Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 704
________________ દ્રવ્યાનુયોગાદિ સંબંધી મહાપ્રબંધ રચના ૬૫૭ પદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વ નિરૂપણ કરેલો સિદ્ધાંત તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું.”—અત્રે અનંત અવ્યાબાધ સુખમય પરમ પદ તેની પ્રાપ્તિને અર્થે–એ શબ્દોથી પ્રજન પ્રકાશ્ય છે, ભગવાન સર્વ નિરુપણ કરેલએ પરથી પૂર્વાપર સંબંધ બતાવી સર્વજ્ઞપ્રણતતાથી આ ગ્રંથની પરમ પ્રમાણુતા પ્રકાશી છે, માક્ષસિદ્ધાંત એ પદથી ત્રણે કાળમાં ન ચળે એ પરમ નિશ્ચયરૂપ મોક્ષને સિદ્ધાંત અત્રે કથવાને છે એમ આ ગ્રંથને અભિધેય વિષય અકા છે તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું, એ વાક્યથી તે પરમ ઉપકારી સર્વજ્ઞ ભગવાનને પરમ ઉપકાર ચિંતવી તેને નમસ્કારરૂપ મંગલ કર્યું છે. આમ શાસ્ત્રકારની શિલી પ્રમાણે અત્ર મંગલ-પ્રતિજ્ઞાદિ કર્યા છે તે પરથી સહજ સૂચન થાય છે કે શ્રીમદે મેક્ષસિદ્ધાંત સંબંધી આ કેઈ મહાન શાસ્ત્રપ્રબંધ રચવાને ગંભીર પ્રારંભ કર્યો છે. આ પરમ મંગલ પ્રારંભ કરી મંગલમૂત્તિ શ્રીમદે અત્રે પરમ મંગલરૂપે પંચપરમેષ્ઠિનું પરમ તવસ્વરૂપ પ્રકાશતા ભક્તિપૂર્ણ શબ્દમાં પરમ મંગલરૂપ પંચ પરમેષ્ઠિ ભગવાનને નમસ્કાર કર્યો છે. “અને શ્રીષભદેવથી શ્રી મહાવીર પર્યત વર્તમાન ભારતક્ષેત્રના ચોવીશ તીર્થકરોના પરમ ઉપકારને વારંવાર સંભારું છું. શ્રીમાન વર્ધમાનજિન વત્તમાનકાળના ચરમ તીર્થંકર દેવની શિક્ષાથી હાલ મેક્ષમાર્ગનું અસ્તિત્વ વતે છે. એ તેમના ઉપકારને સુવિહિત પુરુષે વારંવાર આશ્ચર્યમય દેખે છે.—એ પરમ ભવ્ય પરમ અદ્ભુત ભક્તિપૂર્ણ શબ્દોમાં તીર્થંકરના પરમ ઉપકારને વારંવાર સંભાર્યો છે. આ મહાન પ્રબંધ રચનાને કે પરમ ભવ્ય (Grand) પ્રારંભ કરી અનન્ય વીતરાગભકત વીતરાગ શ્રીમદે સર્વ વીતરાગભક્તોના મસ્તકને ભક્તિનમ્રપણે ડોલાવે એવા કેવા અદૂભુત ભાવનમસ્કાર કર્યો છે ! આવા વીતરાગ નિગ્રંથ ભગવાનના મહાન માર્ગની વર્તમાનમાં શી સ્થિતિ છે તેનું આર્ષદષ્ટા શ્રીમદ્ સર્વગ્રાહી સર્વ કષ વિહંગાવલોકન કરે છે—કાળના દોષથી અપાર શ્રતસાગરને ઘણે ભાગ વિસર્જન થતો ગયે અને બિંદુમાત્ર અથવા અ૯૫માત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. ઘણું સ્થળે વિસર્જન થવાથી, ઘણુ સ્થળોમાં સ્થળ નિરૂપણ રહ્યું હોવાથી નિગ્રંથ ભગવાનના તે શ્રતને પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યને આ ક્ષેત્રે પ્રાપ્ત થતું નથી. ઘણા મતમતાંતરાદિ ઉત્પન્ન થવાને હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અ૯પતા થઈ.” આમ વર્તમાન સ્થિતિ છતાં હજુ નિરાશાનું કેઈ કારણ નથી પણ પરમ હર્ષનું કારણ છે એમ આર્યજનને ઉત્સાહ પ્રેરતા આ પરમ મોક્ષમાર્ગ પ્રભાવક પુરુષ ભવ્ય ઉદ્દબોધન કરે છે–શ્રત અ૯૫ રહ્યા છતાં, મતમતાંતર ઘણું છતાં, સમાધાનનાં કેટલાંક સાધને પરોક્ષ છતાં. મહાત્માપુરુષોનું કવચિત્વ છતાં, હે આર્યજન! સમ્યક્દર્શન, શ્રુતનું રહસ્ય એ પરમ પદને પંથ આત્માનુભવના હેતુ, સમ્યક્ ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે.” એમ પરમ ઉત્સાહ પ્રેરી, વર્તમાનકાળ દુઃષમ છતાં મોક્ષમાર્ગને ઉચ્છેદ નથી એમ આ પરમ પુરુષ ડિડિમનાદથી ઉદ્ઘેષણ કરે છે – અ-૮૩

Loading...

Page Navigation
1 ... 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794