Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 119
________________ ૧૦) જૈન તર્કભાષા भावप्रतीतिदर्शनादिति । अयं च तर्कः सम्बन्धप्रतीत्यन्तरनिरपेक्ष एव स्वयोग्यतासामार्थ्यास्वविषयसम्बन्धबोधपूर्वकं प्रवर्तमानत्वादनवस्थापत्तेः । अथाप्रतिपनसम्बन्ध एव तर्कः सर्वविषयज्ञानावरणवीर्यान्तरायक्षयोपशमविशेषात् स्वविषयमेव बोधयति । तर्हि तत एवानुमानमप्यप्रतिपन्नसम्बन्धमेव स्वगोचरमवभासयतु । कृतं तत्प्रतिपत्तिनिमित्ततर्कप्रमाणपरिकल्पनेनेति कश्चित् । सोऽपि यदि प्रामाणिकस्तर्हि तस्यापि प्रत्यक्ष स्वविषयमवबोधयत् सम्बद्धमेवावबोधयेन्नासम्बद्धम्, अतिप्रसङ्गात् । तत्सम्बन्धश्च नानुमानादेः सिद्ध्यति, अनवस्थानुषङ्गात् । नापि प्रत्यक्षान्तरात्, अनवस्थानुषङ्गादेवेत्यादि सकलं प्रत्यक्षेऽपि समानम् । अथ न प्रत्यक्षं स्वविषयसम्बन्धावबोधनिबन्धनं तत्र प्रवर्तते तस्य स्वविषये स्वयोग्यताबलादेव प्रवृत्तिरिति चेत्, तर्हि तथा तर्कस्यापि स्वयोग्यताविशेषसामर्थ्यादेव स्वविषयप्रत्यायनसिद्धिर्भवतु । तदेवाह 'अयं च तर्क' इत्यादिना સળંગ વાક્ય પોતાના મગજમાં બેસાડે – “ઘટ સાથે. તાત્પર્ય એ છે કે એક એક વર્ણના શ્રવણ દ્વારા સંસ્કાર પડે છે અને ઉત્તરોત્તર વર્ણશ્રવણ થતા પૂર્વ પૂર્વના સંસ્કારથી તેનું સ્મરણ થાય છે અને ફલત: આખો શબ્દબોધ વાક્યબોધ થાય છે. દા.ત. વ્યવહારમાં જોઈએ તો કોઈ વ્યક્તિ પોતાનું નામ બીજાને જણાવે છે. - “છગનલાલ મગનલાલ ગાંધી”. પેલો સાંભળે છે. “મગનલાલ પદ સાંભળતી વખતે પૂર્વશ્રુત “છગનલાલ' પદનું સ્મરણ કરે છે. “ગાંધી' પદ સાંભળતા પૂર્વકૃત “છગનલાલ મગનલાલ” બન્ને પદોનું સ્મરણ કરે છે અને પછી “છગનલાલ મગનલાલ ગાંધી” એ રીતે સંપૂર્ણ નામ પ્રતીત થાય છે. જો આવું ન માનો તો “ગાંધી’ પદ સાંભળતી વખતે “છગનલાલ” અને “મગનલાલ પદનું શ્રવણ તો થતું નથી તો પછી સંપૂર્ણ નામની પ્રતીતિ શી રીતે થાય ? આ જ રીતે શબ્દના પ્રત્યેક અક્ષરમાં પણ થાય છે. સૌ પ્રથમ “છ” નું શ્રવણ, પછી “ગ'નું શ્રવણ અને “છ”નું સ્મરણ, તે પછી “ન'નું શ્રવણ અને “છ-ગ'નું સ્મરણ... આ ક્રમથી છગનલાલ' એવા સંપૂર્ણ શબ્દનો બોધ થાય. આ જ ક્રમથી અનેક શબ્દોવાળા વાક્યોનો સળંગ બોધ થાય. તાત્પર્યઃ પૂર્વ-પૂર્વના વર્ગો (=અક્ષરો =શબ્દના અવયવ)ના શ્રવણથી આત્મામાં સંસ્કાર પડે છે, અંત્ય વર્ણના શ્રવણ પછી પૂર્વ અવયવોનું સ્મરણ થાય અને હૃસ્વ વગેરે વર્ણના પ્રકારના સંકેતનું પણ સ્મરણ થાય કે “આ વર્ણ હૃસ્વ છે” (અથવા દીર્ઘ છે અથવા પ્લત છે) આ રીતે વર્ણવિષયક સ્મરણ થાય. પછી પૂર્વ-પૂર્વના વર્ણશ્રવણથી પણ સંસ્કાર પડ્યા હોય છે તેથી તે પુરુષને ક્રમશઃ પૂર્વવર્ણોનું સ્મરણ થાય અને પદવિષયક સંકેતનું સ્મરણ પણ થાય કે આ “સુબજો’ પદ (=નામપદ) છે અથવા આ “સિડન્ત’ પદ (= ક્રિયાપદ) છે. એવું પદવિષયકજ્ઞાન થશે. પછી પૂર્વપૂર્વપદોના શ્રવણથી પણ સંસ્કાર પડ્યા હોવાથી અંત્યપદના શ્રવણ પછી તેને દરેક પદોનું ક્રમશઃ સ્મરણ થશે અને વાક્યવિષયક સંકેતનું સ્મરણ થશે કે શબ્દોના સમૂહને વાક્ય કહેવાય છે.” પછી તેને “આ વાક્ય છે એવું વાક્યવિષયક જ્ઞાન થશે. આ પ્રક્રિયા જણાવી. હવે પાછા પ્રસ્તુતમાં આવીએ કે આ રીતે વર્ણ-પદ-વાક્યવિષયક જ્ઞાન થવાથી પ્રયોજયવૃદ્ધને વર્ણ-પદ-વાક્યનો શાબ્દબોધ થશે અને પછી તે તદનુસાર ચેષ્ટા કરે છે. પ્રયોવૃદ્ધની આવી ચેષ્ટા જોઈને ત્રાહિત વ્યક્તિ (= બાલવ્યક્તિ) વિચારે છે કે ““પ્રયોજકવૃદ્ધ શબ્દો ઉચ્ચાર્યા પછી તરત આ (= પ્રયોજયવૃદ્ધ) પ્રવૃત્ત થયો છે માટે નક્કી આ શબ્દો દ્વારા જ તેણે કંઈક જાણી લીધું અને તરત તદનુસાર પ્રવૃત્તિ કરી.” એટલે “પ્રયોજયવૃદ્ધની પ્રવૃત્તિ તેના જ્ઞાનપૂર્વક હતી, અને તેને જ્ઞાન જે થયું તે પ્રયોજક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276