન્હ છે.
બીજું લક્ષણ દાક્ષિણ્ય છે.
કેઈની પણ પ્રેરણા વિના થતું દાન, એ ઔદાર્ય ગુણ ગણાય છે અને કેઈની પણ પ્રેરણું કે યાચના બાદ થનાર દાન, એ દાક્ષિણ્ય છે. બીજા શબ્દોમાં કેઈની પણ માંગણીને છતી શક્તિએ નકારતાં સંકેચ થવે, એ દાક્ષિણ્ય છે.
દાક્ષિણ્ય વિનાનું ઔદાર્ય એ સુવાસ વગરના ફૂલ જેવું છે કે સર વિનાના કૂપ જેવું છે. સુંદર પણ પુષ્પ, સુવાસ વિનાનું હોય, તો તેને કેાઈ સેવતું નથી કે જળથી ભરપૂર પણ કૂવો સરવાણી વિનાને હોય તો અંતે સુકાઈ જાય છે, તેમ યાચનાને ભંગ નહિ કરવા રૂપ દાક્ષિણ્ય
જેન તત્ત્વ રહસ્ય
[
૫