Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 593
________________ ૫૪૮ અધ્યાત્મ રાજચંદ્ર કાળ પણ દુલ્લભીપણાનાં કારણરૂપ છે.”—આમ કેમ થવા પામે છે તેને તત્ત્વજ્ઞાનિક (Scientific) ખુલ્લેખુલ્લે ખુલાસો કરતાં શ્રીમદ્દ પ્રકાશે છે કે આ કાળમાં પૂર્વે જેણે પરમાર્થમાર્ગ આરા છે એવા પૂર્વના આરાધક છે ઘણું કરી દેહ ધારણ ન કરે, એટલે પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુગમ સુલભ નથી. આમ પૂર્વના આરાધક જેનું અલ્પપણું એ આદિ છતાં સર્વથા તે માર્ગની પ્રાપ્તિને અભાવ–અસંભવ છે, એમ નથી, પણ હજુ પણ તેને પૂરેપૂરો સદુભાવ–સંભવ છે, એટલે નિરાશાનું લેશ પણ કારણ નથી પણ આશાનું પૂરેપૂરું કારણ છે. અને તે ઝળકતા કિરણ જેવું આશાનું કારણ એ છે કે–દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વ જ્ઞાનીઓનું કથન છે.” એટલે “વર્તમાનકાળને વિષે જે કંઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે” એમ છે, એવું ઝળકતી આશાનું પૂરેપૂરું કારણ છે. આનો અર્થ એમ થયો કે પરમાર્થમાગ સર્વને દુઃખે કરીને પ્રાપ્ત થાય એ સર્વથા પ્રાપ્ત ન થાય એ અલભ્ય છે એમ નથી, પણ તે ઘણું કરીને દુઃખે કરીને પ્રાપ્ત થાય એવો દુર્લભ્ય છે. એટલે જ શ્રીમદ્ આ વસ્તુ અત્ર સાવ સ્પષ્ટ કરે છે– સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય, એ એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણું કારણે પ્રત્યક્ષ દેખાય છે. આ કારણોનું આવું પરમ બુદ્ધિગમ્ય (most intelligent analysis) પૃથકકરણ શ્રીમદ્ કરે છે– (૧) પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તે કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે. (૨) બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાન દેહે તે આરાધકમાર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધકમાર્ગને આરાધકમાર્ગ માની લઈ છ પ્રવૃત્તિ કરી હોય છે. (૩) ત્રીજું કારણ ઘણુ કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદ્દગુરુને એગ બને, અને તે પણ કવચિત્ બને. (૪) ચોથું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સદ્ગુરુવાદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદ્દગુરુવાદિકને વિષે સત્ય પ્રતીતિ માની ત્યાં જ રોકાઈ રહે છે. (૫) પાંચમું કારણ કવચિત્ સત્સમાગમને યોગ બને તોપણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે; અથવા અસત્સ માગમાદિ કે પિતાની કલ્પનાથી મિથ્યાને સત્યપણે પ્રતીતિ કરી હાય.” આવા કારણોને લઈ પરમાર્થમાર્ગનું દુર્લભપણું છે અને તેને લઈને કાળનું દુષમપણું છે. અને આમ સત્સંગઆદિના અભાવે અને અસત્સંગઆદિના પ્રભાવે પરમાર્થ. માર્ગની પ્રાપ્ત આ કાળમાં દુર્લભ થઈ પડી છે, પરમાર્થનું ક્ષીણપણું થયું છે. આવું આ વર્તમાનકાળનું કરુણ ચિત્ર આલેખતાં જેને પરમ કરુણ વછૂટી છે, પરમ અનુકંપા પ્રગટી છે, એવા શ્રીમદ્દ પરમાર્થ સદ્ સૌભાગ્ય પરના અમૃતપત્રમાં (અં. ૩૯૮) આ કરુણ સ્થિતિનું એર દર્શન કરાવી આ કાળમાં પરમાર્થના ક્ષીણપણાનું એર કરુણ ચિત્ર

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794