________________
૫૪૮
અધ્યાત્મ રાજચંદ્ર કાળ પણ દુલ્લભીપણાનાં કારણરૂપ છે.”—આમ કેમ થવા પામે છે તેને તત્ત્વજ્ઞાનિક (Scientific) ખુલ્લેખુલ્લે ખુલાસો કરતાં શ્રીમદ્દ પ્રકાશે છે કે આ કાળમાં પૂર્વે જેણે પરમાર્થમાર્ગ આરા છે એવા પૂર્વના આરાધક છે ઘણું કરી દેહ ધારણ ન કરે, એટલે પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુગમ સુલભ નથી. આમ પૂર્વના આરાધક જેનું અલ્પપણું એ આદિ છતાં સર્વથા તે માર્ગની પ્રાપ્તિને અભાવ–અસંભવ છે, એમ નથી, પણ હજુ પણ તેને પૂરેપૂરો સદુભાવ–સંભવ છે, એટલે નિરાશાનું લેશ પણ કારણ નથી પણ આશાનું પૂરેપૂરું કારણ છે. અને તે ઝળકતા કિરણ જેવું આશાનું કારણ એ છે કે–દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વ જ્ઞાનીઓનું કથન છે.” એટલે “વર્તમાનકાળને વિષે જે કંઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે” એમ છે, એવું ઝળકતી આશાનું પૂરેપૂરું કારણ છે. આનો અર્થ એમ થયો કે પરમાર્થમાગ સર્વને દુઃખે કરીને પ્રાપ્ત થાય એ સર્વથા પ્રાપ્ત ન થાય એ અલભ્ય છે એમ નથી, પણ તે ઘણું કરીને દુઃખે કરીને પ્રાપ્ત થાય એવો દુર્લભ્ય છે. એટલે જ શ્રીમદ્ આ વસ્તુ અત્ર સાવ સ્પષ્ટ કરે છે–
સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય, એ એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણું કારણે પ્રત્યક્ષ દેખાય છે. આ કારણોનું આવું પરમ બુદ્ધિગમ્ય (most intelligent analysis) પૃથકકરણ શ્રીમદ્ કરે છે–
(૧) પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તે કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે. (૨) બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાન દેહે તે આરાધકમાર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધકમાર્ગને આરાધકમાર્ગ માની લઈ છ પ્રવૃત્તિ કરી હોય છે. (૩) ત્રીજું કારણ ઘણુ કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદ્દગુરુને એગ બને, અને તે પણ કવચિત્ બને. (૪) ચોથું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સદ્ગુરુવાદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદ્દગુરુવાદિકને વિષે સત્ય પ્રતીતિ માની ત્યાં જ રોકાઈ રહે છે. (૫) પાંચમું કારણ કવચિત્ સત્સમાગમને યોગ બને તોપણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે; અથવા અસત્સ માગમાદિ કે પિતાની કલ્પનાથી મિથ્યાને સત્યપણે પ્રતીતિ કરી હાય.”
આવા કારણોને લઈ પરમાર્થમાર્ગનું દુર્લભપણું છે અને તેને લઈને કાળનું દુષમપણું છે.
અને આમ સત્સંગઆદિના અભાવે અને અસત્સંગઆદિના પ્રભાવે પરમાર્થ. માર્ગની પ્રાપ્ત આ કાળમાં દુર્લભ થઈ પડી છે, પરમાર્થનું ક્ષીણપણું થયું છે. આવું આ વર્તમાનકાળનું કરુણ ચિત્ર આલેખતાં જેને પરમ કરુણ વછૂટી છે, પરમ અનુકંપા પ્રગટી છે, એવા શ્રીમદ્દ પરમાર્થ સદ્ સૌભાગ્ય પરના અમૃતપત્રમાં (અં. ૩૯૮) આ કરુણ સ્થિતિનું એર દર્શન કરાવી આ કાળમાં પરમાર્થના ક્ષીણપણાનું એર કરુણ ચિત્ર