Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કેવલવ્યતિરેકી જ લક્ષણ હોય છે - આ વાતનો અહીં આદર કરાયો નથી. આ વિષયમાં અધિક વર્ણન અન્યત્ર કર્યું છે. એ જાણવાની ઇચ્છાવાળાએ ત્યાંથી જાણી લેવું જોઇએ.
વસ્તુતઃ ધર્મવાદમાં લક્ષણનો કોઈ ઉપયોગ નથી. સર્વત્ર પ્રમાણલક્ષણના ઉપયોગના નિષેધમાં અહીં તાત્પર્ય નથી. કારણ કે અસગ્રહની નિવૃત્તિ માટે ધર્મવાદ છે. પ્રમાણના લક્ષણ વિના પણ અસદ્ગહની નિવૃત્તિ થઈ જતી હોય છે. ષષ્ટિમંત્રાદિ પોતપોતાના શાસ્ત્રમાં જણાવેલા અહિંસાદિની વ્યવસ્થા કરતી વખતે તે તે શાસ્ત્રોમાં તેની સાથે વર્ણવેલા એકાંતનિત્યત્વ, પરિણામિત્વ કે ભિન્નત્વાદિ જે બીજા ધર્મો છે તે સંગત છે કે અસંગત છેઇત્યાદિ સંશયના કારણે અને તે તે ધર્મના કારણે તે તે શાસ્ત્રનિરૂપિત અહિંસાદિ ધર્મોની વ્યવસ્થા કઈ રીતે સંગત થાય... ઇત્યાદિ જિજ્ઞાસાના કારણે જે વિચારણા થાય છે તેનાથી અસહ્વાહની નિવૃત્તિ માટે ઉપયોગી એવા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જેથી અહિંસાદિ ધર્મના વિષયમાં અસદ્ગહ રહેતો નથી. કારણ કે એકાંતનિત્યસ્વાદિ ધર્મની સાથે તે અહિંસાદિનું સ્વરૂપ વગેરે સુસંગત નથી - તે સમજાય છે. આ રીતે એકાંતનિત્યત્વાદિ ધર્મ માનવાનો અસંધ્રહ નિવૃત્ત થાય છે. તેમાં લક્ષણથી સિદ્ધ કરાતા સ્વરભેદજ્ઞાનની અપેક્ષા રહેતી નથી. સામાન્ય રીતે આત્મા વગેરે પદાર્થોના;
સ્વતર(અજવાદિ)ભિન્નત્વ સ્વરૂપે જ્ઞાન માટે લક્ષણનો ઉપયોગ હોય છે. પરંતુ તેના ઉપયોગ વિના જ ઉપર જણાવ્યા મુજબ તે તે જીવાદિ પદાર્થોનું જ્ઞાન સંમુગ્ધ(લોકપ્રસિદ્ધ) જ્ઞાનથી જ થઈ જાય છે. તેથી ધર્મવાદમાં લક્ષણનો કોઈ ઉપયોગ નથી - એ સ્પષ્ટપણે સમજી શકાય છે.
અહીં યાદ રાખવું જોઈએ કે આ શ્લોકનો પરમાર્થ સમજવા માટે થોડી દાર્શનિક પરિભાષા સમજી લેવાનું આવશ્યક છે. ધર્મવાદના નિરૂપણમાં પ્રસંગથી નીકળેલી પ્રમાણલક્ષણાદિની ચર્ચા આપણને બિનજરૂરી લાગે તે બનવાજોગ છે. પરંતુ ધર્મવાદથી જ્યારે અહિંસાદિ ધર્મની વ્યવસ્થાનો નિર્ણય કરવાનો હોય ત્યારે પ્રમાણલક્ષણાદિની વધુ પડતી ચિંતામાં સમય ગુમાવીને મૂળભૂત વસ્તુની વિચારણા રહી ના જાય એ કહેવાનું અહીં મુખ્ય તાત્પર્ય છે. સામાન્ય સમજણ અને સરળતાથી લોકમાં સુપ્રસિદ્ધ એવી વાતો ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. એ માટે પ્રમાણ - લક્ષણાદિની વિચારણા આવશ્યક જણાતી નથી. એના વિના પણ અહિંસાદિ ધર્મની વ્યવસ્થાનો નિર્ણય લોકના વ્યવહારાદિથી કરી શકાય છે, જે આ પૂર્વે ઉપર જણાવ્યું છે જ. સામાન્ય જનો જે રીતે લક્ષણાદિના જ્ઞાન વિના પ્રમાણ અને તેનાથી કરાતી ક્રિયાઓમાં પ્રવર્તે છે તેમ ધર્મવાદથી પણ લક્ષણાદિના જ્ઞાન વિના અહિંસાદિ ધર્મની વ્યવસ્થા કરી શકાય છે... એટલું જણાવવાનું અહીં તાત્પર્ય છે. પ્રમાણલક્ષણાદિનો સર્વથા ઉપયોગ નથી : એ પ્રમાણે જણાવવાનું અહીં તાત્પર્ય ન હોવાથી ઉદયનાચાર્યે આપેલો ઉપાલંભ અહીં શોભતો નથી. II૮-૧રી
नन्वर्थनिश्चयार्थमेव लक्षणोपयोगः, तेन ज्ञानप्रामाण्यसंशयनिवृत्तौ तन्मूलार्थसंशयनिवृत्त्याऽर्थनिश्चयसिद्धेरित्याशङ्कायामाह
૧૮
વાદ બત્રીશી