________________
પ્રમાણપરિચ્છેદ
૧૧૭
ननु हेतुना साध्यमनुमातव्यम् । तत्र किं लक्षणं साध्यमिति चेत्; उच्यते-अप्रतीतमनिराकृतमभीप्सितं च साध्यम् । शङ्कितविपरीतानध्यवसितवस्तूनां साध्यताप्रतिपत्त्यर्थमप्रतीतमिति विशेषणम् । प्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसाङ्क्षीदित्यनिराकृतग्रहणम् । अनभिमत___‘अप्रतीतमि'त्यादि - एतानि चाप्रतीतादीनि साध्यविशेषणानि स्वार्थानुमानेऽनुमात्रापेक्षयैव सम्भवन्ति, तत्र वादिप्रतिवादिव्यवस्थाया असम्भवात् । परार्थानुमाने तु तत्सम्भवेनाप्रतीतमिति विशेषणं प्रतिवाद्यपेक्षया, न पुनर्वाद्यपेक्षया, तस्यार्थस्वरूपप्रतिपादकतयाऽप्रतीतत्वासम्भवात्, अन्यथा वादित्वव्याहतेः । प्रतिवादिनस्तु तदवश्यमप्रतीतमेष्टव्यमन्यथा सिद्धसाधनदोषप्रसङ्गात् । अभीप्सितमिति तु परार्थानुमानापेक्षयैव, अन्यथा घनगर्जनश्रवणात्, आकाशे जायमानं मेघानुमानं कथं सङ्गच्छेत् ? तत्र मेघस्य इच्छयाऽविषयीकृतથયા.) મિત્રાપુત્ર હોવા માત્રથી શ્યામ નહોતા. ચોથા પુત્રમાં શાકપાકજન્યત્વ ન હોવાથી શ્યામત્વ ન આવ્યું. અહીં શાકપાકજન્યત્વમાં ઉપાધિત્વ આ રીતે ઘટે છે. જ્યાં જ્યાં શ્યામત્વ છે ત્યાં ત્યાં શાકપાકજન્યત્વ છે તેથી એ સાધ્ય (શ્યામત્વ) ને વ્યાપક છે. પરંતુ જ્યાં જયાં મિત્રપુત્રત્વ છે ત્યાં બધે શાકપાકજન્યત્વ નથી કારણ કે મિત્રાપુત્રત્વ તો ચોથા પુત્રમાં પણ છે અને ત્યાં શાકપાકજન્યત્વ નથી તેથી શાકપાકજન્યત્વ હેતુ (= મિત્રાપુત્રત્વ) ને અવ્યાપક છે. આમ, શાકપાકજન્યત્વમાં ઉપાધિનું લક્ષણ ઘટે છે. આ ઉપાધિને નૈયાયિક સ્વતંત્ર હેત્વાભાસ નથી માનતો કિન્તુ વ્યભિચાર દોષનું અનુમાન કરાવી આપનાર તરીકે તેને દોષરૂપ માને છે. ઉપાધિથી હેતુમાં વ્યભિચાર દોષનું અનુમાન આ રીતે થાય – “તપુત્રત્વે મિત્વવ્યfમવારિ શછિપાવનન્યત્વવ્યમવરિત્રાત્' તપુત્રત્વ હેતુ, શ્યામવરૂપ સાધ્યને વ્યભિચારી છે કારણ તે હેતુ મિત્રાના ચોથા પુત્રમાં શાકપાકજન્યત્વને વ્યભિચારી છે. આમ, સ્વતંત્ર હેત્વાભાસ ન હોવા છતાં વ્યભિચારોભાવક હોવાથી તે દોષરૂપ છે. આ પ્રાચીન નૈયાયિકોનો મત છે. નવ્યર્નયાયિકોના મતે ઉપાધિયુક્ત હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. અહીં ગ્રન્થકારે સોપાધિક એવા “તત્યુત્રત્વ' હેતુને જે હેત્વાભાસ કહ્યો છે તે નવ્યમતની અપેક્ષાએ જણાય છે.)
* સાધ્યના સ્વરૂપનું નિરૂપણ પ્રશ્ન : હેતુ દ્વારા સાધ્યનું અનુમાન કરવું એમ કહ્યું તો ખરું ! પણ, જેમ તમે હેતુનું સ્વરૂપ જણાવ્યું તે રીતે સાધ્યનું સ્વરૂપ તો જણાવ્યું નહીં.
ઉત્તરઃ જણાવાય છે. જે અનિશ્ચિત હોય, પ્રમાણથી અબાધિત હોય અને જેને સિદ્ધ કરવાની ઈચ્છા હોય તેને સાધ્ય કહેવાય. સાધ્યના આ લક્ષણનું પદકૃત્ય કરે છે - શંક્તિ - વિપરીત અને અનધ્યવસિત વસ્તુનો પણ સાધ્યકોટિમાં સમાવેશ થઈ શકે એ હેતુથી “પ્રતીતમ્' વિશેષણ મૂક્યું છે. કોઈને એવો સંશય પડે કે “પર્વત ઉપર વહિં હશે કે નહીં ?” એને માટે વલિ, શંકાનો વિષય હોવાથી અપ્રતીત છે. કોઈ બ્રાન્ત માણસ, પર્વત પર વતિ વિદ્યમાન હોવા છતા તેને અવિદ્યમાન સ્વીકારતો હોય તો તેને માટે વહ્નિ એ વિપર્યયનો વિષય હોવાથી અપ્રતીત છે. (અર્થાત્, તેને માટે વહ્મયભાવ પ્રતીત છે, વહ્નિ તો અપ્રતીત જ છે.) કોઈ માણસ માત્ર એટલું જ જાણતો હોય કે પર્વત પર કંઈક છે, તેને માટે વહ્નિ અનધ્યવસાયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org