Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अहिंसादिधर्मसाधनग्राहकं हि प्रमाणं परेषां षष्ठितन्त्रादिकं स्वस्वशास्त्रमेव तत्र चाहिंसादिग्रहणांशे सर्वतन्त्रप्रसिद्धत्वेन न कदापि संशयस्तद्विशेषांशे तु भवन्नयमनुकूल एव, न चैकांशे शङ्कितप्रामाण्यज्ञानमितरांशस्याप्यनिश्चायकमिति युक्तं, घटपटसमूहालम्बनाद् घटांशे प्रामाण्यसंशये पटस्याप्यनिश्चयापत्तेरित्या
शयवानाह
પ્રકારાંતરથી ‘લક્ષણ અનુપયોગી છે' તે જણાવાય છે. આશય એ છે કે અહિંસાદિ સ્વરૂપ ધર્મના સાધનને જણાવનાર પ્રમાણ, બીજા દર્શનકારોના માટે ષષ્ટિતંત્ર વગેરે પોતપોતાનાં શાસ્ર જ છે. તે શાસ્ત્રમાં જે અહિંસાદિ જણાવ્યા છે તે ધર્મસાધનો સર્વદર્શનોના શાસ્ત્રમાં વર્ણવેલાં હોવાથી તે અંગે ક્યારે પણ સંશય થવાનું કોઇ જ કારણ નથી. તેના વિશેષ સ્વરૂપમાં એટલે કે તે અહિંસાદિ ધર્મસાધનો બરાબર છે કે નહિ ? તે તે દર્શનમાં તે સંગત છે કે નહિ ?... ઇત્યાદિ વિષયમાં સંશય થઇ શકે છે. પરંતુ આવો સંશય થાય એ તો પરમાર્થના નિર્ણય માટે અનુકૂળ જ છે. યદ્યપિ અન્યદર્શનકારોએ આત્માદિને એકાંતે નિત્ય, અપરિણામી અને સ્થિરૈકસ્વભાવી વગેરે સ્વરૂપે વર્ણવ્યા છે. તેના અપ્રામાણ્યનો નિશ્ચય થવાથી તત્સહચરિત અહિંસાદિ ધર્મસાધનોમાં પણ અપ્રામાણ્યનો સંશય વગેરે થવાથી તેની યથાર્થતાનો નિર્ણય નહીં થાય. પરંતુ આ રીતે એક અંશ(એકાંતનિત્યત્વાદિ અંશ)માં પ્રામાણ્યની શંકા વગેરે પડે તેથી ઇતરાંશ(ધર્મસાધનભૂત અહિંસા વગેરે)માં પણ શંકા વગેરે પડે અને તેથી તેનો નિશ્ચય ન થાય : એ કહેવાનું યુક્ત નથી. અન્યથા એક અંશના સંશયાદિથી તેના બીજા અંશનો નિર્ણય ન થાય - એમ માની લેવામાં આવે તો ઘટપટના સમૂહાલંબનજ્ઞાનથી જ્યારે તેના અંશભૂત ઘટના પ્રામાણ્યમાં સંશય વગેરે હોય ત્યારે તેના અપરાંશ પટનો પણ નિર્ણય ન થવાનો પ્રસંગ આવશે... આ આશયને લઇને જણાવાય છે—
अर्थयाथात्म्यशंका तु तत्त्वज्ञानोपयोगिनी । शुद्धार्थस्थापकत्वं च तन्त्रं सद्दर्शनग्रहे ॥८-१४ ॥
अर्थेति—अर्थस्याहिंसादेर्याथात्म्यस्य स्वतन्त्रप्रसिद्धनित्याश्रयवृत्तित्वानित्याश्रयवृत्तित्वादेः शङ्का तु विचारप्रवृत्त्या तत्त्वज्ञानोपयोगिनी । ततश्च प्रतीयमानं शुद्धार्थस्य सर्वथा शुद्धविषयस्य व्यवस्थापकत्वं [स्थापकत्वं] प्रमितिजनकत्वं । सद्दर्शनस्य शोभनागमस्य ग्रहे स्वीकारे । तन्त्रं प्रयोजकं । तद्ग्रहे च तत एव धर्मसाधनोपलम्भात् किं लक्षणेनेति भावः ।।८-१४।।
“અર્થના યથાર્થ સ્વરૂપની શંકા તો તત્ત્વજ્ઞાન માટે ઉપયોગિની બને છે. શુદ્ધ અર્થના યથાર્થજ્ઞાનનું જે જનક છે; તે સદ્દર્શનના સ્વીકાર માટે પ્રયોજક બને છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ષષ્ટિતંત્રાદિ શાસ્ત્રોમાં સામાન્યથી સર્વજનપ્રસિદ્ધ ધર્મસાધનભૂત અહિંસાદિનું નિરૂપણ કર્યું છે. સાથે સાથે આત્માદિ પદાર્થોનું પણ નિરૂપણ કર્યું
વાદ બત્રીશી
૨૦