Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 725
________________ અધ્યાત્મ રાજચંદ્ર સમકિતીને આઠ મદમાંનો એક્કે મદ ન હોય. અવિનયી અહંકારી અર્ધદગ્ધ, પિતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેઠેલ) અને રસલુબ્ધ,–એ ચારમાંથી એક પણ દેષ હોય તે જીવને સમકિત ન થાય. આ અંગે ઠાણુગ સૂત્રની સાખ આપી હતી. (૨) ઇંદ્રિયને નિગ્રહ કરવા વિષે અથાગ બંધ કર્યો હતે,–તે એ કે તેની ખુમારી બેચાર માસ સુધી પણ ગઈ નહોતી. જે આહારથી શરીર પુષ્ટ થાય છે તે આહાર માંસ તરિકે લેખાય છે, કારણ કે તે ખાવાથી માંસ વધે છે, એટલે પૌષ્ટિક આહાર કરે તે માંસ ખાવા બરાબર છે. (૩) મુનિ મેહનલાલજીએ શ્રીમદૂને લખ્યું હતું કે મને વ્યાખ્યાન વાંચતા આવડતું નથી ને તે વાંચવા લાયક હારી દશા નથી, તે માટે શ્રીમદે રૂબરૂમાં ઉત્તર આપે કે—મુનિને સવારમાં સજઝાય કરવાની આજ્ઞા છે તે વખતે સજઝાય ધીમેથી કરવામાં આવે તેને બદલે આ મેટા સ્વરે સઝાય કરવામાં આવે છે એવો ભાવ રાખ, તેમજ તે સાંભળનારની પાસેથી કાંઈ પણ આહારાદિકની ઈચ્છા રાખવી નહિં. તે મુજબ સઝાય કરે. (૪) કે સામાન્ય મુમુક્ષુ ભાઈ બહેન સાધન માટે પૂછે તો આ સાધન બતાવવું–૧. સાત વ્યસનને ત્યાગ. ૨. લીલોતરીને ત્યાગ. ૩. કંદમૂળનો ત્યાગ. ૪. અભક્ષ્યને ત્યાગ. ૫. રાત્રીભોજનનો ત્યાગ. ૬. સર્વ દેવ” અને “પરમ ગુરુરની પાંચ પાંચ માળાનો જપ. ૭. ભક્તિરહસ્ય દુહાનું પઠન-મનન. ૮. ક્ષમાપનાને પાઠ. ૯. સત્સમાગમ અને સશાસનું સેવન. ઇત્યાદિ માર્ગદર્શન મુનિઓને આપ્યું હતું. એક દિવસ શ્રીમદ્ વસોના ચરામાં પધાર્યા હતા, ત્યાં કેટલાક મુમુક્ષુ ભાઈઓ તથા બહેને આવ્યા હતા. શ્રીમદ્ ભાદરણવાળા ધેરીભાઈ બાપુભાઈ પાસે “ભરતેસર ભૂપતિ ભય વૈરાગી” એ સઝાય ત્રણ વખત ગવરાવી હતી. (૧) પછી શ્રીમદે એક દૃષ્ટાંત ષદર્શનનું સ્વરૂપ સમજાવવા વિષે આપ્યું હતું : છ જુદા જુદા વૈદ્યોની દુકાન છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચો છે. તે તમામ રોગોને, તેનાં કારણને, અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીને રોગ નિર્મૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારૂં. આ જોઈ બીજા પાંચ કુટ વૈદ્યો પણ પોતપિતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પિતા પાસે હોય છે, તેટલા પુરતો તો રોગીને રોગ દૂર કરે છે, અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઉલટો રોગ વધે છે. પણ દવા સસ્તી આપે છે એટલે લોભના માર્યા લોક લેવા બહુ લલચાય છે અને ઉલટાં નુકશાન પામે છે. આને ઉપનય એ છે જે, સાચો વૈદ્ય તે વીતરાગ દર્શન છે, જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મેહ વિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘાં પડે છે, ભાવતાં નથી. અને બીજા પાંચ ફૂટ વિદ્યો છે તે કુદર્શનો છે. તે જેટલાં પુરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલાં પુરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના ન્હાને વાત કરે છે તે પિતાની કલ્પનાની છે અને તે સંસારરૂપ રોગ ટળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય

Loading...

Page Navigation
1 ... 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794