Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 710
________________ પ્રકરણ છમું શ્રીમન્ના અભુત નમસ્કાર, ધન અને મહાન ભાવના આવા પરમ સતકૃતની પરમ પ્રભાવના કરનારા–પરમ સતકૃતની દિવ્ય સૃષ્ટિ સર્જનારા, સથી અભેદ સ્વરૂપને પામેલા પરમ જ્ઞાની, પરમ ધ્યાની દિવ્ય દ્રષ્ટા શ્રીમની સથી અભેદ ભાવભક્તિ એટલા બધા પરમોત્કૃષ્ટ પ્રકારની હતી, અને તે અનન્ય ભાવભક્તિથી સહજ ઉદ્ગારરૂપે સ્કુરિત થયેલા શ્રીમદ્દ ભાવનમસ્કારે એટલા બધા અદૂભુત હતા, કે તેનું દિગદર્શન કરવાને માટે એક અલગ પ્રકરણની આવશ્યકતા છે. તેમજ–આત્મા આત્મા ને આત્મા એના એકતાર ધૂનના પ્રવાહની જેને લગની લાગી હતી, એવા આત્મલગ્ન આમમગ્ન અવધૂત શ્રીમદની ગગનભેદી ધૂને પણ શ્રીમદૂની એવી એક વિશિષ્ટ લાક્ષણિકતા હતી કે શ્રીમદની તે અલૌકિક ધૂનનું દિગદર્શન પણ અત્ર આવશ્યક છે અને જેના વચનામૃતમાં સર્વત્ર આત્મા આત્મા ને આત્માને જ દિવ્ય ધ્વનિ રણકાર કરે છે, એવા શ્રીમદે જેટલું આત્માનું ભાવન કર્યું છે તેટલું પ્રાયે ભાગ્યે જ કેઈએ કર્યું હશે. એટલે જ “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે એવી નિરંતર આત્મભાવના ભાવનારા પરમ ભાવિતાત્મા શ્રીમના મહાન ભાવના સૂત્રે તે એટલે બધે આત્મભાવસિંધુ ઉલસાવનારા છે, કે જગતમાં પ્રાયે જેની જોડી ન જડે એવા શ્રીમદૂના આ મહાન ભાવના સૂત્રોનું પણ દિગદર્શન અત્ર તેટલું જ આવશ્યક છે. એટલે શ્રીમદ્દના અદ્દભુત નમસ્કાર, ધૂને અને મહાન્ ભાવના સૂત્રોનું આ પ્રકરણમાં અનુક્રમે આલેખન કરશું. ૧. શ્રીમદ્દના અદ્દભુત નમસ્કાર પરાભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત થઈ જે સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ સથી અભેદ બન્યા હતા, એવા જ્ઞાનાવતાર શ્રીમની સતુથી અભેદ ભાવભક્તિ તે પ્રાયે અનન્ય અસાધારણ –સર્વાતિશાયિની અતિશયવંત હતી. એવા પરમ પરાભક્તિને પામેલા આ પરમ પુરુષ –પરમ આત્મા પરમાત્મસ્વરૂપની અત્યંત નિકટ–અત્યંત અભિન્ન હતા. પરમ ભક્તિસિંધુને છલકાવતા શ્રીમદના નમસ્કારો તે એટલા બધા પરમ આત્મભાવલાસપૂર્ણ છે, કે તે શ્રીમદૂના નમસ્કારોને પણ આપણે નમસ્કાર થઈ જાય છે, એટલું જ નહિં પણ તે નમસ્કાર કરનારને પણ સર્વ કોઈ નતમસ્તક થઈ નમસ્કાર કરતા થઈ જાયનમસ્કાર કરવા મંડી જાય, અને સહજ ભાવોર્મિ થી બેલી ઊઠે કે આવા અદ્દભુત નમસ્કાર તે અમે ક્યાંય દીઠા નથી ! ક્યાંય સાંભળ્યા નથી! પરમ જ્ઞાનગને પામેલા શ્રીમદ્દ ભક્તિયોગની પરાકાષ્ઠાને પણ કેવા પામ્યા હતા તે દેખીને આપણે આશ્ચર્યથી દિંગ થઈ જઈએ છીએ. અત્રે પ્રવચનસાર શાસ્ત્રની પ્રારંભમાં જે પંચ અદૂભુત નમસ્કાર જ્ઞાનગપ્રાપ્ત કુંદકુંદાચાર્યજીએ કર્યા છે, તેનું સહજ સ્મરણ થાય છે અને આવા

Loading...

Page Navigation
1 ... 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794