Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 743
________________ અધ્યાત્મ રાજચંદ્ર લાલભાઈ પાસેથી શ્રીમદ્દનું ઈડર પધારવાનું જાણવામાં આવ્યું. એટલે મુનિઓને વિચાર કર્યો અને બધા મુનિઓએ નિવૃત્તિક્ષેત્રે શ્રીમદ્દને સસમાગમલાભ મળશે એ આશાએ ઈડર તરફ વિહાર કર્યો. મુનિ લલ્લુજી, મેહનલાલજી, નરશીરખજી એ ત્રણ મુનિઓ ઝડપથી વિહાર કરતાં ઈડર વહેલા પહોંચ્યા; મુનિ દેવકરણજી, ચતુરલાલજી, વેલશીરખજી, લક્ષ્મીચંદજી એ ચાર મુનિઓ ધીમો વિહાર કરતાં પાછળ આવતા હતા. આમ લલ્લુછ મુનિ ઈડર આવી પહોંચી શ્રીમદના નિવાસસ્થાન ડૉ. પ્રાણજીવનદાસના દવાખાના ભણું ચાલ્યા. સૌભાગ્યભાઈના ભાણેજ ઠાકરશી ઠેઠ મુંબઈથી શ્રીમદની સાથે હતા, તેમણે દૂરથી મુનિને આવતા દેખીને શ્રીમદ્દને કહ્યું પેલા મુનિ આવ્યા. શ્રીમદે ઠાકરશીને મુનિને અહીં ન આવવા દેતાં પરબારા વનમાં લઈ જવાને કહ્યું. ઠાકરશી મુનિને વનમાં લઈ ગયા ત્યાં પાછળ શ્રીમદ્દ પણ આવ્યા અને લલ્લુજી મુનિને એકલાને એકાંતે એક આંબા તળે લઈ ગયા અને પરમ અસંગ ઉદાસીન વૃત્તિમાં વર્તતા શ્રીમદે તેમને કહ્યું–તમે કેમ આવ્યા? ચાલ્યા જાઓ. મુનિએ કહ્યું–આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈએ છીએ. પણ અત્રે નિવૃત્તિક્ષેત્ર છે એટલે આપના સમાગમને વિશેષ લાભ મળશે એવી ઈચ્છાથી અમે આવ્યા છીએ, અને દેવકરણુજી પાછળ આવે છે. શ્રીમદે કહ્યું–અમે દેવકરણજીને પત્રથી જણાવી દઈએ છીએ કે અત્રે નહિ આવતાં અન્યત્ર વિહાર કરી જાય. અમે તે અત્રે સર્વથા અસંગ રહેવા આવ્યા છીએ, મુમુક્ષુને પણ સંગ કરતા નથી, એટલે ગુપ્ત-અપ્રસિદ્ધ જ રહેવા માગીએ છીએ, માટે તમારે ડાક્તરના ઘર તરફ ગેચરી અર્થે પણ આવવું નહિં અને આવતી કાલે વિહાર કરી જ. લલ્લુજી મુનિએ કહ્યું—આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈએ છીએ. પણ બે મુનિઓ મોહનલાલજી તથા નરશીરખજી પાછળ રહ્યા છે, તેમને આપના દર્શન થયાં નથી તે આપ જે આજ્ઞા કરે તે એક દિવસ ટકી આપના દર્શન કરી વિહાર કરીશું.” શ્રીમદે કહ્યું – “ભલે તેમ કરજે.” મુનિને આમ ચાલ્યા જાઓ એમ સ્પષ્ટ નિષેધ કરવાનું કારણ એ જણાય છે કે મુનિઓ જે એમની પાસે આવતા જતા થઈ જાય તે અટો શ્રીમદ પોતે જે ગુપ્તતા જાળવવા માગે છે તે જળવાય નહીં, લોકમાં સહેજે પ્રસિદ્ધિ થઈ જાય અને અસંગ ચગ સાધવાનો પોતાને મૂળ ઉદ્દેશ જ માર્યો જાય. જેથી ગુપ્તતા પણ જળવાય અને મુનિઓને મરથ પણ સચવાય એટલે જ શ્રીમદે મુનિઓને જંગલમાં એકાંત સ્થળે મળવાનો સંકેત કર્યો. આમ છતાં પરમ કૃપાળુ શ્રીમદે જે મુનિએ આટલે લાંબે વિહાર કરીને સતસમાગમની તૃષાથી આવ્યા તેમને નિરાશ નહિં કરતાં પૂરા સંતોષ્યા પણ ખરા, એ આપણે હવે પછી જેશું. બીજે દિવસે પ્રાતઃકાળમાં તે જ આંબાના વૃક્ષ તળે ત્રણે મુનિઓ ગયા. ત્યારે જે અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું તેને તાદશ્ય ચિતાર મુનિ લલ્લુજીના શબ્દોમાં આ રહ્યો–તે વખતે કૃપાળુદેવની ડુંગરમાંથી પાણીની વનિને ગુંજાર થતે તે સાંભળીને અમે જોવા ગયા. કૃપાનાથની ધ્વનિ નિકળે છે, પણ તે ક્યાં છે એમ ખેળતા હતા,

Loading...

Page Navigation
1 ... 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794