Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 727
________________ ६७८ અધ્યાત્મ રાજચંદ્ર કર્તવ્ય છે, પણ કેમ થાય? ચોમાસું ઉતરી ગયું, આ વહેળીયાંની પેઠે સહજસાજ મંદવત જ્ઞાન રહ્યું. લેકેને જ્ઞાનપિપાસા નથી, પિપાસા ઉત્પન્ન કરવાની જરૂર છે. (૨) એક દિવસ આઠ દશ પંડિતે, અધિકારીઓ વગેરે શાસ્ત્રાર્થ-જ્ઞાનચર્ચા માટે આવ્યા હતા. પ્રથમ શાસ્ત્રાર્થ સંસ્કૃતમાં તેમણે શરૂ કર્યો. પાંચેક મિનિટ પછી ગૂજરાતીમાં શરૂ થશે. કસંબંધી સાથે હતા. પાંચેક મિનિટ ચાલ્યા પછી શ્રીમદે કલ્યાણ કેમ થાય એ અંગે બોધ શરૂ કર્યો. બે કલાક બોધ ચાલ્યા. આવેલા પંડિત તથા અન્ય શ્રેતાઓના પ્રશ્નોનું આપોઆપ સમાધાન થઈ ગયું. શાસ્ત્રાર્થની જરૂર ન રહી. સહર્ષ નમસ્કાર કરી પંડિત વગેરે વિદાય થયા. (૩) એકવાર રાત્રીએ આખી રાત @ી પરેડિયે પાંચ સુધી બંધ ચાલ્યું હતું. (૪) એકવાર સાધુઓ સંબંધી વાત નિકળતાં શ્રીમદે કહ્યું હતું કે એવી નિંદામાં ન પડતાં ભાવવૈચિત્ર્ય ભાવના, “જગત જીવ છે કર્માધીના, અચરજ કછુઆ ન લીના” ઈત્યાદિ ભાવવા બોધ કર્યો હતે. આમ શ્રીમદ તે ધર્મમેઘની બોધવર્ષો વર્ષાવી રહ્યા હતા અને શ્રોતા મુમુક્ષુઓ યથાપાત્ર ઝીલતા હતા, પણ ઉપરમાં વહેળીયાના દષ્ટાંતથી શ્રીમદે માર્મિકપણે કહી દીધું તેમ તેવા તથારૂપ ઝીલનાર ને નંધનાર પાત્રોની–મુનિઓ કે ગૃહસ્થની ખામી હતી. એટલે જ ઉપરોક્ત યત્રતત્ર થોડા પ્રસંગોને ઉપદેશછાયા સિવાય શ્રીમદે વર્ષાવેલ બેધવૃષ્ટિના થોડા બિન્દુ પણ આપણને મળવા પામ્યા નથી. ભલે શ્રીમદ્ પિતાના ઉતારે કે વનમાં યથાપ્રસંગે યથાપાત્ર આ બોધ તો કરતા રહ્યા, પણ તેઓ પોતે પિતાની શી આત્મસાધના કરી રહ્યા હતા ? અને તેમનો આત્મા કઈ દશામાં વત્ત રહ્યો હતો? બધપ્રસંગે આદિલ પરામ પામ્ય આત્મારામી શ્રીમદ્ પિતે તે પ્રાયઃ એકાકી વનમાં નિકળી પડતા અને સ્વાધ્યાય-ધ્યાનમાં લીન રહેતા, પિતાની સુપ્રસિદ્ધ ધૂનથી વન-વગડાઓ ગજાવતા અને ભવ્યજનેને જગાવતા. વીતરાગના અચિંત્ય ચિંતામણિસ્વરૂપ પરમ અમૃતસ્વરૂપ પરમ શાશ્વત આત્મધર્મને ગાઢ પરમાર્થ રંગ જેના આત્માના પ્રદેશ પ્રદેશે લાગ્યો હતો એવા ધર્મમૂત્તિ શ્રીમદ્ વસે ક્ષેત્રથી ૧૫૪ના પ્રથમ આશે શુદ ૬ના દિને લખેલા આ અમૃતપત્રમાં પરમ આત્મભાવોલ્લાસથી પ્રકાશે છે– શ્રીમત વીતરાગ ભગવોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ પરમ હિતકારી, પરમ અદ્દભુત, સર્વ દુ:ખને નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તે. - તે શ્રીમત્ અનંત ચતુસ્થિત ભગવતને અને તે જયવંત ધર્મનો આશ્રય સવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્દભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તાવ્ય છે, અધીરજથી ખેદ કય નથી. ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કરવો એગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષે હર્ષવિષાદ કરતા નથી તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દષ્ટિ કર્તવ્ય છે.

Loading...

Page Navigation
1 ... 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794